Home Blog Page 4302

અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર

બેંગલુરુઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ દિવસ દીઠ રૂ. 22 કરોડ અથવા વર્ષમાં રૂ. 7,904 કરોડ દાનમાં આપ્યા હતા અને એ રીતે તેઓ વર્ષ 2020માં દેશમાં સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે.

દાનવીરો માટે હુરૂન રિપોર્ટ ઈન્ડિયા અને એડલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદી-2020માં અઝીમ પ્રેમજી પહેલા નંબર પર છે. એમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે. ભારતના સૌથી શ્રીમંત મુકેશભાઈ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. એમની કરતાં પ્રેમજીએ 17 ગણું વધારે દાન કર્યું છે. યાદીમાં બીજા નંબર પર છે એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક ચેરમેન શિવ નાદર અને એમનો પરિવાર.

નાદર અને એમના પરિવારે ધર્માર્થ કાર્યો માટે 795 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે જ્યારે અંબાણી તથા એમના પરિવારે 458 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ચોથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલા છે જ્યારે પાંચમા સ્થાને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે. આ યાદીમાં મુંબઈ 36 દાનવીરોના નામ સાથે મોખરે છે. તે પછી દિલ્હી, બેંગલુરુ આવે છે.

નીતિશકુમાર સાતમીવાર બનશે બિહારના મુખ્યપ્રધાન

પટનાઃ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જીતની પતાકા લહેરાવી છે. એનડીએ ગઠબંધને 125 સીટો પર જીત હાંસલ કરી છે. હવે નીતીશકુમાર સાતમી વાર બિહારના મુખ્ય પ્રધાનપદનો કાર્યભાર સંભાળશે. નીતીશકુમાર બિહારના 37મા મુખ્ય પ્રધાનના રૂપે શપથ લેશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેડીયુની ઓછી સીટો આવશે તો પણ તેમના નેતા નીતીશકુમાર જ હશે. ભાજપને 74 અને જેડીયુને 43 સીટો પર જીત મળી છે.

નીતીશકુમાર ક્યારે-ક્યારે બિહારના મુખ્ય પ્રધાન બન્યા?

બિહારના રાજકારણમાં પોતાની એક અલગ છબિ બનાવનાર નીતીશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. નીતીશકુમાર સૌથી પહેલાં ત્રીજી માર્ચ, 2000માં મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ત્યારે બહુમત ના હોવાને કારણે સાત દિવસ પછી તેમની સરકાર પડી ગઈ હતી. એ પછી નીતીશકુમાર 24 નવેમ્બર, 2005 બીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ 26 નવેમ્બર, 2010એ ત્રીજી વાર બિહારના શપથ બન્યા. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2015એ ચોથી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા. આરજેડી સાથે ગઠબંધન કર્યા પછી 20 નવેમ્બર, 2015એ પાંચમી વાત મુખ્ય પ્રધાન બન્યા. એ પછી આરજેડી સાથે સંબંધ તોડીને ભાજપની સાથે ગઠબંધન કર્યા પછી 27 જુલાઈ, 2017એ છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન બન્યા.

નીતીશકુમાર બિહાર ચૂંટણીમાં કેટલીય સભાઓમાં એ ઘોષણા કરી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી હશે. નીતીશકુમારને લાલુ યાદવના પુત્ર તેજસ્વીથી કાંટાની ટક્કર મળી હતી. હવે વિધાનસભ્યોની બેઠકમાં મુખ્ય પ્રધાનપદ માટે નીતીશકુમારના નામ પર મહોર લાગશે, જેના પછી તેમનો શપથગ્રહણ થશે.

 

 

 

૧૧ નવેમ્બર ૨૦૨૦

૧૧ નવેમ્બર ૨૦૨૦

બેબી નઝમાથી માલા સિંહા

વીતેલા વર્ષોના હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રી માલા સિંહાનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૩૬ના રોજ કોલકાતામાં થયો. પોતાની પ્રતિભા અને ખૂબસૂરતી માટે જાણીતા અને પચાસથી સિત્તેરના દાયકાના હિન્દી ફિલ્મોના ટોચના અભિનેત્રી માલા સિંહાએ સો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ‘પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘આંખે’ કે ‘મર્યાદા’ નો સમાવેશ થાય છે.

