
WELCOME 2026 : કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત નવા વર્ષની ધામધૂમથી ઉજવણી
કાશ્મીરની બરફીલા ખીણોથી લઈને કન્યાકુમારીના દરિયાકિનારા સુધી, સમગ્ર ભારતમાં 2026નું સ્વાગત ઉત્સાહથી કરવામાં આવ્યું. ઘડિયાળમાં રાત્રે 12 વાગ્યાની સાથે જ આકાશ રંગબેરંગી ફટાકડાથી ચમકી ગયું, શેરીઓમાં ભીડ ઉમટી પડી, અને લોકો એકબીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

વિશ્વભરમાં નવા વર્ષની શરૂઆત
2025 ની કડવી મીઠી યાદોને પાછળ છોડીને, દેશભરમાં નવા વર્ષની પાર્ટીઓ, લાઇવ કોન્સર્ટ, ક્લબ ઇવેન્ટ્સ અને સોસાયટી ફંક્શન્સ સાથે ઉજવણી શરૂ થઈ. દિલ્હી, મુંબઈ, પટના, લખનૌ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં મોડી રાત સુધી કાઉન્ટડાઉન, ડીજે બીટ્સ અને “હેપ્પી ન્યૂ યર” ના નારા ગુંજતા રહ્યા. ઘણા પરિવારોએ ઘરે કેક કાપીને, બાળકોએ ફટાકડા ફોડીને અને મિત્રોએ શેરીઓમાં કાર રેલીઓનું આયોજન કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું.

દક્ષિણ પેસિફિકથી ભારત સુધી, વિશ્વના ઘણા ભાગોમાં નવા વર્ષની આ લહેર શરૂ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સૌપ્રથમ તેના પ્રતિષ્ઠિત સ્કાય ટાવર પરથી શાનદાર આતશબાજી સાથે 2026 ની શરૂઆત થઈ. આશરે 1.7 મિલિયન લોકોની વસ્તી ધરાવતા આ શહેરમાં, મધ્યરાત્રિએ 240 મીટર ઊંચા ટાવરના અનેક માળ પરથી એક સાથે ફટાકડા છોડવામાં આવ્યા હતા, જેને જોવા માટે હજારો લોકો મરિના અને ઓપન એરેનામાં એકઠા થયા હતા. તે પહેલાં, દક્ષિણ પેસિફિકના ટાપુ રાષ્ટ્રોએ પણ 2025 ને વિદાય આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભેચ્છાઓ પાઠવી
ભારત માટે, નવું વર્ષ માત્ર ઉજવણી જ નહીં, પણ સંદેશાઓનો તહેવાર પણ હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને અભિનંદન આપતાં, નવા વર્ષને નવી ઊર્જા, સકારાત્મક પરિવર્તન અને આત્મનિરીક્ષણનું વર્ષ ગણાવ્યું. તેમણે લોકોને 2026 ને વિકાસ, સામાજિક સંવાદિતા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેની દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા વર્ષ તરીકે સ્વીકારવાની અપીલ કરી. પોતાના સંદેશમાં, તેમણે શુભેચ્છા પાઠવી હતી કે નવું વર્ષ દરેક ભારતીયના જીવનમાં શાંતિ, ખુશી અને સમૃદ્ધિ લાવે અને મજબૂત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે નવી ઉર્જા આપે.
જાણો કોણ છે ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP ડો. કે.એલ.રાવ?
નવા વર્ષની શરૂઆત થતાં જ ગુજરાતને વધુ એક નવા ઈન્ચાર્જ ડીજીપી મળી ગયા છે. ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામની જાહેરાત થતાં જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વની વાત એ છે કે, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે.

ડો.કે.એલ.એન.રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી બન્યા તે પહેલા ડો.કે.એલ.એન.રાવ સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવતાં હતા. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર અધિકારી છે અને તેમને નિવૃત્તિને હજુ 22 મહિનાનો સમય બાકી છે. જેથી ગુજરાત રાજ્યના 30માં ડીજીપી તરીકે રાવની નિમણૂંક કરવામાં આવી છે.

