Home Blog Page 2824

સિગારેટ પર આરોગ્યની ચેતવણી આપનાર પહેલો દેશ કેનેડા

ઓટાવાઃ કેનેડાએ દેશવાસીઓને ધૂમ્રપાન કરવાથી રોકવા માટે અને ધૂમ્રપાન છોડવા પ્રેરિત કરવા વધુ એક પગલું ભર્યું છે. તંબાકુથી થનારાં મોતને ઓછાં કરવાના પ્રયાસમાં કેનેડાએ હવે સીધા વ્યક્તિગત સિગારેટ પર એક આરોગ્ય સંબંધી લેબલ લગાડવાની ઘોષણા કરી છે.

તમાકુનો ધુમાડો બાળકોને નુકસાન પહોંચાડે છે. સિગારેટ લ્યુકેમિયાનું કારણ બને છે. દરેક કશમાં ઝેર છે. કંઈક આવો સંદેશ કેનેડામાં મળતી દરેક સિગારેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાઓમાં નજરે ચઢશે.હવે દરેક સિગારેટ પર આરોગ્ય સંબંધી ચેતવણી ફરજિયાતચ છાપવી પડશે. કેનેડા આવું કરવાવાળો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે.

કેનેડાના આરોગ્ય અધિકારીઓએ એ કહ્યું હતું કે નવાં તમાકુનાં ઉત્પાદનોના પેકેજિંગ અને ચેતવણીના નિયમ કેનેડા સરકારના એ વયસ્કો  મદદ કરવા માટે છે, જે ધૂમ્રપાન છોડવા ઇચ્છે છે. આ પગલું ભરનાર અને તમાકુ વગરના ઉપયોગકર્તાઓમાં નિકોટિનની લતથી બચાવવા માટે અને તમાકુની અપીલને ઓછી કરવામાં મદદ કરશે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે દરેક સિગારેટ પર છપાયેલી ચેતવણીઓ પર લોકોનું ધ્યાન જશે.કેનેડિયન કેન્સર સોસાયટીના વરિષ્ઠ નીતિ વિશ્લેષક રોબ કનિન્ઘમના જણાવ્યાનુસાર વિશ્વમાં મિસાલ સ્થાપવા માટે આ એક મહત્ત્વનું પગલું સાબિત થશે, જે દરેક વ્યક્તિ સુધી પહોંચશે. જે ધૂમ્રપાન કરે છે. કેનેડ આ નિયમ હેઠળ 2035 સુધી દેશભરમાં તમાકુના વેચાણમાં કમસે કમ પાંચ ટકાનો ઘટાડો કરવા ઇચ્છે છે. આ નવા નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થશે, પણ અધિકારીએ કહ્યું હતું કે એ તબક્કાવાર લાગુ કરવામાં આવશે.

 

 

પરીક્ષા અને પરિણામઃ વાલીઓની અપેક્ષાઓ, બાળકોની માનસિક રાહત

લેખિકા: ડૉ. સંગીતા શ્રીવાસ્તવ

દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ અને પરિણામોના સમયે ‘સ્ટ્રેસ’ નો વિષય ઉઠે છે. તણાવ/સ્ટ્રેસની અસર વિધાર્થીઓની માનસિક રાહત-સ્વાસ્થ્ય અને એમને શાળા અને કોલેજોમાં મળતી સફળતા પર પડે છે એ જાણીતી હકીકત છે. વિશ્વભરમાં થયેલા સંખ્યાબંધ અભ્યાસ દ્વારા ક્યારનું ય સ્વીકૃત થયું છે કે વિધાર્થીઓ પર સ્ટ્રેસની અસર થાય છે. ભાવનાત્મક અસમર્થતા, આક્રમક વર્તણૂક, શરમાળપણું, સામાજિક ભય અથવા અણગમો, સામાન્યપણે આનંદદાયક ગણાતી પ્રવૃત્તિઓમાં પણ નિરસતા બતાવવી આવા બધા ચિન્હોનું વારંવાર દેખાવું એ સ્ટ્રેસ હોવાની શક્યતા તરફ ઈશારો કરે છે. શું તાજેતરમાં વાલીઓએ આવા ચિન્હો તેમનાં કિશોર વયના બાળકોમાં નોંધ્યા છે?

