રાજકોટઃ અત્રેની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાનો એક વધુ બનાવ બન્યો છે. શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગઈ મોડી રાતે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાનો અહેવાલ છે. આ કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી 11 દર્દીને ICUમાં રાખવામાં આવ્યા હતા. એમાંના છ દર્દીને બચાવી લેવામાં આવ્યા છે.
રાજકોટમાં ઉદય હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય હોસ્પિટલને કોરાનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને સહાય જાહેર કરી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉદય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારી પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને રૂ. ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને જવાબદારી સોંપી છે. આ આગની દુર્ઘટનામાં સંજયભાઈ રાઠોડ, કેશુભાઇ અકબરી, રામસિંહભાઇ, નીતિનભાઇ બાદાણી અને રસિકલાલ અગ્રવાત દર્દીનાં મોત થયાં છે.
આ મામલે મ્યુનિસિપિલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું છે કે સમગ્ર ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હોસ્પિટલના 22 દર્દીઓ ICUમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલી ગોકૂલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી-2020માં જૉ બાઈડનને વિજેતા તરીકે જો સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવશે તો પોતે વ્હાઈટ હાઉસમાંથી રવાના થઈ જશે. ટ્રમ્પે જોકે પુનરોચ્ચાર કર્યો હતો કે પોતે પરાજયનો ક્યારેય સ્વીકાર નહીં કરે.
ઉલ્લેખનીય છે કે ગઈ 3 નવેમ્બરે યોજાઈ ગયેલી ચૂંટણીના પરિણામોમાં બાઈડનને વિજેતા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ટ્રમ્પે એ પરિણામનો અસ્વીકાર કરીને અભૂતપૂર્વ વિરોધ કર્યો છે. એમણે એવો આક્ષેપ કર્યો છે કે મતગણતરીમાં ગોલમાલ કરવામાં આવી છે. આ માટે તેમણે પાયાવિહોણા કાનૂની પડકારો ફેંક્યા છે, પરંતુ દેશભરની અદાલતોએ એમના દાવાઓને ફગાવી દીધા છે. ડેમોક્રેટિક પાર્ટીના બાઈડને 306 ઈલેક્ટોરલ કોલેજ વોટ મેળવીને ચૂંટણી જીતી લીધી છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પને 232 વોટ મળ્યા છે. પ્રમુખપદ મેળવવા માટે ઓછામાં ઓછા 270 વોટ મેળવવા પડે. ટ્રમ્પ કરતાં બાઈડન 60 લાખ મતોથી આગળ છે.
પત્રકારોના સવાલોના જવાબો આપવા ગઈ કાલે પહેલી જ વાર હાજર થયેલા ટ્રમ્પે જો કે એવું બોલીને ચૂંટણીમાં પોતાની હારના સ્વીકારની વધારે નજીક સરક્યા હતા કે, બાઈડન 20 જાન્યુઆરીએ નવા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે તો હું એક જ મુદતનો પ્રમુખ બન્યો કહેવાઈશ. ચૂંટણીમાં મોટા પાયે છેતરપીંડી કરવામાં આવી છે, આવો દાવો કરવા છતાં ટ્રમ્પે કોઈ પુરાવો આપ્યો નહોતો.
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.
આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.
કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની શરૂઆત કરી છે. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે.
વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…
સવાલઃમયંકભાઈ, તમારા લેખ વાંચવાની ખૂબ મજા આવે છે. એમાંથી વાંચીને અમને ઘણો ફાયદો પણ થયો છે. તો પણ કેટલાક સવાલો રહ્યા કરે છે. મારા દીકરાના લગ્ન થયાને સાત વરસ થયા. વહુ નોકરી કરે છે એટલે એ એવું માને છે કે માતૃત્વ એ જવાબદારી છે એટલે એને બાળક નથી જોઈતા. અમારા ઘરમાં પશ્ચિમ અને ઉત્તરમાં દાદરો છે અને એ લોકો બ્રહ્મમાં સુવે છે. દીકરો થોડો આળસુ છે તેથી વહુ પર ભારણ પણ વધારે રહે છે. હું બધું સમજુ છું, પણ ઘરમાં બાળકો હોય તો ઘર ભર્યું ભર્યું લાગે. મારા પતિ વરસો પહેલા ગુજરી ગયા. આ ઘર મારા નામે છે. એનું દ્વાર અગ્નિમાં છે. બીજું બધું સારું છે પણ આ એક સમસ્યા છે. કોઈ નિવારણ હોય તો જણાવશો.
