થોડા દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. બિહારના મુંગેર જિલ્લામાં રહેતી 18
વર્ષની એક યુવતીએ દોઢ લાખ રૂપિયાનો લેટેસ્ટ આઈફોન ન મળતાં બ્લેડથી પોતાનું કાંડું કાપી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો. લોહીલુહાણ કન્યાને હોસ્પિટલ લઈ જવામાં આવી. એની માતાએ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘અમે આટલો મોંઘો ફોન ખરીદી શકીએ એમ નથી.’
સારા સમાચાર એ છે કે આ દીકરી હાલ સારવાર હેઠળ છે અને ફરી આવું પગલું નહીં ભરે એવી ખાતરી આપી છે.
આ ઘટના માત્ર આઈફોન ન મળવાની નથી. આ ઘટના આજની પેઢીનો ભાવનાત્મક ખાલીપો, ભ્રમિત પ્રાથમિકતા અને ઉપભોક્તાવાદ દબાણની ચેતવણી છે. જ્યારે જીવનની કિંમત એક ગેજેટ કરતાં ઓછી લાગવા લાગે, ત્યારે પ્રશ્ન ફોનનો નથી, સમાજના માનસિક સ્વાસ્થ્યનો છે.
એક તરફ ગરીબી છે, સંઘર્ષ છે, પરિવારની લાચારી છે; બીજી તરફ સોશિયલ મિડિયા દ્વારા સર્જાયેલી મોંઘી બ્રાન્ડેડ વસ્તુ વિશેની ભ્રામક જાળ છે. જે લોકોને આવી મોંઘી ચીજવસ્તુ, ગેજેટ્સ પરવડે છે એમણે એ વિચારવાનું કે આપણે બાળકોને મૂલ્યો આપીએ છીએ કે બ્રાન્ડેડ વસ્તુઓ?

સ્માર્ટફોનનું આપણે ત્યાં જે ગાંડપણ છે એવું કદાચ દુનિયામાં ક્યાંય નહીં હોય. એમાંય કોરોનાકાળમાં જ્યારે માવતરોએ દીકરા-દીકરીને ફરજિયાત ફોન અપાવવા પડ્યા એમાંથી નવી જ સમસ્યા ઊભી થઈ. સંતાનોને સ્માર્ટ ફોન-ઈન્ટરનેટના વાવાઝોડામાં ફંગોળાતાં જોઈ રહેલાં માવતર નિસાસો નાખતાં કે આ ‘કોરોનાએ તો દાટ વાળ્યો. છોકરાં ભણવા કરતાં બગડે છે વધારે.’
તે વખતે એટલે કોરોના વખતના લૉકડાઉન દરમિયાન બી.એ.પી.એસ. સંસ્થાના એક હજારથી વધુ સંતો-કાર્યકરો અધ્યાત્મ, નૈતિકતા તેમ જ કોરોના વેક્સિનની જાગૃતિ માટે ગુજરાતભરમાં લાખો ઘરોની વિઝિટ કરી રહ્યા હતા ત્યારે તેમના અનુભવોના આધારે નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે કોરોના મહામારીએ જેટલી જાનહાનિ કરી છે તેનાથી વધુ ચારિત્ર્યહાનિ કરી છે. વાઈરસથી માણસનાં મૃત્યુ માટે ઘણા જાગ્રત છે, પણ સંસ્કારોનાં મૃત્યુ માટે કેટલા?
લાંબો સમય નેટ-સર્ફિંગની કુટેવ વિશે નિષ્ણાતો કહે છે: અશ્ર્લીલ અને અસામાજિક પદ્ધતિ શીખવતી વેબસાઈટ્સ જોવાથી બાળકો અને યુવાનોનાં ચારિત્ર્ય અને મનોબળ પર ઘાતક અસર પડી રહી છે. વળી આ રીતે લાંબો સમય મોબાઈલ, ટેબ્લેટ સામે બેસી રહેવાના કારણે અભ્યાસ અને આરોગ્ય બંનેને જોખમમાં આવી જાય છે.
આનો એકમાત્ર ઉપાય છેઃ મા-બાપની જાગૃતિ. અંગ્રેજ તત્ત્વચિંતક અને નોબેલ પુરસ્કારથી સમ્માનિત બર્ટ્રાન્ડ રસેલે ‘એજ્યુકેશન એન્ડ ધ સોશિયલ ઓર્ડર’ એ પુસ્તકમાં લખ્યું છે કે, ‘સ્કૂલ કરતાં ઘરમાં આપવામાં આવેલું શિક્ષણ વધારે ઉપયોગી છે. અત્યારે બાળકો અને યુવાનોના માનસિક વિકાસમાં ઘરનાએ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.’ મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ સંતાનના જીવનઘડતરનો પાયો છે.