વાલીઓની અપેક્ષાનો ભાર

પોતાનાં બાળકોને ભવિષ્યમાં મળનારી સિધ્ધિનો આધાર તેમણે શાળાની પરીક્ષાઓમાં મેળવેલી સફળતા ઉપર રહેલો છે એવી માન્યતામાંથી ‘વાલીઓની અપેક્ષા’ જન્મે છે. ‘તણાવ એ જીવનમાં અંદર કે બહારના પરિબળોને કારણે સર્જાતી કટોકટી છે, જેને  કારણે આજુબાજુના વાતાવરણ સાથે સુમેળ સાધવો અઘરો બને છે અને પોતાની જાત સાથે અને બહારના વાતાવરણ સાથે સંતુલનની સ્થિતિ જાળવવા માટે પહેલાંની સરખામણીએ વ્યક્તિએ ખૂબ જ વધુ પ્રયાસ કરવો પડે છે’. મનની શાંતિના અભાવને પણ સ્ટ્રેસ કહી શકાય. વયસ્કોની માફક જ બાળકો અને કિશોરોમાં પણ સ્ટ્રેસનું હોવું સામાન્ય થઈ રહયું છે.

સ્ટ્રેસના સંકેત

જ્યારે બાળકોને ભણતરનો સ્ટ્રેસ જણાય ત્યારે તેઓ ઘણી અલગ-અલગ રણનીતિઓ વાપરે છે. જે અમુક બાળકોને સ્ટ્રેસ લાગે ત્યારે તેઓ ટાળવાની કોશીશ કરે, દારૂ અથવા ડ્રગને રવાડે ચઢી જાય, કોઈ પણ વસ્તુઓમાં રસ ન લે અથવા નનૈયો ભણે, જ્યારે બીજા બાળકો હકારાત્મક વલણ અપનાવીને સ્વીકાર કરી લે, અને ભણતરના સ્ટ્રેસને કાબુમાં લેવા માટેની યોજનાઓ બનાવે. જે કિશોરોને સ્ટ્રેસ જણાતો હોય તેઓ ભણતરને  નડતરરૂપ માને છે.

(પ્રતિકાત્મક તસવીર)

એક તરફ વાલીઓનું સકારાત્મક રીતે બાળકોનાં અભ્યાસની બાબતોમાં સામેલ થવું બાળકોને વધુ સારા શૈક્ષણિક પરિણામો તરફ દોરી જાય છે તો બીજી તરફ વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ, તેમનું નકારાત્મક કે તુલનાત્મક વલણ વિદ્યાર્થીઓમાં હતાશાની લાગણી જન્માવે છે. વાલીઓ સામાન્ય રીતે પોતાનાં બાળકો માટે ઊંચા આદર્શો અને લક્ષ્યો રાખે છે અને બાળકો પાસેથી એને પૂરા કરવાની અપેક્ષાઓ રાખે છે.

જ્યારે વાલીઓએ ઈચ્છેલા કે નક્કી કરેલા ધોરણો સુધી બાળક પહોંચી ન શકે તો વાલીઓને લાગે છે કે તેમનું બાળક આળસુ છે અથવા નબળુ છે. આને કારણે બાળકોમાં હીનતાનો ભાવ આવે છે, જે એમનામાં માનસિક હતાશાને જન્મ આપે છે અને આત્મહત્યા સુધી દોરી જાય છે. બાળકો પાસેથી રાખવામાં આવતી શૈક્ષણિક અપેક્ષાઓ એમનામાં શૈક્ષણિક સ્ટ્રેસને જન્મ આપે છે જે આત્મહત્યા કરવા જેવી મનોવૃત્તિઓ જગાવે છે.