જવાબઃ બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ સરાહનીય છે. મને આનંદ છે કે આપ સુખી છો. આપના ઘરનું દ્વાર નારી પ્રધાન છે તેથી જ આપ અને આપના પુત્રવધુ ઘરની જવાબદારી નિભાવો છો. ઉત્તરનો દોષ હોય ત્યારે પુરુષનો આત્મવિશ્વાસ ઘટે અને નારીને અસંતોષ રહે. વળી, આપના દીકરો-વહુ બ્રહ્મમાં રહે છે. એના લીધે નીરસતા આવે. એમના શારીરિક સંબંધો પણ બરાબર ન હોય. બંનેને તમારા ઘરના નૈરુત્યના રૂમમાં સુવરાવો. ઘરમાં શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવો. એ બંનેને વડનું દાતણ કરવા કહો. બંનેની કેમેસ્ટ્રી સુધારશે અને ઈચ્છાઓ પણ વધશે. માતૃત્વ ધારણ કરવાનો નિર્ણય માત્ર અને માત્ર જે તે માતાનો હોવો જોઈએ. એનો આત્મવિશ્વાસ વધશે પછી એ માતૃત્વ માટે તૈયાર થશે. દર ગુરુવારે દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધી અને ઉંબરો પૂજો. આપને ચોક્કસ સકારાત્મક અનુભવ થશે. આપને થયેલ ફાયદો જણાવતા રહેવા વિનંતી.
સવાલઃમારી ઉંમર ૪૦ વરસની છે. કોઈને કોઈ કારણથી મારા લગ્ન નથી થતા. તમે મારા વડીલ છો એવું માનીને બે સવાલ પૂછવા છેઃ ૧) લગ્ન કેવી વ્યક્તિ સાથે કરવા જોઈએ? ૨) વાયવ્યમાં સૂવાથી લગ્ન થઇ જાય એ વાત સાચી છે?
જવાબઃ ભાઈશ્રી, આપના બંને સવાલોના જવાબ સરળ છે. લગ્ન એવી વ્યક્તિ સાથે કરવા જોઈએ જે આપની સાથે સંતુલિત જીવન વિતાવી શકે. આ માટેના પરિબળો ઘણા બધા હોય છે પણ મનમેળ ખૂબ જરૂરી છે. લગ્ન એ શરૂઆત છે. તેથી ઉતાવળે નિર્ણય ન જ લેવાય. એક ખોટો નિર્ણય જીવનની દિશા બદલી શકે છે. અને એક સાચો નિર્ણય પણ. હવે બીજા સવાલનો જવાબ. વાયવ્યમાં જો કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે ઝડપથી બહાર નીકળી જાય છે. આવી જ કોઈ માન્યતા સાથે આ માન્યતા જોડાઈ હોય એવું બની શકે. જલ્દી લગ્ન કરવા કે પછી સાચી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા એ નક્કી કરવું પડે. આપને તો પોતાના ઘરમાં રહેવાનું છે.
આજનું સૂચન: જો પૂર્વમાં દાદરો આવતો હોય તો માનસન્માન ને હાની પહોંચી શકે છે. સવારમાં વહેલા ઉઠીને સૂર્યને અર્ઘ આપવાથી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ છેઃ vastunirmaan@gmail.comઃ)
ડિસ્કો સંગીતકાર બપ્પી લાહિરીનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ કોલકાતામાં થયો હતો. હિન્દી ફિલ્મોમાં સિન્થેસાઈઝડ ડિસ્કો સંગીતનો ઉપયોગ કરનાર સંગીતકાર તરીકે એમને હમેશા યાદ કરાશે.
એંશી અને નેવુંના દાયકામાં બપ્પીદાએ રીતસર ધૂમ મચાવેલી. ‘વારદાત’, ‘ડિસ્કો ડાન્સર’, ‘નમક હલાલ’, ‘ડાન્સ ડાન્સ’, ‘કમાન્ડો’, ‘ગેંગ લીડર’, ‘સૈલાબ’ અને ‘શરાબી’ જેવી ફિલ્મોથી એ છવાઇ ગયા હતા. ૧૯૮૬ના એક જ વર્ષમાં ૩૩ ફિલ્મો માટે ૧૮૦ ગીતોનું રેકોર્ડીંગ કરીને એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જાણીતા શાસ્ત્રીય સંગીતના બંગાળી ગાયક અને સંગીતકાર માતા-પિતા બંસરી અને અપરેશ લાહિરીના એકના એક સંતાન છે બપ્પી લાહિરી. માત્ર ત્રણ વર્ષની ઉંમરે બપ્પી તબલા વગાડતા. કિશોરકુમાર એમના મામા થાય. બપ્પીની પ્રાથમિક તાલીમ માતા-પિતાના ખોળામાં જ થઇ હતી.
૧૯ વર્ષની ઉંમરે એ હિન્દી ફિલ્મો માટે મુંબઈ આવ્યા અને ‘ઝખ્મી’ (૧૯૭૫)નું સંગીત આપવાની તક મળી. આ તકની સાથે જ એમની કરિયરમાં વળાંક આવ્યો અને એ જ ફિલ્મમાં એ ગાયક તરીકે પણ ઊભરી આવ્યા.
બપ્પીને પહેલી લોકપ્રિયતા ‘ચલતે ચલતે’ (૧૯૭૬)માં મળી. ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા અને સંગીતકાર તરીકે ઓળખ બની. એંશીના દાયકાની શરૂઆતમાં બપ્પીએ એમના સંગીતમાં ‘ડિસ્કો સંગીત’નો રંગ ઉમેર્યો. એ ફિલ્મો હતી, ‘વારદાત’, ‘સુહાસ’, ‘લાપરવાહ’, અને ‘પ્યારા દુશ્મન’. એમના ‘હરિ ઓમ હરિ – અરમાન’ કે ‘રંભા હો, સંભા હો’ ખૂબ લોકપ્રિય થયા હતા.
મિથુન ચક્રવર્તી અને બપ્પી લાહિરીનું સંયોજન હિન્દી ફિલ્મમાં ડિસ્કો સંગીતનો યુગ લાવ્યું. બિજિંગમાં ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મ માટે ચાઈનામાં એવોર્ડ મેળવનારા બપ્પી લાહિરી પહેલા ભારતીય સંગીતકાર હતા. ચીન અને રશિયામાં ’જીમી જીમી’ ગીત પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું.
બપ્પી દાએ ‘કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ –ઐતબાર’ જેવી કેટલીક સુમધુર ગઝલ આપવાની સાથે ‘નમક હલાલ’ના ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી’ જેવાં ગીતોમાં કમાલનું ફ્યુઝન મ્યુઝિક પણ વાપર્યું હતું. કહે છે કે બપ્પી લાહિરીએ હિન્દી ઉપરાંત બંગાળી અને દેશની લગભગ તમામ ભાષાની ૫૦૦ ફિલ્મોમાં ૫૦૦૦થી વધુ ગીતોનું સર્જન કર્યું છે. હિન્દી ફિલ્મોની જેમ પોપ મ્યુઝિકના પણ ઢગલાબંધ આલ્બમ એમણે આપ્યા છે.
ઑક્ટોબર મહિનામાં આઈપીએલ દરમિયાન નવીસવી ફિનેન્શિયલ કંપની ‘ક્રેડ’ની ટીવીઍડ પ્રસારિત થઈ ને ઈસ્ટંટ ચર્ચાના ચકડોળે ચડી. અનિલ કપૂર-માધુરી દીક્ષિત-બપ્પી લાહિરી, વગેરેને ચમકાવતી ટીવીઍડમાં આ સેલિબ્રિટી ઑડિશન આપતી નજરે ચડે છે. ત્રણેય પોતાની સામે બેઠેલી જ્યુરી પર પ્રભાવ પાડવા 1990ના દાયકાનાં ગીત-સંગીત, નાચગાન રજૂ કરે છે. એમના વિચિત્ર પરફોરમન્સથી ડઘાઈ ગયેલી જ્યુરી આગામી જાહેરખબરમાં સેલિબ્રિટીને લેવાના ધખારા છોડી ‘ડાઉનલોડ ક્રેડ’ એવા અવાજવાળી (વૉઈસઓવરવાળી) સિમ્પલ ઍડ બનાવવાનું નક્કી કરે છે. પછી તો એમાં બીજા કલાકાર પણ જોડાયા…
-કિંતુ અહીં એ જાહેરખબરની કથા માંડવાનો ઈરાદો નથી. વાત કરવી છે આ ઍડ-સિરીઝમાં જેમની ઍડ સૌથી મજેદાર બની છે એ બપ્પી લાહિરીની.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 27 નવેમ્બર, 1952ના રોજ ક્લાસિકલ સિંગર બંસરી અને મ્યુઝિશિયન અપરેશ લાહિરીને ઘેર જન્મલા બાળકનું નામ માવતરે તો આલોકેશ પાડ્યું, પણ એ દેશ-દુનિયામાં પંકાયો હુલામણા નામ બપ્પીથી. ત્રણ વર્ષની વયે તબલાં પર સંગીતકાર પિતાની સંગત કરનાર, 11 વર્ષની વયે બંગાળી ફિલ્મ ‘દાદૂ’ માટે સંગીત સર્જનાર બપ્પીદા માટે જિનિયસ શબ્દ ટૂંકો પડે એવું એમનું સિનેમાસંગીતમાં પ્રદાન છેઃ પાંચ દાયકાની કારકિર્દી, સાડાછસ્સો જેટલી ફિલ્મો, નવ હજારથી વધુ સ્વરાંકન, દોઢસોથી વધુ માનઅકરામ.
