Home Blog Page 4559

ચીનમાં કોરોના વાયરસનો કહેરઃ 41 લોકોએ જીવ ગુમાવ્યા 237 ની હાલત ગંભીર

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે.

જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે, હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે…ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

તૂર્કીમાં 6.8નો ભૂકંપ; 18નાં મરણ, 200થી વધુ લોકો ઘાયલ

અંકારા – તૂર્કીના પૂર્વ ભાગમાં સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાતે 8.55 વાગ્યે ભયાનક ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 18 જણનાં મરણ થયા છે અને બીજાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

જમીનદોસ્ત થયેલા મકાનોના કાટમાળમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટેની કામગીરી આજે વહેલી સવારે પણ ચાલુ હતી.

ભૂકંપની તીવ્રતા 6.8ની હતી.

30 જેટલા લોકો લાપત્તા હોવાનો પણ અહેવાલ છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે પડોશના દેશો ઈરાક, સીરિયા અને લેબેનોનમાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ ભાગમાં આવેલા ઈલાજિક પ્રાંતના સીવરાઈસ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

આ જ પ્રાંતમાં વધારે નુકસાન થયું છે. ઓછામાં ઓછા 10 મકાન જમીનદોસ્ત થયા છે. ભૂકંપ આવ્યા બાદ અનેક મકાનોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ પણ ફાટી નીકળી હતી.

સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ભૂકંપ આવ્યો એ સમયમાં 15 આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.

શું ખરેખર ઈરાનના પરમાણુ બોમ્બના નિશાન પર છે યુએસ-ઈઝરાયલ?

નવી દિલ્હી: ઈરાન-અમેરિકા વચ્ચે શરુ થયેલા ઘર્ષણ વચ્ચે અનેક નવા સવાલો ઉભા થયા છે. હાલમાં જે રીતે ઈઝરાયલે ઈરાનના પરમાણુ બોમ્બ અંગે ચિંતા વ્યક્ત કરી એ સંબંધિત કેટલાક સવાલોની તપાસ જરૂરી છે. આ સ્થિતિમાં મોટા પ્રશ્ન એ છે કે, શું ખરેખર ઈરાન પણ નાઝી જર્મનીના પગલે આગળ વધી રહ્યું છે? શું ઈરાનનો પરમાણુ બોમ્બ યહુદી રાજ્યો માટે ખતરનાક છે? જે રીતે અમેરિકા અને ઈઝરાયલ એકજુથ થઈને દુનિયાના નેતાઓને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આહવાન કર્યું એ જોતા આ ચિંતા વાજબી છે. સદામ પછી હવે મધ્ય એશિયામાં ઈરાનનું જાની દુશ્મન ઈરાક નથી રહ્યું. હવે તેની લડાઈ સીધી ઈઝરાયલ સાથે છે.

 શીત યુદ્ધ અને ખાડી યુદ્ધ પછી મધ્ય એશિયાના સમીકરણો બદલાયા છે. એ યુગમાં ઈરાન-ઈરાક આંતરિક યુદ્ધમાં વ્યસ્ત રહ્યા. પણ શીત યુદ્ધ અને સદામ હુસેનની સત્તા સમાપ્તિ પછી આ વિસ્તારમાં વ્યૂહાત્મક સ્થિતિ બદલાઈ ગઈ છે. સદામ પછી ઈરાક નબળું પડ્યું અને તે સ્પષ્ટ રીતે શિયા-સુન્ની અને કુર્દ વચ્ચે વહેંચાઈ ગયું છે. આ સ્થિતિમાં મધ્ય એશિયામાં ઈરાનનું સૌથી મોટું વિરોધી ઈઝરાય બની ગયું છે. જેથી અમેરિકા અને ઈઝરાયલની એ ચિંતા પણ વાજબી છે. આ ચિંતમાં વધારો ત્યારે થયો જ્યારે ઈરાન પરમાણુ બોમ્બના નિર્માણકામમાં લાગ્યું.

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ તેહરાનની તુલના એક અત્યાચારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, વિશ્વને ઈરાનથી સાવચેત રહેવાની જરૂર છે. નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનું આહવાન કરતા તેમની તુલના નાઝી જર્મની અને હિટલર સાથે કરી. નેતન્યાહુએ જેરુશલમને રાજ્ય અને સરકારના 40થી વધુ પ્રમુખોને એક્ઠા થવા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાન જે રીતે પરમાણુ હથિયાર વિકસિત કરી રહ્યું છે તેનાથી યહુદીની સાથે વિશ્વને પણ ખતરો ઉભો થયો છે. તેમનું એક માત્ર ઉદેશ્ય યહુદી રાજ્યને ખતમ કરવાનો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતા કહ્યું કે, ઈરાનના પરમાણુ બોમ્બથી વિશ્વને બચાવવાની જવાબદારી સંયુક્ત રાષ્ટ્રના ખંભા પર છે. પુતિને વધુમાં કહ્યું કે, દ્વિતિય વિશ્વયુદ્ધના વિજેતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બની ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ રશિયાને વૈશ્વિક પાવર બ્રોકરના રૂપમાં આગળ ધપાવ્યું છે. તેમણે વૈશ્વિક અસ્થિરતાને ખતમ કરવા માટે વિકસિત રાષ્ટ્રોના શિખર સમ્મેલન પર ભાર મૂક્યો.

દિલ્હીની ડ્રામેટિક ચૂંટણીઃ નાટક હજી જામ્યું નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ડ્રામેટિક બનશે તે સૌને ખબર છે. નાનો મોટો ડ્રામા છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. પણ જામતો નથી. જામતો નથી, કેમ કે એક મુખ્ય નાયક અંડરપ્લે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે દોઢેક વર્ષથી, લોકસભા 2019ની ચૂંટણી પહેલાંથી જ મોદી અને ભાજપનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. ભાજપ સામેના વિપક્ષમાં તેઓ સૌથી ચાલાક છે. બાકીનો વિપક્ષ ભાજપને ભરપુર ફાયદો કરાવી રહ્યો છે, ત્યારે કેજરીવાલ ભાજપની ચાલને બરાબર પામી ગયા છે. તેઓ ભાજપનો વિરોધ કરીને ભાજપને જ ફાયદો કરાવવા માગતા નથી.

પરંતુ ભાજપને ભીંસમાં લેવાના બધા જ પ્રયાસો આ સમયગાળામાં તેઓ કરતા રહ્યા છે. ભાજપના નેતાઓ પણ મૂંઝાતા રહ્યા છે કે આમને ટ્રેપમાં કેવી રીતે લેવા. અરવિંદ ટ્રેપમાં આવતા નથી. તેમણે અસલી મુદ્દા જ ઉપાડ્યા છે. લોકોને દરેક મહોલ્લામાં આરોગ્યની સુવિધા મળે તેવું કરું, સ્ત્રીઓને બસમાં મફતમાં મુસાફરી કરાવો, વીજળી તમે 200 યુનિટ સુધી બાળો ત્યાં સુધી બીલ બહુ ઓછું મળશે, પીવાનું પાણી મળે તે માટે સરકાર કેટલી મથે છે તેની વાત જ કરો. આ મુદ્દાઓ એવા છે કે ભાજપ તેને પડકારી શકે તેમ નથી. પાકિસ્તાનના મુદ્દે પડકાર કરી શકાય, પણ ભઈ પાકિસ્તાનનું આપણે અહીં શું કામ છે. યુવાનોને નોકરી નથી મળતી તેની વાત કરોને – આમ આદમી પાર્ટી આવી વાત કરીને પણ ભાજપના નેતાઓને પાકિસ્તાન પાકિસ્તાન બરાડવાની તક આપતી નથી.

ભાજપ બહુ ભીંસમાં આવે ત્યારે કહેતો હોય છે કે પણ અમારી પાસે મોદી છે, તમારી પાસે કોણ? વિપક્ષ ગેંગેફેંફે થઈ જાય છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમારી પાસે કેજરીવાલ છે, તમારી પાસે કોણ? હવે ભાજપના નેતાઓ ગેંગેફેંફે થઈ જાય છે. મનોજ તીવારીને મોટા ઉપાડે મોટા ભા કરવાની તૈયારી ભાજપે કરી હતી, પણ કેજરીવાલ સામે કોણનો જવાબ મનોજ તિવારીમાંથી મળ્યો નથી. તેથી કેજરીવાલ સામે કોણ તે જવાબ ભાજપમાંથી આવવાનો બાકી છે.
ભાજપની સરકારો હોય ત્યાં સરકારી તીજોરીના નાણાંનો બેફામ વેડફાટ કરીને નકરો પ્રચાર કરવામાં આવે છે. કેજરીવાલ અહીં પણ પાવરધા નીકળ્યા છે. તેમણે દિલ્હી સરકારની તીજોરીના કરોડો રૂપિયા પ્રચારમાં વાપરી નાખ્યા છે. તેમણે દિલ્હીના અખબારો અને ટીવીમાં એવી રીતે સરકારી કાર્યક્રમો અને જાહેરખબરો કરી છે કે તેમની ઇમેજ ચકચકિત થાય. દિલ્હી સરકારના માહિતી ખાતાનું, પ્રચારનું, વિજ્ઞાપનનું બજેટ તેમણે બખૂબી વાપર્યું છે અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વાહવાહ માધ્યમોમાં થાય તેવું સુંદર કેમ્પેઇન કર્યું છે. વિપક્ષને એક પછી એક ઘણા રાજ્યોમાં સત્તા મળી છે. તે રાજ્યોમાં પણ સરકાર સરકારી તીજોરી કરોડો રૂપિયા જાહેરખબરોમાં વેડફી નાખે છે, પણ તે પ્રચારમાં દમ નહોતો નથી. તે પ્રચાર સરકારી લાગે છે. દાખલા તરીકે છત્તીસગઢના કોંગ્રેસના મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય ટીવીમાં ચમક્યા કરે છે. સરકાર આદિવાસી નૃત્યોનો કાર્યક્રમ કરે છે વગેરે પ્રચાર થતો રહે છે. પણ તે પ્રચાર સરકારી પ્રચાર જ લાગે છે. માહિતી ખાતામય પ્રચારનો કોઈ ફાયદો થતો નથી.

કેજરીવાલ ચૂંટણીને કલાત્મક રીતે, રચનાત્મક રીતે ડ્રામેટિક બનાવે છે. દાખલા તરીકે ઉમેદવારી પત્રક ભરવા જતી વખતે રોડ શૉ કાઢવાનો નવો રિવાજ નીકળ્યો છે. તેમણે પણ તે રિવાજ પાળ્યો, પણ એવી રીતે નાટક કર્યું કે પોતે સમયસર મામલતદાર કચેરીએ પહોંચી શક્યા નહિ. પોતાને જોવા, સાંભળવા, ટેકો આપવા માટે એટલી મોટી ભીડ ઊમટી પડી હતી કે તેમાંથી માર્ગ કરીને કચેરીએ ફોર્મ ભરવા પહોંચી શકાયું નહીં તેવી છાપ ઊભી કરાય. આટલું વ્યાપક જનસમર્થન છે એવું કહ્યા વિના જણાવાયું. પોતાને પ્રેમથી, ઉમળકાથી મળવા આવેલા મતદારોને મૂકીને પોતે ફોર્મ ભરવા દોડી શકે નહિ એવું કેજરીવાલનું કહેવાનું થતું હતું.

બીજા દિવસે વધારે ડ્રામા કરવાની તક ભાજપે પણ આપી. ભાજપની પદ્ધતિ પ્રમાણે ડઝનબંધ અપક્ષોને કેજરીવાલની સામે ઊભા કરી દેવામાં આવ્યા છે. ભાજપ ભળતા નામ સાથેના અપક્ષોને ખડા કરી દઈને વિપક્ષની નેતાને મૂઝવતો હોય છે. શંકરસિંહ વાઘેલા સામે શંકર અને વાઘેલા આવતા હોય તેવા અપક્ષોને ઊભા કરી દેવાય. થયું એવું કે 60થી વધુ અપક્ષો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા. મતદારો કરતાં મોટી ભીડ ઉમેદવારોની થઈ ગઈ હતી. સરકારી બાબુઓ મંદ ગતિએ કામ કરવા ટેવાયેલા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આટલા બધા ફોર્મ સ્વીકારવાનું બાબુઓ માટે શક્ય નહોતું.

તેથી આખરે કેજરીવાલ પહોંચ્યા અને તેઓ અંદર પહોંચ્યા ત્યારે ભારે હોબાળો મચ્યો. લાઇનમાં આવો ભાઈ લાઇનમાં એવી ધમાલને કારણે ભારે ડ્રામા ઊભો થયો હતો. સરકારી બાબુઓ સરકારી ઉપાય જ કાઢ્યો હતો. સૌને ટોકન આપી દીધા હતા. કેજરીવાલને પણ 45 નંબરનું ટોકન મળ્યું હતું. મતલબ કે ઉમેદવારી પત્રક ભરવા માટે લાઈનમાં તેમનો 45મો નંબર. આ જુઓ ભાજપના લોકો, અમને કેવા હેરાન કરે છે તેવી ભાજપની જ દવા કેજરીવાલ ભાજપને પીવરાવી.

ઉમેદવારી પત્રકો પસાર થઈ જાય અને સામસામા ઉમેદવારો નક્કી થઈ ત્યાર પછી પ્રચાર ધમધમતો થશે. તે વખતે સમગ્ર ચૂંટણી વધારે નાટકીય બનશે તેમ લાગે છે. થોડી નાટકીય તો બની જ છે. ભાજપમાં આંતરિક હલચલ પણ ભારે મચી છે. કેજરીવાલ સામે ભાજપનો ચહેરો કયો તે નક્કી થઈ શક્યું નથી. તે જ રીતે કેજરીવાલની બેઠક પર તેમની સાથે ભાજપનો ઉમેદવાર કયો તેની પણ ભારે માથાકૂટ થઈ હતી.

અહેવાલો અનુસાર કેજરીવાલ સામે ભાજપના ઉમેદવારના મામલે ભાજપમાં ટ્રેજી-કોમેડી થઈ હતી. સુનીલ યાદવ નામના ઉમેદવાર નક્કી થયા હતા. તેઓ ફોર્મ ભરવાની તૈયારીમાં પણ હતા, ત્યાં ખબર આવ્યા કે તેમને બદલવાના છે. તેનું કારણ એ કે સુનીલ યાદવનું નામ નક્કી થયું ત્યારે એવી હવા ચાલી કે ભાજપે જાણે હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલ સામે ભાજપને મજબૂત ઉમેદવાર જ મળતો નથી તેવી હવા ચાલી. એટલું જ નહિ સમગ્ર રીતે દિલ્હીમાં આપ સામે ભાજપે લડત પહેલાં જ હાર સ્વીકારી લીધી છે તેવી હવા ચાલી હતી.

દરમિયાન ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા સંપૂર્ણ પ્રમુખ બન્યા. બીજા દિવસે મંગળવારે તેમની સામે જ આ મામલો આવી પડ્યો હતો. વકીલ અને ભાજપના યુવા મોરચાના દિલ્હી એકમના નેતા એવા સુનીલ યાદવને પણ નારાજી હતી કે પોતાને નવી દિલ્હી વિધાનસભામાં હારવા જ મોકલવામાં આવી રહ્યા છે. બીજું કે સોમવારે રાત્રે, ઉમેદવારી કરવાના છેલ્લા દિવસની આગલી રાતે જ નામ જાહેર થયું હતું.

તેથી મંગળવારે ઉમેદવારી કરવા જતા પહેલાં તેઓ છેલ્લે એક વાર રજૂઆત કરવા નડ્ડાને મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે સુનીલ યાદવના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરોએ જ હતાશા વ્યક્ત કરી હતી. આવો નબળો ઉમેદવાર – એવો અફસોસ વ્યક્ત થવા લાગ્યો તેથી નડ્ડાએ જ યાદવને મંગળવારે સવારે જ બોલાવી લીધા હતા તેમ કહેવાય છે. તેમણે યાદવને અટકાવ્યા અને દિલ્હીના ભાજપ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સતિષ ઉપાધ્યાયને પસંદ કર્યું. જોકે કેજરીવાલ સામે બલિનો બકરો બની જવા માટે છેલ્લી ઘડીએ તેઓ પણ તૈયાર નહોતા. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી તેથી નડ્ડાએ દિલ્હીના પ્રભારી શ્યામ જાજુને કહ્યું કે તમે કેજરીવાલ સામે લડો. જાજુએ પણ કહ્યું કે કેજરીવાલ સામે પોતે લડવા માગતા નથી. આ રીતે છેવટે બપોરે યાદવને જ આખરે મેન્ડેટ આપી દેવો પડ્યો હતો.

આ રીતે પ્રચારનો અને પરસેપ્શનનો પ્રથમ રાઉન્ડ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ જીતી લીધો છે. પરંતુ ચૂંટણી પ્રચાર આગળ વધતો જશે તે સાથે વધારે ઉગ્ર પ્રચાર થશે. ભાજપની કોશિશ લાગણી ઉશ્કેરે તેવા મુદ્દા તરફ વાતને વાળવાની કોશિશ છે, પણ આપ ચાલાકીપૂર્વક ટ્રેપમાં આવી રહ્યો નથી. બીજું આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ સરકારી તીજોરના કરોડો રૂપિયાનો ખર્ચ જાહેરખબર પાછળ કરીને પ્રચારનું ઘણું બધું કાર્ય આપે પૂર્ણ કરી લીધું છે. હવે ઘરે ઘરે ફરીને પ્રચાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહોલ્લા ક્લિનિક બની હોય ત્યાં જ પ્રચાર ચાલે, જેથી પોતે કરેલા કામનો નમૂનો દેખાડી શકાય.

દેશભરમાં જ્યાં પણ આપના કાર્યકરો હજી વધ્યા છે (બહુ મોટા પાયે કાર્યકરો મળ્યા પછી, તેમાં મોટું ગાબડું પણ પડ્યું હતું.) તેમને દિલ્હી બોલાવીને શેરીઓમાં પ્રચાર થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકો ઉપરાંત નિષ્ણાતોને મોકલીને બાળકોને વધારે માર્ગદર્શનની રીત આપે અપવાની હતી. તે માટે તેમણે દેશભરમાં પોતાના જે કાર્યકરો હોય તેમને દિલ્હી બોલાવી, જુદી જુદી શાળામાં મોકલીને કાર્યક્રમો કરાવ્યા હતા. સરકારી શિક્ષકો કરતાં વધારે સારી રીતે આ નિષ્ણાતો ભણાવતા હતા. તેની સારી છાપ પડી હતી અને હવે તે જ નિષ્ણાતોને ફરી દિલ્હી બોલાવીને પ્રચારના કામે પણ લગાડાઈ રહ્યા છે એમ માનવામાં આવે છે.

આ બધા વચ્ચે પ્રચારના પડઘમ વાગી ગયા છે અને શિયાળો થોડો ઠંડો પડ્યો છે અને તાપમાન માફકસર બન્યું છે, ત્યારે પ્રચારની ગરમી ક્યારે આવે છે તેની રાહ જોવાની છે. એકાદ અઠવાડિયમાં દિલ્હીમાં કોઈ મોટો રાજકીય ડ્રામા ના થાય તો જ નવાઈ. થશે ત્યારે તેના પાત્રો અને સ્ક્રિપ્ટનો પરિચય તમને કરાવીશું. અત્યારે આવજો.

રાશિ ભવિષ્ય 25/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે.

ગઠબંધનથી બદલાયું દિલ્હીનું રાજકારણઃ કોંગ્રેસે પ્રથમવાર કર્યો પ્રયોગ

નવી દિલ્હીઃ ગઠબંધનની રાજનીતિથી દિલ્હીની રાજનૈતિક ઓળખ પણ બદલાઈ રહી છે, જ્યાં હંમેશાથી સત્તા પર એક જ રાજનૈતિક દળ રહેતું આવ્યું છે અને ત્યાં હવે સત્તામાં ગઠબંધનના પ્રયત્નો શરુ થયા છે. આ જ કારણ છે કે આ વખતે પહેલીવાર કોંગ્રેસે પણ રાષ્ટ્રીય જનતા દળને સાથે લીધું છે. બીજીતરફ ભાજપાએ પરંપરાગત સહયોગી શિરોમણિ અકાલી દળને છોડીને લોક જનશક્તિ પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડના રુપમાં નવા સાથી બનાવી લીધા છે. આમાં બે મત નથી કે આ વખતના ચૂંટણી પરિણામ દિલ્હીની રાજનૈતિક સ્થિતિ બદલી શકે છે.

મુગલકાળથી સત્તાનું કેન્દ્ર રહેલી દિલ્હીની ચૂંટણી માત્ર દિલ્હી માટે નથી હોતી પરંતુ અહીંયાથી આખા દેશને એક સંદેશ જાય છે. એટલા માટે અહીંયાની ચૂંટણી પર આખા દેશની નજર હોય છે. આ વખતે આ ચૂંટણી કંઈક અલગ જ રંગ લઈને આવી છે. વર્ષ 2015 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવતા 70 પૈકી 67 સીટો પ્રાપ્ત કરી હતી. ભાજપે ત્રણે સીટો કોઈપણ પ્રકારે પ્રાપ્ત કરી લીધી પરંતુ કોંગ્રેસનું ખાતુ જ ન ખુલ્યું. આ વખતે પણ ત્રણેય પાર્ટીઓ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.

એક બાજુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સત્તા બચાવવા માટે પૂરી તાકાત લગાવી છે, તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે કોઈપણ પ્રકારે દિલ્હીની રાજનીતિમાં પાછી આવવા માંગે છે. ભાજપ માટે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરવી તે એક મોટો પડકાર છે. કારણકે દેશભરમાં થયેલી કેટલાય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, હરિયાણામાં પણ મુશ્કેલીથી સત્તા બચાવવામાં સફળ રહી.

હવે ભાજપાએ પણ પોતાનું તમામ જોર લગાવ્યું છે. કોંગ્રેસે ટીકિટ પણ ખૂબ વિચારીને આપી છે. સોનિયા, પ્રિયંકા, રાહુલ સહિત કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. તો એક અલગ પ્રકારથી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. જાટ સમુદાય જ્યાં રહે છે તેવા વિસ્તારમાં જાટ પ્રચાર કરશે અને પૂર્વાંચલના લોકો માટે પણ અલગ રણનીતિ બનાવવામાં આવી છે. તો આમ આદમી પાર્ટીએ સત્તા મેળવવા ખૂબ જાહેરાતો કરી છે. તો કોંગ્રેસ અને ભાજપે પણ ઘણી જાહેરાતો કરી છે. હવે આ તમામ પાર્ટીઓના પ્રયત્નોનું પરિણામ શું આવે છે, તે આવનારા સમયમાં જોવાનું રહેશે. અત્યારે ત્રણેય પાર્ટીઓ જનતાને આકર્ષવાના તમામ પ્રયત્નો કરી રહી છે.

ખાવાની સ્ટાઈલથી જ સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે: કૈલાશ વિજયવર્ગીય

ઇન્દૌર: નાગરિક સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં સામેલ લોકોને લઈને વડાધાન નરેન્દ્ર મોદીના ‘કપડાથી ઓળખવા વાળા નિવેદન પછી હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ વિવાદિત નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં #Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.

ઇન્દૌર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવાઈઝર સાથે વાતચીત કરી અને પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આ કેસમાં મેં હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. હું માત્ર આ ઘટનાનો ઉલ્લેખ કરીને તમને બધાને જણાવા માંગુ છું. આ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે. હું જ્યારે બહાર જઉં છું તો મારી સાથે 6 સુરક્ષાકર્મી હોય છે, કારણ કે ઘૂસણખોરો દેશનો માહોલ બગાડી રહ્યા છે. CAA ના સમર્થનમાં બોલતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અફવાઓથી ગુમરાહ ના થાઓ, સીએએમાં દેશનું હીત છે. આ કાયદા હેઠળ વાસ્તવિક શરણાર્થીઓને નાગરિકતા આપીશું અને ઘૂસણખોરોની ઓળખ થશે.

અગાઉ ઝારખંડમાં એક ચૂંટણી રેલની સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આ કોંગ્રેસ અને તેના સાથીઓ હલ્લાબોલ મચાવી રહ્યા છે. તોફાન ઉભી કરી રહ્યા છે. તેમની વાત ચાલતી નથી તો તેઓ આગ ફેલાવી રહ્યા છે. તેઓ જે આગ લગાવી રહ્યા છે ટીવી પર જે તેમના દ્રશ્યો આવી રહ્યા છે, આ આગ લગાવનારા કોણ છે, તેમના કપડાં પરથી જ ખબર પડી જાય છે.

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને રૂ. 3,153 કરોડ

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 3,153 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.3,153.47 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિનિયોગ કરશે.”