Home Blog Page 4562

 PM મોદીએ સિરમની ‘કોવિશિલ્ડ’ વેક્સિનની જાણકારી લીધી

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે વડા પ્રધાન મોદી વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા પુણે પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વેક્સિનના ઉત્પાદનની માહિતી મેળવી હતી. સિરમ ઇન્સ્ટિટયૂટ કોરોના વેક્સિન બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનકાની સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. વડા પ્રધાન પુણેની મુલાકાત પછી દિલ્હી જવા રવાના થશે.

વડા પ્રધાન મોદી પુણ પહોંચ્યા પછી હવે હેલિકોપ્ટરમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા. વડા પ્રધાનને સિરમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો વેક્સિન વિશે માહિતી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના કરોડો ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે.  

આ પહેલા વડા પ્રધાને ભારત બાયોટેકની કોવાક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.  વડા પ્રધાન હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે હૈદરાબાદમાં ભારત બાયોટેકની સુવિધામાં તેમની સ્વદેશી કોવિડ-19 વેક્સિન વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધીનાં પરીક્ષણોમાં વૈજ્ઞાનિકોને તેમની પ્રગતિ માટે અભિનંદન. તેમની ટીમ ICMRની સાથે મળીને કામ કરી રહી છે.

 

 

 

Editors’ Hour Episode 5

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન

અમદાવાદઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુખદ નિધન થયું છે. કચ્છની ધરતી પર નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રતા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતાં-લડતાં તે જંગ હારી ગઈ છે. જોકે આ અહેવાલને પગલે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું પ્રસરી ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી ‘હેલ્લારો’ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે છેવટે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.

હજી હાલમાં જ ગુજરાતી ફિલ્મ જગતાના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઓફ લતાનું બિરુદ પામેલા મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું ઉંમરના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમામાં એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે.

 

 

 

 

PM મોદીએ હૈદરાબાદમાં ‘કોવાક્સિન’ની માહિતી મેળવી

હૈદરાબાદઃ કોરોના રોગચાળાના સંકટ વચ્ચે વડા પ્રધાન મોદી દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. જેના ભાગરૂપે વડા પ્રધાન મોદી હૈદરાબાદ પહોંચ્યા હતા. તેઓ અહીં ભારત બાયોટેકના કોરોના સેન્ટરમાં પહોંચ્યા હતા. તેમણે અહીં કંપનીની વેક્સિન ‘કોવાક્સિન’ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વૈજ્ઞાનિકો સાથે વેક્સિન બાબતે વિચારવિમર્શ કર્યો હતો.

ભારત બાયોટેક કોરોના સેન્ટરમાં કંપની અને ICMR દ્વારા તૈયાર સ્વદેશી કોરોના વેક્સિન ‘કોવાક્સિન’ની ટ્રાયલ હાલ ત્રીજા અને અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

વડા પ્રધાન હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે હૈદરાબાદમાં ભારત બાયોટેકની સુવિધામાં તેમની સ્વદેશી કોવિડ-19 વેક્સિન વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધીનાં પરીક્ષણોમાં વૈજ્ઞાનિકોને તેમની પ્રગતિ માટે અભિનંદન. તેમની ટીમ ICMRની સાથે મળીને કામ કરી રહી છે.

 

ભારત બાયોટેક વેક્સિન સેન્ટરમાં એક કલાક મુલાકાત પછી મોદી પુણે રવાના થશે. વડા પ્રધાન મોદી પુણેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) જશે. SIIએ કોવિડ-19ની વેક્સિન માટે વૈશ્વિક દવા ઉત્પાદક કંપની એસ્ટ્રાઝેનકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે ભાગીદારી કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન SIIમાં આશરે 4.30 કલાકે પહોંચશે અને એકાદ કલાક રોકાશે.

 

 

 

મોદીએ અમદાવાદમાં ઝાયકોવ-ડી વેક્સિનની સમીક્ષા કરી

અમદાવાદઃ કોરોના કેન્દ્ર બની રહેલું અમદાવાદ હવે વેક્સિન કેન્દ્ર પણ બની રહ્યું છે, ત્યારે ઝાયડસ ફાર્માની કોવિડ-19ની વેક્સિન ઝાયકોવ-ડીની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વડા પ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદ વેક્સિનની સમીક્ષા માટે આવી પહોંચ્યા હતા. તેમણે ચાંગોદર સ્થિત ઝાયડસ કેમ્પસની મુલાકાત લીધી અને કંપનીના વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે વેક્સિનની સમીક્ષા કરી હતી. મોદીએ PPE કિટ પહેરીને કંપનીના પ્લાન્ટમાં વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક રોકાયા હતા.

