Home Blog Page 2954

કર્ણાટકમાં અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથીઃ ગુજરાતના CM

ગાંધીનગરઃ કર્ણાટકમાં નંદિની વિરુદ્ધ અમૂલની લડાઈની વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દક્ષિણ રાજ્યમાં અમૂલના બહિષ્કારની કોઈ જરૂર નથી. બંને ડેરી ઉત્પાદનો બનાવતી કંપનીઓ નંદિની અને અમૂલની વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે અમૂલે ઘોષણા કરી હતી કે કંપની બેંગલુરુમાં દૂધ ઉત્પાદનોનું વેચાણ કરશે.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે મારા વિચારથી અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમે જે કરવા ઇચ્છો છો એ કરો. કર્ણાટકમાં વિરોધ પક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો હતો કે સત્તારૂઢ ભાજપ અમૂલે દક્ષિણ રાજ્યમાં મંજૂરી આપીને નંદિનીને ખતમ કરવા ઇચ્છતા હતી.

કર્ણાટકમાં બોમ્મબઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપનું ખંડન કર્યું છે અને કહ્યું હતું કે અમૂલથી નંદિનીને કોઈ જોખમ નથી. ડિસેમ્બરમાં કર્ણાટકની યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે KMF અને ગુજરાત આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL)ની વચ્ચેના વિલીનીકરણની અટકળોને હવા આપી હતી. ત્યારથી અમૂલ વિરુદ્ધ નંદિની યુદ્ધ છેડાઈ ગયું છે.  ટ્વિટર પર #GoBackAmul અને #SaveNadiniના હેશટેગ ટ્વીટ થવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કન્નડ લોકોને અમૂલના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો.

 

 

 

 

 

 

શું પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે?

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની અફવાઓ વચ્ચે, બોલિવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરા તેની રીંગ ફિંગરમાં સિલ્વર બેન્ડ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમયથી રાજકારણી રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જોકે બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું છે.

પરિણીતીની રિંગ ફિંગરમાં દેખાતા સિલ્વર બેન્ડે ધ્યાન ખેંચ્યું હતું

પરિણીતી ચોપરાએ સોમવારે રાત્રે પોતાની વીંટી વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, સિલ્વર બેન્ડની રીંગની પ્લેસમેન્ટ દેખાતી હતી. જણાવી દઈએ કે અભિનેત્રી સોમવારે રાત્રે સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાની ઓફિસમાં જોવા મળી હતી. આ દરમિયાન પરિણીતીએ શ્રગ તરીકે બટન વિનાના શર્ટ સાથે સફેદ ક્રોપ ટોપ પહેર્યું હતું. તેણે તેને ડેનિમ્સ સાથે જોડી. પરિણીતી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેણીએ તેની રીંગ આંગળી પર સોનાની વીંટી અને ચાંદીની પટ્ટી સિવાય ન્યૂનતમ મેકઅપ પહેર્યો હતો. ઓફિસથી નીકળતા પહેલા અભિનેત્રીએ કેમેરા માટે સ્માઈલ પણ આપી હતી.

રાઘવ ચઢ્ઢાએ પરિણીતીના લગ્નની અફવાઓ અંગેના સવાલો ટાળ્યા હતા

બીજી બાજુ, રાઘવ ચઢ્ઢાએ પ્રેસ સાથેની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન તેમના અફવાવાળા લગ્ન પરના પ્રશ્નોને હોશિયારીથી ટાળ્યા હતા. થોડા દિવસો પહેલા, આજ તક સાથે વાત કરતી વખતે, રાજકારણીને પૂછવામાં આવ્યું હતું કે, “પરિણિતી કી ખૂબ ચર્ચા હો રહી હૈ.” આ સાંભળીને રાઘવ શરમાઈ ગયો અને હસીને બોલ્યો, “ચાલો આજે ઉજવણી કરીએ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અને બીજી ઘણી ઉજવણી કરવાની તક મળશે.

