Home Blog Page 2850

અમેરિકાના મિશિનગન, કેન્સાસ અને સિકાગોમાં મા ઉમિયાના ભવ્ય મંદિરો બનાવવામાં આવશે

મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં છે. ત્યારે હવે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ તેમજ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે. વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા.

પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. 21 મે 2023 રવિવારના દિવસે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હવે ફરી આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે.

વિશ્વઉમિધામના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે.

Umiya Mata temple stone-laying on February 28-29 | Ahmedabad News - Times  of India

ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે

મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ અને ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ છે.

 ગુજરાત સાયન્સ સિટીમાં ‘BE AN AQUARIST’ નામની વર્કશોપનો પ્રારંભ

 અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘BE AN AQUARIST’  નામના અદભુત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ માટે આયોજિત આ વર્કશોપનો 23 મેથી પ્રારંભ થયો છે, જે  27 મે સુધી ચાલશે. આ વર્કશોપમાં વિવિધ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ તેમ જ એક્વેરિયમ સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સહિત 50 જેટલા લોકો સામેલ થયા છે.

પ્રથમ દિવસે વર્કશોપમાં જોડાનારા વિદ્યાર્થીઓ અને લોકોનું ગુજરાત સાયન્સ સિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલે સ્વાગત કર્યું હતું અને ગુજરાત સાયન્સ સિટીની ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરીની વિશેષતા વિશે વાત કરી હતી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સિનિયર ક્યુરેટર ડો. દિશાંત પારાશર્ય, આસિસ્ટન્ટ ક્યુરેટર ડો. શબનમ સૈયદ અને સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઇઝેશન વિભાગના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હર્ષિદા પટેલ હાજર રહ્યાં હતાં. આ પાંચ દિવસમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને જળચર જીવો અને એક્વેરિયમ અંગે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવશે, જેમાં મોટા એક્વેરિયમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેના વિશે તેમ જ મોટી માછલીઓની જૈવિક અને ભૌતિક જરૂરિયાતો વિશે સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત એક્વેરિયમની દરેક બાબતો જેવી કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વોટર સપ્લાય, તાપમાન નિયંત્રણ વગેરે વિશે સમજણ આપવામાં આવશે. એ સાથે-સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત સાયન્સ સિટી તરફથી આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

 

 

2000ની નોટ બદલવા માટે બેન્કોમાં જામી ગરદી

મુંબઈઃ રૂ.2000ના મૂલ્યની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની ભારતીય રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે. જેમની પાસે આ નોટ હોય તેઓ બેન્કોમાં જઈને તે બદલાવી શકે છે. આ નોટ બદલી આપવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે જે આ વર્ષની 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પહેલા દિવસે મુંબઈ સહિત દેશના અનેક શહેરોની બેન્કોમાં આ નોટ જમા કરાવવા કે બદલવા માટે લોકોની લાઈન લાગી હતી.

મોદી સરકારે 500 અને 1000ના મૂલ્યવાળી ચલણી નોટોને 2016ના નવેમ્બરમાં ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી અને 2000ના નવા મૂલ્યવાળી નોટ ચલણમાં મૂકી હતી.

કોલકાતામાં, એસબીઆઈની કાલિકાપુર શાખામાં સ્વપનકુમાર દાસ નામના એક નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારી 2000ની 4 નોટ એક્સચેન્જ કરવા ગયા હતા. તો રાંચીમાં એક નિવૃત્ત કર્મચારી બેન્કમાં 2000ની નોટ બદલવા ગયો હતો. એણે કહ્યું કે એના એક ભાડૂઆતે ઘણા વખત પહેલા એને 2000ની નોટ આપી હતી, જે પોતે સાચવી રાખી હતી, પણ હવે એ પરત કરવા બેન્કમાં આવ્યો છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૩ મે, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૩ મે, ૨૦૨૩

બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઈજા થવાથી આદિત્ય રાજપૂતનું મૃત્યુ થયું: મુંબઈ પોલીસ

મુંબઈઃ 32 વર્ષીય ટેલિવિઝન એક્ટર અને મોડેલ આદિત્યસિંહ રાજપૂતના ગઈ કાલે અહીં અંધેરી (વેસ્ટ)સ્થિત નિવાસસ્થાને નિપજેલા ઓચિંતા મૃત્યુને કારણે મનોરંજન જગતમાં આઘાત અને શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આદિત્યનું સ્વાસ્થ્ય સારું નહોતું અને કથિતપણે એના ઘરના બાથરૂમમાં પડી જવાથી માથામાં ગંભીર ઈજા થવાને કારણે એનું મૃત્યુ થયું હતું. ડ્રગ્સના ઓવરડોઝને કારણે આદિત્યનું મૃત્યુ થયાની અટકળોનો આ સાથે અંત આવી જાય છે.

