Home Blog Page 4592

રાશિ ભવિષ્ય 06/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 06/11/2020

મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ, એક્ઝિબિશન્સને ફરી ખોલવાની ગાઈડલાઈન્સ

નવી દિલ્હીઃ દેશમાં મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ અને એક્ઝિબિશન્સને ફરીથી ખોલવા અને કોવિડ-19 રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે સાંસ્કૃતિક મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ અને એક્ઝિબિશનશન્સ 10 નવેમ્બરથી ફરી ખોલી શકાશે.. વળી અન્ય સંબંધિત પ્રાંગણની સુવિધા રાજ્ય, શહેર અને સ્થાનિક કાયદાઓ અનુસાર ખોલી શકાશે. જોકે આ સ્થળોને નિયમિત સમયે સેનિટાઇઝેશન કરવામાં આવવા જોઈએ અને મુલાકાતીઓ દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત છે, વળી ઓડિયો ગાઇડના ઉપયોગ પર રોક રહેશે, જ્યાં સુધી એના દરેક ઉપયોગ પછી એને કીટાણુરહિત ના કરવામાં આવે.

મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ લિફ્ટની કામગીરી સીમિત રહેશે અને શારીરિક રીતે અક્ષમ અથવા સિનિયર સિટિઝન માટે રિઝર્વ્ડ રહેશે. આ ઉપરાંત ટચ બેઝ્ડ ટેકક્નોલોજીનો ઉપયોગ સીમિત કરવાની સલાહ આપવામાં આવી છે. એ ચીજવસ્તુઓને નિમિત અંતરે કીટાણુરહિત કરવામાં આવવી જોઈએ.

BSEને CFTC રેગ્યુલેશનમાંથી મોટી રાહત મળી

મુંબઈ તા.5 નવેમ્બર, 2020ઃ દેશના અગ્રણી અને વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ BSEને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (CFTC) પાસેથી રેગ્યુલેશન 30.10માંથી મુક્તિ આપતો પત્ર મળ્યો છે. આ મુક્તિથી BSEના નિયુક્ત મેમ્બર્સને એ લાભ થશે કે CFTCના ફોરેન ફ્યુચર્સ અને ઓપ્શન્સ રુલ્સ તેમને લાગુ નહિ પડે.

CFTC રેગ્યુલેશન 30.10 હેઠળ અમેરિકા સ્થિત વ્યક્તિઓ કે જેમને તેમના દેશમાંના તુલનાત્મક નિયામક માળખાનું પાલન કરવું પડે છે તેઓ રજિસ્ટ્રેશન સહિત ચોક્કસ CFTC રેગ્યુલેશન્સમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. BSEના મેમ્બર્સ હવે અમેરિકા સ્થિત ગ્રાહકો પાસેથી ફ્યુચર્સ અને ઓપ્શન્સના ઓર્ડર્સ અને તેના સોદાઓ માટે સંબંધિત ભંડોળ ફ્યુચર્સ કમિશન મર્ચન્ટ તરીકે નોંધણી કરાવ્યા વિના પ્રાપ્ત કરી શકે છે.

CFTC 30.10માંથી મળેલી મુક્તિ વિશે BSEના ચીફ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે BSEએ તેના મેમ્બર્સ વતીથી આ રાહત માટેની અરજી કરી હતી. આ એક આવકારદાયક પગલું છે, કારણ કે તેનાથી BSEના મેમ્બર્સને લાભ થશે અને તેઓ તેમના અમેરિકાના ગ્રાહકોને ભારતના ફ્યુચર્સ અને ઓપ્શન્સ માર્કેટનો અધિક સંપર્ક પૂરો પાડી શકશે.

આ મુક્તિ  CFTCના એવા તારણ આધારિત છે કે BSEના મેમ્બર્સને લાગુ પડતા લાઈસન્સિંગ સ્ટાન્ડર્ડ્સ, લઘુતમ નાણાકીય આવશ્યકતાઓ અને અનુપાલન વિધિઓ સહિતના સ્થાનિક કાયદાઓ અને નિયમનો ગ્રાહકોને યોગ્ય સ્તરનું રક્ષણ પૂરું પાડે છે.

અશ્લીલ વિડિયો-શૂટ બદલ પૂનમ પાંડેની ગોવામાં ધરપકડ

પણજીઃ વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. રાજ્યમાં એક સરકારી માલિકીની સંપત્તિમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને ત્યાં અશ્લીલ વિડિયો શૂટ કરવા બદલ ગોવા પોલીસે આજે એની ધરપકડ કરી હતી.

ફિલ્મના શૂટિંગ માટે સરકારી યંત્રણાનો દુરુપયોગ કરાયો હોવાની દક્ષિણ ગોવાના કેનાકોના નગરના અનેક નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ બે પોલીસ જવાનને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

પૂનમ ઉત્તર ગોવામાં આવેલા સિન્ક્વેરીમ વિસ્તારમાં એક ફાઈવ-સ્ટાર હોટેલમાં રહે છે. કાલંગૂટ વિસ્તારની એક પોલીસ ટૂકડીએ આજે બપોરે તે હોટેલ પર જઈને પૂનમની ધરપકડ કરી હતી અને એને કેનાકોના પોલીસને હવાલે કરી હતી.

પૂનમને પૂછપરછ માટે અટકમાં લેવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું છે.

પૂનમે કેનાકોના નગરમાં ચાપોલી ડેમ ખાતે જઈને એક વિડિયો ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, જે અશ્લીલ હતું. આ ડેમની સંભાળ લેનાર રાજ્યના પાણી સાધન વિભાગે કરેલી ફરિયાદને પગલે પૂનમની ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મનું શૂટિંગ કરવા માટે પૂનમ અને તેના ક્રૂ મેમ્બર્સને રક્ષણ પૂરું પાડનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી સાથે કેનાકોના નગરના અનેક રહેવાસીઓએ આજે બંધનું એલાન કર્યું હતું. બાદમાં, સંબંધિત પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવશે એવી રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ખાતરી આપ્યા બાદ કેનાકોના નગરના રહેવાસીઓએ બંધની હાકલ પાછી ખેંચી હતી.

પોલીસે બાદમાં કહ્યું કે રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ઈન્સ્પેક્ટર તુકારામ ચવાણ તથા એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે અને એમની સામે તપાસ શરૂ કરી છે.

સરકારી સંપત્તિ પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, ત્યાં અશ્લીલ વિડિયોનું શૂટિંગ કરવા અને એને સર્ક્યૂલેટ કરવા બદલ રાજ્યના જળ સાધન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલ-કોલેજો ખૂલવાની શક્યતાઃ શિક્ષણપ્રધાનનો સંકેત

અમદાવાદઃ ગુજરાત સરકાર ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્યમાં શાળાઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કોરાના સંક્રમણને લીધે રાજ્યમાં સાત મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ રાજ્ય સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓમાં લાગી છે, જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે, એ જોતાં દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ થાય એવી શક્યતાઓ છે. એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવશે, જોકે ધોરણ1-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવે એવી શક્યતા છે, એવો સંકેત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યો છે.નિયમોનો આધીન શિક્ષણ કાર્ય શરૂ કરાશે

ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં પહેલાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન જેવી બાબતોનું સ્કૂલોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા, એક બેચ પર કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, સ્કૂલોની કેન્ટીન શરૂ કરવી કે બંધ રાખવી, વિદ્યાર્થીઓને ફૂલ-ટાઇમ બોલાવવા કે ફક્ત અમુક કલાકો માટે બોલાવવા, જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવવા માગતા તેમના માટે શું વ્યવસ્થા કરવી, તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવવા અને 50 ટકાને જ બોલાવવા વગેરે બાબતો અંગે આજની બેઠકમાં ચર્ચા બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

બે-ત્રણ દિવસમાં SOP બનાવી દેવામાં આવશે

શિક્ષણપ્રધાન ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં યોગ્ય વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાને આ સંદર્ભે SOP બનાવવા માટે સૂચના આપી હતી. જેથી SOP બે-ત્રણ દિવસમાં બનાવી દેવામાં આવશે.

પહેલી નવેમ્બરથી નવું સત્ર

UGCએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું હતું. આ કેલેન્ડેર મુજબ પહેલી નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે.. કોરોનાને કારણે સ્થિતિ બગડતાં નવા શૈક્ષણિક સત્રની નવી તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષા માટે 1 માર્ચથી લઇને 7 માર્ચ, એટલે કે 7 દિવસનો બ્રેક આપવાનો રહેશે.

