Home Blog Page 342

કોંગ્રેસ નેતાએ ભગવાન રામ સાથે રાહુલ ગાંધીની કરી સરખામણી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા નાના પટોલેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરીને રાજકીય ચર્ચા જગાવી દીધી છે. પટોલેની આ ટિપ્પણી બાદ ભાજપે સમય ગુમાવ્યા વિના તેને ‘ચાપલૂસી પ્રો મેક્સ’ ગણાવીને કોંગ્રેસ નેતા પર આકરો પ્રહાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી, એ પ્રશ્નના જવાબમાં પટોલેએ કહ્યું હતું કે સિનિયર કોંગ્રેસ નેતા ભગવાન રામનું જ કાર્ય કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભગવાન રામનું કાર્ય પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું અને રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આવી સેવા કરવાનું પસંદ કરે છે. કોંગ્રેસ નેતાએ પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં યાદ અપાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું તાળું ખુલાવવાની પ્રક્રિયા પાછળ રાહુલના પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો હાથ હતો.

અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે જુઓ, રાહુલ ગાંધી ભગવાન શ્રીરામનું કામ કરી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રીરામનું કામ પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું. રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આ સેવા કરવાનું પસંદ કરે છે. ત્યાંનું તાળું ખોલવાની પાછળ રાજીવજીનો હાથ હતો.

ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ ‘ચાપલૂસી પ્રો મેક્સ’ બતાવી છે. કોંગ્રેસ પાર્ટી કહે છે કે રાહુલ ગાંધી ભગવાન રામ જેવા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીના કારણે ક્રિસમસ ઊજવી શકાય છે. આ કઈ જાતની ચાપલૂસી છે? અને પછી તમે હિન્દુ આસ્થાનું અપમાન કરો છો?

બાંગ્લાદેશમાં એક વધુ હિંદુ પર હુમલો, ઘાયલ વ્યક્તિને ચાંપી આગ

ઢાકાઃ બાંગ્લાદેશમાં એક વધુ હિંદુ વ્યક્તિ પર ભીડ દ્વારા હુમલો કરીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલામાં ખોકન દાસ (ઉંમર 50 વર્ષ) નામની વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ હિંદુ વ્યક્તિ પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ખોકન દાસ જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉગ્ર ભીડે તેમના પર હુમલો કર્યો હતો.

બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ત્રણ હિંદુઓની હત્યા કરવામાં આવી છે.

18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની મોબ લિન્ચિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં બજેન્દ્ર વિશ્વાસને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હવે ખોકન દાસને નિશાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા અટકવાનું નામ લેતા નથી. નવા વર્ષની અવસરે એક વધુ હિંદુ વ્યક્તિને નિશાન બનાવવામાં આવી છે. 50 વર્ષના ખોકન દાસ પર હિંસક લોકોના એક જૂથે પહેલા હુમલો કરીને તેમને ઘાયલ કર્યા અને બાદમાં આગ ચાંપી દીધી. ઉપદ્રવીઓએ ખોકન દાસ પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલો તે સમયે થયો જ્યારે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. દિલ દહેલાવી દે તેવી આ ઘટના 31 ડિસેમ્બરની મોડી રાત્રે બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી.

વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ ખતમઃ અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ફરી એક વખત ઇતિહાસ રચવાની કગરે ઊભી છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસના પ્રવાસની તસવીર બદલી, તેમ હવે રાત્રી મુસાફરીને પણ સંપૂર્ણ હાઈટેક અને લક્ઝરી બનાવવા તૈયારી થઈ ગઈ છે. લાંબા સમયની રાહ પછી હવે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે મોટું અને સત્તાવાર એલાન થયું છે. નવા વર્ષના પહેલી જ દિવસે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે આ મેગા પ્રોજેક્ટનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યાં છે અને બહુ જલ્દી મુસાફરોને તેનો લાભ મળશે.