ડો.રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેઓ એસપી તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે જ્યારે તેઓ ઘણાં વર્ષ સુધી ગુજરાતની જેલના વડા તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે.
ગુજરાતમાં કેવા ગુનાઓ બની રહ્યા છે તેની પેટર્ન જાણવા માટે સીઆઈડી ક્રાઈમ એ સૌથી મહત્ત્વનું એકમ ગણાય છે. હાલમાં સરકાર ક્યા પ્રોજેકટ ઉપર કામ કરી રહી છે તે તમામ માહિતીથી સીઆઈડી ક્રાઈમના વડા માહિતગાર હોય છે. તેમજ સીઆઈડી ક્રાઈમની ઓફિસ ડીજીપી ઓફિસમાં જ આવેલી છે અને ગૃહ વિભાગની બેઠકોમાં પણ સીઆઈડીના વડા હાજર રહે છે. આ તમામ કામ ડો.કે.એલ.એન.રાવ કરી ચૂક્યા છે.
ગુજરાતના ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન.રાવને સોંપાઇ જવાબદારી
ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થયા છે. ગુજરાતના ડીજીપી તરીકે અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈન્ચાર્જ ડો. કે.એલ.એન.રાવને જવાબદારી સોંપવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરાયું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય 6 મહિના પહેલા જ નિવૃત થવાના હતા. વિકાસ સહાયને 31 ડિસેમ્બર સુધીનુ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે આજે પુરૂ થઈ ગયું છે.
મુંબઈ: કાંદિવલી રીક્રીએશન ક્લબમાં`પાંદડું લીલું ને રંગ રાતો’સુગમ સંગીતનો કાર્યક્રમ
મુંબઈમાં કલા-સંસ્કૃતિ અને સાહિત્ય સંબંધિત અનેક કાર્યક્રમો થતાં હોય છે. કાંદિવલી રીક્રીએશન ક્લબ સમયાંતરે સાંસ્કૃતિક-સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આજના સમયમાં સુગમ સંગીતનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે ક્લબ દ્વારા `પાંદડું લીલું ને રંગ રાતો’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંદિવલી રીક્રીએશન ક્લબ દ્વારા આગામી 4 જાન્યુઆરી, રવિવારે સાંજે એક સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. `પાંદડું લીલું ને રંગ રાતો’ શીર્ષક હેઠળ આયોજિત આ પ્રોગ્રામ કાંદિવલી રીક્રીએશન ક્લબ ગ્રાઉન્ડ, કાંદિવલી (પશ્ચિમ) ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ વગેરે નામાંકિત સ્વરકારોએ સ્વરબદ્ધ કરેલા ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ નિશા કાપડિયા, આલાપ દેસાઈ અને રાઘવ દવે કરશે.
કાર્યક્રમમાં વાદ્યસંગતમાં પ્રતીક શાહ, વિજય ધુમાલ, દેવેન પંડ્યા અને શશાંક આચાર્ય જોડાશે. સંચાલન કવિ મુકેશ જોશીનું અને સંકલન હિતેન આનંદપરા કરશે. ક્લબ વતી પ્રમુખ સંજય શાહ, સચિવ ગૌતમ આચાર્ય, મનોરંજન સમિતિના કન્વીનર ભાવેશ મહેતા અને ભૂપેશ શિરોદરિયા દ્નારા આયોજિત કાર્યક્રમમાં પ્રવેશ માટે આ નંબર પર 9892795625 સંપર્ક કરી શકાશે.
Happy New Year 2026 : વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી શરૂ
જ્યારે મોટાભાગના દેશો હજુ પણ ઘડિયાળમાં મધ્યરાત્રિ વાગે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પેસિફિક મહાસાગરના બે દૂરના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નવું વર્ષ 2026 વિશ્વમાં સૌપ્રથમ કિરીબાતીના નાના ટાપુ કિરીટીમાટી પર આવ્યું, જ્યાં મધ્યરાત્રિએ ઉજવણી શરૂ થઈ. થોડા સમય પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓના લોકોએ પણ નવા વર્ષનું સ્વાગત કર્યું.