હાર્દિક સંધુએ પરિણીતી-રાઘવના સંબંધોની પુષ્ટિ કરી હતી

જોકે, તાજેતરમાં જ સિંગર-એક્ટર હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે. અગાઉ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો શેર કરતી વખતે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યુનિયનને પ્રેમ, સુખ અને સાથીદારીનો આશીર્વાદ મળે. મારી શુભેચ્છાઓ.

હું NCPમાં છું અને NCPમાં જ રહીશ : અજિત પવાર

એનસીપી નેતા અજિત પવારના ભાજપમાં જોડાવાની અટકળોનું બજાર ગરમ છે. દરમિયાન હવે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટના વોલપેપરમાંથી પાર્ટીનો લોગો પણ હટાવી દીધો છે. જો કે, તેણે પોતે આ અટકળો અંગે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. એ નિશ્ચિત છે કે જો તેઓ ભાજપમાં જોડાશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી શકે છે. આ પહેલા તેમણે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. તેઓ પુણેમાં NCP સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેની રેલીમાં પણ ગયા ન હતા.

હવે અજિત પવારે ખુદ ભાજપમાં જોડાવાના સમાચારને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે પાર્ટી છોડવાના તમામ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે જે સમાચારો બતાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. તેમણે કોઈ ધારાસભ્યની સહી લીધી નથી. બધા NCPમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. કેટલાક ધારાસભ્યો તેમના વિસ્તાર માટે અથવા તેમના કામ માટે મળવા આવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ કોઈ અન્ય કારણોસર આવ્યા હતા

‘આવા સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવે છે’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા અહેવાલો કાર્યકરના મનમાં મૂંઝવણ પેદા કરે છે. અમે બધા શરદ પવારના નેતૃત્વમાં સાથે છીએ. આવા સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, અકાળ વરસાદ, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવા સમાચાર ફેલાવવામાં આવે છે.

શરદ પવારે શું કહ્યું

અજિત પવારના બળવાની અટકળો વચ્ચે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે સોમવારે (17 એપ્રિલ)ના રોજ NCP પ્રમુખ શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. અજિત પવારના કથિત બળવાની અટકળો વચ્ચે પવારે કહ્યું હતું કે ‘અજિત પવાર ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત છે’. આ બધી વાતો માત્ર મીડિયામાં છે.

ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

તુર્કી અને સીરિયા બાદ હવે ફિજીની ધરતી ધ્રૂજતી હોવાના સમાચાર છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર મંગળવારે ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ફિજી દક્ષિણ પેસિફિકમાં આવેલો દેશ છે. તે 300 થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે. NCSએ જણાવ્યું કે ભૂકંપ સવારે 10 વાગ્યાની આસપાસ આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીની નીચે 569 કિલોમીટરની ઊંડાઈ પર છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અઠવાડિયામાં આ બીજો ભૂકંપ છે. અગાઉ, ગુરુવારે ફિજીમાં રિક્ટર સ્કેલ પર 4.3 માપનો ભૂકંપ આવ્યો હતો, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ માહિતી આપી હતી. તે જ સમયે, અગાઉ 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં તીવ્ર ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

એનએસઈની રોકાણકારોને સલાહઃ યુઝર આઈડી, પાસવર્ડ કોઈને ન આપો

મુંબઈઃ દેશનાં શેરબજારમાં વોલેટિલિટી સાથે તેજીનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે સાથે-સાથે રોકાણકારોને ઠગવાની દુકાનો ચલાવતા લોકોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઝડપથી નાણાં કમાવી લેવાના ખ્વાબમાં રાચતા લોકોને ઠગવા માટે દેશમાં ગેરકાયદે ટ્રેડિંગ પ્લેટફોર્મ ફૂટી નીકળ્યાં છે, જેને ‘ડબ્બા ટ્રેડિંગ’ કહેવાય છે. આ પ્લેટફોર્મ પર થતા સોદાઓ ગેરકાયદે છે અને તેને એક્સચેન્જની માન્યતા નથી એવી સ્પષ્ટતા સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી આપી છે કે આવાં પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કાનૂની કારવાઈ કરવામાં આવી રહી છે.