આદિત્યના મૃતદેહનું ગોરેગાંવ (વેસ્ટ)સ્થિત સરકાર સંચાલિત સિદ્ધાર્થ હોસ્પિટલમાં પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ આદિત્યના પરિવારને સુપરત કરી દેવામાં આવ્યો હતો જેથી તેઓ બપોરે જોગેશ્વરી ખાતેની સ્મશાનભૂમિમાં તેના અંતિમસંસ્કાર કરી શક્યા હતા. આદિત્યના માતાએ પુત્રનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

પોલીસે ત્રણ વ્યક્તિના નિવેદનો નોંધ્યા છે. એક છે તેનો ઘરનોકર, બીજા છે એક ખાનગી ડોક્ટર અને ત્રીજો છે મકાનનો વોચમેન. આદિત્ય એના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આદિત્યના શરીર પર ઈજાના બે નિશાન જોવા મળ્યા હતા. એક, એના કાનની ઉપર ચીરો જોવા મળ્યો હતો અને બીજું, એના માથા પર ઈજા થઈ હતી. તે ઈજા કદાચ પડી જવાથી થઈ હોય એવું લાગે છે.

ઘરનોકરે પોલીસને કહ્યું કે છેલ્લા અમુક દિવસોથી આદિત્યની તબિયત સારી નહોતી. એને ખાંસી, શરદી થયા હતા અને ઊલટીઓ પણ થઈ હતી.

પોલીસનું કહેવું છે કે આદિત્યએ રવિવારે એક પાર્ટીમાં ભાગ લીધો હતો, પરંતુ એમાં તેણે કંઈ ખાધું હતું કે કેમ તે પોસ્ટ-મોર્ટમના અહેવાલ પરથી જ જાણી શકાશે.

ઘરનોકરે કહ્યું કે, આદિત્ય સોમવારે સવારે 11 વાગ્યે જાગ્યો હતો અને નાશ્તામાં પરાઠા ખાધા હતા. એ પછી એની તબિયત બગડી હતી અને એને સતત ઊલટીઓ થઈ હતી. એ પછી એણે ખીચડી ખાવાની ઈચ્છા દર્શાવી હતી. બપોરે બે-અઢી વાગ્યા વચ્ચે આદિત્ય બાથરૂમમાં ગયો હતો. ત્યારે અંદરથી કંઈક જોરથી પડવાનો અવાજ આવ્યો હતો. પોતે ત્યાં દોડી ગયો હતો. જોયું તો આદિત્ય જમીન પર પડી ગયો હતો અને એને નજીવી ઈજા થઈ હતી.

વોચમેનનું કહેવું છે કે ઘરનોકરે એને બોલાવ્યો હતો. પોતે ઘરમાં ગયો અને જોયું તો આદિત્ય બેભાન હતો. અમે તેને પલંગ પર સૂવડાવ્યો હતો અને તે પછી નજીકની એક હોસ્પિટલમાંથી એક ડોક્ટરને બોલાવ્યા હતા. તે ડોક્ટરની સલાહ મુજબ આદિત્યને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે સાથે જ આદિત્યની ગર્લફ્રેન્ડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં જોગેશ્વરનીમાં ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.

મૂળ ઉત્તરાખંડનો, પણ દિલ્હીમાં જન્મેલો આદિત્ય 17 વર્ષનો હતો ત્યારથી મનોરંજન ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. એણે ‘ક્રાંતીવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 કોર્ટે PM ડિગ્રી મામલે કેજરીવાલ, સંજય સિંહને સમન્સ મોકલ્યા

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદની એક કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ મામલામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને સમન્સ જારી કર્યા છે, એમાં બંને જણને સાત જૂને હાજર થવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે બંનેને 23 મેએ હાજર થવા માટે પહેલાં સમન જારી કરવામાં આવ્યા હતા, એ તેમને નથી મળ્યા, કેમ કે તેમને કોઈ પણ કોર્ટમાં હાજર નથી થયા. એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. જે. પંચાલે કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે વડા પ્રધાનની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટીની વિરુદ્ધ વ્યંગ્યાત્મક અને અપમાનજનક નિવેદનો માટે એક ગુનાઇત માનહાનિ ફરિયાદમાં આપ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સમન્સ જારી કર્યા હતા.

