Home Blog Page 4599

મોદીએ જંગલ સફારી પાર્ક, એકતા ક્રૂઝનું ઉદઘાટન કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી પાર્ક અને એકતા ક્રૂઝનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા ક્રૂઝમાં સવારી કરી હતી. આ ઉપરાંત મોદીએ માખણ વલોવ્યું હતું. વડા પ્રધાન મોદીએ બપોરનું ભોજન લીધા બાદ થોડો સમય આરામ કર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે જોડાયા હતા.

જંગલ સફારી પાર્કનું ઉદઘાટન

વડા પ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કનું ઉદઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદી સફારીના અલગ-અલગ ભાગોનું ભ્રમણ કર્યું હતું. તેમણે જંગલ સફારીમાં પશુઓ અને માણસો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યાં હતાં. તેમણે તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રૂઝ)

વડા પ્રધાન મોદીએ પક્ષીઓને પોતાના હાથ ઉપર પણ બેસાડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારનો સફારી પાર્ક એવી રીતે બનાવવામાં આવ્યો છે. તે પ્રાણી સંગ્રહાલયમાં નહીં, પરંતુ સફારી પાર્કમાં જોઈ રહ્યા હોય તેવો અનુભવ થાય. જેથી અહીં દરેક પશુ તથા પ્રાણી પણ ખૂબ જ મોકળાશથી ફરી શકે અને માનવો પણ ફરી શકે. અહીં દરેકે-દરેક પશુની હેબિટ્સનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે. 375 એક્ટરમાં ફેલાયેલા જંગલ સફરીમાં 1500 દેશી અને વિદેશી પ્રાણી છે. વ્યક્તિદીઠ રૂા. 200ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ પ્રોજેક્ટ 100 ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસીદીઠ ક્રૂઝનું ભાડું રૂા. 430 રાખ્યું છે.

ગ્લો ગાર્ડન અને ભારત ભવન
ગ્લો ગાર્ડન 100 ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઇટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઇટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ 200 રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. 52 એસી લક્ઝુરિયસ રૂમો, સ્વિમિંગ પૂલ સહિત મોટું ગાર્ડન છે. એનું રૂા. 6,000 ભાડું છે.

 

 

 

‘વન નેશન, વન ગોલ્ડ પ્રાઇસ’ જલદી સાકાર થશે

કોલકાતાઃ દેશમાં સોનાના એક જ ભાવ રહે એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં મોટા ભાગે સોનાની આયાત કરવામાં આવે છે. દેશભરમાં એની આયાતની કિંમતો આશરે એકસમાન હોય છે, પણ દેશના વિવિધ હિસ્સામાં જ્વેલરી એસોસિયેશન્સ એની અલગ-અલગ કિંમતો નક્કી કરે છે. જેથી એની કિંમતોમાં અસમાનતા પ્રવર્તે છે. દાખલા તરીકે ગુરુવારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનાં આભૂષણોની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂ. 49,100 હતી, જ્યારે કેરળમાં એની કિંમત રૂ. 46,850, મુંબઈમાં 49,680 અને ચેન્નઈમાં રૂ. 47,380 હતી. ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે કેટલાય જ્વેલર્સ ટેક્સ નથી ચૂકવતા, જેનાથી તેઓ ઓછી કિંમતે ઘરેણાંનું વેચાણ કરે છે.

  સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ

ઘરેણાં વેચતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સે દેશમાં એના બધા સ્ટોરમાં સોનાના એકસમાન ભાવની શરૂઆત કરી છે. અને ગોલ્ડ જ્વેલરી કંપનીઓએ પણ આ રસ્તે ચાલવાની યોજના બનાવી છે. માલાબાર ગોલ્ડ ડાયમન્ડ્સના ચેરમેન અહમદ એમપીએ કહ્યું હતું કે વન ઇન્ડિયા, વન ગોલ્ડ રેટની પોલિસી લાગુ કરવા માટે સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ. સોનાની એકસમાન કિંમતોથી ગ્રાહકોને પણ લાભ થશે. GST લાગુ થયા પછી દેશમાં જ્વેલરી ટેક્સનો એક દર છે. દેશમાં માત્ર એક કરન્સી છે, એટલે અન્ય દેશોની જેમ અહીં કોઈ મુશ્કેલી નહીં સર્જાય, એમ તેમણે કહ્યું હતું.

ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યોમાં સોનાના ભાવમાં મોટું અંતર

આંતરરાષ્ટ્રીય સ્તરે  સોનાની માત્ર એક કિંમત છે. એટલે દેશમાં એકસમાન કિંમતો રાખવામાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય. દેશનાં ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યોમાં સોનાના ભાવમાં મોટું અંતર હોય છે. દક્ષિણ ભારતમાં કેટલાંય વર્ષોથી સોનાની કિંમતો ઉચિત રહી છે અને બાયબેક સિસ્ટમ પણ રહી છે. અહીં જ્વેલર્સ વધુ માર્જિન નથી વસૂલતા, એમ તેમણે કહ્યું હતું.

ઉત્તર ભારતમાં જ્વલર્સ વધુ માર્જિન

ઉત્તર ભારતમાં જ્વલર્સ વધુ માર્જિન વસૂલે છે, જેથી કિંમતો ઘણી વધી જાય છે. જ્વેલર્સે બાયબેક રેટ ડિસ્પ્લે કરવા જોઈએ, કેમ કે રિસાઇક્લિંગથી સોનાની શુદ્ધતા પર કોઈ અસર નહીં પડે. તમે બાયબેક પર બે ટકા અથવા એની આસપાસ માર્જિન લઈ શકો છો, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

મોદીએ એકતા મોલ, ન્યુટ્રિશિયન પાર્ક તેમ જ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન મોદી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં તેમનું કેવડિયા આગમન થયું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમ જ નવા ચાર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે.

મોદીએ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનુ ઉદઘાટન કર્યું

વડા પ્રધાને એકતા મોલ બાદ મોદીએ કેવડિયા કેમ્પસમાં બનાવેલ સમગ્ર વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનુ ઉદઘાટન કર્યું. પીએમ મોદીને બાળકો સાથે હંમેશાં લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌપ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થિમ બેઝ પાર્ક ૩પ,૦૦૦ ચોરમીટર વિસ્તારમાં પથરાયેલો છે.

એક્તા મોલમાં ગુર્જરીથી લઈને કાશ્મીર સુધીના હેન્ડિક્રાફ્ટ મળશે 


દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે એ માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફૂટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાં-જુદાં રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડિક્રાફટ એમ્પોરિયમ છે. મોદીએ એક્તા મોલનું ઉદઘાટન કર્યું હતું. તેઓ થોડા સમય માટે એક્તા મોલની મુલાકાત કરીને હેન્ડિક્રાફ્ટની માહિતી મેળવી હતી.

આરોગ્ય વનનું ઉદઘાટન

આરોગ્ય વનનું સૌથી પહેલા મોદીએ ઉદઘાટન કર્યું. મોદીએ ખાસ સમય ફાળીને આરોગ્ય વનની માહિતી મેળવી હતી. તેમણે કેટલાંક આરોગ્યપ્રદ વૃક્ષો અને પ્લાન્ટ્સની માહિતી મેળવી હતી. ઔષધિય પ્લાન્ટ્સ વિશે પણ પીએમ મોદીએ મેળવી હતી. માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

મોદીના બપોર પછીના કાર્યક્રમો

ત્યાર બાદ વડા પ્રધાન 3.30 કલાકથી પાંચ કલાક દરમ્યાન તેઓ જંગલ સફારીનું લોકાર્પણ કરવાના છે. એ પછી તેઓ જાઇનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ 7.20 કલાકકે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કરશએ. 7.25થી 7.35 સુધી તેઓ યુનિટી ગાર્ડનની મુલાકાત લઈને એનું લોકાર્પણ કરશે અને છેલ્લે તેઓ કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ કરવાના છે.

વડા પ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે
વડા પ્રધાન મોદી આવતી કાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે.

મોદીએ શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. મોદીએ સવારે એરપોર્ટથી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના  નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીએ આજે અહીં આવીને અમોને સાંત્વના આપી છે. બાપાને કોવિડ થયો હતો ત્યારથી પીએમ બાપાની ખબર પૂછતા રહ્યા હતા. આજે પણ તેઓ પરિવારના સભ્ય તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, જેથી અમને ખૂબ જ  સારુ લાગ્યું છે.  દિલસોજી પાઠવવા બદલ અમે તેમના આભારી છીએ, એમ કેશુબાપાની દીકરીએ વડા પ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું.

ત્યાર બાદ તેઓ મહેશ-નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે બંન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપીને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી.

 

 

સકારાત્મક વિચારોથી ભવિષ્યનું નિર્માણ 

(બી.કે.શિવાની)

સકારાત્મક સંકલ્પ દ્વારા આપણે જીવનમાં ખુશીનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આ કોઇ જાદુ નથી કે આપ એક દિવસમાં શીખી જશો. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે  ઘણાં લાંબા સમય વર્ષોથી તમે જે વિચારધારા સાથે ચાલી રહ્યા છો તેમાં બદલાવ (પરિવર્તન) લાવવા માટે ઘણો સમય થઇ શકે છે. આજથી આપણે ફક્ત એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓના વ્યવહાર પ્રત્યે આપણે ધ્યાન રાખીએ છીએ, તેની સાથે-સાથે આપણે આપણા મનના વિચારો (સંકલ્પો)નું પણ ધ્યાન રાખીએ.