અંગ્રેજ કવિ સેમ્યુઅલ ટેલર કોરિજ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાના હિમાયતી હતા. એમના એક મિત્રે આ વિશે એમની સાથે દલીલ કરી કે, બાળકો સમજણાં ન થાય ત્યાં સુધી તેના પર આવા વિચારો લાદવા જોઈએ નહીં. એને પોતાની મેળે નક્કી કરી લેવા દો. બાળકોની સ્વતંત્રતા પર તરાપ મારી ધાર્મિક શિક્ષણ આપવું એને હું જોહુકમી જ માનું છું.’
સેમ્યુઅલ મિત્રને પોતાના ઘર પાછળ આવેલા ગાર્ડનમાં લઈ ગયા. ત્યાં આડેધડ ઊગેલાં ખડ, ઝાડીઝાંખરાં, નકામા છોડ, વગેરે જોઈને મિત્રે કહ્યું, ‘આને તમે બગીચો કહો છો? આને તો જંગલ કહેવાય… બધું કેવું આડેધડ ઊગી નીકળ્યું છે.’
કવિ સેમ્યુઅલ કહે, ‘બગીચામાં છોડ, ઘાસ, વેલીની સ્વતંત્રતા ઉપર હું ખોટું આક્રમણ કદી કરતો નથી, એમને જેમ ઊગવું હોય તેમ ઊગે.’ મિત્ર સમજી ગયો કે સેમ્યુઅલે પોતાની સમજણ વિશે ઉત્તર આપી દીધો છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતાં કે જો તમે તમારાં બાળકોને (બાળપણથી જ) સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
યાદ રહે, મા-બાપ દ્વારા આપવામાં આવતા સંસ્કાર જ જીવનઘડતરનો પાયો છે. જો સંસ્કારનું સિંચન સારું થશે તો પાયો મજબૂત બનશે. સંસ્કાર-હનનથી માનવ નહીં, માનવજાતને નુકસાન થઈ શકે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)



સેબીની નવેમ્બર શો-કોઝ નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બેંકની ડીલ ટીમે 2024માં આદિત્ય બિરલા સન લાઇફ AMC શેરના વેચાણની કિંમત-સંવેદનશીલ વિગતો એક્ઝિક્યુશન ટીમની બહારના કર્મચારીઓને જાહેર કરી હતી. બાદમાં તપાસકર્તાઓને ખોટા નિવેદનો આપ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને આ માહિતી જણાવવામાં આવી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ૧૦૨૬માં સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ મોટા હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કરવામાં આવી રહ્યું છે. જે પવિત્ર મંદિરની સ્થાયી ભાવના અને ભારતના સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે. કારણ કે સદીઓથી આક્રમણકારો દ્વારા અનેક વિનાશ પછી મંદિરનું વારંવાર પુનઃર્નિર્માણ કરવામાં આવ્યું હતું.


અગાઉ, પીએમ મોદીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે સોમનાથ મંદિર ભારતીય આત્માની શાશ્વત ઘોષણા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નફરત અને કટ્ટરતામાં ક્ષણભર માટે નાશ કરવાની શક્તિ હોઈ શકે છે, પરંતુ ભલાઈની શક્તિમાં શ્રદ્ધા અને દૃઢતામાં અનંતકાળ માટે સર્જન કરવાની શક્તિ છે. તેમણે યાદ કર્યું કે ૧૯૪૭માં દિવાળી દરમિયાન સરદાર પટેલની આ સ્થળની મુલાકાતે તેમને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા, જેના કારણે તે જ સ્થળે મંદિરનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
માની વિશ્વકલ્યાણ માટે જ તેનો ખપ પૂરતો ઉપયોગ કરે છે. છીછરા મનની વ્યક્તિ થોડી સફળતા સાથે જ અહથી છલકાવા માંડે છે.