 આ રૂટથી થશે ઐતિહાસિક શરૂઆત

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા (હાવડા) વચ્ચે ચલાવવામાં આવશે. આ રૂટ ખાસ એટલા માટે પણ મહત્વનો છે કે તે ઉત્તર-પૂર્વ ભારતને દેશના મોટા મહાનગર સાથે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક કનેક્ટિવિટી આપશે. તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ભારતીય રેલવે માટે માત્ર નવી ટ્રેન નહીં, પરંતુ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક ઈજનેરીની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

રાત્રી મુસાફરી હવે બનશે લક્ઝરી

વંદે ભારત સ્લીપરને ખાસ કરીને લાંબા અંતરની ઓવરનાઇટ મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરોને એવો અનુભવ મળશે, જે અત્યાર સુધી માત્ર ફ્લાઇટ અથવા ફાઈવ-સ્ટાર હોટલ્સ સુધી સીમિત હતો. ઉત્તમ કુશનિંગવાળા આરામદાયક બેડ, ઝટકાવિહીન સ્મૂથ સફર, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, સેન્સર આધારિત લાઈટિંગ અને આધુનિક વેક્યુમ ટોયલેટ્સ તેને પરંપરાગત ટ્રેનો કરતાં સંપૂર્ણ અલગ બનાવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણે પણ આ ટ્રેન ખૂબ ખાસ છે. તેમાં સ્વદેશી ‘કવચ’ સુરક્ષા પ્રણાલી લગાવવામાં આવી છે, જે ટક્કર જેવી ઘટનાઓની શક્યતાને લગભગ ખતમ કરી દે છે.

ફ્લાઇટ કરતાં પણ સસ્તું રહેશે ભાડું

આ ટ્રેનનું સૌથી મોટું આકર્ષણ તેનું ભાડું માનવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ જ્યાં ગુવાહાટી-કોલકાતા રૂટ પર ફ્લાઇટનું ભાડું સામાન્ય રીતે 6000થી 8000 રૂપિયા અને ઘણી વાર 10000 રૂપિયા સુધી પહોંચી જાય છે, ત્યાં વંદે ભારત સ્લીપરનું ભાડું ઘણું કિફાયતી રાખવામાં આવશે. પ્રસ્તાવિત ભાડા મુજબ, 3ACનું ભાડું આશરે 2300 રૂપિયા, 2AC લગભગ 3000 રૂપિયા અને ફર્સ્ટ એસી લગભગ 3600 રૂપિયા હોવાની શક્યતા છે — તે પણ ભોજન સાથે.

નવા વર્ષની ઉજવણીમાં લખનૌમાં ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ

લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન એક ઇન્સ્પેક્ટરે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલી બેરિકેડિંગ પર કાર ચઢાવી દીધી હતી. હઝરતગંજ ચોરાહે તૈનાત સબ ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્ટરને કાર બીજી તરફ વાળવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહીં. જ્યારે સબ ઇન્સ્પેક્ટર કાર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ઇન્સ્પેક્ટરે તેમની ઉપર કાર ચઢાવવાની કોશિશ કરી. એટલું જ નહીં, આરોપી ઇન્સ્પેક્ટર ત્યાં હાજર ડીસીપી ટ્રાફિક સાથે પણ ઝઘડી પડ્યા હતા.

આરોપી ઇન્સ્પેક્ટરની પોલીસે ધરપકડ કરી

એ પછી ડીસીપી ટ્રાફિકના આદેશ પર આરોપી ઇન્સ્પેક્ટરને ધરપકડ કરવામાં આવી. કડક ઠપકો આપતાં ડીસીપી ટ્રાફિક કમલેશ દીક્ષિતે ઇન્સ્પેક્ટરને પોલીસ જીપમાં બેસાડી થાણે મોકલ્યા. હઝરતગંજ પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.

કારમાંથી દારૂની બોટલો મળી

આરોપી ઇન્સ્પેક્ટરની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચણભણ દરમિયાન જે વિડિયો રેકોર્ડ થયો હતો તેમાં ઇન્સ્પેક્ટરની કારમાં દારૂની બોટલો સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું છે. બુધવાર રાત્રે હઝરતગંજ ચોરાહે થયેલા હંગામાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે આરોપી ઇન્સ્પેક્ટરને પોલીસ કર્મચારીઓએ ચારે તરફથી ઘેરી લીધા છે અને તેઓ સૌ સાથે ઝઘડતા દેખાઈ રહ્યા છે. જ્યારે ડીસીપી ટ્રાફિક તેમને કાર્યવાહી કરવાની ચેતવણી આપે છે, ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ આરોપી ઇન્સ્પેક્ટરને પોતાની સરકારી જીપમાં બેસાડી થાણા તરફ લઈ જાય છે.

ન્યુ યર સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને લખનૌમાં જગ્યાએ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવી હતી, જેથી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય, પરંતુ ઇન્સ્પેક્ટરસાહેબને આ વાત ન ગમી અને તેમણે બેરિકેડિંગ પર પોતાની કાર ચઢાવવાની કોશિશ કરી.

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણીમાં વિસ્ફોટઃ અનેકનાં મોતની આશંકા

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવાર વહેલી સવારે નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા છે, જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ બાદ બચાવ અભિયાન ચાલુ છે.

વિસ્ફોટનાં કારણો અસ્પષ્ટ

સ્વિટ્ઝર્લેન્ડની પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટના એક બારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયાં છે અને ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વાલિસ કેન્ટનના પોલીસ પ્રવક્તા ગેટાન લાથિયોને જણાવ્યું કે અજાણ્યાં કારણોસર વિસ્ફોટ થયો છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્ફોટ ‘લે કોન્સ્ટેલેશન’ નામના બારમાં થયો હતો, જે પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

આ વિસ્ફોટની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. વિસ્ફોટ થયેલી જગ્યા અને તેની આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરી

ક્રાન્સ મોન્ટાના પર્યટકોમાં અત્યંત લોકપ્રિય સ્થળ છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાઓ માણવા આવે છે. નવા વર્ષની અવસરે અહીં ભારે ભીડ રહે છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમો પુરાવા એકત્ર કરી રહી છે અને બારમાં હાજર રહેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

મમદાનીએ બંધ પડેલા સબવે સ્ટેશન પર ન્યૂ યોર્કના મેયર તરીકે શપથ લીધા

ન્યૂ યોર્ક: ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક શહેરના નવા મેયર તરીકે શપથ લીધા. તેમણે મેનહટનના એક બંધ કરાયેલા સબવે સ્ટેશન પર આયોજિત ઐતિહાસિક સમારોહમાં શપથ લીધા. તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ કરનારા પ્રથમ મુસ્લિમ બન્યા છે. શપથ લેતા સમયે મમદાનીએ કુરાન પર હાથ મૂક્યો, જે શહેરના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત થયું હતું.

“આ ખરેખર જીવનભરનું સન્માન અને વિશેષાધિકાર છે,” મમદાનીએ શપથ લીધા પછી કહ્યું.

34 વર્ષીય ડેમોક્રેટને શહેરના સૌથી જૂના ભૂગર્ભ લાઇન પરના મૂળ સ્ટોપમાંથી એક એવાં જૂના સિટી હોલ સબવે સ્ટેશન પર ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ દ્વારા શપથ લેવડાવ્યામાં આવ્યા હતા. આ સ્ટેશન તેની સુશોભિત કમાનવાળી છત અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત છે. કાર્યક્રમમાં મમદાનીના પત્ની રામા દુવાજીએ શપથ દરમિયાન કુરાન પકડ્યું હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યે સિટી હોલ ખાતે એક મોટા જાહેર સમારોહમાં મામદાની ફરી એકવાર શપથ ગ્રહણ કરવાના છે.

