Home Blog Page 2964

NIFT ગાંધીનગરમાં ‘સ્પેક્ટ્રમ’ની ઉજવણી થશે

ગાંધીનગરઃ NIFT ગાંધીનગરનું ‘સ્પેક્ટ્રમ’ ત્રણ વર્ષના વિરામ બાદ પાછું આવ્યું છે અને એ પહેલાં કરતાં વધુ મોટું અને વધુ સારું બનવાનું વચન આપે છે. ‘સ્પેક્ટ્રમ’ દર વર્ષે થાય છે અને તે ઘણી વિવિધ ઘટનાઓનું મિશ્રણ છે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફમાં એકતા અને ખુશી લાવે છે. વિવિધ સંસ્કૃતિઓ, પ્રતિભાઓ અને વિચારોના સમુદાયમાં સર્જનાત્મકતા ખીલે છે. સહયોગની ભાવનામાં, અમે ‘સ્પેક્ટ્રમ’ લાવીએ છીએ; ઘટનાઓ, રમતો અને મનોરંજનની પુષ્કળતા. તે માત્ર બે દિવસની મજા નથી પણ યુવાન અને જીવંત રહેવા જેવું લાગે છે તેની આજીવન ઉજવણી છે.

‘સ્પેક્ટ્રમ’ 2023ની થીમ “અટાવસ” છે, જે જૂની વાર્તાઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા અને વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા તેને જીવંત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ‘અટાવસ’ એ જૂની પરંપરાઓ અને સમયનું પ્રતિનિધિત્વ છે જે આપણે કરી શકીએ- તે પહેલાં અસ્તિત્વમાં છે. તે તમામ કલાની ઉજવણી છે, જે આપણી સમક્ષ આવી હતી, તેને નવા યુગમાં પુનર્જીવિત કરતી હતી.

સ્પેક્ટ્રમ-2023ની એક વિશેષતા એ NIFT ગાંધીનગરનું પોતાનું ગૌરવ, ફેશન શો છે. સંસ્થાનો દરેક વિભાગ તેના માટે યોગદાન આપશે, તેને એક ભવ્ય ઇવેન્ટ બનાવશે, જે ચૂકી ન જાય. પ્રતિભાગીઓ અને સહભાગીઓને NIFTના ઇન્ટ્રા કોલેજ બેન્ડ, વૃતાંત દ્વારા કેટલાક શ્રેષ્ઠ પ્રેપી અને પોપ સંગીત પણ આપવામાં આવશે, જે પોપ સમરને જીવંત કરશે.

ફેશન શો અને મ્યુઝિક પર્ફોર્મન્સ ઉપરાંત, સ્પેક્ટ્રમ-2023માં ડાર્ક રૂમ એક્ઝિબિશન પણ દર્શાવવામાં આવશે, જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની પ્રશંસા કરવા માટે એક વોક-થ્રુ હશે. ફોટોગ્રાફીના શોખીનોમાં આ એક્ઝિબિશન ચોક્કસ હિટ થશે. મોડલ યુનાઇટેડ નેશન્સ, NGMUN (NIFT ગાંધીનગર મોડલ યુનાઇટેડ નેશન્સ)માં ફેશનનો એક વળાંક ઉમેરતાં તે પણ સ્પેક્ટ્રમ 2023નો એક ભાગ હશે.

આ તમામ ઈવેન્ટ્સ ઉપરાંત, સ્પેક્ટ્રમ 2023માં વિદ્યાર્થીઓ અને બ્રાન્ડ્સ દ્વારા ફેટ સ્ટોલ પણ હશે, જે વિદ્યાર્થીઓને તેમની ઉદ્યોગસાહસિક કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. NIFT અમારા હાઉસકીપિંગ અને સિક્યોરિટી સ્ટાફને પણ મહત્ત્વ આપે છે, જે તેમને અને તેમના પરિવારોને ફેસ્ટમાં ખાસ રીતે સામેલ કરે છે. અમારા નિયામક, ડો. પ્રો. સમીર સુદના સમર્થન અને માર્ગદર્શન સાથે, NIFT ગાંધીનગર સફળ સ્પેક્ટ્રમ 2023 માટે આતુર છે.

 

 

 

 

 

અદાણી ફાઉન્ડેશન, NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ માટે સહયોગ  

અમદાવાદઃ અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ પ્રોગ્રામ માટે કોલોબરેશન કરવામાં આવ્યું છે. સિંગાપોર સ્થિત નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)ના STEM પ્રોગ્રામને સુપેરે ચલાવવા પરસ્પર સહયોગ કરવામાં આવશે, જેમાં અદાણી ફાઉન્ડેશનની છ શાળાના 42 શિક્ષકોને સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ એપ્રિલ 2023થી ડિસેમ્બર, 2025 (3 વર્ષ)માં છ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો 14થી 16 એપ્રિલ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે.

STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) લીડરશિપ તાલીમના પ્રથમ ચાર તબક્કા અને છઠ્ઠો તબક્કો અમદાવાદમાં NIEના છ નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવશે, જેમાં ગુજરાતમાં STEM શિક્ષણની સ્થિતિ, STEM ઉદ્યોગોની બેઝ લાઇનનો અભ્યાસ, સંકલિત STEM અભ્યાસક્રમનું ફ્રેમવર્ક વિકસાવવું, ઓનલાઇન અને વ્યક્તિગત વર્કશોપ, STEM અભ્યાસક્રમના નેતૃત્વનું નિર્માણ અને રાષ્ટ્રીય સ્તરની ત્રિદિવસીય કોન્ફરન્સમાં શિક્ષણનો વ્યાપ વધારવા માસ્ટર ટ્રેનર્સના અનુભવો વગેરે સામેલ કરવામાં આવ્યા છે.

પાંચમા તબક્કામાં સહભાગીઓ સિંગાપોરની યુનિવર્સિટીઓ અને STEM કંપનીઓમાં હેન્ડ-ઓન વર્કશોપથી ઉભરતી તકનિકો અને ઇનોવેશન અંગે વિસ્તૃત માહિતી મેળવવા સિંગાપોરની કંપનીઓની મુલાકાત લેશે. એટલું જ નહીં, તેઓ અભ્યાસક્રમનું નિરીક્ષણ અને નવું શીખવા શિક્ષકો સાથે વાર્તાલાપ માટે શાળાઓની મુલાકાત લેશે. જેનાથી સિંગાપોર અને ભારત વચ્ચે STEM શિક્ષકોનું મજબૂત નેટવર્ક બનશે.

આ દ્વિપક્ષીય સહયોગથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સુસંગત STEM અભ્યાસક્રમ વિકાસાવવામાં મદદ મળશે. જેમાં ધોરણો, મૂલ્યાંકન સાધનો, પ્રસ્તાવિત અભિગમો અને સૂચિત પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે. સમાવેશી ફ્રેમવર્ક ધરાવતા અભ્યાસક્રમને દેશનાં વિવિધ શૈક્ષણિક બોર્ડમાં અમલ કરવા ભલામણ કરવામાં આવશે.

‘બેસ્ટ’ની બેફામ સ્પીડમાં જતી બસે મોટરસાઈકલને ટક્કર મારતાં ઈન્સ્પેક્ટરનું મૃત્યુ

મુંબઈઃ સાંતાક્રૂઝ પૂર્વમાં આવેલા વાકોલા વિસ્તારમાં આજે સવારે બનેલા એક ગમખ્વાર બનાવમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર એમની મોટરસાઈકલ પર જતા હતા ત્યારે ‘બેસ્ટ’ની એક બેફામ સ્પીડમાં જતી બસે પાછળથી ટક્કર મારતાં ઈન્સ્પેક્ટરનું મૃત્યુ નિપજ્યું હતું.

તે ઈન્સ્પેક્ટરનું નામ પ્રવીણ અશોક દિનકર છે. તેઓ 43 વર્ષના હતા અને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ આજે સવારે 9 વાગ્યે સાંતાક્રૂઝ પૂર્વમાં એમના સત્તાવાર ક્વાર્ટર્સમાંથી નીકળી એમના કામ પર જતા હતા ત્યારે ન્યૂ મોડર્ન સ્કૂલ નજીક એમની મોટરસાઈકલને ‘બેસ્ટ’ની એક બસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. એમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એમને વી.એન. દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો છે.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો દીક્ષાંત સમારોહ સંપન્ન

અમદાવાદઃ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને આર્ષ વિદ્યામંદિર-રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. UGC દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-૧ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ-નેક દ્વારા આ યુનિવર્સિટીને A++ ઉચ્ચતમ ગ્રેડ મળ્યો છે. આ બંને સન્માન મેળવનાર ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી બનતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં યુનિવર્સિટીના સંચાલકોને અભિનંદન આપ્યાં હતાં.

આ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓએ જીવનમાં સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને વિચાર, વાણી અને કર્મમાં હંમેશાં પવિત્રતા જાળવવાની શિખામણ આપી હતી.

આ દીક્ષાંત સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણું શિક્ષણ પણ બહુવિધ હેતુઓ આધારિત હોવું જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીઓને તેની સામાજિક અને નૈતિક જવાબદારીઓ સુપેરે નિભાવતાં શીખવાડે તે જરૂરી છે.

આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વૈદિક શિક્ષણની જરૂરિયાત અને તેના મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે ‘Edu for all’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરતી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પણ અનેકવિધ ઉમદા શૈક્ષણિક પ્રકલ્પો થકી સમાજ માટે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે.

આ પદવીદાન પ્રસંગે BAOU ના કુલપતિ અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભારતની આ એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટીને NAAC દ્વારા A++ રેન્ક પ્રાપ્ત થયો છે તથા UGC દ્વારા પણ પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે, જે અમારી આયોજનબદ્ધ શિક્ષણ પદ્ધતિની સાબિતી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આઠમા પદવીદાન સમારોહમાં આજે મહાનુભાવોને હસ્તે ૩૭ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, ૩૯ વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, ૧૦ વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ, ૩૬૧૭ વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર ઉપાધિ, ૧૪,૨૬૬ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, ૨૪૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમાની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૪૮૫૦ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ, મહાનુભાવો, શિક્ષણવિદ્, યુનિવર્સિટીના એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્યો, પ્રાધ્યાપકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવિનભાઈ ત્રિવેદીએ આભાર દર્શન કર્યું હતું.

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૪ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૪ એપ્રિલ, ૨૦૨૩

સ્લો ઓવર-રેટ બદલ હાર્દિક પંડ્યાને રૂ.12 લાખનો દંડ

મોહાલીઃ 13 એપ્રિલના ગુરુવારે અત્રે બિન્દ્રા સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે રમાઈ ગયેલી આઈપીએલ-2023ની મેચમાં ઓવર-રેટ ધીમો રહી ગયો તે બદલ ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને આયોજકો તરફથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચ ગુજરાત ટીમ 6-વિકેટથી જીતી ગઈ હતી. ગુજરાત ટીમ અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ મેચમાં જીતી છે અને એકમાં હારી છે.

આ વખતની સ્પર્ધામાં સ્લો ઓવર-રેટ મોટી સમસ્યા બની રહ્યો છે. એવી મેચો ચાર કલાક સુધી રમાઈ હતી. આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસી અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પણ સ્લો ઓવર-રેટ બદલ દંડ કરાઈ ચૂક્યો છે.

શહેરમાં આંબેડકર જયંતી નિમિત્તે ઠેર-ઠેર રેલીઓ નીકળી

અમદાવાદઃ ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં રેલીઓ નીકળી હતી. શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમાનાં દર્શન કરવા અને ફૂલહાર અર્પણ કરવા હજારો લોકો ઊમટી પડ્યા હતા.

ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની ચારે તરફ વિવિધ કર્મચારી સંગઠનો, રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો દ્વારા પ્રદર્શન અને સુવિધાઓના મંડપ લગાડવામાં આવ્યાં હતાં.

બંધારણના ઘડવૈયા, પીડિતો, કચડાયેલા, શોષિતો,  છેવાડાના માણસ માટે સતત જાગ્રત ડો.બાબાસાહેબ આંબેડકર ના 14 એપ્રિલના જન્મ દિવસ નિમિત્તે સરસપુર, શાહીબાગ, ચાંદલોડિયા અને અડાલજ સહિત અનેક વિસ્તારોમાં વિશાળ રેલીઓ નીકળી હતી. આ સાથે જુદા-જુદા વિસ્તારોમાં લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગણપત યુનિવર્સિટીએ 18મો સ્થાપના દિવસ ઉત્સાહથી ઊજવ્યો

વિદ્યાનગરઃ વિદ્યા દ્વારા સમાજનો ઉત્કર્ષ દેવા ઉદાત્ત કાર્યમંત્ર સાથે આશરે બે દાયકાથી વિદ્યા યાત્રા ખેડી રહેલી ગણપત યુનિવર્સિટીએ ગઈ કાલે 18મો સ્થાપના દિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સહાય તરીકે યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યો હતો. આનંદની વાત એ છે કે યુનિવર્સિટી પરિવાર દ્વારા સ્થાપના દિવસે અર્પણ થતી આવી રકમમાં એટલી જ રકમ ગણપત દાદા અને મંજુલા દાદી તરફથી ઉમેરવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને રાહત તરીકે ચૂકવવમાં આવે છે. આમ જરૂરરિયાતમંદ વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાંય અટકે નહીં એ જોવામાં આવે છે.

યુનિવર્સિટીના આ 18મા સ્થાપના દિનના પ્રસંગમાં સહભાગી થવા મહેસાણા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રટ એમ. નાગરાજન (IAS) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ CA સુનીલભાઈ એચ. તલાટી વિશેષ મહેમાન તરીકે અને સાસ ઇન્ડિયાના રિજિયોનલ ડિરેક્ટર ભુવન નિજ્રહાવન ખાસ મહેમાન તરીકે ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી સમારોહના પ્રારંભે મહેમાનોને હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો ફૂલો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સફળતાનાં અને સિદ્ધિનાં શિખરો તરફ અંગુલિ નિર્દેશ કરતાં કહ્યું હતું કે ગણપત દાદાની પ્રમુખ તરીકેની કામગીરીનાં પાંચ વર્ષ પૂરાં થાય છે અને આ અવસરે યુનિવર્સિટીને રાજ્ય સરકાર તરફથી ફાઇવસ્ટાર રેન્કિંગ પ્રાપ્ત થયું છે. તેમણે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવેલા મહાસિદ્ધિ સ્વર્ણપદક અને પંચક્રિયાના કોન્સેપ્ટની પણ વિગતે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીમાં આજે 18,000 જેટલા વિદ્યાર્થીઓને 100થી વધુ અભ્યાસક્રમો ભણાવવા માટે વિદ્વાન પ્રોફેસરો સહિત 1400 જેટલી વ્યક્તિઓનો વિશાળ યુનિવર્સિટીનો પરિવાર છે. વળી, અહીંના વિદ્યાર્થીઓએ અનેકવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ જીત્યા છે.

યુનિવર્સિટીના 18મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે ‘ગુની રિસર્ચ ન્યૂઝ લેટર’નું પણ મહેમાન મહાનુભાવોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અંતે ગણપત દાદાએ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેલા સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (ઓનલાઇન), યુનિવર્સિટીના ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, જોઇન્ટ ડિરેક્ટર જનરલ ડેનિયલ મોન્ટપ્લેઇસીર (ઓનલાઇન), ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

ભારત બટરની આયાત નહીં કરેઃ રૂપાલા

નવી દિલ્હીઃ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટેના પ્રધાન પરસોત્તમ રૂપાલે સ્પષ્ટતા કરી છે કે દેશ બટર (માખણ) જેવા ડેરી ઉત્પાદનોની આયાત નહીં કરે અને સ્થાનિક સેક્ટરનો વધારે ઉપયોગ કરીને સપ્લાઈમાં સુધારો કરશે.

રૂપાલાના જ મંત્રાલયના એક ટોચના અધિકારીએ ગયા અઠવાડિયે એમ કહ્યું હતું કે દેશમાં ડેરી ઉત્પાદનો, ખાસ કરીને માખણ અને ઘી વગેરેનો સ્ટોક ગયા વર્ષની સરખામણીએ ઓછો છે અને જરૂર જણાશે તો દેશ બટર સહિતના ડેરી ઉત્પાદનોની આયાત કરશે. રૂપાલાએ હવે તે જ નિવેદનના સંદર્ભમાં સ્પષ્ટતા કરી દીધી છે. ડેરી ઉત્પાદનોના છૂટક ભાવમાં થયેલા વધારા અંગે રૂપાલાએ કહ્યું કે ભાવ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ‘સ્ત્રી 2’ની રિલીઝની ડેટ જારી થઈ

મુંબઈઃ હોરર-કોમેડી ફિલ્મોના દીવાનાઓ માટે સારા સમાચાર છે. રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી કેટલીય હોરર કોમેડી ફિલ્મો બની ચૂકી છે. ફેન્સના દિલમાં હજી પણ ‘સ્ત્રી’ વસેલી છે. હવે ‘સ્ત્રી 2’ની રિલીઝ ડેટ પણ જારી કરી દેવામાં આવી છે. જે પછી ફેન્સનો ઇન્તજાર ઔર વધી ગયો છે. પહેલાં અપેક્ષા હતી કે ‘સ્ત્રી 2’ આ વર્ષે રિલીઝ થઈ શકે છે.

જોકે એની સત્તાવાર ડેટ આગામી વર્ષની છે, જેનો ફેન્સ ઇન્તજાર વધુ લાંબો થઈ ગયો છે. ટીમે ખુલાસો કર્યો છે કે ‘સ્ત્રી 2’ 31 ઓગસ્ટ, 2024એ રિલીઝ થવાની છે. ગયા વર્ષે રિલીઝ થયેલી વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ‘ભેડિયા’ને પણ ફેન્સે ઘણી પસંદ કરી હતી. હવે વરુણ ધવન સ્ટારર ‘ભેડિયા 2’ની પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

આ ફિલ્મની રિલીઝ તારીખ પણ જારી કરી દેવામાં આવી છે. પાછલા દિવસોમાં જિયો સિનેમાની એક મોટી ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે, જ્યાં 100થી વધુ અપકમિંગ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. જે સાથે ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા 2’ જેવી હોરર કોમેડી ફિલ્મોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. 31 ઓગસ્ટ, 2024એ રિલીઝ થનારી ‘સ્ત્રી 2’ને જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વરુણ ધવને ‘ભેડિયા 2’ની રિલીઝ ડેટ જણાવતાં માહિતી આપી હતી કે ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે.