નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (ECI)ને એક નોટિસ ફટકારી છે. આ નોટિસ તે અરજીને આધારે આપવામાં આવી છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનો (ECs)ને પ્રોસિક્યુશનમાંથી ‘આજીવન મુક્તિ’ આપતા નવા કાયદાને પડકારવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ આ ગંભીર બંધારણીય પ્રશ્નની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
‘આજીવન સુરક્ષા’ પર વિવાદ
આ અરજીમાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ અધિનિયમ, 2023’ની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો CEC અને ECsને તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ કાર્ય માટે નાગરિક અને ફોજદારી કાર્યવાહીમાંથી જીવનભર માટે સુરક્ષા આપે છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણ રચનાકારોએ આવી વ્યાપક સુરક્ષા તો ન્યાયાધીશોને પણ આપી નથી. તો પછી સંસદ કેવી રીતે એવું ‘કવચ’ આપી શકે, જે અન્ય બંધારણીય ઉચ્ચ અધિકારીઓ પાસે પણ નથી?
નિમણૂક સમિતિ પર પણ પ્રશ્નો
આ અરજીમાં તે ફેરફારને પણ પડકારવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી સમિતિમાંથી CJIને બહાર રાખવામાં આવ્યા છે. 2023ના કાયદા મુજબ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રધાન મંત્રી દ્વારા નામિત એક કેન્દ્રિય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ કાર્યકર જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે CJIને દૂર કરીને કેબિનેટ મંત્રીને સામેલ કરવાથી પસંદગી પ્રક્રિયામાં સરકારનું પલડું ભારે થઈ જાય છે, જે નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંત અને ચૂંટણી પંચની સ્વતંત્રતા વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સંસદ
આ મામલો ન્યાયિક અને વિધાનસભાકીય શક્તિઓ વચ્ચેના ટકરાવ સાથે જોડાયેલો છે. માર્ચ, 2023ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી નિમણૂકો વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની નિષ્પક્ષ પેનલ દ્વારા થવી જોઈએ. ડિસેમ્બર, 2023માં સરકારે શિયાળુ સત્ર દરમિયાન નવો કાયદો પસાર કર્યો અને પેનલમાંથી CJIને દૂર કરી દીધા. વિરોધ પક્ષે તેને કોર્ટના આદેશની ભાવનાને કચડવાનું પગલું ગણાવ્યું હતું.



દાદા લેખરાજનું એક અદ્વિતીય યોગદાન હતું મહિલાઓનું સશક્તિકરણ. જ્યારે સમાજમાં સ્ત્રીઓને નિર્ણયશક્તિ આપવાની કલ્પના પણ દુર્લભ હતી, ત્યારે તેમણે બહેનોને નેતૃત્વ સોંપ્યું. આજે આ જ દૃષ્ટિનું પરિણામ છે કે વિશ્વના 140થી વધુ દેશોમાં, આશરે 5,500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ ફેલાઈ રહી છે અને તેમાં 50,000થી વધુ બ્રહ્માકુમારી બહેનો તેમજ 10,000થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ સંપૂર્ણ સમર્પણ સાથે સેવા આપી રહ્યા છે.
14 જાન્યુઆરીએ ઉત્તરાયણના ઉત્સવ માટે પહેલાં હેરિટેજ સિટી અમદાવાદના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ વિસ્તારમાં ઉતરાયણના પર્વને માણવા પતંગની મોજ માટે મળતી સામગ્રી માટે લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હતાં. હવે અમદાવાદ શહેર ચારેય તરફ વધ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના માર્ગોની બંને તરફના ખુલ્લા પ્લોટો પર પતંગ દોરીના મંડપ, ખૂમચા, લારીઓ, પાથરણાં લાગી ગયા છે.

પતંગની ખરીદી કરવા આવેલ નેહાંગ ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે કોટ વિસ્તારમાં એટલે કે શહેરની મધ્યમાં દોરી રંગાવવાની અને પતંગોની ખરીદી કરવાની મજા કંઈક અલગ જ છે.શહેરમાં સાંકડા રસ્તા અને અતિશય ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યાના કારણે કેટલાક પતંગ પ્રેમીઓ બહારના વિસ્તારમાંથી જ ખરીદી કરી લેતા હોય છે.
આ વર્ષે પ્રાણીઓ, અવનવા સંદેશા, રાષ્ટ્રધ્વજ અને વેલકમ-2026 ના પ્રિન્ટિંગ સાથેની પતંગોનું ભારે વેચાણ થઈ રહ્યું છે. પતંગ દોરી ખરીદી માટે રવિવારનો સમય મળી જતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હી દરવાજા વિસ્તારમાં બંને તરફના રોડ ડિવાઈડર ઉપર જ પતંગો દોરી સાથે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું.