વિવિધ પરિવારની સ્થિતિ

એક ગ્લોબલ રિસર્ચ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ભારતીય બાળકો સામાન્ય અને આદર્શ પરિવારોમાંથી આવે છે એ બાળકો પર, એક ડિસ્ટર્બ્ડ પરિવારમાંથી આવતા બાળક પર હોય એની સરખામણીમાં ભણતરનો સ્ટ્રેસ વધુ હોય છે. ડિસ્ટર્બ્ડ પરિવારોમાંથી આવતા બાળકોને શૈક્ષણિક બાબતો માટે એમનાં વાલીઓ પાસેથી ઓછું ધ્યાન અને દોરવણી મળતી હોય એવી શક્યતા છે. આને કારણે આવા બાળકો ઉપર તણાવ ઓછો હોય છે. બાળકોનાં શૈક્ષણિક મામલાઓમાં વાલીઓની વધુ પડતી ચોકસાઇ અને તકેદારી બાળકો ઉપર નકારાત્મક અસર કરે છે એવું આ ઉપરથી ઉજાગર થયું છે.

બાળકોનનો કઠિન દોર

કિશોરાવસ્થા એક મુશ્કેલ દોર છે જેમાં બાળકો તેમની આજુબાજુની દરેક વસ્તુઓ બાબત અસમંજસમાં હોય છે. તેઓ શૈક્ષણિક પરીક્ષાઓથી, એકબીજા સાથેનાં સંબંધોથી, રિલેશનશીપની સમસ્યાઓથી, એમનાં પોતાનામાં આવતા બદલાવોથી અને કારકિર્દીની તપાસ કરવા જેવી બાબતોથી સ્ટ્રેસ અનુભવતા હોય  છે. આવો સ્ટ્રેસ માનસિક, શારીરિક અને વર્તણૂક વિષયક સમસ્યાઓ ઊભી કરી શકે છે.

ઘણા બધા વાલીઓને એમ લાગે છે કે બાળકો પાસે ઊંચી અપેક્ષાઓ જતાવવાથી તેઓ એમનામાં સ્વાભિમાનની ભાવના, આત્મવિશ્વાસની ભાવના પોતાનું મૂલ્ય અને મહત્વ સમજવાની ભાવના એમનામાં રોપે છે. પરંતુ મોટે ભાગે તેમની આ અપેક્ષાઓ વધુ પડતી આદર્શવાદી અને અશક્ય પ્રકારની હોય છે. સફળતા મેળવવા માટેની વધારે પડતી ઊંચી અપેક્ષાઓ બાળકો માટે વિનાશક અને નુકશાનકારક સાબિત થઈ શકે છે.

આથી વાલીઓ અને તેમના બાળકો વચ્ચે પ્રેમાળ અને સંતુલિત સંબંધ વિકસે એની મોટી જરૂરિયાત છે. આમ કરવા માટે મારા પોતાનાં અનુભવો પર આધારિત કેટલાંક સૂચનો આપુ છું.

પરિવારમાં નિયમો જરૂરી છે કેમ કે તેને કારણે એક માળખું તૈયાર થાય છે, જે બાળકોને સ્થિરતા અને સુરક્ષિતતા પ્રદાન કરે છે. પરંતુ આ નિયમાવલીનો પાયો બિનશરતી સ્વીકૃતિ અને પ્રેમ હોવો જોઈએ.

વાલીઓ, જો તમે તમારે પોતાને માટે બાંધેલી ધારણામાં ઓછા પડતા હો તો પોતાની જાત માટે કઠોર ન બનો કે પોતાના પર નારાજ ન થાઓ.

ભૂલો દરેકથી થાય છે. જે બનાવ બની ગયા છે એ બધાને આપણે ભૂસી શકવાના નથી. આમ થયું હોત તો, અથવા આમ કર્યું હોત અથવા ન કર્યું હોત તો.. એવા વિચારો બંધ કરવાનું શીખવું પડશે. એને બદલે શું સારું છે એ બાબત વિષે જાગરૂકતા કેળવવાનું શીખવું પડશે.

વાલી તરીકે બાળકો માટે અમુક નિર્ણયો કરો, કેમ કે તેમને એની જરૂર છે પરંતુ જો એમની પસંદગી તમારાથી ભિન્ન હોય તો પણ એનો સ્વીકાર કરો.

