Home Blog Page 358

ISROનો નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-2 લોન્ચ

શ્રીહરિકોટા:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. 24 જાન્યુઆરીના રોજ સવારે 8:54 વાગ્યે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. બ્લૂબર્ડ બ્લોક-2 એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે.

સ્પેસમાંથી મળશે સીધું ઈન્ટરનેટ

ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-2 કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6) છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) અને AST સ્પેસ મોબાઈલ વચ્ચે સમજૂતી હેઠળ કરાયું છે. આ મિશન હેઠળ લૉ અર્થ ઓર્બિટ (LEO)માં દુનિયાનું સૌથી મોટો કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ તરતો મૂકાયો છે જે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરું પાડશે.

બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઈટની વિશેષતાઓ

બ્લૂબર્ડ બ્લોક-2 એ AST સ્પેસમોબાઈલની આગામી પેઢીની કમ્યુનિકેશન સેટેલાઈટ શ્રેણીનો એક ભાગ છે. આ સેટેલાઈટ વિશ્વભરના એવા વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવી છે જ્યાં ગ્રાઉન્ડ નેટવર્ક પહોંચી શકતું નથી. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:…

વજન: આશરે 6100 થી 6500 કિલોગ્રામ (આ LVM3 દ્વારા ભારતીય ધરતી પરથી લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે).

કદ: તેમાં 223 ચોરસ મીટર (આશરે 2,400 સ્ક્વેર ફીટ)નો ફેઝ્ડ એરે એન્ટેના લાગેલો છે, જે તેને લો અર્થ ઓર્બિટ (LEO) માં તહેનાત થનારો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઈટ બનાવે છે.

ક્ષમતા: તે 4G અને 5G નેટવર્ક સપોર્ટ કરે છે. તે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ પ્રદાન કરશે.

સ્પીડ: પ્રતિ કવરેજ સેલ 120 Mbps સુધીની પીક ડેટા સ્પીડ, જે વોઈસ કોલ, વિડીયો કોલ, ટેક્સ્ટ, સ્ટ્રીમિંગ અને ડેટા સર્વિસિસને સપોર્ટ કરશે.

ઉદ્દેશ્ય: આ સેટેલાઈટ AST સ્પેસમોબાઈલના ગ્લોબલ કોન્સ્ટેલેશનનો ભાગ છે, જે વિશ્વભરમાં 24/7 કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. તેનાથી અંતરિયાળ વિસ્તારો, સમુદ્રો અને પર્વતોમાં પણ મોબાઈલ નેટવર્ક પહોંચશે.

અગાઉના સેટેલાઈટ્સ: કંપનીએ સપ્ટેમ્બર 2024 માં બ્લુબર્ડ 1-5 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા, જે અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં સતત ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડી રહ્યા છે. બ્લોક-2 તેના કરતા 10 ગણી વધુ બેન્ડવિડ્થ ક્ષમતા ધરાવે છે.

આ સેટેલાઈટ આશરે 600 કિલોમીટરની ઊંચાઈવાળી લો અર્થ ઓર્બિટમાં તહેનાત કરવામાં આવશે.

LVM3 રોકેટની વિશેષતાઓ

LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક-3), જેને પહેલા GSLV Mk-III કહેવામાં આવતું હતું, તે ઈસરો (ISRO)નું સૌથી શક્તિશાળી રોકેટ છે. તેને ઈસરોએ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવ્યું છે.

ઊંચાઈ: 43.5 મીટર

લિફ્ટ-ઓફ વજન: 640 ટન

સ્ટેજ: ત્રણ સ્ટેજવાળું રોકેટ

બે સોલિડ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર (S200)

લિક્વિડ કોર સ્ટેજ (L110)

ક્રાયોજેનિક અપર સ્ટેજ (C25)

પેલોડ ક્ષમતા:

જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં: 4,200 કિલોગ્રામ સુધી.

લો અર્થ ઓર્બિટ (LEO) માં: 8,000 કિલોગ્રામ સુધી.

અગાઉના સફળ મિશન

LVM3 એ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 અને બે વનવેબ મિશન (કુલ 72 સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તેનું અગાઉનું મિશન LVM3-M5/CMS-03 હતું, જે 2 નવેમ્બર 2025 ના રોજ સફળ રહ્યું હતું.