Newzealand and Australia are Celebrating #NewYear2026 pic.twitter.com/pmNI5G5BhQ
— The_Social (@wala_socia56666) December 31, 2025
કિરીબાતી ક્યાં છે?
કિરીબાતી એ એક ટાપુ રાષ્ટ્ર છે જે પ્રશાંત મહાસાગરમાં, હવાઈના દક્ષિણમાં અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં સ્થિત છે. આ દેશ 33 નાના અને મોટા એટોલ્સ (કોરલ ટાપુઓ) થી બનેલો છે અને લગભગ 4,000 કિલોમીટર સુધી ફેલાયેલો છે.
કિરીબાતીએ 1979 માં બ્રિટનથી સ્વતંત્રતા મેળવી હતી અને તેની વસ્તી લગભગ 116,000 છે. રસપ્રદ વાત એ છે કે, કિરીબાતી ભૌગોલિક રીતે હવાઈની નજીક હોવા છતાં, તે નવા વર્ષનો દિવસ એક આખો દિવસ વહેલો ઉજવે છે. આ 1994 માં સમય ઝોનમાં ફેરફારને કારણે છે, જેના કારણે બધા ટાપુઓ પર સમાન તારીખ સુનિશ્ચિત થાય છે. કિરીટીમાટીને વિશ્વનો પ્રથમ નવું વર્ષ દિવસ કહેવામાં આવે છે.
કિરીબાતીના ઘણા ટાપુઓ ખૂબ જ નીચા સ્તરે સ્થિત છે અને દરિયાની સપાટીમાં વધારો થવાથી જોખમમાં છે. આ હોવા છતાં, અહીં નવું વર્ષ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વિસ્તારને દક્ષિણ પેસિફિકમાં સૌથી મોટો દરિયાઈ અનામત પણ માનવામાં આવે છે.
2026 ની સવાર ન્યુઝીલેન્ડમાં વહેલી આવી
કિરીબાતી પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં નવું વર્ષ આવ્યું, જ્યાં ફક્ત 600 લોકો રહે છે. હોટેલ ચેથમ બારમાં, સ્થાનિક લોકો 2025 ની છેલ્લી ક્ષણો સાથે વિતાવી રહ્યા હતા. હોટેલ માલિક ટોની ક્રૂનના મતે, યુવાનો મોડે સુધી જાગશે, પરંતુ જૂની પેઢી વહેલા સૂઈ શકે છે. ટોની કહે છે કે લોકોનો આ સ્થળ સાથે ખાસ સંબંધ છે. અહીં 2026નું સ્વાગત કરવું ખરેખર ખાસ છે, કારણ કે આપણે દુનિયાથી અલગ છીએ, છતાં એકબીજા સાથે જોડાયેલા છીએ.
ભવન્સ ખાતે દીક્ષાંત સમારોહ યોજ્યો, ઓલ-ઇન્ડિયા ટોપર્સનું સન્માન
અમદાવાદ: ભવન્સ એચ. બી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) એ મંગળવારે 51મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો. ભારતીય વિદ્યાભવનના ગીતા હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો. ડિજિટલ મીડિયા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ (IRPM) તથા ઇન્ટરનેશનલ ટ્રેડના વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ભવન્સના ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો, માતા-પિતા અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા.
દીક્ષાંત સમારોહ ભારતીય વિદ્યાભવનના સ્થાપક કુલપતિ ડૉ. કે. એમ. મુન્શીની 138મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા ભારતીય વિદ્યાભવનના અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ ડૉ. મુકેશ પટેલે જણાવ્યું કે ભવન્સ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ એક પરિવાર છે. અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓની સાથે ઊભા રહીએ છીએ,” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન દરમિયાન પણ માતૃસંસ્થા સાથે જોડાયેલા રહેવાની અપીલ કરી.