ઝાયડસ કેડિલાની આ વેક્સિન આવતા માર્ચ સુધીમાં તૈયાર થઇ જવાની શક્યતા છે. કંપની 17 કરોડ વેક્સિન બનાવવાની તૈયારી કરી રહી છે.

ઝાયડસની ત્રીજી પેઢીને મળ્યા વડા પ્રધાન
ઝાયડસના પંકજભાઈના પુત્ર શર્વિલ અત્યારે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. શર્વિલભાઈને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઝાયડસના ચાંગોદર પ્લાન્ટમાં વડા પ્રધાનને પંકજભાઈ અને શર્વિલભાઈએ આવકાર્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી તેમના પરિવારને મળ્યા હતા. વડા પ્રધાને પરિવારનાં બંને બાળકો સાથે લગભગ 5-7 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને તેમની સાથે હસી-મજાકની વાતો કરી હતી.

 વડા પ્રધાન હૈદરાબાદ જવા રવાના

વડા પ્રધાન મોદી અમદાવાદથી હૈદરાબાદ પહોંચી ગયા છે.અહીં સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’ બનાવી રહેલી કંપની ભારત બાયોટેકના રિસર્ચ સેન્ટરમાં જશે. અને પછી 4.30 વાગ્યે પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જશે.

 

 

ઠંડા પવનો શરૂ થતાં જ ગરમ કપડાં બજારમાં દેખાવા માંડ્યાં

અમદાવાદઃ નવેમ્બરનો અંત અને કારતકની શરૂઆત થતાં જ વહેલી સવારે અને સંધ્યા ટાણે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. ઠંડા પવનો પણ ફૂંકાવા માંડ્યા છે. એક તરફ શિયાળાની ઋતુના આગમન થઈ ગયું છે,  બીજી તરફ શહેરના માર્ગો પર ગરમ કપડાંનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે.

દરેક ઋતુની શરૂઆત થાય એની સાથે જ વાતાવરણને અનુકૂળ કપડાં બજારોમાં દેખાવા માંડે. એમાંય ઠૂંઠવાતી ઠંડી પડે એ પહેલાં ગરમ કપડાંનું બજાર દરેક શહેરમાં લાગી જાય છે. આ વર્ષે પણ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે આ વર્ષે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં લાગતું તિબેટિયન સ્વેટર બજાર લાગ્યું નથી. જોકે દિલ્હીમાં તૈયાર થયેલા જેકેટનું વેચાણ કરવા યુપી, દિલ્હીના યુવાનો શહેરના ફૂટપાથો પર આવી ગયા છે. દરેક વિસ્તારોની લારીઓમાં જુદા-જુદા મટીરિયલમાં તૈયાર થયેલાં સ્વેટર, જેકેટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બ્રાન્ડેડ શો રૂમ અને મોલ કરતાં ગરમ કપડાંનું વેચાણ માર્ગો પરની ફૂટપાથો, લારીઓ અને ચોક્કસ સ્થળો પર ભરાતાં ગરમ કપડાંનાં બજારોમાં વધારે થાય છે.

દર વર્ષે  ગરમ ટોપીઓ, હાથ મોજાં અને ગરમ કપડાંની જે વરાઇટી જોવા મળતી હતી, પણ ગરમ કપડાંનું બજાર આ વર્ષે ઠંડું છે. બજારમાં લારીઓ, પાથરણાં અને શોરૂમમાં ગરમ કપડાંનું વેચાણ શરૂ થઈ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

એમેઝોન પર સાત દિવસના પ્રતિબંધની માંગ

નવી દિલ્હીઃ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી પ્રોડક્ટ પર ફરજિયાત રીતે ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની માહિતી નહીં પૂરી પાડવા બદલ એમેઝોન ઇન્ડિયા પર માત્ર રૂ. 25,000ના મામૂલી દંડથી પરેશાન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ એમેઝોન અને અન્ય મોટી ઈ-કોમર્સ કંપનીઓ પર નિયમો અને નીતિઓના ઉલ્લંઘન માટે સાત દિવસના પ્રતિબંધની માગ કરી છે. CAITએ કહ્યું છે કે દંડ લગાવવાનો અર્થ એ છે કે અપરાધીઓને એ અપરાધનો અહેસાસ થાય. આ કંપનીઓ પર આટલા દંડનો કોઈ અર્થ નથી. એને બદલે એમને દાખલારૂપ સજા કરવામાં આવવી જોઈએ.

(પ્રતીકાત્મક તસવીર)

ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઈ-કોમર્સ કંપનીઓ પર આટલો ઓછો દંડ ફટકારવો એ આપણી ન્યાય વ્યવસ્થા અને વહીવટી તંત્રની હાંસી ઉડાવવા સિવાય કંઈ નથી, એમ CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને સચિવ જનરલ પ્રવીણ ખંડેલવાલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું. આ કંપનીઓને દંડ આપણા અર્થતંત્રને અનુરૂપ હોવી જોઈએ અને એ વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને સ્પષ્ટ કડક સંદેશ આપતી સજા હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

કેન્દ્રએ 26 નવેમ્બરે એમેઝોન પર- એ ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું, જેમાં એ પ્રોડક્ટ પર કયા દેશની એનો ઉલ્લેખ નહોતો- જે ઉલ્લેખ કરવો ફરિજયાત છે, એના પર દંડ ફટકાર્યો હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંનેને ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલય દ્વારા ઓક્ટોબરમાં આ સંબંધમાં નોટિસ આપવામાં આવી હતી. આ દંડ નવેમ્બરના આદેશમાં લગાવવામાં આવ્યો હતો.

 

 

 

 

કોરોનાના 41322 નવા કેસો, 485નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 93 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,322 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 485 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 93,51,109 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,36,200  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 87,59,969 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 39,379 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 41,452 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,54,940એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

હવે દેશમાં જ સ્કાયવોકની મજા માણી શકાશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા વચ્ચે પર્યટકો માટે ખુશખબર છે. હવે તમે દેશમાં જ ગ્લાસ સ્કાય વોકનો આનંદ ઉઠાવી શકો છો. આ પહેલાં ગ્લાય સ્કાય વોક માટે ચીન જવું પડતું હતું, ચીનના હેબઈ પ્રાંતમાં એસ્ટ તૈહાંગ ગ્લાસ સ્કાય વોક છે. જોકે જે લોકોને ઊંચાઈથી ડર લાગે છે, તેમને સ્કાય વોકની મંજૂરી નથી. આવો જાણીએ સ્કાય વોક ક્યાં આગળ છે.

ક્યાં છે સ્કાય વોક

જો તમે એડવેન્ચરની મજા લેવા ઇચ્છો છો તો તમારે સિક્કિમ જવું પડશે. આ પર્યટન સ્થળ સિક્કિમ રાજ્ય પેલિંગમાં સ્થિત છે. પેલિંગ સ્થિત ગ્લાસ સ્કાય વોક ચેનરેજિગ મૂર્તિની સામે છે. આ મૂર્તિ 137 ફૂટ ઊંચી છે. આ મૂર્તિનું અનાવરણ 2018માં કરવામાં આવ્યું હતું. સિક્કિમનું આ ગ્લાસ સ્કાય વોક દેશનું પહેલું સ્કાય વોક પર્યટન સ્થળ છે. આ સ્થળથી ચેનરેજિગ મૂર્તિ અને તિસ્તા અને રંગીત નદીઓનો નજારો માણી શકાય છે. 

ગ્લાસ સ્કાય વોક કરવાનો સમય સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી છે. પ્રવાસીઓ આ સમય દરમ્યાન સ્કાય વોક કરી શકે છે અને પ્રતિ વ્યક્તિ એનો ચાર્જ રૂ. 50 છે. આ સ્થળ પેલિંગથી માત્ર અઢી કિલોમીટર દૂર છે. જો કોઈ વ્યક્તિને વર્ટિગો એટલે કે ચક્કર આવવાની સમસ્યા હોય અથવા ઊંચાઈથી ડર લાગતો તો તેને જવાની મંજૂરી નથી. ગ્લાસ સ્કકાય વોકની બંને બાજુ રેલિંગ છે. પ્રવાસીઓ આ રેલિંગના સહારે સામે છેડે જઈ શકે છે. જોકે કોરોના કાળમાં ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! ૨૮ નવેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૦ નવેમ્બર, ૨૦૨૦