Home Blog Page 4561

કોરોના-રસી આવ્યા પછી પણ માસ્ક પહેરવો પડશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે અને તેની સામે આ રોગને રોકવા માટેની રસી તૈયાર કરવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને એવી આશા છે કે કોરોના રસી લીધા બાદ બધું પહેલાની જેવું થઈ જશે, પરંતુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વડાએ એક મહત્ત્વનું નિવેદન કર્યું છે. પ્રોફેસર બલરામ ભાર્ગવે ચેતવણી આપી છે કે કોરોના-રસી ઉપલબ્ધ થઈ ગયા બાદ પણ લોકોએ ઘણા લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતીઓ રાખવી પડશે. કોવિડ-19ને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવો અને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

ભાર્ગવે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી ખાતેથી કોવિડ-19 વ્યવસ્થાપન વિષય પરના એક વેબિનારમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના રસી નિર્માણનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે અને ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થઈ જશે. આવતા વર્ષના જુલાઈ સુધીમાં 30 કરોડ જેટલા લોકોને રસી આપવાનું અમારું લક્ષ્ય છે. ભારત વિકાસશીલ દેશોના 60 ટકા લોકો માટે પણ રસી તૈયાર કરી રહ્યું છે. કોરોના રસી વિકસીત કરવાના કામમાં દેશની 24 કંપનીઓ અને મેડિકલ રિસર્ચ લેબોરેટરીઓ વ્યસ્ત છે.

ભાર્ગવે કહ્યું કે માસ્ક એક વેક્સીનની જેમ જ કામ કરે છે તેથી રસી વિકસીત થઈ ગયા બાદ પણ માસ્ક પહેરવાની જરૂર ચાલુ રહેશે. માસ્ક એ લોકોને પણ સલામત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેઓ કોરોના બીમારીમાંથી સાજા થઈ ચૂક્યા છે.

દીપિકા ગેટવે ઓફ ઈન્ડિયાથી બોટમાં રવાના થઈ…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ એની આગામી ફિલ્મના શૂટિંગ માટે મુંબઈની પડોશના રાયગડ જિલ્લાના અલીબાગ જવા માટે 29 નવેમ્બર, રવિવારે સવારે દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેથી બોટમાં બેસીને રવાના થઈ હતી. એની સાથે ફિલ્મના અન્ય કલાકારો અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી પણ હતાં.

ભારતને બીજી-ODIમાં 51-રનથી હરાવી ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી

સિડનીઃ અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાને સતત બીજી મેચમાં રમતના તમામ વિભાગોમાં પરાસ્ત કરીને ઓસ્ટ્રેલિયાએ 3-મેચોની વન-ડે સિરીઝ પોતાના કબજામાં કરી લીધી છે. આરોન ફિન્ચની ગૃહ ટીમે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમને આજે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 51-રની પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી મેચ ગયા શુક્રવારે 66-રનથી જીતી હતી. હવે ત્રીજી અને આખરી વન-ડે મેચ 2 ડિસેમ્બરે કેનબેરામાં રમાશે.

આજની મેચમાં પણ ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી મેચની જેમ જ ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ જબ્બર ફટકાબાજી કરીને ભારતની બોલિંગના બુરા હાલ કરી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટે 389 રન કર્યા બાદ તેના બોલરોએ ભારતનો દાવ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન સુધી સીમિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના બેટ્સમેનો બંને મેચમાં સાવ ઘૂંટણિયે પડી ગયા નહોતા અને જોરદાર રીતે લડત આપી હતી. બોલરોના નબળા દેખાવને કારણે આ પરાજય સહન કરવાનો આવ્યો છે. સ્ટીવન સ્મીથે આજની મેચમાં પણ સદી ફટકારી હતી. એણે આજે 64 બોલમાં 14 ચોગ્ગા, બે છગ્ગા સાથે 104 રન કર્યા હતા. ડેવિડ વોર્નર (83) અને કેપ્ટન ફિન્ચ (60)ની જોડીએ પહેલી વિકેટ માટે 142 રન કર્યા હતા. માર્નસ લેબુશેને 61 બોલમાં 70 રન તો ગ્લેન મેક્સવેલે માત્ર 29 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 63 રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.