એક દિવસ માટે તમે જુવો કે વિભિન્ન પરિસ્થિતિઓમાં મન કયા પ્રકારના અને કેવા વિચારો (સંકલ્પો) કરી રહ્યું છે. જો મન નકારાત્મક સંકલ્પો કરી રહ્યું છે, તો પણ કોઈ વાંધો નહીં. તેને તરત જ બદલવાનો પ્રયત્ન ન કરો. સંકલ્પ સકારાત્મક હોય કે નકારાત્મક તે અગત્યનું નથી, પરંતુ આ સંકલ્પ કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? તેની આપણને જાણકારી હોવી જરૂરી છે. મારા મનના વિચારો હું પોતે જ ઉત્પન્ન કરી રહેલ છું. ધારો કે, કાલે મારી નોકરી છૂટી જાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય, પરંતુ તે પ્રસંગે જે પ્રકારના વિચારો મારા મનમાં આવે છે, તે હું પોતે જ પેદા કરી રહી છું. 

મારા બોસે બધાની હાજરીમાં મારા ઉપર ગુસ્સો કર્યો, એથી મને દુઃખની અનુભૂતિ થઈ. બધાની સામે મારી આબરૂ ગઈ. આવા સમયે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે, મારી તો કોઈ ભૂલ જ ન હતી. છતાં પણ તેઓ મારા ઉપર ગુસ્સે થયા. અહીં તો મહેનત કરવાનો કોઈજ ફાયદો નથી. ગમે તેટલી મહેનત કરો, બોસ તો ક્યારેય ખુશ થવાના જ નથી. આ પ્રકારના વિચારોથી આપણે દુઃખ તથા હતાશાનો અનુભવ કરીશું. આ બનાવ ઉપર આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે, તેમણે બોસ તરીકે તેમનો પાર્ટ ભજવ્યો.

પહેલા આપણે આપણા કાર્યને જોઈ લઈએ કે પછી વિચારીએ કે, શક્ય છે કે તેઓએ ધ્યાનપૂર્વક મારું કાર્ય જોયું ન હોય. એવું પણ બની શકે કે આજે બોસનો મૂડ બરોબર ન હોય. જ્યારે તેમનો મૂડ બરોબર થશે ત્યારે હું તેમની પાસે જઈને સાથે સ્પષ્ટતા કરી લઈશ. જ્યારે કોઈ આપણા ઉપર ગુસ્સો કરે છે ત્યારે આપણું અપમાન થતું નથી. પરંતુ તે સમયે ત્યાં અન્ય હાજર રહેનાર વ્યક્તિઓ આ દ્રશ્યને જોઈ રહ્યા હોય છે. તેઓને ખબર છે કે કોણ પોતાની જાતને નિયત્રણ કરી શકે છે અને કોણ નથી કરી શકતા. અન્ય લોકો મારા માટે એવું જ વિચારશે જેવું હું મારા માટે વિચારતી હોઇશ. જો આવા સમયે મારી આંતરિક સ્થિતિ એકરસ રહી, મારા ચહેરા ઉપર કોઈ પ્રકારની દુઃખની લહેર માત્ર દેખાતી નથી તો બધા લોકો મારા માટે સહાનુભૂતિપૂર્વક વિચારશે.

આમ આવા સમયે અન્ય લોકો મારા માટે શું વિચારશે તેની ચિંતા કર્યા વગર હું પોતે કેવા વિચારો કરીશ? તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે લોકો શું વિચારશે? તે હું તો જાણતી નથી, પરંતુ જેવા વિચારો હું મારા માટે કરીશ, લોકો પણ તે જ પ્રકારે વિચારશે. આપણે સકારાત્મક વિચારો દ્વારા જે શક્તિ (ઉર્જા) ઉત્પન્ન કરીશું તે શક્તિ (ઉર્જા) વાતાવરણમાં ફેલાશે અને વ્યક્તિઓના વિચારોને પ્રભાવિત કરશે. આમ લોકો મારા વિશે સારું વિચારે કે ન વિચારે, પરંતુ સૌ પહેલા હું મારા પોતાના વિશે સારા વિચારો ઉત્પન્ન કરું. 

જો હું એવું વિચારીશ કે બોસને તો મારી કોઈ કિંમત જ નથી, હવે હું કંઈ નવું કરીશ જ નહીં.  કારણ કે અહીં આપણા કરેલા કાર્યની કદર જ થતી નથી. હું આટલી બધી મહેનત કરું છું, છતાં પણ બધાની હાજરીમાં મારું અપમાન જ થવાનું હોય, તો મહેનત શા માટે કરું? આવા પ્રકારના નકારાત્મક  વિચારોની સાથે હું મારા ટેબલ પર કે મારી જગ્યાએ જઈને કામ શરૂ કરીશ, તો જરૂર કોઈને કોઈ મારાથી ભૂલ થશે. પરંતુ જો હું એમ વિચારું કે મારા પહેલા કરેલા કામથી બોસ ગુસ્સે થયા હતા. પરંતુ હવે હું ધ્યાનપૂર્વક નવું કાર્ય કરીશ. અગાઉ કારણ વગર બોસ મારા ઉપર ગુસ્સે થયા હતા.

હવે જોવું છું કે આ વખતે મારું કામ તેમને પસંદ આવે છે કે કેમ? પરંતુ હવે આવા સમયે આપણે નકારાત્મક વિચારો કરવાના નથી. અત્યારે જ આપણે એકાગ્રતાપૂર્વક નવું કામ શરૂ કરી શકીશું. મારાથી સિનિયર પ્રત્યે ખોટા વિચારો ઉત્પન્ન નહીં કરું. હું વિચારી શકું કે તેઓને પણ પોતાની કોઇ અલગ સમસ્યા હશે. અથવા તો તેઓ કોઈ પણ કારણથી ડિસ્ટર્બ હશે. આમ, આપણે અન્ય પ્રત્યે શુભભાવના ત્યારે જ રાખી શકીશું જ્યારે આપણું મન ડિસ્ટર્બ નહીં હોય. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)    

                              

 

કોરોનાના 48,648 નવા કેસો, 563નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 80 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,648 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 563 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 80,88,851 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,21,090 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 73,73,375 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,94,386એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

ડિસેમ્બર સુધીમાં જ કોરોનાની રસી તૈયાર

કોરોના વાઇરસની રસી વિકસિત કરી રહેલી ફાર્મા કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટના CEO  આદર પૂનાવાલાએ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં જ કોરોનાની રસી તૈયાર થઈ જશે. વેક્સિન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની મંજૂરી પર આધાર રાખે છે.

સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર ભાગીદારીમાં કામ થઈ રહ્યું છે. બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે. જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે.જેને મંજૂરી મળતાં જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ શરૂ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ ભારત પાસે કોરોનાની વેક્સિન આવી જશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

મોદી બે-દિવસ ગુજરાતમાંઃ 17 યોજનાઓનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન મોદી સવારે 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. સવારે 10-30 કલાકે તેઓ ગાંધીનગરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાના ઘરે પહોંચશે. જ્યાં સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે.

હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના

વડા પ્રધાન મોદી સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને પણ જાય એવી શક્યતા છે. એ પછી તેઓ રાયસણમાં માતા હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના છે. ત્યાર પછી તેઓ વિધાનસભાના હેલિપેડથી કેવડિયા જવા માટે રવાના થશે.

બપોર પછી મોદી કેવડિયા પહોંચશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વડા પ્રધાન મોદી બપોર બાદ કેવડિયા કોલોની પહોંચશે. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મજયંતીએ કેવડિયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે અને રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ સાથે જ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ નવા ચાર પ્રોજેક્ટોનો પણ શિલાન્યાસ કરશે.

 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ

વડા પ્રધાન કેવડિયામાં વિવિધ થિમ આધારિત પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમાં તેઓ જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ટેક્નોલોજી આધારિત ચિલ્ડ્ર્ન ન્યુટ્રિશિયન પાર્ક, દેશનો સૌપ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગરુડેશ્વર વિયર, નવો ગોરા બ્રિજ અને આદર્શ ગામ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

શનિવારે ફરીથી તેઓ અમદાવાદ આવશે

શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વડા પ્રધાન મોદી ભાગ લેશે. ત્યાર પછી તેઓ જે 31 ઓક્ટોબરે ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદમાં સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.  31 ઓક્ટોબરે સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડિંગ કર્યા પછી તેઓ એરપોર્ટથી દિલ્હી જશે.

 

 

Editors’ Hour Episode 1

રાશિ ભવિષ્ય 30/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

Chitralekha Gujarati – November 09, 2020

PDF Version Password for PDF- cg09112020

૩૦ ઓક્ટોબર ૨૦૨૦

૩૦ ઓક્ટોબર ૨૦૨૦