તમારા મૂડ અને તમારી ઊર્જા (એનર્જી) બંનેની બાળકો પર અસર થાય છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તમારા બાળકો પણ ઉશ્કેરાયેલા રહે છે. જ્યારે તમે શાંત અને આનંદમાં હો તો બાળકો પણ ખુશ અને હળવા હોય છે. જો તમારા બાળકો ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ હોય તો એમની પર તમારા મૂડની વધુ અસર થાય છે.

તમે ધીમા પડો : બીજી રૂમમાં જાઓ, ઊંડા શ્વાસ ભરો અને સભાન પણે લાંબા શ્વાસ વડે તમારા તણાવને તમારાથી દૂર કરો. જ્યાં સુધી તમારા વિચારો શાંત ન થાય  અને તમારા શ્વાસ સામાન્ય ન થાય ત્યાં સુધી રૂમમાં પાછા ન જાઓ. તમે શાંત થયા પછી જ જાઓ અને તમે નોંધશો કે કેટલી ઝડપથી એ લોકો પણ હળવા થાય છે. તમે જ્યારે હળવા થવાનું શીખશો ત્યારે તમારા બાળકો ઉપર એની ઘણી સકારાત્મક અસર થશે. આમ કરવાથી ઘરનાં વડીલ તરીકે તમે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવો છો. એટલે પહેલા તમે તમારી સંભાળ કરો !

બાળકો શાણા હોય છે અને ખૂબ અવલોકન કરે છે, પરંતુ તમારી અંદર શું ચાલી રહ્યું છે એ બાળકોને કહેવાની જરૂર નથી. યાદ રાખો કે આ તેમની બાલ્યાવસ્થા છે એટલે એમને બાળક જ રહેવા દો અને એમનાં જીવનની સમસ્યાઓને એમને પોતે સુલજાવવા દો. તમારી જિંદગીની સમસ્યાઓ માટે એક વયસ્ક તરીકે, બીજા કોઈ એક વયસ્ક પાસેથી આધાર અને સાંત્વના શોધો. તમારું બાળક તમને પૂછે તો પણ મહેરબાની કરીને એને તમારો હમરાઝ ન બનાવો. તમે એને બીજા કોઈ સામાન્ય જવાબો આપી શકો, જેવા કે “હું કોઈ નિર્ણય કરવા બાબત વિચારું છું” અથવા “હું કામ વિષે વિચારું છું..”  તમારી સમસ્યાઓમાં એને ન સંડોવો.

બે બાળકોની તુલના ન કરો. જે બાળક બહિર્મુખી હોય એને બીજા લોકો સાથે ફાવે છે કે અભ્યાસનાં સમયે બહારના અવાજો વચ્ચે પણ એ ભણી શકે છે પણ અંતર્મુખી બાળક આવા વાતાવરણમાં કામ કરી શકતું નથી. એને તો એકાંત અને શાંતિ માફક આવે છે. એટલે શાંત બાળકને પણ તમારું ધ્યાન આપો.

જો બાળકને સ્પોર્ટ્સમાં રસ પડતો હોય પણ તમને એમ લાગતું હોય કે એણે અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો એને ન ગમતી પ્રવૃત્તિમાં ધકેલવાને બદલે એની પસંદગીને પ્રાધાન્ય આપો. આ એને એના આખા જીવન પર્યંત મદદરૂપ થશે. એને પોતાને માટે જે મહત્વનું છે એ કરવા દો નહીં કે તમને એના માટે જે મહત્વનું લાગે છે એ એની પર લાદવાની કોશિશ ન કરો.

બીજા લોકોની અલગ ઈચ્છાઓ અને જરૂરીયાતો હોઇ શકે એ સમજવામાં થોડી વાર લાગે છે. દા.ત. તમારા એક બાળકની મર્યાદા બીજા કરતા વધારે હોઈ શકે. શાળાના સમય પછીનો બાકી વધતો સમય બાળકો માટેની પ્રવૃત્તિઓથી ભરી ન દો. કોઈ પણ ઉંમર કેમ ન હોય, દરેક માટે એ અતિ થઈ જાય છે ! આપણાં ખાલી સમયમાં આપણને ગમતી પ્રવૃત્તિ કરવી ગમે છે અથવા તો કઈં ન કરતા ફક્ત બેસી રહેવાનું પણ જરૂરી છે. દરેક અઠવાડીયે અડધા દિવસનું ‘ફેમિલી વેકેશન’ હોય તો કેવું? કોઈ દબાણ, કોઈ કામ, કોઈ અપેક્ષા વગરનું. આપણે હળવાશ અનુભવવાનું અને એમ કરતા પુન: શક્તિસંચાર કરવાનું શીખવું જોઈએ.