આ કાર્યક્રમનું સંચાલન યુએસ સેનેટર બર્ની સેન્ડર્સ દ્વારા કરવામાં આવશે, જે નવા મેયરના રાજકીય પ્રેરણાસ્ત્રોતોમાંના એક છે, અને ત્યારબાદ આવનારા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જાહેર બ્લોક પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણી બ્રોડવેના એક ભાગ પર આયોજન કરવામાં આવ્યું છે જેને “કેન્યન ઓફ હીરોઝ” તરીકે ઓળખવામાં આવે છે, જે પરંપરાગત રીતે ટીકર-ટેપ પરેડ સાથે સંકળાયેલું સ્થાન છે.

1991માં યુગાન્ડાના કંપાલામાં જન્મેલા, મમદાની પ્રશંસનીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને વિદ્વાન-કાર્યકર મહમૂદ મમદાનીના પુત્ર છે. તેમની વ્યક્તિગત યાત્રા બહુવિધ ડાયસ્પોરાના સંગમને પ્રતિબિંબિત કરે છે. ન્યુ યોર્ક શહેરના પહેલા મુસ્લિમ મેયર હોવાની સાથે, તેઓ દક્ષિણ એશિયન મૂળના પ્રથમ મેયર પણ છે, આફ્રિકામાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે. મમદાનીનો પરિવાર સાત વર્ષના હતા ત્યારે ન્યુ યોર્ક શહેરમાં સ્થળાંતર થયો હતો.

તેઓ 2018માં અમેરિકન નાગરિક બન્યા અને પોતે ચૂંટાયેલા પદ મેળવવા પહેલાં શહેરમાં ડેમોક્રેટિક ઉમેદવારો માટે રાજકીય ઝુંબેશ પર કામ કર્યું. 2020માં, તેમણે ક્વીન્સના એક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં બેઠક જીતી.

રક્ષક જ ભક્ષકઃ રેલયાત્રી પાસેથી પોલીસોએ સોનાની કરી લૂંટ

નવી દિલ્હીઃ બિહારના ગયામાં ચાલતી ટ્રેનમાં સોનું લૂંટવાને મામલે GRPના થાનાધ્યક્ષ સહિત ચાર જવાનો સામે પટના રેલ એસપી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે ઓળખાતા ગયા GRP  થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહ અંતે પોતે જ જેલની સળિયાં પાછળ પહોંચી ગયા છે.

શું છે મામલો?

22307 હાવડા-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વેપારીના સ્ટાફ પાસેથી એક કિલો સોનું લૂંટવાની ઘટના ગયા 21 નવેમ્બરે બની હતી. આ મામલે ગયા રેલવે પોલીસ સ્ટેશને 29 નવેમ્બરે FIR નોંધાવી હતી. પટના રેલ એસપીના નેતૃત્વમાં રચાયેલી તપાસ ટીમે CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ)ને આધારે ખુલાસો કર્યો કે તમામ GRP જવાનો અને થાણાધ્યક્ષની સંડોવણી હતી.

આ ઘટના બાદ ગયા રેલ થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહની ધરપકડ કરી તેમને રેલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ મોકલવામાં આવ્યા છે. સોનાના લૂંટ કેસની તપાસ માટે ત્રણ DSPની SIT ટીમ બનાવવામાં આવી છે.

આપી હતી ધમકી

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પીડિત ધનંજય શાશ્વત પાસેથી GRPના જવાનોએ મારપીટ કરીને 1.44 કરોડ  રૂપિયાનું એક કિલો સોનું લૂંટી લીધું હતું. ગયા જંક્શન પહોંચતાં પહેલાં જ GRP જવાનોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર બાદ પીડિતને ટિકિટ કરાવી મોકલી દીધો હતો. એ સાથે-સાથે કોઈને પણ કંઈ ન કહેવાની ધમકી આપી હતી.

રેલ થાણાધ્યક્ષ રાજેશ કુમાર સિંહની ધરપકડ બાદ સંડોવાયેલા ચાર જવાનો કરણ કુમાર, અભિષેક ચતુર્વેદી, રણંજય કુમાર અને આનંદ મોહન સહિત પરવેઝ આલમ અને રેલ પોલીસ સ્ટેશનનો ભૂતપૂર્વ ડ્રાઈવર સીતારામ ફરાર છે. તેમની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાથી નવા વર્ષની ઉજવણી કરનારા પ્રવાસીઓમાં આનંદ

શ્રીનગર: છેલ્લા 12 કલાક દરમિયાન કાશ્મીર ખીણના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાના કારણે સહેલાણીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ પર્યટન રિસોર્ટમાં આનંદ માણનારાઓએ ખૂબ મજા કરી હતી, જ્યાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બરફવર્ષા થઈ હતી. પ્રવાસીઓને નવા વર્ષનું સ્વાગત કરવા માટે ગાતા અને નાચતા જોઈ શકાય છે. શહેરના કેન્દ્ર, શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા હતા, શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.

આ વખતે ખીણમાં હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસ સંપૂર્ણપણે વેચાઈ ગયા છે, જેનાથી પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો સ્થાનિકોને નવી આશા મળી છે કે 2026 શાંતિપૂર્ણ રહેશે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ ખીણમાં પ્રવાસીઓનો પ્રવાહ ભારે પ્રભાવિત થયો હતો. હવે, શિયાળાના પ્રવાસન ફરી શરૂ થતાં, ખીણના લોકો વધુ બરફવર્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.શ્રીનગર અને કાશ્મીરના અન્ય નગરો અને શહેરોના રહેવાસીઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પરંપરાગત હિમવર્ષા ચૂકી ગયા, જેના કારણે બાળકોનો ઉત્સાહ ઓછો થયો, જેમણે આ ક્ષણની ઉજવણી માટે બરફ સંબંધિત રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. શ્રીનગર શહેરમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ ૫.૫ અને પહેલગામમાં ૦.૪ લઘુત્તમ તાપમાન હતું. જમ્મુ શહેરમાં ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસ, કટરા શહેરમાં ૮.૭, બટોટમાં ૫.૭, બનિહાલ ૩.૯ અને ભદરવાહમાં એક ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું.

40 દિવસનો તીવ્ર શિયાળાનો સમયગાળો, જેને સ્થાનિક રીતે ‘ચિલ્લાઈ કલાન’ કહેવામાં આવે છે, તે 21 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થયો હતો અને 30 જાન્યુઆરી, 2026 ના રોજ સમાપ્ત થશે.જો આ 40 દિવસના સમયગાળા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા ન થાય, તો લોકોને ખેતી, બાગાયત અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચિલ્લાઈ કલાનમાં ભારે હિમવર્ષા પર્વતોમાં રહેલા બારમાસી જળસંગ્રહોને ફરીથી ભરે છે, જે ઉનાળાના મહિનાઓ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના વિવિધ જળસંસાધનોને ટકાવી રાખે છે. આ શિયાળામાં પૂરતા વરસાદ/બરફના અભાવે વિવિધ નદીઓ, નાળા, ઝરણા, કુવાઓ અને તળાવો પહેલાથી જ સૌથી નીચા સ્તરે વહી રહ્યા છે. ડિસેમ્બર 2025 માં વરસાદમાં 28 ટકાની ખાધ નોંધાઈ છે.

ગુજરાત સરકારે 2026ના પહેલા દિવસે મોટા વહીવટી પ્રમોશનની જાહેરાત કરી

ગાંધીનગર: ગુજરાત સરકારે ગુરુવારે રાજ્ય વહીવટમાં મોટા ફેરબદલ અને પ્રમોશનની જાહેરાત કરી, જેમાં અનેક બેચમાં વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી.