અમેરિકાએ H-1B વિઝા લોટરી સિસ્ટમ ખતમ કરી, વધુ પગારવાળાને પ્રાથમિકતા

વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રએ મંગળવારે H-1B વર્ક વિઝા પસંદગી પ્રક્રિયામાં મોટા ફેરફારોની જાહેરાત કરી, લાંબા સમયથી ચાલતી રેન્ડમ લોટરીને ઉચ્ચ-કુશળ અને ઉચ્ચ-કક્ષાના વિદેશી કામદારોને પ્રાથમિકતા આપતી ભર્તી સિસ્ટમલ બંધ કરવાની જાહેરાત કરી છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જણાવ્યું હતું કે આ પગલું અમેરિકન કામદારોના વેતન, કાર્યકારી પરિસ્થિતિઓ અને નોકરીની તકોને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે. H-1B નોંધણીઓની હાલની રેન્ડમ પસંદગી પ્રક્રિયાનો ઉપયોગ યુએસ નોકરીદાતાઓ દ્વારા કરવામાં આવતો હતો અને તેનો દુરુપયોગ પણ કરવામાં આવતો હતો. જેમાં મુખ્યત્વે અમેરિકન કામદારો કરતાં ઓછા વેતન પર વિદેશી કામદારોને આયાત કરવામાં વધુ આવતા હતા,” યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું.

નવા નિયમન હેઠળ, H-1B વિઝા હવે સંપૂર્ણપણે રેન્ડમ ડ્રો દ્વારા આપવામાં આવશે નહીં, જેમ કે છેલ્લા બે દાયકાથી પ્રથા રહી છે. તેના બદલે, નોંધણીઓને એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ક્રમ આપવામાં આવશે અને પસંદ કરવામાં આવશે જે ઉચ્ચ કુશળ અને ઉચ્ચ પગાર ધરાવતા વિદેશી નાગરિકોને વિઝા આપવાની સંભાવના વધારે છે, જ્યારે નોકરીદાતાઓને તમામ વેતન સ્તરોમાં કામદારો માટે અરજી કરવાની મંજૂરી આપે છે, DHS એ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.

આ ફેરફારનો હેતુ લોટરી સિસ્ટમના પ્રણાલીગત દુરુપયોગને રોકવા માટે છે જેને તેમણે વર્ણવ્યું હતું, જેમાં કેટલાક નોકરીદાતાઓએ કથિત રીતે ઓછા કુશળ, ઓછા વેતનવાળા અરજીઓથી નોંધણી પૂલ ભર્યો હતો, જેનાથી ઉચ્ચ મૂલ્યની અરજીઓ ભરાઈ ગઈ હતી અને અમેરિકન કામદારોને ગેરલાભ થયો હતો, એમ તેમાં જણાવાયું છે.

H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65,000 પર મર્યાદિત રહે છે, જેમાં વધારાના 20,000 વિઝા યુએસ સંસ્થાઓમાંથી એડવાન્સ ડિગ્રી ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવ્યા છે. નવો પસંદગી નિયમ નાણાકીય વર્ષ 2027 H-1B કેપ રજીસ્ટ્રેશન સીઝનથી શરૂ થશે, એમ તેમણે જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે અંતિમ નિયમ 27 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

આ પગલાંઓમાં રાષ્ટ્રપતિની ઘોષણા પણ શામેલ છે જેમાં નોકરીદાતાઓએ પાત્રતાની શરત તરીકે પ્રતિ વિઝા વધારાના $100,000 ચૂકવવા પડશે, વહીવટીતંત્ર કહે છે કે આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે કે નોકરીદાતાઓ ફક્ત ત્યારે જ વિદેશી મજૂરી તરફ વળે જ્યારે તેમને ખરેખર ઉચ્ચ કુશળ કામદારોની જરૂર હોય.

“H-1B સુધારા પ્રત્યે ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, અમે નોકરીદાતાઓ અને એલિયન્સ બંને પાસેથી વધુ માંગ કરવાનું ચાલુ રાખીશું જેથી અમેરિકન કામદારોને ઓછું ન આવે અને અમેરિકાને પ્રથમ સ્થાન આપવામાં આવે,” ટ્રેગેસરે જણાવ્યું.

H-1B કાર્યક્રમ લાંબા સમયથી વૈશ્વિક પ્રતિભાને આકર્ષવા માટેના યુ.એસ.ના પ્રયાસોમાં કેન્દ્રિય રહ્યો છે, જ્યારે તે રાજકીય રીતે સૌથી વિવાદાસ્પદ કાનૂની ઇમિગ્રેશન માર્ગોમાંનો એક પણ રહ્યો છે.