આપનું ગુજરાત એકમના કાનૂની સલાહકારના પ્રમુક પ્રણવ ઠક્કરે સોમવારે કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહને કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સ અત્યાર સુધી નથી મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વકીલે નવા જસ્ટિસ એસ. જે. પંચાલને આ મામલાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમના અનુગામી જજે આરોપીઓને 23 મેએ કોર્ટમાં હાજર થવા માટે 15 એપ્રિલે નોટિસ જારી કરી હતી.

 

 

 

 

 

 

CSK vs GT: IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં વરસાદ પડશે તો કેવી રીતે નક્કી થશે વિજેતા ?

IPL 2023 પ્લેઓફ મેચો તરફ આગળ વધી રહ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે (23 મે) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચ દરમિયાન ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે? અને જો વરસાદના કારણે આ મેચ થઈ શકી નથી તો મેચની વિજેતા કેવી રીતે નક્કી થશે.


શું IPL 2023નો પ્રથમ ક્વોલિફાયર વરસાદ ધોવાઈ જશે?

ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાનાર પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈમાં રમાશે અને Accuweather અનુસાર આ મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. અહેવાલ મુજબ, ચાહકો કોઈપણ દખલ વિના આખી મેચનો આનંદ માણી શકશે. તે જ સમયે, ચેન્નાઈમાં તાપમાન 30-32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.


જો મેચ વરસાદમાં ધોવાઈ જાય તો વિજેતા કેવી રીતે નક્કી થશે?

જો કે મેચમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી, પરંતુ તેમ છતાં વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણ મેચ હોવાનું જાણી શકાયું નથી, તો સુપર ઓવર હેઠળ વિજેતાની પસંદગી કરવામાં આવશે. એટલે કે, બંને ટીમો માત્ર 1-1 ઓવરની મેચ રમશે, જે ટીમ તેમાં જીતશે તે ફાઇનલમાં પહોંચશે. ભીના મેદાનને કારણે જો સુપર ઓવર પણ શક્ય ન બને તો પોઇન્ટ ટેબલના રેન્કિંગ પ્રમાણે ટીમને વિજય અપાશે એટલે કે આ સ્થિતિમાં ગુજરાત વિજેતા તરીકે ફાઇનલમાં પહોંચશે. આ નિયમ IPL 2023ની ફાઈનલ સહિત તમામ પ્લેઓફ મેચોમાં લાગુ થશે.


ગુજરાત સામે ચેન્નાઈનો રેકોર્ડ ખરાબ રહ્યો હતો

તમને જણાવી દઈએ કે IPLમાં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે ત્રણેય મેચ જીતી છે. આ સિઝનની પ્રથમ લીગ મેચમાં પણ ગુજરાત અને ચેન્નાઈની ટીમો સામસામે આવી હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો.

પ્રતિબંધ હટાવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. આ પછી રાજ્યમાં આ વિવાદાસ્પદ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો. તે જ સમયે, પશ્ચિમ બંગાળના થિયેટર અને મલ્ટીપ્લેક્સ માલિકો કહી રહ્યા છે કે ઘણા હોલમાં ‘આગામી બે અઠવાડિયા માટે સ્લોટ ભરાઈ ગયા છે’. અહેવાલો અનુસાર, થિયેટર માલિકોનું કહેવું છે કે તેઓ પહેલાથી જ બુક કરાયેલા સ્લોટને રદ કરી શકશે નહીં અને બે કે ત્રણ અઠવાડિયા પછી સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ પ્રદર્શિત થવાની અપેક્ષા છે.

બંગાળના આ હોલમાં ‘ધ કેરળ સ્ટોરી’ બતાવવામાં આવી રહી છે

જો કે બંગાળના મોટાભાગના હોલમાં ‘ધ કેરળ સ્ટોરી’ દર્શાવવાની ના પાડી છે, ઉત્તર 24 પરગણાના બાણગાંવમાં સિંગલ સ્ક્રીને ફિલ્મ બતાવવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, તેને લગભગ હાઉસફુલ શો મળી રહ્યા છે અને દર્શકો તરફથી તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ‘ધ કેરલા સ્ટોરી’ના મ્યુઝિક ડાયરેક્ટર બિશાખ જ્યોતિ, બોનગાંવના વતની છે અને તે જાણીને ખૂબ જ ઉત્સાહિત છે કે તમામ વિવાદો અને કથિત ધમકીભર્યા કોલ હોવા છતાં, શ્રીમા હોલ આખરે ‘ધ કેરળ સ્ટોરી’ બતાવી રહ્યું છે.

