Home Blog Page 2858

‘આજ સુધી ભાજપના કોઈ નેતાનું આતંકી હુમલામાં મોત થયું નથી’ : સિદ્ધારમૈયા

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર કર્ણાટકના નવા સીએમ સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીએ લોકોને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો. સિદ્ધારમૈયાએ કહ્યું- “PM મોદી માત્ર આતંકવાદ પર વાત કરે છે, પરંતુ આજ સુધી ભાજપના એક પણ નેતા આતંકવાદી હુમલામાં માર્યા ગયા નથી. ભાજપ કહેતી રહે છે કે અમે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે પરંતુ અમારા કોંગ્રેસના નેતા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને આતંકવાદી હુમલાનો ભોગ બન્યા હતા.

 

સીએમના ભાષણ બાદ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે બેંગલુરુ પાર્ટી કેડરને સંબોધિત કરતા રાજ્યમાં સરકાર બન્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135થી વધુ બેઠકો જીતી હોવા છતાં, શિવકુમાર પ્રદર્શનથી ખુશ નથી. તેમણે કહ્યું- “અમે વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ બેઠકો જીતી હતી, પરંતુ હું તેનાથી ખુશ નથી. મારા કે સિદ્ધારમૈયાના ઘરે ન આવો. અમારું આગામી લક્ષ્ય લોકસભા ચૂંટણી છે અને તેના માટે આપણે સારી રીતે લડવું જોઈએ.”
આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 135 સીટો જીતીને રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

એસબીઆઈ કોઈ ફોર્મ, ઓળખપત્ર વગર રૂ.2000ની નોટ બદલી આપશે

મુંબઈઃ સરકાર હસ્તકની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેની તમામ શાખાઓને જાણ કરી દીધી છે કે ભારતીય રિઝર્વ બેન્કે વ્યવહારમાંથી પાછી ખેંચી લીધેલી 2000ના મૂલ્યની ચલણી નોટોના એક્સચેન્જ વખતે ધારક પાસેથી કોઈ ઓળખપત્ર (આઈડી પ્રૂફ) માગવાની કે એની પાસે કોઈ ફોર્મ ભરાવવાની આવશ્યક્તા નથી કે એની પાસે કોઈ રિક્વિઝિશન સ્લિપ હોવી પણ જરૂરી નથી.

એસબીઆઈએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે કોઈ પણ નાગરિક કોઈ પણ રીક્વિઝિશન સ્લિપ મેળવ્યા વગર રૂ. 2000ની નોટ એક્સચેન્જ કરાવી શકશે. જોકે એક વ્યક્તિ એકસાથે માત્ર 10 નોટ જ બદલાવી શકશે. તે મર્યાદા આરબીઆઈએ નક્કી કરી છે.

એસબીઆઈએ એમ પણ કહ્યું છે કે 2000ની નોટ બદલવા આવનાર કોઈ પણ વ્યક્તિ એસબીઆઈની કોઈ પણ શાખામાં એકાઉન્ટ ધરાવતો ન હોય તો પણ તેની પાસેની નોટ બદલી આપવાની રહેશે. નોન-એકાઉન્ટ ધારક પણ એસબીઆઈની કોઈ પણ શાખામાં જઈને રૂ. 2000ની નોટ બદલાવી શકશે.

રૂ. 2000ની નોટ આવતી 23 મેથી આ વર્ષની 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. લોકો આ નોટ એમનું જ્યાં એકાઉન્ટ હોય તે બેન્કમાં જઈને જમા કરાવી શકે છે અથવા બદલાવી શકશે. બેન્કો અને આરબીઆઈની પ્રાદેશિક ઓફિસો રૂ. 2000ની નોટની સામે વ્યક્તિને તેટલી જ રકમની ઓછા મૂલ્યવાળી નોટો આપશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે રૂ. 2000ની નોટ બદલવા માટે વ્યક્તિએ કોઈ પ્રકારની ફી ચૂકવવાની નહીં રહે. તેણે બેન્કોને જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓને નોટ બદલાવવામાં કોઈ તકલીફ ન થાય એટલા માટે એમને માટે પૂરતી વ્યવસ્થા કરવી.