ભારતના દાવમાં, કેપ્ટન વિરાટ કોહલીએ પ્રતિકારની આગેવાની લીધી હતી, પણ 89 રનના સ્કોર પર આઉટ થયો હતો. શિખર ધવન 30, મયંક અગ્રવાલ 28 અને શ્રેયસ ઐયર 38 રન કરીને આઉટ થયા બાદ કોહલી અને વિકેટકીપર કે.એલ. રાહુલ (76)એ દાવને આગળ વધાર્યો હતો. આ જોડી દાવમાં હતી ત્યાં સુધી ભારતને જીતની આશા હતી, પણ કોહલીની વિકેટ પડ્યા બાદ રાહુલ, રવીન્દ્ર જાડેજા 11 બોલમાં 24, હાર્દિક પંડ્યા 31 બોલમાં 28 આઉટ થતાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ફાસ્ટ બોલર પેટ કમિન્સ 67 રનમાં 3 વિકેટ સાથે ગૃહ ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. સ્ટીવન સ્મીથને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. પહેલી મેચમાં જ પણ સ્મીથ આ એવોર્ડ જીત્યો હતો.

ઉર્મિલા કોંગ્રેસનો હાથ છોડી સોમવારે શિવસેનામાં જોડાશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર રાજકારણમાં પોતાની સફર નવેસરથી શરૂ કરવા જઈ રહી છે. આ વખતે એ કોંગ્રેસમાંથી નહીં, પણ શિવસેનામાંથી સફર શરૂ કરશે. એણે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને આવતીકાલ, 30 નવેમ્બરે એ શિવસેનામાં જોડાશે. ઉર્મિલા શિવસેનામાં જોડાશે એવી ચર્ચા કેટલાક વખતથી થતી જ હતી. એને વિધાન પરિષદની સદસ્ય બનાવવા માટે શિવસેના તરફથી ભલામણપત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આ મહિનાની શરૂઆતમાં જ મોકલવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીની સંયુક્ત સરકાર છે. આ ત્રણેય પાર્ટીએ વિધાન પરિષદમાં સદસ્ય બનાવવા માટે પોતપોતાના 4-4 સભ્યોના નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે. શિવસેનાએ પોતાના 4-સદસ્યોમાં ઉર્મિલાનું નામ પણ સામેલ કર્યું છે.

ઉર્મિલા 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટી સામે એનો પરાજય થયો હતો. બાદમાં ઉર્મિલાએ એવો આરોપ મૂકીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું કે પોતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉર્મિલા છેલ્લે 2018માં ‘બ્લેકમેલ’ ફિલ્મમાં જોવા મળી હતી.

થાણેમાં બેન્કનું એટીએમ મશીન આગમાં ખાક

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુર નગરમાં એક રાષ્ટ્રીયકૃત બેન્કનું એટીએમ મશીન આગ લાગતાં ખાક થઈ ગયું હતું.

થાણે મહાનગરપાલિકાના રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ જાણકારી આપી છે કે ગઈ કાલે રાતે લગભગ 9.30 વાગ્યાના સુમારે બદલાપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલા એક મકાનમાં મૂકવામાં આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનમાં આગ લાગી હતી. મશીન ખાક થઈ ગયું હતું. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી.

આગની જાણ કરાતાં અગ્નિશામક દળના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાતે લગભગ 10.15ની આસપાસ આગને બુઝાવી દીધી હતી. આગમાં એટીએમ મશીન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આગનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ એરકન્ડિશનરમાં કોઈક ખામી ઊભી થવાને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે.

સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા

નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.

આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ પ્રત્યે રેલવે વહીવટીતંત્ર તરફથી યોગદાન હશે, એમ ગોયલે વધુમાં કહ્યું છે.

દેશભરમાં આજે આશરે 400 રેલવે સ્ટેશનો પર માટીની કુલડીમાં ચા આપવામાં આવે છે અને અમારો પ્લાન છે કે ભવિષ્યમાં દેશના તમામ રેલવે સ્ટેશનો પર માત્ર કુલડીમાં જ ચા વેચવી. કુલડીઓ પર્યાવરણનું રક્ષણ કરે છે તેમજ લાખો લોકોને રોજગાર પણ પૂરો પાડી શકે છે, એમ ગોયલે કહ્યું.

‘લવ જિહાદ-વિરોધી’ કાયદા હેઠળ પહેલો કેસ નોંધાયો

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે નવા લાગુ કરેલા ‘ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મપરિવર્તન પ્રતિબંધક વટહૂકમ, 2020’ એટલે કે (લવ જિહાદ-વિરોધી કાયદા) અંતર્ગત પહેલો કેસ બરેલી જિલ્લાના દેવરનિયાં નગરમાં નોંધવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે આપી છે. આરોપી એક મહિલાને તેનો ધર્મ બદલવાનું દબાણ કરતો હતો. આરોપી હાલ ફરાર છે.

આ કાયદા અંતર્ગત લવ જિહાદ સંબંધિત ગુનાઓ કરવા બદલ વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. લગ્ન કરવા માટે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવા માટે જો કોઈ આરોપી અપરાધી ઠરે તો એને એકથી લઈને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સગીર વયની બાળાઓ અને અનુસૂચિત જાતિ-જનજાતિઓની મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવા બદલ 3-10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 25,000ના દંડની જોગવાઈ છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પ્રધાનમંડળે ગઈ 24 નવેમ્બરે લવ-જિહાદ વિરુદ્ધ વટહૂકમને મંજૂરી આપી હતી. રાજ્યનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈ કાલે આ વટહૂકમ પર મંજૂરીની મ્હોર મારી હતી.

આ બીસી આન્ટીને ઓળખી લો…

લોકડાઉનના સમયમાં સોશિયલ મિડીયામાં ખૂબ જ વાઇરલ થયેલી આ વિડીયો ક્લીપ તો તમે જોઇ જ હશે, જેમાં એક શિક્ષિકા ક્લાસમાં આયષ્યમાન ખુરાના અને સલમાન ખાનથી માંડીને સોનુ સૂદ સુધીના બોલીવુડના બધા હીરોની એટેન્ડન્સ લે છે. ‘ક્લાસ ઓફ હીરોઝ’ નામની આ વિડીયો ક્લીપે સોશિયલ મિડીયામાં એવી તો ધૂમ મચાવેલી કે ખુદ સોનુ સૂદે પણ એ ફની ક્લીપને પોતાના એકાઉન્ટ પરથી શેર કરેલી.

એ પછી તો આ ‘ક્યુટ શિક્ષિકા’એ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સની અને વિશ્વના દેશોની જીડીપીના મામલે ક્લાસમાં હાજરી લઇ નાખી એ બધી વિડીયો ક્લીપ્સ ય બધાને ખૂબ ગમી. શુધ્ધ હિન્દી ઉચ્ચારો સાથે સાંભળવા ગમે એવા અવાજમાં ક્લાસ એટેન્ડન્સના નામે વેધક કટાક્ષ કરીને ખડખડાટ હસાવતી આ ક્યુટ શિક્ષિકા આજકાલ સોશિયલ મિડીયામાં છવાયેલી રહે છે, સોશિયલ મિડીયા સેન્સેશન બની ચૂકી છે એ.

કોણ છે આ યુવતી?

સોશિયલ મિડીયામાં ‘બીસી આન્ટી’ નામે ઓળખાતી આ યુવતીનું નામ છે સ્નેહિલ દિક્ષિત-મહેરા. વર્ષ 2018 માં આવેલી વેબસિરિઝ અપહરણમાં ક્રિએટીવ ડિરેક્ટર તરીકે પરદા પાછળ કામ કરતાં કરતાં એ પરદા પર ફક્ત 17 સેકન્ડ માટે ચમકેલી અને આ 17 સેક્ન્ડની વિડીયો એ સમયે વાઇરલ થઇ એ ઘટનાએ જાણે સ્નેહિલ માટે કન્ટેન્ટ ક્રિએશનના દ્વાર ખોલી આપ્યાં. મિત્રોની સલાહ અને પતિદેવ રાહુલ મહેરાના પ્રોત્સાહનથી મુંબઇસ્થિત સ્નેહિલ દિક્ષિતે ‘બીસી આન્ટી’ નામે પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું. સીધી સાદી અને દેહાતી, પણ દિલની સાફ મહિલાના ગેટ-અપમાં ફિલ્મો અને વેબસિરિઝના રિવ્યૂથી માંડીને આપણી આસપાસની ઘટનાઓ પર કન્ટેન્ટ તૈયાર કરીને અપલોડ કરવાનું શરૂ કર્યું. એની પોસ્ટ હીટ થતી હઇ અને બીસી આન્ટી લોકપ્રિય બનતી ગઇ.

‘બીસી આન્ટી’ એવું નામ કેમ? જવાબમાં સ્નેહિલ કહે છે, ‘બીસી એટલે ભેરી ક્યુટ. અપહરણ સિરિઝમાં મારો આન્ટી તરીકેનો જે નાનકડો રોલ હતો એ આન્ટી ખૂબ નિર્દોષ, પણ એટલાં જ ક્યુટ એટલે મેં પણ ભેરી ક્યુટ આન્ટી એ નામે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું શરૂ કર્યું.’

ભણી એન્જિનિયરીંગનું, પણ…

મૂળ ઉત્તર પ્રદેશના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી સ્નેહિલ આમ તો ભણી છે એન્જિનિયરીંગનું. પિતાજી ફોરેસ્ટ વિભાગમાં હતા એટલે એમની નોકરીના કારણે ઉછેર મધ્યપ્રદેશમાં થયો. બાળપણથી જ આસપાસના ઘટનાઓ વિશે વાંચવાનો, એનું તીવ્ર નિરિક્ષણ કરવાનો એને જબ્બર શોખ. બાળપણથી એની પેશન કાંઇક જૂદી હતી, પણ દરેક મધ્યમવર્ગીય ભારતીય પરિવારની માફક એના માતા-પિતાનો આગ્રહ હતો કે એ પહેલાં ભણીગણીને સારી ડીગ્રી મેળવે. સ્નેહિલ પણ એન્જિનિયરીંગનું ભણી. ફાઇનલ યરમાં જ ત્રિવેન્દ્રમમાં એક કોર્પોરેટ ફર્મમાં નોકરીનું નક્કી થઇ ગયેલું અને એ ત્રિવેન્દ્રમ જવાની જ હતી, પણ બેએક મહિનાનો સમય હતો એટલે એ પોતાના ભાઇને ત્યાં રોકાવા મુંબઇ આવી.

અહીં જ આવ્યો એની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ. પોતાની બાળપણની પેશન પૂરી કરવાની એને તક મળતી હતી એટલે એ ટી.વી. ચેનલ સીએનબીસી-આવાઝમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ. રોજના બસ્સો રૂપિયા મળતા, પણ એના કરતાં એના માટે કામની પેશન વધારે મહત્વની હતી.

સ્નેહિલ કહે છે, ‘ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે સ્ટોરી ટેલિંગ માટેની નેચરલ આવડત મારામાં છે. હું આ કામ સારી રીતે કરી શકું છું.’

બસ, પછી તો એ એક યા બીજા પ્રોડક્શન હાઉસ સાથે ફ્રીલાન્સ રાઇટર તરીકે જોડાતી ગઇ અને મુંબઇમાં જ સ્થાયી થઇને આ જ દિશામાં આગળ વધવાનું નક્કી થઇ ગયું. એનામાં છૂપાયેલી એક પરફોર્મર હવે બહાર આવી ચૂકી હતી.

વેધક, પણ સ્વચ્છ કટાક્ષ

સ્નેહિલ એના વિડીયોમાં બહુ વેધક કટાક્ષ કરે છે, પણ એમાં ક્યાંય ડંખ કે અશ્લીલતા નથી. સસ્તી લોકપ્રિયતા માટે અપશબ્દો કે ગલગલીયાં કરાવે એવું કન્ટેન્ટ એ પીરસતી નથી. સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ્સને વિદ્યાર્થી બતાવીને એ હાજરી લે છે ત્યારે ટીકટોક નામના વિદ્યાર્થીને ચાઇનીઝ એક્સચેન્જ સ્ટુડન્ટ દર્શાવી સચોટ કટાક્ષ કરે છે, જૂદાજૂદા દેશોના જીડીપીના ક્લાસની વિડીયોમાં એ પાકિસ્તાનને બેકબેન્ચર ય કહી દે છે. દેહાતી મહિલાના ગેટઅપમાં એ ફિલ્મો-વેબસિરિઝના રિવ્યૂ કરે છે એમાંય એનું ભોળપણ અને નિખાલસતા સહજ રીતે દેખાઇ આવે છે.

બાળપણથી જ કરંટ અફેર્સ પર ખૂબ વાંચતી આવી છે અને આસપાસની ઘટનાઓનું સૂક્ષ્મ નિરિક્ષણ કરવાની એની આદત છે એટલે કન્ટેન્ટ માટે એને આવું બધું કરવાની જરૂર પડતી નથી.

બનવું હતું ન્યુઝ એન્કર, પણ…

હાલ તો કન્ટેન્ટ ક્રિએશન ઉપરાંત હવે એ અપહરણ વેબસિરિઝ પાર્ટ-ટુમાં અભિનય પણ કરવાની છે, પરંતુ સ્નેહિલની બાળપણથી એક ઇચ્છા કાયમ રહી છે. એ છે ન્યુઝ એન્કર બનવાની. સ્કૂલમાં ભણતી ત્યારે અખબારો વાંચીને ઘરે મિરર સામે ઊભા ઊભા એ ન્યુઝ રિડીંગ કરતી. સીએનબીસી-આવાઝમાં ઇન્ટર્ન કરવા પાછળનો એક આશય એ પણ હતો. એના મનમાં હજુય તક મળે તો ન્યુઝ એન્કર બનવાની ઇચ્છા ખરી.

આમ પણ, એ સ્ટોરી ટેલિંગ સારી રીતે કરી શકે છે. સારી પરફોર્મર ય છે અને કરંટ અફેર્સનું નોલેજ તો એની પાસે કદાચ ટી.વી. ચેનલના આજકાલના ન્યુઝ એન્કર કરતાંય વધારે સારું છે!

ચિત્રલેખા.કોમ ની સ્નેહિલ સાથેની વિડીયો મુલાકાત જોવા માટે ક્લીક કરોઃ

 

(કેતન ત્રિવેદી)

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 29/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

કોરોના રોગચાળો ભારતમાંથી ફેલાયોઃ ચીનનો આરોપ

બીજિંગઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ મહાબીમારી મૂળ ક્યાંથી ફેલાઈ તે વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તપાસ કરી રહી છે ત્યારે ચીને પોતાને માથે આવેલો દોષનો ટોપલો ભારત પર શિફ્ટ કરી દીધો છે. ચીનના વિજ્ઞાનીઓએ હવે આ નવી વાર્તા ઘડી કાઢી છે અને એ દ્વારા તેઓ દુનિયાના દેશોનું ધ્યાન ભારત તરફ વાળી દેવા પ્રયાસ કરી રહ્યા છે.

કોરોના રોગચાળાની ઉત્પત્તિ માટે ઈટાલી, અમેરિકા અને યુરોપના દેશો પર દોષ ઠાલવ્યા બાદ ચીનના વિજ્ઞાનીઓએ હવે એવો દાવો કર્યો છે કે જીવલેણ નોવેલ કોરોનાવાઈરસનું મૂળસ્થાન ભારત છે અને 2019ના ઉનાળાની મોસમમાં ત્યાંથી ફેલાવાનો શરૂ થયો હતો.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સીસ સંસ્થાના સંશોધકોની એક ટૂકડીએ એવો દાવો કર્યો છે કે કોવિડ-19 વાઈરસ 2019ના ઉનાળાની મોસમમાં ભારતમાંથી શરૂ થયો હોવાની ઘણી ખરી સંભાવના છે. WHOના નિષ્ણાતો હાલ એ તપાસ કરી રહ્યા છે કોવિડ-19નો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં દેખાયો હતો અથવા ત્યાંથી જ એ શરૂ થયો હતો. પરંતુ ચીને ભારત તરફ આંગળી ચીંધી છે.