-અને આજના મંગળ દિવસ, 27 નવેમ્બર, 2020ના રોજ બપ્પીદા આયુષ્યના 67 વર્ષ પૂરાં કરે છે ત્યારે સમાચાર આવે છે કે પ્રકાશ મેહરાની કેટલીક સુપરડુપર હીટ ફિલ્મોમાંની એક એવી ‘નમક હલાલ’ને ફરી સર્જવાના હક્ક પ્રોડ્યુસર મુરાદ ખેતાણીએ લીધા છે. અમિતાભ બચ્ચન-શશી કપૂર-સ્મિતા પાટીલ-પરવીન બાબીને ચમકાવતી આ ફિલ્મની સુપર સક્સેસમાં બપ્પી લાહિરીનાં સ્વરાંકનનો બહુ મોટો હાથ છે. શું ઓરિજિનલ સોંગ્સ નવી ફિલ્મમાં લેવામાં આવશે? કે પછી બપ્પીદા એ જ ગીતોને નવેસરથી બનાવશે? અથવા સાવ નવાં ગીત બનાવશે? બોલિવૂડમાં આજકાલ આવી અટકળો વહેતી થયા કરે છે. જો કે બપ્પીદાએ કહી દીધુઃ “મારો કોઈએ કોન્ટેક્ટ કર્યો નથી. એ લોકોના શું પ્લાન છે મને ખબર નથી”.
ઓક્કે. જે ખબર છે તે એ કે ‘નમક હલાલ’નાં ગીતો આજે પણ સંગીતપ્રેમીનાં હૈયે ને હોઠે છે. પછી એ 12 મિનિટનું ‘પગ ઘૂંઘરુ’ હોય કે ‘રાત બાકી’ હોય… ‘જવાન જાનેમન’ હોય કે પછી ‘આજ રપટ જાયે’ હોય. એમ તો એ પછી આવેલી પ્રકાશ મેહરાની ‘શરાબી’નાં ગીતો પણ કેમ ભુલાય? ‘જહાં ચાર યાર મિલ જાયે’… વાહઃ કિશોરકુમારના સ્વરમાં મુખડું ને રૅપ સોંગ જેવો અમિતાભ બચ્ચનનો મસ્તીભર્યો અંદાજઃ ‘વન ઓ’ક્લોક, ઈન માય હાઉસ, ઘેર વૉઝ અ કૅટ, ધેર વૉઝ અ માઉસ, ખેલ રહે થે ડંડા ગિલ્લી, ચૂહા આગે પિછે બિલ્લી’…
જુહુ પર આવેલા ‘લાહિરી હાઉસ’માં બેસીને બપ્પીદા સાથે જૂની વાતો વાગોળવી એ એક લહાવો છે. વાતચીતમાં એ ગીત પણ સંભળાવે. અવારનવાર જેના શબ્દ-ઉચ્ચાર બાંગલાની છાંટવાળાં થઈ જાય. આવી એક ટોક-વિધિન-ટોકમાં એમણે કહેલું કે “હું જાણીતો થયો ડિસ્કો-કિંગ તરીકે, પણ મેં કંઈકેટલાં હળવાં સ્વરાંકન પણ બનાવ્યાં છે”.
