Home Blog Page 2948

અરવલ્લીની ફટાકડા ફેક્ટરીમાં આગમાં ચાર મજૂરોનાં મોત

મોડાસાઃ તાલુકાના લાલપુરકંપા પાસે ભયાનક આગ લાગી છે. અહીં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઊઠ્યા હતા, જેમાં કરોડોનું નુકસાન થવાની વકી છે. આ આગ વેલ્ડિંગ કરતી વખતે તણખા ઊડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનામાં ચાર મજૂરો જીવતા ભૂંજાયા છે. આ આગમાં ગોડાઉનની સાથે બે ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે

મોડાસા અને અરવલ્લી જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા. મોડાસાથી ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઉપરાંત આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું છે. જ્યારે પાંચ લોકોને સલામત બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોના ટોળાં છૂટાં પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હજારો લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.

આ ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને કારણે લલિત, અજય, રામભાઈ અને સાજન નામના મજૂરોનાં મોત થયાં છે. આ ઉપરાંત ફેક્ટરીમાં રહેલા કરોડો રૂપિયાના માલસામાનનું નુકસાન થયું હતું. આ ઉપરાંત મોડાસા-હિંમતનગર હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

 

 

 

 

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની વાર્ષિક આવક છે રૂ. બે કરોડ

મુંબઈઃ બોલીવુડ એક્ટર સલમાન ખાનનો અંગરક્ષક ગુરમીત સિંહ જોલી ઉર્ફે શેરા પણ એક સેલિબ્રિટી બની ગયો છે. તે દાયકાઓથી સલમાનના બોડીગાર્ડ તરીકે સેવા બજાવી રહ્યો છે. શેરા એક બોડીબિલ્ડર છે. એણે 1987-1988માં શરીર સૌષ્ઠવની અનેક સ્પર્ધાઓ જીતી હતી.

એણે 1993થી હાઈ-પ્રોફાઈલ બોડીગાર્ડ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. સલમાનનો બોડીગાર્ડ બન્યો એ પહેલાં તે માઈકલ જેક્સન, જેકી ચેન, વિલ સ્મિથ, કિઆનુ રીવ્સ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો બોડીગાર્ડ હતો. 1995માં રીવ્સની એક પાર્ટીમાં તે સલમાનને મળ્યો હતો. ત્યાં સલમાનના ભાઈ સોહેલે શેરાને સલમાનના બોડીગાર્ડ બનવાની ઓફર કરી હતી. 1998માં શેરાએ પહેલી વાર ચંડીગઢમાં સલમાનનો શો સંભાળ્યો હતો. ત્યારથી એ સલમાનના અંગરક્ષક તરીકેની કામગીરી બજાવતો આવ્યો છે.

અહેવાલો  અનુસાર, શેરાની વાર્ષિક આવક બે કરોડ રૂપિયા છે. એ દર મહિને રૂ. 15 લાખ કમાય છે. શેરા કાર અને મોટરસાઈકલોનો પણ શોખીન છે. એણે મહિન્દ્રા થાર ખરીદી છે, તદુપરાંત એની પાસે કાવાસાકી સુપરબાઈક અને બીએમડબલ્યુ કાર પણ છે. તે ‘ટાઈગર સિક્યુરિટી’ એજન્સી ચલાવે છે. જે દુનિયાભરમાં અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડે છે.

નરોડા હત્યાકાંડમાં તમામ આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા

અમદાવાદઃ રાજ્યની સ્પેશિયલ કોર્ટમાં 2002નાં રમખાણો દરમ્યાન નરોડા ગામમાં અલ્પસંખ્યક સમુદાયના 11 સભ્યોની હત્યાના કેસમાં આજે સુનાવણી થઈ હતી. આ કેસના આરોપીઓમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની અને બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગી પણ સામેલ છે.  કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. 21 વર્ષ પછી કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવતાં તમામ આરોપીઓની આંખમાં ખુશીના આંસુ આવ્યાં હતાં. બજરંગીના વકીલે કહ્યું કે આ કેસમાં કુલ 86 આરોપીઓ હતા, પરંતુ તેમાંથી 17 લોકોનું સુનાવણી દરમિયાન મોત થઈ ગયું છે.

નરોડા ગામ હત્યાકાંડને 21 વર્ષ પૂરાં થયાં છે. આ કેસમાં 100થી વધુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. આ હત્યાકાંડમાં ચાર મહિલા સહિત 11 લોકોનાં મોત થયાનો આરોપ છે. માયા કોડનાની અને જયદીપ પટેલ કોર્ટ પહોંચ્યાં છે તેમ જ અન્ય આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  જોકે મિડિયાને કોર્ટની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કોર્ટમાં પાંચ એપ્રિલ સુધીમાં સુનાવણી પૂરી થઈ ચૂકી હતી.

આ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદે સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો નોંધાયેલા છે.

નરોડા ગામમાં પણ પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

શું હતી આખી ઘટના?

