Home Blog Page 2924

પંચાંગ 29/04/2023

આઇસી15 ઇન્ડેક્સમાં 285 પોઇન્ટનો વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી બીએનબી અને પોલકાડોટ સિવાયના તમામ કોઇનમાં 1થી 4 ટકાની રેન્જમાં વધારો થયો હતો.

દરમિયાન, કેલિફોર્નિયાની કાઉન્ટી સાન્તાક્રુઝ સરકારી સેવાઓ અને દસ્તાવેજીકરણના ક્ષેત્રે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. તેઓ સાઇકલનું રજિસ્ટ્રેશન, પાળેલાં પ્રાણીઓ માટેનું લાઇસન્સિંગ, વગેરે સેવાઓ માટે બ્લોકચેઇનનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરશે. બીજી બાજુ, અમેરિકન સંસદનાં બન્ને ગૃહોએ ક્રીપ્ટકોરન્સીના ગેરકાનૂની ઉપયોગ વિશે અભ્યાસ કરાવવા માટેનો ખરડો રજૂ કર્યો છે.

બીજી બાજુ, લેયર – 2 ઈથેરિયમ બ્લોકચેઇન પર પોતાની વેબ3 પ્રોડક્ટ્સ તથા ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન્સ બનાવવા, શરૂ કરવા અને વિકસાવવા માટે ડેવલપરોને મદદ કરવા ગૂગલ ક્લાઉડ અને પોલીગોન લેબ્સે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.73 ટકા (285 પોઇન્ટ) વધીને 39,476 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,191 ખૂલીને 39,973ની ઉપલી અને 38,944 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું: કચ્છમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ વચ્ચે કમોસમી વરસાદ વરસવાના વાવડ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસો દરમ્યાન માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ, વરસાદની સાથે વીજળી પડવાને કારણે પાટણની રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત થયું હતું.

રાજ્યમાં અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસિયા, ગોવિંદપુર અને ફાસરિયા સહિત આસપાસનાં ગામડામાં વરસાદ પડ્યો હતો. ખાંભાના અનિડા, સમઢીયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા.

રાજ્યમાં કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભૂજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે કરાં સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  જ્યારે આવનારા દિવસોમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

 

 

સાયબર ક્રાઇમઃ 14 ગામોમાં 300 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહું જિલ્લામાં બેસીને દેશમાં ઓનલાઇન લોકોને લૂંટનારા પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના આ જિલ્લામાં 14 ગામોમાં હરિયાણા પોલીસે એકસાથે દરોડા પાડીને 125 લોકોની અટકાયત કરી છે, જેમની સામે સાઇબર ક્રાઇમનો ગુનો કરવા બદલ પોલીસને પુરાવા મળ્યા છે. આ દરોડામાં ઓનલાઇન છેતરપિંડીને અંજામ આપતા ઉપકરણ અને ખોટાં સિમકાર્ડ ભારે સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યાં છે.

ગુરુગ્રામના SP સાઇબર ક્રાઇમના નેતૃત્વમાં ચાર જિલ્લાઓના 5000 પોલીસ કર્મચારીઓએ એકસાથે નૂહું જિલ્લામાં દરોડા પાડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અલગ-અલગ 102 ટીમ બનાવીને જિલ્લાનાં 14 ગામોનાં 300 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એ દરમ્યાન 65 ખોટાં સિમકાર્ડ, 66 સ્માર્ટફોન, 166 નકલી આધાર કાર્ડ, ત્રણ લેપટોપ, 128 ATM કાર્ડ, બે ATM સ્વાઇપ મશીન, એક AEPS મશીન, છ સ્કેનર અને પાંચ પેનકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ બધાનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો. એ સાથે 125 હેકર્સની ધરપકડ કરવામાં આવી હતી.

નૂહું જિલ્લાના મહુ, તિરવડા, ગોકલપુર, લુહિંગા કલા, અમીનાબાદ, નવી ખેડલા, ગાદોલ, જેમન્ત, ગુલાલત જખોપુર, પાપડા અને મામલિકા સહિત કુલ 14 ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગામો પુન્હાના, પિંગવા, બિછૌર, ફિરોજપુર સ્ટેશનોના એરિયામાં આવે છે. આ ગામો ઝારખંડના ચર્ચિત સાઇબર છેતરપિંડી સેન્ટર જામતાડાથી પણ વધુ છેતરપિંડી કરનારા બતાવવામાં આવ્યા છે.

હરિયાણા પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ સાઇબર ક્રાઇમની ફરિયાદો પર કાર્યવાહી કરતાં અત્યાર સુધી બે લાખથી વધુ મોબાઇલ નંબર બંધ કરવામાં આવી ચૂક્યા છે. આ બધા મોબાઇલ નંબરોનો પયોગ ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી રહી છે.

