
શિક્ષણ મંત્રાલયની કમાન હવે પ્રહ્લાદ જોશીના હાથમાં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કરી લીધું છે. હવે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર, ભારતના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર, ભારતીય બંધારણના આર્ટિકલ 75 ના ક્લોઝ (2) હેઠળ તાત્કાલિક અસરથી કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ ઉપરાંત, વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રહ્લાદ જોશીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવે.

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી?
પ્રહ્લાદ જોશી કર્ણાટકના ધારવાડથી સાંસદ છે. તેઓ હાલમાં કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન, અને ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી (MNRE) ના કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે તેઓ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સના પ્રેસિડેન્ટ પણ છે.
#BREAKING: President Droupadi Murmu, on the advice of the Prime Minister, has accepted the resignation of Dharmendra Pradhan from the Union Council of Ministers with immediate effect under Article 75(2) of the Constitution. The President has also assigned Cabinet Minister Pralhad… pic.twitter.com/5kePdEeXSq
— IANS (@ians_india) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામા અંગે શું કહ્યું?
ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદ પરથી પોતાના રાજીનામાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા કરવા અને દિલ્હીના જંતર-મંતર પર યુવાનોના મોટા પાયાના વિરોધ પ્રદર્શનોનો ફાયદો ઉઠાવવાથી દેશવિરોધી તાકાતોને રોકવા માટે લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારમાં કોઈ સીનિયર મંત્રી દ્વારા સતત રોડ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને રાજકીય દબાણ વચ્ચે પદ છોડવાનું આ એક દુર્લભ ઉદાહરણ છે.
CJP ના પ્રદર્શન બાદ સરકાર ઝૂકી અને નવી ચેતવણી
આ રાજીનામું કેન્દ્ર સરકાર અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) વચ્ચે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો થવાના થોડા કલાકો પહેલાં જ આવ્યું છે. બેઠક પહેલાં CJP નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું “નોન-નેગોશિયેબલ” (બિન-સમજૂતીપાત્ર) છે અને તેમણે તેને પોતાના આંદોલનની મુખ્ય માંગ બનાવી હતી. પ્રહ્લાદ જોશીની નિમણૂક બાદ કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે નવા શિક્ષણ મંત્રીને ચેતવણી આપતા કહ્યું, યુવાનોએ ચેતવણી આપી છે કે જે પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી બનશે, જો તેમના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો તેઓ ફરીથી જંતર-મંતર પર પાછા ફરશે અને સરકાર પાસે જવાબદેહીની માંગ કરશે.
અંબાજીથી શરૂ થશે ધાર્મિક પરંપરાના રક્ષણનું રાજ્યવ્યાપી અભિયાન
અંબાજી : જગપ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે સનાતન ધર્મ, શાસ્ત્રોક્ત પરંપરાઓ અને કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત અધિકારોના સંરક્ષણ અર્થે સનાતન ધર્મ સંસદ દ્વારા એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. મહામંડલેશ્વર પરમ પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં અંબાજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ, ધાર્મિક બાબતોમાં વહીવટી હસ્તક્ષેપ, સેવાઓના વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વહીવટી નિર્ણયો અને વ્યાપારીકરણ સામે વિરોધ
સનાતન ધર્મ સંસદે ભારપૂર્વક જણાવ્યું કે, ધર્મશાસ્ત્ર, આગમશાસ્ત્ર કે શાસ્ત્રોક્ત પરંપરાઓની પૂરતી સમજ વિના સરકારી અધિકારીઓ દ્વારા લેવાતા નિર્ણયોને કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. ધાર્મિક સ્થળોના વહીવટી નિર્ણયો લેતા પહેલાં શાસ્ત્રમર્મના વિદ્વાનોની સલાહ લેવી અનિવાર્ય છે.
આરોપ લગાવ્યો હતો કે પારદર્શિતાના અભાવે વિવિધ દેવસ્થાન ટ્રસ્ટોમાં વ્યાપારીકરણ અને ગેરરીતિઓ વધી રહી છે. મંદિર ટ્રસ્ટોનો મૂળ હેતુ શ્રદ્ધાળુઓની સુવિધા અને ધર્મસેવા હોવો જોઈએ, નહીં કે માત્ર આવક વધારવાનો.
સનાતન ધર્મ સંસદની મુખ્ય માંગણીઓ
-
ધાર્મિક વિધિઓનું વ્યાપારીકરણ બંધ કરવું: ધ્વજારોહણ, યજ્ઞશાળા અને ચંડીપાઠ જેવી પવિત્ર વિધિઓનું વ્યાપારીકરણ તાત્કાલિક ધોરણે અટકાવવું.
-
ભૂદેવોના અધિકારોનું રક્ષણ: સ્થાનિક કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત હક્કો અને અધિકારો જાળવી રાખવા.
-
પારદર્શક તપાસ: ભંડારા ગણતરીના છેલ્લા ૧૨ મહિનાના CCTV ફૂટેજ જાહેર કરી નિષ્પક્ષ તપાસ કરવી તેમજ ચેરિટેબલ ટ્રસ્ટના નામે થતી ફરજિયાત વસૂલાતની તપાસ કરવી.
-
વહીવટદારનું રાજીનામું: અંબાજી મંદિરના વહીવટદાર તાત્કાલિક રાજીનામું આપે.
-
૫૧ શક્તિપીઠોમાં નૈવેદ્ય પુનઃ શરૂ કરવું: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન સ્થાપિત ૫૧ શક્તિપીઠોની પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિઓમાં કોવિડ સમયથી બંધ કરાયેલ દૈનિક થાળ અને નૈવેદ્યની પરંપરા તુરંત ચાલુ કરવી.
સમગ્ર રાજ્યના યાત્રાધામોમાં યોજાશે સંસદ
આ અભિયાન માત્ર અંબાજી પૂરતું મર્યાદિત નહીં રહે. આગામી સમયમાં ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર અને પાવાગઢ સહિત ગુજરાતના તમામ પ્રમુખ યાત્રાધામોમાં સનાતન ધર્મ સંસદ યોજાશે. સ્થાનિક પ્રશ્નો, વહીવટી પારદર્શિતા અને પરંપરાઓના જતન અંગેની રજૂઆતો એકત્ર કરી રાજ્ય સરકાર સમક્ષ મુકવામાં આવશે.
આ બેઠકમાં સમસ્ત બ્રહ્મ સમાજ, પરશુરામ પરિવાર, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન, શ્રી પરશુરામ ફાઉન્ડેશન, કરણી સેના, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, વણિક સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઋષિપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ITRની મુદતમાં ગુજરાત માટે વધારો કરવાની CBDTને વિનંતી
અમદાવાદઃ હાલ ગુજરાત રાજ્ય છેલ્લાં અનેક વર્ષોમાં ન જોવા મળેલા અતિ ભારે વરસાદ અને પૂર જેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. સતત અને વિક્રમજનક વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, પૂર, વીજ પુરવઠામાં ખલેલ અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આવી અસાધારણ પરિસ્થિતિમાં કરદાતાઓ અને કરવ્યવસાયિકો માટે નિયત સમયમર્યાદામાં આવકવેરા રિટર્ન ભરવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
મુખ્ય મુશ્કેલીઓ
- ગુજરાતમાં અભૂતપૂર્વ વરસાદ અને પૂર.
- 24 જુલાઈ, 2026એ અમદાવાદમાં માત્ર 24 કલાકમાં 294.6 મિમી વરસાદ નોંધાયો.
- અનેક તાલુકાઓમાં જનજીવન ઠપ, બચાવ કામગીરી માટે NDRF, SDRF, સેના અને કોસ્ટ ગાર્ડની મદદ લેવાઈ રહી છે.
- CA, ટેક્સ કન્સલ્ટન્ટ અને તેમના ગ્રાહકોની ઓફિસો સામાન્ય રીતે કાર્ય કરી શકતી નથી.
- IMD દ્વારા 29 જુલાઈ, 2026 સુધી ભારે વરસાદની આગાહી તથા નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર.
- વીજળી અને ઇન્ટરનેટ સેવાઓમાં વ્યાપક વિક્ષેપ.
- આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેક્નિકલ સમસ્યાઓ:
- ધીમો પ્રતિસાદ
- ટાઈમ-આઉટ
- પ્રી-ફિલ્ડ માહિતીમાં ક્ષતિઓ
- Form 26AS, AIS અને TIS મેળવવામાં મુશ્કેલીઓ
- સમયસર મુદતવધારાની જાહેરાત કરવાથી કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ પરનો તણાવ ઘટશે.

રજૂ કરાયેલી વિનંતી
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માટે આકારણી વર્ષ 2026–27 ના નોન-ઓડિટ આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખમાં ઓછામાં ઓછા 15 દિવસનો વધારો કરવાની વિનંતી ચેમ્બર દ્વારા કરવામાં આવી છે, એમ ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન CA (ડો.) જૈનિક વકીલે જણાવ્યું હતું.
| વિગત | હાલની નિયત તારીખ | સૂચિત નવી તારીખ |
| નોન-ઓડિટ ITR-1 અને ITR-2 | 31 જુલાઈ, 2026 | 15 ઓગસ્ટ, 2026 |
| નોન-ઓડિટ ITR-3 અને ITR-4 | 31 ઓગસ્ટ, 2026 | 15 સપ્ટેમ્બર, 2026 |
લખનૌમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશઃ સાત આરોપીઓ ઝડપાયા
લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મોહનલાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાજ્યીય ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. રાત્રિના અંધકારમાં બોલેરો ગાડીમાં ગામડાઓમાં પહોંચીને લોકોને નિશાન બનાવતી આ ટોળકીનું જાળું તામિલનાડુથી લઈને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ સુધી ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે ટોળકીના મુખ્ય સૂત્રધાર પાસ્ટર અને તેની પત્ની સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. તેમની પાસેથી ધાર્મિક સાહિત્ય, ધર્માંતરણ સંબંધિત પુસ્તિકાઓ, બેંક સ્ટેટમેન્ટ, બોલેરો વાહન અને એક રહસ્યમય ડાયરી પણ જપ્ત કરવામાં આવી છે, જેને આધારે તપાસને નવી દિશા મળી છે.
આ રીતે કરાવતા હતા ધર્માંતરણ
દક્ષિણ ઝોનના એડિશનલ ડીસીપી રલ્લાપલ્લી વસંતકુમારે જણાવ્યું કે સમગ્ર મામલાની શરૂઆત એક પ્રેમકથાથી થઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી ડેનિયલે ખુલાસો કર્યો કે તેનું મૂળ નામ બાલા સુબ્રમણ્યમ છે અને તે મૂળ તામિલનાડુનો રહેવાસી છે. 16 વર્ષની ઉંમરે તેને સુબલા નામની એક ખ્રિસ્તી યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીના કહેવા પર તેણે પોતાનો ધર્મ બદલી લીધો અને લગ્ન બાદ તેનું નામ ડેનિયલ રાખવામાં આવ્યું. ત્યાર બાદ તે તામિલનાડુના એફજીપીસી ચર્ચ સાથે જોડાયો અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ શરૂ કરી.
વર્ષ 1998માં આ દંપતીને લખનૌ મોકલવામાં આવ્યાં હતાં અને ડેનિયલને વારાણસી સર્કલનો પાસ્ટર બનાવી ધર્મપ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. એડિશનલ ડીસીપીના જણાવ્યાનુસાર ચર્ચ તરફથી દર વર્ષે વધુમાં વધુ લોકોને ધર્માંતરણ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવતો હતો. તેના બદલામાં ચર્ચ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય સહાય મોકલવામાં આવતી હતી. આ ટોળકી ગરીબ અને લાચાર ગ્રામજનોને નિશાન બનાવતી હતી. ઘૂંટણના દુખાવાનો ઈલાજ, અસાધ્ય બીમારીઓમાંથી મુક્તિ, આર્થિક મુશ્કેલીઓ દૂર કરાવવાની ખાતરી, લગ્ન કરાવવાની મદદ અને સંતાન પ્રાપ્તિ જેવાં લોભામણા વચનો આપી ‘પ્રાર્થના સભા’ને નામે લોકોનું બ્રેનવોશ કરવામાં આવતું હતું.
थाना मोहनलालगंज पुलिस की कार्यवाही में धर्म परिवर्तन का दबाव बनाकर धर्मांतरण कराने वाले अंतर्राज्यीय गिरोह के 07 शातिर अभियुक्तगण को किया गिरफ्तार।@Uppolice @dgpup pic.twitter.com/wjnaFlrBji
— LUCKNOW POLICE (@lkopolice) July 24, 2026
આ રીતે આરોપીઓ ઝડપાયા
મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે મોહનલાલગંજના ભરસવા ગામના રહેવાસી અમિત કુમારે આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો. આરોપીઓએ તેમના પર ધર્મ બદલવાનું દબાણ કર્યું અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપતા ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો. બુધવારે રાત્રે બોલેરોમાં આવેલા આરોપીઓને ગ્રામજનોએ ઝડપી પાડ્યા અને પોલીસને સોંપી દીધા હતા.
Breaking News: કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
NEET પરીક્ષાના પેપર લીક મામલે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જૂનમાં પેપર લીક થવાના કારણે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેના કારણે દિલ્હીમાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વિપક્ષી પક્ષો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પેપર લીકને લઈ ચાલી રહેલા વ્યાપક વિરોધ અને દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારની વ્યાપક ટીકા થઈ હતી અને આ રાજીનામાને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી સ્થાપિત કરવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પેપર લીક થયા બાદ શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને તે પોતાના નિર્ણય પર અડગ રહી હતી. આજે સરકાર અને CJP વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો પહેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો રાજીનામું પત્ર જાહેર કર્યો. તેમાં તેમણે લખ્યું,”મારા યુવા સાથીઓ, હું ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત છું. મેં હંમેશા માન્યું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે.હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને ન્યાયી અપેક્ષાઓનો ખૂબ આદર કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને પૂર્ણ કરવા એ આપણા બધાની રાજકીય અને સામાજિક જીવનમાં નૈતિક પ્રતિબદ્ધતા રહી છે. પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક મળવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”
ધર્મેન્દ્ર પ્રધાને NEET પેપર લીક અંગે શું કહ્યું?
તેમણે આગળ લખ્યું,”3 મે, 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓ મળી આવી હતી. ભારત સરકારે તાત્કાલિક આ બાબતની નોંધ લીધી, તપાસ CBI ને સોંપી, પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષા તારીખ જાહેર કરી. આવતા વર્ષથી CBT મોડમાં પરીક્ષા લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.”
CJPનું એલાન: 26 જુલાઈએ દેશભરમાં કાઢવામાં આવશે કેન્ડલ માર્ચ
નવી દિલ્હીઃ CJPએ રવિવાર, 26 જુલાઈએ દેશભરમાં કેન્ડલ માર્ચ યોજવાનું આહવાન કર્યું છે. પાર્ટીના જણાવ્યા મુજબ આ કેન્ડલ માર્ચ સાંજે છ વાગ્યે યોજાશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા છે. પાર્ટીએ પોતાના સમર્થકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અપીલ કરી છે.પાર્ટીએ જણાવ્યું છે કે માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવશે અને તમામ ભાગ લેનારાઓને કાયદાનું પાલન કરવા તેમ જ શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. CJP એ દેશનાં વિવિધ શહેરો અને રાજ્યોમાં લોકોને સાંજે છ વાગ્યે યોજાનારા કેન્ડલ માર્ચમાં જોડાઈને પોતાનું સમર્થન વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે.
દિલ્હી પોલીસ લોકોને અટકાવવાનું અને ડરાવવાનું બંધ કરે: CJP
CJPએ દિલ્હી પોલીસને તાત્કાલિક અસરથી નાગરિકોને જંતર-મંતર પહોંચતા અટકાવવાનું, તેમને ડરાવવાનું અથવા અટકાયતમાં લેવાનું બંધ કરવાની માગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે વિરોધ પ્રદર્શન સ્થળની આસપાસ “ભય અને ઘેરાબંધી” જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે X પર શેર કરાયેલી એક પોસ્ટમાં પાર્ટીનું નિવેદન શેર કરતાં જણાવ્યું હતું કે
મહત્વપૂર્ણ નિવેદન: કોકરોચ જનતા પાર્ટી @DelhiPolice ને માગ કરે છે કે તેઓ નાગરિકોને જંતર-મંતર પહોંચતા ગેરકાયદે રીતે અટકાવવાનું, ડરાવવાનું અથવા રોકવાનું તરત બંધ કરે અને જંતર-મંતરની આસપાસ ભય અને ઘેરાબંધીનું વાતાવરણ ઊભું કરવાનું ટાળે.
NATIONWIDE CALL FOR A CANDLE MARCH!!
🗓️ 26th July, Sunday
⏰ 6PM pic.twitter.com/uDistbzJId— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
મોદીજીની રીલ્સ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓને રોકી શકશે નહીં: CJP
CJPના આશુતોષ રાંકાએ કહ્યું: જો મોદીજી રાત્રે રીલ્સ બનાવી રહ્યા છે, તો તે સ્પષ્ટ દર્શાવે છે કે વ્યવસ્થામાં ઊથલપાથલ ચાલી રહી છે. પહેલા તમે જે ‘કઠોર પગલાં’ લેવાની વાત કરી હતી તે લો અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અપાવો. ત્યાર બાદ રીલ્સ બનાવો, અમે તેને પણ શેર કરીશું.
તાજેતરના એક વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેમનો અગાઉનો સંદેશ જોયો હતો અને સકારાત્મક સૂચનો આપ્યાં હતાં.




