Home Blog Page 4559

૧ ડિસેમ્બર ૨૦૨૦

૧ ડિસેમ્બર ૨૦૨૦

અવ્વલ દરજ્જાના ગાયક ઉદિત નારાયણ

હિન્દી ફિલ્મોના બેનમૂન ગણી શકાય એવા નેપાળી ગાયક ઉદિત નારાયણ આજે 65 વર્ષના થયા. એમણે મુખ્યત્વે નેપાળી અને હિન્દી ફિલ્મોમાં ગાયું છે. શ્રેષ્ઠ ગાયક રૂપે ત્રણ નેશનલ એવોર્ડ્ઝ અને પાંચ ફિલ્મફેર એવોર્ડઝ એમને મળ્યાં છે. ગાયનક્ષેત્રે આ પ્રદાન માટે એમને ૨૦૧૬માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે.

સિત્તેરના દાયકામાં રેડીઓ નેપાળના સ્ટાફ આર્ટીસ્ટ તરીકે તેમણે શરૂઆત કરી. આઠેક વર્ષ પછી ઉદિતને ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની સ્કોલરશીપ મળી એટલે એ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં આવ્યા. આનંદ મિલિન્દના સંગીતમાં અલકા યાજ્ઞિક સાથે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના તમામ ગીતો ગાયા અને એ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. બીબીસી દ્વારા ‘ટોપ ૪૦ બોલીવૂડ સાઉન્ડ ટ્રેક ઓફ ઓલટાઈમ’ની યાદીમાં એમના ગાયેલા ૨૧ ગીત હતાં. એક અંદાજ પ્રમાણે, ઉદિતે ૩૬ ભાષામાં ૩૦ હજારથી વધુ ગીતો ગાયા છે.

હાલ ઉદિત નારાયણ મુંબઈમાં રહે છે. તેમણે દીપા ગાહતરાજ અને રંજના ઝા સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં એમણે રંજના સાથે લગ્ન થયા હોવાનો ઇનકાર કર્યો હતો, પણ લગ્નના ફોટા અને સાક્ષીઓની જુબાની સ્વીકારીને બિહાર મહિલા કમિશને ઉદિત સાથે લગ્ન થયા હોવાનો રંજનાનો દાવો સ્વીકાર્યો હતો. આ પહેલાં ઉદીતે નેપાળી ગાયિકા દીપા સાથે ૧૯૮૪માં લગ્ન કર્યા હતાં.

ઉદિતે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં અનેક મોટા સ્ટાર્સને અવાજ આપ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને દેવઆનંદનો સમાવેશ થાય છે. તેમના સૌથી વધુ યુગલ ગીતો અલકા યાજ્ઞિક સાથે સંભાળવા મળે છે.

ઉદિત જે ફિલ્મોના ગીતો માટે યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘આશિકી’, ‘હમ’, ‘ફૂલ ઔર કાંટે’, ‘બેટા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘ડર’, ‘કભી હાં કભી ના’, ‘મોહરા’, ‘રંગીલા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ સે’, ‘મન’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તાલ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મિશન કાશ્મીર’, ‘કહો ના પ્યાર હૈ’નો સમાવેશ થાય છે.

(નરેશ કાપડીઆ-સુરત)

ન બોલ્યામાં નવ ગુણ…

 

 બોલ્યામાં નવ ગુણ…

 

 

ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં નહીં બોલવામાં બધો ભરમ જળવાઈ રહે છે.  

એક નાની વાત સમજીએ.

એક શેઠ અને શેઠાણી. શેઠાણી બહુ રૂપાળાં. એક દિવસ કોઈ પ્રસંગમાં જવા માટે બનીઠનીને તૈયાર થયા. શેઠના સામું જોઈને એમણે પૂછ્યું, “કેવી લાગું છું ?” 

શેઠે જવાબ આપ્યો, “એકદમ ઝક્કાસ !” 

પણ પછી એક સલાહ પણ આપી કે, “કોઈપણ બોલાવે તો સ્મિત આપજે, પણ વાતે વળગતી નહીં.” 

શેઠાણીએ વળતું પૂછ્યું, “હું કશું નહીં બોલું તો સામા માણસને એવું લાગશે કે હું મૂરખ છું.” 

શેઠનો જવાબ હતો, “ભલે લાગે. તારે બોલીને એનો પૂરાવો આપવાની કોઈ જ જરૂર નથી.” 

નાનો દાખલો છે. 

સમજી ગયા ને ? 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 01/12/2020

દેવદિવાળીઃ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું ઈશા યોગ સેન્ટર…

કોઈમ્બતુરસ્થિત ઈશા યોગ સેન્ટર ખાતે 30 નવેમ્બર, સોમવારે કાર્તિકી પૂનમ, દેવદિવાળી નિમિત્તે સેંકડો દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. એને લીધે સમગ્ર વાતાવરણ ઝગમગી ઉઠ્યું હતું. એ પ્રસંગની સુંદર તસવીરી ઝલક.

ઓનલાઈન-છબરડોઃ અભિનેતા રોનિત રોયને થયો ખરાબ અનુભવ

મુંબઈઃ ફિલ્મ અને ટીવી સિરિયલ એક્ટર રોનિત રોયે સોમવારે આક્ષેપ કર્યો હતો કે એણે પુત્રને માટે પ્લે સ્ટેશન 4 GTA 5 માટે ઓનલાઇન ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને પાર્સલમાં કોરો કાગળ મળ્યો હતો. અંદર ગેમની ડિસ્ક નહોતી. રોનિતે સોમવારે ટ્વિટર અકાઉન્ટ પર સંબંધિત ઓનલાઇન રીટેલ કંપનીની વેબસાઇટને ટેગ કરી હતી, જ્યાંથી એણે ચીજવસ્તુ ખરીદી હતી. મારા પુત્રએ એ ps4 gta5નો ઓનલાઇન ઓર્ડર કર્યો હતો. જોકે વેબસાઇટે પેકેજમાં એક કોરા કાગળનો ટુકડો અને કોઈ ડિસ્ક નહોતી મળી. પ્લીઝ, આના પર તાત્કાલિક ધ્યાન આપો. અભિનેતાએ ખાલી પાર્સલનો વિડિયો શેર કરવા સાથે લખ્યું હતું.

તેણે અલગથી ટ્વીટ કરીને ઓર્ડર નંબર પણ શેર કર્યો હતો. જોકે વેબસાઇટે પણ રોનિતની માગી હતી અને કસ્ટમર ટીમને રોનિતનો સંપર્ક કરવા કહ્યું હતું.  

ગયા મહિને રોનિતનો પુત્ર અગસ્ત્ય 13 વર્ષનો થયો હતો. તેણે પોતાના પુત્રની વિશેષ બર્થડે નોટ પણ શેર કરી હતી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતીઃ હેપી બર્થડે માય સન. તું આજે 13 વર્ષનો થઈ ગયો અને 6’ 3’’ ની ઊંચાઈ સાથે અમારી તુલનાએ લાંબો થઈ ગયો છું. પરંતુ મારા જીવનમાં કોઈ કોઈ પણ માધ્યમથી તને આગળ વધવામાં હંમેશાં મારી પાસેથી બધી પ્રકારની મદદ મળશે. I love you. હેપ્પી 13th  બર્થડે, લિટલ રોય.

 

મોદીએ દીપ પ્રગટાવી દેવદિવાળી મહોત્સવની ઉજવણી કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર, સોમવારે દેવદિવાળી પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં એમના સંસદીય મતવિસ્તાર વારાણસી ખાતે ગયા છે. ત્યાં સાંજે એમણે રાજ ઘાટ ખાતે જઈને ‘દેવ દીપાવલી મહોત્સવ-2020’માં ભાગ લીધો હતો અને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. એ સાથે જ ત્યાં હાજર રહેલાઓના ‘હર હર ગંગે’ના નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. વડા પ્રધાને વારાણસીની જનતા સહિત તમામને કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે શુભેચ્છા આપી હતી.

ગંગા નદીના ઘાટ પર હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને ઘાટને રંગબેરંગી રોશનીથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો.

રાજ ઘાટ ખાતે પોતાના વક્તવ્યમાં પીએમ મોદીએ આકાશ તરફ હાથ કરીને કહ્યું હતું કે એવું લાગે છે કે આજે પૂનમની રાતે મહાદેવના માથા પર ચંદ્રમા ચમકી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ રાજ ઘાટ ખાતે જતા પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને પૂજા કરી હતી. એમની સાથે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હતા.

ભારત-પાકિસ્તાનને ફરી રમતા જોવા નવા ICC-ચેરમેન આતુર

વેલિંગ્ટનઃ પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન ફરી નિયમિત રીતે દ્વિપક્ષી શ્રેણીઓ રમતા થાય અને એકબીજાની ધરતી પર જઈને રમે એ જોવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થા ઉત્સૂક છે, એમ ક્રિકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી આ સંસ્થાના નવા ચેરમેન ગ્રેગ બાર્કલેએ આજે કહ્યું છે. જોકે બંને દેશ વચ્ચે ક્રિકેટસંબંધો ફરી ક્યારે પ્રસ્થાપિત થશે એ વિશે પોતે કંઈ ચોક્કસપણે કહી શકે એમ નથી, એવી તેમણે ચોખવટ પણ કરી છે.

ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણીઓનો આધાર કાયમ પરસ્પર રાજકીય સંબંધો પર આધારિત હોય છે. બંને દેશ છેલ્લા 13 વર્ષથી એકબીજા સામે ટેસ્ટ શ્રેણી રમ્યા નથી. છેલ્લે 2007માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી અને 3-ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. જ્યારે ભારતીય ટીમનો પાકિસ્તાન ખાતેનો છેલ્લો પ્રવાસ 14 વર્ષ પહેલાં થયો હતો. પાકિસ્તાન ટીમ 2012માં એક ટૂંકી ODI તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા ભારત આવી હતી, અને તેના ચાર વર્ષ બાદ, 2016માં વર્લ્ડ કપમાં રમવા ફરી ભારત આવી હતી.

ન્યૂઝીલેન્ડવાસી 59 વર્ષીય બાર્કલેએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ ફરી ચાલુ કરાવવાની મને કોઈ સત્તા નથી કે હું એવું કંઈ નક્કી પણ કરી શકતો નથી. પરંતુ આઈસીસી સંસ્થા મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી શકે છે. જોકે આખરી નિર્ણય તો ભારત અને પાકિસ્તાનની સરકારોએ જ લેવાનો છે.

બાઈડનને પાલતુ શ્વાન સાથે રમતાં ફ્રેક્ચર થયું

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને શનિવારે તેમના પાલતુ શ્વાન સાથે રમતી વખતે પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું, તેથી તેમને અનેક સપ્તાહ સુધી વોકિંગ બૂટ પહેરવાની જરૂર પડશે, એમ તેમના સીટી  સ્કેન રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. 78 વર્ષીય બાઇડને રવિવારે મોટા ભાગનો સમય ડોક્ટરની ઓફિસમાં વિતાવ્યો હતો. તેમણે નેવાર્કમાં ડેલાવેર ઓર્થોપેડિક સ્પેશિયલિસ્ટને ત્યાં અને એ પછી સીટી સ્કેન સેન્ટરમાં વિતાવ્યો હતો. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બાઇડન જલદી સ્વસ્થ થઈ જાય એવી તેમણે પ્રાર્થના કરી હતી.

બાઇડનના પ્રારંભિક એક્સ-રે રિપોર્ટમાં કોઈ ફ્રેક્ચર નહીં થયું હોવાનું માલૂમ પડ્યું હતું, પણ તેમને વધુ પરીક્ષણ માટે ઇમેજિંગ કાઢવા માટે સલાહ આપવામાં આવી હતી, એમ ડો. કેવિન ઓ’કોન્નોરે જણાવ્યું હતું. તેઓ 2009થી બાઇડનના પ્રાથમિક સારવાર માટેના ફિઝિશિયન છે. એ પછી સીટી સ્કેન રિપોર્ટમાં તેમને અત્યંત બારીક ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, એમ ડોક્ટરે કહ્યું હતું.

વ્હાઇટ હાઉસના પત્રકારોએ વિલમિંગ્ટન, ડેલાવેરમાં કહ્યું હતું કે બાઇડન પત્રકારો અને દર્શકો દ્વારા લહેરાવવામાં આવેલા ઝંડાઓને કારણે દેખાતા નહોતા. બાઇડન ગયા શનિવારે એમના બે પાલતુ કૂતરામાંથી એક મેજર સાથે રમતા હતા, ત્યારે ઘાયલ થયા હતા. મેજર બાઇડનના પરિવારમાં 2018માં સામેલ થયો હતો અને બીજો કૂતરો ચેમ્પ 2008માં સામેલ થયો હતો. જાન્યુઆરીમાં પ્રમુખ તરીકે શપથ લીધા બાદ બાઇડન વ્હાઇટ હાઉસમાં રહેવા જશે ત્યારે મેજર અને ચેમ્પ, બંને શ્વાન પણ એમની સાથે જશે. તેઓ એક બિલાડીને પણ પાળવાના છે એવું કહેવાય છે.

PFમાંથી ઉપાડની રકમ ITRમાં દર્શાવવી આવશ્યક છે

નવી દિલ્હીઃ જો તમે નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માંથી નાણાં ઉપાડ્યા હશે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે એ ઉપાડની માહિતી આપવી જરૂરી છે. પછી ભલે એ ઉપાડવામાં આવેલી રકમ કરમુક્ત હોય કે નહીં. આમ તો એ રકમ કેટલીક શરતોને આધીન કરમુક્ત છે.

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની જાણ આમ ઇન્કમ ટેક્સ વિભાગને તો થઈ જ ગઈ હોય છે, કારણ કે રૂ. 50,000ના ઉપાડની રકમ પર રૂ. 10 ટકા TDS કપાઈ જાય છે, જો એ ઉપાડ સભ્ય બન્યાના પાંચ વર્ષ પહેલાં થઈ હોય તો. સરકારે કોવિડ-19 રોગચાળાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા EPFના સભ્યોને પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની મંજૂરી આપી છે. જોકે તેમના જમા બેલેન્સના 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાના બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થાં- બેમાંથી જે ઓછી રકમ હોય એ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.  

વળી, કોવિડ-19 રાહત હેઠળ કર્મચારીને ઉપાડેલી રકમને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે, ભલે પછી કર્મચારીએ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સર્વિસમાં પાંચ વર્ષ પૂરા ન કર્યા હોય. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્નમાં પીએફની ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે, કારણ કે ટેક્સ વિભાગ કરદાતાની આવકની આકારણી કરે છે અને એમાં વિસંગતિ ઊભી થાય છે. જેથી એ ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે. એના પર કોઈ દંડ નથી, કારણ કે એ આવક કરમુક્ત છે.