એનએસઈએ જણાવ્યું છે કે મોબાઈલ નંબર “9995103502” મારફત “જેન્સમોન વી. જ્યોર્જ’’ નામની વ્યક્તિ ખાતરીબંધ વળતરની ઓફર સાથે ડબ્બા ટ્રેડિંગની સવલત રોકાણકારોને પૂરી પાડી રહી છે. આ વ્યક્તિ રોકાણકારોને તેમના ટ્રેડિંગ એકાઉન્ટને ઓપરેટ કરવાની ઓફર કરે છે અને એ માટે યુઝર આઈડી અને પાસવર્ડ માગે છે. રોકાણકારોને સાવધ કરવામાં આવે છે કે તેઓ તેમના યુઝર અને પાસવર્ડ કોઈની પણ સાથે શેર ન કરે. રોકાણકારોએ આવાં ગેરકાયદે પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરીને પોતાનાં સંસાધનો જોખમમાં ન મૂકવાં જોઈએ.

NIA લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે, પટિયાલા હાઉસ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના NIA રિમાન્ડ પર મોકલી દીધા છે. બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ છે. કોર્ટે NIAને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ કોર્ટમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.

લોરેન્સ બિશ્નોઈને મંગળવારે (18 એપ્રિલ) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.

 

આન્દ્રે રસેલ ખરાબ ફોર્મમાં: શું કેકેઆર ટીમ એને આઈપીએલ-2023માંથી આઉટ કરશે?

કોલકાતાઃ હાલની 15મી આઈપીએલ સ્પર્ધામાં લગભગ આઠ ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ ઈજાને કારણે ટીમની બહાર થયા છે. અમુક ખેલાડીઓએ ખરાબ ફોર્મને કારણે એમના ચાહકોને નિરાશ કર્યા છે. આમાંનો એક છે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ. એ અત્યાર સુધીમાં જરાય સારું ફોર્મ બતાવી શક્યો ન હોવાથી એને ટીમમાંથી બહાર કરવાની માગણી થઈ રહ્યાનો અહેવાલ છે.

અત્યાર સુધીમાં કેકેઆર ટીમ પાંચ મેચ રમી ચૂકી છે. એમાં રસેલનું બેટ ચાલ્યું નથી. અનેક વાર એ બેટિંગમાં ડબલ ફિગરમાં પહોંચવામાં પણ નિષ્ફળ ગયો છે.

જોકે ટીમના કેપ્ટન ઓઈન મોર્ગને સ્પષ્ટતા કરી દીધી છે કે રસેલ ખરાબ ફોર્મમાં હોવા છતાં અમે એને ટીમમાંથી દૂર કરવાનો વિચાર પણ કરતા નથી. સારો દેખાવ કરવા માટે એને હજી તક આપવામાં આવશે. કેકેઆર ટીમ હાલ કોઈ પણ કેરિબિયન ખેલાડી પર નિર્ભર નથી, પરંતુ રસેલ આઈપીએલ-2023ની બહાર થાય એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી. કોઈ પણ ખેલાડી એનું ફોર્મ પાછું મેળવી શકતો હોય છે.

