Home Blog Page 4588

કંગના રણોત આવી અર્ણબ ગોસ્વામીના બચાવમાં…

મનાલી (હિમાચલ પ્રદેશ): રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ મામલે બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે વિડિયો નિવેદન બહાર પાડ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક શિવસેના પાર્ટીની આકરાં શબ્દોમાં ટીકા કરી છે.

કંગનાએ એવો આરોપ મૂક્યો કે રિપબ્લિક મીડિયા નેટવર્કના સંસ્થાપક અર્ણબ ગોસ્વામીએ ડ્રગ માફિયાની પોલ ખોલી નાખી હોવાથી, ‘BullyDawood’માં બાળકોની ચોરીના વ્યાપારની પોલ ખોલી નાખી હોવાથી અને સોનિયા ગાંધી (કોંગ્રેસ પ્રમુખ)ને એમનાં મૂળ નામથી બોલાવવા બદલ એમની ધરપકડ કરાઈ છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

કંગનાએ કહ્યું કે મોટા ભાગના લોકોને તો એ વાતની ખબર પણ નથી કે આ વરિષ્ઠ પત્રકારને કયા કારણસર જેલમાં બંધ કરવામાં આવ્યા છે.

કંગનાએ લોકોને સમજાવતાં કહ્યું કે 2018માં એક શખ્સે આત્મહત્યા કરી હતી અને એણે પોતાની સુસાઈડ નોટમાં અમુક લોકોના નામ લક્યા હતા, જેમાંનું એક નામ અર્ણબ ગોસ્વામીનું પણ હતું. તે શખ્સે સુસાઈડ નોટમાં એવો દાવો કર્યો હતો કે ગોસ્વામીએ પોતાને પૈસા નથી આપ્યા. બીજી બાજુ, રિપબ્લિક ટીમનું કહેવું છે કે એમણે પૈસા ચૂકવી દીધા હતા. એ તો ભગવાન જ નિર્ણય લઈ શકે છે કે કોઈ પૈસા ન આપે તો કોઈ આત્મહત્યા કરી શકે કે નહીં.

કંગનાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં વધુમાં જણાવ્યું છે કે જો એવું હોય તો આ આત્મહત્યા માટે મજબૂર કરવાનો મામલો છે કે નહીં. આ મામલો એવો છે કે નહીં, એ બાબતમાં જ એટલું બધું ટ્રાયલ થઈ ગયું છે કે તે પણ વિચારવા જેવી વાત છે. બધાયને ખબર છે કે અર્ણબને શા માટે જેલમાં લઈ જવામાં આવ્યા છે. એમને ‘પપ્પૂ સેના’ દ્વારા યાતના આપવામાં આવી રહી છે, કારણ કે એમણે સોનિયા ગાંધીનું ‘મૂળ નામ’ લીધું હતું.

કંગનાએ મહારાષ્ટ્ર સરકારને ફાસિસ્ટ (ફાસીવાદી) કહી અને કહ્યું કે પપ્પૂ સેનાએ આ બેવકૂફી કરીને અર્ણબ ગોસ્વામીને આજ સુધીના સૌથી લોકપ્રિય પત્રકાર બનાવી દીધા છે. એમને ખબર નહીં હોય તો તે એમને જેટલી વધારે યાતના આપશે, હેરાન કરશે એટલી એમની લોકપ્રિયતા વધતી જશે. ઈતિહાસ પપ્પૂ સેનાને એ જ રીતે યાદ રાખશે કે એણે બંધારણના ચોથા સ્તંભ સાથે આવી જબરદસ્તી કરી હતી.

ઈતિહાસ અર્ણબ ગોસ્વામીને એક હિરોના રૂપમાં યાદ રાખશે. આ લડાઈ માત્ર એમની કે અર્ણબ વચ્ચેની નથી, પણ સમગ્ર સભ્યતા અને ભારતવર્ષની લડાઈ છે, એમ પણ કંગનાએ કહ્યું.

અર્ણબ ગોસ્વામીને હાલ રાયગડ જિલ્લાના અલિબાગમાં એક ક્વોરન્ટાઈન સેન્ટરમાં અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એમણે જામીન માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેનો ચુકાદો કોર્ટ આવતીકાલે આપવાની છે.

શ્રીરામે રાવણને હરાવ્યો તેમ આપણે કોરોનાને હરાવીશું: બોરીસ જોન્સન

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતીયોને દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે એક નોંધનીય સરખામણી કરી છે. એમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે જેમ ભગવાન શ્રીરામે રાવણને હરાવ્યો હતો તેમ આપણે આ દિવાળીમાં નોવેલ કોરોના વાઈરસ રોગચાળાને હરાવીશું.

