Home Blog Page 4513

રાશિ ભવિષ્ય 04/01/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

મિસ્ત્રી મામલે ટાટા સન્સ પછી રતન ટાટાએ પણ સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો

નવી દિલ્હી: સાયરસ મિસ્ત્રીના મામલામાં ગઈકાલે ટાટા સન્સ પછી આજે રતન ટાટાએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રતન ટાટાએ એવી દલીલ કરી છે કે એપેલેટ ટ્રીબ્યુનલે કોઈ પણ હકીકતો કે કાયદાકીય આધાર વગર જ તેમને દોષિત ઠરાવી દીધા છે. મહત્વનું છે કે સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર,2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ આ કેસમાં ટ્રિબ્યુનલે ગત 18 ડિસેમ્બરના રોજ તેનો ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહ્યું હતું કે રતન ટાટાનું વલણ ભેદભાવપૂર્ણ અને દમનકારી હતું. મિસ્ત્રીની ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી નિમણૂક કરવામાં આવે.

રતન ટાટાએ કહ્યું છે કે ટ્રિબ્યુનલનું નિષ્કર્ષ ખોટુ છે, તે કેસના રેકોર્ડની તદ્દન વિપરીત છે. આ ચુકાદામાં કોઈ ચોક્કસ વાતનો પ્રચાર કરવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત હકીકત અને રેકોર્ડને દબાવી દેવામાં આવ્યો છે. રતન ટાટાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ટ્રિબ્યુનલના ચુકાદાને નકારવામાં આવે.

ટાટા સન્સે પણ ગુરુવારે ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટાટા સન્સે વચગાળાની રાહત તરીકે ટ્રિબ્યુનલના ચુકાદા પર સ્ટેની માંગ કરી હતી. તેણે દલીલ કરી હતી કે એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદાએ કોર્પોરેટ ડેમોક્રેસીને નબળી પાડી છે.

આરઓસની અરજી પર ટ્રિબ્યુનલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) એ શુક્રવારે ટાટા-મિસ્ત્રી કેસમાં કંપનીના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)ની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. એનસીએલએટી, તેના તાજેતરના આદેશમાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હેઠળ કંપનીના રજિસ્ટ્રાર ઓફ (આરઓસી) એ ટ્રિબ્યુનલને આ હુકમમાં થોડો સુધારો કરવા અપીલ કરી હતી. NCLAT જસ્ટીસ એસ.જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતાવાળી બે સભ્યોની ખંડપીઠે સંકેત આપ્યો છે કે અરજી પર આદેશ આવતા સપ્તાહે સોમવારે આવી શકે છે. સુનાવણી દરમ્યાન કોર્પોરેટ અફેર્સ કોર્પોરેટ બાબતના મંત્રાલયે સુનવણી દરમીયાન પોતાના કર્તવ્યોના નિર્વાહન કરવા અને ટાટા સન્સને પબ્લિક કંપની માંથી પ્રાઇવેટ કંપનીમાં બદલવાની પ્રક્રિયામાં કંઇ પણ અવૈધ કે નુક્સાન નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે આગામી 9 જાન્યુઆરીએ ટાટા ગ્રુપની ફ્લેગશીપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(ટીસીએસ)ની બોર્ડ બેઠક થનાર છે. ટાટા સન્સના વકીલ એમ ઈચ્છી રહ્યાં છે કે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ શરૂ થાય કે તરત જ આ મામલી સુનાવણી થાય. ટ્રિબ્યુનલે મિસ્ત્રીને હટાવી એન ચંદ્રશેખરનની ચેરમેન તરીકે નિમણૂંક કરવાના ટાટા સન્સના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. ટાટા સન્સને અપીલ માટે 4 સપ્તાહનો સમય મળ્યો હતો.

ઈરાનના કમાન્ડર સુલેમાનીને મારવાનો આદેશ ટ્રમ્પે આપ્યો હતો

નવી દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં થયેલા અમેરિકી હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. પેન્ટાગને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં અમેરિકી કર્મચારીઓની સુરક્ષા માટે રક્ષાત્મક કાર્યવાહી કરતા ઈરાનના રિવોલ્યૂશનરી ગાઈડ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. પેન્ટાગને કહ્યું કે જનરલ કાસિમ સુલેમાની ઈરાક અને ત્યાં સ્થિત અન્ય અમેરિકી રાજદૂતો અને એમ્બેસીના અન્ય કર્મચારીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જનરલ સુલેમાની અને તેમની ફોર્સ સેંકડો અમેરિકી લોકો અને અન્ય સહયોગી સભ્યોના મોત અને હજારો લોકોને ઘાયલ કરવા માટે જવાબદાર હતા.

સુલેમાનીના મોત બાદ ટ્રમ્પે કોઈપણ વિસ્તૃત જાણકારી આપ્યા વગર અમેરિકી ફ્લેગ ટ્વીટ કર્યો હતો. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે સરકારી ટેલીવિઝન પર એક નિવેદનમાં કુદ્સ યૂનિટના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતની મુષ્ટી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બગદાદમાં અમેરિકી દળોના હુમલામાં તેમનું મોત થયું છે.

કાસિસ સુલેમાની મામલે કહેવામાં આવે છે કે તેમણે જ ઈરાકમાં ઈરાન સમર્થક પોપ્યુલર મોહિલાઈઝેશન ફોર્સને તૈયાર કરી હતી. આ સાથે જ હથિયારધારી સંગઠન હિજબુલ્લાહ અને પેલેસ્ટાઈનમાં સક્રિય આતંકી સંગઠન હમાસને પોતાનું સમર્થન આપ્યું હતું. ગત દિવસોમાં ઈરાંક સ્થિત અમેરિકી એમ્બેસી પર લોકોની ભીડે હુમલો કર્યો હતો. અમેરિકાએ આનો આરોપ પણ ઈરાન પર લગાવ્યો હતો.

ઈરાકના એક પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યું કે, કાસિમ સુલેમાનીના મોતની પુષ્ટી તેમના દ્વારા પહેરવામાં આવેલી વીંટીથી થઈ છે. કાસીમ સુલેમાની પોતાના હાથમાં એક લાલ રંગની વીંટી પહેરતા હતા. ઈરાકી પત્રકારે ઘટનાસ્થળનો ફોટો શેર કર્યો છે જેમાં એક મૃતકના હાથમાં એ જ લાલ રંગની વીંટી દેખાઈ રહી છે.

ગણતંત્ર દિવસની પરેડ માટે આ રાજ્યોના ટેબ્લોની પસંદગીઃ વિવાદના એંધાણ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડમાં 22 ટેબ્લોને રક્ષા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો દેખાડવામાં આવશે જ્યારે 6 ટેબ્લો કેન્દ્રીય મંત્રાલયો સંબંધિત હશે. મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા જેમાં 22 ને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયે બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળના પ્રસ્તાવોને ફગાવી દિધા છે.રક્ષા મંત્રાલયના આ નિર્ણય પર રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. કેરળના કાયદા મંત્રીએ આને લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે આ નિર્ણય કેરળ પ્રત્યેના તેમના વ્યવહારને દર્શાવે છે. તો પશ્ચિમ બંગાળે કેન્દ્ર પર બદલાની ભાવનાથી ગ્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે રક્ષા મંત્રાલયનું કહેવું છે કે દેશભરમાંથી આવેલી ટેબ્લોના પ્રસ્તાવોને એક સમિતિ પાસે મોકલવામાં આવે છે અને કોને મંજૂરી આપવી અને કોને નામંજૂર કરવા એ નક્કી કરવાનું કામ એ સમિતિ જ કરે છે.NBT

આ ટેબ્લોમાં ઉત્તરાખંડ, ઝારખંડ, સહિત ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જગ્યા નથી આપવામાં આવી. પૂર્વોત્તર રાજ્યોમાંથી માત્ર અસમ અને મેઘાયલનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી માત્ર કેરળને બહાર રાખવામાં આવ્યું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અને તેલંગાણાની ટેબ્લોને રિપબ્લિક ડે પરેડમાં શામિલ કરવામાં આવશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન: રજત મહોત્સવ

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર સ્થાપનાના 25 વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમ્યાન રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રજત મહોત્સવની શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં અત્યંત ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી.

આ નિમિતે બાળકોમાં મુલ્યસિંચન અને સ્વવિકાસ માટેનો કેમ્પ ‘સ્પિરિચ્યુઅલટચ રિટ્રીટ’ અને ત્યારબાદ યુવાઓ માટે એક દિવસ સ્પોર્ટસ અને બીજા દિવસે સમાજ સેવા એવા અનોખા સંગમસમ દ્વિદિવસીય ‘એસ.આર.એમ.ડી.યુથ ફેસ્ટીવલ’ યોજવામાં આવ્યો હતો.

જેમાં વિશ્વભરના ૧૫ દેશોના ૨૦૦ શહેરોમાંથી ૧૫૦૦ યુવાઓએ જોશભેર ભાગ લીધો હતો. ફુટબોલ, હ્યુમન ફુટબોલ વગેરે રમતો, મેડિટેશન, યોગા અને સર્જનાત્મક રમતોથી યુવાઓએ ખૂબ આનંદ માણ્યો.

બીજા દિવસે તેમણે હોસ્પિટલમાં દર્દીઓની સેવા, સ્થાનિક શાળાઓનું સુશોભીકરણ, આંગણવાડીમાં બાળકો સાથે મોજ મજા, મહિલા ગૃહ ઉધોગમાં નાસ્તા બનાવવા, સ્થાનિક વયસ્કો માટે આનંદમેળા, જીવમૈત્રીધામમાં પ્રાણીઓની સંભાળ, રકતદાન શિબિર જેવા ૭૦૦૦ કલાકોના અનેક સેવાકાર્યો દ્વારા ૧૦,૦૦૦ જીવોને પ્રેમનો સ્પર્શ આપ્યો હતો !

રજત મહોત્સવની મંગળ શરૂઆતમાં શ્રીમદ રાજચંદ્રજીની વિશ્ર્વની સૌથી વિરાટ પ્રતિમાજીને મહામસ્તકાભિષેક કરાયો હતો. આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ઉજવણીઓમાં સહભાગી થયા હતા.

આ આનંદોત્સવમાં ઉમેરો થયો જ્યારે પૂજય ગુરુદેવને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનું સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું !

શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક સંબંધો પર આધારિત નાટક યુગપુરુષ-મહાત્માના મહાત્માને ૭ ભાષાઓમાં, ૮ ટીમ દ્વારા, વિશ્વભરમાં ૩૧૨ સ્થળોએ ૧૦૬૦થી વધુ નાટયપ્રયોગો અને વિશ્વભરમાં ટીવી પર પ્રસારણ દ્વારા વિશ્ર્વમાં સૌથી વધુ જોવાયેલા નાટકના નિર્માતા તરીકે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનાં રેકોર્ડસમાં સમાવેશ થયો છે !

પૂજય ગુરુદેવ સફળ જીવરાશિ પ્રત્યેના પ્રેમનાં બીજ રોપી, તેને પોષણ આપી રહ્યા છે. વિશ્વભરમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા આરોગ્ય, શિક્ષણ, પ્રાણી, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રે ૭૫થી વધુ સેવા પ્રોજેકટસ કાર્યરત છે.

તેના મહત્તમ પ્રયત્નો દક્ષિણ ગુજરાતના ધરમપુર-કપરાડાના જરૂરિયાતમંદ પ્રજાના ઉત્કર્ષ માટે ચાલી રહ્યા છે.

હમ કિસી સે કમ નહીં! ડીસેમ્બરમાં દિલ્હીવાસીઓ 1000 કરોડનો દારૂ ઢીંચી ગયા!!

નવી દિલ્હી: ડિસેમ્બરનો મહિનો દિલ્હીની લીકર ઈન્ડસ્ટ્રી માટે ધમાકેદાર રહ્યો. એક જ મહિનામાં દિલ્હીના લોકોએ 1000 કરોડ રૂપિયાનો દારુ પીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ હોટલો, વેન્ડરો અને બાર પર વેચાયેલા દારુનો આંકડો મેળવવામાં આવી રહ્યો છે, આ આંકડો તો માત્ર એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને મળેલી ડ્યૂટી પરથી સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં દારુના વેચાણથી એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને 465 કરોડ રુપિયાની ડ્યૂટીની આવક થઈ છે. 2018ના ડિસેમ્બરમાં આ આંકડો 460 કરોડ રુપિયાનો હતો. આ રીતે દિલ્હીમાં દારુના વેચાણાં 1 ટકાની વૃદ્ધિ થઈ.

એક અધિકારીએ જણાવ્યું કે, આ આંકડો વેન્ડર્સ, હોટલ્સ અને બારમાં કરેલા દારુની સપ્લાઈના આધાર પરથી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સરકારી અને ખાનગી વેન્ડરો ઉપરાંત 951 એવી હોટલો,બાર, અને ક્લબ પણ છે જેમાં ગ્રાહકોને દારુ પિરસવાની મંજૂરી આપવામાં આવી છે.

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશુંઃ અમિત શાહ

પટણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી કહ્યું છે કે બિહાર ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી નિતીશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે પહેલા પણ એવાત કહી હતી પરંતુ ઝારખંડના ચૂંટણી પરિણામો આવ્યા બાદ ફરીથી તેમણે આ વાત કહી છે. પરંતુ બિહારમાં ભાજપ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે સૌથી રાહતની સમાચાર છે કે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે સીટોની સમજૂતી શું સરખે સરખી થશે ત્યારે તેમણે કહ્યું કે એ ચર્ચા બાદમાં કરીશું. પરંતુ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને અમારા મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ રહેશે. નીતિશના સમર્થકો માનીને ચાલી રહ્યા છે કે શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ સીટોની સમજૂતીને લઈને અડગ નથી જે તેમના માટે સારા સમાચાર છે.

બિહાર ભાજપના નેતાઓનું કહેવું છે કે આ વિષય અમારા અધિકારથી બહારનો છે કારણ કે શરુઆતથી જ સંખ્યા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે છે. જ્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વ ફીડબેક માંગશે ત્યારે વધારે સીટો આપવામાં એટલા માટે કોઈ મુશ્કેલી નથી કારણ કે ભાજપનો સ્ટ્રાઈક રેટ સહયોગી દળ હોવાના કારણે હંમેશા વધારે સારો હોય છે. આ નેતાઓનું કહેવું છે કે જેપણ સત્તા વિરોધી લહેર હોય છે તેની નુકસાની નીતિશ કુમારના ઉમેદવારોને ઉઠાવવો પડે છે.

દીપિકા પાદુકોણે ખોલ્યું રાઝ: કહ્યું, રણવીરને કીધા વગર કરું છું આ કામ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ છપાકના પ્રમોશન માટે કપિલ શર્માના કોમોડી શો ધ કપિલ શર્મા શોના સેટ પર આવી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ જોરદાર મસ્તી કરીને કેટલીક અંગત વાતો પણ કહી. શો દરમ્યાન કપિલ શર્માએ દીપિકાને પુછ્યું કે શું તે ઘરમાં સામાન્ય ગૃહિણીઓની જેમ જ કામ કરે છે. જેનો દીપિકાએ એવો મજેદાર જવાબ આપ્યો કે શોમાં હાજર તમામ દર્શકો પણ પેટ પકડીને હસવા લાગ્યા.

દીપિકા પાદુકોણે કહ્યું કે, હા હું રોજ દૂધ ખરીદુ છું અને દરરોજની, સપ્તાહની અને મહિનાની ગ્રોસર શોપિંગનું લિસ્ટ પણ બનાવું છું. કપિલ શર્માએ તેમને આગળ પૂછયું કે, શું તે તેમના પતિ રણવીર સિંહના પર્સમાંથી પૈસા કાઢે છે. જેના જવાબમાં દીપિકાએ કહ્યું કે, હા, હું એક સામાન્ય ગૃહિણીની જેમ જ મારા પતિના પર્સમાંથી કીધા વગર પૈસા કાઢી લઉં છું.

મહત્વનું છે કે, એભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રીએ એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવી રહી છે. ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસે પણ મહત્વનો રોલ ભજવી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ પાટનગર બની શકે ખરા?

ગુજરાતમાં ચાર નગરો મુખ્ય ગણાય છે, પણ તેમાંનું એક વડોદરા થોડું સુસ્ત થયું હોય તેવું લાગે છે. તેથી અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણ મુખ્ય નગરો બન્યાની છાપ ઉપસશે. તેમાંય સુરત બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. વેપારમાં, વસતિમાં, વૈવિધ્યમાં, સુધારામાં, સ્વચ્છતામાં સુરત બીજા શહેરોથી આગળ વધીને રાષ્ટ્રીય શહેરો સાથે અને કેટલાક કિસ્સામાં વિશ્વના નગરો સાથે સ્પર્ધા કરે છે. જેમ કે વિશ્વના હિરા પ્રોસેસિંગમાં 10માંથી 7 સુરતમાં પ્રોસેસ થાય છે.

બીજી બાજુ મહેસાણા, ગાંધીધામ, જામનગર, ભાવનગર અને ઉંઝા તથા મોરબી વગેરે પણ અગત્યના શહેરો તરીકે સ્પર્ધામાં આવી શકે ખરા, પણ એવી કલ્પના કરો કે રાજ્યમાં ત્રણ રાજધાની રાખવાની હોય તો અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણની જ આપોઆપ પસંદગી થાય તેવી મારી વાત સાથે તમે સહમત થશો. વડોદરા અને મહેસાણા અમદાવાદની ઘણી નજીક હોવાનો ગેરફાયદો પણ થાય.

પણ ત્રણ પાટનગરની ચર્ચા શા માટે? પાટનગર તો એક જ હોય. ના, જરૂરી નથી. એકથી વધુ પાટનગર ધરાવતા બે રાજ્યો તમને તરત યાદ આવવા જોઈએ. અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે. નાગપુર શિયાળુ સત્ર 2019માં બીજા દિવસે શરૂઆતથી જ ખેડૂતોના મુદ્દે ભારે ધમાલ થઈ હતી. એ જ રીતે અત્યારે જમ્મુ અને કાશ્મીરનું સરકારી તંત્ર જમ્મુમાં આવી ગયું છે. જમ્મુ રાજ્યની શિયાળુ રાજધાની છે, તે જાણીતી વાત છે. વિભાજન પછી તે હવે કેન્દ્રશાસિત રાજ્ય છે અને વિધાનસભાની રચના થવાની બાકી છે, પણ સરકારી તંત્ર શ્રીનગર અને જમ્મુ વચ્ચે ઋતુ પ્રમાણે કામ કરતા રહેશે.

આ દરમિયાન હૈદરાબાદમાં આંધ્ર પ્રદેશની સરકારના મુખ્યમંત્રી જગનમોહને જાહેરાત કરી કે તેઓ એકના બદલે ત્રણ પાટનગરની રચના કરવા માટે વિચારી રહ્યા છે. યોગાનુયોગ એ છે કે હૈદરાબાદ અત્યારે બે રાજ્યોની રાજધાની છે – આંધ્ર પ્રદેશ ઉપરાંત તેલંગાણાની. આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા જૂદું રાજ્ય બન્યું છે, પણ રાજધાની હૈદરાબાદ તેની પાસે રહી છે એટલે જૂના રાજ્ય આંધ્રે નવી રાજધાની વિકસાવાની છે.

અમરાવતી એવા નામે નવી રાજધાની બનવાનું કામ ચાલી જ રહ્યું હતું, પણ ચંદ્રાબાબુ નાયડુને હરાવીને જગનમોહન મુખ્યમંત્રી બન્યા પછી તે કામ અટકી પડ્યું છે. એક લાખ કરોડ રૂપિયાના જંગી ખર્ચે આધુનિક નગરી બનાવવા માટેનું કામ શરૂ થઈ ગયું હતું, પણ નાયડુએ તેમાં જંગી ભ્રષ્ટાચાર કર્યો છે એમ કહીને કામ અટકાવી દેવાયું છે. તેથી વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક પણ જંગી લોન આપવાની હતી તે પણ અટક્યું છે.

પણ જગનમોહને જાહેરાત કરી કે અમરાવતી ઉપરાંત ઓલરેડી વિકસિત વિશાખાપટ્ટનમ નગર છે તેને અને કૂર્નુલને પણ રાજધાની તરીકે વિકસાવી શકાય છે. અમરાવતીમાં વિધાનસભા બેસશે, વહિવટીતંત્ર વિશાખાપટ્ટનમાંથી કામ કરશે અને કૂર્નુલમાં ન્યાયતંત્ર રહેશે તેવી વાત તેમણે કરી છે.

લોકોની ઇચ્છા અને આકાંક્ષાને ધ્યાનમાં રાખીને આવું કરવા વિચારી શકાય છે તેમ જગનમોહને કહ્યું, પણ આવી વાતમાં લોકોની ઇચ્છા કરતાં શાસકોના તુક્કા વધારે ચાલતા હોય છે. આના માટે ભારતમાં જૂનું તુઘલઘનું ઉદાહરણ અપાતું હોય છે. ગાંડિયા શાસકોના આવા ઘેલા વિચારોને તુઘલઘી તુક્કા કહેવામાં આવે છે. તુઘલઘ દિલ્હીનો બાદશાહ બન્યો પછી તેને થયું કે અહીંથી દક્ષિણ ભારત બહુ દૂર પડે છે. તેણે વિચાર્યું કે મધ્યમાં રાજધાની હોવી જોઈએ. તેથી તુઘલઘાબાદ નામની રાજધાની બનાવી દિલ્હીથી સૌને ત્યાં હિજરત કરાવવી પડી હતી. તેમાં ખજાનો ખાલી થઈ ગયો અને સત્તા પણ ગુમાવવી પડી.

વહીવટીતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે, પણ તેના માટે ત્રણ ત્રણ પાટનગર બનાવવા જરૂરી ખરા? આવો સવાલ પૂછાવાનો. જગનમોહનને પણ ખ્યાલ છે કે આવો સવાલ પૂછાવાનો એટલે તેમણે કહ્યું છે કે આ માત્ર વિચાર છે અને તેના પર વિચાર કરવામાં આવશે. નિષ્ણાતોને પૂછવામાં આવશે, જનમત જાણવામાં આવશે અને રાબેતા મુજબ સમિતિ બેસાડવામાં આવશે.

સમિતિ બેસાડી પણ દેવાઈ છે અને કેપિટલ રિજન માટેનો અહેવાલ તેમની પાસેથી આવવાનો બાકી છે. ગત નવેમ્બર મહિનામાં નિવૃત્ત આઇએએસ ઓફિસર નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ અલગ અલગ પાટનગર રાખી શકાય ખરા તેના માટે વિચાર કરવા સમિતિ બેસાડાઈ છે. સમિતિ પછી કન્સ્ટલન્સી ફર્મ પાસેથી પણ અભિપ્રાય માગવામાં આવશે અને વિચાર કર્યા પછી જ નિર્ણય લેવાશે એવું કહીને જગનમોહને વાત હાલ ઠંડી પાડી છે.

તેમણે દાખલો આપ્યો કે દક્ષિણ આફ્રિકામાં ત્રણ રાજધાની છે. તેને ધ્યાનમાં રાખીને અને વિકેન્દ્રીકરણ માટે આપણે પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ એમ તેમણે કહ્યું.

ગુજરાતમાં વિકેન્દ્રીકરણ કરવાની વાત આવે તો ત્રણ પાટનગર માટે અમદાવાદ-ગાંધીનગર, સુરત અને રાજકોટની વાત આવે. તેના કારણે પ્રથમ તો એ ચર્ચા થવાની કે અમદાવાદ હતું જ છતાં ગાંધીનગરમાં અલગ પાટનગર બનાવાયું. હવે ઢંગધડા વિનાનું આયોજન જુઓ કે બંને નગર એકબીજાને અડવા આવ્યા છે. આ બાજુ સાણંદમાં પણ ઉદ્યોગો નાખીને તેને પણ વિકસાવાયું છે. પેલી તરફ મહેમદાવાદ-નડિયાદ-આણંદ અને આ બાજુ કડી-કલોલ-મહેસાણા એકબીજાને કોણીઓ મારવા લાગ્યા છે.

આને કેવી રીતે વિકેન્દ્રીકરણ કહેવાય? આયોજન શબ્દ સૌથી વધારે નેતાઓ વાપરતા હોય છે અને આયોજનનો ‘અ’ પણ કદી સરકારી કામમાં દેખાયો તો દેખાડો? કેશુભાઈની સરકાર હતી ત્યારે ગાંધીનગરના પાદરે ઊભેલા 68 હજાર વૃક્ષોનો ખાતમો બોલાવીને ત્યાં ઇન્ફોસિટી બનાવવાની જાહેરાત થઈ હતી. ઇન્ફોસિટીમાં યુવાનોને રોજગારી મળવાને બદલે ત્યાં નકરી દુકાનો અને ઓફિસ બની ગઈ છે. ગાંધીનગર હરિયાળી અને રળિયામણી રાજધાની હતી તેને વર્ષો જતા સિમેન્ટ કોન્ક્રિટની ગંદી નગરી બનાવી દેવાઈ છે.

વિકેન્દ્રીકરણ આ રીતે ના થાય. ત્રણ ત્રણ રાજધાનીના બદલે કામગીરી અને સરકારી વિભાગોને વહેંચી દેવામાં આવે તો વિકેન્દ્રીકરણ થાય. ઇન્ફોસિટી કે કમર્શિયલ એક્ટિવિટી માટે બની રહેલું ફાઇનાન્સ સેન્ટર બીજે બનાવી શકાયું હોત. હાઇ કોર્ટની બેન્ચ સુરત અને રાજકોટમાં રાખવી જોઈએ. વનવિભાગ જૂનાગઢમાં હોવો જોઈએ અને પશુપાલન વિભાગ ચરોતરમાં હોવો જોઈએ. કૃષિ અને એગ્રો ઇન્ડસ્ટ્રીનો વિભાગ મહેસાણામાં હોવો જોઈએ. ટ્રેડિંગના કેન્દ્રો સુરત અને નવસારીમાં હોય. નિકાસના કેન્દ્રો ગાંધીધામ અને મુંદ્રામાં હોય. કેમિકલ માટેનું મુખ્ય વહિવટીતંત્ર વાપી-વલસાડમાં હોય. શિક્ષણ, સાંસ્કૃતિક અને રમતગમતનું કેન્દ્ર વડોદરામાં હોય. મત્સ્યોદ્યોગ માટે પોરબંદર કે વેરાવળ હોઈ શકે. એક પણ નિગમની ઓફિસ ગાંધીનગર કે અમદાવાદમાં રાખવાના બદલે જુદા જુદા જિલ્લામથકે હોય તો વિકેન્દ્રીકરણ થયું કહેવાય.

સંદેશ વ્યવહારની ક્રાંતિ થઈ છે અને થોડા આયોજન સાથે વાહન વ્યવહારની ક્રાંતિ પણ થઈ શકે. તેવું થાય ત્યારે બધા જ વહિવટદારોએ ગાંધીનગરમાં બેસવાની જરૂર ના પડે. વિધાનસભા અને મહેસુલ તથા પોલીસ સહિતનું ટોચનું થોડું વહિવટીતંત્ર ગાંધીનગરમાં બેસે, બાકી બધા વિભાગોના સચિવાલય જુદા જુદા નગરોમાં બેસે તો વહિવટ ઉલટાનો સુધરશે. તે સંજોગોમાં ત્રણ પાટનગરને બદલે ત્રીજી રીતે વિચારવાની જરૂર છે એમ તમે વિચારો છો ખરા? કે પછી આ પણ તુઘલઘી તુક્કા જ કહેવાય…