નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે શુક્રવારે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકો સામે તાજેતરમાં થયેલી હિંસા અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે આવી ઘટનાઓને માત્ર મિડિયા દ્વારા વધારીને રજૂ કરાયેલા સમાચાર અથવા રાજકીય હિંસા કહીને અવગણવામાં નહીં આવે.
બાંગ્લાદેશમાં થયેલી તાજેતરની ઘટનાઓ પર પ્રતિભાવ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે બાંગ્લાદેશમાં ફેલાતી ખોટી માહિતી (ફેક ન્યૂઝ)ને નકારી કાઢતાં અનેક નિવેદનો જાહેર કર્યાં છે.તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલા ઘટનાક્રમોથી તેઓ સંપૂર્ણ રીતે અવગત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ સહિતના અલ્પસંખ્યકો સામે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત હિંસા અત્યંત ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં હિંદુ યુવક અમૃત મંડલની થયેલી જઘન્ય હત્યાની કડક નિંદા કરી અને આશા વ્યક્ત કરી હતી કે આ ગુનાના દોષિતોને વહેલી તકે ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકારના સમયગાળામાં સ્વતંત્ર સ્ત્રોતોએ અલ્પસંખ્યકો સામે 2900થી વધુ હિંસાત્મક ઘટનાઓ નોંધાવી છે, જેમાં હત્યા, આગ ચાંપવી અને જમીન કબજા જેવા કેસો સામેલ છે. બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક અન્ય મંડલને માર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના એક દિવસ બાદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે કહ્યું હતું કે આ ઘટના સાંપ્રદાયિક હિંસાથી જોડાયેલી નથી. સરકારના જણાવ્યા અનુસાર મૃતક મંડલ સામે અનેક ગંભીર ગુનાઓના આરોપો હતા.
VIDEO | Delhi: Responding to a media query regarding violence and attacks against minorities in Bangladesh, MEA spokesperson Randhir Jaiswal (@MEAIndia) said, “India has rejected the false anti-India narrative being projected in Bangladesh and reiterated that maintaining law and… pic.twitter.com/3DPpxa7FtW
— Press Trust of India (@PTI_News) December 26, 2025
બાંગ્લાદેશ સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હત્યાના મામલે સોશિયલ મિડિયા પર ફેલાતી “ભ્રામક માહિતી”ની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે બીએનપીના નેતા તારિક રહમાનની 17 વર્ષ બાદ વાપસીને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ.


કાંકરિયા તળાવ જૂના સ્થાપત્ય અને આધુનિકતાના સમન્વય શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાંકરિયા તળાવનું નવીનીકરણ કર્યું એ વર્ષના છેલ્લા સપ્તાહમાં કાંકરિયાના કિનારે ભવ્ય કાર્નિવલની શરૂઆત થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કાંકરિયા કાર્નિવલ 2025ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિત અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂઆત થઈ ગઈ છે.
સ્વચ્છતામાં અગ્રેસર અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ભવ્ય ‘લાઈટ એન્ડ શો ‘ સાથે થઈ હતી. આ સાથે વોકલ ફોર લોકલ, કોમન વેલ્થ ગેમ, સાયકલ, રાષ્ટ્ર ધ્વજ જેવી અનેક થીમ સાથે ડ્રોન શોની મજા કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં લોકોએ માણી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની શરુઆતમાં જ કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોના પરફોર્મન્સથી લોકો ઝુમી ઉઠ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખાય કાર્નિવલ પર નજર રહે એ માટે આધુનિક સી.સી.ટી.વી કેમેરા લગાવ્યા છે. આ સાથે કંટ્રોલ રૂમ સાથેનો સ્ટાફ, ફાયર બ્રિગેડ, હોમ ગાર્ડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કાંકરિયા કાર્નિવલની ઉજવણીને દેશ વિદેશથી આવતા લોકો માટે વધુ સરળ બનાવી રહ્યો છે.
આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને સર્જકો અંકિત સાખિયા (દિગ્દર્શક), અજય પડરિયા (નિર્માતા), શ્રુહદ ગોસ્વામી (અભિનેતા – પાત્ર: કૃષ્ણ), કરણ જોશી (અભિનેતા – પાત્ર: લાલજી) અને રીવા રાછ (અભિનેત્રી – પાત્ર: તુલસી) જોડાયા હતાં. આ ઉપરાંત, આર વર્લ્ડ મલ્ટિપ્લેક્સના ચેરમેન અને ૧૯૯૪માં રાજશ્રી સિનેમા લોન્ચ કરનાર અજયસિંહ ચુડાસમાએ ફિલ્મ ઉદ્યોગના વ્યાપક પરિપ્રેક્ષ્ય વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન AMAના પૂર્વ પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા દ્રારા કરવામાં આવ્યું હતું.
જીવવાની ખુમારી સમાજમાં ઓછી થઈ રહી છે. સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરી ને ગરીબડાં દેખાઈ સરકાર પર દબાણ વધારવા પ્રયત્નો થાય એ કરુણતા છે. કોઈ પણ સાધન કે સંસાધન નો સભાનતા પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સરકારી વસ્તુઓ નું નુકશાન અંતે તો પ્રજા પર જ ભારણ ઊભું કરે છે.


વર્ષ માટે કંઈક ને કંઈક પ્લાનિંગ હોય છે. કોઈને જિમ શરૂ કરવું છે, કોઈને ડાયેટ કરવો છે, કોઈને કંઈક ખરીદવું છે, તો કોઈને પોતાની આદતોમાં ફેરફાર કરવો છે. પરંતુ આ બધાનો મુખ્ય હેતુ એક જ છે – ટ્રાન્સફોર્મેશન.

છે.વાસ્તુ, ફેંગસૂઈ, ટેરોટ, કાર્ડ, જ્યોતિષ, મંત્રતંત્ર, અંકગણિત, ગ્રહશાંતિ જેવા અનેક નુસ્ખા અજમાવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો મરણિયો પ્રયાસ કરીએ છીએ.


આવા ટાણે થોડી વેગળી વાત કરીએ. આશરે ચાળીસેક વર્ષ જૂની વાત છે. દુનિયાના કેટલાક ચિંતકો-વિચારકો એક જગ્યાએ ભેગા થયા. ઈતિહાસનાં પૃષ્ઠો જોતાં-ફેરવતાં એમણે વિચાર્યું કે સફળ લોકોનાં જીવનચરિત્ર વાંચીએ. આવી કેટલીક બાયોગ્રાફી વાંચતાં એમના ધ્યાનમાં આવ્યું કે ઘણી સફળ વ્યક્તિઓનાં જીવન સંસાધન અથવા રિસોર્સીસ સારાં હતાં, એમનાં બેકગ્રાઉન્ડ અને પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ સારી હતી, મજબૂત હતી, પરંતુ આ બધાં સંસાધનો છતાં કેટલાક લોકો એવા પણ હતા, જે સફળ ન થઈ શક્યા. બીજી બાજુ, એવા પણ કેટલાક લોકો સફળ થયા, જેમનું લેખન-વાંચન ઓછું હતું. સાધનસગવડ પણ એવાં કંઈ ખાસ નહોતાં, પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ મજબૂત નહોતી.