કેટલી વાર તમને કોઈએ કહ્યું હશે કે તમે અમુક વિષયમાં ખૂબ ‘અતિ’ છો. : અતિ સંવેદનશીલ, અતિ રોતલ, અતિ વિચારશીલ, અતિ પ્રશ્નો પૂછનાર, અતિ વાચાળ, અતિ ભટકનાર, ખાવામાં અતિ ચોચલા કરનાર, અતિ વાંચનાર, અતિ દિવાસ્વપ્ન જોનાર, વગેરે વગેરે…. આપણને કોઈ આવું કહે ત્યારે આપણે એને વખાણ નથી માનતા. ઊલટું એમ લાગે છે કે “મારામાં કઈ ખામી છે” હકીકતમાં તો આપણે આ બાબતોને નકારાત્મક રીતે લઈએ છીએ અને પછી એને છુપાવવાની કોશિશ કરીએ છીએ કે એમાંથી બહાર નીકળવાની પણ કોશિશ કરીએ છીએ.  હકીકતમાં આ આદતો તો આપણને અનોખા બનાવે છે. આપણે પોતે અને આપણાં બાળકો જે છીએ અને જેવા છીએ એવા તરીકે આપણી જાતને અને બાળકોને સ્વીકારતા અને કદર કરતાં શીખવું જોઈએ. એમની સાથે ઝગડવાનું બંધ કરીને અને એમને આખો દિવસ ટોકવાનું બંધ કરવું જોઈએ.

તમારી આજુબાજુની દુનિયા સાથેનો તમારો સંબંધ જાળવવા માટે સંતુલન જરૂરી છે. તમારા વાતાવરણની બહાર ૩૦ મિનિટ રહેવું એ તણાવ અને ઉત્તેજના ઓછી કરવાનો સરળ ઉપાય છે. જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે તમારી ઈન્દ્રિયોનો વિસ્તાર થતો અનુભવાય છે. જ્યારે કુદરત ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે સંકુચિત દ્રષ્ટિકોણ દૂર થાય છે અને નવો વિસ્તૃત દ્રષ્ટિકોણ સાંપડે છે. આનાથી જીવનને નવી દિશા મળે છે.

છેવટે, દરેક બાળક સાથે તમારે મહિનામાં એકવાર વિશેષ ૩-૪ કલાક ફાળવવા જોઈએ. મારા અનુભવ પરથી હું કહી શકું કે આમ કરવાથી બાળકો એકદમ ઉત્સાહિત થઈ જશે. એ લોકો આ સમયની આતુરતાથી રાહ જોશે અને તમને પણ આ સમય દરમ્યાન બાળકો વિષે ઘણું નવું જાણવા મળશે. જ્યારે તમે એમની સાથે ઘરની બહાર બધાથી દૂર એકલા હોવ ત્યારે એમની સાથે સ્વાભાવિક રીતે ઘનિષ્ઠ રીતે વાતો થઈ શકે છે. તમારા સંબંધોમાં ઊંડાણ આવશે. આ ખૂબ સુંદર અનુભવ છે અને હું આ માટે ખૂબ ભારપૂર્વક ભલામણ કરું છું.

(અનુવાદ – સોનલ કાંટાવાલા)

(લેખિકા ડૉ. સંગીતા શ્રીવાસ્તવ કે.ઈ.એસ. (કાંદિવલી એજયુકેશન સોસાયટી) – શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સનાં – સલાહકાર-પ્રાચાર્યા છે)

BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

સાંબાઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSFએ) બુધવારે મોડી રાત્રે એક સંદિગ્ધ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના સાંબા ક્ષેત્રમાં મંગુ ચક સીમા ચોકી (BOP)ની પાસે રાત્રે 2.50 કલાકે બની હતી.

