Home Blog Page 2831

પૈસા નહીં ચૂકવતાં પાકિસ્તાનનું વિમાન મલેશિયાએ જપ્ત કર્યું

ઇસ્લામાબાદઃ નાદાર થવાને આરે પહોંચેલા પાકિસ્તાનને એના ઇસ્લામિક મિત્ર મલેશિયાએ બહુ મોટો આંચકો આવ્યો છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારિ એરલાઇન PIAના બોઇંગ 777 પ્લેનને જપ્ત કર્યું છે. મલેશિયાના ક્વાલા લંપુર એરપોર્ટ પર લીધ વિવાદમાં કેટલીય વાર કહ્યા છતાં પૈસા નહીં ચૂકવવામાં આવતાં પાકિસ્તાનના આ વિમાનને જપ્ત કરી લીધું છે. પાકિસ્તાન મલેશિયાની સાથે મિત્રતાના તમામ દાવા કરતું રહે છે. ઇમરાન ખાન તો મલેશિયાની સાથે મળીને ઇસ્લામિક દેશોનું ગઠબંધન પણ બનાવવા ઇચ્છે છે.

પાકિસ્તાની એરલાઇને આ બોઇંગ 777 વિમાનને મલેશિયાથી લીઝ પર લેવામાં આવ્યું હતું. આ વિમાનને બીજી વાર ક્વાલા લંપુર એરપોર્ટ પરથી જપ્ત કરી લેવામાં આવ્યું છે. અનેક વાર યાદ અપાવ્યા છતાં કંગાળ પાકિસ્તાને લીઝના પૈસા મલેશિયાને નહીં ચૂકવતાં પાકિસ્તાન એરલાઇનના વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું હતું. પાકિસ્તાને બોઇંગ વિમાનને આશરે 40 લાખ ડોલર લીઝના પૈસા આપવાના હતા.

મલેશિયાની કંપનીએ પાકિસ્તાનને પૈસા નહીં ચૂકવતાં સ્થાનિક કોર્ટમાંથી આદેશ લીધો હતો અને એરપોર્ટ પર PIAનું વિમાન જપ્ત કર્યું હતું. આ પહેલાં વર્ષ 2021માં પાકિસ્તાની વિમાનને મલેશિયાની રાજધાની ક્વાલા લંપુરમાં જપ્ત કરી લીધું હતું. એ સમયે પાકિસ્તાને પૈસા નહોતા ચૂકવ્યા, પણ રાજકીય આશ્વાસન આપ્યું હતું., જે પછી મલેશિયાએ વિમાનને જવા દીધું હતું.

આ જપ્ત કરવામાં આવેલા વિમાનમાં 173 યાત્રી અને પાઇલટ સહિત ક્રૂના સભ્યો હતા. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સી ચાર અબજ ડોલરની આસપાસ બચ્યું છે. પાકિસ્તાને હાલના સમયમાં IMF પાસેથી લોન માગી છે, પણ અત્યારે એ મળવાની સંભાવના નથી.

 

 

 

 

 

સાવધાનઃ 500 રૂપિયાની નોટ લેતી વખતે ચેક કરજોઃ નકલી નોટો વધી ગઈ હોવાની RBIની માહિતી

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે 500ના મૂલ્યની નકલી કરન્સી નોટની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14.4 ટકા જેટલી વધી ગઈ છે. દેશમાં 500 રૂપિયાની ફરી રહેલી નકલી નોટોની સંખ્યા વધીને રૂ. 91,110 નંગ થઈ છે. જોકે રૂ. 2000ની નકલી ચલણી નોટોની સંખ્યામાં 27.9 ટકાનો ઘટાડો થયો છે. તે હવે માત્ર 9,806 જ રહેવા પામી છે.

2016માં નોટબંધી અમલમાં મૂકાયા બાદ દેશની અર્થવ્યવસ્થામાં નકલી નોટોનું પ્રમાણ ઘટી જશે એવી અપેક્ષા હતી, પરંતુ એ ખોટી પડી રહી હોવાનું જણાય છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ મે, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ મે, ૨૦૨૩

પશ્ચિમ બંગાળ પર બની રહેલી ફિલ્મનો ભારે વિવાદ

કોલકાતાઃ સનોજ મિશ્રના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બંગાળની રાજકીય સ્થિતિના પરદે ધૂમ મચાવી રહી છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું નથી થયું, પરંતુ એનું ટ્રેલર અત્યારથી રાજકીય ઘમસાણ મચાવી રહ્યું છે. કોલકાતામાં ફિલ્મના ડિરેક્ટરની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ દ્વારા બંગાળની છબિને અને સાંપ્રદાયિક સદભાવને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એ આધારે ડિરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યા છે.

આ ટ્રેલરના પ્રારંભમાં ડિરેક્ટરે અલ્પસંખ્યકોના તુષ્ટિકરણના રાજકારણનો સંકેત આપ્યો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંગાળમાં નાગરિકતા અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) લાગુ નહીં થવા દેવાની વાત કહે છે. આ ફિલ્મના ટ્રેલરમાં તેમનું એ ભાષણ મુખ્ય મંત્રીની ભૂમિકા ભજવતા પાત્ર દ્વારા આપવામાં આવ્યું છે.આ ટ્રેલરમાં બંગાળને બીજું કાશ્મીર બતાવવામાં આવ્યું છે. એમાં મમતાનું નામ વિધાનસભાની ચૂંટણીના સમયે ચર્ચિત થનારા ‘ખેલા હોબે’ સૂત્રની ગુંજ સંભળાય છે. રોહિંગ્યા મુસલમાન બંગલાદેશની કાંટાળી તારોને પાર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમને કારણે એક વર્ગના લોકો અહીં બેઘર થઈ ગયા છે. સરકાર એ બહુસંખ્યક સંપ્રદાયની સામે થતી હિંસાને અટકાવવા માટે કોઈ પગલાં નથી લેતી.

TMCની ફિલ્મને પ્રતિબંધ કરવાની માગ

બે મિનિટ અને 12 સેકન્ડના ટ્રેલરને આશરે નવ લાખ લોકો જોઈ ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષ સવાલ કરે છે કે જો એ બંગાળની ડાયરી છે, એમાં કન્યાશ્રી વગેરે યોજનાઓનો ઉલ્લેખ કેમ નથી? CPMની મદદથી ભાજપ એક ખોટો રાજકીય દુષ્પ્રચાર કરી રહી છે. અમે એના પ્રતિબંધ મૂકવાની માગ કરીએ છીએ.

ભાજપનો સરકાર પર આરોપ

ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્ય કહે છે કે આ ટ્રેલરની સામે FIR નોંધવાથી એ સ્પષ્ટ છે કે મમતા સરકાર નથી ઇચ્છતી કે હકીકત સામે આવે છે. આ સાથે ફિલ્મના ડિરેક્ટરે તેમના જાનનું જોખમ હોવાનું જણાવતા દાવો કર્યો હતો કે તેમની હત્યા થવાની શક્યતા છે.

 

 

 

 

 

CSKની જીત બાદ કોહલી-અનુષ્કાએ વ્યક્ત કરી ખુશી, ધોનીને આપ્યું સન્માન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ચેમ્પિયન બનવા પર ચેન્નાઈ સુપર કિંગ્સને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા. કોહલી અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોની માટે ખાસ કેપ્શન આપ્યું હતું. IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ રસપ્રદ રહી હતી. સીએસકેએ વરસાદથી પ્રભાવિત મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી વખત ટાઇટલ જીત્યું.

કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. વાસ્તવમાં કોહલી ટીવી પર મેચ જોઈ રહ્યો હતો. તેણે ચેન્નાઈના ખેલાડીઓના સેલિબ્રેશનનો ફોટો પાડ્યો છે. આ સાથે તેણે રવીન્દ્ર જાડેજા અને ધોની માટે સ્પેશિયલ કેપ્શન પણ લખ્યું છે. કોહલીએ ધોની માટે હાર્ટ ઇમોજી પણ મૂકી અને ખાસ ઉલ્લેખ કર્યો. બીજી તરફ અનુષ્કાએ પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. તેણે ધોની અને જાડેજાનો ફોટો મુકીને ચેન્નાઈને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. કોહલીએ સ્ટોરી શેર કરી બતાવ્યું કે તે કેવી રીતે ધોનીનું સન્માન કરે છે.

નોંધપાત્ર રીતે, જો આપણે ચેન્નાઈ માટે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો, ડેવોન કોનવે ટોચ પર જોવા મળશે. તેણે 16 મેચમાં 672 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવ્યા છે. શિવમ દુબેએ 16 મેચમાં 418 રન બનાવ્યા છે. બોલિંગમાં તુષાર દેશપાંડે, રવિન્દ્ર જાડેજા અને મહિષા પથિરાનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તુષારે 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે છઠ્ઠા ક્રમે છે. જાડેજાએ 16 મેચમાં 20 વિકેટ લીધી હતી. પથિરાનાએ 12 મેચમાં 19 વિકેટ લીધી હતી.

શેરબજાર તેજી સાથે થયું બંધ, સેન્સેક્સ 63,000 ની નીચે અને નિફ્ટી 18650 ની આસપાસ બંધ

શેરબજારમાં દિવસભર મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું અને ક્લોઝિંગ પણ લીલા રંગમાં થયું હતું. જોકે, આજે બજારમાં વધુ તેજી નોંધાઈ નથી. સેન્સેક્સ ફરી એકવાર 63,000 ની ખૂબ નજીક અને નિફ્ટી 18633 ના સ્તર પર બંધ થયો છે.

બજાર કયા સ્તરે બંધ થયું

આજે શેરબજારના બંધમાં BSE સેન્સેક્સ 122.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 62,969 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય NSE નો નિફ્ટી 35.20 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 18,633 ના સ્તર પર બંધ થયો છે.


કયા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી

મીડિયા શેર્સમાં 0.68 ટકા અને ખાનગી બેન્કોએ 0.58 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. એફએમસીજી શેરમાં 0.59 ટકા અને નાણાકીય શેરમાં 0.50 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ જોવામાં આવ્યું છે.

સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને 12 શેરોમાં ઘટાડા સાથે સ્ટોક ક્લોઝિંગ જોવામાં આવ્યું છે. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 22 શેરો તેજી સાથે બંધ થયા હતા. 26 શેરોમાં કારોબાર મજબૂત બંધ રહ્યો હતો.

સેન્સેક્સના કયા શેરોમાં તેજી જોવા મળી

આજે જે સેન્સેક્સ શેરો ઉછળ્યા છે તેમાં ITC પહેલા 2.31 ટકા વધીને બંધ થયો છે. Bajaj Finserv, Kotak Mahindra Bank, Bajaj Finance, Axis Bank, HCL Tech, Wipro, UltraTech Cement, IndusInd Bank, Infosys, ICICI Bank, PowerGrid, NTPC, HUL, Asian Paints, HDFC બેંક અને HDFC બેંક આજે તેજી સાથે બંધ છે.

કયા શેરોમાં ઘટાડો થયો

ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, એલએન્ડટી, ટાટા મોટર્સ, ટાઈટન, એસબીઆઈ, ભારતી એરટેલ, ટીસીએસ, એમએન્ડએમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટ્રેડિંગ આજે નુકસાન સાથે સમાપ્ત થયા હતા.

બેન્ક નિફ્ટીની સ્થિતિ કેવી હતી

બેંક નિફ્ટીની સ્થિતિ આજે મિશ્ર હતી, પરંતુ બંધ થવાના સમયે બેંક નિફ્ટી ઉછાળા સાથે બંધ થયો હતો. 124 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટી 44,436ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે.

એનએસઈએલ કેસમાં એફએમસીના રમેશ અભિષેક સામે તપાસનો આદેશ

મુંબઈ, તા. 30 મે, 2023: એનએસઈએલની પેમેન્ટ કટોકટીના કેસમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેકની સંડોવણી વિશે તપાસ કરવાનો એમપીઆઇડી કોર્ટે મુંબઈ પોલીસની ઈઓડબ્લ્યુને આદેશ આપ્યો છે. એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની અરજીને પગલે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કોર્ટે હાલમાં ઈઓડબ્લ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ)ને ઉક્ત હુકમ કરીને ચાળીસ દિવસની અંદર અહેવાલ સુપરત કરવાનું પણ કહ્યું છે.

એનએસઈએલની અખબારી યાદીમાં જણાવાયા મુજબ ઈઓડબ્લ્યુએ ડિસેમ્બર 2022માં આખરી ચાર્જશીટ ફાઇલ કરી હતી, પરંતુ એફએમસી, ખાસ કરીને રમેશ અભિષેકની ભૂમિકા વિશે કોઈ તપાસ કરી નહીં હોવાથી એક્સચેન્જે પોતે ઉક્ત અરજી કરી હતી.

એનએસઈએલે ઈઓડબ્લ્યુને 2020માં વિગતવાર રજૂઆત કરી હતી અને એમાં કહ્યું હતું કે રમેશ અભિષેકે આ કટોકટી સંબંધે અનેક બાબતોમાં બેદરકારી રાખી હતી તથા તેઓ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં ઈઓડબ્લ્યુએ એ વિશે તપાસ કરી ન હતી. એનએસઈએલના એમડી-સીઈઓ નીરજ શર્માએ કહ્યું છે કે અભિષેકની ભૂમિકા વિશે હવે ન્યાયીપણે તપાસ થશે અને એમણે કટોકટીના કેસમાં પગલાં ભર્યાં નહીં એની પાછળના છુપા ઈરાદાઓ બહાર આવશે એવી આશા છે.

એનએસઈએલની યાદીમાં જણાવાયું છે કે એફએમસી ચેરમેન તરીકે રમેશ અભિષેકે ગ્રાહકસંબંધી બાબતોના ખાતાને ખોટી સલાહ આપી હતી અને કહ્યું હતું કે એનએસઈએલે એફસીઆરએ હેઠળ અપાયેલી મુક્તિની કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું છે. એને પગલે આ ખાતાએ એક્સચેન્જને એપ્રિલ 2012માં કારણદર્શક નોટિસ મોકલી હતી. જો રમેશ અભિષેકના મતે એનએસઈએલના કોન્ટ્રેક્ટની મુદત મુક્તિનું ઉલ્લંઘન કરનારી હતી, તો પછી એમણે એન-સ્પોટ (નેશનલ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની અને એનએસઈએલની પ્રતિસ્પર્ધી) વિરુદ્ધ કેમ પગલાં સૂચવ્યાં નહીં. એન-સ્પોટમાં પણ 11 દિવસ કરતાં વધુની મુદતના કોન્ટ્રેક્ટ ચાલી રહ્યા હતા. એન-સ્પોટ અને એના દ્વારા એનએસઈની તરફેણ કરનારી આ બાબત રમેશ અભિષેકના બદઈરાદા સ્પષ્ટ કરે છે.

નોંધનીય છે કે 2019માં 63 મૂન્સ ટેક્નોલોજીસે પોતાની ગ્રુપ ઓફ કંપનીઝ વિરુદ્ધ કથિતપણે ષડ્યંત્ર રચવા બદલ રમેશ અભિષેક, કે. પી. કૃષ્ણન અને પી. ચિદમ્બરમ સામે સીબીઆઇ સમક્ષ ફોજદારી ફરિયાદ કરી હતી.

દિલ્હી મર્ડર કેસનો નવો વીડિયો સામે આવ્યો

દેશને હચમચાવી દેનાર દિલ્હીના શાહબાદ ડેરી હત્યાકાંડનો મંગળવારે એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપી સાહિલ હત્યા પહેલા ઘટના સ્થળે ફરતો જોવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સાહિલને હત્યાના સીસીટીવી બતાવવામાં આવ્યા ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, વીડિયોમાં દેખાતો છોકરો હું છું, મેં છોકરીની હત્યા કરી છે. આ વીડિયોમાં સાહિલ સાથે અન્ય એક યુવક જોવા મળી રહ્યો છે. બંને વાત કરતા જોવા મળી રહ્યા છે. પીડિતા અને સાહિલ બંને એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા હતા. બંને એકબીજાના ઈન્સ્ટા એકાઉન્ટને પણ ફોલો કરતા હતા. છોકરી જાણતી હતી કે સાહિલનું પૂરું નામ ‘સાહિલ ખાન’ છે. સાહિલે રવિવારે (28 મે) રાત્રે આ હત્યા કરી હતી.

ઝઘડા બાદ યુવતીની હત્યા

આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવકે 16 વર્ષની યુવતીને 20થી વધુ વખત છરી વડે માર માર્યો હતો અને પછી તેને પથ્થરથી કચડીને તેની હત્યા કરી હતી. આ દરમિયાન પસાર થતા કોઈએ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી અને મૃતક વચ્ચે પ્રેમસંબંધ હતો. શનિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

આરોપીની બુલંદશહરમાંથી ધરપકડ કરવામાં આવી હતી

યુવતી રવિવારે સાંજે તેના મિત્રની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારે આરોપીએ તેને રોકી અને તેના પર હુમલો કર્યો. પોલીસે સોમવારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી 20 વર્ષીય આરોપી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકના શરીર પર 34 ઘા મળી આવ્યા હતા અને તેની ખોપરી ફાટી ગઈ હતી. અંતિમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

 AMA દ્વારા ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ સ્પર્ધાનું આયોજન

 અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન અને ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન-ગુજરાત દ્વારા કેનન ઇન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે, જેમાં કેનન ઇન્ડિયાના એમ્બેસેડર અને અગ્રણી ફોટોગ્રાફરો દ્વારા જૂન ૧૭-૧૮, ૨૦૨૩એ ફોટોગ્રાફી વર્કશોપ અને ફોટો કોન્ટેસ્ટનો અને ૨૩થી ૨૭ જૂન દરમિયાન પસંદગીના ફોટોગ્રાફ્સના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ એ ફોટોગ્રાફી આર્ટના પ્રસાર દ્વારા જાપાન-ભારત મિત્રતાના હેતુને સમર્થન આપવા માટેની એક અનન્ય અને કલ્પનાશીલ પહેલ છે. આ કાર્યક્રમનું આયોજન AMAના ઝેન-કાયઝેનની બીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૭ જૂન, ૨૦૨૧એ કરવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ‘ઝેન-કાયઝેન AMA’ને ફોટો-ફેસ્ટ માટેની સ્પર્ધાનું નામ અને સ્થાન તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધાના સ્ક્રિનિંગ માટેની પ્રારંભિક નોંધણીની છેલ્લી તારીખ  ૩૧ મે, ૨૦૨૩ છે.

આ ઇન્ડો-જાપાન ફોટો ફેસ્ટ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી વધુની વયની વ્યક્તિ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે ભાગ લેવા માટે વ્યક્તિદીઠ રૂ. 500ની ફી રાખવામાં આવી છે.

 

 

 

કાદર ખાન વિલનમાંથી કોમેડિયન બન્યા

કાદર ખાને વિલન અને કોમેડિયન તરીકે અનેક ફિલ્મો કરી હતી. તે કોમેડિયન અચાનક બની ગયા હતા અને વિલન બન્યા ત્યારે એમના સિવાય ખાસ વિકલ્પ ન હતો. કાદર ખાન અને અમિતાભ બચ્ચન સાથે જ સંઘર્ષ કરી રહ્યા હતા. કાદર ખાને રેડિયો પરની એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મ ‘બેનામ’ (૧૯૭૪) ના તેઓ લેખક ત્યારે અમિતાભ કહેતા હતા કે મેં કાર ડ્રાઈવિંગનું લાઈસન્સ કઢાવી રાખ્યું છે. ફિલ્મને સફળતા નહીં મળે તો જતો રહીશ અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરીશ.

ત્યારે કાદર ખાને અમિતાભને કહ્યું હતું કે તમારી આવી સ્થિતિ છે તો મારું શું થશે? જવાબમાં અમિતાભે એમ કહ્યું હતું કે હીરો હોય એને મુશ્કેલી પડે છે. તમને તો ગમે તે ભૂમિકા મળી રહેશે. જોકે, ‘જંજીર’ (૧૯૭૩) થી અમિતાભની કારકિર્દી બની ગઈ હતી. ‘બેનામ’ પછી નરેન્દ્ર બેદીએ ફરી અમિતાભ સાથે ‘અદાલત’ (૧૯૭૬) નું આયોજન કર્યું ત્યારે ‘ઈન્સ્પેકટર ખાન’ ની ભૂમિકા કોઈ સાઈડ હીરો પાસે કરાવવાનું નક્કી કરી ચૂક્યા હતા. પણ અમિતાભે નરેન્દ્ર બેદીને કાદર ખાન માટે ભલામણ કરી અને નિર્દેશકે માન્યું કે કાદર વધુ યોગ્ય રહેશે. ત્યારે અમિતાભની જ ‘ખૂન પસીના’ માં (૧૯૭૭) કાદર વિલન ‘ઠાકુર જાલિમ સિંહ’ તરીકે પણ કામ કરી રહ્યા હતા.

બંને ફિલ્મોની કાદર ખાનની પોઝિટિવ અને નેગેટિવ ભૂમિકાઓને પસંદ કરવામાં આવી હતી. એ સમયમાં બોલિવૂડમાં વિલનની ભૂમિકાઓ કરનાર અભિનેતાઓ બહુ ઓછા હતા. કાદરને ઘણાએ કહ્યું કે ‘ઈન્સ્પેકટર ખાન’ જેવી ભૂમિકા તો બીજા કોઈ કલાકાર પાસે કરાવી લઈશું પણ તમારા જેવા વિલન મળે એમ નથી. અને કાદર જે ફિલ્મો લખતા હતા એમાં તો એમને જ વિલન બનાવવામાં આવતા હતા પણ જે ફિલ્મો લખતા ન હતા એમાં પણ વિલન તરીકે નિર્માતાઓ લેવા લાગ્યા. વિલન તરીકે એક જબરદસ્ત હાઉ ઊભો કરી ચૂક્યા હતા.

એ કોઈ જાહેર કાર્યક્રમમાં જતાં ત્યારે લોકો એમનાથી ડરતા હતા. સંવાદ લેખક તરીકે મદ્રાસની એક ફિલ્મ ‘હિમ્મતવાલા’ (૧૯૮૩) એમને મળી હતી. એના લખેલા સંવાદનો નિર્દેશકને હિન્દીમાં ખ્યાલ નહીં આવે એમ માની રેકોર્ડિંગ કરી કેસેટ પણ બનાવી હતી. નિર્દેશક કે. રાઘવેન્દ્ર રાવને જ્યારે એ સ્ક્રીપ્ટ અને સંવાદ સંભળાવ્યા ત્યારે એમણે કાદર ખાનને સવાલ કર્યો કે એમણે સંવાદ તો બહુ સરસ લખ્યા છે પણ એ બોલશે કોણ? કાદરે જવાબમાં કહ્યું કે તમે ‘મુનીમજી’ ની આ ભૂમિકા માટે જે અભિનેતાને સાઇન કર્યા છે એ બોલશે. નિર્દેશકે કહ્યું કે એ અભિનેતા દસ જનમમાં પણ આ ભૂમિકાને ન્યાય આપી શકશે નહીં.

આ ભૂમિકા તમારે જ ભજવવી પડશે. કાદર ખાને કહ્યું કે એ બીજાને અપાયેલી ભૂમિકા કરી શકે નહીં. રાવે એ અભિનેતાનો પત્ર લાવીને બતાવવાની વાત કરી ત્યારે કાદર ખાને હા પાડી હતી. નિર્દેશકે એ અભિનેતા પાસે લખાણ લઈને નક્કી કરેલી રકમ ચૂકવીને પણ કાદરને જ ‘મુનીમજી’ બનાવ્યા. ‘હિમ્મતવાલા’ ની કાદરની ભૂમિકાને એટલી પસંદ કરવામાં આવી કે પહેલા અઠવાડિયે જિતેન્દ્ર- શ્રીદેવીના પોસ્ટર હતા પણ બીજા અઠવાડિયે કાદર ખાનના અલગ પોસ્ટર છપાવીને લગાવવામાં આવ્યા હતા. અને આમ કાદર ખાન વિલનમાંથી કોમેડિયન બની ગયા હતા.