2026ના પહેલા દિવસે લેવાયેલા આ નિર્ણયને સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલી સત્તાવાર સૂચના દ્વારા ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી. સૂચના મુજબ, 1996 બેચના પાંચ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓને મુખ્ય સચિવથી અધિક મુખ્ય સચિવ (ACS) પદે બઢતી આપવામાં આવી છે.

રાજીવ ટોપનોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ACS, મોના ખંધારને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગમાં, ડૉ. ટી. નટરાજનને નાણાં વિભાગમાં, મમતા વર્માને ઉદ્યોગો અને ખાણ વિભાગમાં અને મુકેશ કુમારને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, રાજ્ય સરકારે 2013 બેચના 13 IAS અધિકારીઓ માટે પસંદગી ગ્રેડને મંજૂરી આપી, જેનો લાભ તાત્કાલિક અમલમાં આવશે.

હાલમાં વાસ્મોના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓ, ભાવનગર, નવસારી, દાહોદ, ખેડા-નડિયાદ અને ગીર સોમનાથના કલેક્ટરો તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પસંદગી ગ્રેડ આપવામાં આવ્યો છે. મંજૂરી બાદ ઘણા સંયુક્ત સચિવો અને વરિષ્ઠ સચિવાલય અધિકારીઓને પણ અધિક સચિવો તરીકે પુનઃનિર્માણ કરવામાં આવ્યા છે.

GAD એ 2010 બેચના સાત IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલ પર બઢતી પણ આપી છે. બઢતી પામેલાઓમાં કચ્છ-ભુજ કલેક્ટર આનંદ પટેલ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ શિક્ષણ કમિશનર બી.એચ. તલાટી, માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચ્ચાણી, પાટણ કલેક્ટર તુષાર વાય. ભટ્ટ અને પ્રધાનમંત્રી કાર્યાલયના ખાનગી સચિવ ડૉ. હાર્દિક શાહનો સમાવેશ થાય છે.

પોલીસ કેડરમાં પણ બઢતીની જાહેરાત કરવામાં આવી હતી. 2013 બેચના સાત IPS અધિકારીઓને પસંદગી ગ્રેડ (લેવલ 13) માં બઢતી આપવામાં આવી છે, જેનો પગાર રૂ. 2.15 લાખ છે. અમદાવાદ શહેર SOG અને આર્થિક શાખા, CID ક્રાઇમ, પશ્ચિમ રેલ્વે સેલ, રાજ્ય દેખરેખ સેલ, વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓ અને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરના અધિકારી મનીષ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 14 IPS અધિકારીઓને વધુ બઢતી મળી છે. IPS અધિકારી નરસિંહ કોમરને બઢતી આપવામાં આવી છે, જ્યારે ડૉ. વિપુલ અગ્રવાલને અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અને ડૉ. રાજકુમાર પાંડિયનને પોલીસ મહાનિર્દેશક (DGP) ના પદ પર બઢતી આપવામાં આવી છે.

2012 બેચના ઘણા અધિકારીઓને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ના પદ પર બઢતી આપવામાં આવી છે, જેમાં કેટલાક અધિકારીઓને અપગ્રેડ કરવામાં આવ્યા છે, નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, અને ઇન્ટર-કેડર ડેપ્યુટેશન અધિકારીઓને પણ નિયમો અનુસાર બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં મુખ્ય વિભાગોમાં વહીવટી નેતૃત્વને મજબૂત બનાવવા અને શાસનને સુવ્યવસ્થિત કરવાના પગલા તરીકે મોટા પાયે પ્રમોશન કવાયત જોવામાં આવે છે.

ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે વૃદ્ધિ પામે છે: RBI

નવી દિલ્હી: અનિશ્ચિત અને પડકારજનક વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ છતાં, ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે વૃદ્ધિ પામી રહ્યું છે, જે મજબૂત સ્થાનિક માંગ, સૌમ્ય ફુગાવા અને સમજદાર મેક્રોઇકોનોમિક નીતિઓ દ્વારા આધારભૂત છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ જણાવ્યું છે.