લીલા વટાણાની કચોરી

શિયાળામાં લીલા વટાણા ભરપૂર મળી રહે છે. લીલા વટાણાની કચોરી જેને વણવાની કે ભરવાની ઝંઝટ વગર, ઝટપટ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • લીલા વટાણા 2 કપ
  • લીલા મરચાં 2-3
  • લસણની કળી 6-7
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન (અથવા લાલ મરચાંનો પાઉડર)
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ કચોરી તળવા માટે
  • સમારેલી કોથમીર ½ કપ
  • ચોખાનો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ

રીતઃ લીલા વટાણાને મિક્સીમાં લઈ તેમાં લીલા મરચાં, લસણની કળી, સમારેલું આદુ તેમજ 2 ચમચી જેટલું પાણી નાખીને કરકરું દળી લો.

એક પેનમાં 1¼ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો, તેમાં સફેદ તલ, ચિલી ફ્લેક્સ, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું તેમજ સમારેલી કોથમીર ઉમેરી દો. ત્યારબાદ તેમાં વટાણાની પેસ્ટ ઉમેરી દો.

આ મિશ્રણ સહેજ ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ મેળવો. લોટ મેળવતી વખતે એક હાથેથી ચમચા વડે લોટ મિક્સ કરતા જાવ, જેથી તેમાં ગઠ્ઠા ના પડે. તે જ રીતે ઘઉંનો લોટ પણ મેળવી દો. હવે ગેસની આંચ ધીમી કરી દો અને મિશ્રણને ચારવતા રહો. મિશ્રણ સરખું મિક્સ થઈ જાય અને લોટ જેવું બંધાવા આવે એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણને ઠંડુ કરી લીધા બાદ સહેજ ગરમ હોય તે વખતે તેમાંથી લીંબુની સાઈઝના ગોળા વાળી લો. ગોળામાં જરાપણ ક્રેક ના રહેવી જોઈએ. એકદમ લીસા ગોળા વાળીને તેને ચપટા કરી લો.

હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરી લો. વટાણાની કચોરી માટે તૈયાર કરેલા ચપટા ગોળા તેલમાં તળી લો.

આ કચોરી તળી લીધા બાદ દહીં સાથે પીરસો. દહીંનું રાયતું પણ કચોરી સાથે રાખી શકો છો.

આ કચોરીના ગોળા તૈયાર કરીને રાત્રે ફ્રીજમાં એરટાઈટ ડબ્બામાં રાખીને  સવારે તળીને ટિફિનમાં આપી શકો છો.

૨૪ ડિસેમ્બર ૨૦૨૫

તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના, લિબિયન લશ્કરી વડા સહિત 7ના મોત

તુર્કીમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. લિબિયન વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે તુર્કીમાં વિમાન દુર્ઘટનામાં દેશના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંગળવારે સાંજે જ્યારે એક લિબિયન પ્રતિનિધિમંડળ તુર્કીની રાજધાની અંકારાની સત્તાવાર મુલાકાતથી ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.

પ્રધાનમંત્રી દબેબેહે જારી કરેલા એક નિવેદનમાં, તેમણે આ ઘટનાને “આકસ્મિક અને અત્યંત દુ:ખદ” ગણાવી હતી, અને કહ્યું હતું કે તે “લિબિયા માટે મોટું નુકસાન” હતું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. રાજધાની અંકારાથી ટેકઓફ કર્યા પછી લિબિયન લશ્કરી વડા, અન્ય ચાર અધિકારીઓ અને ત્રણ ક્રૂ સભ્યોને લઈ જતું એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. લિબિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રેશનું કારણ ટેકનિકલ ખામી હતી.

ટેકનિશિયલ ખામીને કારણે સંપર્ક તૂટી ગયો

લીબિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકઓફ થયાના લગભગ 30 મિનિટ પછી વિમાન સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. પ્રારંભિક માહિતી સૂચવે છે કે આ નુકસાન ટેકનિકલ ખામીને કારણે થયું હતું. તુર્કીના અધિકારીઓએ જણાવ્યું હતું કે લિબિયન પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચ-સ્તરીય સંરક્ષણ વાટાઘાટો માટે અંકારામાં હતું.

પંચાંગ 24/12/2025

નવી દિલ્હીમાં નીરજ ચોપરા અને તેની પત્નીએ PM મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ આ મુલાકાતના ફોટા શેર કર્યા છે.

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા પહોંચ્યા હતાં. નીરજ સાથે તેમની પત્ની હિમાની મોરી પણ હતી. નીરજ આ વર્ષે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી હિમાની સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેઓ કામના બ્રેક પર છે.

પીએમ મોદીએ ટ્વિટર પર નીરજ સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કર્યા. તેમણે લખ્યું, “આજે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે નીરજ ચોપરા અને તેમની પત્ની હિમાની મોરી સાથે મુલાકાત થઈ. અમે રમતગમત સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.”

