I-PAC વડા પ્રતીક જૈન અને તેમની ઓફિસ પર EDના દરોડા અને કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તપાસમાં મમતા બેનર્જીની એન્ટ્રીથી રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. EDના દરોડાની માહિતી મળતાં, મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેમના અધિકારીઓ સાથે, પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર પહોંચ્યા, ત્યાંથી દસ્તાવેજો મેળવ્યા અને ED અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee attacked Union Home Minister Amit Shah, accusing central agencies of trying to seize her party’s hard disks and campaign material. Calling Shah a “nasty and naughty” Home Minister, she questioned the role of the ED and said the… pic.twitter.com/K9m3dWnpN6
— IANS (@ians_india) January 8, 2026
તૃણમૂલ કોંગ્રેસે ગુરુવારે સાંજે EDની કાર્યવાહી સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. EDની કાર્યવાહી સામે મમતા બેનર્જી પોતે શુક્રવારે કોલકાતામાં કૂચનું નેતૃત્વ કરશે. દરમિયાન, EDએ ED ઓફિસમાંથી દસ્તાવેજો લેવાના આરોપમાં મમતા બેનર્જી સામે કાર્યવાહી કરી છે અને કોલકાતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. શુક્રવારે સુનાવણી થવાની અપેક્ષા છે.
Bidhannagar, West Bengal: On ED officials raiding the I-PAC office in Salt Lake, CM Mamata Banerjee says, “If you try to harass us, loot everything, cheat us, or deceive us, then I will never be able to digest it. I cannot say anything right now…Let me first find out the… pic.twitter.com/I41fmwdffG
— IANS (@ians_india) January 8, 2026
મુખ્યમંત્રી મમતા બેનર્જીની IPAC ઓફિસની મુલાકાત અંગે ED એ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સર્ચ દરમિયાન તેમના બંધારણીય પદનો દુરુપયોગ કરીને દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. તેમણે આ મામલો હાઈકોર્ટના જસ્ટિસ શુભ્રા ઘોષના ધ્યાન પર લાવ્યો હતો. પરવાનગી આપવામાં આવી હતી. શુક્રવારે સુનાવણી થવાની અપેક્ષા છે. દરમિયાન, I-PAC એ ED દરોડા સામે હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે.
Salt Lake, West Bengal: Chief Minister Mamata Banerjee left the IPAC office without responding to reporters’ questions. pic.twitter.com/9GMTYh0KWW
— IANS (@ians_india) January 8, 2026
શુક્રવારે હાઈકોર્ટમાં ED કેસ પર સુનાવણી
ED એ ગુરુવારે સવારે રાજ્ય સરકારની સલાહકાર સંસ્થા I-PAC ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. I-PAC વડા પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ નિવાસસ્થાનની પણ તલાશી લેવામાં આવી હતી. ED દરોડા દરમિયાન મમતા બેનર્જી વ્યક્તિગત રીતે પ્રતીક જૈનના ઘરે ગયા હતા. ગયા પછી, તેમણે સોલ્ટ લેકમાં I-PAC ઓફિસની પણ મુલાકાત લીધી હતી.
તેઓ એક ફાઇલ અને લેપટોપ લઈને જતા જોવા મળ્યા હતા. મમતાએ મીડિયા સમક્ષ ફરિયાદ કરી હતી કે તેમના પક્ષની રાજકીય વ્યૂહરચના ચોરાઈ ગઈ છે. તેમણે કેન્દ્રીય એજન્સીના દરોડા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ED દરોડો અલોકતાંત્રિક અને ખોટો હતો.
મમતાના આરોપો વચ્ચે, ED એ એક નિવેદન બહાર પાડ્યું. તેમાં જણાવાયું છે કે માહિતીના આધારે, ગેરકાયદેસર કોલસાની દાણચોરીના કેસના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં છ સ્થળોએ અને દિલ્હીમાં ચાર (કુલ 10 સ્થળોએ) સર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે, તેમના બંધારણીય પદનો દુરુપયોગ કરીને બે સ્થળોએથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, કેન્દ્રીય એજન્સીએ હાઇકોર્ટમાં અરજી કરી.
ED એ મમતા બેનર્જી પર દસ્તાવેજો લેવાનો આરોપ લગાવ્યો
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ED અધિકારીઓ I-PAC ઓફિસ અને પ્રતીકના ઘરની તપાસ કરી રહ્યા હતા, ત્યારે મમતા બેનર્જીએ પ્રવેશ કર્યો અને ફાઇલો અને લેપટોપ લઈ ગયા અને તેમને તેમની કારમાં મૂકી દીધા. પ્રશ્ન એ છે કે: શું ED અધિકારીઓએ તેમને રોક્યા ન હતા? શું તેઓએ ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો? તે સ્પષ્ટ છે કે કેસ દાખલ કરવાનો નિર્ણય ખૂબ પાછળથી લેવામાં આવ્યો હતો.
ED એ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ઇડી હેડક્વાર્ટર યુનિટ ગેરકાયદેસર કોલસાની દાણચોરીના કેસના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 10 સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. અનુપ માજી કોલસાની દાણચોરીનું સિન્ડિકેટ ચલાવતો હતો અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએથી ગેરકાયદેસર રીતે કોલસાની દાણચોરી કરતો હતો. સર્ચ ઓપરેશન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે પહોંચ્યા અને બળજબરીથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા લઈ ગયા.”