બિશાખા જ્યોતિ ખુશ છે કે આ ફિલ્મ તેના શહેરના હોલમાં બતાવવામાં આવી

ઈ ટાઈમ્સ સાથે વાત કરતા મ્યુઝિક ડાયરેક્ટર બિશાખ જ્યોતિએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે મારા શહેરમાં એક સિનેમા હોલ અમારી ફિલ્મ પ્રદર્શિત કરી રહ્યો છે, જ્યારે બંગાળના મોટાભાગના હોલ હજુ પણ ‘ધ કેરળ સ્ટોરી’ને જગ્યા આપવામાં આનાકાની કરી રહ્યા છે. સાંભળ્યું છે કે વિતરકો અને હોલ માલિકોને ફિલ્મ ન દર્શાવવા માટેના ફોન આવે છે. મને લાગે છે કે માત્ર શ્રીમા જ નહીં પરંતુ કદાચ અન્ય કેટલાક થિયેટરો, ખાસ કરીને સિંગલ-સ્ક્રીન થિયેટરોએ ફિલ્મ બતાવવાનું શરૂ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તે ઘણા વધુ ફિલ્મોમાં બતાવવામાં આવશે. પશ્ચિમ બંગાળના હોલ.

‘ધ કેરલા સ્ટોરી’ 200 કરોડને પાર કરી ગઈ છે

દરમિયાન, ‘ધ કેરળ સ્ટોરી’ના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે રિલીઝના 18માં દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે આ ફિલ્મ શાહરૂખ ખાન સ્ટારર પઠાણ પછી 200 કરોડ ક્લબમાં સામેલ થનારી 2023ની બીજી ફિલ્મ બની છે. 20 થી 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણીથી મેકર્સ અને સ્ટારકાસ્ટ સંતુષ્ટ નથી.

અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જીને મળ્યા, કહ્યું- તમામ પક્ષોએ વટહુકમ વિરુદ્ધ એક થવું જોઈએ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમને લઈને મંગળવારે (23 મે) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.

બેઠક બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યાં તેમની (BJP) પાસે સરકાર નથી, ત્યાં શાસન રાજ્યપાલ દ્વારા ચલાવવામાં આવે છે. કેજરીવાલે દાવો કર્યો કે અમારી સરકારને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં આ અહંકારી સરકાર (કેન્દ્ર સરકાર)ને દૂર કરવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી તમામ સત્તા છીનવી લીધી છે. આ લોકો (કેન્દ્ર સરકાર) સીબીઆઈનો દુરુપયોગ કરીને દેશભરની વિપક્ષી સરકારોને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે.


મમતા બેનર્જીએ શું કહ્યું?

તે જ સમયે, TMC પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે પાર્ટી દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરશે. અમે તમામ પક્ષોને આ મુદ્દે સાથે આવવા અપીલ કરીએ છીએ. બેનર્જીએ કહ્યું કે તમામ પક્ષોએ રાજ્યસભામાં તેની વિરુદ્ધ મતદાન કરવું જોઈએ. વાસ્તવમાં, કેજરીવાલ દિલ્હીમાં વહીવટી સેવાઓના નિયંત્રણ અંગેના વટહુકમને લઈને કેન્દ્ર વિરુદ્ધ તેમની સરકારની લડાઈમાં વિપક્ષી દળોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


2024ની લોકસભા ચૂંટણી વિશે શું કહ્યું?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં જોયું છે કે કેવી રીતે રાજ્યપાલો સરકારને પરેશાન કરી રહ્યા છે. તેમણે દિલ્હીમાં જે કર્યું તે લોકશાહીની વિરુદ્ધ છે. હું દીદીનો આભાર માનું છું કે તેમણે રાજ્યસભામાં કહ્યું કે તેઓ અમને સમર્થન આપશે. જો આ બિલ રાજ્યસભામાં આવશે તો તે 2024 પહેલા સેમિફાઇનલ હશે.

કેજરીવાલે કહ્યું કે આ લડાઈ માત્ર દિલ્હીના લોકો માટે નથી. આ લડાઈ ભારતીય લોકશાહીને બચાવવાની લડાઈ છે, બાબાસાહેબે આપેલા બંધારણને બચાવવાની લડાઈ છે, ન્યાયતંત્રને બચાવવાની લડાઈ છે. આ લડાઈ દેશને બચાવવાની લડાઈ છે. હું આમાં દરેકના સહયોગની અપેક્ષા રાખું છું.

