Home Blog Page 362

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘વર્લ્ડ મેડીટેશન ડે’ નિમિત્તે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાયો

અમદાવાદે ફરી એકવાર વિશ્વના નકશા પર પોતાનું વિશેષ સ્થાન સ્થાપિત કર્યું છે. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે બ્રહ્માકુમારીઝ સંસ્થાના આયોજન હેઠળ અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 60,000થી વધુ લોકોએ એકસાથે સામૂહિક રાજયોગ ધ્યાન કરી એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ રચ્યો. “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ” નામે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર મેદાન પ્રકાશ, રંગો અને આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત થયો હતો.

આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની હીરક જયંતી એટલે કે 60 વર્ષની ઈશ્વરીય સેવાઓના અવસર પર આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો તેમજ 15થી વધુ દેશોમાંથી 2000થી વધુ પ્રતિનિધિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો. સાંજે ચારથી રાતે આઠ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 100થી વધુ કલાકારોએ ગીત, સંગીત, નૃત્ય અને કલા દ્વારા આધ્યાત્મિક રજૂઆત કરી હતી.

60,000થી વધુ લોકોની વિશાળ હાજરી હોવા છતાં સમગ્ર વાતાવરણ શાંતિ અને સૌમ્યતાથી ભરેલું હતું. સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત યોગી ભાઈ-બહેનો જાણે દેવદૂતો સમાન લાગતા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે હજારો લોકોએ લાંબા સમયથી રાજયોગ ધ્યાનને પોતાના જીવનનો ભાગ બનાવી સકારાત્મક પરિવર્તન અનુભવ્યો હોવાનું જણાવ્યું. સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે થયેલી રજૂઆતોને જોઈને ઉપસ્થિત સૌ કોઈએ આત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કર્યો.

સમારોહ દરમિયાન 60 તપસ્વી રાજયોગીની બહેનોએ કમળ આસન પર બેસી ગહન ધ્યાન ધારણ કર્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત પવિત્ર બની ગયું. ઉપસ્થિત લોકોએ મનની શાંતિ, આંતરિક સંતુલન અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો.

આ ઐતિહાસિક પ્રસંગે બ્રહ્માકુમારીઝની અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે. જયંતી દીદી, મહામંત્રી બી.કે. કરુણા ભાઈ, અધિક મહામંત્રી બી.કે. મૃત્યુંજય ભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે.એસ. મલિક સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માઉન્ટ આબુ મુખ્યાલયમાંથી પણ મોટી સંખ્યામાં યોગી ભાઈ-બહેનોએ ખાસ હાજરી આપી હતી.

આ પ્રસંગે રાજયોગીની જયંતી દીદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન માનવ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને મન, બુદ્ધિ તથા આત્મા વચ્ચે સંતુલન સ્થાપે છે. આજના અશાંતિભર્યા સમયમાં માનવ મનને શાંતિ તરફ દોરવાનો આ દિવ્ય પ્રયાસ છે. રાજયોગ મેડિટેશન જીવનને સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર બનાવે છે અને આધ્યાત્મિકતા જીવનને વધુ સરળ તથા સફળ બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ વિશ્વના 140 દેશોમાં ભારતની શાશ્વત સંસ્કૃતિ અને જીવનશૈલીનો સંદેશ પહોંચાડ્યો છે.

સમારોહ દરમિયાન બ્રહ્માકુમારીઝ ગુજરાતની 60 વર્ષની ઈશ્વરીય સેવાઓની ઝલક દર્શાવતી વિશેષ રજૂઆત અને પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓના વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લાખો લોકો ઘરમાં બેઠા સામૂહિક ધ્યાન સાથે જોડાયા. આ ઐતિહાસિક “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”એ ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે એક મજબૂત આધ્યાત્મિક સંદેશ આપ્યો અને દરેકના હૃદયમાં શાંતિની દિવ્ય અનુભૂતિ જગાવી.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝ સંસ્થા વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે જેનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે અને આજે વિશ્વના 140 દેશોમાં 8,000થી વધુ સેવાકેન્દ્રો દ્વારા રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનની સેવા અવિરત રીતે ચાલી રહી છે.

અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

મુંદ્રા: અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શિરાચા ખાતે આવેલા દાનેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦મી ડિસેમ્બરે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથાનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.શિરાચા ગામ એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યા પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી ખાસ હાજર રહ્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ કરણ અદાણીને આ અદભૂત કથા આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપના CEO અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના CEO સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં દેવેન્દ્રગીરીજી ગુરુજી (દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા),  મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે.”વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ કરણ અદાણી, રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી રક્ષિત શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

Nutshell in 99

સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જાણો આજના ભાવ

સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. બંને કિંમતી ધાતુઓ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. યુએસમાં વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ, સલામત રોકાણોની વધતી માંગ સાથે, કિંમતી ધાતુઓમાં આ ઉછાળાને વેગ આપ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, માર્ચ એક્સપાયરી સાથે ચાંદી સોમવારે સવારે 2.39% વધીને ₹213,412 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. તે ₹213,844 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પણ પહોંચી ગઈ. સોનામાં પણ વધારો જોવા મળ્યો. ફેબ્રુઆરી ફ્યુચર્સ ડિલિવરી માટે સોનું 0.77% વધીને ₹135,224 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર 2.7 ટકા વધીને 69.23 ડોલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું, જ્યારે સ્પોટ ગોલ્ડ પણ 1.2 ટકા વધીને 4,391.92 ડોલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું.

ચાંદી સોના કરતાં વધુ વળતર આપે છ

જોકે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ વળતરની દ્રષ્ટિએ ચાંદીએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. 2025 માં ચાંદીના ભાવમાં 138% નો વધારો થયો છે, જે સોનાના વળતર કરતાં ઘણો વધારે છે. આ વધારો મજબૂત રોકાણ અને પુરવઠાના અભાવને કારણે છે. ચાંદીની માંગ મજબૂત રહે છે, પરંતુ પુરવઠાના અભાવને કારણે ભાવ ઘટી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

દેશભરના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ

દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ ₹135,430 પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹124,050 પ્રતિ 10 ગ્રામ હતો. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં, 24 કેરેટ સોનાનો ભાવ ₹135,280 પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹124,000 પ્રતિ 10 ગ્રામ હતો. ચેન્નાઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹136,150 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹124,800 હતો.

‘આખરી ભાગ અભી બાકી હૈ’, અજય દેવગણની ‘દ્રશ્યમ 3’ની જાહેરાત

અજય દેવગણ એક નવા રહસ્ય સાથે પરત ફરી રહ્યા છે. આજે ‘દ્રશ્યમ 3’ ની સત્તાવાર જાહેરાત સાથે નિર્માતાઓએ રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. જાણો ‘દ્રશ્યમ 3’ ક્યારે રિલીઝ થશે?

અજય દેવગણની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ “દ્રશ્યમ” ના ત્રીજા ભાગની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોહનલાલે તાજેતરમાં “દ્રશ્યમ 3” ના મૂળ મલયાલમ સંસ્કરણનું શૂટિંગ શરૂ કર્યું છે. હવે અજય દેવગનની “દ્રશ્યમ 3” વિશે વિગતો સામે આવી છે. નિર્માતાઓએ આજે ​​અજય દેવગણ અભિનીત ફિલ્મ “દ્રશ્યમ 3” ની સત્તાવાર જાહેરાત કરી છે. ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

વાર્તા હજુ પૂરી થઈ નથી…

નિર્માતાઓ દ્વારા રજૂ કરાયેલા આ 1 મિનિટ 13 સેકન્ડના વીડિયોમાં અજય દેવગણનો વોઇસઓવર છે. આ વોઇસઓવરમાં અજય દેવગણ પોતાના પરિવારના મહત્વ વિશે વાત કરે છે. અત્યાર સુધીની વાર્તાની એક ઝલક પણ જોવા મળે છે. આ વોઇસઓવરમાં, વિજય સાલગાંવકરનું પાત્ર કહે છે, “મારું સત્ય, મારો અધિકાર, ફક્ત મારો પરિવાર છે.” વોઇસઓવર સમજાવે છે કે વિજય સાલગાંવકર પોતાના પરિવાર માટે દિવાલ બનીને ઉભા રહે છે. વીડિયોના અંતે, વિજય સાલગાંવકર કહે છે, “વાર્તા હજુ પૂરી થઈ નથી. અંતિમ ભાગ હજુ બાકી છે.”

આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2026 ના રોજ રિલીઝ થશે

“દ્રશ્યમ 3” નું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર, 2026 ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મના કલાકારો વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ત્રીજા ભાગની વાર્તા અગાઉના ભાગના અંતથી જ આગળ વધશે. ફિલ્મના કલાકારોમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે જોવાનું બાકી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાનું પાત્ર દેખાશે કે નહીં તેના પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Star Studio18 (@starstudio18)

“દ્રશ્યમ” મોહનલાલની મલયાલમ ફિલ્મની રિમેક છે

“દ્રશ્યમ” એ મોહનલાલની મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. ફિલ્મનું હિન્દી વર્ઝન 2015 માં રિલીઝ થયું હતું. “દ્રશ્યમ” બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. સાત વર્ષ પછી 2022 માં બીજો ભાગ “દ્રશ્યમ 2” રિલીઝ થયો. આ વખતે અક્ષય ખન્ના પણ ફિલ્મમાં દેખાયા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને સફળતા મેળવી. હવે, ચાર વર્ષ પછી નિર્માતાઓ ફિલ્મનો ત્રીજો ભાગ લાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા, મોહનલાલે “દ્રશ્યમ 3” નું શૂટિંગ પણ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે ફિલ્મની લોકપ્રિયતાને જોતાં, મલયાલમ નિર્માતાઓ પણ હિન્દીમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. એ જોવાનું બાકી છે કે અજય દેવગણની “દ્રશ્યમ 3” એ જ વાર્તાને અનુસરશે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. શું મૂળ વાર્ત હિન્દી રિલીઝ અજય દેવગણની ફિલ્મની કમાણી પર કોઈ અસર કરશે?

લુથરા બ્રધર્સે નકલી દસ્તાવેજોને આધારે લીધું હતું નાઇટ ક્લબનું લાઇસન્સ

નવી દિલ્હીઃ ગોવાના ચર્ચિત ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબ અગ્નિકાંડમાં ફસાયેલા લુથરા બ્રધર્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. 25 લોકોના જીવ લીધેલા આ ભયાનક અકસ્માતની તપાસ હવે છેતરપિંડી સુધી પહોંચી ગઈ છે. તાજા અહેવાલો મુજબ સૌરભ અને ગૌરવ લુથરાએ નાઇટ ક્લબનું લાઇસન્સ મેળવવા માટે નકલી ‘સર્ટિફિકેટ’નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. આ બાબતે માપુસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે  પોલીસ હવે તપાસ કરી રહી છે કે ક્લબ ચલાવવાની અન્ય મંજૂરીઓ પણ નકલી દસ્તાવેજોને આધારે તો લેવામાં આવી નહોતીને?

કસ્ટડી વધવાની શક્યતા

લુથરા બ્રધર્સની પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થઈ રહી છે, પરંતુ ગોવા પોલીસ તેમની કસ્ટડી વધારવાની માગ કરે એવી શક્યતા છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે બંને ભાઈઓ પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી અને સતત ટાળવાનું વલણ અપનાવી રહ્યા છે. પોલીસને ભય છે કે જો વધુ સમય નહીં મળે, તો નકલી દસ્તાવેજો, સુરક્ષામાં ગંભીર ચૂક અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડની કડીઓ જોડવી મુશ્કેલ બનશે. છઠ્ઠી ડિસેમ્બરની રાત્રે થયેલા આ અકસ્માતમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવી અને લાઇસન્સ વગર ફાયર શો યોજવો જેવી ગંભીર બેદરકારીઓ પહેલેથી જ સામે આવી ચૂકી છે.

મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓનું શંકાસ્પદ જાળ

અગ્નિકાંડની તપાસ સાથે હવે આર્થિક ગુનાઓનો એંગલ પણ જોડાયો છે. તપાસ એજન્સીઓને માહિતી મળી છે કે લુથરાભાઈઓનું દિલ્હીના એક જ સરનામે નોંધાયેલી 42 શેલ કંપનીઓ સાથે જોડાણ છે. આથી મની લોન્ડરિંગ અને મોટા નાણાકીય કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં તેમના બિઝનેસ પાર્ટનર અજય ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેઓ માત્ર 25 લોકોના મોત માટે જ જવાબદાર નથી, પરંતુ સિસ્ટમને છેતરવા બદલ પણ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

બાંગ્લાદેશમાં વધુ એક વિદ્યાર્થી નેતા પર ખૂની હુમલો 

ઢાકા: વિદ્યાર્થી નેતા ઉસ્માન હૈદીની હત્યાને લઈને બાંગ્લાદેશમાં વ્યાપક અશાંતિ અને હિંસા વચ્ચે, સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, વધુ એક વિદ્યાર્થી નેતાના માથામાં ગોળી મારી દેવામાં આવી છે. વિદ્યાર્થીની ઓળખ મોહમ્મદ મોતાલેબ શિકદર તરીકે થઈ છે, જે ઉસ્માન હૈદીના પક્ષ નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ના વિદ્યાર્થી નેતા હતા. આજે સવારે લગભગ 11.45 વાગ્યે ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ તેમના માથામાં ગોળી મારી હતી. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તપાસના ઇન્ચાર્જ ઓફિસરે જણાવ્યું હતું.”શિકદરના કાનની એક બાજુ ગોળી વાગી ગઈ હતી. તેઓ હાલમાં ખતરાથી બહાર છે. વિદ્યાર્થી નેતાને તેમના માથાના સીટી સ્કેન માટે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે અને ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.”

આ પહેલાં કટ્ટરપંથી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હૈદીનું ગયા અઠવાડિયે માથામાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. 32 વર્ષીય શરીફ ઉસ્માન હૈદી તેમના ઘૃણાસ્પદ ભારત વિરોધી ભાષણો માટે જાણીતા હતા અને ગયા વર્ષે વિદ્યાર્થી બળવા દરમિયાન તેઓ પ્રખ્યાત થયા હતા, જેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓના સમર્થનથી બનેલી NCP, ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવી હતી, અને તેના કટ્ટરપંથી તત્વોએ ઉશ્કેરણીજનક નિવેદનો આપીને ભારત વિરોધી લાગણીઓને ભડકાવવાનું ચાલુ રાખ્યું છે.

રશિયા યુક્રેન યુદ્ધ: પુતિન સમગ્ર યુક્રેન અને યુરોપ પર કબજો કરવા માંગે છે!

યુએસ ગુપ્તચર અહેવાલો ચેતવણી આપે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં તેમના યુદ્ધ લક્ષ્યોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ આખા યુક્રેન પર કબજો કરવા માંગે છે અને ભૂતપૂર્વ સોવિયેત બ્લોકના ભાગોને ફરીથી કબજે કરવાના તેમના પ્રયાસો ચાલુ રાખવા માંગે છે. આ માહિતી યુએસ ગુપ્તચરની નજીકના છ સ્ત્રોતો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

પુતિન આખા યુક્રેન અને ભૂતપૂર્વ સોવિયેત બ્લોક પર કબજો કરવા માંગે છે

રોઇટર્સ અનુસાર, આ અહેવાલો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના શાંતિ વાટાઘાટકારોના નિવેદનોથી સંપૂર્ણપણે વિરોધાભાસી છે. ટ્રમ્પની ટીમ કહે છે કે પુતિન યુદ્ધનો અંત લાવવા માંગે છે. જો કે, ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે પુતિનના ઇરાદા 2022 માં પૂર્ણ-સ્તરે આક્રમણ શરૂ કર્યું ત્યારે જેવા જ રહ્યા હતા. નવીનતમ અહેવાલ સપ્ટેમ્બરના અંતનો છે. આ તારણો યુરોપિયન નેતાઓ અને તેમની ગુપ્તચર એજન્સીઓના મંતવ્યો સાથે સુસંગત છે. તેઓ માને છે કે પુતિન સમગ્ર યુક્રેન અને ભૂતપૂર્વ સોવિયેત બ્લોક દેશો (નાટો સભ્યો સહિત) ના પ્રદેશો ઇચ્છે છે. યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના ડેમોક્રેટિક સભ્ય માઇક ક્વિગલીએ જણાવ્યું હતું કે, “ગુપ્ત માહિતી હંમેશા એવી રહી છે કે પુતિન વધુ ઇચ્છે છે. યુરોપિયનો આ સંપૂર્ણપણે માને છે. ધ્રુવો તે સંપૂર્ણપણે માને છે. બાલ્ટિક દેશો માને છે કે તેઓ પ્રથમ લક્ષ્ય છે.

 

રશિયન દળો આશરે 6,000 ચોરસ કિલોમીટર પર કબજો કરે છે

રશિયા હાલમાં યુક્રેનના લગભગ 20 ટકા પ્રદેશ પર કબજો કરે છે. આમાં લુહાન્સ્ક અને ડોનેટ્સક પ્રાંત (ડોનબાસ ઔદ્યોગિક ક્ષેત્ર) ના મોટા ભાગો, ઝાપોરિઝ્ઝિયા અને ખેરસનના ભાગો અને ક્રિમીઆનો સમાવેશ થાય છે. પુતિન આ બધાને રશિયાનો ભાગ હોવાનો દાવો કરે છે. આ વર્ષે, રશિયન સેનાએ આશરે 6,000 ચોરસ કિલોમીટર પર કબજો કર્યો છે.

શાંતિ વાટાઘાટોની સ્થિતિ શું છે?

ટ્રમ્પની ટીમ 20-પોઇન્ટ શાંતિ યોજના પર કામ કરી રહી છે. તેમના જમાઈ, જેરેડ કુશનર અને રિયલ એસ્ટેટ ડેવલપર સ્ટીવ વિટકોફ યુક્રેનિયન, રશિયન અને યુરોપિયન અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. બર્લિનમાં, અમેરિકન, યુક્રેનિયન અને યુરોપિયન વાટાઘાટકારો યુક્રેન માટે સુરક્ષા ગેરંટી પર એક કરાર પર પહોંચ્યા છે. આમાં શામેલ છે:

તૈનાતી મુખ્યત્વે યુરોપિયન સુરક્ષા દળો (યુક્રેન અને પડોશી દેશોમાં ફ્રન્ટલાઈનથી દૂર)
યુક્રેનની સેનાને 800,000 સૈનિકો સુધી મર્યાદિત કરવી (રશિયા ઓછા ઇચ્છે છે, યુએસ આ માટે ખુલ્લું છે)

યુએસ તરફથી ગુપ્તચર અને અન્ય સહાય

યુએસ સેનેટ તરફથી મંજૂરી, સંભવતઃ યુએસ-સમર્થિત હવાઈ પેટ્રોલિંગનો સમાવેશ થાય છે.
કેટલાક સ્ત્રોતો અનુસાર, આ ગેરંટી યુક્રેનના પ્રદેશમાંથી પાછા ખેંચવા પર આધારિત છે, પરંતુ અન્ય લોકો કહે છે કે વૈકલ્પિક વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પ્રદેશ છોડવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમણે કહ્યું, એક પ્રશ્ન અનુત્તરિત રહે છે: આ સુરક્ષા ગેરંટીઓ ખરેખર શું કરશે?

ટ્રમ્પ યુક્રેન પર ડોનેટ્સકના નાના ભાગમાંથી તેના સૈનિકો પાછા ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ ઝેલેન્સ્કી અને મોટાભાગના યુક્રેનિયનો પાલન કરવા તૈયાર નથી. પુતિને શુક્રવારે કહ્યું હતું કે તેઓ શાંતિ વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ કોઈ સમાધાન કર્યું નથી અને પોતાની શરતો નક્કી કરી નથી. તેઓ યુક્રેનમાં વિદેશી સૈનિકોની તૈનાતીનો વિરોધ કરે છે.

અરવલ્લી વિવાદ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને લગતી અફવાઓ અને ખોટી માહિતીનું ખંડન કર્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી આપણા દેશની સૌથી જૂની પર્વતમાળા છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા લીલી અરવલ્લીને પ્રોત્સાહન આપ્યું છે. કેટલાક લોકો જાણી જોઈને કોર્ટના નિર્ણય વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, પરંતુ મેં નિર્ણયનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ છૂટ આપવામાં આવી નથી.

કોર્ટનો નિર્ણય વૈજ્ઞાનિક સંરક્ષણ પર આધારિત

ભૂપેન્દ્ર યાદવે સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં અરવલ્લીના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે. આ પહેલી વાર છે જ્યારે સરકારની લીલા ચળવળને માન્યતા આપવામાં આવી છે. કોર્ટે ખાણકામના મર્યાદિત હેતુ માટે એક તકનીકી સમિતિની રચના કરી છે.

100-મીટરનો નિયમ અને સંરક્ષિત વિસ્તારો

100-મીટરનો નિયમ “ઉપરથી નીચે સુધી” લાગુ પડે છે, એટલે કે આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચા ભૂમિ સ્વરૂપોને જ અરવલ્લી ટેકરીઓ ગણવામાં આવશે. તેના પાયાથી તેના સમગ્ર ઢોળાવ સુધીનો વિસ્તાર સુરક્ષિત રહેશે. જો બે ટેકરીઓ 500-મીટર ત્રિજ્યામાં હોય, તો વચ્ચેનો વિસ્તાર પણ અરવલ્લી પર્વતમાળાનો ભાગ હશે. NCR પ્રદેશમાં કોઈ ખાણકામની મંજૂરી નથી. ચુકાદાના ફકરા 38માં સ્પષ્ટપણે જણાવાયું છે કે આવશ્યક જરૂરિયાતો સિવાય કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં.

વન્યજીવન સંરક્ષણ અને લઘુત્તમ ખાણકામ

અરવલ્લી પ્રદેશમાં 20 વન્યજીવન અભયારણ્યો અને ચાર વાઘ અનામત છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. કુલ અરવલ્લી વિસ્તાર આશરે 1.44 લાખ ચોરસ કિલોમીટર છે, જેમાંથી માત્ર 0.19 ટકા ખાણકામ માટે યોગ્ય છે. 90 ટકાથી વધુ સુરક્ષિત ક્ષેત્રમાં આવશે.

અફવાઓનું ખંડન

મંત્રીએ જણાવ્યું હતું કે ચુકાદો બધા ખોટા આરોપો અને અફવાઓને સ્પષ્ટ કરે છે. ગેરકાયદેસર ખાણકામ એ અરવલ્લી પર્વતમાળા માટે સૌથી મોટો ખતરો છે. હવે, દેખરેખ મજબૂત બનાવવામાં આવશે. સરકાર અરવલ્લીને હરિયાળી બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. 20 નવેમ્બર, 2025 ના નિર્ણયથી ચારેય રાજ્યોમાં સમાન નિયમો અમલમાં આવ્યા છે, જેના કારણે અગાઉ દુરુપયોગ થતો હતો.

ખેડૂતોને દિવસે વીજળી માટે રૂ. 5,000 કરોડથી વધુનું રોકાણ

ગાંધીનગર: કૃષિ ક્ષેત્ર માટે રાજ્ય સરકારે કહ્યું છે કે માર્ચ 2026 સુધીમાં બધા ખેડૂતોને દિવસ દરમિયાન સિંચાઈ માટે વીજળી મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “કિસાન સૂર્યોદય યોજના (KSY) ખેડૂત-કેન્દ્રિત શાસન તરફ રાજ્યના કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે. ખેડૂતો રાષ્ટ્રની કરોડરજ્જુ છે. ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ખેડૂતો સમૃદ્ધ, સુરક્ષિત અને આત્મનિર્ભર હોય.”

૨૦૨૦માં શરૂ કરાયેલ, કિસાન સૂર્યોદય યોજનાએ રાજ્યના ૯૮.૬૬ ટકા વિસ્તારને આવરી લેતા ૧૭,૦૧૮ ગામડાઓને દિવસના સમયે વીજળી પૂરી પાડવાની સુવિધા આપી છે, જેનાથી લગભગ ૧૯.૬૯ લાખ ખેડૂતોને ફાયદો થયો છે.

શરૂઆતમાં સવારે ૫ થી રાત્રે ૯ વાગ્યાની વચ્ચે બે શિફ્ટમાં અમલમાં મૂકવામાં આવી હતી, આ યોજનાને બાદમાં સિંગલ-શિફ્ટ ડેટાઇમ મોડેલમાં સુધારી દેવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સવારે ૭ થી સાંજે ૫ વાગ્યાની વચ્ચે વીજળી પૂરી પાડવામાં આવી હતી. આ શિફ્ટથી માત્ર સિંચાઈ કાર્યક્ષમતામાં સુધારો થયો નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સલામતી અને ઉત્પાદકતામાં પણ વધારો થયો છે. હાલમાં, રાજ્યના ૯૮ ટકા સબસ્ટેશનોને દિવસના સમયે કામગીરીમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૨૩૧ ગામડાઓને છેલ્લા ૪૫ રોટેશનલ સબસ્ટેશનોને ખસેડીને આવરી લેવાનું કામ ચાલી રહ્યું છે.

જેના માટે રાજ્ય સરકારે રૂ. ૫,૩૫૩.૬૨ કરોડનું રોકાણ કર્યું છે, જેમાં ૪૦ નવા સબસ્ટેશન સ્થાપવામાં આવ્યા છે, ૪,૬૪૦.૭૩ સર્કિટ કિલોમીટર (CKM) ટ્રાન્સમિશન લાઇનો નાખવામાં આવી છે અને ૩,૯૨૭.૭૨ CKM MVCC કાર્યો દ્વારા વિતરણ નેટવર્કને મજબૂત બનાવવામાં આવ્યા છે.

આગળ જોતાં, રાજ્યની માલિકીની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) એ ૨૦૨૬-૨૭ માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે, જેમાં પાંચ નવા સબસ્ટેશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને રૂ. ૧,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે લગભગ ૧,૧૦૦ CKM ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવામાં આવ્યું છે.