ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ સમયગાળા દરમિયાન ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના પરિણામે નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું. આ પછી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઇન સામે કડક કાર્યવાહી કરી છે. હવે, ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરો માટે રાહતની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે સરકારી નિયમો અનુસાર અસરગ્રસ્ત મુસાફરોને ₹5,000 થી ₹10,000 સુધીનું વળતર મળશે.
એરલાઇને સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરો માટે ₹10,000 સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જારી કરવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય એવા મુસાફરો માટે નોંધપાત્ર રાહત માનવામાં આવે છે જેમની મુસાફરી યોજનાઓ અચાનક બદલાઈ ગઈ હતી અને જેમણે નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ આગામી 12 મહિના સુધી ગમે ત્યારે કરી શકાય છે. મુસાફરો ભારતમાં કોઈપણ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ઇન્ડિગો ફ્લાઇટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ₹10,000 નું ટ્રાવેલ વાઉચર એવા મુસાફરોને આપવામાં આવશે જેમની મુસાફરી ઘણી વખત બદલવી પડી હતી, એટલે કે, જેમની ફ્લાઇટ્સ વારંવાર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, અથવા જેમણે એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી હતી. વળતર અને વાઉચર ક્લેમ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મુસાફરોને તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા સંદેશને તપાસવાની સલાહ આપવામાં આવી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, વળતરની રકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર વિતરિત કરવામાં આવશે. જે મુસાફરોની ફ્લાઇટ્સ એરલાઇનના કારણે રદ કરવામાં આવી હતી તેઓ નિયમો અનુસાર આ વળતર મેળવવા માટે હકદાર છે. ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી હતી કે વળતર ફ્લાઇટનું અંતર, ટિકિટ વર્ગ અને મુસાફરોની અસુવિધા પર આધારિત હશે. તેનો ઉદ્દેશ્ય મુસાફરોને નાણાકીય નુકસાન અને બિનજરૂરી અસુવિધા ઘટાડવાનો છે.
ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે રદ થયેલી ફ્લાઇટ્સને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ તે દિલગીર છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ફરી ન બને તેની ખાતરી કરી રહ્યું છે.
ગાંધીનગર: રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા ઉપર મહારથ મેળવી છે. આ અધિકારી પ્રાચીનકાળથી લઇને અર્વાચીન કાળ સુધી પ્રવર્તતી પરંપરા મુજબની ૩૭૩ પ્રકારની પાઘડીઓ બાંધી શકે છે. પોતાની આ કળાને જીવંત રાખવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે સાંસ્કૃતિક વિભાગમાં જવાનું પસંદ કરનારા આ અધિકારી દેશના વિવિધ પ્રાંતોમાં ફરીને આ કળાને શીખ્યા છે.જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાને બાલ્યકાળથી સાફા બાંધવાનો શોખ. પાંચ વર્ષના હતા ત્યારે તેમણે પોતાના વતન ગાંગડના રાજવી પરિવારના રઘુવીરસિંહ વાઘેલાને નૈવેધના પ્રસંગ સમયે સાફો બાંધ્યો હતો. એ બાદના પારિવારિક શુભ-અશુભ પ્રસંગોમાં એકત્ર થતાં વિવિધ પ્રાંત, પ્રદેશોના પરિજનોના માથા ઉપર બાંધવામાં આવેલી જુદા-જુદા પ્રકારની પાઘડીઓ જોઇ તેઓ અચરજ પામતા અને તેમાંથી આ પાઘડી કેવી રીતે બાંધી શકાય ? એ શીખવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઇ.
તેમણે રાજકોટ ખાતે સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તે દરમિયાન તેઓ એન.સી.સી. સાથે જોડાયેલા હતા. આર.ડી.સી. જેવા રાષ્ટ્રીય સ્તરના અનેક કેમ્પમાં ભાગ લીધો. આ ઉપરાંત હોકી, શૂટિંગના પણ ખેલાડી. એટલે આ અનુસંધાને તેમને અનેક રાજ્યોમાં જવાનું થતું હતું. જે રાજ્યમાં જાય ત્યાં પાઘડી બાંધવાની કળાની જાણકારી મેળવી, જે તે પ્રાંત-પ્રદેશોમાં તેઓ ગયા ત્યાં સ્થાનિક જાણકારને મળી આ કલા શીખી.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ ઉપરાંત રાજસ્થાનની તો તેમણે અનેક વખત મુલાકાત લીધી છે. આમ તેઓ દેશ ઉપરાંત વિદેશમાં બંધાતી પાઘડીઓની માહિતી એકત્ર કરી અને ૩૭૩ પ્રકારની પાઘડી બાંધતા શીખ્યા. આ નંબર તો તે જાણે છે એ છે. એનાથી પણ વધારે પાઘડીના પ્રકારો છે.
આ વાત થઇ ધર્મરાજસિંહની. તેમની કળાની વાત વધુ રસપ્રદ છે. લગભગ તમામ પ્રદેશો, ધર્મો, જાતિઓમાં પાઘડીને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં યુદ્ધ બાદ પરાજિત રાજા, લડવૈયાની પાઘડી લઇ લેવામાં આવતી હતી. તેને નાલેશી માનવામાં આવતી હતી.
પ્રાચીન કાળમાં પાઘડીને ઉષ્ણીશ તરીકે ઓળખવામાં આવતી હતી. શાંતિ દરમિયાન શિરોભુષણ અને યુદ્ધમાં શીરસ્ત્રાણ પહેરવામાં આવતા હતા. શીરસ્ત્રાણની બનાવટ ઓછાવત્તા સરખી જ હતી. પણ શિરોભુષણ એટલે કે આપણે અત્યારે પાઘડી કહીએ છીએ તે પ્રસંગ, જાતિ, પ્રાંત પ્રમાણે અલગ-અલગ હતી. જેમ કે, સાફો બાંધવાની પ્રથા આપણે ત્યાં ગાંધાર (હાલ અફઘાનના પઠાણોનો મુળ શિરોભુષણ) પ્રદેશમાંથી આવી છે.
શિરોભુષણના મૂળ પ્રકારો જોઇએ તો પાટલી પાડીને બંધાય એ પાઘ, વળ ચઢાવીને બંધાય એ પાઘડી ઉપરાંત સાફો અને ફેંટો આ બે સાદા કાપડથી બાંધવામાં આવે છે. સાફામાં ‘માભો’ રાખવામાં આવે છે. આ ઉપરાંત છોગું, ફૂગ પણ રાખવામાં આવે છે. સાફાના ઉપરના ભાગને છોગુ, બાજુમાં રહે તે વળ, પટા પડે એને માભો, નીચે રહે તેને ફગ કહેવામાં આવે છે.
હાલના સમયમાં પાઘડીઓને ગ્રંથસ્થ કરવાનું શ્રેય વડોદરાના રાજવી ફતેસિંહ ગાયકવાડ અને જોધપુરના મહેંદ્રસિંહ નગરને જાય છે. તેમણે અલગ-અલગ પ્રાંત, જાતિની પાઘડીઓને સંગ્રહિત કરી છે. એ બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના કેટલાંક કલાકારો પાઘડીઓ બાંધી જાણે છે પણ, સમગ્ર દેશમાં સૌથી વધુ ૩૭૩ પ્રકારની પાઘડી બાંધવાની કલા તો એક માત્ર ધર્મરાજસિંહ વાઘેલા જ જાણે છે.
રાજકવિ પિંગળશી ગઢવીએ પચાસ પ્રકારની પાઘડીઓનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમની આ નોંધ કચ્છ – કાઠિયાવડમાં બંધાતી પાઘડીઓ પૂરતી જ સીમિત છે. ગુજરાતના ઇતિહાસના પ્રસિદ્ધ પાત્ર વીર માંડવાવાળાની કથાના એક દોહા આવે છે. પાઘડિયું પચાસ, પણ એમાં આંટીયાળી એકેય નઈ, પણ ઇ ઘોડો ને ઇ અસવાર, હું તો મિટે ન ભાળું માંગડો! આ વાત અશુભ પ્રસંગે પાઘડી બાંધવાની શૈલીમાં ફેરફાર કરવાની પ્રથાને સૂચવે છે. યુદ્ધ – ધિંગાળામાં કોઇ વીર શહીદ (કામે આવવું) થાય ત્યારે તેની સાથે લડતા અન્ય લોકો પાઘડીના છેડે રહેલા વળ છોડી નાખતા હતા.
એક સમયે ગુજરાતમાં પાઘડીઓ પ્રદેશ કે જ્ઞાતિની ઓળખ સમાન હતી. જેમ કે, વડોદરાની બાબાશાહી, સુરતી, અમદાવાદી, પટ્ટણી, ઝાલાવાડી, ભાવનગરી, હાલારી, જૂનાગઢી, મોરબીશાહી આવા નામે પાઘડીઓ ઓળખાતી હતી. જ્ઞાતિઓ પણ જુદા-જુદા પ્રકારની પાઘડીઓ પહેરતી હતી.
જેમ કે, ભરવાડો ભોજપુરુ નામક પાઘડીઓ પહેરતા હતા. જેમાં નાના ભાઇ કે મોટા ભાઇ ભરવાડની ભોજપરું બાંધવાની શૈલી અલગ ! રબારીઓ ભોજપરુનો છેડો રાતો રાખતા હતા. ક્ષત્રિયો પરંપરા મુજબની ઉપરાંત ભાટિયા, નાગર, પટેલો, દલિતો વગેરે અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બાંધતા હતા. આ તમામ બાબતો પિંગળશી ગઢવી, જોરાવરસિંહ જાદવે ગ્રંથસ્થ કરી છે.
શિવાજી મહારાજ પહેરે છે, એવી મરાઠા, શિંદેશાહી પાઘડીઓ ચિત્રોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના પ્રાંતોમાં તો પાઘડી બાંધવાનો વ્યવસાય હતો. તેને પડઘબંધ કહેવાતા હતા. ગુજરાતમાં આ વ્યવસાય પાઘડાળ તરીકે ઓળખાતો હતો. ગુજરાતના એક રાજાને મળવા માટે જવાનું થાય ત્યારે તેના રાજ્ય જેવી જ પાઘડી પહેરવી પડતી હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા કહે છે, સામાન્ય રીતે ૯ થી ૧૩ મીટરના પૂર્ણ પન્નાવાળા કાપડથી કોઇ પણ ગુજરાતી, રાજસ્થાની અર્વાચિન પાઘ-પાઘડી બંધાય જાય છે. આ ૩૭૩ પ્રકારો પૈકી સૌથી વધુ કપરી શૈલી કળાભરેલી કાઠિયાવાડી પાઘડીની છે. પહેલા ગુલખાર કે ઢાકા મલમલનું કાપડ પાઘડી બાંધવા માટે વપરાતું હતું. ગુજરાતમાં બહુધા લોકો જાતે જ પાઘડી બાંધતા હતા. પણ હવે ધીમે આ પ્રથા ભૂલાઇ રહી છે. મારા આઠ વર્ષીય દીકરા ધ્રુવરાજ સિંહને સાફો બાંધતા આવડી ગયું છે. આ પાઘડીઓ કળાને જીવંત રાખવા માટે ૩૭૩ પ્રકારને કચ્છના પ્રાગ મહેલના સંગ્રહાલયના મ્યુઝિયમમાં મૂકવાનું આયોજન છે. તે કહે છે, સૌથી મોટી પાઘડી તેમણે ભગવાન સોમનાથને ચઢાવી છે. ૭ મિટરના ઘેરાવો ધરાવતા શિવલિંગને પાઘડી ચઢાવવા માટે તાબડતોબ ૨૦૦ મીટર કાપડ પ્રિન્ટ કરાવ્યું હતું અને બાદમાં ચઢાવી હતી.ધર્મરાજસિંહ વાઘેલા તેમના શોખ અનુસાર નોકરી કરી પાઘડી બાંધવાની કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ આ કળાના જ્ઞાન અને પ્રચાર-પ્રસાર માટે ૧૬ પ્રદર્શનો કર્યા છે. આ કળા શીખવા માંગતા યુવાનો માટે ૨૩ ટ્રેઇનિંગ કેમ્પો પણ કર્યાં છે. જેમાં અનેક યુવાનો સાફા-પાઘડી બાંધતા શીખવાડ્યું છે. તેઓ ૧૫ વર્ષના હતા ત્યારથી યુવાનોને સાફા બાંધતા શીખવાડે છે. એમની પાસે શીખેલા ૪૦ જેટલા યુવાનો અત્યારે વ્યવસાયિક ધોરણે સાફા બાંધે છે. આર્થિક સ્થિતિ નબળી હોય એવા કેટલાક યુવાનોને તેમણે સાફા બાંધવાનું કાપડ ખરીદી આપ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં ‘અત્યંત ગરીબી’ (Extreme Poverty) લગભગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂકી છે. જોકે હિંદુઓમાં અત્યંત ગરીબી મુસ્લિમોની તુલનાએ થોડી વધારે છે, એમ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા દ્વારા રજૂ કરાયેલા તાજા સંશોધનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ સંશોધન મુજબ 2011-12થી 2023-24 દરમિયાન ભારતમાં અત્યંત ગરીબી લગભગ ખતમ થઈ ગઈ છે. નવા આંકડા દર્શાવે છે કે મુસ્લિમોમાં ગરીબી દર (1.5 ટકા) હિંદુઓ (2.3 ટકા)ની તુલનાએ થોડો ઓછો છે.
રિસર્ચ પેપર જણાવે છે કે 2022-23માં પણ આવું જ અંતર જોવા મળ્યું હતું — મુસ્લિમોમાં અત્યંત ગરીબી દર 4 ટકા હતો, જ્યારે હિંદુઓમાં 4.8 ટકા, એટલે કે મુસ્લિમોમાં 0.8 ટકા પોઈન્ટ ઓછો. પેપર કહે છે કે જ્યારે દેશમાં અત્યંત ગરીબી લગભગ ગાયબ થઈ ચૂકી છે, ત્યારે એ માન્યતા છે કે મુસ્લિમોમાં હિંદુઓ કરતાં વધુ ગરીબી છે — ઓછામાં ઓછું અત્યંત ગરીબીને મામલે — હવે એ વાત સાચી નથી.
વિશ્વ બેંક દિન-પ્રતિદિન ત્રણ ડોલર કરતાં ઓછા ડોલર પર જીવતા લોકોનું વર્ગીકરણ ‘અત્યંત ગરીબ’ તરીકે કરે છે (PPP આધાર પર). આ સીમા તેન્ડુલકર ગરીબી રેખા નજીક માની શકાય, જે ભારતમાં સત્તાવાર રીતે અપનાવવામાં આવેલી છેલ્લી ગરીબી રેખા હતી.
પેપરે સામાજિક, ધાર્મિક અને આર્થિક તમામ જૂથો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબીનો અંદાજ લગાવ્યો છે. તેનું કહેવું છે કે 2011-12થી 2023-24 વચ્ચે દેશમાં ગરીબીમાં ઘટાડો વ્યાપક અને નોંધપાત્ર રહ્યો છે.
પેપર મુજબ 2011-12ની 21.9 ટકા કુલ ગરીબી ઘટીને 2023-24માં 2.3 ટકા પર આવી છે. એટલે 12 વર્ષમાં 19.7 ટકા પોઈન્ટનો ઘટાડો, દર વર્ષે સરેરાશ 1.64 ટકા પોઈન્ટનો ઘટાડો થયો છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘટાડો
ગ્રામ્ય ગરીબી: 22.5 ટકા પોઈન્ટનો ઘટાડો (દર વર્ષે 1.87 ટકા)
શહેરી ગરીબી: 12.6 ટકા પોઈન્ટનો ઘટાડો (દર વર્ષે 1 ટકાનો)
એસસી, એસટી, ઓબીસી અને અન્યો—બધાં સામાજિક જૂથોમાં ગરીબીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને એસટી સમુદાયમાં 2023-24માં ગરીબી 8.7 ટકા રહી.
ધાર્મિક જૂથ મુજબ ગરીબી દર
હિંદુ: 2.3 ટકા
મુસ્લિમ: 1.5 ટકા
ખ્રિસ્તી: 5 ટકા
બૌદ્ધ: 3.5 ટકા
શીખ અને જૈન: 0 ટકા
આ પેપરનો મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે *હિંદુ-મુસ્લિમ વચ્ચેની અત્યંત ગરીબીનું અંતર લગભગ ખતમ થઈ ગયું છે.
સલમાન ખાને તેમની પરવાનગી વિના તેમના નામ, છબી, અવાજ, સંવાદ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરી રહેલા અનેક વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. જાણો શું કહ્યું.
સલમાન ખાનની માંગ
બૉલિવુડ અભિનેતા સલમાન ખાન દ્વારા તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે દાખલ કરાયેલી અરજી અંગે દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે દાખલ કરાયેલી અરજીને ફરિયાદ તરીકે ગણે અને નિયમો અનુસાર ત્રણ દિવસની અંદર કાર્યવાહી કરે. સલમાન ખાનના વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે એપલે અભિનેતાના અધિકારોનું ઉલ્લંઘન કરતી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની મંજૂરી આપી છે. તેમણે ઈ-માર્કેટપ્લેસ પ્લેટફોર્મ પર AI ચેટબોટ્સ અને સામગ્રીનો પણ ઉલ્લેખ કર્યો છે જે સલમાન ખાનના નામ અને વ્યક્તિત્વનો અયોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છે.
કોર્ટનો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બિન-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે સ્ટે ઓર્ડર જારી કરશે. સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કરતા સંદીપ સેઠીએ કોર્ટને એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે માહિતી આપી જે સતત તેમના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમજ નકલી સમાચાર અને ભ્રામક સામગ્રીના મુદ્દા વિશે પણ.
લોકોએ પહેલાં પણ કાર્યવાહી કરી છે
સલમાને ઘણા નામાંકિત અને અજાણ્યા પ્રતિવાદીઓ સામે મનાઈ હુકમ માંગ્યો છે જેઓ તેમની પરવાનગી વિના તેમના નામ, છબી, અવાજ, સંવાદ, શૈલી અને અન્ય વ્યક્તિગત ગુણોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર આવા અનધિકૃત ઉપયોગ ગ્રાહકોમાં મૂંઝવણ પેદા કરી શકે છે, તેમના બ્રાન્ડ મૂલ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તેમને નાણાકીય અને વ્યક્તિગત નુકસાન પહોંચાડી શકે છે. આ મુકદ્દમાથી સલમાન ખાનને અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને રજનીકાંત જેવા અગ્રણી ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ઉમેરવામાં આવ્યું છે, જેમણે પહેલાથી જ તેમના વ્યક્તિત્વના રક્ષણ માટે કાનૂની પગલાં લીધા છે.
વ્યક્તિત્વ અધિકારો શું છે?
તાજેતરના વર્ષોમાં અભિષેક બચ્ચન, અનિલ કપૂર અને તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરએ પણ એઆઈ અને ડીપફેક ટેકનોલોજીના વધતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સમાન રાહત માંગી છે. જોકે ભારતમાં કોઈ ચોક્કસ કાયદામાં વ્યક્તિત્વ અધિકારો વ્યાખ્યાયિત નથી, આ અધિકારોને વિવિધ કોર્ટના નિર્ણયો દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેઓ બંધારણના અનુચ્છેદ 21 સાથે પણ જોડાયેલા છે, જે ગોપનીયતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. આ અધિકારો વ્યક્તિને તેમની ઓળખના કોઈપણ તત્વના વ્યાપારી ઉપયોગને નિયંત્રિત કરવાની શક્તિ આપે છે.
હોલિવુડ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ મુદ્દો ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી. સ્કારલેટ જોહાનસન અને જ્યોર્જ ક્લુની જેવા હોલીવુડ સ્ટાર્સે પણ તેમના અવાજો અથવા ચહેરાઓના AI-જનરેટેડ વર્ઝનના દુરુપયોગ અંગે મોટી કંપનીઓ સામે કેસ દાખલ કર્યા છે. જેમ જેમ ડીપફેક અને AI ટેકનોલોજી આગળ વધે છે, તેમ તેમ ઓળખ સુરક્ષા એક વૈશ્વિક પડકાર બની ગઈ છે. આ કેસ સલમાન ખાન વિરુદ્ધ અશોક કુમાર/જોન ડો અને અન્ય ભારતમાં સેલિબ્રિટી અધિકારો અને ડિજિટલ ઓળખના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ મિસાલ સ્થાપિત કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા જાડેજા ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. રિવાબાએ એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર એવો આરોપ મૂક્યો છે કે જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમનું નિવેદન સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સથી લઈને એક્સપર્ટ્સ સુધી સૌ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રિવાબાનો સનસનીખેજ આરોપ
આ કાર્યક્રમમાં પોતાની પતિની ઈમાનદારી અને શિસ્તની પ્રશંસા કરતાં રિવાબાએ અચાનક અન્ય ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાડેજા દુનિયાના અનેક દેશોમાં—લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા—રમવા જાય છે, પરંતુ ક્યારેય કોઈ ખોટી આદત કે વ્યસનમાં પડ્યા નથી. એ પછી તેમણે કહ્યું હતું કે ટીમના બાકીના બધા ખેલાડીઓ વિદેશ જઈને ખોટાં કામ કરે છે. જોકે તેમણે કોઈ ક્રિકેટરનું નામ નહોતું લીધું, પણ આ નિવેદન ટીમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પર એક સામાન્ય આરોપ તરીકે જોવામાં આવે છે.
તેમનો આ આરોપ સૌને આશ્ચર્યમાં મૂકનાર હતો, કારણ કે તેમણે સીધો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે જાડેજા ઇચ્છે તો તે પણ બીજાઓ જેવું કરી શકે, તેમને મને પૂછવાની જરૂર નથી. પરંતુ તેઓ પોતાની જવાબદારીઓ સમજે છે અને હંમેશાં અનુશાસિત રહે છે.
“मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja#ravindrajadejapic.twitter.com/OyuiPFPvVa
રિવાબાનું નિવેદન બહાર આવતાં જ સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયાઓની વરસાદ શરૂ થઈ ગયો. આ પહેલીવાર નથી કે રિવાબા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી હોય, પરંતુ આ વખતે મામલો ક્રિકેટરો સાથે જોડાયેલો હોવાથી વિવાદ વધુ મોટો બની ગયો છે.
ભારતના IT અને ટેક ક્ષેત્ર માટે એક સારા સમાચાર છે. માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્યા નડેલાએ બેંગલુરુમાં જણાવ્યું હતું કે 2030 સુધીમાં, ભારત ગિટહબ પર વિશ્વનો સૌથી મોટો ડેવલપર સમુદાય ધરાવતો દેશ બની જશે અને યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ છોડી દેશે.
સરળ શબ્દોમાં કહીએ તો GitHub એ સોફ્ટવેર એન્જિનિયરો અને ડેવલપર્સ માટે તેમના કોડ સ્ટોર કરવા અને સોફ્ટવેર બનાવવા માટે વિશ્વનું અગ્રણી પ્લેટફોર્મ છે. હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્લેટફોર્મ પર સૌથી વધુ વપરાશકર્તાઓ છે, જેમાં ભારત બીજા સ્થાને છે. જોકે, નડેલા માને છે કે ભારત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, તે જોતાં આગામી થોડા વર્ષોમાં તે નંબર 1 દેશ બનશે.
સત્ય નડેલાના મુખ્ય મુદ્દાઓ
નડેલાએ જણાવ્યું હતું કે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. અહીંના ડેવલપર્સ નવી ટેકનોલોજી અપનાવવામાં મોખરે છે. તેમણે સમજાવ્યું કે ભારતમાં ડેવલપર્સનો આંકડો માત્ર વધી રહ્યો નથી, પરંતુ તેઓ વિશ્વના કેટલાક સૌથી પડકારજનક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે. નડેલાએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, અને આ પ્રતિભા વૈશ્વિક AI ક્રાંતિનું નેતૃત્વ કરશે. નડેલાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે. સત્ય નડેલા હાલમાં ભારતના પ્રવાસે છે, ડેવલપર્સ અને ટેકનોલોજી લીડર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે.
બેંગલુરુઃ બેંગલુરુના ટેક્નિકલ કર્મચારીઓ દ્વારા અમેરિકન નાગરિકોને ઠગવાના મામલે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત ગેંગનો મોટો ખુલાસો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ ઓગસ્ટથી અત્યાર સુધી ઓછામાં ઓછા 150 પીડિતોને નિશાન બનાવ્યા અને દરેક પાસેથી સરેરાશ 10,000 ડોલર (કુલ 13.5 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરી હતી.
ગયા મહિને પોલીસે વ્હાઇટફિલ્ડ સ્થિત મસ્ક કમ્યુનિકેશન્સ પર દરોડો પાડ્યો હતો અને 21 લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગ પોતાને Microsoftના ટેક્નિકલ સપોર્ટ સ્ટાફ તરીકે ઓળખાવતી હતી અને ખોટા ‘Federal Trade Commission (FTC)’ ઉલ્લંઘન બતાવીને પીડિતો પાસેથી રૂપિયા ઉઘરાવતી હતીં. આ ઉપરાંત પોલીસે અમદાવાદથી રવિ ચૌહાણ નામની વ્યક્તિને પણ ધરપકડ કરી છે, જેમણે બેંગલુરુમાં લગભગ 85 કર્મચારીઓની ભરતી કરાવી હતી.
એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતોને Bitcoin ATMમાં પૈસા જમા કરાવવા કહેતા હતા. (બિટકોઇન ATM એ એવું કિયોસ્ક છે, જેઓ બિટકોઇન નેટવર્ક સાથે જોડાયેલા હોય છે અને ક્રિપ્ટોકરન્સી લેવડદેવડ માટે વપરાય છે). અધિકારીએ જણાવ્યું હતું કે અમે પીડિત ગ્રાહકોની બેંક વિગતો એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે અમેરિકા અને બ્રિટનના ઓછામાં ઓછા 150 પીડિતોએ અલગ-અલગ બિટકોઇન માટે ATMમાં આશરે 10,000 ડોલર જમા કરાવ્યા હતા.
એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેંગના ત્રણ માસ્ટરમાઈન્ડ હજી પણ ફરાર છે. તેઓ 2022થી બ્રિટન અને અમેરિકામાં પીડિતોને નિશાન બનાવી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મસ્ક કમ્યુનિકેશન્સે આ વર્ષે ઓગસ્ટમાં 4500 ચોરસ ફૂટનું વિશાળ ઓફિસ 5 લાખ રૂપિયા મહિનાના ભાડે લીધી હતી. આ ગેંગ ખાસ કરીને અમેરિકન યુઝર્સને નિશાન બનાવીને ફેસબુક પર ખોટા અને જોખમકારક જાહેરાતો ચલાવતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કંપનીમાં કુલ 83 કર્મચારીઓ હતા, જેમાંથી આશરે 21 ટેક્નિકલ કર્મચારીઓને આ છેતરપિંડીની જાણ હતી. તેમને મહિને 15,000 થી 25,000 રૂપિયા પગાર આપવામાં આવતા હતા.
ગાંધીનગર: ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે. જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે. જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાનારી આગામી VGRC સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે કચ્છની સિદ્ધિને પ્રદર્શિત કરશે. કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત ૪૩૦ કિમી વિસ્તારમાં સી-વીડની ખેતી ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે. આ સી-વીડની ખેતી માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે.
શું છે સીવીડ અને તેની ઉપયોગિતા?
સીવીડ એક પ્રકારનો દરિયાઈ શેવાળ છે, જેનો ઉપયોગ સદીઓથી ખાદ્ય અને ઔષધીય હેતુઓ માટે થાય છે. સીવીડ વિટામિન્સ, ખનિજો (ખાસ કરીને આયોડિન), ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો, હૃદયનું સ્વાસ્થ્ય, થાઇરોઇડ કાર્ય અને સંભવિત વજન વ્યવસ્થાપન જેવા ફાયદાઓ પ્રદાન કરે છે. સીવીડનો તેનો ઉપયોગ પોષક તત્વોથી ભરપૂર ખોરાક અને કાર્યાત્મક ઘટક તરીકે થાય છે, જે બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને બ્લડ શુગરના નિયમન માટેના સંયોજનો પૂરા પાડે છે.
દરિયાકાંઠાના સમુદાયોને વિશેષ તાલીમ
દરિયાઈ સીવીડની ખેતી દરિયાકાંઠાના સમુદાયો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે. ચોમાસામાં માછીમારી-પ્રતિબંધિત સમયગાળા દરમિયાન સીવીડ ઉત્પાદનની પ્રવૃત્તિ આવક પ્રદાન કરે છે. ગુજરાતમાં સીવીડ ઉત્પાદન સતત વધી રહ્યું છે. સીવીડ ઉત્પાદનના આંકડાઓ પર નજર નાખીએ તો, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કચ્છમાં સી-વીડની ૧૪ ટન ખેતી કરવામાં આવી હતી. જેમાં મહિલા સ્વ-સહાય જૂથો સી-વીડની ખેતી અને તેની સૂકવણીમાંથી દર મહિને ₹૧૨,૦૦૦–₹૧૮,૦૦૦ કમાય છે. આ ખેતી પર્યાવરણને અનૂકુળ કામ કરવા માંગતી પેઢીઓને આકર્ષે છે અને પરંપરાગત માછીમારી પર દબાણ ઘટાડે છે.
વધુમાં, સીવીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને તાલીમ પણ આપવામાં આવે છે. અત્યારસુધીમાં કચ્છના ૧૭ ગામોમાં મોટી સંખ્યામાં લોકોને તાલીમ આપવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સમયાંતરે તાલીમ વર્ગો યોજાતા રહે છે.
સીવીડ ફાર્મિંગ એક સમયે ફક્ત થોડા દરિયાકાંઠાના સમુદાયો દ્વારા કરવામાં આવતી એક વિશિષ્ટ પ્રવૃત્તિ હતી તે આજે સરકાર-સમર્થિત, સંશોધન-સંચાલિત ચળવળ બની ગઈ છે. નવી નીતિઓ, તકનીકી નવીનતા અને GIS મેપિંગ સાથે, ગુજરાતમાં સીવીડની ખેતી અભૂતપૂર્વ વેગ મેળવી રહી છે.
સીવીડને મેરીકલ્ચર વિઝનના મુખ્ય સ્તંભ તરીકે માન્યતા આપીને ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ હેઠળ અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે. આ પહેલ હેઠળ ખેતી સહાયથી લઈને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યારસુધી રાફ્ટ યુનિટનો ખર્ચ ₹૩,૦૦૦ ની મર્યાદામાં આપવામાં આવતો હતો, તે વધારીને ₹૬,૦૦૦ કરવામાં આવ્યો છે. ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ ₹૮,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરવામાં આવ્યો છે.
આખા વર્ષ દરમિયાન સીવીડ બીજ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સીવીડ બેંક યુનિટ્સ માટે ₹૨ કરોડ આપવામાં આવશે, તેમજ મીઠાના અગર, કેરેજીનન, અલ્જીનેટ અને બાયો-ઉત્તેજકો કાઢવા માટે સીવીડ પ્રોસેસિંગ યુનિટ માટે ₹૫ કરોડ આપવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ઓખા ખાતે સીવીડ સંશોધન અને ઉપયોગિતામાં શ્રેષ્ઠતા કેન્દ્ર માટે ₹૬ કરોડ ફાળવવામાં આવશે.
ગાંધીનગર: કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ ઇન્ડિયાAI મિશન સાથે એક જવાબદાર અને સમાવિષ્ટ AI ઇકોસિસ્ટમ બનાવવા તરફ વધુ એક પગલું ભર્યું છે, ગુરુવારે રાજ્યમાં પ્રાદેશિક પ્રી-સમિટ ઇવેન્ટનું આયોજન કર્યું છે.
ગુજરાત સરકાર અને આઇ.આઇ.ટી. ગાંધીનગરના સહયોગથી મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમ, ભારત-AI ઇમ્પેક્ટ સમિટ એ 2026 પહેલા એક મુખ્ય તૈયારી સ્વરૂપે બેઠક છે. મુખ્ય સમિટ આવતા વર્ષે 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
પ્રાદેશિક પરિષદનો ઉદ્દેશ્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નેતાઓ, સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોને એકત્ર કરીને ચર્ચા કરવાનો છે કે AI ભારતના આર્થિક, ડિજિટલ અને સામાજિક પરિવર્તનને કેવી રીતે ચલાવી શકે છે. ચર્ચાઓમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાસન, જાહેર સેવાઓ અને વિકાસને મજબૂત બનાવવા માટે AIનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
Gandhinagar, Gujarat: CM Bhupendra Patel inaugurates AI Impact Summit at Mahatma Mandir, Gandhinagar. Dy CM Harsh Sanghavi and Cabinet Minister Arjun Modhwadia attend. Experts discuss AI’s technological, social impact, future applications, and role in society pic.twitter.com/Ur6yTtASlO
સમિટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અધિક સચિવ MeitY અને NICના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પુનુગુમાતલા ભારતીનો સમાવેશ થાય છે.
“ગુડ ગવર્નન્સ માટે AI: ભારતના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવું” થીમ પર કેન્દ્રિત, આ કાર્યક્રમમાં MeitY, ભાષિની, ગૂગલ ક્લાઉડ, માઇક્રોસોફ્ટ, IBM રિસર્ચ, NVIDIA, ઓરેકલ અને AWS જેવી સંસ્થાઓના રાષ્ટ્રીય અને વૈશ્વિક નિષ્ણાતો દ્વારા મુખ્ય સત્રો રજૂ કરવામાં આવશે. આ સત્રોમાં શાસન માટે AI, કૃષિમાં AI, સ્માર્ટ ગ્રામીણ વિકાસ, આરોગ્યસંભાળ નવીનતા, ડિજિટલ સમાવેશ, ફિનટેક વૃદ્ધિ અને જનરેટિવ AI સહિત વિવિધ વિષયો પર વિચારવિર્મશ કરવામાં આવશે.બીજો મુખ્ય ધ્યાન બહુભાષી AI અને ભાષિની જેવા પ્લેટફોર્મ દેશભરમાં ભાષા અવરોધોને કેવી રીતે દૂર કરવામાં મદદ કરી રહ્યા છે તેના પર રહેશે. સહભાગીઓને IndiaAI અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલા એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત લેવાની તક પણ મળશે. આ ઝોન શાસન, આરોગ્યસંભાળ, કૃષિ અને ઉદ્યોગમાં AI-સંચાલિત ઉકેલો પ્રદર્શિત કરશે. નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજિસ્ટ અને શિક્ષણવિદોને એક જ પ્લેટફોર્મ પર લાવીને, ગાંધીનગર પ્રી-સમિટનો ઉદ્દેશ્ય એવા AI માળખા બનાવવાનો છે જે સ્કેલેબલ, વિશ્વસનીય અને જાહેર હિત સાથે સુસંગત હોય.
કચ્છ: જખૌ સમુદ્રી વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. માછીમારોને કિનારે લાવવાની કાર્યવાહી ચાલુ છે. તેમની પાસે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડનું ઓપરેશન ચાલુ છે અને માછીમારોની અટકાયત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ એક મોટી કાર્યવાહીમાં 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. આ માછીમારોને તેમની બોટ ‘અલ વલી’ (Al Wali) સાથે કચ્છના જખૌ નજીકના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ વલી’ ભારતીય હદમાં ગેરકાયદે રીતે માછીમારી કરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બોટને આંતરી હતી અને તેમાં સવાર તમામ 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી.
કોસ્ટગાર્ડની સફળ કાર્યવાહી
આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઝડપી પાડવામાં આવેલી પાકિસ્તાની બોટ અને તમામ 11 માછીમારોને વધુ તપાસ માટે ગુજરાતના જખૌ બંદરે લાવવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં પાકિસ્તાની બોટનું પકડાવું એ સુરક્ષાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.
વધુ તપાસ હાથ ધરાઈસમગ્ર મામલે કોસ્ટગાર્ડ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા ઇરાદે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા અને તેમની સાથે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલાં ઓગસ્ટમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા કોઠી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને એક એન્જિન લગાવેલી દેશી બોટ જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન મોટી માત્રામાં માછલીઓ, માછલી પકડવાના જાળ, ડીઝલ, બરફ અને ખાવા-પીવાની વસ્તુઓ પણ મળી આવી હતી.
ક્રિકેટજગતમાં હંગામોઃ ભારતીય ખેલાડીઓ પર રિવાબા જાડેજાનો ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા જાડેજા ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. રિવાબાએ એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર એવો આરોપ મૂક્યો છે કે જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમનું નિવેદન સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સથી લઈને એક્સપર્ટ્સ સુધી સૌ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રિવાબાનો સનસનીખેજ આરોપ
આ કાર્યક્રમમાં પોતાની પતિની ઈમાનદારી અને શિસ્તની પ્રશંસા કરતાં રિવાબાએ અચાનક અન્ય ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાડેજા દુનિયાના અનેક દેશોમાં—લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા—રમવા જાય છે, પરંતુ ક્યારેય કોઈ ખોટી આદત કે વ્યસનમાં પડ્યા નથી. એ પછી તેમણે કહ્યું હતું કે ટીમના બાકીના બધા ખેલાડીઓ વિદેશ જઈને ખોટાં કામ કરે છે. જોકે તેમણે કોઈ ક્રિકેટરનું નામ નહોતું લીધું, પણ આ નિવેદન ટીમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પર એક સામાન્ય આરોપ તરીકે જોવામાં આવે છે.
તેમનો આ આરોપ સૌને આશ્ચર્યમાં મૂકનાર હતો, કારણ કે તેમણે સીધો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે જાડેજા ઇચ્છે તો તે પણ બીજાઓ જેવું કરી શકે, તેમને મને પૂછવાની જરૂર નથી. પરંતુ તેઓ પોતાની જવાબદારીઓ સમજે છે અને હંમેશાં અનુશાસિત રહે છે.
ક્રિકેટ ફેન્સમાં હલચલ
રિવાબાનું નિવેદન બહાર આવતાં જ સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયાઓની વરસાદ શરૂ થઈ ગયો. આ પહેલીવાર નથી કે રિવાબા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી હોય, પરંતુ આ વખતે મામલો ક્રિકેટરો સાથે જોડાયેલો હોવાથી વિવાદ વધુ મોટો બની ગયો છે.