ટીમને પ્લેઓફ્સમાં પહોંચાડવાનો શ્રેય મારા સાથીઓને જાય છેઃ કૃણાલ પંડ્યા

કોલકાતાઃ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપીને આઈપીએલ-2023 ટુર્નામેન્ટના પ્લેઓફ્સ તબક્કામાં પ્રવેશ મેળવ્યો છે. કૃણાલ પંડ્યાના નેતૃત્ત્વવાળી  ટીમે ગઈ કાલે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે 1-રનથી રોમાંતક મુકાબલામાં પરાજય આપ્યો હતો.

ટીમની આ સફળતા અંગે કૃણાલે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે પીચ પર બોલની ગતિ ધીમી પડી ગઈ હતી એટલે મેં મેચની આખરી ઓવર ફેંકવાની જવાબદારી ફાસ્ટ બોલર યશ ઠાકુરને સોંપી હતી. મને આ જીતથી ખૂબ જ સંતોષ થયો છે. પ્લેઓફ્સમાં પહોંચવાનો પ્રયાસ અમે ક્યારેય પડતો મૂક્યો નહોતો. ગઈ કાલની મેચમાં અમે ખૂબ જ દબાણ હેઠળ આવી ગયા હતા, પરંતુ સફળતાનો શ્રેય સાથી ખેલાડીઓને જાય છે.

 

આ જીત સાથે લખનઉ ટીમ પ્લેઓફ્સમાં રમવા માટે ક્વાલિફાઈ થઈ છે. તેણે કુલ 14 મેચોમાં આઠ જીત, પાંચ હાર અને એકમાં નો-રિઝલ્ટ સાથે કુલ 17 પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલકાતા ટીમ સાતમા ક્રમે રહેવા પામી છે.

મહારાષ્ટ્રમાં સમૂહલગ્નમાં પરણનાર નવદંપતીઓને હવે સરકાર તરફથી રૂ.25,000 અપાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સમૂહલગ્ન સમારંભોમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુગલોને રાજ્ય સરકાર તરફથી અપાતી આર્થિક સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે મુંબઈ નજીકના પાલઘર જિલ્લા-શહેરમાં એક સમુહ લગ્નસમારંભમાં હાજરી આપી હતી. એ વખતે તેમણે જાહેરાત કરી હતી કે હવેથી આવા સમૂહલગ્ન સમારંભોમાં જે યુગલો પરણશે એમને રાજ્ય સરકાર દ્વારા રૂ. 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જે અત્યાર સુધી રૂ. 10,000ની હતી.

પાલઘરના સમૂહ લગ્નસમારોહનું આયોજન પાલઘર જિલ્લા અને આધાર પ્રતિષ્ઠાન, બોઈસર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 325 યુગલોએ મુખ્ય પ્રધાન શિંદેની ઉપસ્થિતિમાં લગ્ન કર્યાં હતાં. શિંદેએ કહ્યું કે, લોકોને હવે મોટા લગ્નસમારંભનો ખર્ચ પરવડતો નથી એટલે સામુહિક લગ્નો આજના સમયની જરૂરિયાત બની ગઈ છે.

(તસવીરો સૌજન્યઃ @mieknathshinde)

મારે તમારા ઓટોગ્રાફ લેવા જોઈએઃ જોસેફ બાઈડન (મોદીને)

હિરોશીમાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજારો લોકોની જંગી સભાઓ અને ભીડને જે રીતે કાબૂમાં રાખી શકે છે તેનાથી અમેરિકાના પ્રમુખ જો બાઈડનને આશ્ચર્ય થયું છે. ગઈ કાલે અહીં ક્વાડ દેશોના વડાઓની બેઠક મળી હતી ત્યારે બાઈડન સામે ચાલીને મોદીની સીટ સુધી ગયા હતા. એમને આવતા જોઈને મોદી એમની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને બંને નેતા એકબીજાને ભેટ્યા હતા. બાઈડને સ્મિત વેરીને મોદીને કહ્યું કે, ‘તમે તો અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો. તમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને અગ્રગણ્ય નાગરિકો તરફથી ઢગલાબંધ વિનંતીઓ કરવામાં આવે છે. લોકોની ભીડને કાબૂમાં રાખવી એ મારે માટે એક નવો પડકાર છે. મારે તો તમારા ઓટોગ્રાફ લેવા જોઈએ.’

એ વખતે ત્યાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ પણ હાજર હતા અને એમણે કહ્યું કે, ‘સાચી વાત છે. અમારા સિડની શહેરમાં કમ્યુનિટી સ્વાગત સમારોહ સ્થળની ક્ષમતા 20,000 જણની છે. ઘણાએ ત્યાં ઉપસ્થિત રહેવાની મને વિનંતી કરી છે, તોય હું એ પરિપૂર્ણ કરવા સક્ષમ બની શક્યો નથી. મને યાદ છે, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો 90 હજારથી વધારે લોકોની ભીડે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.’ એ સાંભળીને બાઈડને મોદીને કહ્યું હતું, ‘મારે તમારા હસ્તાક્ષર લેવા જોઈએ.’ એ સાંભળીને સહુ હસી પડ્યા હતા. આમ, બાઈડન અને અલ્બેનીઝ, બંનેએ લોકોની ભીડને કાબૂમાં રાખવાની એમની આ પડકારસમાન તકલીફ વિશે મોદીને વિનોદીસૂરમાં ફરિયાદ કરી હતી.

વાહ ભાઈ વાહ! – ૨૧ મે, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૧ મે, ૨૦૨૩

૨૧ મે, ૨૦૨૩

૨૧ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 21/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે,  તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 21/05/2023

ક્વાડ દેશોની બેઠકમાં PM મોદીએ આપી હાજરી, કહ્યું- 2024માં ક્વાડની મેજબાની કરીને ખુશી થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ક્વાડ દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “મને આ ક્વાડ સમિટમાં ભાગ લઈને ખુશી થઈ રહી છે. ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ક્વાડ ગ્રૂપ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે આ ઈન્ડો ધ પેસિફિક છે. વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન.”


ક્વાડની મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મંચ વૈશ્વિક ભલાઈ, લોકોના કલ્યાણ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. જાપાનના હિરોશિમામાં ક્વાડ મીટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં અમને ખુશી થશે. ક્વાડ લીડર પીએમ નરેન્દ્ર મોદી, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા ક્વાડ મીટિંગ પહેલા એક તસવીર માટે પોઝ આપે છે.


હિરોશિમામાં ક્વાડ દેશોની બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે જણાવ્યું હતું કે, “હું ફરીથી નજીકના મિત્રોમાં હોવાનો આનંદ અનુભવું છું. એક ખુલ્લા, સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે એક સાથે ઊભા રહીએ છીએ. એક એવો પ્રદેશ જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે છે અને નાના અને મોટા તમામ દેશોને પ્રાદેશિક સંતુલનથી ફાયદો થાય છે.


ક્વોડ દેશોની બેઠક દરમિયાન જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે અમે વ્યવહારિક સહયોગમાં જોડાવા માટે આસિયાન, દક્ષિણ એશિયા અને પેસિફિક ટાપુ રાજ્યોના પ્રાદેશિક દેશોનો અવાજ સાંભળીશું. મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે મને લાગે છે કે આજથી 20-30 વર્ષ બાદ જ્યારે લોકો ક્વાડને જોશે ત્યારે તેઓ કહેશે કે તે આખી દુનિયામાં પરિવર્તનનો ડ્રાઈવર છે. મારા મતે, અમે છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત પ્રગતિ કરી છે.