યસ, અફ કોર્સ, બપ્પીદા. અને અફકોર્સ, સૌથી વધુ રિમિક્સ પણ બપ્પીદાનાં સોંગ થયાં છે, જે સૂચવે છે કે એમના 1980-1990ના દાયકાનાં ગીત આજે પણ રેલેવન્ટ છે. હજી આ જ વર્ષે આવેલી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં એમનું ‘યાર બિના ચૈન કહાં રે’ (‘સાહેબ’) જોવા મળ્યું તો ‘બાઘી-3’માં ‘એક આંખ મારું તો’ (તોહફા) લેવામાં આવ્યું.
2014માં પશ્ચિમ બંગાળના શ્રીરામપુર મતવિસ્તારમાંથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને પોલિટિક્સમાં નિષ્ફળ ટ્રાય મારનારા બપ્પીદાનું કહેવું છે કે એ એલ્વિસ પ્રિસ્લીથી પ્રભાવિત છે ને એટલે એની જેમ પોતાનો એક અલગ અંદાજ, અલગ લૂક રાખ્યો છેઃ આંખો પર બ્રાન્ડેડ સનગ્લાસીસ, જમણા કાંડા પર સોનાનાં કડાં, ડાબા કાંડા પર મસમોટા ડાયલવાળી ગોલ્ડપ્લેટેડ વૉચ, ગળામાં વિવિધ દેવતાનાં લૉકેટવાળાં સોનાના ચેન માતા, પત્નીએ ભેટ આપેલાં છે ને એમના કહેવા મુજબ, “એ મારી રક્ષા કરે છે… લોકો ભલે મારી મજાક ઉડાડે. મને પરવા નથી, હું નિજાનંદમાં મારું કામ કર્યે જાઉં છું.”
સૌ પ્રથમ આરામથી બેસી પોતાના વિચારોને જોવાનો પ્રયત્ન કરો કે, હું એક શક્તિ છું… જે હું શક્તિ આખો દિવસ ઘરનું, ઓફિસનું તથા અન્ય લોકો માટે ધ્યાન રાખું છું. હું તે જ શક્તિ છું…કે જે આટલા બધા કાર્યો કરવા માટે સક્ષમ છું. મારી અંદર અનેક ખૂબીઓ છે.. પોતાની જાતને યાદ અપાવો કે, હું એક શક્તિશાળી આત્મા છું, પરિસ્થિતિઓને નિયંત્રણ કરનાર હું એક શક્તિ છું. હું મારા મનની કે મનનો માલિક છું…મારી આસપાસ…ભલે કોઈ પણ ઘટના ઘટે…કોઈ પણ વ્યક્તિ મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ… મારે તે વિશે કશું વિચારવાનું નથી. મારા વિચાર…એ મારી જ રચના છે. આજે મારે આખો દિવસ કેવા સારા સારા વિચારો કરવા તે હું પોતે નક્કી કરું છું. હું એક શક્તિશાળી આત્મા છું.. મારા મનના સંકલ્પો હું જાતે જ ઉત્પન્ન કરું છું… આજે આવનારી કોઈપણ પરિસ્થિતિનું હું સન્માન કરીશ…હવેથી હું શક્તિશાળી સકારાત્મક સંકલ્પોની જ રચના કરીશ…મારા દરેક સંકલ્પ…શક્તિશાળી…શુદ્ધ…અને સકારાત્મક હશે…ઓમ શાંતિ.
આપણા સંકલ્પ જ આપણું ભાગ્ય નક્કી કરે છે. જ્યાં જાગૃતિની વાત થાય છે ત્યાં દર વખતે આપણે એમ કહીએ છીએ કે, ખુશી તો કુદરતી છે. આપણે વાત કરી રહ્યા છીએ કે, મારી ખુશીનું જે આંતરીક લેવલ છે, તે મારા જીવનમાં દિવસ દરમિયાન કયા પ્રકારનું છે?એક બાબત સ્પષ્ટ છે કે “મારી ખુશી” જે અત્યાર સુધી મારા વિચાર પ્રમાણે, પરિસ્થિતિ ઉપર,લોકો ઉપર કે ચીજ-વસ્તુઓ પર આધારિત હતી. તો પરિસ્થિતિ,ચીજો કે લોકો તો તેના તે જ છે અને હતા,પરંતુ ખુશી કે દુ:ખ એ મારી પોતાની રચના છે. એ વાત આપણને હવે સમજણ પડી.
જે સંકલ્પોની આપણે રચના કરીએ છીએ તેનાથી આપણા ભાગ્યનું નિર્માણ થાય છે. અર્થાત મેં જે સંકલ્પની રચના કરી તે સ્વતઃ મને મારા ભાગ્ય સુધી લઇ જાય છે. આપણે વારંવાર સમજાવીએ છીએ કે, અનુભવ એ સૌથી મોટું ઉદાહરણ છે. આપણે એ રહસ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે, સંકલ્પોથી લઈને ભાગ્ય સુધીનું જે ચક્ર છે તે આપણા જીવનમાં કેવી રીતે કામ કરે છે.
ભાગ્ય એક શક્તિ છે,આપણી પાસે જે કંઈ આવે છે કે જે કંઈ પણ બને છે તે આપણું ભાગ્ય છે. પછી તે કોઈ પરિસ્થિતિ હોય, કોઈનું વર્તન, વાણી કે વ્યવહાર હોય. જે પ્રકારની શક્તિ મારી પાસે આવશે તે પ્રકારની શક્તિનું નિર્માણ મારી અંદર થશે. આપણે પોતાને ચેક કરીએ કે હું કેવી રીતે કાર્ય કરું છું?આપણી વિચારવાની રીતના આધારે જ આપણને ભાગ્ય મળે છે. વાસ્તવમાં જે પ્રકારની પરિસ્થિતિ દિવસ દરમિયાનમાં મારી સામે આવશે તે પ્રમાણે મારા વિચારો ચાલશે. જે ઉર્જા મારામાં મનમાંથી બહાર આવશે તેવી જ ઊર્જા મારી અંદર ઉત્પન્ન થશે.
આ જીવનનું સમીકરણ છે જો બહારથી સારી ઊર્જા આવી રહી હોય,તો અંદર પણ સારી ઉર્જા ઉત્પન્ન થશે. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે, પરિસ્થિતિ આપણને સારો કે ખરાબ અનુભવ કરાવે છે. આપણે એમ સમજીએ છીએ કે બહારની ઉર્જા અને અંદરની ઉર્જા એ બંને આપણને ચિંતા કરાવે છે. પરંતુ આધ્યાત્મિકતા આપણને એમ શીખવે છે કે હું જે ઊર્જા ઉત્પન્ન કરું છું, તે ઉર્જા બહાર જાય છે, અને હું જે ઉર્જા બહાર મોકલું છું તે જ ઊર્જા વળી આપણી પાસે પાછી આવે છે. આને આપણે “કર્મનો સિદ્ધાંત” કહીએ છીએ. આ એક સાધારણ વિજ્ઞાન પણ છે કે, જે ઊર્જા આપ બહાર મોકલશો તે જ ઊર્જા આપની પાસે પાછી આવશે. આપણને આ બાબતની જાણકારી પહેલા ન હતી,આપણને સામાન્ય રીતે જાણકારી એ પ્રકારની હતી કે, બહાર શું થઈ રહ્યું છે, બીજા શું કરી રહ્યા છે?આ પરિસ્થિતિમાં આપણે આપણી અંદરથી બહાર જઇ રહેલી ઉર્જાને ઓળખી શકતા ન હતાં. ફક્ત બહારથી આપણી અંદર આવવાવાળી ઊર્જાનો જ અનુભવ કરતા હતા.
ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે, આ વ્યક્તિનું ભાગ્ય બહુ સરસ છે. તેને દરેક વસ્તુ ઘેરબેઠાં સહેલાઈથી મળી જાય છે. તો શું આનો અર્થ એ છે કે, તેણે પહેલા આ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરી હશે?આપણને એ પણ ખબર નથી કે, તેણે પહેલા કેવા પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરી હતી? આપણે આપણા ભાગ્યનો આધાર જે બહારથી આવી રહેલ ઉર્જા છે તેને બનાવીએ છીએ. અને આપણે એમ વિચારીએ છીએ કે, બહારથી જે ઉર્જા આવી રહેલ છે તેનું નિયંત્રણ મારા હાથમાં નથી. આપણે અહીં જાણ્યું કે જે બહારથી તમારી પાસે આવી રહેલ છે તે એ જ છે જે આપણે નિર્માણ કર્યું હતું.
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)