Home Blog Page 2961

અર્જુન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી આઈપીએલ-2023ની મેચ અર્જુન તેંડુલકર માટે ડેબ્યૂ મેચ બની છે. દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકરનો પુત્ર અર્જુન આ પહેલી જ વાર આઈપીએલ સ્પર્ધામાં રમી રહ્યો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સની ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે. આઈપીએલમાં કોઈ પિતા-પુત્રની જોડી રમી હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. અર્જુનને રમતો જોવા માટે તેના તમામ પરિવારજનો વાનખેડે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અર્જુનને રિલાયન્સ ગ્રુપની માલિકીવાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2022ની આઈપીએલ વખતે ખેલાડીઓની હરાજીમાં રૂ. 30 લાખની બેઝ કિંમતે ખરીદ્યો હતો. તેને ગયા વર્ષે રમવા મળ્યું નહોતું. મુંબઈ ટીમે સ્પર્ધાની આ વખતની 16મી આવૃત્તિ માટે અર્જુનને જાળવી રાખ્યો છે. કોલકાતા ટીમના દાવ વખતે રોહિત શર્માની જગ્યાએ સૂર્યકુમાર યાદવે મુંબઈ ટીમનું સુકાન સંભાળ્યું હતું. રોહિત આજની મેચમાં ઈમ્પેક્ટ સબ્સ્ટિટ્યૂટ ખેલાડી તરીકે રમ્યો છે અને તે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો.

અર્જુને તેની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી ગયા વર્ષે મુંબઈ વતી રમીને કરી હતી, પરંતુ બાદમાં એ ગોવાની ટીમમાં જોડાઈ ગયો હતો. પરંતુ ડિસેમ્બર-2022માં એ ડાબોડી ફાસ્ટ બોલર તરીકે મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સામેલ કરાયો હતો. સચીન તેંડુલકર 76 આઈપીએલ મેચ રમ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમ્યા હતા. એમાં તેમણે 2,281 રન કર્યા હતા. એમનો હાઈએસ્ટ સ્કોર 100 રન હતો. તે ઉપરાંત એમણે 13 હાફ સેન્ચુરી પણ ફટકારી હતી.

શિવાજીના મહારાષ્ટ્રએ દેશને સ્વરાજ્ય, ભક્તિ, શિક્ષણના વિચાર આપ્યાઃ અમિત શાહ

નવી મુંબઈઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે અહીંના ખારઘર ઉપનગર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં જાણીતા સમાજસેવક અને આધ્યાત્મિક ગુરુ ‘પદ્મશ્રી’ દત્તાત્રેય નારાયણ ધર્માધિકારી ઉર્ફે આપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022 માટેનો ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ એનાયત કરીને સમ્માનિત કર્યા હતા. આપ્પાસાહેબ ધર્માધિકારીએ મહારાષ્ટ્રમાં વ્યાપકપણે વૃક્ષારોપણ, રક્તદાન ઝુંબેશો હાથ ધરી છે. તે ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તેમજ વ્યસન-મુક્તિ સેવાઓ પણ પૂરી પાડી છે. આ એવોર્ડ સ્મૃતિચિન્હ, શાલ, માનપત્ર અને રૂ. 25 લાખના રોકડ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે.

આ પ્રસંગે અમિત શાહે એમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘છત્રપતી શિવાજી મહારાજના મહારાષ્ટ્રએ દેશને ત્રણ મોટા વિચાર આપ્યા છેઃ સ્વરાજ્ય, ભક્તિ અને શિક્ષણ. હવે આપ્પાસાહેબ ધર્માધિકારી એ ત્રણ વિચારના માધ્યમથી આગળ વધી રહ્યા છે.’ આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા એમના પ્રધાનમંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ની સ્થાપના 1995માં શિવસેના-ભાજપની સરકાર દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ પુરસ્કાર સાહિત્યત, ખેલકૂદ અને વિજ્ઞાન ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર હસ્તીઓને આપવામાં આવ્યો હતો. બાદમાં તેનો વિસ્તાર કરીને સમાજસેવા, પત્રકારત્વ, જાહેર વહીવટીતંત્ર અને આરોગ્ય સેવાઓ જેવા ક્ષેત્રોનો પણ એમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

પ્રિયંકાએ મુંબઈની પ્રોપર્ટી રૂ.7 કરોડમાં વેચી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં એની એક કમર્શિયલ હેતુ માટેની પ્રોપર્ટી રૂ. સાત કરોડમાં વેચી હોવાનો હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ છે.

આ પ્રોપર્ટી ડેન્ટિસ્ટ દંપતી ડો. નિતેશ અને ડો. નિકિતા મોટવાનીએ ખરીદી છે. આ પ્રોપર્ટી લોખંડવાલા રોડ પર વાસ્તુ પ્રીસિંક્ટ બિલ્ડિંગમાં બીજા માળ પર આવેલી છે. પ્રિયંકાની ગેરહાજરીમાં એનાં માતા ડો. મધુ ચોપરાએ આ પ્રોપર્ટી વેચાણનો સોદો પાર પાડ્યો હતો.