મૂલ્યો સાથે કુશળતાના મહત્વ પર ભાર મૂક્તા સચિવ પ્રકાશ ભગવતીએ જણાવ્યું કે “વ્યવસાયિકતા આવશ્યક છે, પરંતુ હંમેશા ધરતી સાથે જોડાયેલા અને વિનમ્ર રહેવું જોઈએ,” એમ તેમણે કહ્યું અને કારકિર્દીમાં ઈમાનદારીને માર્ગદર્શક બનાવવાની સલાહ આપી. વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કરતાં ખજાનચી ગૌરવ શાહે જણાવ્યું કે “સાચે જ કુશળ ઉમેદવાર ક્યારેય પાછળ રહેતો નથી.” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતા વ્યાવસાયિક વાતાવરણમાં સતત પોતાની કુશળતા અપગ્રેડ કરવા પ્રોત્સાહિત કર્યા.
આ સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા કુલપતિ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ ડિજિટલ મીડિયામાં શિરાલી ચાવડા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટમાં વિધી પારેખ અને ઇન્ટરનેશનલ ટ્રેડમાં પ્રિયાંશી ખડકેને સન્માનિત કરવામાં આવ્યા.
એચ. બી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટના ડિરેક્ટર શ્યામ પારેખે સંસ્થાની મજબૂત પ્લેસમેન્ટ પરંપરા અને ઉદ્યોગકેન્દ્રિત તાલીમ પર પ્રકાશ પાડ્યો. “અમે વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે જરૂરી કુશળતાઓ સાથે તૈયાર કર્યા છે અને અમને ગર્વ છે કે ભવન્સના વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં માનનીય પદો પર કાર્યરત છે,” એમ તેમણે જણાવ્યું.
ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક અનુભવ અંગે સંક્ષિપ્ત અનુભવો શેર કર્યા અને સંસ્થાના સહાયક તથા પ્રેરક શૈક્ષણિક વાતાવરણની પ્રશંસા કરી. પ્રમાણપત્ર વિતરણ, સમૂહ ફોટોગ્રાફ અને અનૌપચારિક મુલાકાત સાથે સમારોહનો અંત આવ્યો, જે સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક સ્મરણિય ક્ષણ બની રહ્યો.
પાકિસ્તાની સંસદના સ્પીકરે ઢાકામાં જયશંકર સાથે હાથ મિલાવ્યા
પાકિસ્તાનના રાષ્ટ્રીય સભા (NA) ના સ્પીકર સરદાર અયાઝ સાદિક અને વિદેશ પ્રધાન એસ. જયશંકર બુધવારે ઢાકામાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની ટૂંકી અનૌપચારિક મુલાકાતની જાહેરાત બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. બેઠક દરમિયાન ઘણા દક્ષિણ એશિયાઈ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા, અને જયશંકર બધા સાથે મુલાકાત કરી રહ્યા હતા.
Sardar Ayaz Sadiq, Speaker of the National Assembly of Pakistan, exchanges greetings with Indian External Affairs Minister S. Jaishankar in Dhaka on Wednesday ahead of the funeral programme of former Bangladesh Prime Minister Khaleda Zia. pic.twitter.com/1eLz0i8nAi
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) December 31, 2025
વિદેશ પ્રધાન જયશંકર ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર માટે ઢાકા પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાનના નેતાઓ વચ્ચેની આ મુલાકાત આ વર્ષે મે મહિનામાં ચાર દિવસના યુદ્ધ પછી બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે થઈ છે. આ વાત માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ પ્રતિબિંબિત થઈ છે, ભારતીય ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવાનો ઇનકાર કર્યો હતો.
પાકિસ્તાની નેતા સાથે વિદેશ પ્રધાન જયશંકરની મુલાકાતના ફોટા ટ્વીટ કરતા યુનુસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, બુધવારે ઢાકામાં ભૂતપૂર્વ બાંગ્લાદેશી વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર પહેલાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સભાના સ્પીકર સરદાર અયાઝ સાદિક ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરનું સ્વાગત કર્યું.
બંને નેતાઓ વચ્ચે મુલાકાત ખાલિદા ઝિયાના નિવાસસ્થાને થઈ હતી. ખાલિદા ઝિયાનું મંગળવારે 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન અને દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓમાંના એક હતા.