ગણપત યુનિવર્સિટીને ‘ગ્રીન યુનિવર્સિટી’નું પ્લેટિનમ રેન્કિંગ અપાયું

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની યશકલગીમાં એક મહામૂલો ઉમેરો થયો છે. દેશની સુપ્રતિષ્ઠિત સંસ્થા ગ્રીન મેન્ટર્સ દ્વારા અપાતા પ્લેટિનમ રેન્કિંગમાં ગણપત યુનિવર્સિટીને ‘ગ્રીન યુનિવર્સિટી’નું રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ દુર્લભ સન્માનને કારણે યુનિવર્સિટીની ‘ગ્રીન ઝુંબેશ’ને રાષ્ટ્રવ્યાપી માન્યતા મળી છે. ગ્રીન યુનિવર્સિટી ઇન પ્લેટિનમ રેન્કિંગનું વિશેષ અને મૂલ્યવાન સન્માન અર્પણ કરનાર સંસ્થા ગ્રીન મેન્ટર્સ વૈશ્વિક કક્ષાનું એક આદરણીય અને ઊંચા દરજ્જાનું ખાસ સ્ટેટસ ધરાવતી સંસ્થા છે.

યુનાઇટેડ નેશન્સ (યુનો)ની ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સિલનું સ્પેશિયલ કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવતી સંસ્થા ગ્રીન મેન્ટર્સ  દ્વારા આ સન્માન એનાયત થતાં પહેલાં યુનિવર્સિટીની તમામ ગ્રીન એક્ટિવિટીઝ અને ગ્રીન અચિવમેન્ટ્સની બાબતો અંગે આકરી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં નીચેની કેટલીક ચુનંદી હકીકતોનો પણ સમાવેશ થાય છે.

યુનિવર્સિટીના 300 એકર જેવા પ્રાંગણમાં 51,126 જેટલાં નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. કુલ 11 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીનમાંથી માત્ર 78,000 સ્કવેર મીટર જમીન ઉપર બાંધકામ છે. 31,800 સ્ક્વેર મીટર ઉપર વિદ્યાર્થીઓ માટે રમતનું મેદાન છે તો 6400 સ્ક્વેર મીટર ઉપર વોટર-બોડી છે. બાકીની જમીન ઉપર હરિયાળી છવાયેલી છે. યુનિવર્સિટીના વિકાસને પર્યાવરણની ખાસ કાળજી રાખીને આગળ વધારવામાં આવે છે.

યુનિવર્સિટીનાં હજારો વૃક્ષોથી આચ્છાદિત એવા હરિયાળા પરિસરમાં જે ગોલ્ડન-ગ્રીન હિસ્સો ગણાય તેવી માઇક્રો ફોરેસ્ટની વાત પણ અદભુત અને રોમાંચક છે. આ માઇક્રો ફોરેસ્ટમાં 12,000 જેટલાં નાનાં-મોટાં છોડ અને વૃક્ષો આવેલાં છે. રાજ્યમાં જોવા મળતી આશરે 50 જેટલી વિવિધ છોડ-ઝાડની જાતો અહીં ઉગાડવામાં આવી છે. આ છોડ-વૃક્ષોને ઉગાડવામાં આવતી ‘મિયાવાકી પદ્ધતિ’ અપનાવવામાં આવતી હતી. યુનિવર્સિટીને મળેલા ‘ગ્રીન યુનિવર્સિટી’ના પ્લેટિનમ રેન્કિંગ માટે યુનિના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે યુનિવર્સિટીના પરિવારને ધન્યવાદ પાઠવ્યા હતા.

 

 

 

દેશમાં વર્ષ 2022માં રેકોર્ડ ડિજિટલ પેમેન્ટ થયા

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ લેવડદેવડ સતત ઝડપથી વધી રહી છે અને નવો રેકોર્ડ બની રહ્યો છે. વિશ્વમાં UPIથી સૌથી વધુ પેમેન્ટ ભારતમાં જ થઈ રહ્યું છે. ભારતે હવે નવો રેકોર્ડ બનાવ્યો છે. UPI અને કાર્ડથી એક વર્ષમાં ભારતમાં રેકોર્ડ વધારો થયો છે. આ મામલે દેશનાં બધાં શહેરોની યાદીમાં બેન્ગલુરુ ટોચ પર છે, જેમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ કર્યું છે.

બેન્ગલુરુએ વર્ષ 2022માં રૂ. 6500 કરોડના 28 કરોડ ડિજિટલ લેવડદેવડ કરી છે. આ યાદીમાં દિલ્હી બીજા ક્રમે છે. દિલ્હીવાસીઓએ રૂ. 5000 કરોડના 1.96 કરોડ ડિજિટલ લેવડદેવડ કરી છે. ત્યાર બાદ મુંબઈમાં રૂ. 4950 કરોડની 1.87 કરોડ લેવડદેવડ થઈ છે. ચોથ ક્રમે રૂ. 3280 કરોડના 1.5 કરોડની ડિજિટલ લેવડદેવડ સાથે પુણે અને રૂ. 3550 કરોડના 1.43 કરોડની લેવડદેવડ સાથે ચેન્નઈ છે.

ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ એન્યુઅલ રિપોર્ટમાં UPI, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, પ્રિપેડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી ચુકવણી પદ્ધતિ, મોબાઇલ અને પ્રિપેડ કાર્ડથી 149.5 લાખ કરોડના મૂલ્યના 87.92 અબજ લેવડદેવડના વ્યવહારો થયા છે. રિપોર્ટ અનુસાર UPI દ્વારા વોલ્યુમમાં 74.05 અબજથી વધુના અને મૂલ્યની મામલે 126 લાખ કરોડથી વધુની લેવડદેવડ થયા હતા. એ ગયા વર્ષની તુલાએ બે ગણા થયા છે, કેમ કે 2021ની તુલનામાં 2022માં 91 ટકા અને મૂલ્યમાં 76 ટકા વધુ નોંધાયા હતા. વર્ષ 2022માં ટોચનાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ ડિજિટલ ચુકવણી કરવામાં આવી હતી.

 

 

 

KBC 15: આગામી સીઝન સાથે પરત ફરી રહ્યા છે અમિતાભ બચ્ચન, જાણો..

મુંબઈઃ TVનો સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ ‘શો કૌન બનેગા કરોડપતિ’ ફરી એક વાર નાના પડદે પરત ફરી રહ્યો છે. અમિતાભ બચ્ચનની વધતી વયને પગલે દર વર્ષે આ શો પૂરો થાય, ત્યારે એ સવાલ લોકોના મનમાં જરૂર હોય છે કે આગામી વર્ષે આ શોને કોણ હોસ્ટ કરશે? અને અમિતાભ દર વર્ષે ફેન્સને સરપ્રાઇઝ આપતાં આ શોનું હોસ્ટિંગ કરવા પરત ફરે છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે 15મી સીઝનની સાથે વાપસી કરવા માટે તૈયાર છે. જોકે નિર્માતાઓએ આ શોરના પ્રોમોને દૂર કરતાં શો માટે રજિસ્ટ્રેશન 29 એપ્રિલથી શરૂ થવાની જાહેરાત કરી છે.

આ શોના પ્રોમોમાં બિગ Bને હોટ સીટ પર બેઠેલા જોઈ શકાય છે, જ્યારે એક મહિલા હોટ સીટ સુધી પહોંચવા માટે રસ્તો શોધવા માટે મેપ જોઈ રહી છે. છેવટે તે જમીન ખોદીને હોટ સીટ પર પહોંચી જાય છે. તે બિગ Bને ક્વિઝ રમવા માટે કહે છે, જેના જવાબમાં તેઓ કહે છે કે હોટ સીટ પર પહોંચવા માટે આડાઅવળા રસ્તા નહીં અપનાવો.

તેઓ કહે છે કે બસ ફોન ઉઠાવો, કેમ કે રાત્રે 29 એપ્રિલે નવ કલાકે રજિસ્ટ્રેશન કરાવવાનો એકમાત્ર પ્રકાર છે. મારા સવાલનો જવાબ આપો અને રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે, એમ તેમણે કહ્યું હતું. 14મી સીઝન સાત ઓગસ્ટ, 2022એ શરૂ થયો હતો, જેણે આઝાદીનાં 75 વર્ષ પૂરા થવાનો ઉત્સવ ઊજવ્યો હતો. આ શો સોની એન્ટટેઇન્મેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.