2025 નીરજ માટે કેવું રહ્યું

ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા આખરે આ વર્ષે 90-મીટરનો અવરોધ તોડવામાં સફળ રહ્યા, પરંતુ તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ખિતાબનો બચાવ કરી શક્યા નહીં. નીરજે દોહા ડાયમંડ લીગમાં 90-મીટરનો આંકડો હાંસલ કર્યો, જેને ભાલા ફેંકવામાં માનક ગણવામાં આવે છે. નીરજે 90.23 મીટરના અંતર સુધી ભાલા ફેંક્યો અને સાથે જ આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો એશિયન ખેલાડી અને એકંદરે 25મો ખેલાડી બન્યો. જોકે, આ વર્ષે ટોક્યોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મેડલ જીતવામાં નિષ્ફળ જતાં તે નિરાશ થયો હતો.

નીરજે ત્રણ મુખ્ય ટાઇટલ જીત્યા

નીરજે આ વર્ષે ત્રણ મુખ્ય ટાઇટલ જીત્યા, પેરિસ ડાયમંડ લીગ, ગોલ્ડન સ્પાઇક મીટ અને એનસી ક્લાસિક. તેણે પોતાના ઘરના દર્શકો અને પરિવારના સભ્યોની સામે એનસી ક્લાસિકમાં વિશ્વ-સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. જોકે, સ્ટાર ખેલાડીને ડાયમંડ લીગની ફાઇનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો, જર્મનીના જુલિયન વેબર પછી બીજા સ્થાને રહ્યો. સૌથી અણધાર્યું પરિણામ સપ્ટેમ્બરમાં ટોક્યો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આવ્યું. આ સ્પર્ધામાં, ચોપરાએ 84.03 મીટરનો થ્રો ફેંકવામાં સફળ રહ્યા, અને એકંદરે આઠમું સ્થાન મેળવ્યું.

રિલાયન્સ જિયોની હાઈ-સ્પીડ કનેક્ટિવિટીથી ટેલિ-રોબોટિક સર્જરીની ક્રાંતિ

મુંબઈ: સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (HNRFH),એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ક્રાંતિકારી ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પહેલ રિલાયન્સ જિયોની અદ્યતન હાઈ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટી દ્વારા સંચાલિત છે, જે ભારતમાં રિમોટ સર્જિકલ કેરના નવા યુગનો આરંભ કરે છે.

આ પ્રોગ્રામ હેઠળ, મુંબઈના HNRFHના નિષ્ણાત સર્જનો દેશભરના સહયોગી હેલ્થકેર સેન્ટરો પર રિમોટલી રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરી શકશે અને માર્ગદર્શન આપી શકશે. આનાથી નોન-મેટ્રો અને ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓને વિશિષ્ટ અને ઉચ્ચ-ચોકસાઈવાળી સર્જિકલ સારવાર સીધી મળી શકશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરી-ગ્રામીણ આરોગ્ય સંભાળના અંતરને ઘટાડવાનો છે, જેમાં મુસાફરીની જરૂરિયાત ઘટાડીને સમયસર નિષ્ણાત સારવાર પૂરી પાડવામાં આવે છે.

પ્રોગ્રામ હેઠળ પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી જામનગરના કોમ્યુનિટી મેડિકલ સેન્ટરમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સિદ્ધિ હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ યુરોલોજી-ઓન્કોલોજીના નેતૃત્વમાં હાંસલ કરવામાં આવી હતી. અદ્યતન રોબોટિક સિસ્ટમ્સ અને જિયોની સુરક્ષિત, અલ્ટ્રા-લો-લેટન્સી કનેક્ટિવિટી દ્વારા આ પ્લેટફોર્મ રીઅલ-ટાઇમ ક્લિનિકલ સહયોગ અને અસાધારણ ચોકસાઈ સુનિશ્ચિત કરે છે. આમાં સ્વદેશી વિકસિત ભારતીય રોબોટિક સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે.

લોન્ચ પ્રસંગે ડૉ. તરંગ જ્ઞાનચંદાની, ગ્રુપ CEO – હેલ્થકેર ઇનિશિયેટિવ્સે કહ્યું: “અદ્યતન હેલ્થકેર ભૌગોલિક સીમાઓથી મર્યાદિત ન હોવી જોઈએ. આ પ્રોગ્રામ દ્વારા અમે વર્લ્ડ-ક્લાસ કુશળતાને અંતરિયાળ વિસ્તારો સુધી લઈ જઈ રહ્યા છીએ.”

અનીશ શાહ, COO, જિયો પ્લેટફોર્મ્સે જણાવ્યું: “જિયોનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતરિયાળ વિસ્તારોમાં જીવનરક્ષક સંભાળ પહોંચાડીને હેલ્થકેરમાં નવી શક્યતાઓ ખોલી રહ્યું છે.”

