ઇસ્લામાબાદ: પાકિસ્તાનની બેશરમીને કારણે હવે વિશ્વમાં તેની ફજેતો થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરકારે તુર્કી પછી હવે શ્રીલંકા સાથે પણ એક મોટો દગો કર્યો છે કોલંબોના અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનને ફરી એક વાર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, કારણ કે શ્રીલંકાને મોકલવામાં આવેલી માનવીય સહાયની ખેપમાં એવી ચીજવસ્તુઓ મળી આવી છે, જે એક્સપાયરી તારીખ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ હતી. તેમાં મેડિકલ સપ્લાય, ખોરાકના પેકેટ્સ અને જરૂરી માલસામાન સામેલ હતો.
પાકિસ્તાનની સોશિયલ મિડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાને માનવીય સહાયને નામે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને એક્સપાયરી ફૂડ આઈટમ્સ મોકલી દીધી છે. શ્રીલંકામાં પાકિસ્તાની દૂતાવાસે જારી કરેલી તસવીરોમાંથી આ દગો ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાને રાહત સામગ્રીને નામે પાણી, દૂધ અને બિસ્કિટ મોકલ્યાં છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ X પર આ તસવીરો જોઈને અનેક યુઝર્સે પાકિસ્તાનની આ નીચ હરકત પકડી લીધી. તેઓ તસવીરો શેર કરીને કંગાળ પાકિસ્તાનને બેનકાબ કરી રહ્યા છે. એક તરફ શ્રીલંકાની સરકાર ગુસ્સે છે, તો બીજી તરફ પાકિસ્તાનને રાજકીય શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
Pakistan High Commission in Sri Lanka has deleted this tweet after being caught sending expired food material to Sri Lanka. ⬇️#SriLanka #SriLankafloods pic.twitter.com/KibrvRZYNx
— Annu Kaushik (@AnnuKaushik253) December 2, 2025
સોશિયલ મિડિયા યુઝર્સે તસવીરોને આધારે જણાવ્યું છે કે પાકિસ્તાને મોકલેલી રાહત સામગ્રીની એક્સપાયરી તારીખ ઓક્ટોબર, 2024ની છે. તેમણે પાકિસ્તાની દૂતાવાસને ટ્રોલ કરતાં લખ્યું છે કે આ સામગ્રી 10 પરિવારો માટે પણ પૂરતી નથી અને ઉપરથી તે પણ એક્સપાયરી થઈ ચૂકેલી છે. એક યુઝરે લખ્યું કે આ લોકો નીચ જાતિના છે. હિંદુ બહુમતી ધરાવતા દેશમાં ભૂકંપ વખતે બીફ મોકલવું અને હવે શ્રીલંકાને એક વર્ષ જૂનો ખોરાક મોકલવું – આ જ દર્શાવે છે તેમની નબળી માનસિકતા. 2023માં પણ તુર્કીમાં આવેલા ભૂકંપ દરમ્યાન પાકિસ્તાને એ જ રાહત સામગ્રી પાછી મોકલી હતી, જે તેને કરાચીમાં આવેલા પૂર દરમિયાન મળી હતી.
શ્રીલંકાએ પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી
એક્સપાયરી અને બગડેલો ખોરાક જોઈને શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે અને વિદેશ મંત્રાલયને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ત્યાર બાદ શ્રીલંકા સરકારે પાકિસ્તાનને સત્તાવાર તેમ જ બિનસત્તાવાર રીતે આ સમગ્ર બનાવ અંગે વિરોધ દર્શાવ્યો છે.






આ સન્માન સમારંભનું આયોજન અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરે છે. AKBT આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત છે અને HIVગ્રસ્ત લોકોના કલ્યાણ માટે પણ નોંધપાત્ર કાર્ય કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટે પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત પણ કરી હતી.
મુખ્યમંત્રીએ આ તકે પારસી સમાજના દિગ્ગજો જેવા કે મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરેના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો છે અને તેઓ ગુજરાતના સામાજિક જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારંભ ઉપરાંત અન્ય વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સમારોહમાં દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ, વડા દસ્તુરજીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






CJI સૂર્યકાંત રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને મુદ્દે લાલઘૂમ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ઘૂસણખોરીને મુદ્દે સુનાવણી થઈ હતી. CJI સુર્યકાંતે આ મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ગેરકાયદે ઘૂસણખોરો અને રોહિંગ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘૂસણખોરો અહીં ઘૂસી આવશે અને પછી અધિકારો માગશે.
રોહિંગ્યા ઘૂસણખોરોને ડિટેન્શનથી ગાયબ થઈ જવાને મામલે હેબિયસ કોર્પ્સ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓનું કહેવું હતું કે કેન્દ્ર સરકારે આ રોહિંગ્યાના ડિટેન્શન અને ડિપોર્ટેશન (દેશનિકાલ) વિશેની માહિતી આપવી જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો.
CJIની આકરી ટિપ્પણી
CJI સૂર્યકાંતે કહ્યું હતું કે ઉત્તર ભારત તરફ અમારી સરહદ ખૂબ સંવેદનશીલ છે અને દેશની હાલની પરિસ્થિતિ અંગે તમામને ખબર છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો. શું તમે ઇચ્છો છો કે તેમના માટે લાલ કાર્પેટ પાથરી દઈએ? તેઓ સુરંગો મારફતે પ્રવેશ કરે અને પછી ખોરાક, આશ્રય, બાળકોના શિક્ષણ જેવા અધિકારો માગે?
મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે શું આપણે કાયદાને એટલો ખેંચી શકીએ? શું આપણાં ગરીબ બાળકો આ સુવિધાઓના હકદાર નથી? આવા કેસોમાં હેબિયસ કોર્પ્સની માગ કરવી ખૂબ કલ્પનાશીલ છે.
કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે એ અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી માટે આવવું. કોર્ટે નોટિસ જારી કરવાની પણ ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાને શરણાર્થી કહેવાને મુદ્દે પણ સવાલ કર્યો અને પૂછવામાં આવ્યું હતું કે શું ઘૂસણખોરોને શરણાર્થીનો દરજ્જો આપી શકાય? જો કોઈ દેશની સરહદ તોડી અહીં ઘૂસી આવે, તો શું તેને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય? એવો સવાલ તૈયાર કર્યો હતો.