મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા પહેલી જ વાર દાદા-દાદી બન્યાં છે. એમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારના પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
પ્રવક્તાએ કહ્યું કે, નીતા અને મુકેશ અંબાણી પહેલી જ વાર દાદી-દાદા બન્યાંનો આનંદ માણી રહ્યાં છે. એમનાં પરિવારમાં ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીનાં પ્રપૌત્રનો જન્મ થયો છે. માતા શ્લોકા અને એમનાં પુત્ર, બંનેની તબિયત સારી છે. મહેતા અને અંબાણી, બંને પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.
જિયો કંપનીના ડાયરેક્ટર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ 9 માર્ચ, 2019માં લગ્ન કર્યાં હતાં.
મુંબઈઃ આવતા વર્ષે સલમાન ખાનની બે ફિલ્મ રિલીઝ થવાની છે. પહેલા ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને ત્યારબાદ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’. ‘રાધે’ ફિલ્મમાં સલમાન ડ્રગ્સ માફિયા સામે લડતો જોવા મળશે જ્યારે ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’માં એ મુકાબલો કરશે જમીન માફિયાઓનો.
‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ ફિલ્મ 2018માં આવેલી અને બોક્સ ઓફિસ પર સફળ થયેલી મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની સત્તાવાર હિન્દી રીમેક હશે. આ ફિલ્મમાં ખેડૂતોની મુશ્કેલીઓને દર્શાવવામાં આવશે, જેઓ પોતાની જમીન બિલ્ડરોને વેચી દે છે અને જ્ઞાનના અભાવને કારણે આખરે ગરીબીમાં ગરકાવ થઈ જાય છે. ફિલ્મના દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું છે કે આ ફિલ્મ સલમાનની સ્ટાર ઈમેજને અનુરૂપ હશે અને સાથોસાથ દર્શકોનું મનોરંજન પણ કરશે. આ ફિલ્મનો મુખ્ય હિરો આયુષ શર્મા હશે. સલમાન ખાન મહેમાન કલાકાર હશે, જેનો રોલ 30-40 મિનિટનો હશે. એમાં તે શીખ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનના એક લૂકને આયુષ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યો છે. એ જોઈને સલમાનના ચાહકોને સાનંદાશ્ચર્ય થયું હતું.
‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ આવતા વર્ષે ઈદ તહેવારમાં રિલીઝ થવાની છે. એમાં સલમાન ઉપરાંત દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા જેવા કલાકારો પણ છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાંધવામાં આવનાર નવા સંસદભવનની ઈમારતનું આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કર્યું હતું. આ બિલ્ડિંગ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધીમાં પૂરું થઈ જવાની ધારણા રખાય છે. સંસદભવન સંકુલની અંદર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવા સંસદભવન બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને તે સંપન્ન થયા બાદ શુભ મુહૂર્તમાં વડા પ્રધાન મોદીએ પરંપરાગત વિધિ વિધાન સાથે શિલાન્યાસ કર્યો હતો.
આ શુભ અને ઐતિહાસિક પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા,વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો તથા અનેક દેશોના રાજદૂતો, તેમજ અનેક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
નવું સંસદભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. નવા સંસદભવનનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ તથા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અનુક્રમે રાજ્યસભામાં અને લોકસભામાં 2019ની પાંચમી ઓગસ્ટે રજૂ કર્યો હતો. નવા સંસદભવનની ડિઝાઈન અમદાવાદની મેસર્સ એચસીપી ડિઝાઈન અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ભવનનું બાંધકામ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ત્રિકોણાકાર ડિઝાઈનવાળા નવા સંસદભવનમાં ભારતના ગૌરવશાળી વારસા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવામાં આવશે. લોકસભા ગૃહમાં 888 સભ્યો અને રાજ્યસભા હોલમાં 384 સદસ્યોને બેસવાની ક્ષમતા હશે. નવું ભવન સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
મુંબઈઃ મહારાષ્ટ્રના સોલાપુરની એક ગ્રામિણ શાળાના શિક્ષક અને ગ્લોબલ ટીચર ઈનામના વિજેતા રણજીતસિંહ ડિસલેને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. એમણે કહ્યું છે કે એમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોનાનું પરીક્ષણ કરાવી લેવું. 32 વર્ષીય ડિસલેએ ગઈ કાલે રાતે જાહેરાત કરી હતી કે પોતાનો અને એમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
બે દિવસ પહેલાં ડિસલે મુંબઈ આવ્યા હતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ડિસલેનું સમ્માન કર્યું હતું તો, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવન ખાતે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે પોતાના નિવાસસ્થાન ‘કૃષ્ણ કુંજ’ ખાતે બહુમાન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની યૂનેસ્કો સંસ્થા અને લંડનસ્થિત વાર્કી ફાઉન્ડેશને સ્થાપેલા ગ્લોબલ ટીચર પ્રાઈઝ પુરસ્કાર માટે આ વર્ષે સોલાપુરના પરિતેવાડી ગામની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક ડિસલેની પસંદગી કરવામાં આવી છે. QR કોડવાળા પાઠ્યપુસ્તકોના માધ્યમથી ગ્રામિણ શાળામાં બાળકીઓને ભણાવવાનો નવતર પ્રયોગ ડિસલેએ હાથ ધર્યો છે જે મહારાષ્ટ્ર રાજ્ય નહીં, પરંતુ સમગ્ર દેશમાં પ્રથમ છે. એ માટે તેમને સાત કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડિસલે ભારતના પહેલા જ શિક્ષક છે. એમણે 140 દેશોના 12 હજાર જેટલા શિક્ષકોને પાછળ રાખીને આ એવોર્ડ જીત્યો છે. એમણે જાહેરાત કરી છે કે પોતે 50 ટકા ઈનામી રકમ ફાઈનલ રાઉન્ડમાં એમની સાથે આવેલા 9 શિક્ષકો સાથે વહેંચી દેશે.
My wife and I have today tested COVID-19 positive. We’re following the medical advice and resting at home in isolation with mild symptoms. I urge everyone who has been in contact with me to take the necessary precautions. Thank you for all your support.
મુંબઈ: ગુજરાતના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) ઈન્ડિયા INX ખાતે 11.71 અબજ યુએસ ડોલર (આશરે રૂ.86,199 કરોડ)નું ઓલટાઈમ હાઈ ટ્રેડિંગ ટર્નઓવર થયું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આટલા ટર્નઓવર સાથે તે ગિફ્ટ સિટી આઈએફએસસીનો 74 ટકા બજાર હિસ્સો દર્શાવે છે.
ઈન્ડિયા INX ખાતે સતત ટર્નઓવર વધી રહ્યું છે, ડિસેમ્બર, 2020માં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં આગલા મહિનાની તુલનાએ 39.32 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવર 1.46 ટ્રિલ્યન યુએસ ડોલર (આશરે રૂ.1,07,93,921 કરોડ)નું થયું છે. ઈન્ડિયા INX ખાતે વધેલા કામકાજનું પ્રમાણ દર્શાવે છે કે બ્રોકિંગ અને અન્ય સહભાગીઓની સામેલગીરી વધી રહી છે અને એક્સચેન્જ તેમને આવશ્યક પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પૂરી પાડી રહ્યું છે. વૈશ્વિક મહામારીના કાળમાં પણ એક્સચેન્જ 22 કલાક ચાલુ રહે છે. ગિફ્ટ સિટી ખાતે ઈન્ડિયા INX નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.
એક્સચેન્જ બધા એસેટ ક્લાસ -ઈક્વિટીઝ, કરન્સીઝ, કોમોડિટીઝના ટ્રેડિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીંથી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ વિશ્વમાં ક્યાંય પણ ટ્રેડિંગ કરી શકે છે. ઈન્ડિયા INX હોંગકોંગ, સિંગાપોર, દુબઈ સહિત કોઈ પણ એક્સચેન્જીસની તુલનાએ વધુ સ્પર્ધાત્મક ખર્ચે ટેકનોલોજીસ અને સર્વિસીસ પૂરી પાડે છે. અહીં કરવેરામાં છૂટછાટો પણ ઘણી ઉપલબ્ધ છે.
દાદામુની અશોક કુમારને આ જગત છોડીને ગયાને ૧૫ વર્ષ થયા. ૧૦ ડીસેમ્બર, ૨૦૦૧ના રોજ ૯૦ વર્ષે એમણે આ જગતમાંથી વિદાય લીધી. એમનું મૂળ નામ કુમુદલાલ ગાંગુલી હતું. દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના તેઓ એક એવા અશોક કુમારને સિનેમામાં પ્રદાન માટે ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી અને ૧૯૯૯માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા.
૧૩ ઓક્ટોબર, ૧૯૧૧ના રોજ ભાગલપુરમાં વકીલ કુંજલાલને ત્યાં કુમુદલાલ ગાંગુલી રૂપે તેમનો જન્મ થયો હતો. ફિલ્મોમાં આવતા પહેલાં અશોક કુમારના શોભનાજી સાથે લગ્ન થઇ ગયા હતા. મોટા સ્ટાર હોવા છતાં તેઓ મધ્યમ વર્ગની જેમ જ જીવ્યા.
દાદામુની એટલે પ્રેમાળ મોટા ભાઈ. સાળા શશધર મુખર્જી બોમ્બે ટોકીઝમાં ખાસ્સા વરિષ્ઠ હતા. ત્રીસીના દાયકામાં અશોકજી બોમ્બે ટોકીઝના લેબ આસીસ્ટન્ટ બન્યા ત્યારે સ્ટુડીઓના માલિક હિમાંશુ રાય પત્ની દેવિકારાણીને લઇ ‘જીવન નૈયા’ (૧૯૩૬) બનાવતા હતા. હીરો તરીકે કુમુદ કુમારને લીધા. રિવાજ મુજબ તેમને અશોક કુમાર નામ અપાયું. અશોકજી ત્યારે ઈચ્છા વિરુદ્ધ અભિનેતા બન્યા હતા.
એ પછી દેવિકા રાણી સાથેની બીજી ફિલ્મ ‘અછૂત કન્યા’ હીટ ગઇ. હવે અશોક કુમાર અને દેવિકા રાણી સૌથી જાણીતી સ્ટાર જોડી બની હતી. બીજા વરિષ્ઠ અભિનેત્રી લીલા ચીટનીસ સાથે ‘કંગન’, ‘બંધન’, ‘આઝાદ’ અને ‘ઝૂલા’ પણ જબ્બર સફળ થઇ. જ્ઞાન મુખર્જીએ ‘કિસ્મત’ (૧૯૪૩) બનાવી, જેમાં અશોક કુમાર એન્ટી હીરો હતા. જયારે ટીકીટના દર અમુક પૈસા હતા ત્યારે એક કરોડની આવક કરનારી ‘કિસ્મત’ પહેલી હિન્દી ફિલ્મ બની, જેણે તમામ રેકોર્ડ્ઝ તોડ્યા. અશોક કુમાર દેશના પહેલા સુપર સ્ટાર હતા.
પચાસના દાયકામાં રાજ-દિલીપ-દેવ આવ્યા છતાં અશોક કુમારની ‘અફસાના’, ‘નૌબહાર’, ‘પરિણીતા’, ‘બંદિશ’ કે ‘એક હી રાસ્તા’ સફળ થતી રહી. દિલીપ કુમાર સાથેની ‘દીદાર’ ખૂબ સફળ થઇ. મીના કુમારી અને તેમની ચહિતી નલીની જયવંત સાથે ઘણી ફિલ્મો કરી. સાંઇઠના દાયકામાં ચરિત્ર અભિનેતા બન્યા, ‘કાનૂન’, ‘બંદિની’, ‘ચિત્રલેખા’, ‘જવાબ’ અને ‘વિક્ટોરિયા ૨૦૩’ જેવી ફિલ્મો યાદગાર રહી.
૧૦ ડીસેમ્બર, ૨૦૦૧ ના રોજ ૯૦ વર્ષની ઉંમરે ચેમ્બુરના નિવાસે હૃદય રોગથી તેમનું નિધન થયું ત્યારે એક યુગ પુરો થઇ ગયો.
આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.
આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.
આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.
આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.
આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.
તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.
આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.
જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.
બ્રેઇન ફીવર કે જેને ગુજરાતીમાં બપૈયો અને હીન્દીમાં પપીહા કહીએ છીએ આ બધા એક પક્ષીના નામ છે કોમન હોક કુકુ. તમે ગુજરાતીમાં ઘણા પુસ્તકોમાં પણ બપૈયાનો ઉલ્લેખ વાંચ્યો હશે પણ કેવુ દેખાય આ કોયલ કુળનું પક્ષી એ ધ્યાને ન આવ્યુ હોય.
ચોમાસા પહેલા ગીર અને ગુજરાતના અન્ય કેટલાક જંગલ વિસ્તારમાં અને ક્યારેક ગામ-શહેરમાં એક ચોક્કસ પ્રકારના પક્ષીનો અવાજ આખો દિવસ અને ચંદ્રનો પ્રકાશ હોય તેવી રાતોમાં સતત સંભળાયા કરે, પણ પક્ષી જલ્દી જોવા મળે નહી આ છે કોમન હોક કુકુ.
તેના નામમાં હોક (બાજ)નો ઉલ્લેખ એટલે આવે કે તેનો દેખાવ અને આંખો તમે દૂરથી જોવો તો સ્પેરો હોક કે શીકરા બાઝ જેવો લાગે. ઘણીવાર ખીસકોલીઓ પણ તેને જોઇને થાપ ખાય અને ભાગાભાગી કરે. આપણને થાય કે આ બ્રેઇન ફીવર નામ કેમ પડ્યુ તો 1947 પહેલાં ઘણા અંગ્રેજ પક્ષીવિદ ભારત આવતા અને તેમણે કોમન હોક કુકુના સતત અને ચોક્કસ પ્રકારના અવાજને કારણે આવું નામ આપ્યું હશે તેમ બધા માને છે.