Home Blog Page 4595

ફ્યુચર ગ્રુપ ખરીદવા બેઝોસ-અંબાણી વચ્ચે જંગ

ન્યૂયોર્કઃ ફ્યુચર ગ્રુપને લઈને વિશ્વના નંબર-વન શ્રીમંત જેફ બેઝોસ અને 6ઠ્ઠા નંબરના શ્રીમંત મુકેશ અંબાણી વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. વળી કાનૂની તકરાર એ તો માત્ર દેખાડો છે. તો શું બેઝોસ અને મુકેશ અંબાણી ભારતની એક અબજથી પણ વધારે ગ્રાહક-બજાર પર વર્ચસ્વ જમાવવા માટે એકમેક સામે લડી રહ્યા છે?

આ લડાઈ દેવાંના ભાર હેઠળ દબાઈ ગયેલા સ્થાનિક રિટેલર ફ્યુચર ગ્રુપની સંપત્તિને હાંસલ કરવા માટે ભારતીય બિઝનેસ માંધાતા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા ઓગસ્ટમાં કરેલા 3.4 અબજ ડોલરના સોદાને લઈને થઈ રહી છે. બેઝોસની એમેઝોન.કોમ ઇન્ક. આ સોદો પાર ન પડે એ માટે પ્રયાસો કરી રહી છે અને કંપનીએ મધ્યસ્થતા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા છે.

આશા તો એવી હતી આ બંને અબજોપતિ સાથે મળીને કામ કરશે. સપ્ટેમ્બરમાં અંબાણીએ એમેઝોનને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.માં 40 ટકા હિસ્સો ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો – જેમ આ વર્ષના પ્રારંભે રિલાયન્સ તેના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેસબુક ઇન્ક. અને આલ્ફાબેટ ઇન્ક.ને ભાગીદારના રૂપમાં લાવવામાં સફળ રહી હતી.

જોકે ફ્યુચર ખરીદવાના અંબાણીના પ્રયાસોને રોકીને બેઝોસે સંકેત આપ્યા છે કે એ આ સોદામાં પ્રતિસ્પર્ધી બની રહેશે.

એમેઝોને ગયા વર્ષે કિશોર બિયાનીની માલિકીની રિટેલ વેચાણની અગ્રણી ખાનગી કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ રોકાણને અમેરિકાની ઈ-કોમર્સ દિગ્ગજને ત્રીજા વર્ષથી બિઝનેસ કરતી ફ્યુચર રિટેલ લિ.માં બિયાનીના શેરોને હસ્તગત કરવા માટે મંજૂરી આપી હતી. આમાં બેઝોસની શરત હતી કે બિયાની એમની સંપત્તિ – દેશભરમાં 1500 સ્ટોર્સ – દેશમાં સૌથી મોટી રિટેલ ચેઇનનું સંચાલન રિલાયન્સ સહિતની પ્રતિબંધક વ્યક્તિઓને નહીં વેચે.

જોકે ફ્યુચર-રિલાયન્સ સોદાની જાહેરાત પછી એમેઝોને સિંગાપોરની એક કોર્ટમાં કરારનું ઉલ્લંઘન કરવા બદલ વચગાળાનો મનાઈહુકમ મેળવ્યો હતો. અમેરિકી કંપનીએ ત્યારે ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જો અને રેગ્યુલેટરને આ સોદાને મંજૂરી નહીં આપવા માટે એક પત્ર લખ્યો હતો.

જોકે ફ્યુચર રિટેલે એમ કહેતાં આ એમેઝોનને પડકાર ફેંક્યો હતો કે સિંગાપોરની સત્તાનો ભારતમાં કોઈ કાનૂની આધાર નથી અને એ ફાઉન્ડર્સના એગ્રીમેન્ટમાંમાં એક પક્ષકાર નથી. કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિટેલરનું કહેવું હતુ કે એ રિલાયન્સને સંપત્તિ વેચીને બધા સ્ટેકકહોલ્ડરો માટે યોગ્ય કામ કરી રહી છે. ફ્યુચર રિટેલે દલીલ કરી હતી કે એમેઝોનનો 19 લાખ ડોલર + વ્યાજના દાવા માટેની જવાબદારી જો આર્બિટ્રેટરને આપવામાં આવે તો એ બિયાનીની ખાનગી જવાબદારી રહેવી જોઈએ.

જોકે બિયાની (અંબાણી-બેઝોસની) આ મોટી લડાઈમાં માત્ર એક મહોરું છે. ફ્યુચર ગ્રુપની રોકડખેંચ એકાએક ઊભી નથી થઈ. એમેઝોનને રિટેલ ચેઇનના વિદેશી માલિકીના હક મેળવવાના ભારતના કાયદાકીય નિયંત્રણોથી તક હતી, પણ એમ થયું નથી.

એમેઝોનને હજી પણ અંબાણી સાથે યોગ્ય કિંમતે ભાગીદારી કરવામાં રસ હોવાની શક્યતા છે.

એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટે ગયા મહિને એન્યુઅલ ફેસ્ટિવલ સીઝનના પહેલા બે દિવસોમાં રેકોર્ડ વેચાણ કર્યું હતું, જ્યારે રિલાયન્સ રિટેલની આવક સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 30 ટકા વધી હતી.

શાહરૂખ નવી મુંબઈમાં અદ્યતન ફિલ્મ સ્ટુડિયો બનાવશે?

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઈ કાલે, 2 નવેમ્બરે તેનો 55મો જન્મદિવસ ઉજવ્યો. હાલ એ દુબઈમાં છે, જ્યાં એની ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ-2020 સ્પર્ધામાં રમી રહી છે.

દરમિયાન એવા સમાચાર છે કે શાહરૂખ આગામી અમુક વર્ષોમાં પડોશના નવી મુંબઈમાં એક અદ્યતન અને સંપૂર્ણ રીતે સાધન-સુવિધાસંપન્ન એક ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. ફિલ્મ નિર્માણ માટે આવશ્યક એવી તમામ સુવિધાઓ અને ઈક્વિપમેન્ટ્સ ત્યાં ઉપલબ્ધ હશે, એવું સૂત્રોનું કહેવું છે.

20 વર્ષ પહેલાં જ્યારે શાહરૂખે ડ્રીમ્ઝ અનલિમિટેડ નામે તેની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. વર્ષો વીતતા ગયા અને શાહરૂખે એની કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કર્યું. આ કંપની ઈન્ટરનેટ પર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટ નિર્માણના વ્યવસાયમાં પણ સામેલ થઈ. 2011માં આ કંપનીએ રા.વન અને 2016માં ઝીરો ફિલ્મ બનાવી હતી.

હવે એવા અહેવાલો છે કે શાહરૂખ નવી મુંબઈમાં એક વિશાળ અને અદ્યતન ટેક્નોલોજી સાથેનો ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. તે ફિલ્મ સ્ટુડિયો વિશાળ જમીનવિસ્તારમાં ફેલાયેલો હશે, અનેક માળવાળો અને શૂટિંગ સેટ્સવાળો હશે. આ સ્ટુડિયો એટલો વિશાળ હશે કે એની અંદર જ આઉટડોર સ્થળો પણ ઉપલબ્ધ થશે.

મુંબઈમાં આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હોવાથી શાહરૂખ અને એની ટીમ નવી મુંબઈમાં જમીન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક શરૂ થશે એ પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની અવરજવર અત્યંત ફાસ્ટ બનશે. વળી, નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધાવાનું છે તેથી દેશભરના નિર્માતાઓને નવી મુંબઈ સ્થિત સ્ટુડિયોમાં પહોંચવામાં સરળતા પડશે.

શાહરૂખ તેના સ્ટુડિયોમાં મોટી હોટેલ પણ બંધાવશે, જેથી યુનિટના સભ્યો સ્ટુડિયોમાં જ રહી શકે.

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે પઠાણ. આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સ કંપની આ ફિલ્મ બનાવી રહી છે જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં BSEનું પગલું

મુંબઈ તા. 3 નવેમ્બર, 2020ઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ચરિતાર્થ કરવાના ભાગરૂપે દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ બીઆઈએસ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ ગોલ્ડની ડિલિવરી પાર પાડી છે. એક્સચેન્જે સતત પાંચમા મહિને ઓપ્શન ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ગુજરાતના અમદાવાદ ખાતેથી અત્યાર સુધીમાં રૂ.1.5 કરોડના ગોલ્ડની ડિલિવરીઝ પાર પાડી છે. આ રિફાઈન્ડ ગોલ્ડને ઓગમન્ટ એન્ટ્રપ્રાઈઝીસ પ્રા. લિ. અને પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા એક્સચેન્જના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ રિફાઈનરીઝ ઉપરાંત એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ. અને સોવેરિન મેટલ્સ પ્રા. લિ. પણ બીએસઈના પેનલ પર છે જે એક્સચેન્જ પ્લેટફોર્મ પર સિરિયલ નંબરયુક્ત ગોલ્ડ બાર્સ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પૂરા પાડે છે.

અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) દ્વારા મંજૂર કરાયેલા સિરિયલ નંબર યુક્ત ગોલ્ડ બાર્સ સ્વીકારતું હતું. એક્સચેન્જે તેના ઓેપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટ હેઠળ એલબીએમએ સ્ટાન્ડર્ડ અનુસારની સિલ્વરની પણ ડિલિવરીઝ ગુજરાતના અમદાવાદ સ્થિત વોલ્ટ્સ ખાતે  પાર પાડી છે.

આ સિદ્ધિ વિશે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ ડિલિવરીઝ અને ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના ખરીદકર્તા અને વેચાણકર્તા દ્વારા કરવામાં આવેલો સ્વીકાર દર્શાવે છે કે તેમને બીએસઈએ કરેલી આ પહેલ પર ભરોસો છે. આના પગલે વધુ લોકો તેમાં સામેલ થશે અને બીએસઈના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુલિયનની ડિલિવરી વધુને વધુ સ્વીકાર્ય બનશે.

બીએસઈનું સરળ ટ્રેડિંગ પ્લેટફોર્મ, ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેનું મજબૂત ડિલિવરી ફ્રેમવર્ક ઝવેરીઓ, બુલિયન વેપારીઓ અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી અને કિંમતની દૃષ્ટિએ ઉત્તમ પુરવાર થયું છે. એના દ્વારા તેઓ ભાવના જોખને નિવારી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ અંતે કોમોડિટીની ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.

કોરોનાના 38,310 નવા કેસો, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 82 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,310 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 82,67,623 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,097 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,03,121 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58,323 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,41,405એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક

દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો દિવાળીમાં ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક પુરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નીવડી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવાની સૌથી વધુ તકલીફ હોય છે. આવા સંજોગોમાં ફટાકડાનો ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસાં પર અસર થાય છે, જે દર્દીની તકલીફ વધારે છે અને બાદમાં આ તકલીફ જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. જેથી કોરોનાની ગંભીર આ સ્થિતિમાં દર્દીની જિંદગી જોખમમાં નહિ મુકાય એ માટે તબીબોએ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફટાકડા નહિ ફોડવા તબીબો અપીલ કરી રહ્યા છે. કોરોનાનો દર્દી જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયો હોય તે વિસ્તારમાં પણ ફટાકડા નહિ ફોડવા જોઇએ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

આઠ પેટાચૂંટણી પર મતદાન શરૂઃ ભાજપ, કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારે સાત કલાકથી શરૂ થઈ ચૂક્યો છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. જોકે ભાજપ-કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોના કાળમાં પ્રથમ વાર મતદાન યોજવામાં આવ્યું હોવાથી સામાજિક અંતર રાખીને મતદારોને મતદાન કરવા દેવાય છે. મતદાન પહેલાં થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. સવારના બેથી અઢી કલાકમાં 8થી 9 ટકા મતદાન થયું હતું.

કુલ 18.75 લાખ મતદારો મતદાન કરશે

આ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારોનું ચૂંટણીભાવિ EVMમાં કેદ થશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. 21 લાખ પોલિથિન હેન્ડ ગ્લવ્ઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર PPE કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે. સાંજે 5.00થી 6.00 દરમિયાન દર્દીઓ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ પીપીઈ કિટ પહેરી અને મત આપવા માટે આવી શકશે. જ્યારે અન્ય તમામ મતદારોએ માસ્ક પહેરીને મતદાન કરવા આવવાનું રહેશે.

કપરાડામાં EVM ખોટકાયું 
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બૂથ પર મશીન ખોટકાયું હતું. જોકે ઝોનલ ઓફિસરે શાળા પર આવી વીવીપેટ બદલ્યું હતું.

મોરબી માળિયામાં EVMમાં ધાંધિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે EVM ધાંધિયા જોવા મળ્યા. કાલિકા પ્લોટ વિસ્તારમાં EVM મશીન હજુ પણ બંધ છે. તો સ્મિથ પ્રાથમિક સ્કૂલમાં ૨૧૨ નંબરના બૂથમાં પણ ઇવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા.

કરજણમાં પણ EVM ખોટકાયું

કરજણના વેમારડી ગામે EVM ખોટકાયું હતું. મતદારો લગભગ 30 મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું.

ગઢડાની એમ. એમ. હાઇસ્કૂલમાં EVM બંધ

ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં સવારની પહોરમાં જ EVM બંધ થયું હતું. મતદાન શરૂ થયાની સાથે જ EVM ખોટકકાયું હતું બૂથ નંબર 203 માં EVM મશીન બંધ થયું હતું. આ ઘટનાને પગલે ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા.

ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ
ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

 

 

બિહાર-ચૂંટણીઃ આજે બીજા ચરણમાં 94-બેઠકો પર મતદાન

પટનાઃ બિહારમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે સુરક્ષાના કડક બંદોબસ્ત વવચ્ચે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. આજે 17 જિલ્લામાં 94 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજનો તબક્કો રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવ તથા બીજા 1,450 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.

મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્ય સુધી ચાલશે. કોરોના વાઈરસના દર્દીઓ તથા આ રોગના લક્ષણ ધરાવતા લોકો પણ મતદાન કરી શકે એ માટે સાંજે પાંચ વાગ્યા પછી એક કલાક સુધી એમને માટે મતદાનનો સમય અલાયદો રખાશે.

નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જોકે મતદાન વહેલું પૂરું કરાશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર સુશીલકુમાર મોદીએ રાજેન્દ્રનગરમાં અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ખગડિયામાં મતદાન કર્યું હતું.

સુશીલકુમાર મોદી

તેજસ્વી યાદવ ઉપરાંત એમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પણ આ જ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.

આજના તબક્કામાં કુલ 2.85 કરોડ મતદારો છે.

ચિરાગ પાસવાન

કુલ ઉમેદવારોમાં 1,316 પુરુષો અને 146 મહિલાઓ છે. એક તૃતિય પંથીનો ઉમેદવાર છે.

ચૂંટણી પંચે 17 જિલ્લામાં મતદાન માટે 18,823 મતદાન કેન્દ્રો ઊભા કર્યા છે, જ્યાં 41,362 પોલિંગ બૂથમાં લોકો મત આપી શકશે.

૩ નવેમ્બર ૨૦૨૦

૩ નવેમ્બર ૨૦૨૦

ગરીબીમાં ઉછર્યા અને સંગીતે લક્ષ્મીકાંત બનાવ્યા

૬૩૫ હિન્દી ફિલ્મોમાં સંગીત આપીને દર્શકોને ડોલાવનાર સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલના લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત નિયોજન કર્યું છે.

આ મહાન સંગીતકારનું બાળપણ વિલેપાર્લે-પૂર્વની ઝુંપડપટ્ટીમાં વીત્યું. બાળપણમાં જ પિતાજીનું નિધન થયું અને ગરીબીને કારણે એ પ્રાથમિક શિક્ષણ પણ મેળવી ન શક્યા. વડીલોએ સંગીત શીખવાની સલાહ આપી હતી એ જ આગળ જતાં કામ લાગી.

માત્ર ૧૦ વર્ષની ઉંમરે લક્ષ્મીકાંતજીએ લતાજીના રેડીઓ ક્લબના એક કાર્યક્રમમાં મેન્ડોલીન વગાડ્યું હતું. લતાજીએ તેમને શાબાશી આપી અને પરિવારની ‘સૂરીલ કલા કેન્દ્ર’માં દાખલ કરાવ્યા. અહીં જ એમનો ભેટો પ્યારેલાલ સાથે થયો. લતાજીએ આ બંને કલાકારો માટે સિફારીશ કરી હતી. કલ્યાણજી-આણંદજીના સહાયક સંગીતકાર રૂપે એ દસ વર્ષ સુધી કાર્યરત રહ્યાં. સચિન દેવ અને રાહુલ દેવની ફિલ્મોમાં મ્યુઝિક એરેન્જર પણ બન્યાં. લક્ષ્મીકાંતજી પર શંકર જયકિશનની ખૂબ અસર હતી.

એમની પહેલી જ ફિલ્મ ‘પારસમણી’ હીટ ગઇ. એ પણ નોંધવું જોઇએ કે આ સંગીતકાર બેલડીએ હંમેશા ‘એ’ ગ્રેડના ગાયકો સાથે જ કામ કર્યું. એમના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સુમેળ રહેતો, તો એમના લોકગીતો અને ઉપશાસ્ત્રીય ગીતો પણ ખૂબ લોકપ્રિય રહ્યાં.

આ મહાન સંગીતકાર બેલડીની કેટકેટલી ફિલ્મો યાદ કરીએ? યાદી લખવા બેસીએ તો લાંબી બને, પણ દોસ્તી, જીને કી રાહ, મિલન, દો રાસ્તે, બોબી, રોટી કપડા ઔર મકાન, અમર અકબર એન્થની, એક દુજે કે લીયે, સત્યમ શિવમ સુન્દરમ, સરગમ, કર્ઝ, નામ, નગીના, તેઝાબ, રામ લખન, સૌદાગર, ખલનાયક… આ એમની કેટલીક બ્લોક બસ્ટર સફળતા હતી.

(નરેશ કાપડીઆ-સુરત)

પંચાંગ 03/11/2020

રાશિ ભવિષ્ય 03/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે, બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર, ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.