નેપાળી મૂળના પરિવારમાં જન્મેલા માલા સિંહાના પિતા આલ્બર્ટ સિંહા નેપાળી ખ્રિસ્તી હતા. માલાનું મૂળ નામ તો ‘અલ્ડા’ હતું અને એમની સ્કૂલ ફ્રેન્ડ્સ એમને ‘ડાલ્ડા’ કહીને ખીજવતી એટલે અભિનયની શરૂઆત કરી ત્યારે એમણે પોતાનું નામ બેબી નઝમા રાખ્યું. એ પછી મોટા થઇને માલા સિંહા નામ રાખ્યું. ૧૯૪૭ થી ૧૯૭૫ સુધી એ સ્ટેજ શો પણ કરતા.

ગીતા બાલીએ માલાનો પરિચય કેદાર શર્મા સાથે કરાવ્યો, જેમણે માલાને ‘રંગીન રાતેં’માં નાયિકા બનાવ્યા. ગુરુ દત્ત સાથેની ‘પ્યાસા’ એમના માટે ટર્નિંગ પોઈન્ટ બની. યશ ચોપ્રા નિર્દેશિત પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’માં એમને ખૂબ સફળતા મળી. રાજ કપૂર સાથે ‘પરવરિશ’, ‘મૈ નશેમેં હું’, શમ્મીકપૂર સાથે ‘ઉજાલા’, ‘દિલ તેરા દીવાના’ આવી. માલા સિંહાની કરિયર ટોચ પર હતી ત્યારે ‘બહુરાની’, ‘ગુમરાહ’, ‘ગેહરા દાગ’, ‘અપને હુએ પરાયે’ ‘જહાંનારા’ ‘આંખે’, ‘ગીત’, ‘લલકાર’ અને ‘જિંદગી’ જેવી યાદગાર ફિલ્મો આવી.

માલા સિંહાએ એસ્ટેટ ઓનર સી.પી. લોહાની સાથે લગ્ન કર્યા, પણ લગ્ન પછી એ મુંબઈ જ રહ્યાં. એમની દીકરી પ્રતિભા પણ અભિનેત્રી છે. નેવુંના દાયકા પછી માલાજી પતિ સાથે મુંબઈમાં બાન્દ્રામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 11/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરાટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા

દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ટીમે પોતાનું વિજેતાપદ જાળવી રાખ્યું છે. તેનું આ પાંચમું આઈપીએલ વિજેતાપદ છે. આ પહેલાં, તેણે 2013, 2015, 2017 અને 2019માં આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

આજની ફાઈનલમાં, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 156 રન કર્યા હતા. એમાં શ્રેયસ ઐયરના અણનમ 65 અને રિષભ પંતના 56 રનનું મુખ્ય યોગદાન હતું. બંનેએ ચોથી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.

તેના જવાબમાં, રોહિત શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (20)એ પહેલી વિકેટ માટે 45 બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 19 રન કરીને આઉટ થયો હતો, પણ શર્માએ એની આગવી આક્રમક ફટકાબાજી ચાલુ રાખીને ટીમને વિજયના દ્વારે મૂકી દીધી હતી. 17મી ઓવરમાં એ આઉટ થયો હતો.

ઈશાન કિશન (33 નોટઆઉટ)એ છેવટ સુધી પોતાનો છેડો સંભાળી રાખ્યો હતો.

તમામ બેન્ક ખાતાઓને ‘આધાર નંબર’ સાથે જોડવાની સૂચના

મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે બેન્કોને 31 માર્ચ, 2021 સુધી બધાં ખાતાઓને સંબંધિત ગ્રાહકોના આધાર કાર્ડથી જોડવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે નાણાકીય સમાવેશીકરણ હજી પૂરું નથી થયું. હજી આગળ વધારવાનું બાકી છે. કેટલાંય એવાં ખાતાં છે, જે અત્યાર સુધી આધારથી નથી જોડાયેલાં.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)ની 73મી સામાન્ય બેઠકને સંબોધિત કરતાં સીતારામને કહ્યું હતું કે પ્રત્યેક ખાતાને 31 માર્ચ, 2021 સુધી આધાર કાર્ડથી જોડવાં જોઈએ અને જ્યાં જરૂરી તથા લાગુ પડતું હોય ત્યાં પેન (PAN)થી પણ એને જોડવું જોઈએ.

બેન્કોએ ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહિત અને અન્ય રૂપે કરવામાં આવતી ચુકવણીને હતોત્સાહ કરવી જોઈએ. તેમણે UPI આધારિત ચુકવણીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. નાણાપ્રધાને કહ્યું હતું કે UPI અમારી બધી બેન્કોમાં સામાન્ય વાતચીતનો શબ્દ હોવો જોઈએ. તેમણે રૂપે કાર્ડને પ્રોત્સાહન પર ભાર મૂકવો જોઈએ. જેને પણ કાર્ડની જરૂર હોય તેને માત્ર રૂપે કાર્ડ જારી કરો, એમ તેમણે કહ્યું હતું. તેમણે દેશ મોટી કદની બેન્કોને ભાર આપી રહી છે.

 

 

 

ઈન્ડિયા આઈએનએક્સે નવા કો-લોકેશન ડેટા સેન્ટરનો પ્રારંભ કર્યો

મુંબઈ તા.10 નવેમ્બર, 2020: દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા INXએ દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ગિફ્ટ સિટી સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે નવા કો-લોકેશન ડેટા સેન્ટ્રનો પ્રારંભ કર્યો છે. આ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડિયા INXના ચેરમેન અને BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ તેમ જ ઈન્ડિયા INXના MD અને CEO વી. બાલાસુબ્રહ્મણિયમ ઉપસ્થિત રહ્યા હતા.

(ડાબેથી જમણે) ઈન્જેતી શ્રીનિવાસ (ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન), વી. બાલાસુબ્રહ્મણિયમ (ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ), આશિષકુમાર ચૌહાણ (ઈન્ડિયા આઈએનએક્સના ચેરમેન અને બીએસઈના એમડી અને સીઈઓ) ગોન્ગ વગાડવાની વિધિ વખતે…

આ સાથે એક્સચેન્જની કો-લોકેશન ક્ષમતામાં 150 ટકાથી અધિકનો વધારો થયો છે. આ ડેટા સેન્ટર્સમાં હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગ થાય છે અને મોટા ભાગની વર્તમાન કો-લોકેશન ક્ષમતાનો વપરાશ થાય છે. આ નવી લોન્ચ કરાયેલી સુવિધા મેમ્બર્સની વધી રહેલી માગને સંતોષી શકશે. વર્તમાન કો-લોકેશન ડેટા સેન્ટરની બાજુમાં આ ત્રણ સ્તરીય કો-લોકેશન ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આમાં જે અતિરિક્ત રેક્સ ઉપલબ્ધ થઈ છે તે મેમ્બર્સ માટે પર્યાપ્ત થઈ પડશે.

સિન્હા પરિવારના 3-સભ્યો બે-વર્ષમાં 3-બેઠક પર હાર્યા

પટનાઃ બિહારમાં ‘બિહારી બાબુ’ શત્રુઘ્ન સિન્હાનો આ એ પરિવાર છે, જેના ત્રણ સભ્યો છેલ્લાં બે વર્ષમાં બે ચૂંટણીમાં હારીને હવે ઘેર બેઠાં છે. ભાજપમાં રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાથી માંડીને એ પાર્ટીમાંથી નીકળીને કોંગ્રેસનો હાથ ઝાલનાર પીઢ બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની જિંદગીમાં છેલ્લા બે વર્ષમાં અનેક વળાંક આવ્યા છે.

પટનાની બાંકીપુર સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લવ સિન્હા ભાજપના ઉમેદવાર નીતિન નવીન કરતાં અડધાથીય ઓછા મતો લાવી શક્યા છે. વર્તમાન વિધાનસભ્ય નીતિન નવીનના 19,920 (65.1%) મતોની તુલનાએ લવ સિન્હાને માત્ર 7784 (25.44%) મતો મળ્યા છે.

લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો

2019ની લોકકસભાની ચૂંટણી તરફ જોઈએ તો શત્રુઘ્ન સિન્હા પોતે પટના સાહિબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને તેમનાં પત્ની પૂનમ સિન્હા લખનઉમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારના તરીકે ચૂંટણી લડ્યાં હતાં. બંને સીટ પર એમનો ભાજપના કેન્દ્રીય પ્રધાનો સામે પરાજય થયો હતો. શત્રુઘ્ન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે અને પૂનમ સિન્હા રાજનાથ સિંહ સામે હારી ગયાં હતાં. પટના સાહિબમાં શત્રુઘ્ન સિન્હાને 3,22,849 (32.87%) મતો મળ્યા હતા, જ્યારે રવિશંકર પ્રસાદને 6,07,506 (61.85%) મતો મળ્યા હતા. એ જ રીતે લખનઉમાં પૂનમ સિન્હાને 2,85,724 (25.59%), જ્યારે રાજનાથ સિંહને 6,33,026 (56.70%) મત મળ્યા હતા. આ રીતે 2019 લોકસભાની ચૂંટણીથી માંડીને હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી સુધીમાં આ પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ-અલગ સીટ પરથી ચૂંટણી હારી ચૂક્યા છે.

શત્રુઘ્ન સિંહા વિશે ફરિયાદ

2009-2019 સુધી સંસદસભ્ય રહેલા શત્રુઘ્ન સિન્હાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ બે વાર જીત્યા છતાં પણ એમણે તેમના સંસદીય ક્ષેત્રની કાળજી લીધી નહોતી. એનાથી જનતામાં એવો સંદેશ ગયો હતો કે તેઓ પોતાને કોઈ પણ નેતાથી મહાન સમજે છે. તેઓ ભાજપની બેઠકોમાં પણ સામેલ થતા નહોતા, કાર્યકર્તાઓને મળતા નહોતા અને માત્ર પાર્ટીની મોટી સભાઓમાં જ હિસ્સો લેતા હતા. સિન્હા દ્વારા આ રીતે પારકા વ્યવહારથી ભાજપના કાર્યકર્તાઓની અંદર અસંતોષ ફેલાયો હતો.

 

મહિલાઓની T20 ચેલેન્જઃ ટ્રેલબ્લેઝર્સ વિજેતા; સુપરનોવાસને પરાજય આપ્યો…

શારજાહમાં 9 નવેમ્બરે રમાઈ ગયેલી મહિલા ક્રિકેટરોની T20 ચેલેન્જ સ્પર્ધાની ફાઈનલમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટ્રેલબ્લેઝર્સ ટીમે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની સુપરનોવાસ ટીમને 16-રનથી પરાજય આપ્યો હતો. ટૂંકોસ્કોરઃ ટ્રેલબ્લેઝર્સઃ 118-8, 20 ઓવરમાં (સ્મૃતિ મંધાના 68, ડીઆન્ડ્રા ડોટીન 20, ડાબોડી સ્પિનર રાધા યાદવ 16 રનમાં પાંચ). સુપરનોવાસ (હરમનપ્રીત કૌર 30, શશીકલા સિરિવર્દને 19, બાંગ્લાદેશની ઓફ્ફ સ્પિનર સલમા ખાતૂન 18 રનમાં 3, ઓફ્ફ સ્પિનર દીપ્તી શર્મા 9 રનમાં બે વિકેટ). બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહના હસ્તે મંધાનાએ વિજેતા ટ્રોફી સ્વીકારી હતી.