અતીકને ઠાર મારનાર હુમલાખોરો પત્રકારોના સ્વાંગમાં આવ્યા હતાઃ પોલીસ

પ્રયાગરાજઃ માફિયા ડોન અતીક એહમદ અને એના ભાઈ અશરફને ગઈ કાલે રાતે પ્રયાગરાજમાં મારી નાખનાર શૂટરો બનાવના સ્થળે પત્રકારો બનીને આવ્યા હતા. અતીક ચેક-અપ માટે આવી પહોંચ્યો કે તરત જ એને પત્રકારોએ ઘેરી લીધો હતો અને તેઓ અતીક અને એના ભાઈ અશરફની નજીક પહોંચી ગયા હતા. એક જણના હાથમાં કેમેરા હતા અને તે કેમેરામેનના સ્વાંગમાં હતો. એક જણના માઈક પર એનસીઆર ન્યૂઝ લખ્યું હતું.

પ્રયાગરાજ શહેરના પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું છે કે, જેવો અતીક આવી પહોંચ્યો કે પત્રકારોએ બંને ભાઈઓને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. પણ અચાનક એક જણે અતીકના લમણા પર રિવોલ્વર મૂકીને ગોળી છોડી હતી. અતીક નીચે પડી ગયો હતો. બીજા બે જણે કેમેરા અને માઈક ફેંકી દઈને ગોળીબાર શરૂ કર્યો હતો. ત્રણ જણને પકડી લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. અતીક અને અશરફ પરના હુમલામાં એક પોલીસ જવાનને પણ ગોળી વાગી છે. એક પત્રકારને પણ ઈજા થઈ છે.

દરમિયાન, ઉત્તર પ્રદેશ પોલીસે આજે સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ કરી હતી અને ચોકીપહેરો વધારે મજબૂત બનાવી દીધો હતો.

દુબઈના રહેણાંક મકાનમાં આગ લાગતાં 16નાં મરણ, 9 જણ જખ્મી

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાતના દુબઈના એક જૂના વિસ્તારમાં એક પાંચ-માળવાળા રહેણાંક મકાનમાં આગ લાગતાં ઓછામાં ઓછા 16 જણનાં મરણ થયા છે અને બીજા 9 જણ જખ્મી થયા છે.

અખબારી અહેવાલ મુજબ, આગ ગઈ કાલે દુબઈના અલ રાસ વિસ્તારમાં આવેલા મકાનમાં લાગી હતી. આ વિસ્તાર ગીચ શેરીઓવાળો છે. આ જુનું દુબઈ કહેવાય છે. અહીં દુબઈ મસાલા બજાર પણ આવેલી છે. બાજુમાં જ દુબઈ ખાડી આવેલી છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

૧૬ એપ્રિલ, ૨૦૨૩

૧૬ એપ્રિલ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 16/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

અતીક-અશરફની હત્યા, 17 પોલીસકર્મી સસ્પેન્ડ, સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ

પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં તપાસ દરમિયાન માફિયા અતીક અહેમદ અને અશરફને ગોળી મારી દેવામાં આવી હતી. બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર લાવવામાં આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરી હતી. દરમિયાન મેડિકલ કોલેજ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ પાસે પિસ્તોલ પડી છે. તાજેતરમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

 

પ્રયાગરાજમાં RAF અને PAC તૈનાત

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ રાજ્ય પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ખાસ કરીને પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. સ્થળને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પ્રયાગરાજ પોલીસ ઉપરાંત એસટીએફ પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. રેપિડ એક્શન ફોર્સ અને પીએસી ફોર્સને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી આરકે વિશ્વકર્મા અને સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર એન્ડ ક્રાઈમ પ્રશાંત કુમાર સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા છે.


પ્રયાગરાજમાં કલમ 144 લાગુ

અતીક અને અશરફની હત્યા બાદની સ્થિતિને જોતા પ્રયાગરાજમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે સીએમ યોગીએ તપાસ ટીમની રચના કરી છે. ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ આ મામલાની તપાસ કરશે.


સીએમ યોગીએ મુખ્યમંત્રી આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી

અતીક અને અશરફની જાહેરમાં હત્યાને લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આમાં યુપીના ડીજીપી આરકે વિશ્વકર્મા, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને અન્ય અધિકારીઓ હાજર છે.

પ્રયાગરાજમાં હાઈ એલર્ટ જારી

અતીક-અશરફની હત્યાને લઈને યુપી પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના બાદ પ્રયાગરાજમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે સાવચેતીના પગલારૂપે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

અતીક અહેમદની ગોળી મારી હત્યા, 10 સેકેન્ડનો વીડિયોમાં સમગ્ર ઘટના કેદ, 3ની ધરપકડ

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. બંનેની પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી હતી. બંનેના હાથમાં હાથકડી હતી. પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. અતીક અહેમદને માથામાં ગોળી વાગી હતી. અશરફને પણ ગોળીઓથી ધકેલી દેવામાં આવ્યો હતો. આ પછી બંને જમીન પર પડી ગયા.

પ્રાથમિક માહિતી મુજબ ત્રણ હુમલાખોરોએ પોલીસના વાહનો પર ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી અતીક અને અશરફ અહેમદનું મોત થયું હતું. આ ફાયરિંગમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. પોલીસે હત્યાના સંદર્ભમાં ઘટનાસ્થળેથી 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસ હુમલાખોરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.

હુમલાખોરોના નામ સામે આવ્યા હતા

પોલીસે અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય હુમલાખોરો અતીકથી પત્રકાર તરીકે આવ્યા હતા. નજીક આવતાં જ તેઓએ અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ત્રણ હુમલાખોરોના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય આપ્યા છે.


પુત્ર બાદ હવે અતીક અને અશરફની પણ હત્યા કરવામાં આવી 

તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદ અને તેના ગુલામ મોહમ્મદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે અતીક અને અશરફની પણ શનિવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે.

પંચાંગ 16/04/2023