બંગાળની બુલબુલ રૂના લૈલા

બાંગ્લાદેશની ગાયિકા રૂના લૈલા ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, દક્ષિણ એશિયાના સૌથી જાણીતા ગાયકોમાંના એક છે. ૧૭ નવેમ્બર, ૧૯૫૨ના રોજ બાંગ્લાદેશના સિલ્હટમાં રૂનાનો જન્મ. આજે એમનો ૬૮ મો જન્મદિન. હિન્દી ફિલ્મોમાં અને ખાસ કરીને ભારતના અનેક શહેરોમાં એમણે કાર્યક્રમો આપ્યા છે.
એમના મોટાબેન દીના લૈલા ભારતીય શાસ્ત્રીય સંગીત શીખતા હતા એમાંથી રૂના પણ સંગીત તરફ વળ્યા. પિતા સૈયદ ઇમદાદ અલી સરકારી કર્મચારી હતા અને એમની નિમણુંક કરાંચીમાં હતી એટલે ત્યાંની સ્કૂલમાં એ ભણ્યા. લોકપ્રિય ગાયક અહમદ રશ્દીની સફળતાથી પ્રેરાઈને રૂનાએ એમને પોતાના ગુરુ માન્યા.
પાકિસ્તાની ફિલ્મ ‘જુગનુ’ (૧૯૬૫)માં રૂનાએ ૧૨ વર્ષની ઉંમરે પહેલીવાર બે ગીતો ગાયા. ૧૪ વર્ષની ઉંમરે પ્રેમગીત પાક ફિલ્મ ‘હમ દોનોં’ માટે ગાયું. હવે રૂના લૈલા પીટીવી પર ગાતા હતા. સિત્તેરના દાયકાની શરૂઆતમાં પાક ‘ઉમરાવ જાન અદા’ માટે એમણે ગાયેલાં ગીતો ખૂબ સફળ થયા.
૧૯૭૪માં રૂનાના આલ્બમનું કોલકાતામાં રેકોર્ડીંગ થયું. મુંબઈમાં એમની પહેલી કોન્સર્ટ થઇ. દિલ્હીમાં ભારતીય સંગીતકાર જયદેવનો પરિચય થયો, જેમણે રૂનાને દોર્યા અને ‘દૂરદર્શન’ના ઉદઘાટન સમારોહમાં રૂના લૈલાને ગાવાની તક મળી. કલ્યાણજી આનંદજીએ રૂના પાસે ‘એક સે બઢકર એક’ માટે ગવડાવ્યું ત્યારે લતા મંગેશકરે રૂનાને આશીર્વાદ આપ્યા હતા. એ પછી ‘મેરા બાબુ છૈલ છબીલા’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ ગાવા બદલ લોકપ્રિયતા મળી. ભારતના ટીવી શો ‘સૂર ક્ષેત્ર’ના જજ તરીકે પણ દેખાયા. એમના સહ-નિર્ણાયિકા આશા ભોસલેને રૂના લૈલાએ પોતાના બહેનરૂપે વર્ણવ્યા હતા. ૨૦૧૫માં ‘ગાયિકા કરિયર’ના પાંચ દાયકા પૂરા કરવાના ઉત્સવ રૂપે કોન્સર્ટમાં પણ ગાયું. રૂનાએ દેશ વિદેશની સત્તર જેટલી ભાષાઓમાં ગીતો ગાયાં છે.
રૂના લૈલા ત્રણવાર પરણ્યા છે. પહેલા ખ્વાજા જાવેદ કૈસર સાથે નિકાહ કર્યા અને પછી સ્વિસ નાગરિક રોં ડેનિયલ સાથે, જેમણે એવા આરોપસર રૂના સામે છૂટાછેડા નોંધાવ્યા હતા કે રૂનાનો આલમગીર સાથે સંબંધ છે. જો કે પછી રૂના એ જ આલમગીરને પરણ્યા. બહેન દીના ૧૯૭૬માં કેન્સરથી મૃત્યુ પામ્યા પછી રૂના લૈલાએ ઢાકામાં કેન્સર હોસ્પિટલ બાંધવા માટે દસ ચેરીટી શો કર્યા હતા. એચઆઈવી-એઇડ્સ અંગે સાર્ક દેશો માટે રૂના લૈલા ગુડવિલ એમ્બેસેડર બનાવાયા. આવું સમ્માન મેળવનાર એ પહેલાં બંગલાદેશી છે.
(નરેશ કાપડીઆ-સુરત)
રાશિ ભવિષ્ય 17/11/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
રાજા, વાજા ને વાંદરા
| રાજા, વાજા ને વાંદરા |
સત્તાના સિંહાસને બેઠેલો માણસ ક્યારે કેવો વરતાવ કરશે એ કળવું મુશ્કેલ છે. એની સાથે અમુક મર્યાદા રાખીને જ રહેવું હિતાવહ છે. આ જ રીતે વાજિંત્ર ક્યારે એના નાજૂક લયમાંથી છટકી જાય અને બેસૂંરૂં વાગે તે કહી શકાતું નથી.
વાંદરાઓ માટે તો કશું જ કહેવું મુશ્કેલ છે. વાંદરા જેવો સ્વભાવ એટલે સાવ બરછટ અને તોફાની સ્વભાવ. સંસ્કૃતમાં એક શ્લોક છેઃ
“મર્કટસ્યસુરાપાનં તત્ર વૃશ્ચિકદંશનમ્।
તન્મધ્યેભૂતસંચારોયદવાતદવાભવિષ્યતિ।”

એટલે જ કહેવાય છે, વાંદરાને દારૂ ન પવાય.
ભગવદ્ગોમંડલ મુજબ,
જેમ ચડાવો તેમ ચડે-રાજા, વાજા ને વાંદરાં જેમ ભમાવીએ તેમ ભમે.
રાજાની મહેરબાનીનો ભરોસો નહિ; આડું પડતાં વાર લાગે નહિ.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
પંચાંગ: 17/11/2020

(મયંક રાવલ)
કોરોના કેસ વધતાં નીતિન પટેલે તાકીદની બેઠક બોલાવી
અમદાવાદઃ શહેરમાં કોરોના વાઈરસના કેસ ધરખમપણે વધી જતાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદની બેઠક બોલાવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ખાતે કોરોના પરીક્ષણ માટે આવેલા અડધા ભાગનાં લોકોનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
નીતિન પટેલ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન પણ છે. એમણે આજે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા (રીવ્યૂ) બેઠક યોજી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા 1000 થી 1200 આસપાસ પહોંચી પહોંચી છે.
કેસો વધી જતાં અમદાવાદમાં શું ફરી પાછું લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી નાગરિકોને ચિંતા પેઠી છે. જોકે નીતિન પટેલે જણાવ્યું છે કે લોકડાઉન લાગુ નહીં કરાય, પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારવામાં આવશે. પટેલે સ્વીકાર્યું હતું કે દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા કોરોના સંક્રમણ વધ્યું છે.
સ્પીલબર્ગ-રિલાયન્સની હોરર-ફિલ્મ ‘કમ પ્લે’ 27-નવેમ્બરે ભારતમાં રિલીઝ
મુંબઈઃ જિલિયન જેકબ્લ, જોન ગેલેગર જુનિયર, બાળ કલાકાર એઝી રોબર્ટસન અને વિન્સ્લો ફેગલી અભિનીત હોલીવૂડની હોરર ફિલ્મ ‘કમ પ્લે’ 27 નવેમ્બરે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં એક દંપતી એનાં નાનકડા દીકરાને એક ભેદી, દુષ્ટ, માનવ જેવા પ્રાણીથી બચાવવા કેવો જંગ ખેલે છે એની વાર્તા છે.
એઝી રોબર્ટ્સનની આ પહેલી જ ફિલ્મ છે અને તે આમાં ઓલિવર નામના છોકરાનો રોલ કરી રહ્યો છે. એકાંતપ્રિત ઓલિવર એવું માનતો હોય છે કે તે બધાય કરતાં જુદો છે. મિત્રને ઝંખતો ઓલિવર એના મોબાઈલ ફોન અને ટેબલેટમાં રચ્યોપચ્યો રહેતો હોય છે. એ દરમિયાન એક ભેદી પ્રાણી માનવીઓની દુનિયામાં પ્રવેશવા માટે ઓલિવરના ડિવાઈસનો ઉપયોગ કરે છે. એ સાથે જ આ રાક્ષસી પ્રાણી પોતાના પુત્રનું અપહરણ કરી ન જાય એટલે એને બચાવવાનાં ઓલિવરના માતા-પિતા (જિલિયન અને ગેલેગર)નાં જંગનો આરંભ થાય છે.
જેકબ ચેઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સ્ટીવન સ્પીલબર્ગની કંપની એમ્બલીન પાર્ટનર્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટનું નિર્માણ છે.
આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી
ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં આવતા વર્ષે સુરક્ષિત અને સલામત ઓલિમ્પિક રમતોત્સવ યોજવા જાપાન એકદમ મક્કમ છે. કટોકટીની પરિસ્થિતિને કારણે આવી ગેમ્સ કેવી રીતે યોજી શકાય છે એનું નવું દ્રષ્ટાંત અમે ભાવિ પેઢીઓ માટે મૂકતા જઈશું.
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ મૂળ કાર્યક્રમ મુજબ આ વર્ષની 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારી દુનિયાભરમાં ફેલાતાં આ ગેમ્સને 2021ની સાલ સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું.
ઓલિમ્પિક વિલેજ અને ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે જઈ આ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જ થોમસ બેક જાપાન આવ્યા છે. તેઓ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા તથા અન્ય ટોચના જાપાનીઝ અધિકારીઓને પણ મળ્યા હતા. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેને પણ મળ્યા હતા અને એમને ‘ઓલિમ્પિક ઓર્ડર’ એવોર્ડ પ્રદાન કર્યો હતો.
મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી રહી
મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં શહેરમાં ફટાકડાના અવાજનું સ્તર 105.5 ડેસિબલ (ડીબી) નોંધાયું હતું. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાતે 10 વાગ્યા સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. શિવાજી પાર્ક મેદાન ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તે વખતે અવાજનું સ્તર માપવામાં આવ્યું હતું.
મુંબઈમાં છેલ્લા સતત ત્રણ વર્ષોમાં ફટાકડાને કારણે અવાજનું મહત્તમ સ્તર આ પ્રમાણે નોંધાયું હતુઃ 2019માં 112.3 ડીબી, 2018માં 114.1 ડીબી અને 2017માં 117.8 ડીબી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રહેવાસી-નાગરિકોએ પણ કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને આ વખતે બહુ ઓછા ફટાકડા ફોડીને સરકારને સહકાર આપ્યો છે.
ફટાકડા ફોડવા અને વેચવા પર મૂકાયેલા સંપૂર્ણ પ્રતિબંધને ગંભીરતાથી લેવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પાસ કરેલા ઓર્ડરના મુદ્દે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં આ ઓર્ડરનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.
ભક્તોને રાહત અને આનંદ; ભગવાનના દીવ્ય દર્શનનો લાભ ફરી મળતો થયો…





















