લખનૌઃ ઉત્તર પ્રદેશ સ્પેશલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા એકત્ર કરાયેલા નવા પુરાવાઓને આધારે ગાઝિયાબાદમાં નોંધાયેલા રૂ. 100 કરોડની GST ચોરીના કેસમાં દિલ્હીમાં તહેનાત એક કેન્દ્રીય GST ઇન્સ્પેક્ટરને આરોપી બનાવવામાં આવ્યો છે. મોહિત અગ્રવાલ નામનો આ ઇન્સ્પેક્ટર હાલમાં ફરાર છે અને તેને શોધવા તથા ધરપકડ કરવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ આ મામલો નકલી કંપનીઓ, ખોટા ઈ-વે બિલો અને ઇન્વોઇસ દ્વારા કરવામાં આવેલી મોટા પાયાની ટેક્સ છેતરપિંડી સાથે જોડાયેલો છે. આ કેસની FIR ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. STFએ શુક્રવારે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં દિલ્હી સ્થિત સ્ક્રેપ વેપારી હરદીપ સિંહ ઉર્ફે પ્રિન્સ, જિતેન્દ્ર ઝા, પુનિત અગ્રવાલ અને શિવમ સિંહનો સમાવેશ થાય છે.
STF અનુસાર આ ગેંગે અનેક નકલી કંપનીઓ ઊભી કરી અને નકલી ઈ-વે બિલો તૈયાર કર્યા, જેથી ગેરરીતિથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકાય. આ કારણે સરકારી ખજાનાને અંદાજે રૂ. 100 કરોડનું નુકસાન થયું. તપાસ દરમિયાન એવા પુરાવા પણ સામે આવ્યા છે કે ઇન્સ્પેક્ટર અગ્રવાલ લાંચને બદલે આ ગેંગને વિભાગીય મદદ પૂરી પાડતા હતા. આ ઉપરાંત તપાસકર્તાઓએ હરિયાણામાં રહેતા આલોક નામના એક દલાલની સંડોવણી પણ ઉજાગર કરી છે, જેણે હરદીપ સિંહને કમિશનને બદલે નકલી કંપનીઓ ઉપલબ્ધ કરાવી હતી.
STF અધિકારીએ આપી માહિતી
તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ STF અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્સ્પેક્ટર અગ્રવાલની ભૂમિકા સ્પષ્ટ રીતે સામે આવી ગઈ છે. તેઓ આ ગેંગનો સક્રિય ભાગ હતા, તેથી તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ હજુ ચાલુ છે અને STF દ્વારા તપાસનો દાયરો વધારવામાં આવતા આવનારા સમયમાં વધુ ધરપકડો થવાની સંભાવના છે.
દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)ની એક ખાસ થીમ હોય છે, જે યુવાનોને કુશળ, આત્મનિર્ભર, ચારિત્ર્યવાન બનાવે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને પણ પ્રોત્સાહન આપે છે.
આજે યુવા દિવસ (National Youth Day) ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય યુવા દિવસ એ ભારતના યુવાનોને પ્રેરણા આપવા માટેનો એક ખાસ દિવસ છે. યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ યુવાનોને તેમની શક્તિ અને જવાબદારી બંનેનો અહેસાસ કરાવે છે. વર્ષ 2026 માં જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે યુવા દિવસનું મહત્વ અને થીમ વધુ ગહન બને છે.
દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની એક ચોક્કસ થીમ હોય છે. આ થીમ ફક્ત એક સૂત્ર નથી, પરંતુ સમયની માંગ, સામાજિક પડકારો અને યુવાનોની ભૂમિકા વચ્ચેની કડી છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ સ્પષ્ટ હતો કે મજબૂત યુવાનો એક મજબૂત રાષ્ટ્ર બનાવે છે. 2026 ની થીમ આ વિચારને આધુનિક સંદર્ભમાં જીવંત કરે છે, જેમાં ચારિત્ર્ય, કુશળતા, આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર નિર્માણનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ની થીમ
યુવા દિવસ 2026 ની થીમ “સ્વને પ્રજ્વલિત કરો, વિશ્વને પ્રભાવિત કરો” છે.
રાષ્ટ્રીય યુવા દિવસની થીમ શું દર્શાવે છે?