 

 

 

ડાબર કંપની નેપાળમાં વધુ રૂ.9.68 અબજનું મૂડીરોકાણ કરશે

કાઠમંડુઃ ભારતની ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ (FMCG) કંપની ડાબર નેપાળમાં રૂ. 9.68 અબજનું અધિક ઈન્વેસ્ટમેન્ટ કરવાની છે.

ડાબર નેપાલ પ્રાઈવેટ લિમિટેડ અને ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ નેપાલ વચ્ચે આ સંદર્ભમાં એક સમજૂતી કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં બાંધકામ, વિવિધ કામગીરીઓ અને મેનેજમેન્ટ તથા ઉત્પાદન વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસની બ્રિજભૂષણ સિંહની વિરુદ્ધ FIRની ‘સુપ્રીમ’ ખાતરી

નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પ્રમુખ બ્રિજશરણ સિંહના કથિત યૌન ઉત્પીડનની વિરુદ્ધ દેખાવકાર પહેલવાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે WFI પ્રમુખની વિરુદ્ધ આજે જ FIR નોંધવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ પર આજે FIR નોંધવામાં આવશે.

બ્રિજશરણ સિંહ પર એક સગીર સહિત સાત મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડન અને ધમકી આપવાના આરોપ લગાવ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આજે જ એક FIR નોંધવામાં આવશે. એના પર બ્રિજ શરણ સિંહ તરફથી હાજર રહેલા જનરલ એસજી મહેતાએ કહ્યું હતું કે હવે તો કંઈ બચ્યું નથી. જ્યારે પહેલવાનો તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે એક બંધ કવર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું એક વિશેષ ટાસ્ક ફોર્સની માગ કરું છું. મુખ્ય આરોપી પર 302 (હત્યાના મામલે) સહિત 40 કેસ નોંધાયેલા છે. હું અરજીકર્તાઓની સુરક્ષાને લઈને ચિંતિત છું.

સોલિસિટર જનરલે કહ્યું હતું કે આને પોલીસ કમિશનર પર છોડી દો. બધી ચિંતાઓનું સમાધાન કરવામાં આવી શકે છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે આની નિગરાની એક નિવૃત્ત જજ કરે. આ એ યુવતીઓ છે, જે દેશ માટે રમી રહી છે. પહેલવાનોએ બ્રિજ શરણની ધરપકડની માગ કરી છે. તેમણે તેમની પર મહિલા પહેલવાનોને ધમકાવવાનો અને યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિક સ્વર્ણ પદકવિજેતા નીરજ ચોપડા અને સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓએ પહેલવાનોને ટેકો આપતાં ત્વરિત કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

 

 

પાકિસ્તાન-ચીન રેલવે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 57.7 અબજ ડોલર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન અને ચીન વચ્ચે જે રેલવે યોજના સૂચવાઈ છે તે દુનિયામાં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સૌથી મોંઘી હોવાનું મનાય છે. આ યોજના માટે 57.7 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ સૂચિત રેલવે લાઈન પાકિસ્તાનના ગ્વાડર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંતના કાશગરને જોડશે. આ યોજના થઈ ગયા બાદ બંને દેશ વચ્ચે વ્યાપાર ખૂબ વધી જશે. એને કારણે આ રેલવે યોજના વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વ ધરાવે છે.

સરકાર બનતાં મહિલાઓને બસોમાં મફત પ્રવાસની સુવિધાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં 10 મેએ થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે પાંચમા ચૂંટણી વચનની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જાહેર પરિવહન બસોમાં મહિલો માટે મફત પ્રવાસનું વચન આપ્યું છે. તેઓ પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કરવા માટે ઉડ્ડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લામાં પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતાએ વડા પ્રદાન નરેન્દ્ર મોદી પર એ નિવેદન પર નિશાન સાધ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પોતાના વચનો પૂરાં નહીં કરે. તેમણે લકોને કહ્યું હતું કે અમે તમને ચાર ગેરંટી આપીએ છીએ અને એને પહેલા દિવસે પહેલી કેબિનેટ બેઠકમાં લાગુ કરવામાં આવશે અને એમાં પાંચમી ગેરન્ટી પણ જોડી રહ્યા છીએ, જે મહિલાઓ માટે હશે.

મોદીજી ધ્યાનથી સાંભળો. કોંગ્રેસ સત્તામાં આવતાં જ પહેલા દિવસે પાંચમી ગેરન્ટી પણ લાગુ થઈ જશે. રાજ્યમાં જાહેર પરિવહનની બસોમાં મહિલાઓ મફત પ્રવાસ કરી શકશે. ભાજપના લોતો 40 ટકા કમિશનની સાથે રાજ્યની મહિલાઓ પાસેથી પૈસા લૂંટ્યા છે. આ તમારું કામ છે,મ જ્યારે અમારું કામ રાજ્યની મહિલાઓને રાજ્યના પૈસા આપવાનું છે. એટલા માટે ચૂંટણી જીત્યાના તરત પછી જ્યારે પણ તમે કોઈ મહિલાને મળો તો તેમણે બસ પ્રવાસ માટે એક રૂપિયો ચૂકવવાની જરૂર નથી. તેમણે મતદાતાઓને રાજ્યમાં ભાજપને 40 બેઠકો સુધી સીમિત કરવાની અપીલ કરી હતી. ભાજપે ચોરીને આદત બનાવી છે અને એ યુવાઓ, ખેડૂતો અને માછીમારો સહિત બધા વર્ગોના લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

આંદોલનને ક્રિકેટરોનો ટેકો ન મળતાં વિનેશ ફોગાટ ભાવૂક

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી માટે હરિયાણાસ્થિત દેશનાં દિગ્ગજ પુરુષ અને મહિલા પહેલવાનો દિલ્હીમાં ધરણા પર બેઠાં છે. તેમનાં આ આંદોલનને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે, પરંતુ કુસ્તીબાજોના ટેકામાં બીજી કોઈ રમતના ખેલાડીઓ આગળ ન આવ્યાં નથી.

આ અંગે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે નારાજગી વ્યક્ત કરી છે. એણે કહ્યું, ‘આખો દેશ ક્રિકેટની પૂજા કરે છે, પરંતુ હજી સુધી એકેય ક્રિકેટરે અમારા આંદોલનને ટેકો આપ્યો નથી. શું અમે એટલા પણ લાયક નથી? જ્યારે કુસ્તીબાજ જીતે છે ત્યારે બધા ક્રિકેટરો એને અભિનંદન આપે છે. એમને માટે ટ્વીટ પણ કરે છે. તો હવે શું થયું? ખેલાડીઓને તંત્રનો શું એટલો બધો ડર લાગે છે?’

પાકિસ્તાનમાં અલ્યસંખ્યકોની સામે હિંસામાં વધારો થયોઃ રિપોર્ટ

ઇસ્લામાબાદઃ ગયા વર્ષે દેશમાં રાજકીય અને આર્થિક ખાનાખરાબીએ માનવાધિકાર અધિકાર પર ગંભીર અસર પડી છે, એમ આ સપ્તાહના પ્રારંભમાં જારી સ્ટેટ ઓફ હ્યુમન રાઇટ્સ 2022ના વાર્ષિક રિપોર્ટમાં માનવાધિકાર પંચે જણાવ્યું છે. પંચે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની વિરુદ્ધ હિંસામાં વધી છે, એમ રિપોર્ટ કહે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અત્યારની અને પાછલી સરકારો સંસદની સર્વોચ્ચતાને સન્માન આપવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે વિધાનસભ્યો, કોર્પોરેશન અને કોર્ટની વચ્ચે ઝઘડાએ વિશ્વનીયતાને ઓછી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજદ્રોહના કાયદાઓને અસંતોષ દબાવવા માટે હથિયાર તરીકે રાજકીય ઉત્પીડન જારી રહ્યું હતું. ર્પોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જેલમાં યાતનાઓના દાવા સાથે ડઝનેક પત્રકારો અને વિરોધ પક્ષના રાજકારણીઓની ધરપકડ કરવામાં આવી હતી. વળી, એમાં વિટંબણા એ હતી કે સંસદે યાતનાના ઉપયોગને ગુનાઇત બનાવતા એક વિધેયકને પસાર કર્યું હતું.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સામે અવિશ્વાસના સફળ મતદાન પછી આંદોલને એન્ફોર્સમેન્ટના કર્મચારીઓને દેખાવકારોની સાથે સંઘર્ષ કરતા જોવામાં આવ્યા.એ સાથે સંસદની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું અને એનો દુરુપયોગ પણ કરવામાં આવ્યો હતો.

વળી, આ વર્ષે આતંકવાદી હુમલાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો. પાંચ વર્ષોમાં સૌથી વધુ જેમાં 533 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નાગરિકોને સાવધાન કર્યા છતાં આ ઘટનાઓ થઈ હતી. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વામાં, ઉગ્રવાદને કાબૂ કરવામાં રાજ્યની કામગીરી ઢીલી રહી. એ સાથે નેશનલ એસેમ્બ્લીમાં ગુનાખોરીને ડામવા બિલ પાસથયું છતાં બલૂચિસ્તાનમાં 2210 કેસો વણઉકેલ્યા રહ્યા હતા, એમ રિપોર્ટ કહે છે.