BSFના પ્રવક્તાએ કહ્યું હતું કે જવાનોને સાંબા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર કરીને એક વ્યક્તિની સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી હતી. દળોએ એ વ્યક્તિને અટકાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સરહદની વાડ તરફ વધી રહી હતી. ત્યાર બાદ સૈનિકોએ ગોળીઓ ચલાવી હતી, જેમાં તેનું મોત થયું હતું. ત્યાર બાદ BSFએ સાંબા વિસ્તારમાં બોર્ડર પર તપાસ ઝુંબેશ શરૂ કરી હતી. જમ્મુ સંભાગમાં છેલ્લા બે દિવસમાં ભારત-પાકિસ્તાન સરહદે આ પ્રકારની આ બીજી ઘટના બની હતી.

સેનાએ પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા LOC) પર ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને હથિયાર અને કેફી પદાર્થોની દાણચોરીના પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ વિભાગેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને બોર્ડર પર લાગેલી વાડની પાસે અથડામણ પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયાર અને માદક પદાર્થોની મોટી ખેપ જપ્ત કરવામાં આવી હતી.

 

 

Nutshell in 99


Published on 01 March 2023


Published on 1 July 2022

Published on 2 June 2022


Published on 6 April 2022

Published on 6 October 2022


Published on 7 Feb 2022

Published on 11 March 2022

Published on 16 June 2022

Published on 17 August 2022

Published on 18 may 2022

Published on 19 September 2022

Published on 20 October 2022

Published on 21 Feb 2022

Published on 21 November 2022

Published on 24 January 2023

Published on 25 March 2022

Published on 25 October 2022

Published on 26 April 2022

Published on 26 August 2022

Published on 30 January 2023

ઇગ્નુ દ્વારા પરીક્ષા, નવા એડમિશન સંબંધિત માહિતી

અમદાવાદઃ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) દ્વારા રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક કોર્સ માટેની જૂનની ટર્મ પરીક્ષા પહેલી જૂન, 2023થી શરૂ થશે, જે સાત જુલાઈ, 2023 સુધી ચાલશે. ઇગ્નુના અમદાવાદ પ્રાદેશિક કેન્દ્ર સહિત પાંચ પરીક્ષા કેન્દ્ર, છે, જેમાં અમદાવાદ (02), વડોદરા (01) સુરત (01) ,દમણ (01) છે અને સાત પરીક્ષા કેન્દ્ર માત્ર જેલના કેદીઓ માટે વિવિધ જેલોમાં સ્થાપિત છે.

યુનિવર્સિટીના કોર્સની જેતે ટર્મને અંતે પૂરી થતી પરીક્ષા માટે યોગ્ય વિદ્યાર્થીઓ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ અપલોડ કરવામાં આવી છે. આ હોલ ટિકિટ ઇગ્નુની વેબસાઇટ www.ignou.ac.in પર ઉપલબ્ધ છે.

પરીક્ષા સુપરિટેન્ડેન્ટે પરીક્ષાર્થીઓનું નામ હાજરી પત્રકમાં નોંધવાનું રહેશે. જેતે વિદ્યાર્થીએ યુનિવર્સિટી/ સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત પોતાની પાસે રાખવાનું રહેશે. વળી, વિદ્યાર્થીએ મોબાઇલ ફોન્સ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરીક્ષા હોલમાં સાથે રાખવા દેવામાં નહીં આવે, જેની વિદ્યાર્થીએ નોંધ લેવી.  