સ્થાનિક નાણાકીય વ્યવસ્થા મજબૂત અને સ્થિતિસ્થાપક રહે છે, જે મજબૂત બેલેન્સ શીટ, સરળ નાણાકીય પરિસ્થિતિઓ અને ઓછી નાણાકીય બજારની અસ્થિરતા દ્વારા મજબૂત બને છે. તેમ છતાં, બાહ્ય અનિશ્ચિતતાઓ – ભૂરાજકીય અને વેપાર સંબંધિત, નજીકના ગાળાના જોખમો છે, સેન્ટ્રલ બેંકે તેના નવીનતમ નાણાકીય સ્થિરતા અહેવાલ (FSR)માં જણાવ્યું છે.

અહેવાલ મુજબ, વૈશ્વિક અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે, જેને નાણાકીય પગલાં, ફ્રન્ટ-લોડેડ વેપાર અને મજબૂત AI-સંબંધિત રોકાણ દ્વારા ટેકો મળ્યો છે. જો કે, હજુ પણ વધેલી અનિશ્ચિતતા, ઉચ્ચ જાહેર દેવું અને અવ્યવસ્થિત બજાર સુધારણાના જોખમને કારણે ઘટાડાનું જોખમ ચાલુ રહે છે.

“વૈશ્વિક નાણાકીય બજારો સપાટી પર મજબૂત દેખાય છે પરંતુ વધતી જતી અંતર્ગત નબળાઈઓ દર્શાવે છે. ઇક્વિટી અને અન્ય જોખમી સંપત્તિઓમાં તીવ્ર વધારો, બિન-બેંક નાણાકીય મધ્યસ્થીઓની ભૂમિકામાં વધારો અને બેંકો સાથે તેમની વધતી જતી આંતરસંબંધ, અને સ્ટેબલકોઇન્સની વૃદ્ધિ, આ બધા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાની નાજુકતામાં વધારો કરે છે,” તે ઉલ્લેખ કરે છે.

RBI રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે મજબૂત મૂડી અને પ્રવાહિતા બફર્સ, સુધારેલ સંપત્તિ ગુણવત્તા અને મજબૂત નફાકારકતા સાથે શિડ્યુલ્ડ વાણિજ્યિક બેંકો (SCBs)નું વલણ મજબૂત રહે છે. મેક્રો સ્ટ્રેસ ટેસ્ટના પરિણામો કાલ્પનિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ હેઠળ નુકસાનનો સામનો કરવા અને નિયમનકારી લઘુત્તમ કરતા ઘણા ઉપર મૂડી બફર્સ જાળવવા માટે SCBs ની સ્થિતિસ્થાપકતાની પુષ્ટિ કરે છે. સ્ટ્રેસ ટેસ્ટ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્લિયરિંગ કોર્પોરેશનોની સ્થિતિસ્થાપકતાની પુષ્ટિ કરે છે.

નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) મજબૂત મૂડી બફર્સ, નક્કર કમાણી અને સુધારેલી સંપત્તિ ગુણવત્તા દ્વારા મજબૂત રહે છે. વીમા ક્ષેત્ર બેલેન્સ શીટ સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે અને એકીકૃત સોલ્વન્સી ગુણોત્તર લઘુત્તમ થ્રેશોલ્ડ મર્યાદાથી ઉપર રહે છે.

દરમિયાન, માર્ચ 2025ના અંતમાં ઘરેલું દેવું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના 41.3 ટકા સુધી વધી ગયું, જે તેના પાંચ વર્ષના સરેરાશ 38.3 ટકાથી સતત વધારો દર્શાવે છે, જેમાં વપરાશ સંબંધિત લોન મોટાભાગે ઉધાર લેતી હતી, અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. જો કે, RBIએ નોંધ્યું છે કે મોટાભાગના ઉભરતા બજાર અર્થતંત્રોની તુલનામાં, ભારતનું ઘરેલું દેવું ઓછું રહે છે.