વોશિંગ્ટનઃ અમેરિકી સંરક્ષણપ્રધાન લોઇડ ઓસ્ટિન તેમની સમકક્ષ રાજનાથ સિંહથી મુલાકાત કરવા માટે આગામી સપ્તાહે ભારત આવશે. એ પ્રવાસ આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની સત્તાવાર રાજકીય યાત્રાથી પહેલાં થશે.
પેન્ટાગોને સંરક્ષણપ્રધાન ઓસ્ટિનની જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાન્સનો પ્રવાસની ઘોષણા કરતાં કહ્યું હતું કે ઓસ્ટિન સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓથી મળવા માટે નવી દિલ્હીની મુલાકાત લેશે. બંને દેશો અમેરિકા- ભારતના મુખ્ય સંરક્ષણ ભાગીદારીનું આગળ ધપાવશેય પેંટાગોને કહ્યું હતું કે આ મુલાકાત સંરક્ષણ ઇન્નોવેશન અને ઓદ્યૌગિક સહયોગનો પ્રારંભ તથા અમેરિકી અને ભારતીય સેનાઓની વચ્ચે ઓપરેશન સપોર્ટનો વિસ્તાર કરવા માટેના પ્રયાસોમાં તેજી લાવવાની તક પ્રદાન કરે છે.
પેન્ટાગોને કહ્યું હતું કે આ વર્ષના પ્રારંભમાં ઐતિહાસિક US-જાપાન સાથે મંત્રી સ્તરીય બેઠક પછી અમેરિકા અને જાપાન ગઠબંધનની ક્ષમતાને આધુનિક બનાવવા અને અમેરિકી સેનાની સ્થિતિને અનુકૂળ કરવા અને સમાન વિચારધારાવાળા ભાગીદારોની વ્યૂહાત્મ સંબંધો બનાવવા માટે મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ઓસ્ટિન હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સાતમા પ્રવાસ તરીકે જાપાનથી પ્રવાસનો પ્રારંભ કરશે. ટોક્યોમાં તેમની યોજના જાપાનના સંરક્ષણપ્રધાન યાસુકાસુ હમાદા અને અન્ય વરિષ્ઠ નેતાઓ તથા જાપાનમાં તહેનાત અમેરિકી સૈનિકોથી પણ મુલાકાત કરવાના છે. ત્યાંથી ઓસ્ટિન સિંગાપોર જશે. જ્યાં તો આંતરરાષ્ટ્રીય સંસ્થા (IISS)ની 20મી શંગરી-લા સંવાદને સંબોધિત કરશે. સિંગાપોર બાદ તેઓ નવી દિલ્હી આવશે અને એ પછી તેઓ ફ્રાન્સ જઈને ડી-ડે (નોરમેન્ડી પર હુમલાના 79 વર્ષે) આયોજિત કાર્યમમાં ભાગ લેશે.









ઘણા લોકો પોતાના રોટલા પણ શેકી નાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે કુદરતના વિનાશ સાથે કુદરતની માનવ માટેની સકારાત્મક ઉર્જા પણ ઘટી શકે છે? કે પછી વાતાવરણની ગરમીને જ આપણે મગજ ગરમ થવાનું એક માત્ર કારણ સમજી શકીએ? મોટાભાગે આપણે જે આપણને અનુકુળ આવે છે એ જ કારણને સાચું કારણ માની લઈએ છીએ. જો કે જીવનમાં સરળ કશું જ નથી. સકારાત્મક ઉર્જા એને સરળ બનાવવામાં મદદ કરે છે. ઉત્ક્રાંતિથી લઇ અને અત્યાર સુધીમાં બનેલી દરેક ઘટનામાં ક્યાંકને ક્યાંક કશુક વિશેષ થતું જોવા મળે છે. અને એ વિશેષ શક્તિ એટલે જીવનની ઉર્જા. ઉર્જાનું વિજ્ઞાન એટલે વાસ્તુશાસ્ત્ર.



૨૬ મે, ૨૦૨૩



અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો