Home Blog Page 2897

‘લાલ સલામ’માં રજનીકાંત મુંબઈના ડોન ‘મોઈદ્દીન ભાઈ’ની ભૂમિકામાં

મુંબઈઃ આગામી તામિલ ફિલ્મ ‘લાલ સલામ’ના નિર્માતાઓએ આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. એમાં દક્ષિણી સુપરસ્ટાર રજનીકાંત મુંબઈના ‘ડોન’ મોઈદ્દીન ભાઈની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સંભાળે છે. ફિલ્મમાં રજનીકાંત મહેમાન કલાકાર તરીકે ચમકશે. જ્યારે મુખ્ય કલાકારો છેઃ વિષ્ણુ વિશાલ, સેન્થિલ, ટાઈગર થાંગાદુરાઈ, થામ્બી રામૈયા, વિક્રાંત, જિવીતા. આ ફિલ્મ ક્રિકેટના વિષય પર આધારિત છે. પોસ્ટરમાં મોઈદ્દીન ભાઈ બનેલા રજનીકાંત શેરવાની અને પાયજામામાં, વધારેલી દાઢી, આંખો પર કાળા ચશ્મા અને માથા પર લાલ રંગની ટોપી સાથે સ્ટાઈલિશ લુકમાં દેખાય છે. પોસ્ટરમાં અમુક સમાચારોના કટિંગ્સ પણ દેખાય છે, જેની પર મુંબઈના કોમી રમખાણોના સમાચાર લખેલા છે. ફિલ્મનું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે.

ઐશ્વર્યા રજનીકાંત તામિલનાડુની બહારના અમુક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરાવશે. ફિલ્મમાં સંગીત એ.આર. રેહમાનનું છે. ફિલ્મ આ જ વર્ષના અંતભાગમાં રિલીઝ થાય એવી ધારણા રખાય છે.

28 વર્ષ પહેલાં રજનીકાંતે ‘બાશ્શા’ (બાદશાહ) ફિલ્મમાં મુંબઈના ડોનની ભૂમિકા કરી હતી. આમ, હવે તેઓ ફરી એવી જ ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ ટોસમાં કાર્તિકની મોટી ભૂલને સુધારી

અમદાવાદઃ હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા માટે ગઈ કાલનો દિવસ ખૂબ મહત્ત્વનો હતો, કેમ કે તેઓ IPL 2023માં એકમેકની વિરોધી ટીમના કેપ્ટનશિપ કરનારા પહેલા ભાઈ-ભાઈ હતા. ઇજાને કારણે કેએલ રાહુલને IPL અધવચ્ચેથી છોડવી પડી હતી. જોકે ટોસ દરમ્યાન TV પ્રસ્તુતકર્તા મુરલી કાર્તિકે એક મોટી ભૂલ કરી હતી. કુણાલે ટોસ ઊછળ્યો, ત્યારે હેડ કહ્યું હતું કે અને સિક્કો ઊછળીને પણ હેડ આવ્યો હતો, પણ કાર્તિકે ભૂલથી એને ટેલ કહ્યો હતો. જોકે હાર્દિકે કાર્તિકની ભૂલ સુધારી લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની પહેલાં બેટિંગ હતી, જેમાં શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ વિસ્ફોટક અર્ધ સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટસ સામે બે વિકેટે 227નો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ IPLના ઇતિહાસમાં GTનો સૌથી મોટો સ્કોર હતો. ત્યાર બાદ LSGએ આ મેચમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવી શકી હતી.

 

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટોસ દરમ્યાન પિતાને યાદ કર્યા હતા. તેણે કહ્યું હતું કે આ એક ઇમોશનલ ડે છે. અમારા પિતાને અમને અહીં જોઈને ગર્વ થતો હશે. આવું સૌપ્રથમ વાર થઈ રહ્યું છે, એટલે અમારા પરિવારને અમારા પર ગર્વ છે.

એક પંડ્યા આજે જરૂર જીતશે. કુણાલે કહ્યું હતું કે પોતપોતાની ટીમોની કેપ્ટનશિપ કરવા એ એક સ્વપ્ન સમાન છે. તેણે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ સિવાય બંને ભાઈઓ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.

 

 

રાજસ્થાનમાં એર ફોર્સનું મિગ-21 તૂટી પડ્યું: ચાર ગ્રામીણોનાં મોત

જયપુરઃ રાજસ્થાનના હનુમાનગઢમાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક એક ફોર્સનું મિગ-21 તૂટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઉડાન ભર્યાના 15 મિનિટ પછી ટેક્નિકલ ખરાબી પછી પાઇલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું.આ દુર્ઘટના પહેલાં બંને પાઇલટે ખુદને વિમાનથી અલગ કરી લીધા હતા. જોકે આ વિમાન એક રહેણાક વિસ્તારમાં પડવાથી એની ચપેટમાં આવવામાંથી ચાર ગ્રામીણનાં મોત થયાં હતાં. એર ફોર્સે આ ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા.

