નવી દિલ્હીઃ આ વર્ષેના સૌથી મોટા ‘નક્સલ વિરોધી’ ઓપરેશનોમાંના એકમાં સુરક્ષા દળોએ છત્તીસગઢના દક્ષિણ બસ્તર વિસ્તારના સુકમા અને બિજાપુર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણોમાં 14થી વધુ માઓવાદીઓને ઠાર કર્યા છે. સુકમાનાં ગાઢ જંગલોમાં માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી જોરદાર ગોળીબાર થયો, જેમાં 14 માઓવાદી માર્યા ગયા છે.
સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં આવેલાં ગાઢ જંગલોમાં મુખ્ય અથડામણ થઈ હતી. અહીં સુરક્ષા દળોની સંયુક્ત ટીમો ગુપ્તચર માહિતીના આધારે મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. માઓવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં બંને તરફથી ઘણા કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો. સુકમા-બિજાપુર અથડામણમાં 14થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં મુખ્ય નક્સલી કમાન્ડરો પણ સામેલ હોવાનું જણાવાયું છે.સુકમા અને બિજાપુરના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અથડામણમાં અનેક માઓવાદીઓ ઠાર થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ સુકમા અને બિજાપુરમાં માર્યા ગયેલાઓની સંખ્યા 14થી વધુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે મરેલા મોટા ભાગના માઓવાદી દરભા વેલી કમિટી (DVCM) કેડરના હતા, જે એક મહત્વપૂર્ણ માઓવાદી સંગઠન છે. ખાસ વાત એ છે કે કોન્ટાના એડિશનલ એસપી આકાશ ગિરપુંજેની હત્યામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવતો નક્સલી કમાન્ડર પણ માર્યા ગયેલાઓમાં સામેલ છે, જેનાથી સંગઠનને મોટો ઝટકો લાગ્યો છે. સુકમા અથડામણ સ્થળેથી હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે; ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા દળો પરત ફર્યા બાદ જ મૃતકોની ચોક્કસ સંખ્યા જાણી શકાશે.
જપ્ત કરાયેલા હથિયારોમાં એક AK-47, એક INSAS રાઇફલ તેમ જ અન્ય ગોળા-બારુદ અને વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ઓપરેશન હજુ ચાલુ છે અને ટીમો વિસ્તારની ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. મૃતકોની ચોક્કસ સંખ્યા અને ઓળખ ત્યારે જ થશે, જ્યારે સુરક્ષા દળો ગાઢ જંગલવાળા વિસ્તારોમાંથી પરત ફરશે. નક્સલવિરોધી ઓપરેશનની સંવેદનશીલ અને ચાલુ સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ગોળીબારનું ચોક્કસ સ્થળ અથવા તૈનાત દળોની સંખ્યા જેવી વિગતો જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.





શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઓપનિંગ સેરેમનીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ ડાન્સ ગ્રુપનું પર્ફોર્મન્સ અને એક્રોબેટિક ડાન્સ ક્રૂ, ‘વી અનબીટેબલ’એ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટુર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું કે, “આજે અમે જે જોયું અને અનુભવ કર્યું, તે ગુજરાતમાં પોલો માટે અભૂતપૂર્વ છે. અમારું ફોકસ એક વલ્ડ-ક્લાસ ટુર્નામેન્ટ રજૂ કરવા પર છે, જે રમતના વારસાનું સન્માન કરવાની સાથે પ્રેક્ષકોને પસંદ પડે એવા સ્તરે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. અમદાવાદની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ, તેને આ પહેલ માટે એક આદર્શ સ્થળ બનાવે છે.”

હંમેશાં ભૂતકાળ કે ભવિષ્યના વિચારમાં ખોવાયેલું રહે છે. માત્ર તમે નહીં, હું પણ આવું જ કરું છું. હકીકતમાં, આવા વિરોધાભાસી વર્તનને લીધે સમસ્યાઓ સર્જાય છે. જે દિવસે આપણા શ્વસન અને વિચારો બન્ને વર્તમાનકાળમાં હશે ત્યારે આપણું જીવન સુમેળભર્યું, પ્રસન્નતાપૂર્ણ તથા શાંતિપૂર્ણ બનશે.




રડવાનું એક દ્રશ્ય ખરેખર અગ્નિપરીક્ષા જેવું સાબિત થયું હતું. તેને વાસ્તવિક બનાવવા પાછળની વાત બહુ દિલચસ્પ છે. સંજય ખાનની આ પહેલી જ ફિલ્મ હતી અને ચેતન આનંદ જેવા કડક શિસ્તવાળા દિગ્દર્શક સામે પોતાની જાતને સાબિત કરવાનું દબાણ હતું.
અનુભવ કરાવ્યો કે જો તેઓ આ સીન બરાબર નહીં કરે તો કદાચ તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. સંજય ખાન પોતે બહુ સંવેદનશીલ અને સ્વાભિમાની હતા. તેમને આ વાત દિલ પર લાગી ગઈ. તે જ સમયે લદ્દાખની હાડ થીજવતી ઠંડી અને પહાડોની એકલતાએ તેમના માનસિક દબાણમાં વધારો કર્યો. જ્યારે ફાઈનલ ટેક શરૂ થયો ત્યારે સંજયના મનમાં પોતાની કારકિર્દીની ચિંતા અને અપમાનિત થયાની લાગણી એટલી તીવ્ર બની ગઈ કે તેમની આંખોમાંથી સાચા આંસુ વહેવા માંડ્યા હતા.


BCCIનો મુસ્તફિઝુર રહેમાન KKRમાંથી દૂર કરવા આદેશ
મુંબઈઃ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ભાગ લઈ શકશે નહીં. BCCIના સચિવ દેવજિત સાયકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સાયકિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને તેમની સ્ક્વોડમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા માટે સૂચના આપી દીધી છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો KKR તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને સ્ક્વોડમાં સામેલ કરવા માગે, તો BCCI તેની મંજૂરી આપશે. મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે યોજાયેલા મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યા બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે ટીકા સહન કરવી પડી હતી. ફેન્સ ઉપરાંત કેટલાક રાજકારણીઓ અને સાધુ-સંતોએ બાંગ્લાદેશી ખેલાડીના IPLમાં રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઓગસ્ટ, 2024માં શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે અને અનેક હિંસક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં બે હિંદુઓની નિર્મમ હત્યા બાદ દેશમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
BCCI ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત ચર્ચા કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના મુકાબલા કોલકાતા અને મુંબઈમાં રમવાના છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓના વિઝા બાબતે કોઈ મોટી અડચણ નહીં આવે.
IPL 2025 માટે થયેલા મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લગાવી નહોતી. જોકે IPL 2026ના મિની ઓક્શનમાં KKRએ મુસ્તફિઝુર રહમાન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે જ મુસ્તફિઝુર IPL ઇતિહાસના સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો હતો.
મુસ્તફિઝુર રહેમાને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), મુંબઈ ઇન્ડિયન્સ (MI), રાજસ્થાન રોયલ્સ (RR), ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) માટે મેચો રમી છે. 30 વર્ષના મુસ્તફિઝુરે અત્યાર સુધી 60 IPL મેચોમાં 28.44ની સરેરાશ અને 8.13ની ઇકોનોમી રેટ સાથે કુલ 65 વિકેટ ઝડપી છે.