27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમિસ્ટર બ્રેક

જ્યારે 8 માર્ચથી 24 માર્ચ સુધી પરીક્ષાઓ લેવામાં આવશે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમિસ્ટર બ્રેક આપવામાં આવશે. 5મી એપ્રિલે ફરી વાર સેમિસ્ટર શરૂ કરવામાં આવશે, જેમાં 1 ઓગસ્ટથી લઈને 8મી ઓગસ્ટ સુધી પરીક્ષા માટે બ્રેક આપવામાં આવશે. 9થી 21 ઓગસ્ટ વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. તારીખ 22થી 29મી ઓગસ્ટ વચ્ચે સેમિસ્ટર બ્રેક આપવામાં આવશે. આમ, UGCએ જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડરમાં વેકેશન પર કાપ મૂકવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

હું અમેરિકાનો પ્રમુખ બનીશઃ જૉ બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી-2020માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડન જીતની નજીક પહોંચી ગયા છે. અમેરિકામાં પ્રમુખ બનવા માટે ચૂંટણીમાં કુલ 538માંથી 270 ઈલેક્ટોરલ મતો હાંસલ કરવા પડે. છેલ્લા સમાચાર વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 214 મતો સાથે પાછળ હતા જ્યારે બાઇડન 264 મતો સાથે ઘણી મોટી સરસાઈમાં હતા. અમેરિકી પ્રમુખપદ માટે પોતાનો દાવો મજબૂત કરતાં બાઈડને કહ્યું હતું કે હું જ અમેરિકાનો પ્રમુખ બનીશ. ચૂંટણી પરિણામોમાં નખ કરડી ખવાય એટલી ઉત્તેજનાથી મતોની ગણતરી ચાલી રહી છે.

હું અહીં એ જાહેર કરવા નથી આવ્યો કે આપણે જીતી ગયા છીએ, પણ હું અહીં રિપોર્ટ કરવા માટે અહીં આવ્યો છું કે મતગણતરી પૂરી થશે, ત્યારે મને વિશ્વાસ છે કે આપણે વિજેતા થઈશું, એમ બાઈડને ડેલાવેરમાં એમના સમર્થકોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું.

હું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે શાસનની ધુરા સંભાળીશ, એમ કહેતાં બાઇડને કહ્યું હતું કે જ્યારે આપણે જીતી જઈશું ત્યારે કોઈ લાલ કે બ્લુ રાજ્ય નહીં હોય, બસ માત્ર યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જ હશે.

મતગણતરીની એક લાંબી રાત પછી એ સ્પષ્ટ છે કે આપણે રાષ્ટ્રપ્રમુખપદ જીતવા માટે જરૂરી 270 ચૂંટણી મતો સુધી પહોંચવા માટે પર્યાપ્ત રાજ્ય જીતી રહ્યા છીએ. મતગણતરી પૂરી થવા પર મને વિશ્વાસ છે કે આપણે વિજેતા હઈશું, એમ તેમણે કહ્યું હતું.

ગઈ કાલે ફરી સાબિત થયું હતું કે લોકશાહી આ રાષ્ટ્રનો પ્રાણ છે, જે બે સદીઓથી રહ્યો છે. કોરોના રોગચાળા છતાં અમેરિકાના ઇતિહાસમાં પહેલાંથી અનેક ગણું વધુ અમેરિકનો આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મિશિગન અને વિસ્કોન્સિનને જીતી લીધાં છે. આ બંને રાજ્ય ચાર વર્ષ પહેલાં ટ્રમ્પની પાસે હતાં.

બીજી બાજુ, ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે પેન્સિલવેનિયા, વિસ્કોન્સિન અને મિશગન – એમ બધી જગ્યાએ બાઇડન મતો મેળવી રહ્યા છે, જે દેશ માટે બહુ ખરાબ સમાચાર છે.

 પેરિસ ક્લાયમેટ સોદામાં ફરી જોડાશે

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન બહુમતની નજીક છે. અંતિમ પરિણામ પહેલાં બાઇડને એક મોટી ઘોષણા કરી હતી કે તેઓ જો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે તો તેઓ પેરિસ જળવાયુ સમજૂતીમાં ફરી જોડાશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઠીક 77 દિવસોમાં બાઇડન વહીવટી તંત્ર આ સમજૂતીમાં ફરી જોડાશે.

2015માં ગ્લોબલ વોર્મિંગને સીમિત કરવા માટે અને પ્રિ-ઓદ્યૌગિક સ્તરે 2 ‘C (સેલ્સિયસ)થી નીચે વૈશ્વિક તાપમાનને જાળવી રાખવાના ઉદ્દેશથી પેરિસ જળવાયુ સમજૂતીની રચના કરવામાં આવી હતી.