બેનર્જીને મળ્યા પહેલા કેજરીવાલે ટ્વીટ કર્યું, “આજથી હું દેશ છોડી રહ્યો છું. દિલ્હીના લોકોના અધિકારો માટે. સુપ્રીમ કોર્ટે ઘણા વર્ષો પછી આદેશ પસાર કર્યો અને દિલ્હીના લોકોને તેમનો અધિકાર આપીને ન્યાય કર્યો. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને તે તમામ અધિકારો છીનવી લીધા. જ્યારે આ કાયદો રાજ્યસભામાં આવશે ત્યારે તેને કોઈપણ સંજોગોમાં પસાર થવા દેવો જોઈએ નહીં. હું તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને મળીશ અને તેમનું સમર્થન માંગીશ.

અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી કોને મળ્યા?

સીએમ અરવિંદ કેજરીવાલ આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ મળી ચૂક્યા છે. આ દરમિયાન નીતીશ કુમારે આ મામલે કેન્દ્ર સાથેની લડાઈમાં AAPને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. એવું માનવામાં આવે છે કે કેજરીવાલ બુધવારે (24 મે) ના રોજ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને પણ મળી શકે છે.

શું છે મામલો?

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સરકારને દિલ્હીમાં કાર્યરત અધિકારીઓની બદલી-પોસ્ટિંગ કરવાનો અધિકાર છે, આ સંદર્ભે, કેન્દ્ર સરકારે ભારતીય વહીવટી સેવા (IAS) અને DANICS કેડરના અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો છે અને વહીવટી આ માટે 19 મેના રોજ નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીની રચના કરવા માટે વટહુકમ લાવવામાં આવ્યો હતો. સમજાવો કે વટહુકમ માટે છ મહિનાની અંદર સંસદની મંજૂરી મેળવવી જરૂરી છે. માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં આ વટહુકમ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

‘ઓહ ફાતિમા’ રિલીઝથી ઉત્સાહિત છે ક્રિસ ગેઇલ

મુંબઈઃ IPLમાં શાનદાર દેખાવ પછી ક્રિય ગેઇલ ‘ઓહ ફાતિમા’ની સાથે મ્યુઝિક વિડિયો સ્પેસ શોધી રહ્યો છે, જેનો ગાયક-ગીતકાર અને સંગીતકાર અરકો પ્રાવો મુખરજીની સાથે પહેલો પ્રયોગ છે.  ‘ઓહ ફાતિમા’ની રિસ્પોન્સથી ઉત્સાહિત જમૈકાના બેટ્સમેન અને IPL હીટરે દીપિકા પાદુકોણ (એનાથી ઓછું જરાય નહીં)ની સાથે બોલીવૂડ કેરિયરનો પ્રારંભ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

‘ઓહ ફાતિમા’ના નિર્માતાઓ અનુસાર વિશ્વના બે ભાગોમાંથી બે શૈલીઓની સાથે અનોખો સહયોગ છે. આ ઊર્જાવાન ગીત ભારતીય અને જૈકન શૈલીના સંગીતને સંચાર કરે છે અને એનું પરિણામ એક સ્વોની, ગ્રુવી અને વાઇબ્રેન્ટ ટ્રેક હોય છે.  આ ગીતને અરકો અને ક્રિસ ગેઇલે ગાયું, લખ્યું અને કમ્પોઝ કર્યું છે અને રાજમી ગુલાટીએ ડિરેક્ટ કર્યું છે. એમાં ઉજબેકિસ્તાનની એક કલાકાર કરીના કર્રા પણ છે.આ સંગીત વિડિયોમાં આર્કો અને યુનિવર્સ બોસ જેવા ગેઇલ લોકપ્રિય રૂપે ઓળખાય છે, જે ફાતિમા અને મિત્રોની સાથે સંયુક્ત આરબ અમીરાતમાં લઈ જાય છે. સોમવારે સાંજે લોન્ચ દરમ્યાન ગેઇલે કહ્યું હતું કે ભારત અને IPLની સાથે મારો કાર્યકાળ ઘણો યાદગાર રહ્યો છે અને મારું સંગીત અને ગીત માટે સ્વાભાવિક પ્રેમ અને ફાતિમાની સાથે પૂરું થયું છે. આ ગીતમાં શાનદાર છે, શાનદાર સ્થાનો છે, શાનદાર ભાગીદારી અને ઓર્કોની ટીમ સાથે એક ઘણો સહયોગ વિશ્વ સ્તરે લોકોને એક સારો અનુભવ કરાવશે.

તેણે કહ્યું હતું કે જો ભવિષ્યમાં મને બોલીવૂડમાં કોઈ મ્યુઝિક આલબમ મળશે, તો દીપિકા પાદુકોણ સાથે પર્ફોર્મ કરવા ઇચ્છીશ.