આપણું જીવન ત્રણ ગુણો દ્વારા સંચાલિત છે: સત્વ, રજસ અને તમસ. જ્યારે સત્વ વધે ત્યારે જીવનમાં સજગતા, જ્ઞાન, બુદ્ધિ , પ્રસન્નતા, આનંદ, સમતા, શાંતિ આ બધુ જ વધે છે. રજસ ગુણ વધે ત્યારે અશાંતિ, ઇચ્છા અને તૃષ્ણા વધે છે. તે પોતાની સાથે અમુક અંશે દુઃખ પણ લાવે છે. જ્યારે તમો ગુણ વધે છે, ત્યારે ઉદાસી, ઊંઘ, આળસ, નીરસતા આવે છે.

જ્ઞાની વ્યક્તિ આ ગુણોથી પ્રભાવિત થતો નથી. એ પોતાની જાતને આ ગુણોથી પરે જોઈ અને સમજી શકે કે મનની શુદ્ધતા અને ત્રણ ગુણોનું મહત્વ છે કે આ ફક્ત મનની સ્થિતિઓને અસર કરી શકે છે. તેથી, તેણે પોતાનું મન શુદ્ધ કરવાનું છે. આત્માના શુદ્ધ અસ્તિત્વને સમજવા માટે પહેલા મનનું શુદ્ધિકરણ જરૂરી છે.
જેમ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન કરીએ છીએ અથવા ગંદા કપડાં ધોઈએ છીએ, તેવી જ રીતે મનનું શુદ્ધિકરણ પણ જરૂરી છે. કોઈ એવું નહીં વિચારે કે સ્નાન ફક્ત ત્યારે જ કરવું જોઈએ જ્યારે શરીર ખૂબ ગંદુ હોય. તે એક નિયમિત ક્રિયા છે. ભલે આપણું શરીર શુદ્ધ હોય કે અશુદ્ધ, આપણે દરરોજ સ્નાન કરીએ છીએ. જો તમારા હાથ પર કાદવ કે ડામર લાગે, તો શું તમે બેસીને રડશો? ના, તમારે તરત જ સાબુથી હાથ ધોવા પડશે. જો ગંદકી વધારે હોય, તો તમારે તેને ઘસીને સાફ કરવી પડશે. તેવી જ રીતે, મનની અશુદ્ધિઓ નિયમિતપણે દૂર કરવી જરૂરી છે.

મન પણ શરીર જેવું જ છે, જેને શુદ્ધ રાખવું જરૂરી છે. તે માટે ધ્યાન મદદરૂપ થાય છે, કારણ કે તે મનને શુદ્ધ અને સંતુલિત રાખવામાં મદદ કરે છે. સુખ અને દુઃખ ની લાગણી મનમાં નિરંતર ઉઠતી રહે છે, પરંતુ આ લાગણીઓ ક્ષણિક ઉઠે છે અને વિલીન થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ થોડીવાર બેસીને ધ્યાન, પ્રાણાયામ, ભજન કે પ્રાર્થના કરે છે, તો મનની શુદ્ધતાનો અનુભવ કરી શકાય છે. ધ્યાન દ્વારા વ્યક્તિ ભૂતકાળના ક્રોધ અને ભૂતકાળની ઘટનાઓથી મુક્ત થઈ શકે છે. ધ્યાનનો અર્થ છે – વર્તમાન ક્ષણને પૂર્ણપણે સ્વીકારવી અને દરેક ક્ષણને ઊંડાણપૂર્વક જીવવી.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)














યુવા સાહિત્યકાર અંકિતા જૈન એક રિસર્ચ એસોસિએટ અને સહાયક પ્રોફેસરથી લેખિકા બન્યા છે. તેમનું પ્રથમ પુસ્તક ‘એવી તેવી ઔરત’ જાગરણ-નીલસન બેસ્ટસેલર રહ્યું હતું. તેમની અન્ય કૃતિઓમાં ‘મૈં સે માં તક’, ‘ઓ રે! કિસાન’, ‘મુહલ્લા સલીમબાગ’ તેમજ બાળ ઉપન્યાસ ‘આતંકી મોર’નો સમાવેશ થાય છે.
અંકિતા જૈને વિવિધ અખબારો અને ડિજિટલ પ્લેટફોર્મ પર લેખન કર્યું છે. તેઓ ‘વૈદિક વાટિકા’ એગ્રો મેન્યુફેક્ચરિંગ કંપનીના ડાયરેક્ટર તેમજ ‘જય જંગલ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની’ના સ્થાપક સભ્ય છે. આ સાથે જ તેઓ વ્યાવસાયિક સ્કલ્પ્ચર પેઇન્ટિંગ આર્ટિસ્ટ અને ટ્રેનર તરીકે પણ કાર્યરત છે.
ઇફકો દ્વારા વર્ષ 2011થી શરૂ કરાયેલો ઇફકો સાહિત્ય સન્માન દર વર્ષે એવા હિન્દી લેખકોને આપવામાં આવે છે, જેમના સાહિત્યમાં મુખ્યત્વે ગ્રામિણ અને કૃષિ જીવનનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું હોય. આ પુરસ્કાર હેઠળ સન્માનિત સાહિત્યકારને પ્રતિક ચિહ્ન, પ્રશસ્તિ પત્ર તથા 11 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવે છે.
સમારોહ દરમિયાન ફ્લાઇંગ ફેધર્સ આર્ટ એસોસિએશન દ્વારા મૈત્રેયી પુષ્પાની વાર્તા ‘ગુનાહગાર’નું નાટ્યમંચન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.