યુનિવર્સિટીએ ઓનલાઇન અને ODL પદ્ધતિ માટે બધા કોર્સ માટે જુલાઈ, 2023 સત્ર માટે નવા એડમિશનનની જાહેરાત કરી છે, જેથી જેતે વિદ્યાર્થીઓ નવા એડમિશન માટે યુનિવર્સિટી માટે નીચેની લિન્કમાં જઈને અરજી કરી શકે છે, જેમાં ODL પદ્ધતિ માટે અને ઓનલાઇન કોર્સ માટે https://ignoadmission.samarth.edu.in પર સંપર્ક સાધી શકે છે. જોકોઈ વિદ્યાર્થીને કોઈ પણ જાતની પૂછપરછ કરવા માટે rcahmedabad@ignou.ac.in પર લખી શકે છે. આ સાથે ફરીથી રજિસ્ટ્રેશન માટે જુલાઈ, 2023 લિન્ક ખુલ્લી છે, જે https://onlinerr.ignou.ac.in  અથવા https://ignous.samarth.edu.in/index.php/site/login છે.

 

 

કોરાનાના 287 નવા કેસો, બેનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 287 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,90,876 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,872 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,55,079 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 583 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3925એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,03,736 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,11,869 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1317 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

૦૧ જૂન, ૨૦૨૩

૦૧ જૂન, ૨૦૨૩

ઈલોન મસ્ક ફરી બન્યા દુનિયાના શ્રીમંત નંબર-1

ન્યૂયોર્કઃ ટેસ્લા, સ્પેસ એક્સ અને ટ્વિટર કંપનીઓના માલિક ઈલોન મસ્કે દુનિયાના નંબર-1 શ્રીમંતનું બિરુદ ફરીવાર મેળવ્યું છે. એમણે દુનિયાના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગૂડ્સ કંપની લૂઈ વિટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટને બીજા ક્રમે ધકેલી દીધા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસકની કુલ સંપત્તિ હાલ અંદાજે 192 અબજ ડોલર છે. જ્યારે આર્નોલ્ટની સંપત્તિ આશરે 186 અબજ ડોલર છે. આર્નોલ્ટની સંપત્તિમાં 2.6 ટકાનો ઘટાડો થતાં એ મસ્ક કરતાં પાછળ રહી ગયા છે. આર્નોલ્ટે ગયા વર્ષના ડિસેમ્બરમાં મસ્ક કરતાં આગળ નીકળી ગયા હતા, પરંતુ પાંચ મહિનામાં મસ્ક ફરી એમનાથી આગળ નીકળી ગયા છે.

જોકે અમેરિકાના અન્ય બિઝનેસ સામયિક ફોર્બ્સની ‘દુનિયાના સૌથી ધનવાનો’ની યાદીમાં હજી પણ મસ્ક 180 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે અને આર્નોલ્ટ 211 અબજ ડોલરની નેટ વર્થ સાથે પહેલા નંબરે છે.

‘દેશમાં હિન્દૂ મંદિરો અસ્વચ્છ છે’: નીતિન ગડકરીનું ચર્ચાસ્પદ નિવેદન

મુંબઈઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવે છે. એમણે ગઈ કાલે દેશના હિન્દૂ મંદિરો વિશે એક વિધાન કર્યું હતું. મંદિરોમાંની ગંદકી અને અસ્વચ્છતાની તેમણે ટીકા કરી હતી. એમણે કહ્યું, હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવતું નથી. એનાથી વિપરીત, વિદેશોમાંના ધર્મસ્થળોમાં આ વિશે પૂરી કાળજી લેવામાં આવે છે.

હવે ગડકરીના આ નિવેદનને પગલે ચર્ચાનો છૂટો દોર મળશે એ ચોક્કસ છે.

ગડકરીએ આ નિવેદન એક કાર્યક્રમમાં એમના સંબોધનમાં કર્યું હતું. એમણે કહ્યું હતું, ‘દેશમાં હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનો અભાવ છે. આપણો દેશ એવો છે જ્યાં ખાસ કરીને હિન્દૂ સમાજના મંદિરોમાં સ્વચ્છતા હોતી નથી. આપણે ત્યાંની ધર્મશાળાઓ પણ સારી નથી હોતી. હું વિદેશમાં ગયો હતો ત્યારે ત્યાંના ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચમાંનું વાતાવરણ જોઈને મને થયું હતું, આપણા ધર્મસ્થળો પણ સારા હોવા જોઈએ.’

રાશિ ભવિષ્ય 01/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે, વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.