પ્રાપ્ત મુજબ વિમાને સુરતગઢ એકબસેથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી 15 મિનિટ પછી આ દુર્ઘટના થઈ હતી. આ વિમાન રહેણાક વિસ્તારમાં પડ્યું હતું. આ પહેલાં જાન્યુઆરીમાં રાજસ્થાનના ભરતપુરમાં તાલીમ અભ્યાસ દરમ્યાન એર ફોર્સના બે લડાકુ જેટ એક સુખોઈ એસયુ-30 અને એક મિરાજ 2000ના દુર્ઘટનાગ્રસ્ત થવાથી પાઇલટે જીવ ગુમાવ્યો હતો. આમાં એક દુર્ઘટના મધ્ય પ્રદેશના મુરૈના અને બીજી રાજસ્થાનના ભરતપુરમાં થઈ હતી.

એ પહેલાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સેનાનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. એપ્રિલમાં કોચીમાં એક વધુ દુર્ઘટના થઈ ત્યારે પરીક્ષણ દરમ્યાન એક તટરક્ષક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું.ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રની પાસે એક ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેનાથી ભારતીય સેનાના એક પાઇલટનું મોત થયું છે.

ફાઈટર પ્લેન દુર્ઘટનામાં બશોકૌર (45) રતન સિંહ ઉર્ફે રતિરામ રાય શીખની પત્ની, બંતો (60) લાલ સિંહ રાય સિંહની પત્ની અને લીલા દેવી (55) રામ પ્રતાપના પત્નીનું મૃત્યુ થયું છે. પાઇલટ રાહુલ અરોડા (25)એ પેરાશૂટ દ્વારા કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પાયલોટને સુરતગઢ ખસેડવામાં આવ્યો છે.

 

 

 

 

કોરાનાના 1839 નવા કેસો, 11નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1839 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,71,469 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,692 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,14,599 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3861 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 25,178એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.06 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 73,706 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.77 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,79,735 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 439 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

યૂક્રેનનો દાવોઃ અમે એક જ રાતમાં રશિયાના 35 ડ્રોન તોડી પાડ્યા

કાઈવઃ યૂક્રેનના લશ્કરના ટોચના કમાન્ડે દાવો કર્યો છે કે તેના દળોએ ગઈ કાલે એક જ રાતમાં રશિયાએ જુદા જુદા ટાર્ગેટ્સ પર છોડેલા તમામ 35 ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ડ્રોન ઈરાની બનાવટના શાહેદ નામવાળા હતા. રશિયન ફેડરેશને ગઈ કાલે એક જ રાતમાં 16 મિસાઈલ હુમલા પણ કર્યા હતા.

યૂક્રેનના સશસ્ત્ર દળોના વડાએ કહ્યું કે રશિયામાંથી યૂક્રેનના ખાર્કિવ, ખરસન, માઈકોલેઈવ અને ઓડેસા શહેરોને લક્ષ્ય બનાવીને મિસાઈલ છોડવામાં આવી હતી. છેલ્લા એક દિવસમાં રશિયામાંથી યૂક્રેનના દળોએ જ્યાં પોઝિશન બનાવી છે તે સ્થાનો તથા નાગરિક વસ્તીવાળા વિસ્તારોને ટાર્ગેટ બનાવીને 61 હવાઈ હુમલા કર્યા છે. કમનસીબે, અમુક હુમલામાં કેટલાક નાગરિકો માર્યા ગયા છે તો કેટલાક ઘાયલ થયા છે. કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે.

અતીકની પત્ની શાઈસ્તાને માફિયા ઘોષિત કરાઈ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી માફિયા અતીક એહમદ અને એના ભાઈ અશરફની પણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. ઉમેશની હત્યામાં સંડોવાયેલા શૂટર્સની મદદ કરવાનો અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર મૂકવામાં આવ્યો છે. હવે ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ શાઈસ્તાને પણ માફિયા ઘોષિત કરી દીધી છે. શાઈસ્તા હાલ ફરાર છે. પોલીસ એને શોધી રહી છે.

યૂપી પોલીસે તેની એક એફઆઈઆરમાં શાઈસ્તાને માફિયા અપરાધી તરીકે ઓળખાવી છે. પોલીસનું કહેવું છે કે શાઈસ્તા બદમાશોને આશરો આપતી હતી. ઉમેશ પાલની હત્યામાં સામેલ સાબિર શાઈસ્તાનો જ શૂટર હતો. શાઈસ્તા પોતાની સાથે શૂટર રાખતી હતી.

દરમિયાન, પોલીસને પ્રયાગરાજમાં અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ વિશે જાણકારી મળી છે, જેનું કનેક્શન માફિયા અતીક એહમદ અને અશરફ સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે હોટેલના માલિકો અતીકની પત્ની શાઈસ્તાને પૈસા પહોંચાડતો હતો. જે દિવસે ઉમેશની હત્યા કરવામાં આવી હતી ત્યારે બદમાશોને ભાગવાની ગોઠવણ શાઈસ્તાએ જ કરી હતી.

સુવિચાર – ૦૮ મે, ૨૦૨૩

સુવિચાર – ૦૮ મે, ૨૦૨૩

૦૮ મે, ૨૦૨૩

૦૮ મે, ૨૦૨૩

કેરળમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના, 15 લોકોના મોત, અનેક લાપતા

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.


દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. રાજ્ય મંત્રી વી અબ્દુરહમાને માહિતી આપી કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.


જણાવી દઈએ કે અકસ્માત રાત્રે થયો હતો. આવી સ્થિતિમાં રાહત ટીમના જવાનોને વધુ મહેનત કરવી પડે છે. લોકોને બહાર કાઢવા માટે રાત્રીના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ માટે ટોર્ચ પ્રગટાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

બિહારમાં પણ આવી જ ઘટના બની હતી

આ પહેલા ડિસેમ્બર 2022માં પણ બિહારમાં આવી ઘટના બની હતી. વાસ્તવમાં બિહારના પટનામાં એક મોટો અકસ્માત થયો હતો. તે સમયે ગંગા નદીમાં 15 લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા, જેમની શોધ માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.

રાજનાથ સિંહનું મોટું પગલું, LoC પર ટેરિટોરિયલ આર્મીની મહિલા અધિકારીઓની તૈનાતીને મંજૂરી

હવે સેના નિયંત્રણ રેખા એટલે કે LOC પર મહિલા સંરક્ષણ લાઇન સ્થાપિત કરશે. આ મહિલાઓ હવે સેનાની ટેરિટોરિયલ આર્મી (TA)નો ભાગ બનશે. સંરક્ષણ મંત્રીએ આ નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. એક મોટું પગલું ઉઠાવતા તેણે નિયંત્રણ રેખા પર ટેરિટોરિયલ આર્મીની મહિલા અધિકારીઓની તૈનાતીને મંજૂરી આપી દીધી છે. અહેવાલ છે કે આ ટેરિટોરિયલ આર્મી મહિલાઓ હવે તેમના પુરૂષ સમકક્ષો જેવી જ પરિસ્થિતિઓમાં એકમો અને પોસ્ટિંગની વિશાળ શ્રેણીમાં સેવા આપશે અને તાલીમ આપશે.

ટેરિટોરિયલ આર્મીએ 2019 થી ઇકોલોજિકલ ટાસ્ક ફોર્સ યુનિટ્સ, TA ઓઇલ સેક્ટર યુનિટ્સ અને TA રેલવે એન્જિનિયર રેજિમેન્ટમાં મહિલા અધિકારીઓને કમિશન કરવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન મેળવેલા અનુભવના આધારે TAમાં મહિલા અધિકારીઓ માટે રોજગારનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ટેરિટોરિયલ આર્મી શું છે

ટેરિટોરિયલ આર્મી એ નિયમિત ભારતીય સેના પછી સંરક્ષણની બીજી લાઇન છે. તે કોઈ વ્યવસાય, વ્યવસાય કે રોજગારનું સાધન નથી. આ ફક્ત તે લોકો માટે છે જેઓ પહેલાથી જ મુખ્ય નાગરિક વ્યવસાયમાં છે. વાસ્તવમાં, નાગરિક વ્યવસાય અથવા સ્વ-રોજગારમાં લાભદાયક રોજગાર એ ટેરિટોરિયલ આર્મીમાં જોડાવાની શરત છે. પ્રાદેશિક સૈન્યના સ્વયંસેવકો સામાન્ય રીતે દર વર્ષે થોડા દિવસો માટે ગણવેશમાં સેવા આપે છે, જેથી તેઓ ભયંકર જરૂરિયાત અથવા રાષ્ટ્રીય કટોકટીના સમયે રાષ્ટ્રીય સંરક્ષણ માટે શસ્ત્રો ઉપાડી શકે.

ટેરિટોરિયલ આર્મીને અત્યાર સુધી આ સન્માન મળ્યું છે

એવું નોંધવામાં આવે છે કે 1990 ના દાયકાના પ્રારંભથી, પ્રાદેશિક સેનાના એકમોએ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને ભારતની ઉત્તર અને પશ્ચિમ સરહદો સાથે સક્રિયપણે સેવા આપી છે. ટેરિટોરિયલ આર્મી 29 જુલાઈ 1987 થી 24 માર્ચ 1990 સુધી શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (IPKF) નો ભાગ હતી. જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહ વિરોધી વાતાવરણમાં લગભગ 75 ટકા TA એકમો તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ બળવાથી પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા જાળવવામાં અને તેમના સંબંધિત કાર્યોને વ્યવસાયિક રીતે હાથ ધરવા માટે આવશ્યક ભૂમિકા ભજવી રહ્યા છે.

અત્યાર સુધી ટેરિટોરિયલ આર્મીને ઘણા ‘ઓનર અને એવોર્ડ્સ’ મળ્યા છે. તેમાં અશોક ચક્ર (1), પરમવીર ચક્ર (1), કીર્તિ ચક્ર (1), અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક (6), વીર ચક્ર (5), શૌર્ય ચક્ર (5), યુદ્ધ સેવા ચંદ્રક (1), સેના ચંદ્રક (1) નો સમાવેશ થાય છે. 78). ), વિશિષ્ટ સેવા મેડલ (28), ઉલ્લેખ-ઇન-ડિસ્પેચ (17) અને આર્મી સ્ટાફના વડા પ્રસંશા (280).