Home Blog Page 4603

રોહિત શર્માની ઈજા વિશે પારદર્શકતા જરૂરીઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમનાર ભારતીય ક્રિકેટ ટીમોની જાહેરાત કરી દીધી છે. પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય ટીમમાં – ટેસ્ટ, ODI અને T20I ટીમમાંથી રોહિત શર્માનું નામ ગાયબ છે.

ભારતીય ટીમ આવતા મહિને જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે.

ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 13મી મોસમમાં રમવા યૂએઈ ગયો છે. એ મુંબઈ ઈન્ડિયન્સ ટીમો કેપ્ટન છે, પરંતુ એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો હોવાથી એ મુંબઈ ટીમની છેલ્લી બે મેચમાં રમ્યો નહોતો. તેની આ ઈજાને કારણે એને આખા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.

ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ભારતીય ટીમમાં રોહિતનો સમાવેશ કરવાનો નિર્ણય લેતા પહેલાં એની ઈજા પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે.

ઈજાની વાતો બહાર આવી છે તે છતાં રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એ તસવીરો શેર કરી છે. એ જોયા પછી ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

રોહિત શર્મા હવે આઈપીએલ-2020માં બાકીની મેચોમાં રમી નહીં શકે એવી અફવાઓ ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે નેટ્સમાં બેટિંગ કરતા રોહિતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.

હવે એ તસવીરોના આધારે ગાવસકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે રોહિત શર્માની ઈજા અંગે પારદર્શકતા હોવી જોઈએ.

ભારતીય ક્રિકેટપ્રેમીઓને રોહિતની ઈજા વિશે વધારે જાણવાનો અધિકાર છે.

રોહિત શર્માની જગ્યાએ વન-ડે ઈન્ટરનેશનલ તથા ટ્વેન્ટી-20 ટીમોના વાઈસ-કેપ્ટન તરીકે કે.એલ. રાહુલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ગાવસકરે કહ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિતને નેટ્સમાં પ્રેક્ટિસ કરતો બતાવવામાં આવ્યો છે. એટલે મને સમજાતું નથી કે એને શું ઈજા થઈ છે. જો એની ઈજા એટલી ગંભીર હોય તો એ પેડ પણ બાંધે નહીં. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં 17 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ કરવાની છે.

જો એ મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ્સમાં પ્રેક્ટિસ કરી શકે છે તો, સાચું કહુંને મને સમજાતું નથી કે એની ઈજા કેવા પ્રકારની છે. આ બાબતમાં થોડીક પારદર્શકતા રાખવી જોઈએ. એને શું તકલીફ છે એની ખરેખર જાહેરાત કરવી જોઈએ, જેથી દરેકને મદદરૂપ થાય. ભારતના ક્રિકેટપ્રેમીઓ આ વિશે વધારે જાણવાના હકદાર છે.

ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી રોહિત શર્મા ઉપરાંત ઈશાંત શર્માને પણ બાકાત રાખ્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત પણ ઈન્જર્ડ છે.

બીસીસીઆઈ તરફથી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિત અને ઈશાંતની પ્રગતિ પર સતત નિરીક્ષણ રાખતા રહેશે.

ભારતની ત્રણેય ફોર્મેટની ટીમો નીચે મુજબ છેઃ

ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિશંકર અશ્વિન, મોહમ્મદ સિરાજ.

ODI ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ટ્વેન્ટી-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

મેહબૂબા મુફ્તીએ પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએઃ નીતિન પટેલ

અમદાવાદઃ આર્ટિકલ 370 ખતમ કરવાને લઈને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ તાજેતરમાં આપેલા નિવેદન પર ગુજરાતના ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીને જો ભારતના અને એના કાયદા પસંદ ના હોય તો તેમણે સપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.

મુફ્તી કરાચી જાય

વડોદરાના કુરાલી ગામમાં ઉપચૂંટણી માટે એક સભાને સંબોધિત કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દેશની સુરક્ષા માટે સિટિઝન્સ એમેડમેન્ટ એક્ટ (CAA) લાવ્યા છે અને તેમણે આર્ટિકલ 370ની જોગવાઓને ખતમ કરી દીધી છે. મેહબૂબા છેલ્લા બે દિવસથી બેફામ નિવેદનો આપી રહ્યાં છે. તેમને ફ્લાઇટની ટિકિટ ખરીદવી જોઈએ અને પોતાના પરિવારની સાથે કરાચી ચાલ્યા જવું જોઈએ. બધા માટે એ સારું રહેશે.

જનતા ટિકિટના પૈસા આપશે

નીતિન પટેલે કહ્યું હતું કે મેહબૂબા મુફ્તી ઇચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને ફ્લાઇટ્સની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા CAA કાયદો અથવા આર્ટિકલ 370 ખતમ કરવું પસંદ નથી તો તેમનું આ દેશમાં શું કામ?

 

 

 

૨૭ ઓક્ટોબર ૨૦૨૦

૨૭ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 27/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે

મોરનાં ઈંડા ચીતરવાં ન પડે…

 

મોરનાં ઈંડા ચીતરવાં ન પડે

 

મોર અત્યંત રૂપકડું પક્ષી છે. એમાંય એનાં પીંછા તો અદભૂત. પણ આ મોરનું ઈંડું તો બધાં પક્ષીઓ જેવું જ સામાન્ય જ હોય છે. જો કે એમાંથી બચ્ચું બહાર આવે ત્યારે? આ બચ્ચું પણ મોર જેવું જ અત્યંત રૂપકડું અને રંગબેરંગી રૂપાળું હોય છે.

મૂળ આ કહેવતનો અર્થ એવો થાય કે, અમુક મા કે બાપનું સંતાન, અમુક કુટુંબનો વ્યક્તિ, એ એક હદ સુધી ઘડાયેલો જ હોય. જેમ મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તેમ એના ઉપર કોઈપણ પ્રકારના સાજ-શણગાર કર્યા વગર પણ એનામાં રહેલ ગુણ ઝળકી ઊઠે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

પંચાંગ 27/10/2020

(મયંક રાવલ)

ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રમાં બીજા CM આવશેઃ કંગના

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ પરોક્ષ શાબ્દિક યુદ્ધ હજી ચાલુ જ છે.

કંગનાએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર કહ્યું છે કે, મહારાષ્ટ્ર તમારી માલિકીનું છે એવું સમજતા નહીં. તમે માત્ર જનતાના સેવક છો. તમારી પહેલા આ પદ પર કોઈક હતા અને ટૂંક સમયમાં જ બીજું કોઈ આવશે.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે શિવસેના પાર્ટીની દશેરા રેલીમાં એમની આગવી આક્રમક શૈલીમાં ભાષણ કર્યું હતું અને એમાં પરોક્ષ રીતે કંગનાની ટીકા કરી હતી.

ઠાકરેએ ગઈ કાલે એમના ભાષણમાં કહ્યું હતું કે, વિજયાદશમીએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. એવા દસ રાવણ મહારાષ્ટ્રમાં આવ્યા છે. એમાંનો એક રાવણ એમ કહે છે કે મુંબઈ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર જેવું બની ગયું છે. વડા પ્રધાન મોદીએ તો એક વખત જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના કબજા હેઠળનું કશ્મીર ભારત સાથે જોડી દેવું છે. ઘરમાં ખાવા મળતું નથી એટલે મુંબઈ આવવું છે અને પછી એમ બતાવવું છે કે અમે કેટલું બધું કષ્ટ વેઠ્યું છે. મુંબઈ-મહારાષ્ટ્રનું નમક ખાવાનું અને નમકહરામી કરવાની. આ બધી રાવણની ઔલાદો છે.

એનો કંગનાએ એક વિડિયો નિવેદનમાં ઉપર મુજબ જવાબ આપ્યો છે.

મેહબૂબાથી ત્રાસીને ત્રણ સાથી નેતાએ PDP છોડી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ થયેલા તેમની જ પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામાં આપી દીધાં છે. પીડીપી નેતા ટીએસ બાજવા, વેદ મહાજન અને હુસૈન એ. વફાએ રાજીનામાં આપી દીધાં છે. ત્રણેય નેતાઓએ પત્રમાં કહ્યું છે કે પાર્ટીપ્રમુખના કેટલાક નિર્ણયોથી તેઓ કેટલાક દિવસોથી અસહજતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તેમણે ભારતવાસીઓની દેશભક્તિને ઠેસ પહોંચાડનારા નિવેદનો કર્યા છે.

પીડીપી અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ 14 મહિનાની નજરકેદમાંથી છૂટ્યા પછી પહેલી વાર સંવાદદાતાઓથી વાતચીતમાં કહ્યું હતું કે તેઓ તિરંગો ત્યારે જ હાથમાં લેશે, જ્યારે રાજ્યના અગાઉના ઝંડાને ફરી મંજૂરી આપવામાં આવશે.

મુફ્તીએ શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરને લઈને ગયા વર્ષે પાંચ ઓગસ્ટે સંવિધાનમાં કરેલા ફેરફારોને પરત નહીં લેવામાં આવે, ત્યાં સુધી તેમને ચૂંટણી લડવા અથવા તિરંગો હાથમાં પકડવામાં કોઈ રસ નથી.

તેમના નિવેદનની ચોતરફથી આલોચના થઈ રહી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહેબૂબા મુફ્તીની આ ટિપ્પણી રાષ્ટ્રીય ધ્વજનું ઘોર અપમાન છે કે જ્યાં સુધી કાશ્મીરના ધ્વજને મંજૂરી નહીં અપાય, ત્યાં સુધી તેઓ તિરંગો નહીં ઉઠાવે.

અમદાવાદઃ સંશોધન લેખ રજૂઆત સ્પર્ધા યોજાઇ

અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના કોમર્સ વિભાગે ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે સ્પાર્ક નામે સંશોધન લેખ રજૂઆત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સમારંભનુ આયોજન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત ડીપીએસ બોપલના પ્રિન્સિપાલ સુરેન્દર સચદેવાના પ્રેરણાદાયી પ્રવચનથી થઈ હતી. તેમણે અર્થતંત્રમાં વિકાસનો માર્ગ મોકળો કરવા માટે માઇક્રો ફાઇનાન્સમાં સંશોધનનુ મહત્ત્વ અંગે વાત કરી હતી. આ સમારંભમાં પસંદગીના વિષયો ઉપર વ્યાપક અભ્યાસ મારફતે સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અંતિમ સ્પર્ધામાં વિષયના સમર્થનમાં પુરાવા તથા આંકડાકીય માહિતી સાથે વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી.

વિદ્યાર્થીઓએ તેમની રજૂઆત પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે કરી હતી. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતનું વિશ્લેષણ કરીને તેનુ મૂલ્યાંકન કર્યુ હતું. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને તેમના સંશોધન સંબંધી સવાલો પણ પૂછ્યા હતા.

તીર્થ ઠક્કર આ સ્પર્ધાનો વિજેતા

તીર્થ ઠક્કરને આ સ્પર્ધાનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. સુક્રીત શ્રીવાસ્તવ પ્રથમ રનર અપ જાહેર થયા હતા તથા કરણ રવાણીને દ્વિતીય રનર અપ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના અહેવાલોમાં તેમણે પસંદ કરેલા વિષય અંગે આંકડા અને વિગતો સહિત વિસ્તૃત સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું.

સાલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ડિરેકટર ડો. વિરલ ભટ્ટ અને લિન્ડે ઇન્ડિયા લિમિટેડના રિજિયોનલ સેલ્સ મેનેજર આનંદ ગાંધી આ સમારંભના નિર્ણાયક હતા.

 

 

મગની દાળના ઢોકળા

મિક્સ દાળના ઢોકળા તો તમે ખાધા જ હશે! એકલી મગની દાળના ઢોકળા પણ બહુ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે, સાથે તે હેલ્ધી પણ છે. વજન ઘટાડવા માગતા લોકો માટે ડાયેટ માટેનો સારો વિકલ્પ બની શકે છે!

સામગ્રીઃ 1 કપ મગની ફોતરા વગરની દાળ, 1½ ટે.સ્પૂન ચણાનો લોટ, 2 ટે.સ્પૂન દહીં, ¼ ટી.સ્પૂન હળદર, 2 ટી.સ્પૂન ખાવાનો સોડા, 1 ટે.સ્પૂન તેલ, 1 ટી.સ્પૂન સાકર, 2 ટી.સ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટી.સ્પૂન કોથમીર ધોઈને સમારેલી, મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ

વઘાર માટેઃ 1 ટે.સ્પૂન તેલ,  ½ ટી.સ્પૂન રાઈ, ½ ટી.સ્પૂન તલ, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હીંગ, લીલા મરચાં કાપા પાડેલા


રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ દાળને મિક્સીમાં અધકચરી વાટી લો. દાળના મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે એમાં મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, મીઠું, દહીં, ચણાનો લોટ, તેલ, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક રીંગ મૂકી ઉપર તેલ ચોપડેલી થાળી મૂકી દો.

દાળના મિશ્રણમાં ખાવાનો સોડા ઉમેરીને મિશ્રણને એકરસ ફીણો. જેવો તેમાં ઉભરો આવે એટલે મિશ્રણને થાળીમાં રેડીને વાસણ ઢાંકી દો. 15-20 મિનિટ સુધી ઢોકળાને બાફવા દો. ત્યારબાદ ઢોકળાની થાળીમાં ચપ્પૂ વડે ઢોકળા તૈયાર થયા છે કે નહિ તે જોઈ લો. જો ચપ્પૂ લીસુ નીકળે તો ઢોકળા તૈયાર છે. ગેસ બંધ કરીને હળવેથી થાળી બહાર કાઢી લો. 5 મિનિટ બાદ ઢોકળા થોડા ઠંડા થયા બાદ ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો.

એક વઘારીયા અથવા વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે જીરૂ અને હીંગ નાખી દો. જીરૂ તતડે એટલે મરચાં હળવેથી નાખીને એકાદ મિનિટ સાંતડીને ગેસ બંધ કરી દો અને હળવેથી તલ ઉમેરો (તલ નાખતી વખતે સંભાળવું. કારણ, તલ તેલમાં નાખતા ફૂટીને ઉડશે). આ વઘાર ઢોકળાની થાળી ઉપર રેડી દો. એક તવેથા વડે એકસરખો ફેલાવી દો. ઢોકળા તૈયાર છે!