Home Blog Page 3015

ઉમેશ અપહરણ પાલ કેસઃ અતીક અહેમદને ઉંમરકેદની સજા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. કોર્ટે અતીકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે, જ્યારે બાકીના સાત આરોપીઓને કોર્ટે  છોડી મૂક્યા છે. અતીક અને અશરફને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ અને જેલના પ્રાંગણમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અતીક અહેમદને સજ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તેનો ભાઈ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો.

પાલનાં પત્ની જયાની ફરિયાદ પર પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અહેમદ, તેના ભાઈ, પત્ની શાઇસ્તા પરવીન, બે પુત્રો, સહયોગી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ તથા નવ અન્ય જણની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ પહેલાં કોર્ટની બહાર એક યુવક અહેમદને જૂતાં-ચંપલોનો હાર પહેરાવા માટે પહોંચ્યો હતો. અતીક અહેમદ છેલ્લાં ચાર વર્ષોથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. કોર્ટે પોલીસે તેને પ્રયાગરાજ લાવવાના નિર્દેશ આપ્યા હતા. જેથી UP પોલીસ તેને સાબરમતી જેલમાંથી સોમવારે સાંજે પ્રયાગરાજ લઈને પહોંચી હતી. અતીક અહમદ પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. અતીક પાંચ વાર વિધાનસભ્ય અને ફૂલપુર લોકસભા સીટથી સાંસદ પણ રહી ચૂક્યો છે.

17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે.

 

 

 

 

 

બંગલો ખાલી કરી દઈશઃ રાહુલ ગાંધી (લોકસભા-સચિવાલયને)

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરાયા બાદ સરકાર તરફથી એમને આપવામાં આવેલો બંગલો ખાલી કરવાની એમને લોકસભા સચિવાલય તરફથી નોટિસ મળી છે. એને કારણે કોંગ્રેસ પાર્ટીમાં રોષ ફેલાયો છે. પણ ખુદ રાહુલે જ સચિવાલયને નોટિસનો જવાબ આપીને જણાવ્યું છે કે તેઓ આદેશનું પાલન કરશે અને સરકારી બંગલો ખાલી કરી દેશે.

સરકારી બંગલો ખાલી કરી દેવાની નોટિસ રાહુલને ગઈ કાલે મોકલવામાં આવી હતી. રાહુલે તેનો આજે જવાબ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલને માનહાનિના એક કેસમાં સુરતની કોર્ટે કસુરવાર જાહેર કરતા અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફરમાવી છે. તે ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્યપદ આપોઆપ રદબાતલ થઈ ગયું છે. આ કેસ રાહુલે ‘મોદી અટક’ વિશે કરેલી એક ટિપ્પણીનો છે.

ઉમેશ પાલ કેસઃ અતીક અહેમદ સહિત 10 આરોપી દોષી ઠેરવાયા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.

કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે. આ પહેલાં અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજથી લાવવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

 

 

 

‘પઠાણ’ની સફળતા પછી શાહરુખે ખરીદી લક્ઝુરિયસ રોલ્સ રોય્સ

મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ ખૂબ સફળ રહી હતી, જેથી બોલીવૂડના કિંગ ખાને શાહરુખ ખાને ખુદને એક શાનદાર કાર ગિફ્ટ કરી છે. શાહરુખ ખાનનો કારપ્રેમ જાણીતો છે અને તેની પાસે ઓડી, BMW અને મર્સિડીઝ બેન્ઝ જેવી અનેક કારોનો મામલો છે. તેના કાફલામાં વધુ એક કાર સામેલ છે, તેણે તેના કાફલામાં રોલ્સ રોય્સ કલિનન બ્લેક બેઝ SUV સામેલ કરી છે, જેની કિંમત આશરે રૂ. 10 કરોડથી વધુ છે. સોશિયલ મિડિયા પર શાહરુખની નવી કારનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

બોલીવૂડના બાદશાહને હાલમાં રાત્રે મુંબઈના રસ્તા પર નવી કાર ચલાવતો જોવા મળ્યો હતો. શાહરુખની નવી કાર આર્કટિક વ્હાઇટ કલરની છે, જ્યારે કારની અંદર લેધરનું છે. એની સિગ્નેચર 0555 નંબર પ્લેટ લાગેલી છે. બોલીવૂડ ના અન્ય કલાકારો કે જેમની પાસે રોલ્સ રોય્સ કાર છે, તેમાં ઋત્વિક રોશન અને પ્રિયંકા ચૌપડા છે.

શાહરુખ ખાન પાસ આ સિવાય ફેન્ટમ ડ્રોપહેડ કૂપ, લેન્ડ રોવર રેન્જ સ્પોર્ટ્સ અને ઇલેક્ટ્રિક BMW i8 છે. તેની પાસે હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ક્રેટા પણ છે. બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા પછી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની એક્શન એન્ટરટઇનર ‘પઠાણ’ OTT રિલીઝ કરવામાં આવી છે. ગયા મહિના સુધી આ ફિલ્મે રૂ. 1000 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને રિલીઝના પહેલા તબક્કામાં માઇલસ્ટોનનની પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 22 માર્ચે હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.

 

 

 

ગાડા નીચે કૂતરું ચાલે તો….

          ગાડા નીચે કૂતરું ચાલે તો….

 

માણસ ઘણી વાર પોતાનાથી જ બધું ચાલે છે. એવા મીથ્યાભિમાનમાં રાચતો હોય છે. વાસ્તવિક ચાલક બળ બીજું હોય અને તેમ છતાંય પેલો વ્યક્તિ પોતે જ ચાલક બળ છે તેવા ભ્રમમાં હોય ત્યારે એની સ્થિતિ બળદ ગાડા નીચે ચાલતા કૂતરા જેવી હોય છે. બળદ ગાડાનું ચાલકબળ અને ભારવહન કરનારની શક્તિ બળદની છે.

કૂતરાનું એ ગજું પણ નથી. આમ છતાંય ગાડા નીચે ચાલતું કૂતરું એમ માનવા લાગે કે આ ગાડું પોતાના કારણે જ ખેંચાય છે ત્યારે એક અત્યંત તુચ્છ પ્રાણી ખૂબ મોટા મીથ્યાભિમાનમાં રાચે છે એવું કહેવાય. ભક્ત કવિ નરસિંહ મહેતાની “જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને” શીર્ષકવાળી રચના છે જેની કેટલીક પંક્તિઓ નીચે રજૂ કરી છે.

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊગરે એક ઉદ્વેગ ધરવો….

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે…..

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પ્રેમ ચોપડાએ વિલન બનવું પડ્યું 

રાજ કપૂરની ‘બોબી’ (૧૯૭૩) માં ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા’ સંવાદ બોલીને જાણીતા રહેલા અભિનેતા પ્રેમ ચોપડાએ કારકિર્દી હીરો તરીકે શરૂ કરી પણ સંજોગોએ વિલન બનવા મજબૂર કર્યા હતા. પ્રેમ શિમલાની કોલેજમાં ભણતા હતા ત્યારે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે કલ્પના ન હતી કે અભિનયમાં કારકિર્દી બનાવશે. કોલેજના પહેલા વર્ષમાં એક નાટકમાં પૂંછડી લગાવીને હનુમાનની ભૂમિકા કરી હતી. કોલેજ પછી એક અંગ્રેજી નાટકમાં પ્રેમનું કામ પસંદ કરવામાં આવ્યું. પ્રેમ જ્યારે પિતા પાસે અભિનયમાં જવાની દરખાસ્ત લઇને ગયા ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આ એક અસલામત વ્યવસાય છે. કોઇ સફેદ કોલર નોકરી કરજે.

હું એક સરકારી નોકર છું અને આપણો મોટો પરિવાર છે. હું તને પૈસા મોકલી શકીશ નહીં. ત્યારે પ્રેમ પ્રયત્ન કરવા માટે એક-બે મહિનાનો ખર્ચ લઇને જતા રહ્યા. જ્યારે મુંબઇ આવ્યા ત્યારે ખબર પડી કે ફિલ્મોમાં કામ મેળવવાનું મુશ્કેલ છે. ઘણા પ્રયત્ન પછી કામ ના મળ્યું એટલે પાછા ઘરે જતા રહ્યા. થોડા સમય પછી પ્રેમને ફરી અભિનયમાં પ્રયત્ન કરવાનો વિચાર આવ્યો. પિતાએ એમને સલાહ આપી કે સ્નાતક થયો છે તો ત્યાં ફિલ્મોમાં કામ શોધવા સાથે નોકરી કરવાનું રાખજે. પ્રેમને મુંબઇ આવતાની સાથે જ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અખબારના વિતરણ વ્યવસ્થાના વિભાગમાં નોકરી મળી ગઇ.

Prem Chopra

પ્રેમ નોકરી સાથે ફિલ્મોમાં કામ મેળવવા સંઘર્ષ કરતા હતા ત્યારે ટ્રેનમાં એક માણસે સામેથી પૂછ્યું કે ફિલ્મોમાં કામ કરવા માગે છે? તો મારી સાથ આવ. અને પ્રેમ તેની સાથે જવા તૈયાર થઇ ગયા. એ માણસ તેને રણજીત સ્ટુડિયોમાં લઇ ગયો અને નિર્દેશક ક્રિશ્નકુમાર સામે ઊભો કરી દીધો. તેમણે પહેલી જ નજરે પ્રેમને જોઇને કહી દીધું કે મારે ‘શેરા’ ના પાત્ર માટે આવો જ ચહેરો જોઇએ છે. અને પ્રેમ પંજાબી ફિલ્મ ‘ચૌધરી કરનેલ સિંહ’ (૧૯૬૦) ના હીરો બની ગયા. પ્રેમ ચોપડાએ શુટિંગ માટે નોકરીમાં બહાના બનાવ્યા અને કામ કર્યું. પ્રેમને ફિલ્મ માટે રૂ.૨૫૦૦ મળ્યા અને રાષ્ટ્રીય એવોર્ડ સહિત સારી સફળતા મળી. એ પછી બીજી બે પંજાબી ફિલ્મો કરી. સંઘર્ષ ચાલુ હતો અને નાની ભૂમિકાઓ મેળવતા હતા.