27 ફેબ્રુઆરી 2002ના રોજ રાજ્યના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002એ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીએ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે.

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ એપ્રિલ, ૨૦૨૩

ત્રણ દિવસના ઘટાડા બાદ આજે શેરબજારમાં મામુલી તેજી જોવા મળી

સતત ત્રણ દિવસના ઘટાડા બાદ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. જોકે આ સ્પીડ ખૂબ જ નાની છે. અગાઉ દિવસભર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે BSE સેન્સેક્સ 64 પોઈન્ટના વધારા સાથે 59,632 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 6 પોઈન્ટના મામૂલી વધારા સાથે 17,624 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 270 અને નિફ્ટી 66 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ બજાર તે સ્તરોથી નીચે આવ્યું છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા જ્યારે આઈટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 26 શેર ઉછાળા સાથે અને 24 ઘટાડાની સાથે બંધ થયા છે.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં ટાટા મોટર્સ 1.67 ટકા, NTPC 1.35 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.24 ટકા, ભારતી એરટેલ 0.99 ટકા, SBI 0.81 ટકા અને લાર્સન 0.67 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે HUL 1.22 ટકા, સન ફાર્મા 0.81 ટકા, ઇન્ફોસિસ 0.68 ટકા, બજાજ ફાઇનાન્સ 0.61 ટકા ઘટીને બંધ થયા હતા.

FY23માં રૂ. 1.01 લાખ કરોડની GSTની કરચોરી પકડવામાં આવી

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)છી બચવાના પ્રયાસોને  કર અધિકારીઓએ મોટે પાયે નિષ્ફળ બનાવ્યા છે અને રૂ. 1.01 લાખ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. એક અધિકારીએ એ માહિતી આપતાં કહ્યું હતું કે GSTના અધિકારીઓએ ગયા નાણાકીય વર્ષમાં કરચોરી કરવાવાળાઓ પાસેથી રૂ. 21,000 કરોડની વસૂલાત પણ કરી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર કરના પાલન માટે પગલાં ભરી રહી છે અને છેતરપિંડી માટે ડેટા વિશેલેષણ અને ગુપ્ત માહિતીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

DGCI અધિકારીઓએ નાણાકીય વર્ષ 2022-23માં 1,01,300 કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડી હતી. DGCIએ રૂ. 54,000 કરોડની કરચોરી પકડી પાડી હતી. ગયા નાણાકીય વર્ષમાં આશરે 14,000 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં એ આંકડો 12,574 હતો. GST કર આપવાથી બચાવવા માટે વેપારીઓ જેતે ચીજવસ્તુની કિંમત ઘટાડીને બતાવતા અને કરછૂટના ખોટા દાવા રજૂ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં પણ ગરબડ કરતા હતા. આ સિવાય ખોટી રસીદ જમા કરીને અને ખોટી કંપનીઓની સાથે લેવડદેવડ પણ દર્વવામાં આવતી હતી.

 

 

 

આરાધ્યા બચ્ચન વિશે ખોટા સમાચારઃ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબની ઝાટકણી કાઢી

નવી દિલ્હી/મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી એશ્વર્યા અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાનાં આરોગ્ય વિશે યૂટ્યૂબ પર નકલી સમાચારો પ્રસારિત થયા એ બદલ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબ કંપનીની આજે ઝાટકણી કાઢી છે. આરાધ્યા અંગેના ફેક ન્યૂઝને તાત્કાલિક દૂર કરવાનો કોર્ટે તમામ ચેનલોને આદેશ આપ્યો છે અને આવા સમાચાર અને વિડિયો પ્રસારિત કરવાનું ચાલુ રાખવા સામે કડક ચેતવણી આપી છે.

11 વર્ષીય આરાધ્યાએ એમ દર્શાવીને કેસ કર્યો હતો કે પોતે સગીર વયની છે અને પોતાની વિશેના ખોટા સમાચારો દર્શાવનાર મિડિયાને કોર્ટ રોકે. આ અરજી પરની સુનાવણીમાં ન્યાયમૂર્તિ સી. હરિ શંકરે યૂટ્યૂબની અનેક ચેનલો અને એમનાં સહયોગીઓની ઝાટકણી કાઢી હતી અને આ પ્રકારના ફેક ન્યૂઝ બતાવવાનું બંધ કરવાની નોટિસ આપી હતી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યાએ કરેલા આ કેસમાં યૂટ્યૂબની માલિક કંપની ગૂગલ તથા કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે અયોગ્ય હોય એવી તમામ સામગ્રી, વિડિયો કે ક્લિપ્સને દર્શાવવા પર પ્રતિબંધ મૂકી દે. ‘દરેક બાળક માન અને મોભા સાથે જિંદગી જીવવાને હકદાર છે પછી તે બાળક કોઈ સેલિબ્રિટીનું હોય કે સામાન્ય  નાગરિકનું. કોઈ પણ બાળક વિશેનાં માનસિક કે શારીરિક આરોગ્ય અંગેની માહિતી ફેલાવવાને કાયદાના શાસનમાં કોઈ પ્રકારની છૂટ નથી.’

સરકાર પાઇરસી રોકવા સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાઇરસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે, એમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી સંસદ સત્રમાં આ અંગે સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. ફિલ્મજગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. પાઇરસી પર કંઇક કરવું જોઇએ તેવી માગ ઘણા સમયથી ચાલી રહી હતી.

તેમણે કહ્યું હતું કે મોદી સરકારની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019માં આ સંબંધે એક વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ વિધેયક સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું અને સમિતિએ એના પર સૂચનો પણ આપ્યાં હતાં. સંસદના આગામી સત્રમાં સિનેમેટોગ્રાફી વિધેયક 2023 રજૂ કરવામાં આવશે.

આ માટે રૂ. 6003 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેમનું સંચાલન વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મિશન ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે.

આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કોમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ છે.

 

 

 

ગૌતમ અદાણી મળ્યા શરદ પવારને; બંધબારણે બે કલાક ચર્ચા કરી

મુંબઈઃ હિંડનબર્ગ અહેવાલમાં જેમના બિઝનેસ ગ્રુપ પર છેતરપિંડી અને ગેરમાહિતી દ્વારા અરાજકતા ફેલાવવાના આરોપ મૂકવામાં આવ્યો છે તે ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. બંને મહારથી વચ્ચે બંધબારણે લગભગ બે કલાક સુધી ચર્ચા થઈ હોવાનો અહેવાલ છે.

અદાણી મુંબઈમાં પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે ગયા હતા. બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ તે હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ ઉદ્યોગ જગતમાં આની વ્યાપકપણે તર્કવિતર્કો થઈ રહ્યા છે.

SBSમાં એડવાન્સમેન્ટ એન્ડ ઇનોવેશન્સ ઇન મેનેજમેન્ટ પર કોન્ફરન્સનું આયોજન

અમદાવાદઃ એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ્સના સહયોગથી શાંતિ બિઝનેસ સ્કૂલમાં ‘’નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ એડવાન્સમેન્ટ એન્ડ ઇનોવેશન્સ ઇન મેનેજમેન્ટ 2023″ (NCRAIM2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ જગતના કેટલાક દિગ્ગજોએ તેમની હાજરી સાથે આ પ્રસંગને શોભાવ્યો હતો. આ પ્રસંગે દેશમાંથી મળેલા ઉપરોક્ત વિષયના 65 રિસર્ચ પેપર્સમાંથી 36 રિસર્ચ પેપર્સના એબ્સ્ટ્રેકના સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહની શરૂઆત “શાંતિ બિઝનેસ સ્કૂલ”નાં ડિરેક્ટર ડૉ. નેહા શર્માના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી, જ્યાં તેમણે વિદ્યાર્થી મેનેજર્નેસને ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ્સ બનાવવા માટે મેનેજમેન્ટના ક્ષેત્રમાં નવા ફેરફારો અને એડવાન્સિસ મેળવવા માટે શિક્ષણવિદો અને માર્ગદર્શકો વચ્ચે સંવાદના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. સત્રના મુખ્ય અતિથિ બદ્રી નારાયણ ગોપાલકૃષ્ણન, ફેલો અને ભૂતપૂર્વ વડા TCSED, નીતિ આયોગ, ભારત સરકાર હતા. અતિથિવિશેષ તરીકે પ્રા. ડો. જી કે શિરુડે, પ્રાદેશિક ઉપાધ્યક્ષ, પશ્ચિમ ઝોન (AIMS) અને વાઇસ ચાન્સેલર બાલાજી યુનિવર્સિટી, પુણે અને ડો. રોહિત સ્વરૂપ, સ્થાપક અધ્યક્ષ એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલ હતા. એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શાંતિ બિઝનેસ સ્કૂલ,  કે.જી.કે. પિલ્લઈના આભારના પ્રવચન દ્વારા સમારોહનું સમાપન થયું હતું.

આ કોન્ફરન્સની થીમ “બિઝનેસ વેલ્યુ ટ્રાન્સફોર્મેશન ફોર રિઇન્વેન્ટિંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ” હતી. આ કોન્ફરન્સમાં બિઝનેસ પ્રોગ્રેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ, જે બિલ્ડિંગ ઇનોવેશન કેપેબિલિટીસ, એન્સ્યોરિંગ ઇન્વેસ્ટમેન્ટ, હિસ્સેદારોની સ્વીકૃતિ મેળવવા અને ઉત્તમ વિચારોને ફાયદાકારક વ્યાવસાયિક પરિણામોમાં ફેરવીને યોગ્ય પ્રકારની ટેક્નોલોજીનો લાભ લેવા જેવા અનેક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બે દિવસીય કાર્યક્રમ હાઇબ્રીડ મોડ એટલે કે ઓફલાઇન અને ઓનલાઇન – એમ બંન્ને રીતે યોજવામાં આવ્યો હતો.