૧૯૪૧માં જાપાનના કોબે શહેરમાં જન્મેલા પ્રો. મિઝોકામીને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓ પ્રત્યે ગહન રુચિ હતી. ૧૯૬૫માં ઓસાકા યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાંથી ભારતીય અધ્યયનમાં સ્નાતક થયા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવ્યા. ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન તેમણે અલ્હાબાદમાં હિન્દી અને શાંતિનિકેતનમાં બંગાળી ભાષાનો ગહન અભ્યાસ કર્યો. ૧૯૭૨માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. મેળવી અને પંજાબમાં ભાષા-સંપર્ક પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ મેળવ્યા.
પ્રો. મિઝોકામીએ દાયકાઓ સુધી ઓસાકા યુનિવર્સિટીમાં ભારતીય ભાષાઓનું અધ્યાપન કર્યું. નિવૃત્તિ પછી પણ ૨૦૦૭થી પ્રોફેસર ઇમેરિટસ તરીકે સક્રિય છે. તેઓ હિન્દી, પંજાબી, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી સહિત અનેક ભાષાઓમાં નિપુણ છે. તેઓ પંજાબી ભાષા પર સંશોધન કરનાર પ્રથમ જાપાની વિદ્વાન છે.
તેમણે ગુરુ નાનકદેવજીની ‘જપજી સાહિબ’નો જાપાની અનુવાદ કર્યો અને અનેક પુસ્તકો લખ્યા. જેમ કે ‘Introductory Punjabi’ અને ‘Language Contact in Punjab’. આ કાર્યોએ જાપાનમાં ભારતીય આધ્યાત્મિકતા અને સાહિત્યને નવી ઓળખ આપી.
૧૦ જાન્યુઆરીએ ઉજવાતા વિશ્વ હિન્દી દિવસના પ્રસંગે પ્રો. મિઝોકામીની વારસત વધુ પ્રસ્તુત થાય છે. જાપાન જેવા દેશમાં હિન્દીને અકાદમિક પ્રતિષ્ઠા અપાવવામાં તેમનો યોગદાન ઐતિહાસિક છે. આજે જ્યારે ભારત-જાપાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે, ત્યારે પ્રો. તોમિયો મિઝોકામી બંને દેશો વચ્ચે મૈત્રીના જીવંત પ્રતીક છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા. ૧૩ જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.


મુંબઈના બે યુવાન તેજસ્વી વાર્તાકારોના પ્રથમ વાર્તાસંગ્રહને પોંખવાનો આ વખતે અવસર છે. બાદલ પંચાલના પ્રથમ વાર્તાસંગ્રહ ‘છાપરા પર પાંખો’ વિશે ગુજરાતના જાણીતા વાર્તાકાર અજય સોની વાત કરશે અને સમીરા પત્રાવાલાના વાર્તાસંગ્રહ ‘ફકીરની પાળ’ વિશે નિવડેલા વાર્તાકાર જયંત રાઠોડ વક્તવ્ય આપશે. આ વાર્તાકાર મિત્રો શનિવાર તથા રવિવારના વાર્તા વિષયક બે કાર્યક્રમ માટે ખાસ કચ્છથી મુંબઈ આવી રહ્યા છે.
યુવાન વાર્તાકારો બાદલ પંચાલ તથા સમીરા પત્રાવાલા પોતાની એક એક વાર્તાનું વાચિકમ પણ કરશે. કાર્યક્રમના અંત ભાગમાં શ્રોતાઓ પ્રશ્નો પૂછી શકે એવું આયોજન છે. સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.
ડી.આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે. આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ‘ જય સોમનાથ – હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન, સહનશીલતા અને પુનર્નિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે. વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી ફરી બેઠું થયું—આજ સુધી અડીખમ ઊભેલુ આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક બની ગયુ છે. “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ જ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક આત્મવિશ્વાસ, આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક ઉત્સવ બનશે—જે સોમનાથથી સમગ્ર દેશ સુધી સ્વાભિમાનનો સંદેશ પહોંચાડશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબ્બુલ્લાહ નદવીને તપાસમાં જોડાવા માટે ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવશે, કારણ કે હિંસા ફાટી નીકળતા પહેલા તેઓ કથિત રીતે સ્થળ પર હાજર હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ અધિકારીઓએ સાંસદને તાત્કાલિક આસપાસના વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી હતી, પરંતુ તેઓ ઘટના પહેલા પણ તે વિસ્તારની નજીક જ રહ્યા હતા. દરમિયાન, દિલ્હી પોલીસે મસ્જિદ નજીક તોડી પાડવાની ઝુંબેશ દરમિયાન પથ્થરમારા ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી છે, અને ઓળખાયેલા વ્યક્તિઓને કસ્ટડીમાં લેવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઇસ્લામાબાદની ATC દ્વારા 2 જાન્યુઆરીના રોજ આ ચુકાદો આપવામાં આવ્યો છે. યુટ્યુબર આદિલ રાજા, ભૂતપૂર્વ સૈન્ય અધિકારી સૈયદ અકબર હુસૈન અને પત્રકારો વજાહત સઈદ ખાન, સાબીર શાકિર, મોઈદ પીરઝાદા, શાહીન સેહબાઈ અને હૈદર મહેદી વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો છે. “ડિજિટલ આતંકવાદ” સાથે જોડાયેલા કેસોમાં બેવડી આજીવન કેદની સજા ફટકાર્યા બાદ આ નિવેદન આવ્યું છે.
વર્ષની એક યુવતીએ દોઢ લાખ રૂપિયાનો લેટેસ્ટ આઈફોન ન મળતાં બ્લેડથી પોતાનું કાંડું કાપી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો. લોહીલુહાણ કન્યાને હોસ્પિટલ લઈ જવામાં આવી. એની માતાએ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘અમે આટલો મોંઘો ફોન ખરીદી શકીએ એમ નથી.’