એ દરમ્યાન પ્રેમની મુલાકાત નિર્દેશક મહેબૂબ ખાન સાથે થઇ ત્યારે એમણે કહ્યું કે તારામાં પ્રતિભા છે. હું તને હીરો તરીકે બ્રેક આપીશ. તું કોઇ બીજું કામ કરી ગરબડ ના કરતો. દરમ્યાનમાં પ્રેમને ‘વો કૌન થી’ (૧૯૬૪) અને ‘શહિદ’ (૧૯૬૫) મળી. બંને હિટ થઇ ગઇ. ‘વો કૌન થી’ ને કારણે પ્રેમ વિલન તરીકે લોકપ્રિય થવા લાગ્યો. તેને એવી જ ભૂમિકાઓ મળવા લાગી. ફિલ્મ ‘ઉપકાર’ (૧૯૬૭) થી વિલન તરીકે સ્થાપિત થઇ ગયો. એક દિવસ પ્રેમ ચોપડા મહેબૂબ સ્ટુડિયોમાં શુટિંગ કરતા હતા ત્યારે મહેબૂબ ખાન મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે મેં તને ના પાડી હતી છતાં તે ગરબડ કરી દીધી છે. ‘વો કૌન થી’ થી તારી વિલનની ઇમેજ બની ગઇ છે. હવે આખી જિંદગી વિલન બનીને રહેજે. તેં બહુ ઉતાવળ કરી નાખી. અસલમાં મહેબૂબ ખાન પ્રેમને હીરો તરીકે લઇ ફિલ્મ કરવા માગતા હતા પણ નાદુરસ્ત તબિયતને કારણે શક્ય બન્યું ન હતું.

કોરાનાના 1573 નવા કેસો, ચારનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1573 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,07,525 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,841 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,65,703 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 910 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 10,981એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,20,958 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1.30 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.47 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,65,361 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,339 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ઈજાગ્રસ્ત અમિતાભે પ્રશંસકોને મળવાની પરંપરા જાળવી

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ગયા રવિવારે મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાન ‘જલસા’ની બહાર એકત્ર થયેલા એમના પ્રશંસકોને મળ્યા હતા. એ વખતે એમનો જમણો હાથ ઘરેલુ પાટા તરીકે એક ગમછા વડે બાંધેલો હતો.

નિવાસસ્થાન ખાતે મળવા આવેલા પ્રશંસકોનું અમિતાભે બંગલાની બહાર આવીને અભિવાદન સ્વીકાર્યું હતું.

 

અમિતાભને હૈદરાબાદમાં એક આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ વખતે પાંસળીમાં ઈજા થઈ હતી. ડોક્ટરોની સલાહ અનુસાર એમને આરામ કરવા મુંબઈ ઘેર પાછું ફરવું પડ્યું હતું. નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ હાલ મોકૂફ રાખ્યું છે. તે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણની જોડી મુખ્ય ભૂમિકામાં છે.

અમેરિકા હચમચી ઊઠ્યું; શાળામાં ભીષણ ગોળીબારમાં ત્રણ વિદ્યાર્થી સહિત 6નાં મરણ

નેશવિલઃ અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા નેશવિલ શહેરમાં બર્ટન હિલ્સ વિસ્તારની એક ખાનગી ક્રિશ્ચન પ્રાથમિક શાળા – કોવીનન્ટ સ્કૂલમાં રવિવારે સવારે ભયાનક ગોળીબારની ઘટના બની છે. એને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. એક મહિલા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ત્રણ વિદ્યાર્થી અને ત્રણ સ્ટાફ સભ્યો, એમ 6 જણ માર્યા ગયા છે.

હુમલાની જાણકારી મળતાં પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસોને પ્રવેશતા જોઈને મહિલા હુમલાખોરે એમની પર ગોળીબાર કર્યો હતો. પોલીસે એનો વળતો જવાબ આપીને મહિલાને ઠાર મારી હતી.

હુમલાખોર મહિલાનું નામ ઓડ્રી એલિઝાબેથ હેલ હતું. એ 28 વર્ષની હતી. એ તેની હોન્ડા ફિટ કારમાં શાળામાં પહોંચી હતી. એણે ત્યાંના કેમ્પસમાં કાર પાર્ક કરી હતી. ત્યારબાદ એ ત્રણ બંદૂક અને મોટા જથ્થામાં કારતૂસો લઈને શાળાના મકાનની અંદર ગઈ હતી અને બેફામ રીતે ગોળીબાર કર્યો હતો.

મૃતકોનાં નામ છેઃ એવલીન ડાઈકોસ, હેલી શ્રગ્સ, વિલિયમ કેની (આ ત્રણેય વિદ્યાર્થી હતાં અને 9 વર્ષનાં હતાં), સિન્થિયા પીક (61), કેથરીન કૂન્સ (60) અને માઈક હિલ (61) – આ ત્રણ જણ સ્કૂલનાં સ્ટાફ સભ્યો હતાં.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો