મુંબઈઃ અક્ષયકુમારની બોલીવૂડની સૌથી રમૂજી ફ્રેન્ચાઈઝમાંની એક, હાઉસફૂલ ફિલ્મ તેની પાંચમી આવૃત્તિ સાથે દર્શકોને હસાવવા માટે આવી રહી છે. ‘હાઉસફૂલ 4’ ફિલ્મ સફળ રહી હતી અને બોક્સ ઓફિસ પર તેણે રૂ. 200 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે અક્ષયકુમાર અને નિર્માતા સાજિદ નડિયાદવાલા ‘હાઉસફૂલ 5’ બનાવશે અને એમાં ‘હાઉસફૂલ’ સિરીઝની ફિલ્મોમાં ચમકી ગયેલા તમામ મોટા સિતારાઓને ચમકાવશે એવો અહેવાલ છે. ‘હાઉસફૂલ 5’માં દીપિકા પદુકોણ, કૃતિ સેનન, જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, જેક્લીન ફર્નાન્ડિસ તથા અન્ય સિતારાઓને ચમકાવવામાં આવશે જેમણે આ સિરીઝની અગાઉની ફિલ્મોમાં કામ કર્યું હતું.
સાજિદ નડિયાદવાલા ‘હાઉસફૂલ 5’ને આઈમેક્સ ફોર્મેટમાં શૂટ કરાવવા વિચારે છે. અગાઉ બાહુબલી અને પદ્માવત ફિલ્મો આ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી હતી.
‘હાઉસફૂલ’ ફિલ્મ 2010માં આવી હતી. એમાં અક્ષયકુમાર, દીપિકા, રીતેષ દેશમુખ, લારા દત્તા, અર્જુન રામપાલ, જિયા ખાન જેવા કલાકારો હતાં. 2012માં ‘હાઉસફૂલ 2’ આવી હતી, જેમાં અક્ષય, જોન અબ્રાહમ, અસીન, જેક્લીન ફર્નાન્ડિસ, રીતેષ, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, મિથુન ચક્રવર્તી, રિશી કપૂર, રણધીર કપૂર ચમક્યાં હતાં. 2016માં ‘હાઉસફૂલ 3’ આવી હતી જેમાં અક્ષય, જેક્લીન ફર્નાન્ડિસ, અભિષેક બચ્ચન, નરગીસ ફખરી, રીતેષ, લિઝા હેડન, ચંકી પાંડે, જેકી શ્રોફ ચમક્યાં હતાં. 2019માં ‘હાઉસફૂલ 4’ આવી હતી, જેમાં અક્ષય, રીતેષ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા જેવા કલાકારો હતાં.
મુંબઈઃ દુનિયાભરમાં છેલ્લા 11 મહિનાઓથી હાહાકાર મચાવનાર ભયાનક મહાબીમારી કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હજી સુધી કોઈ દવા ઉપલબ્ધ થઈ નથી. પરંતુ કોરોનાનો અંત લાવવા માટે ઘણા દેશોમાં અનેક વિજ્ઞાનીઓ, સંશોધકો, ફાર્માસ્યુટિકલ લેબોરેટરીઓ વિશેષ રસી બનાવવામાં વ્યસ્ત છે.
ભારત બાયોટેક કંપનીએ વિક્સાવેલી ‘કોવેક્સિન’ નામની કોરોના રસીને મહારાષ્ટ્ર રાજ્ય સરકારની એથિક કમિટીની પરવાનગી મળી છે. છેલ્લા અમુક દિવસોથી મુંબઈમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કેઈએમ, નાયર હોસ્પિટલોમાં ભારત બાયોટેક કંપનીએ વિક્સાવેલી ‘કોવેક્સિન’ નામની કોરોના રસીની અજમાયશ (ટ્રાયલ) કરવામાં આવી રહી છે. ગઈ પાંચમી ડિસેમ્બરથી સાયન હોસ્પિટલમાં પણ કોરોના રસીની અજમાયશ શરૂ કરવામાં આવી છે. એક તરફ કેઈએમ અને નાયર હોસ્પિટલોમાં કોવિશીલ્ડ કોરોના રસીનો અભ્યાસ ચાલુ છે ત્યારે બીજી બાજુ સાયન હોસ્પિટલમાં કોવેક્સિનની અજમાયશ શરૂ કરવામાં આવી છે. સાયન હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1000 સ્વયંસેવકો પર આ રસીની અજમાયશ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં 15 સ્વયંસેવકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાએ આખા દેશમાં કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. મુુંબઈમાં આ માટે સાયન હોસ્પિટલની પસંદગી કરી છે.