 

 

 

 

 

ફિલ્મ, ટીવી-ઉદ્યોગના લોકોને ડ્રગ્સ સપ્લાય કરનારાની ધરપકડ

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ 30-વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે જે ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નશીલી દવાઓ સપ્લાય કરતો હોવાનું મનાય છે.

તપાસ એજન્સી એનસીબીના એક અધિકારીએ આજે કહ્યું કે બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુને લગતા ડ્રગ્સ કેસની તપાસ સાથે આ શખ્સનું કનેક્શન પણ સપાટી પર આવ્યું છે.

આરોપીનું નામ છે – અબ્દુલ વાહિદ. એને ગઈ કાલે મુંબઈના અંધેરી (વેસ્ટ) ઉપનગરના આઝાદ નગર સ્ટેશન પરથી પકડવામાં આવ્યો હતો. એની પાસેથી 650 ગ્રામ ગાંજા, મેફીડ્રોન (MD તરીકે પણ જાણીતી છે) તેનો ચોક્કસ જથ્થો અને ચરસ, ઉપરાંત રૂ. 1 લાખ 75 હજારની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

વાહિદને એક મોટી ધરપકડ તરીકે માનવામાં આવે છે, કારણ કે એ ફિલ્મ ઉદ્યોગ અને ટીવી સિરિયલો સાથે સંકળાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ સાથે સંબંધમાં એનસીબીએ અગાઉ અભિનેત્રી રીયા ચક્રવર્તી તથા અન્ય કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

રીયા ચક્રવર્તી હાલ જામીન પર છૂટી છે.

34 વર્ષીય સુશાંતસિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

મારુતિએ હેડલેમ્પ બદલી આપવા 40,453 ‘ઈકો’ પાછી મગાવી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કારઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ તેના મલ્ટી-પર્પઝ વેહિકલ ‘ઈકો’માં હેડલેમ્પની ઊભી થયેલી સમસ્યાને દૂર કરવા માટે 40,453 કાર પાછી મગાવી છે.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને આમ કહ્યું છે.

કંપનીએ કહ્યું છે કે તે ઈકો કારના હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ ન હોવાની સંભવિત સમસ્યા હોવાનું માલૂમ પડતાં 40,453 કારને ગ્રાહક-માલિકો પાસેથી પાછી મગાવી છે. જો કોઈ કામ કરવાનું હશે તો એ કંપની મફતમાં એ કરી આપશે.

આવી ઈકો કારના માલિકોનો કંપનીના ઓથોરાઈઝ્ડ ડિલર્સ ઉચિત સમયે સંપર્ક કરશે.

કોરોનાના નવા કેસોની સંખ્યા 50,210; મૃત્યુઆંક 704

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 83 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 50,210 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 704 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 83,64,086 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,24,315 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 77,11,809 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,27,962એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.09 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

કોરોનાની ચમત્કારિક વેક્સિન

વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસ માટે એક એવી વેક્સિન બનાવી છે, જે અનેક ઘણી વધારે એન્ટિબોડી વિકસિત કરે છે. આ વેક્સિનનો પ્રાણીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના પરિણામો પણ ખૂબ ચોંકાવનારાં આવ્યાં છે. રિસર્ચ કરનારાઓમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના કેટલાક નિષ્ણાતો પણ સામેલ છે. કોરોનાની નવી વેક્સિન ઉંદરમાં એ લોકો કરતાં અનેક ઘણી વધારે ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડીઝ  પેદા કરવામાં સક્ષમ છે, જે કોરોનાને માત આપી ચૂક્યા છે.

રિસર્ચર્સના મતે જ્યારે એક વાંદરાને આ વેક્સીન આપવામાં આવી તો તેના શરીરમાં વિકસીત થયેલા એન્ટિબોડિઝે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન પર અનેક પ્રકારે હુમલો કર્યો હતો. સ્પાઇક પ્રોટીન દ્વારા જ કોરોના માણસની કોશિકાઓમાં ઘુસી જાય છે. વૈજ્ઞાનિકોના મતે તેનો અર્થ એ થયો કે વેક્સિન વાયરના મ્યુટેટેઈ સ્ટ્રેન વિરુદ્ધ પણ સુરક્ષા પૂરી પાડી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.