અત્રે આયોજિત ‘આઈગ્લોબલ દિવાલી ફેસ્ટ 2020’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને અક્સબ્રિજ અને સાઉથ રાઈસ્લિપના સંસદસભ્ય જોન્સને કહ્યું હતું કે, ‘નિઃશંકપણે આપણી સમક્ષ મોટા પડકારો છે. મને બ્રિટનભરમાં લોકોના સંકલ્પ અને સમજદારીમાં પૂરો વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આ વાઈરસને પરાસ્ત કરીશું – જે રીતે દિવાળીનો તહેવાર આપણને શીખવે છે કે અંધકાર ઉપર પ્રકાશ, પાપ ઉપર પુણ્ય, અજ્ઞાનતા ઉપર જ્ઞાન વિજય હાંસલ કરે છે. જે રીતે ભગવાન રામ અને એમના પત્ની સીતા રાક્ષસ રાજા રાવણને હરાવ્યા બાદ એમના નિવાસે પાછાં ફર્યાં હતાં અને લાખો લોકોએ ઝગમગતા દીવડા પ્રગટાવ્યા હતા, એવી જ રીતે, આપણે પણ આ સંકટમાંથી પાર ઉતરીશું અને વિજયીને રહીશું.’

જોન્સન એ વાતે સહમત થયા હતા કે આ વર્ષે લોકડાઉન નિયંત્રણોને કારણે ઉત્સવોની ઉજવણી કરવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. ‘દિવાળીનો તહેવાર સુરક્ષિત બની રહે એ માટે બલિદાન આપવા બદલ અને પ્રયાસો કરવા બદલ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયના લોકોની વડા પ્રધાન જોન્સને સરાહના કરી છે. એમણે કહ્યું કે, હું જાણું છું કે દૂર રહીને દિવાળીનો તહેવાર ઉજવવાનું તમારા માટે આસાન નહીં હોય, કારણ કે આ તહેવાર એટલે પરિવારજનો સાથે ભેગા મળવાનો કે મિત્રોની મુલાકાતે જવાનો કે એમની સાથે દિવાળીના આનંદની વહેંચણી કરવાનો હોય છે અને હા – સમોસા અને ગુલાબજાંબુ ખાવાની મજાનો પણ ખરો જ,’ એમ તેમણે વધુમાં કહ્યું હતું.

પોતાના સંબોધનમાં જોન્સને વિનંતી કરી હતી કે બ્રિટનમાં બીજા કોરોના લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવામાં દરેક જણ મદદ કરે.

બ્રિટનમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા અઠવાડિયાના આરંભમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

જોન્સને અમેરિકામાં પ્રમુખપદ ચૂંટણીમાં વિજય હાંસલ કરનાર જૉ બાઈડન તથા ઉપપ્રમુખ બનનાર કમલા હેરિસને શુભેચ્છા આપી છે અને કહ્યું કે એમને આશા છે કે પર્યાવરણ પરિવર્તન સમસ્યાથી લઈને વ્યાપાર અને સુરક્ષાના ક્ષેત્રમાં બાઈડન અને હેરિસ સાથે પોતે મળીને કામ કરશે.

કમલા હેરિસ ભારતીય મૂળનાં છે અને અમેરિકામાં ઉપપ્રમુખ બનનાર પ્રથમ મહિલા, પ્રથમ ભારતીય મૂળનાં વ્યક્તિ અને પ્રથમ અશ્વેત નાગરિક છે.

ચૂંટણીમાં જીત બદલ બાઈડનને મોદીએ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ‘દર્શનીય વિજય’ હાંસલ કરવા બદલ જૉ બાઈડનને અભિનંદન આપ્યા છે અને અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનનાર ભારતીય મૂળનાં કમલા હેરિસની સફળતાને મોદીએ ‘પથ-પ્રદર્શક’ તરીકે ઓળખાવી છે.

વડા પ્રધાન મોદીએ બે ટ્વીટ કરીને બાઈડન અને કમલા હેરિસની સફળતાને બિરદાવી છે.

મોદીએ એક ટ્વીટમાં લખ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ફરી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.

વડા પ્રધાન મોદીએ એમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, જૉ બાઈડન આપના દર્શનીય વિજય બદલ આપને અભિનંદન. ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટે ઉપપ્રમુખ તરીકે પણ તમે જે યોગદાન આપ્યું હતું એ મહત્ત્વનું અને અમૂલ્ય હતું. ભારત અને અમેરિકાના સંબંધોને વધારે ઊંચાઈએ લઈ જવા માટે ફરી વાર સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું.

પેન્સિલ્વેનિયા રાજ્યના 20 ઈલેક્ટોરલ વોટ મળી જતાં બાઈડનનો રાજ્યવાર કુલ ઈલેક્ટોરલ કોલેજ વોટનો આંકડો 273 થયો છે. પ્રમુખ બનવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટ મેળવવા પડે. આમ, બાઈડને એનાથી વધારે હાંસલ કરી લીધા છે. વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફાળે 214 વોટ આવ્યા છે. આ પરાજયને કારણે ટ્રમ્પ સતત બીજી મુદત હાંસલ કરી શક્યા નથી.

78 વર્ષના બાઈડન 2021ની 20 જાન્યુઆરીએ સત્તા સંભાળશે. અમેરિકામાં આટલી મોટી ઉંમરે પ્રમુખ બનનાર બાઈડન પહેલા હશે. આ પહેલાં, એમના પુરોગામી અને વર્તમાન પ્રમુખ ટ્રમ્પ 2017માં પ્રમુખ બન્યા હતા ત્યારે 70 વર્ષના હતા.

બાઈડન અમેરિકાના 46મા પ્રમુખ બનશે.

વડા પ્રધાન મોદીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરિસને પણ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. એમણે લખ્યું છે, કમલા હેરિસ, હૃદયપૂર્વકના અભિનંદન. તમારી સફળતા પથ-પ્રદર્શક છે. આ જીત તમામ ભારતીય-અમેરિકનો માટે મોટા ગર્વની વાત છે. મને વિશ્વાસ છે કે તમારા સમર્થનમાં અને નેતૃત્ત્વથી ભારત-અમેરિકા સંબંધ વધારે મજબૂત અને જીવંત બની જશે.

કમલા હેરિસ અમેરિકાનાં પહેલા ભારતીય મૂળનાં, પહેલા મહિલા અને પહેલા અશ્વેત ઉપપ્રમુખ બનશે.

વાહ ભાઈ વાહ! ૮ નવેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૮ નવેમ્બર, ૨૦૨૦

૮ નવેમ્બર ૨૦૨૦

૮ નવેમ્બર ૨૦૨૦

ગાતે હૈ શાન સે..: ઉષા ઉથુપ

ભારતના જાણીતા પોપ, ફિલ્મી, જાઝ અને પાશ્વગાયિકા ઉષા ઉથુપનો 8 નવેમ્બર, 1947 ના રોજ મુંબઈમાં જન્મ થયો. સાંઇઠથી એંશીના દાયકાના એ જાણીતા ગાયિકા. ૨૦૧૨માં ‘સાત ખૂન માફ’ ફિલ્મ માટે રેખા ભારદ્વાજ સાથે ગાયેલા ‘ડાર્લિંગ’ ગીતને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ એમને મળ્યો હતો.

પિતાજી વિદ્યાનાથ સોમેશ્વર સાની મદ્રાસથી આવીને મુંબઈમાં સ્થાયી થયા. ભાયખલ્લાની સેન્ટ એજ્નેસ હાઈસ્કૂલમાં ઉષાજી ભણ્યા. ઉછેર સંગીતસભર વાતાવરણમાં થયો એટલે બધા પ્રકારના ફ્યુઝનને કારણે ઉષા ઉથુપે સિત્તેરના દાયકામાં ઇન્ડિયન પોપની પોતાની બ્રાન્ડ વિકસાવી.

ચેન્નાઈના શેફાયર થિયેટરના બેઝમેન્ટમાં આવેલી નાઈટ ક્લબમાં ઉષાજી ગાતાં. એમાં મળેલી સફળતા પછી કોલકાતાની નાઈટ ક્લબમાં પણ ગાતાં. અહીં જ ભાવિ પતિ ઉથુપનો સંપર્ક થયો. એ પછી મુંબઈની નાઈટ ક્લબમાં ગાતાં. દિલ્હીની હોટેલ ઓબેરોયમાં એ ગાતાં ત્યારે નવકેતન ફિલ્મ્સના યુનીટ અને શશી કપૂરે એમને સાંભળ્યા. ખુશ થઈને એમણે ઉષાજીને ફિલ્મમાં ગાવાની ઓફર કરી અને એ રીતે ઉષાજીએ ફિલ્મોમાં પાશ્વગાયિકા તરીકે શરૂઆત કરી.  આઇવરી મર્ચન્ટની ‘બોમ્બે ટોકીઝ’ (૧૯૭૦) માં શંકર જયકિશનના સંગીતમાં એક અંગ્રેજી ગીતથી શરૂઆત થઇ. હિન્દીમાં એમણે ‘હરે રામ હરે કૃષ્ણ’ માટે ગાયું.

