Home Blog Page 365

૨૨ ડિસેમ્બર ૨૦૨૫

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં ગોળીબાર થયો છે. રવિવારે જોહાન્સબર્ગની પશ્ચિમે આવેલા બેકર્સડલ ટાઉનશીપમાં સશસ્ત્ર હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો 1 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. વીસ લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાંથી 10 લોકો માર્યા ગયા હતા અને 10 ઘાયલ થયા હતા.

જોહાન્સબર્ગથી લગભગ 40 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ તાત્કાલિક સ્પષ્ટ થયો નથી. સીબીએસ ન્યૂઝે એક નિવેદનમાં પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક પીડિતોને અજાણ્યા બંદૂકધારીઓએ શેરીમાં ગોળી મારી હતી.

સોનાની ખાણો નજીક ગોળીબાર થયો હતો

ગૌટેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ પણ પીડિતોની ઓળખ કરવા માટે કામ કરી રહ્યા છે. ગોળીબાર દક્ષિણ આફ્રિકાની કેટલીક મુખ્ય સોનાની ખાણોની નજીક સ્થિત ગરીબ વિસ્તાર બેકર્સડલમાં એક અનૌપચારિક બાર (ટેવર્ન) નજીક થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર એક એવા સ્થળે થયો હતો જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હતો.

12 લોકોએ ગોળીબાર કર્યો

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સફેદ કોમ્બી અને ચાંદીની સેડાનમાં સવાર આશરે 12 અજાણ્યા શંકાસ્પદોએ ટેવર્નની અંદરના લોકો પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી જતા આડેધડ ગોળીબાર ચાલુ રાખ્યો. SABC એ અહેવાલ આપ્યો છે કે અજાણ્યા હુમલાખોરોએ ટેવર્નની અંદર અને બહારની શેરીઓમાં ગ્રાહકો પર પણ ગોળીબાર કર્યો હતો. પોલીસ હવે નિવેદનો નોંધી રહી છે. નેશનલ ક્રાઈમ એન્ડ રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ધર્મયુક્ત નફો : ભીષ્મના રાજધર્મથી આધુનિક કોર્પોરેટ નૈતિકતા સુધી

વ્યવસાયમાં ધર્મનો વિચાર માત્ર ધાર્મિક સંપ્રદાય સુધી સીમિત નથી પરંતુ તે ન્યાય, સત્ય, જવાબદારી, પારદર્શિતા અને માનવકલ્યાણ જેવી મૂલ્યોની જીવંત પ્રથા છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતાં સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે રાજ્ય, સંસ્થા કે વ્યવસાય — જો તે ધર્મ આધારિત ન હોય તો લાંબા ગાળે ટકી શકતું નથી.

ભીષ્મ કહે છે કે, શાસક કે નેતા માટે નફો નહીં પરંતુ લોકકલ્યાણ પ્રથમ ધ્યેય હોવું જોઈએ. એ સિદ્ધાંત આજના કોર્પોરેટ વિશ્વમાં પણ એટલો જ સત્ય છે, કારણ કે નફો ધર્મથી વિમુખ થાય ત્યારે તે વિનાશનું કારણ બને છે. જ્યારે ધર્મના આધારે કમાયેલો નફો સમાજ માટે આશીર્વાદ સાબિત થાય છે.

આ વિચારનું જીવંત ઉદાહરણ અઝીમ પ્રેમજી છે. તેમણે પોતાની કંપનીથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો મોટો ભાગ શિક્ષણ અને સમાજસેવા માટે અર્પણ કરીને વ્યવસાયને ધર્મ સાથે કેવી રીતે જોડવો તે દુનિયાને બતાવ્યું. વિદેશમાં ઇન્દ્રા નુઈએ વૈશ્વિક કંપનીનું નેતૃત્વ કરતાં ‘Performance with Purpose’નો વિચાર અમલમાં મૂકી, નફા સાથે આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક જવાબદારીને સમાન મહત્વ આપ્યું. આ જ ધોરણે સત્ય નદેલાએ માઈક્રોસોફ્ટમાં ‘એમ્પથી’ અને ‘ઇન્ક્લુઝિવ ગ્રોથ’ને વ્યવસાયની મુખ્ય સંસ્કૃતિ બનાવી, જેનાથી કંપનીનો નફો તો વધ્યો જ, સાથે સાથે માનવકેન્દ્રિત ટેકનોલોજીનો નવો માર્ગ પણ ખુલ્યો.

ઉદ્યોગક્ષેત્રમાં ધર્મનો વધુ એક પ્રેરક દાખલો Yvon Chouinard નો છે, જેમણે પોતાની કંપનીનો મોટો હિસ્સો પર્યાવરણ સંરક્ષણ માટે અર્પણ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ધરતી બચાવવી એ પણ વ્યવસાયનો પવિત્ર ધર્મ છે.

આ ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે વ્યવસાય માત્ર નફા પાછળ દોડે છે ત્યારે તે કર્મચારીઓના શોષણ, પર્યાવરણીય વિનાશ અને ગ્રાહક સાથે છેતરપિંડી તરફ વળે છે. ધર્મ જ્યારે આધાર બને છે ત્યારે વિશ્વાસ, સ્થિરતા અને ટકાઉ વિકાસ જન્મે છે. આજના સમયના ESG, CSR અને સસ્ટેનેબિલિટી જેવા વિચાર માત્ર આધુનિક શબ્દો નથી, પરંતુ એ જ શાશ્વત રાજધર્મના આધુનિક સ્વરૂપો છે, જે ભીષ્મે શાંતિપર્વમાં યુગો પહેલાં સમજાવ્યા હતા.

સાચું નેતૃત્વ એ છે જે સંસ્થાને માત્ર નફાકારક નહીં પરંતુ માનવમૂલ્યસભર બનાવે, કારણ કે ધર્મવિનાનો નફો સમાજમાં અસંતુલન અને અણ્યાય પેદા કરે છે. ધર્મયુક્ત નફો વિશ્વાસ, સમૃદ્ધિ અને સામૂહિક કલ્યાણનો માર્ગ ખોલે છે. આજે મોટા ઉદ્યોગો સામે ‘નફો પહેલા કે ધર્મ પહેલા’ એવો પ્રશ્ન નથી રહેતો, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે નફાને ધર્મના માર્ગે કેવી રીતે કમાવવો. કારણ કે અંતે વ્યવસાયનું સાચું મૂલ્ય તેના બેલેન્સશીટ કરતાં તેના સામાજિક પ્રભાવથી જ માપવામાં આવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

ખેતી માટે પંકાયેલા આ સાત રાજ્ય ક્યા છે?

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીં ખેડૂતને ‘અન્નદાતા’ કહીને પૂજવામાં આવે છે. દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ ભારતભરમાં ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહની જન્મજયંતિના માનમાં મનાવવામાં આવે છે.

ચૌધરી ચરણસિંહ પોતે એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા.  એમણે ખેડૂતોના ઉત્થાન માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા. ‘જય જવાન, જય કિસાન’ના નારાને સાર્થક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ જ કારણ છે કે ભારત સરકારે વર્ષ 2001માં એમના જન્મદિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી દર વર્ષે આ દિવસની ભવ્ય ઉજવણી શરૂ થઈ.

આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેડૂતોના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને એમની મહેનતની કદર કરવાનો છે. ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ એ ખેતી છે, ત્યારે જાણીએ ભારતના એ રાજ્યો વિશે જ્યાં થાય છે સૌથી વધારે ખેતી…

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું કૃષિ ઉત્પાદક રાજ્ય છે. આ રાજ્ય પાસે અંદાજે ૨૪૦ લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર છે, જેમાંથી લગભગ ૧૬૫ લાખ હેક્ટર જમીન ખેતીલાયક છે. ગંગા, યમુના અને સરયુ જેવી પવિત્ર નદીઓના કાંપવાળી ફળદ્રુપ જમીન અને સિંચાઈની ઉત્તમ સુવિધાને કારણે અહીં વર્ષમાં ત્રણ પાક લેવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ભારતનો 35 ટકાથી વધુ ઘઉં અને 40 ટકાથી વધુ શેરડી પેદા કરે છે. આ ઉપરાંત, બટાકા, કેરી અને દૂધના ઉત્પાદનમાં પણ આ રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. અહીંના પશ્ચિમ ભાગમાં આધુનિક ખેતી અને પૂર્વ ભાગમાં પરંપરાગત ખેતીનો સુંદર સમન્વય જોવા મળે છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ, જેને ભારતનું હૃદય કહેવામાં આવે છે, એ ખેતી ક્ષેત્રે ઝડપથી વિકસતું રાજ્ય છે. આ રાજ્યનો કુલ વિસ્તાર 308 લાખ હેક્ટર છે, જેમાંથી અંદાજે 150 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. મધ્ય પ્રદેશ સમગ્ર ભારતમાં સોયાબીનના ઉત્પાદનમાં એકહથ્થુ શાસન ધરાવે છે, જેના કારણે એને ‘સોયા સ્ટેટ’ પણ કહેવામાં આવે છે. અહીં કઠોળ જેવા કે ચણા, તુવેર અને મસૂરનું વિપુલ ઉત્પાદન થાય છે. છેલ્લા એક દાયકામાં મધ્ય પ્રદેશે એની સિંચાઈ વ્યવસ્થા સુધારીને ઘઉંના ઉત્પાદનમાં પંજાબને પણ પાછળ છોડવાની તૈયારી કરી છે. અહીંના ‘શરબતી ઘઉં’ એની ગુણવત્તા અને સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

પંજાબ

પંજાબ ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનું હોય (માત્ર 50 લાખ હેક્ટર), પરંતુ એની ઉત્પાદકતા અદ્ભુત છે. આ રાજ્યની 85 ટકાથી વધુ જમીન ખેતી હેઠળ છે, જે ભારતમાં સૌથી વધુ છે. પંજાબમાં પાંચ નદીઓનું નેટવર્ક અને કેનાલ સિસ્ટમ એટલી મજબૂત છે કે અહીં ભાગ્યે જ કોઈ જમીન બિન-પિયત રહે છે. ભારતની ખાદ્ય સુરક્ષામાં પંજાબનો ફાળો સૌથી મોટો છે. એ કેન્દ્રીય અનાજ ભંડારમાં સૌથી વધુ ઘઉં અને ચોખાનું યોગદાન આપે છે. અહીંના ખેડૂતો સૌથી વધુ ટ્રેક્ટર અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરે છે, જેના કારણે એને ‘બ્રેડ બાસ્કેટ ઓફ ઈન્ડિયા (ભારતની રોટલીની ટોપલી) કહેવામાં આવે છે.

પશ્ચિમ બંગાળ

ભારતના પૂર્વ ભાગમાં આવેલું પશ્ચિમ બંગાળ એની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે. આ રાજ્યનો કુલ વિસ્તાર 88 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 55 લાખ હેક્ટર જમીન ખેતીલાયક છે. પુષ્કળ વરસાદ અને નદીઓના મુખત્રિકોણ પ્રદેશને કારણે પશ્ચિમ બંગાળ ચોખા (ડાંગર)ના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. અહીં ખેડૂતો વર્ષમાં ચોખાના ત્રણ પાક (આમન, આઉસ અને બોરો) લે છે. એટલે કે આબોહવાની અનુકૂળતાને કારણે ચોખાની ત્રણ સિઝન લેવામાં આવે છે. ચોમાસામાં રોપાતા મુખ્ય પાકને ‘આમન’, ઉનાળાની શરૂઆતમાં વહેલા પાકતા પાકને ‘આઉસ’ અને શિયાળામાં સિંચાઈ દ્વારા લેવામાં આવતા પાકને ‘બોરો’ તરીકે ઓળખવામાં આવે છે. ચોખા ઉપરાંત, આ રાજ્ય વિશ્વમાં શણ ના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીંની માછલી-ભાતની સંસ્કૃતિ પાછળ પણ આ જ વિપુલ કૃષિ ઉત્પાદન જવાબદાર છે.

હરિયાણા

હરિયાણા પંજાબનું પડોશી રાજ્ય છે, એની કૃષિ પદ્ધતિઓ પણ અત્યંત આધુનિક છે. રાજ્યનો કુલ વિસ્તાર 44 લાખ હેક્ટર છે, જેમાંથી અંદાજે 37 લાખ હેક્ટર જમીન પર ખેતી કરવામાં આવે છે. હરિયાણા મુખ્યત્વે એના ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખા માટે જાણીતું છે, જેની વિદેશોમાં મોટી નિકાસ થાય છે. ઘઉં, સરસવ અને કપાસ અહીંના મુખ્ય પાક છે. ખેતીની સાથે સાથે હરિયાણાએ પશુપાલનમાં પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અહીંની ‘મુરા’ ભેંસ અને દૂધનું ઉત્પાદન ખેડૂતોની આવકમાં મોટો વધારો કરે છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભારતનું એક એવું રાજ્ય છે, જેની ખેતી વૈવિધ્ય અને સાહસથી ભરેલી છે. આ રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર અંદાજે 308 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 225 લાખ હેક્ટર જેટલી વિશાળ જમીન ખેતીલાયક છે. મહારાષ્ટ્રની સૌથી મોટી તાકાત એની ‘કાળી કપાસની જમીન’ છે, જે ભેજ જાળવી રાખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ રાજ્ય કપાસ, શેરડી અને ડુંગળીના ઉત્પાદનમાં દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતની સૌથી વધુ ખાંડની મિલો મહારાષ્ટ્રમાં આવેલી છે, જે અહીંની શેરડીની ખેતીની સમૃદ્ધિ દર્શાવે છે. માત્ર અનાજ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર ‘ભારતનું ફળોનું ઉદ્યાન’ પણ ગણાય છે; નાસિકની દ્રાક્ષ, નાગપુરની નારંગી અને રત્નાગીરીની હાફુસ કેરી આજે વિશ્વના બજારોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. અહીંના ખેડૂતોએ સહકારી મંડળીઓ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ દ્વારા ખેતીને એક નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે.

ગુજરાત

ગુજરાત એના આધુનિક અભિગમ અને મહેનતકશ ખેડૂતોને કારણે ખેતી ક્ષેત્રે આખા દેશ માટે પથદર્શક રહ્યું છે. રાજ્યનો કુલ વિસ્તાર અંદાજે 196 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 100 લાખ હેક્ટરથી વધુ જમીન પર અત્યંત આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. ગુજરાત સમગ્ર ભારતમાં કપાસ અને મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે, જેને કારણે અહીંના ખેડૂતો કપાસને ‘સફેદ સોનું’ કહે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં એરંડા અને જીરું-વરિયાળી જેવા મસાલાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. બાગાયતી ખેતીમાં પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી, કચ્છના દાડમ અને ખારેક આજે વિદેશોમાં નિકાસ થઈ રહ્યા છે. ટપક સિંચાઈ અને જળ સંચયના સફળ પ્રયોગોએ ગુજરાતની ખેતીને બારેમાસ જીવંત રાખી છે. ખેતીની સાથે સાથે ડેરી ઉદ્યોગના સમન્વયે ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સૌથી વધુ સદ્ધર બનાવ્યા છે.

હેતલ રાવ

પંચાંગ 21/12/2025

૨૧ ડિસેમ્બર ૨૦૨૫

જનતાના અભિપ્રાયથી બનશે કેન્દ્રીય બજેટ 2026, શરૂ થઈ તૈયારી

ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026 માટે જાહેર અભિપ્રાય માંગ્યો છે, જેથી નવા નિયમો અને યોજનાઓ બનાવતી વખતે જાહેર અભિપ્રાય ધ્યાનમાં લઈ શકાય. MyGovIndia એ X પર એક પોસ્ટ દ્વારા લોકોને આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. સરકારે X પર લખ્યું: જનમત સાથેનું બજેટ. તમારા સૂચનો આપો અને દેશની પ્રગતિ અને વિકાસનો ભાગ બનો.” આનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ MyGov વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને આગામી બજેટમાં સરકારે શું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે સૂચવી શકે છે.

નાણાં મંત્રીએ બજેટ પહેલાની બેઠકો યોજી હતી

ગયા મહિને, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં બજેટ પહેલાની બેઠકોના અનેક રાઉન્ડ યોજ્યા હતા. પ્રથમ, અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચાઓ યોજાઈ હતી, ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાતો તરફથી સૂચનો આપવામાં આવ્યા હતા. આ પછી, MSME ક્ષેત્ર, મૂડી બજારો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદન, બેંકિંગ અને વીમા, IT, પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગો, તેમજ ટ્રેડ યુનિયનો અને મજૂર સંગઠનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ઉદ્યોગ સંગઠનોએ પણ તાજેતરમાં તેમના સૂચનો રજૂ કર્યા હતા. PHDCCI, એક સંસ્થા જે નાના વ્યવસાયો માટે સરળ કરવેરા, ઓછા વ્યાજ દરે લોન અને સરળ નિયમોની માંગ કરે છે. તેમના સૂચનોમાં નાના વ્યવસાયોને કર, લોન, નિકાસ અને ભંડોળમાં સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે, જેથી તેમના ખર્ચમાં ઘટાડો થાય, કામ ઝડપથી પૂર્ણ થાય અને તેઓ વધુ અસરકારક રીતે સ્પર્ધા કરી શકે.

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે

આ બજેટ એવા સમયે આવે છે જ્યારે દેશના GDP આંકડા મજબૂત છે અને ફુગાવો નિયંત્રણમાં છે. દર વર્ષની જેમ, 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે. આ પહેલાં, નાણા મંત્રાલય, સચિવો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો યોજવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે બજેટમાં બધા મંતવ્યો શામેલ છે.

મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુભમન ગિલને લઈને કર્યો મોટો ખુલાસો

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા તેના ખિતાબનું રક્ષણ કરશે. ભારતીય ટીમની ટીમની જાહેરાત કેપ્ટન સૂર્યા, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચાનો સૌથી મોટો વિષય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની બાદબાકી હતી, જે તાજેતરમાં સુધી T20 ટીમના ઉપ-કપ્તાન તરીકે સેવા આપી ચૂક્યા હતા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે તેમના બાકાત રાખવાનું મુખ્ય કારણ સમજાવ્યું.

મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુભમન ગિલની બાકાત રાખવાનું કારણ જાહેર કર્યું, અને કહ્યું કે ગિલનું તાજેતરનું ફોર્મ અને ટીમ સંયોજનની મર્યાદાઓ આ નિર્ણય પાછળના કારણો હતા. અજિત અગરકરે કહ્યું, “અમે જાણીએ છીએ કે તે કેટલો ગુણવત્તાવાળો ખેલાડી છે, પરંતુ કદાચ તે હાલમાં થોડા રન ઓછા ચલાવી રહ્યો છે. ગયા વર્લ્ડ કપમાં ચૂકી જવું દુર્ભાગ્યપૂર્ણ હતું, કારણ કે અમે વિવિધ સંયોજનો સાથે ગયા હતા. પરંતુ આ નિર્ણય અન્ય કંઈપણ કરતાં સંયોજન દ્વારા વધુ લેવામાં આવ્યો હતો. જ્યારે તમે 15 ખેલાડીઓ પસંદ કરો છો, ત્યારે કોઈને ચૂકી જવું પડે છે, અને કમનસીબે, આ વખતે ગિલ છે.”

Brisbane: India’s Shubman Gill and Abhishek Sharma walk off the field after rain disrupts play during the 5th T20I match between India and Australia at The Gabba in Brisbane on Saturday, November 8, 2025. (Photo: IANS)

શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો, તેણે ફક્ત 4, 4, 0 અને 28 રન બનાવ્યા હતા. વધુમાં, 2025 માં T20I ફોર્મેટમાં તેની એક પણ મોટી ઇનિંગ નથી. તેણે એક પણ અડધી સદી ફટકારી નથી, જેના કારણે પસંદગીકારોને આ કડક નિર્ણય લેવાની ફરજ પડી હતી. તે ઈજાને કારણે છેલ્લી મેચ પણ ચૂકી ગયો.

 

PMના હસ્તે ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન, કનેક્ટિવિટીમાં અદાણીનો બેન્ચમાર્ક

ગુવાહાટી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બારદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (LGBIA) ખાતે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. જે વાર્ષિક 13.1 મિલિયન મુસાફરોને સંભાળવા માટે રચાયેલ છે અને ટકાઉ, ટેકનોલોજી-આધારિત કામગીરી દર્શાવે છે. સાથે જ આસામના પ્રથમ મુખ્યમંત્રી લોકપ્રિયા ગોપીનાથ બારદોલોઈની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ સમારોહમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ હાજર રહ્યા હતા.ટર્મિનલની ડિઝાઇનનું અનાવરણ ફેબ્રુઆરીમાં એડવાન્ટેજ આસામ 2.0 ખાતે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે તેનું ઉદ્ઘાટન, ફેબ્રુઆરીના અંત સુધીમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા સાથે કરવામાં આવ્યું. જે ભારતના ઉડ્ડયન માળખાને કેવી રીતે કલ્પના, નિર્માણ, પરીક્ષણ અને કામગીરી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે તે દર્શાવે છે. જર્મનીના મ્યુનિકથી નિષ્ણાત મુલાકાતી ટીમ દ્વારા એક વ્યાપક ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફર (ORAT) કાર્યક્રમમાં ખાતરી કરવામાં આવી છે કે સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ, કર્મચારીઓ અને મુસાફરોના પ્રવાહને પહેલા દિવસથી જ સુરક્ષિત અને સીમલેસ ઓપનિંગ માટે ગોઠવવામાં આવે.આ નવું ટર્મિનલ બહારથી જ આસામની સાંસ્કૃતિક આત્માને પ્રતિબિંબિત કરે છે. તેનું આર્ક-શેપ સ્ટ્રક્ચર, ખુલ્લી જગ્યાઓ અને વાંસનો કુદરતી રંગ મુસાફરોને પર્યાવરણની નજીક હોવાનો અનુભવ કરાવશે. ટર્મિનલની અંદર વાંસમાંથી બનેલા ઊંચા સ્તંભો અને છત પરંપરાગત શિલ્પકળાને આધુનિક સ્થાપત્ય સાથે જોડે છે. આ પ્રોજેક્ટ આસામની કનેક્ટિવિટી, પ્રવાસન અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવું માનવામાં આવે છે.

આ પ્રોજેક્ટ ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જેની આગેવાની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા કરવામાં આવી છે. આ ટર્મિનલ અદાણી ગ્રુપના માળખાગત સુવિધા પહોંચાડવાના સંકલિત અભિગમનું ઉદાહરણ આપે છે – જટિલ ઉડ્ડયન પ્રોજેક્ટ્સમાં ડિઝાઇન શ્રેષ્ઠતા, એન્જિનિયરિંગ ક્ષમતા, ORAT-આગેવાની હેઠળની તૈયારી અને સમયબદ્ધ અમલીકરણને એકસાથે લાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટને પૂર્વોત્તરમાં આસામમાં વ્યાપક વિકાસ ના ઉત્સવના ભાગ રૂપે વર્ણવ્યું. તેમણે નોંધ્યું કે આસામ એક્ટ ઇસ્ટ નીતિ હેઠળ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે, જેમાં વાંસથી સમૃદ્ધ ટર્મિનલ શક્તિ, ટકાઉપણું અને વિકાસ ભારતને શક્તિ આપવામાં રાજ્યની વધતી ભૂમિકાનું પ્રતીક છે, કારણ કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું, “ગુવાહાટી ટર્મિનલ દર્શાવે છે કે સ્થાનિક ઓળખમાં ઊંડાણપૂર્વક વારસાને કેન્દ્રમાં રાખીને વિશ્વ-સ્તરીય એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઝડપથી વિકસિત કરી શકાય છે. તે કનેક્ટિવિટીને મજબૂત બનાવશે, સમગ્ર ઉત્તરપૂર્વમાં આર્થિક વિકાસને ટેકો આપશે અને મુસાફરોને એક સરળ, આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.”
ડિજીયાત્રા-સક્ષમ પ્રોસેસિંગ, સ્માર્ટ ચેક-ઇન સિસ્ટમ્સ અને વિસ્તૃત પેસેન્જર એરિયાથી સજ્જ, આ ટર્મિનલ 2032 સુધીમાં વાર્ષિક 13.1 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં, ગુવાહાટી એરપોર્ટે 6.50 મિલિયન મુસાફરોને હેન્ડલ કર્યા, જે પ્રદેશની વધતી જતી ઉડ્ડયન માંગને દર્શાવે છે. હાલમાં, ગુવાહાટી ભારતમાં 10મા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે સ્થાન ધરાવે છે, જે તમામ આઠ ઉત્તરપૂર્વીય રાજ્યો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપે છે.

ગુજરાત પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 PI, બિનહથિયારી 47 PI અને વાયરલેસ 12 PIની બઢતી કરવામાં આવી છે. આ સાથે જ વર્ગ-1ના 7 DySPની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ 119 પોલીસ ઇન્સ્પેક્ટરોની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષાની વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના પણ આપવામાં આવી હતી.