આ રીતે આપવામાં આવે છે રસીઃ
ભારત બાયોટેકની કોવેક્સિન રસી આપવામાં આવે છે
રસી મૂકાવનાર સ્વયંસેવકને લગભગ અડધો કલાક સુધી હોસ્પિટલમાં આરામ કરવાનું કહેવામાં આવે છે
એ સ્વયંસેવકની તબીબી સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવે છે
જો એને કોઈ તકલીફ-આડઅસર ન થાય તો એને ઘેર મોકલી દેવામાં આવે છે
સ્વયંસેવક ઘેર ગયા પછી પણ ડોક્ટરો દ્વારા એની તબીબી સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવે છે.
મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં પણ રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે, એની સામે નવેમ્બરમાં ઉદ્યોગમાં રૂ.12,917 કરોડની જાવક રહી છે, જે દર્શાવે છે કે BSE સ્ટાર એમએફ પર રોકાણકારોનો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો રહ્યો છે.
અત્યાર સુધીમાં ઓક્ટોબર, 2020માં આ પ્લેટફોર્મ પર મહિનાના સૌથી અધિક 76.74 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, એની સામે નવેમ્બરમાં 74.35 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે.
વૈશ્વિક મહામારી અને સતત લોકડાઉન્સ વચ્ચે પણ BSE સ્ટાર એમએફ AMCs, મેમ્બર્સ અને ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સર્વિસીસ પૂરી પાડી રહ્યુ્ં છે.
એકંદરે પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2020-21ના આઠ મહિનામાં 96 ટકા ટ્રાન્ઝેક્શન એટલે કે 5.51 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે નાણાકીય વર્ષ 2019-20ના સમકક્ષ ગાળામાં 5.75 કરોડ હતા.
સ્ટાર MF પર નવેમ્બર, 2020માં ટર્નઓવર આગલા વર્ષના સમકક્ષ મહિનાના રૂ.13,722 કરોડની સામે 70 ટકા વધીને રૂ.23,348 કરોડ થયું છે. નવેમ્બર, 2020માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો ઓક્ટોબર, 2020ના રૂ.1,033 કરોડથી 64 ટકા ઘટીને રૂ.370 કરોડનો રહ્યો છે. નવેમ્બર, 2020માં રૂ.87.32 કરોડની 3.47 લાખ નવી એસઆઈપી નોંધાઈ છે. કુલ એસઆઈપી બુક સાઈઝ 60.38 લાખની થઈ છે.
અમદાવાદઃ વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં પાર્થિવે લખ્યું છે કે, હું મારી 18-વર્ષ લાંબી ક્રિકેટ સફર પર હવે પડદો પાડી દઉં છું.
પાર્થિવે 17 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2002માં ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડમાં તે ટેસ્ટ સિરીઝ હતી, જેમાં રમીને પાર્થિવે ટીમ ઈન્ડિયા વતી રમવાનું શરૂ કર્યું હતું. કારકિર્દી દરમિયાન એ 25 ટેસ્ટ, 38 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તે છેલ્લે 2018ના જાન્યુઆરીમાં જોહાનિસબર્ગમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો, જેમાં ભારત જીત્યું હતું.
ભારત વતી રમવા ઉપરાંત પાર્થિવે 2015માં વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતનું નેતૃત્ત્વ કર્યું હતું. 2016માં રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં એણે મુંબઈ સામે 143 રન કર્યા હતા અને ગુજરાતને હાઈએસ્ટ સફળ રન-ચેઝવાળો સ્કોર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,080 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 402 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 97,35,850 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,41,360 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 92,15,581 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,635 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,78,909એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.65 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચે એવી શક્યતા
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના એક નવા અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-19 રોગચાળામાં ગંભીર પરિણામોને કારણે 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ભયંકર ગરીબી તરફ જઈ શકે છે. જો આમ થયું તો દુનિયાભરમાં ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચી જશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ આસપાસની છ જેટલી કંપનીમાં પ્રસરી હતી. ફાયર બ્રિગેડનાં 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર સોલવન્ટમાં આગ પ્રસરતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ફાયર અધિકારીઓનું કહેવું છે કે બંધ કંપનીમાં આગ લાગી હતી, જેના કારણે મોટી ખુવારી થઈ નથી, પરંતુ મોડી રાત્રે લાગેલી આગમાં ધડાકાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
20 જેટલા ઝૂંપડા બળીને ખાખ
વટવા જીઆઇડીસીમાં કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું, જેમાં ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા હતા. આ ઘટનામાં રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મિભૂત થયાં છે.. આ દુર્ઘટનામાં આસપાસ રહેલાં 20 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.આ દુર્ઘટનામાં ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા, પરંતુ તેમની જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ અમેરિકાનાં જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની વર્ષ 2020 માટેની યાદી બહાર પાડવામાં આવી છે. એમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં અમેરિકાનાં નવાં ચૂંટાઈ આવેલાં ભારતીય મૂળનાં ઉપપ્રમુખ કમલા હેરિસ, બાયોકોન કંપનીનાં સંસ્થાપક કિરણ મઝૂમદાર શૉ અને એચસીએલ એન્ટરપ્રાઈઝનાં સીઈઓ રોશની નાડર-મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં નિર્મલા સીતારામનનો ક્રમાંક 41મો છે. રોશની નાડર 55મા અને કિરણ મઝૂમદાર શૉ 68મા નંબરે છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા આ 17મા વાર્ષિક રેન્કિંગ્સમાં લેન્ડમાર્ક ગ્રુપનાં ચેરપર્સન રેણુકા જગતિયાની 98મા નંબરે છે. દુનિયાની 100 સૌથી શક્તિશાળી કે વગદાર મહિલાઓની આ યાદીમાં સતત 10મા વર્ષે પહેલા સ્થાન પર જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. તે ઉપરાંત ન્યૂઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા આર્ડર્નનો પણ સમાવેશ છે.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજ મસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
પૂર્વ મોડેલ અને અભિનેતા દિનો મોરિયોનો આજે ૪૫મો જન્મ દિન છે. ૯ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ બેંગલોરમાં તેમનો જન્મ થયો હતો.
દિનો મોરિયો ઇટાલીયન પિતા અને કેરળના ભારતીય માતાના સંતાન છે. નિકોલો તેમના મોટા ભાઈ અને સેન્ટીનો તેમના નાના ભાઈ છે. કેરળથી એ બેંગલુરૂ આવીને વસ્યા. શરૂઆતમાં અહીં મિલીટરી સ્કૂલમાં ભણીને સેન્ટ જોસેફ્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા. એ પછી ફેશન મોડેલ બન્યાં અને એક ફેશન કંપનીના મોડેલિંગ દરમિયાન જ તેમને પહેલી ફિલ્મની ઓફર મળી હતી.
સૌથી પહેલાં તેમણે ટીવી શ્રેણી ‘કેપ્ટન વ્યોમ’માં ‘સૈનિક’ની ભૂમિકા કરી હતી. એ પછી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’માં રિંકી ખન્ના સાથે અભિનેતા તરીકે શરૂઆત કરી. રાજીવ મેનનની તમિલ ફિલ્મ ‘કાંડું કોન્ડેન કાંડું કોન્ડેન’માં તેમને બ્રેક-થ્રુ ભૂમિકા મળી હતી. ૨૦૦૨ની સફળ ફિલ્મ ‘રાઝ’ અને થ્રીલર ‘ગુનાહ’થી એ વધારે જાણીતા થયા. આ ઉપરાંત ‘બાઝ- એ બર્ડ ઇન ડેન્જર’, ‘શશશશ..’, ‘રક્ત’ કે ‘એસિડ ફેક્ટરી’માં પણ તેમણે અભિનય કર્યો હતો. ૨૦૧૦ની ‘ખતરોં કે ખિલાડી’ રિયાલીટી શોમાં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો.
‘રાઝ’ની તેમની નાયિકા બનેલી બિપાશા બસુ સાથે તેમના ૧૯૯૬થી ૨૦૦૨ સુધી નીકટના સંબંધ રહ્યા હતા. આ બંને કલાકારોને તે ફિલ્મ માટે ડાયનેમિક ડ્યુઓનો ઝી સિને એવોર્ડ પણ મળ્યો હતો.