સિત્તેર અને એંશીના દાયકામાં રાહુલ દેવ બર્મન અને બપ્પી લાહિરીના સંગીતમાં એમણે ખૂબ ગીતો ગાયાં. કેરળના કોટ્ટાયમમાંજાની ઉથુપ સાથે લગ્ન કરનાર ઉષાજી હાલ કોલકાતામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)

અતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ કોરોના સંક્રમણના બિનકાર્યક્ષમ વાહક

એક નવા સંશોધન પ્રમાણે જાણવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના હવામાં તરતા અત્યંત સૂક્ષ્મ ડ્રોપ્લેટ દ્વારા સંક્રમણ ફેલાવાનો ભય ઓછો છે.

કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં 4 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 11 લાખથી વધુ લોકોના જીવ ગયા છે. પરંતુ હવે થોડી હળવાશની વાત એ છે કે, લંડનમાં પ્રકાશિત જર્નલ ‘ફિજીક્સ ઓફ ફ્લ્યૂડ્સ’માં છપાયેલા એક અધ્યયન મુજબ હવામાં રહેલા અતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ્સથી કોરોના વાયરસના ફેલાવાની શક્યતા નહીંવત્ છે.

એક નવા સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, વ્યક્તિના ખાંસવા કે છીંકવાથી મોંઢામાંથી નીકળીને હવામાં ફેલાયેલા એયરોસોલ માઈક્રોડ્રોપ્લેટ્સ (હવામાં તરતા અત્યંત સૂક્ષ્મ બિંદુઓ) કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર નથી. ‘ફિજીક્સ ઓફ ફ્લ્યૂડ્સ’માં પ્રકાશિત અધ્યયન મુજબ બંધ સ્થાનકોમાં સાર્સ-સીઓવી-2ના એયરોસોલ (સૂક્ષ્મ બિંદુઓ)નો ફેલાવો બહુ અસરકારક નથી હોતો.

સંશોધનકારોએ એક વકતવ્યમાં જણાવ્યું કે, ‘કોઈ વ્યક્તિ એવી જગ્યાએ પહોંચે, જ્યાં થોડીવાર પહેલાં કોરોના વાયરસના હળવા લક્ષણ ધરાવતી વ્યક્તિ હાજર હોય. તો પણ તે બીજી વ્યક્તિ આ વાયરસના સંક્રમણના પ્રભાવમાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે.’

અધ્યયનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, ‘અમારા અધ્યયન દ્વારા એ સાબિત થયું છે કે, સાર્સ-સીઓવી-2ના એયરોસોલનો પ્રસાર સંભવ છે, પણ તે વધુ પ્રભાવશાળી નથી. ખાસ કરીને લક્ષણ વગરના અથવા ઓછા લક્ષણ ધરાવનાર કોરોના સંક્રમિતોના કિસ્સામાં.’ એમ્સટર્ડમ વિશ્વવિદ્યાલયમાં આ અધ્યયનના સહ-લેખક ડેનિયલ બૉનનું કહેવું છે કે, ‘અતિ સૂક્ષ્મ કણ હોવાને કારણે તેમાં વાયરસની સંખ્યા નહીંવત્ જેવી હોય છે, આથી જ એનાથી સંક્રમણના ફેલાવાનો ભય ઓછો રહેલો છે.’

ડેનિયલ બૉન વધુમાં સૂચવે છે કે, ‘મોંઢા પર માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું તેમજ એવી અન્ય તકેદારી રાખવાથી કોરોના સંક્રમણનો ફેલાવો રોકી શકાય છે.’

રાશિ ભવિષ્ય 08/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 08/11/2020

બાઈડનનો ઐતિહાસિક વિજય: ચૂંટાયા અમેરિકાના ૪૬મા પ્રમુખ

વોશિંગ્ટન: સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે. જૉ બાઈડન વિજેતા બન્યા છે. અમેરિકાની અનેક ન્યૂઝ ચેનલોના અહેવાલો અનુસાર  દેશમાં પ્રમુખપદ ચૂંટણી-૨૦૨૦ જીતીને બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ-ઈલેક્ટ બન્યા છે.

ચૂંટણીમાં તેમણે વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે.

પેન્સિલવેનિયા રાજ્યમાં જીત મેળતા જ એમનો ઈલેક્ટોરલ વોટ્સનો આંકડો ૨૭૩ થયો છે, પ્રમુખ બનવા માટે આવશ્યક ૨૭૦ વોટ કરતા પણ વધારે.

ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન બનશે અમેરિકાના ૪૬મા પ્રમુખ. ભારતીય મૂળનાં કમલા હેરિસ બનશે એમનાં ડેપ્યુટી – ઉપપ્રમુખ.

૭૮-વર્ષના બાઈડન જ્યારે ૨૦ જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે ત્યારે અમેરિકાના સૌથી મોટી ઉંમરે પ્રમુખપદ સંભાળનાર નેતા બનશે.