આ પહેલ જામનગર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મેડિકલ ટીમો માટે સતત માર્ગદર્શન અને ક્ષમતા-નિર્માણ પણ પૂરું પાડશે.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન મંગળવારે પટના પહોંચ્યા. એરપોર્ટથી એક ભવ્ય રોડ શો શરૂ થયો. ત્યારબાદ તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી. પોતાના ભાષણ દરમિયાન, નીતિન નવીન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. નીતિન નવીને કહ્યું, ઘણા લોકો એવા છે જે પાર્ટ-ટાઇમ રાજકારણમાં જોડાય છે… રાહુલ ગાંધી જેવા… તેઓ દેશમાં રહે છે, થોડા સમય માટે દેશ વિશે વાત કરે છે, અને પછી વિદેશ જાય છે… તેમણે તાજેતરમાં જર્મનીની મુલાકાત લીધી હતી… તેઓ ત્યાં પણ દેશનું અપમાન કરી રહ્યા છે.

પાર્ટીના ટોચના નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી નીતિન નવીન પહેલી વાર પટનાની મુલાકાતે આવ્યા હતા. સભાને સંબોધતા તેમણે ટોચના નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. નીતિન નવીનએ કહ્યું, “પાટલીપુત્રની આ ભૂમિએ હંમેશા નવી ઉર્જા અને નવી ક્રાંતિ આપી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો.

નીતિન નવીને કહ્યું કે ભાજપે તાજેતરમાં મહારાષ્ટ્ર, ગોવા અને અરુણાચલ પ્રદેશમાં નાગરિક ચૂંટણીઓ જીતી છે. હવે, આ જીત બંગાળથી આગળ કેરળ સુધી વિસ્તરશે, અને દરેક જગ્યાએ ભગવો લહેરાશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે પંચાયતોથી સંસદ સુધી ભગવો લહેરાશે, ત્યારે આપણો સુવર્ણ યુગ આવશે.

તેમણે એમ પણ કહ્યું કે રાજકારણમાં શોર્ટકટ માટે કોઈ સ્થાન નથી. તેને લાંબા ગાળા માટે આપો. ભાજપ એક એવી પાર્ટી છે જે તમને બૂથ સ્તરથી કેન્દ્રીય નેતૃત્વ સુધી લઈ જશે. આજના વ્યાપક કાર્યક્રમ માટે હું દરેક કાર્યકર્તાને હૃદયપૂર્વક સલામ કરું છું, અને હું તમને બધાને નમન કરું છું. સભાને સંબોધતા, ભાજપ નેતાએ કહ્યું કે તમે બિહારને જંગી વિજય અપાવ્યો છે. પીએમ મોદી અને નીતિશ કુમારના કરિશ્માઈ નેતૃત્વ દ્વારા લહેરાવેલા વિજયના પ્રકાશમાં બિહાર પ્રગતિ કરી રહ્યું છે. આ જીતનું પરિણામ એ છે કે અન્ય રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં, પછી ભલે તે મહારાષ્ટ્રની ચૂંટણી હોય, અરુણાચલની ચૂંટણી હોય કે ગોવાની ચૂંટણી… તે બધી ચૂંટણીઓમાં ભાજપનો ધ્વજ ઊંચો લહેરાતો રહ્યો છે.

આસામના કાર્બી આંગલોંગમાં ફરી હિંસા ભડકી, અનેક લોકો ઘાયલ

આસામના કાર્બી આંગલોંગમાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા. પ્રદર્શનકારીઓએ ત્રણ બાઇકને આગ ચાંપી દીધી. આ હિંસા અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ શકે છે. પ્રદર્શનકારીઓ કોમર્શિયલ ચરાઈ અનામત (PGR) અને વિલેજ ચરાઈ અનામત (VGR) જમીનોમાંથી અતિક્રમણ કરનારાઓને, જેમાં મોટાભાગે બિહારના હતા, બહાર કાઢવાની માંગ કરી રહ્યા છે.

પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં ચરાઈ જમીનો પરથી ગેરકાયદેસર કબજેદારોને બહાર કાઢવાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે BNS (નાદારી સંહિતા) ની કલમ 163 લાગુ કરી છે. આ આદેશ 22 ડિસેમ્બરથી આગામી આદેશો સુધી અમલમાં છે. તેનો હેતુ અસામાજિક તત્વોને વંશીય અથવા સાંપ્રદાયિક તણાવ ભડકાવતા અટકાવવા અને જાહેર જીવન અને સંપત્તિનું રક્ષણ કરવાનો છે.