દર વર્ષે પસંદ કરાયેલ થીમ, યુવાનોની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની દિશાને પ્રતિબિંબિત કરે છે. તે શિક્ષણ, રોજગાર, નવીનતા, સમાજ સેવા અને માનસિક શક્તિ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
2026ની થીમનો મૂળ ઉદ્દેશ્ય
રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ની થીમ યુવાનોને માત્ર તક શોધનારા બનવા માટે નહીં પરંતુ તક સર્જક બનવા માટે સશક્ત બનાવવાનો છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના ધ્યેયમાં યુવાનોની ભાગીદારી તેનું કેન્દ્રિય કેન્દ્ર છે.
સ્વામી વિવેકાનંદના વિચારો સાથે જોડાવું
થીમનો વૈચારિક પાયો સ્વામી વિવેકાનંદનો સંદેશ છે. “ઊઠો, જાગો, અને જ્યાં સુધી તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી મંડ્યા રહો.” તેનો ઉદ્દેશ્ય આધુનિક યુવાનો સાથે આત્મવિશ્વાસ, શિસ્ત અને સેવાની ભાવનાને જોડવાનો છે.
શિક્ષણ, કૌશલ્ય અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરો
2026 ની થીમ યુવાનોને માત્ર ડિગ્રીઓથી જ નહીં, પરંતુ કૌશલ્ય અને નવીનતાથી પણ સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ટેકનોલોજી અને સામાજિક જવાબદારી આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
શ્રીહરિકોટાઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ISRO) એ અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ મીલનો પથ્થર સ્થાપિત કર્યો છે. ઇસરોએ આજે 260 ટન વજનના PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ સહિત કુલ 15 અન્ય સેટેલાઇટ્સનું સફળ પ્રક્ષેપણ કર્યું છે.
આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત પૃથ્વી અવલોકન ઉપગ્રહ સાથે 15 અન્ય સહ-ઉપગ્રહોને પણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ઇસ્રોની વ્યાવસાયિક શાખા ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) માટે હાથ ધરાયેલા આ મિશનમાં 15 દેશી તથા વિદેશી ઉપગ્રહોને કક્ષામાં મૂકવામાં આવી રહ્યા છે.ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ISROએ આજે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ PSLV-C62 મિશન હેઠળ દેશનો સેટેલાઇટ EOS-N1 ‘અન્વેષા’ અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલ્યો છે. આ સેટેલાઇટની મદદથી સીમા દેખરેખ, છુપાયેલાં લક્ષ્યોની ઓળખ અને પર્યાવરણ મોનિટરિંગમાં ક્રાંતિકારી બદલાવ આવવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ISROનું વર્ષ 2026નું પહેલું સેટેલાઇટ લોન્ચ આજે સવારે લગભગ 10.17 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સ્પેસ પોર્ટ પરથી કરવામાં આવ્યું.
The PSLV-C62 mission encountered an anomaly during end of the PS3 stage. A detailed analysis has been initiated.
ISROએ પોતાના 2026ના પ્રક્ષેપણ કેલેન્ડરની શરૂઆત સોમવારે PSLV-C62 મિશન સાથે કરી છે. આ મિશન હેઠળ પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-N1** સાથે સાથે 15 અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
ISROની વ્યાવસાયિક શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા સંચાલિત આ મિશનમાં સામેલ 14 સહયાત્રી ઉપગ્રહો દેશી તથા વિદેશી ગ્રાહકોના છે. આ તમામ ઉપગ્રહો સવારે 10:17 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા.
EOS-N1ની વિશેષતાઓ
મુખ્ય પેલોડ DRDOનું EOS-N1 (અન્વેષા) એક હાઇપરસ્પેક્ટ્રલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જે સીમા દેખરેખ, છુપાયેલાં લક્ષ્યોની ઓળખ અને પર્યાવરણ મોનિટરિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વર્ષ 2025ની નિષ્ફળતા બાદ PSLV માટે આ એક મહત્વપૂર્ણ કમબેક માનવામાં આવે છે.
ISRO આજે EOS-N1 ઉપરાંત 15 અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં સ્થાપિત કરી રહ્યું છે.
VIDEO | Sriharikota: Addressing a press conference, ISRO Chairman Dr. V. Narayanan says, “We attempted the PSLV-C62 EOS-N1 mission. The PSLV is a four-stage vehicle – the first stage is a solid motor with two strap-ons, the second stage is liquid, the third stage is solid, and… pic.twitter.com/j4nM8vuuvS
PSLV-C62 / EOS-N1 લોન્ચ માટે ઓટોમેટિક સિક્વન્સ શરૂ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તમામ પરિમાણો લોન્ચ માટે અનુકૂળ હતા. ત્યાર બાદ એક વખત અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું અને પછી 10. 18 વાગ્યે સફળ લિફ્ટ-ઓફ કરવામાં આવ્યો.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી (એક્ટિંગ) રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. તેમણે પોતાના ટ્રૂથ સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ બાબત સાથે જોડાયેલી એક તસવીર પણ શેર કરી છે.
સોશિયલ મિડિયા પર શેર કરાયેલી પોસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાને ‘Acting President of Venezuela’ તરીકે દર્શાવ્યા છે. પોસ્ટમાં એક એડિટ કરાયેલા વિકિપિડિયા પેજ દેખાય છે, જેમાં ટ્રમ્પને જાન્યુઆરી, 2026થી વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે બતાવવામાં આવ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પને અમેરિકાના 45મા અને 47મા રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, જેમણે 20 જાન્યુઆરી, 2025એ રોજ પદભાર સંભાળ્યો હતો.
રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ
આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો હતો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસને ન્યુ યોર્ક લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમના પર નશીલા પદાર્થોની તસ્કરીના ષડયંત્રના આરોપમાં કેસ ચાલી રહ્યો છે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ત્યાં સુધી વેનેઝુએલાનું સંચાલન કરશે, જ્યાં સુધી સુરક્ષિત, યોગ્ય અને સમજદાર સત્તા હસ્તાંતરણ ન થાય. તેમણે કહ્યું હતું કે અમે એ જોખમ લઈ શકતા નથી કે કોઈ એવી વ્યક્તિ વેનેઝુએલાની બાગડોર સંભાળે, જેના મનમાં વેનેઝુએલાના લોકોના હિત ન હોય.
એ દરમિયાન વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે.
ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન
ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને વોશિંગ્ટન સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને બેઠકની તૈયારી પણ થઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારને કારણે અમેરિકા આ બેઠક પહેલા જ સૈન્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 500થી વધુ લોકોનાં મોત થયાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ભાગ રૂપે ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પણ પરિષદને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું, 2026 માં ગુજરાતની આ મારી પહેલી મુલાકાત છે. મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં માથું નમાવીને શરૂ થઈ હતી.
Rajkot, Gujarat: Prime Minister Narendra Modi says, “Rajkot alone has more than 2.5 lakh MSMEs. Across its various industrial clusters, everything is manufactured — from simple tools like screwdrivers to auto parts, machine tools, luxury railway liners, aircraft, fighter jets,… pic.twitter.com/XwHa131yM9
પ્રધાનમંત્રીએ કહ્યું, વિકાસ સાથે જોડાયેલ વારસાનો મંત્ર ગુજરાતમાં દરેક જગ્યાએ ગુંજે છે. આ ફક્ત એક સમિટ નથી, પરંતુ 21મી સદીમાં વિકાસની સફરનું પ્રતિબિંબ છે, જે એક સમયે સ્વપ્ન તરીકે શરૂ થઈ હતી અને હવે દેશ અને વિશ્વના વિશ્વાસમાં પરિવર્તિત થઈ છે. તેમણે કહ્યું, છેલ્લા બે દાયકામાં, 10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. શરૂઆતમાં, તેનો ઉદ્દેશ્ય વિશ્વ સમક્ષ ગુજરાતની ક્ષમતા દર્શાવવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો હતો. આજે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે.
Rajkot, Gujarat: Prime Minister Narendra Modi says, “Friends, Kachchh and Saurashtra have another major strength — this region is home to India’s world-class ports. A very large share of India’s exports passes through here. Ports like Pipavav and Mundra have become major hubs for… pic.twitter.com/uKv0A6r2or
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, છેલ્લા 20 વર્ષોમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હંમેશા કંઈક નવું પ્રદાન કરે છે. હવે, પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એક નવો પ્રયોગ છે, જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક વિકાસને વધુ વેગ આપવાનો છે.” તેમણે ઉમેર્યું, “21મી સદીનો એક ચતુર્થાંશ સમય વીતી ગયો છે, અને ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઉભરતા આર્થિક ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે.