Home Blog Page 2936

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૫ એપ્રિલ, ૨૦૨૩

૨૫ એપ્રિલ, ૨૦૨૩

બહાર ગયું સૂતૂં જાગે

       

       બહાર ગયું સૂતૂં જાગે

આ એ જમાનાની વાત છે જ્યારે ટેલિફોન ઘરે ઘરે નહોતો પહોંચ્યો. માણસ ઘરેથી નીકળે તે પાછો આવે ત્યારે જ કુટુંબ સાથેનો તેનો સંપર્ક પુનઃસ્થાપિત થતો. બહારગામ ગયું હોય તે વ્યક્તિ ક્યારેક ધાર્યા કરતાં વધુ રોકાઈ પણ જાય તેવું પણ બનતું. સ્વાભાવિક રીતે જ ત્યારે ઘરવાળા તેની ચિંતા કરે ત્યારે આ શબ્દ પ્રયોગ ‘બહાર ગયું સૂતું જાગે’ વપરાય છે.

કોઈક વખત કોઈ સમાચાર વગર મારા બાપા બહારગામ ગયા હોય, બે-ત્રણ દિવસમાં આવવાના હોય તેની જગ્યાએ પાંચ-છ દિવસ થઈ જાય ત્યારે પરત આવે, ત્યારે પોતાની ચિંતા વ્યક્ત કરવા મારી મા કશું કહે ત્યારે હમેશા મારા બાપાનો સિગ્નેચર રિપ્લાય હતો કે, ‘બહારગામ ગયું સૂતું જાગે’, જેમ માણસ ઉંઘ્યો હોય તો તે ક્યારે જાગશે તે નક્કી નથી હોતું તે જ રીતે તે જમાનામાં સંદેશાવ્યવહાર અને મુસાફરીના ટાંચા સાધનો હતા ત્યારે બહારગામ ગયેલ માણસ ઘરે પાછો ક્યારે ફરશે તે અનિશ્ચિતતા વ્યક્ત કરતી આ કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ઝરીના વહાબ હીરોઈન તરીકે ઝળકી

ઝરીના વહાબે હીરોઈન બનવાની ઇચ્છા કરી ન હતી. એ એટલી કિશોરવયે અભિનયમાં આવી હતી કે એવું વિચારી શકે એમ ન હતી. એ નાની ભૂમિકાઓ કરીને સંતુષ્ટ રહેવાની હતી. ઝરીના આંધ્રપ્રદેશની સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક જાહેરાત વાંચી કે પૂના ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી આવેદન મંગાવવામાં આવે છે. ઝરીનાએ અરજી કરી અને એ પસંદ થઈ ગઈ. બે વર્ષનો ફિલ્મ ઇન્સ્ટીટ્યુટનો કોર્ષ પૂરો કરી કામ મેળવવા મુંબઇ આવી ગઈ અને પોતાની માતાને પણ બોલાવી લીધી. એમને પોતાનું વિશાળ ઘર છોડીને એક રૂમમાં અતિથિ તરીકે રહેવાનું થયું. થોડા દિવસ પછી માએ કહ્યું કે પાછા ઘરે જતાં રહીએ પણ ઝરીનાએ રાહ જોવા કહ્યું.

એ રહેતી હતી ત્યાં કોઈએ માહિતી આપી કે મહેબૂબ સ્ટુડિયોમાં દેવ આનંદની ફિલ્મ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ (૧૯૭૪) નું શૂટિંગ ચાલી રહ્યું છે. એમાં ઝીનત અમાનની બહેનોની ભૂમિકાઓ માટે શોધ ચાલી રહી છે. ઝરીના સ્ટુડિયો પર ગઈ અને દેવ આનંદના મેનેજર વિશવાજીને મળીને પોતાના ફોટા બતાવ્યા. એ સાથે પોતાના પરિચયમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ મેળવેલી છે. ત્યારે એની ઓળખ મોટી હતી. દેવ શુટિંગમા વ્યસ્ત હોવાથી વિશ્વાજીએ એને બેસવા કહ્યું. થોડીવાર પછી દેવ આનંદ આવ્યા અને એને કહીને જતાં રહ્યા કે તું પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી આવી છે ને? આપણે સાથે ફિલ્મ કરી રહ્યા છે. બીજી કોઈ વાત કર્યા વગર એ નીકળી ગયા.

ઝરીના આશ્ચર્યચકિત થઈ ગઈ. તે પોતાનું સરનામું લખાવીને ઘરે આવી ગઈ. અઠવાડીયા પછી દેવના માણસો ઘરે આવ્યા અને નવકેતનની ઓફિસમાં લઈ ગયા. ઝરીનાએ દેવને પોતાના ફોટા બતાવવા કાઢ્યા ત્યારે એમણે કહ્યું કે એ જોવાની જરૂર નથી. તારો ચહેરો ફોટોજેનિક છે. તને ફિલ્મ માટે સાઇન કરવામાં આવે છે. ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ પછી ઝરીનાને બે વર્ષ સુધી કોઈ ફિલ્મ મળી નહીં. એનું કારણ એ હતું કે એની ઉંમર એવી હતી કે બહેનની ભૂમિકા જ કરી શકતી  હતી. એ ઉંમરની છોકરીઓને હીરોઇનની ભૂમિકા મળતી ન હતી. ઝરીનાની એવી તમન્ના પણ ન હતી. કોઈ કામ ના મળતાં એ આંધ્રપ્રદેશના ઘરે પાછી ફરી.

થોડા સમય પછી ફરી મુંબઈ ગઈ. ત્યારે શત્રુધ્ન સિંહાની ફિલ્મ ‘અનોખા’ (૧૯૭૫) બની રહી હતી. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એ આવ્યા ત્યારે ઝરીનાની મુલાકાત એમની સાથે થઈ હતી. ઝરીનાએ એમની સાથે ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શત્રુધ્ને યાદ કરીને ઝરીનાને પોતાની ફિલ્મમાં ભૂમિકા અપાવી દીધી. દરમ્યાનમાં ભાઈ માનેલા રાજ ગ્રોવર અને એની પત્ની શશીબેન સાથે ઝરીનાને મિત્રતા હતી. એ ઝરીનાને લઈને રાજશ્રીના તારાચંદ બડજાત્યા પાસે ગયા. એમણે તરત જ કહ્યું કે છત ઉપર અત્યારે સ્ક્રીન ટેસ્ટ ચાલે છે ત્યાં પહોંચી જા. ત્યારે ‘ચિતચોર’ (૧૯૭૬) માટે બીજી બે છોકરી પણ ત્યાં આવી હતી.

ઝરીનાએ આત્મવિશ્વાસથી સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને દસ દિવસ પછી સંદેશ મળ્યો કે એ પસંદ થઈ ગઈ છે. અને પહેલી વખત એ હીરોઈન તરીકે ચમકી ગઈ. મુંબઈમાં પોતાના મોટા પોસ્ટર જોઈને એને નવાઈ લાગી હતી. તારાચંદજીને ઝરીનાનું કામ પસંદ આવ્યું હતું. ફિલ્મ ‘ગોપાલ ક્રિશ્ના’ (૧૯૭૯) માં બીજી હીરોઈન લીધી હતી પરંતુ એ અચાનક નીકળી જતાં પહેલાં ઝરીનાને યાદ કરી હતી. એમણે કહ્યું હતું કે સેટ તૈયાર છે અને આજે એ હીરોઇનના કપડાં પહેરી લે. આવતીકાલથી નવા બનાવડાવીશું. ઝરીનાએ તરત જ એમની વાત સ્વીકારી લીધી. એ દિવસના શુટિંગ પછી એમણે એક વિનંતી કરી હતી કે ‘રાધા’ ની ભૂમિકા હોવાથી ફિલ્મનું શુટિંગ ચાલે ત્યાં સુધી માંસમચ્છી ખાવાના નહીં. ઝરીનાએ એમની એ વિનંતીનું પાલન પણ કર્યું હતું.

રાશિ ભવિષ્ય 25/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 25/04/2023

સહારનપુરમાં CM યોગીનો મંચ પરથી માફિયાઓને ખુલ્લો પડકાર

ઉત્તર પ્રદેશના સહારનપુરથી BJP એ ઔપચારિક રીતે નાગરિક ચૂંટણી (નિકાય ચુનાવ) માટે પ્રચારની શરૂઆત કરી છે. સહારનપુરમાં સીએમ યોગી આદિત્યનાથે જનસભા યોજીને પ્રચારની શરૂઆત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ મંચ પરથી રાજ્યના માફિયાઓને સીધો પડકાર આપ્યો છે.

સીએમ યોગીએ કહ્યું, આજે સહારનપુરનું શું, ઉત્તર પ્રદેશમાં ક્યાંય કર્ફ્યુ નથી લાગતો, હવે કંવર યાત્રા નીકળે છે. આ કંવર યાત્રા એક ઓળખ બની ગઈ છે. પહેલા યુવાનો પર ખોટા કેસ થતા હતા, આજે કોઈ ખોટા કેસ નથી કરતું. ખેડૂત આપઘાત કરતો હતો, આજે ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મળી રહી છે. આપણે નક્કી કરવાનું છે કે યુવાનો પાસે પિસ્તોલ હોવી જોઈએ કે ગોળીઓ? આપણે નક્કી કરવાનું છે કે ગુનેગારોની ગોળીઓ શેરીઓમાં હોવી જોઈએ કે શહેરોમાં.


મને સહારનપુર રમખાણોની યાદ અપાવી

મુખ્યમંત્રીએ કહ્યું, “અમે નક્કી કરવાનું છે કે શું આપણે ખંડણી વસૂલનારા ગુંડાઓ જોઈએ કે ગરીબોને મિલકતનો અધિકાર આપતી વહીવટી વ્યવસ્થા? હવે યુપી કોઈની મિલકત નથી. અહીં ખંડણી અને ખંડણીની માંગણી કરવામાં આવતી નથી. સહારનપુર તેના અમીરો માટે જાણીતું છે. હેરિટેજ. 2017 પહેલા સહારનપુરમાં રમખાણો થતા હતા, કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને વીજળી ન હતી. 2017 પહેલા સરકારો પાસે રમખાણો કરવાનો સમય નહોતો.” તેમણે કહ્યું કે, “ગુરુદ્વારા સંબંધિત એક મામલામાં અહીં તોફાનો થયો હતો. સહારનપુરની તો શું વાત, હવે યુપીમાં પણ ક્યાંય કર્ફ્યુ નથી. પહેલા શહીદોનો આતંક હતો. માતા-પિતા પોતાની દીકરીઓને લઈને ચિંતિત હતા. આજે એક ડર છે. -યુપીમાં મુક્ત વાતાવરણ.” યુપીની કાયદો અને વ્યવસ્થા આજે દેશમાં એક ઉદાહરણ બની ગઈ છે.” તમને જણાવી દઈએ કે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી માટે સોમવારે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે. હવે 4 મે અને 11 મેના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે.

કોહલી-અનુષ્કાએ જીમમાં કર્યો સુપર ડુપર ડાન્સ, જુઓ Video

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 4 મેચ જીતી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમે છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 રનથી હરાવ્યું હતું. કોહલીએ હાલમાં જ જીમ સેશન દરમિયાન અનુષ્કા શર્મા સાથે ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં તે કોહલી સાથે જીમની અંદર ડાન્સ કરી રહી છે. બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગી રહ્યું છે. કોહલી ડાન્સ દરમિયાન અચાનક અટકી જાય છે અને લંગડા સાથે ચાલવા લાગે છે. તેમને જોઈને એવું લાગે છે કે જાણે પગમાં મચકોડ આવી ગઈ હોય. કદાચ આ તેની રમુજી શૈલી છે. જોકે, ચાહકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ જોવા મળી રહી છે. અનુષ્કાના પ્રોફાઈલ પર શેર કરવામાં આવેલ વીડિયોને સમાચાર લખ્યા ત્યાં સુધી 15 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2023માં વિરાટ કોહલીનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે 7 મેચમાં 279 રન બનાવ્યા છે. તે હાલમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ચોથા સ્થાને છે. આ મામલે ફાફ ડુ પ્લેસિસ નંબર વન પર છે. તેણે 7 મેચમાં 405 રન બનાવ્યા છે. કોહલી-ડુપ્લેસીસની ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. હાલમાં તે પાંચમા નંબર પર છે. RCBએ 7માંથી 4 મેચ જીતી છે. જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

પાકિસ્તાની મુસ્લિમોએ કેમ કહ્યું- મોદી હૈ તો મુમકીન હૈ…

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક છે. મોદીને પસંદ કરનારા લોકો પાકિસ્તાનમાં પણ છે. પાકિસ્તાની મુસ્લિમોના આવા ઘણા સમુદાયો છે જેઓ મોદીના વખાણ કરતા રહે છે. અત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં NID ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘વિશ્વ સદભાવના ઈવેન્ટ’માં પાકિસ્તાનીઓના મુખમાંથી ‘મોદી હૈ તો મુમકીન હૈ…’નો નાદ ગુંજી રહ્યો છે. ભારતીય લઘુમતી ફાઉન્ડેશન (IMF), NID ફાઉન્ડેશન દિલ્હી અને ઓસ્ટ્રેલિયામાં નામધારી શીખ સોસાયટી દ્વારા 23 એપ્રિલે વિશ્વ સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, ઉપદેશકો અને સંશોધકોએ ભાગ લીધો હતો. વિવિધ ધાર્મિક સમુદાયોના પાકિસ્તાની લોકો પણ આવ્યા હતા. તેમાંથી ઘણા અહમદિયા મુસ્લિમ સમુદાયના હતા.

પાકિસ્તાનીઓએ ભારતીય પીએમના વખાણ કર્યા

પાકિસ્તાનના અહમદિયા સમુદાયના મુસ્લિમોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અમને મોદીજી દ્વારા “બધા સમુદાયોનું સન્માન” પસંદ આવ્યું છે, તેઓ દરેકને સાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે અમે તેમની પ્રશંસા કરીએ છીએ. અહમદિયા મુસ્લિમ સમુદાયના સભ્ય, જે લાહોરના છે, ડૉ. તારિક બટ્ટે જણાવ્યું હતું કે, “હું અંગત રીતે કહી શકું છું કે મારા ઘણા મિત્રો ભારતીય છે અને મેં તેમને એક સાથે ઘણી પ્રવૃત્તિઓ કરતા જોયા છે. હું પોતે તેમના કાર્યક્રમોમાં હાજરી આપું છું. મને લાગે છે કે મારા ઘણા મિત્રો ભારતીય છે. હવે ભારતીય મુસ્લિમો અને પાકિસ્તાની મુસ્લિમો વચ્ચે સંવાદિતા વધી રહી છે. તેમની વચ્ચે પરસ્પર પહોંચ વધી રહી છે. અમે તફાવતો કરતાં વધુ સમાનતા લાવવા માંગીએ છીએ.

‘મોદી પાસે બધાને સાથે લઈ જવાનો કરિશ્મા છે’

ઈવેન્ટને સદ્ભાવનાની એક મહાન પહેલ ગણાવતા અને હિંદુ અને મુસ્લિમ સમુદાયને એકસાથે લાવવા અને એક મંચ પર લાવવા માટે તેમણે કહ્યું કે પીએમ મોદી સમુદાયોને સૌહાર્દ અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે અન્ય સમુદાયો સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. યોગ્ય વસ્તુ કરી રહ્યા છીએ. પ્રોત્સાહિત કરીને. તેમણે ઉમેર્યું, “PM મોદી પાસે એવો કરિશ્મા છે જ્યાં લોકો તેમના ધાર્મિક વલણને ધ્યાનમાં લીધા વિના તેમને અનુસરે છે, તે સારી વાત છે!” તેમણે કહ્યું, “હું મારી બાજુથી કહીશ કે મોદી હૈ તો મુમકીન હૈ.”

હું તમારા ઘરનો એક ભાગ છું : 

એ જ રીતે, કરાચીના દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ, તહર શાકરે જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં એક ઇવેન્ટ કરી હતી જ્યાં અમારી યુનિવર્સિટીનો એક નવો અધ્યાય – મરોલ, મુંબઈમાં અલજામિયા-તુસ-સૈફિયાહ, અને મોદીજી પોતે આવ્યા હતા અને તેમાંથી એક. તેણે અમને જે કહ્યું તે એ હતું કે મહેરબાની કરીને મને બહુ માનભર્યા શબ્દોથી બોલાવશો નહીં, હું તમારા ઘરનો એક ભાગ છું.’

કાર્યક્રમમાં જોવા મળેલ ‘વસુધૈવ કુટુંબકમ’ની ઝલક

તમને જણાવી દઈએ કે NID ફાઉન્ડેશનનો વિશ્વ ગુડવિલ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બુંજિલ પેલેસમાં યોજાયો હતો, જેમાં વિશ્વના દરેક ખૂણાના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુંબકમ’ના વિઝન સાથે ‘એક પરિવાર’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

શું રોહિત શર્મા, વિરાટ કોહલી આઈપીએલ-2023 સ્પર્ધા અધવચ્ચેથી છોડી જશે?

મુંબઈઃ આઈપીએલ-2023માં હવે રંગ જામ્યો છે. રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ જોરદાર ફોર્મમાં રમી રહ્યા છે. પરંતુ એક મોટી અપડેટ જાણવા મળી છે તે એ કે અમુક ટોચના ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવા જવું પડે એમ હોવાથી આઈપીએલ-2023ને તેઓ અધવચ્ચે છોડી દેશે.

એક અહેવાલ અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી આઈપીએલ અડધેથી છોડી દે એવી શક્યતા છે. 7-11 જૂન દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે. તે મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. એ માટેની ભારતીય ટીમની હજી જાહેરાત થવાની બાકી છે. પરંતુ રોહિત કેપ્ટન હશે અને વિરાટ ટીમમાં સામેલ હશે એમાં બેમત નથી. ટીમ 23 અથવા 24 મેએ લંડન માટે રવાના થશે. આઈપીએલ-2023માં પ્લે-ઓફ્ફ ચરણનો આરંભ 23 મેથી થશે. ફાઈનલ મેચ 28 મેએ રમાવાની છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમો આઈપીએલ-2023ના પ્લે-ઓફ્ફ ચરણમાં પહોંચી નહીં શકે તો રોહિત અને વિરાટ લંડન જવા રવાના થશે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત હોવાથી એની જગ્યાએ અજિંક્ય રહાણેની પસંદગી ફાઈનલ મેચ માટે કરાય એવી શક્યતા છે. સૂર્યકુમાર યાદવને હજી ટેસ્ટ ક્રિકેટનો પૂરો અનુભવ નથી..

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતની સંભવિત ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.