Home Blog Page 4604

થલાઇવા સ્ટાર રજનીકાંત હવે મેન વર્સિસ વાઇલ્ડ શો માં

નવી દિલ્હીઃ ટીવી પર બેયર ગ્રિલ્સનો શો મેન vs વાઈલ્ડ ખૂબ જાણીતો છે. ગત વર્ષે આ શોમાં વડાપ્રધાન મોદી જોડાયા હતા અને આ એપિસોડને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત પણ આ શો માં ભાગ લેવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રજનીકાંત જલ્દી જ બેયર ગ્રિલ્સ સાથે આ શો ના એપિસોડનું શૂટિંગ કરશે. વડાપ્રધાન મોદી આ શોમાં આવ્યા ત્યારે તેનુ શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં થયું હતું તો રજનીકાંતવાળા એપિસોડનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં થશે. ચેન્નઈના પત્રકાર શબ્બીર અહમદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

સુપરસ્ટાર રજનીકાંતને ભારતના સૌથી સફળ એક્ટર માનવામાં આવે છે.

બજેટની ત્રણ બાબતો પર રહેશે સૌની નજર

જેટ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર તે જાહેર થાય તેવી રાહ છે. બજેટમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તક દર વખતે હોતી નથી, તેથી નાના મોટા ફેરફારો જ તેમાં થતા રહેતા હોય છે, પણ દર વખતે કેટલીક બાબતો પર સૌની નજર વધારે હોય છે. આ વખતે પણ કેટલીક બાબતો પર સૌની વધારે નજર છે. મુખ્ય એક મુદ્દો સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે કે સરકાર એવું શું કરશે કે લોકોના હાથમાં થોડા પૈસા વધારે બચે. લોકોના હાથમાં પૈસા બચે તો તેને ખર્ચ કરવાનું મન થાય અને ખર્ચ કરે તો બજારમાં પૈસો ફરતો થાય અને અર્થતંત્ર નીચે જતું અટકે.
અર્થશાસ્ત્રીઓ તેને પોતાની ભાષામાં સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડ કહે છે. માગ અને પુરવઠો એ બે મુખ્ય બાબત હોય છે. અર્થતંત્રમાં ઉત્પાદનનો પુરવઠો વધે તે માટે પ્રયાસો થઈ શકે અથવા માગ વધે તે માટે પ્રયાસો થઈ શકે. અત્યારે મુશ્કેલી એ થઈ શકે છે કે લોકોની માગ ઘટી છે. એટલે કે ડિમાન્ડ સાઇડની મુશ્કેલી છે. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતમજૂરોની આવક ઉલટાની ઘટી છે. તેથી તેઓ ઓછી વસ્તુઓ ખરીદે છે અને તેથી ઉદ્યોગોનું વેચાણ ઘટે છે. આ સુસ્તીમાંથી બહાર આવવા લોકોમાં માગ વધે તેવું કરવું પડે.

માગ વધારવા લોકોના હાથમાં પૈસા રહે તેવું કરવું પડે. સીધો અર્થ થાય ટેક્સ ઘટાડવો. ત્રણેક પ્રકારના ટેક્સ ઘટાડવા માટેની આશા રાખીને નિષ્ણાતો બેઠા છે. ગુજરાતીઓને આમાં વધુ રસ પડે તેવું છે, કેમ કે ત્રણેય બાબતોની સીધી અસર ગુજરાતીઓને થાય. આમ તો બધાને થાય, પણ ગુજરાતીઓને વધારે થાય કેમ કે શેરબજાર સાથે બે બાબતોને સંબંધ છે. એક જ છે ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો. તેનો ફાયદો બધાને થાય, ગુજરાતીઓને પણ થાય. તે પછીની બે બાબતો છે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન અને ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ. આ બંને બાબતો શેર બજાર સાથે જોડાયેલી છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે લાંબા ગાળાના મૂડી ફાયદા પર ટેક્સ લેવામાં આવે છે. શેરમાં રોકાણ કર્યું હોય અને વર્ષ દરમિયાન લે વેચ કરી હોય તેમાંથી નફો થાય તો કેપિટલ ગેઈન ભરવો પડે. એક જ વર્ષમાં શેરમાં એક લાખ રૂપિયાથી વધારેનો નફો થાય તો 10 ટકા કેપિટલ ગેઈન લાગે.

આ મામલો હંમેશા ચર્ચામાં રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે 2004-05માં યુપીએ-પ્રથમની સરકાર બની ત્યારે નાણા પ્રધાન ચિદંબરમે કેપિટલ ગેઈન ટેક્સ હટાવવાનું કામ કર્યું હતું. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન નાબૂદ કરાયું હતું. તેની પાછળનો ઇરાદો એ હતો કે લોકો લાંબો સમય રોકાણ રાખે અને પછી નફો કરે તો ટેક્સ ના લેવો. એક જ વર્ષના ગાળામાં લેવેચ કરનારા વેપારી હોય, જ્યારે શેર લઈને બેચાર વર્ષ રાખી મૂકનારા રોકાણકાર હોય. શેરનું કામકાજ કરનારા કરતાં લાંબા ગાળા સુધી શેર રાખનારા રોકાણકારો જુદા કહેવાય. તેથી આવા રોકાણકાર પર ટેક્સ ના લગાવવાનું નક્કી થયું હતું.

લાંબો સમય તેમ ચાલ્યું, પરંતુ અરુણ જેટલીએ 2017-18માં ફરીથી કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કર્યો. એક વર્ષમાં શેરના કામકાજમાં એક લાખથી વધુની આવક પર 10 ટકા ટેક્સ લાગતો થયો છે. આમ તો દલીલ એવી છે કે શેરનું કામકાજ કરીને કમાતા હોય તેના પર ટેક્સ લેવો જોઈએ, પણ તેની સામે બજારમાં તરલતા ઓછી થઈ જાય છે. બજારમાં તરલતા રહે તો બધા રોકાણકારોને ફાયદો હોય છે. તેથી એવી દલીલ કરનારા કહેતા હોય છે કે આ ટેક્સ ના લો. એવી માગણી થઈ રહી છે કે તેને નાબુદ કરવો જોઈએ. સાવ નાબુદ ના કરી શકાય, કેમ કે બાકીના લોકોનો વિરોધ થાય, તેથી ટેક્સનો દર ઓછો કરવાની પણ માગણી છે. આ માગણી નિર્મલા સિતારમણ માન્ય રાખશે તેવી આશા છે. 10 ટકાના બદલે પાંચથી સાત ટકા જ ટેક્સ લેવામાં આવે તેવી માગણી શેરબજારના વેપારીઓ તરફથી મૂકવામાં આવી છે. બીજી માગણી એ છે કે કેટલા સમયમાં શેર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ અને કેટલા સમયે વેચવામાં આવે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ગણવો, તેમાં ફેરફારની માગણી પણ છે. જોવાનું એ રહે છે કે મુદતમાં ફેરફાર થાય છે કે વેરાના દરમાં.

કંપનીઓ તરફથી શેરધારકને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કંપનીઓ ડિવિડન્ડ ચૂકવે ત્યારે તેના પર સરકાર ટેક્સ લે છે. ગુજરાતીઓએ નાનું મોટું રોકાણ શેરમાં કર્યું જ હોય એટલે ડિવિડન્ડ આવે તેમાંથી ટેક્સ કપાઈને આવતો હોય છે. કંપનીઓનું કહેવું છે કે નફો ત્યારે તેના પર સરકારને ટેક્સ ચૂકવવામાં આવે જ છે. આવક પર એકવાર ટેક્સ ચૂકવાઈ ગયો હોય, પણ તે પછી તે આવકની વહેંચણી શેરધારકોને કરવામાં આવે ત્યારે ફરીથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ લાગે છે. આમ બેવડો કર ના લાગવો જોઈએ એવી માગણી છે. આવો ટેક્સ 20 ટકા સુધીનો હોય છે. બીજું કે 10 લાખથી વધુની આવક ડિવિડન્ડથી થાય ત્યારે વધારે 10 ટકા ટેક્સ લાગતો હોય છે. આ બધી બાબતોથી શેરબજારના લોકો વધારે સારી રીતે વાકેફ હોય છે અને તેની ગણતરી કરીને જ રોકાણ કરેલું હોય છે. આમ છતાં શેરબજારમાં રોકાણનું આકર્ષણ રહે અને કામકાજમાં તથા ગણતરીમાં સરળતા રહે તે માટે પણ નિયમોમાં ફેરફારની માગણીઓ થતી રહે છે. આ વખતે પણ એ જ રીતે બંને માગણીઓ છે, પણ પૂરી થશે કે કેમ તે જોવાનું રહે છે.

ત્રીજી માગણી જે દેશમાં બધાને અને લગભગ પાંચ કરોડ લોકોને સ્પર્શે છે તે છે આવક વેરાની. 135 કરોડની વસતિમાં હજીય પાંચથી છ કરોડ લોકો રિટર્ન ભરે છે અને તેમાં નાની રકમની આવકવાળા વધારે છે. ઘણા વર્ષોથી સ્લેબમાં ધીમો ધીમો વધારો જ થઈ રહ્યો છે. અઢી લાખથી પાંચ લાખની મર્યાદા ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. ગત વખતે બજેટ રજૂ થયું ત્યારે રિબેટની જોગવાઈ દાખલ થઈ હતી. એવી રીતે રિબેટ આપવામાં આવે કે પાંચ લાખ સુધી ટેક્સ ભરવો ના પડે, પણ મર્યાદા અઢી લાખની જ રહી હતી.

તેથી લાંબા સમયની માગણી પ્રમાણે પાંચ લાખનો પ્રથમ સ્લેબ કરવાની આશા ઘણાને છે. ફુગાવા પ્રમાણે આટલી આવક ઘણાની થઈ ગઈ છે, પણ સામે ખર્ચા વધ્યા છે. બાળકોને ભણાવવાથી માંડીને આરોગ્યના ખર્ચા વધ્યા છે, સામે વેરામાં રાહત મળતી નથી. બીજું, પ્રથમ પાંચ ટકાના સ્લેબ પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે. 10 ટકાની આવક પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે.

ડાયરેક્ટ ટેક્સ કોડમાં મોટા પાયે ફેરફારોની ચર્ચા બે દાયકાથી થાય છે, પણ તેનો અમલ પૂર્ણ રીતે થયો નથી. સ્લેબ વધારે હોય, પાંચ પાંચ ટકાના હોય, અને ધીમે ધીમે વધતા જાય તો લોકોને વાત વાજબી લાગે. 15 લાખ અને 15 કરોડ કમાતા બંને પર લગભગ સરખી ટકાવારીમાં વેરો લેવાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે વધુ કમાતા પર વધુ ટેક્સની માગણી થાય.

મૂળ માગણી પેલી છે કે લોકોના હાથમાં પૈસા રહે તેવું કરો. આવક વેરામાં ફેરફારથી સીધી અસર થાય. જેટલો વેરો ઓછો થાય તેટલી આવક લોકોના હાથમાં રહે અને આ મધ્યમ મધ્યમ વર્ગ હોવાથી તેમના દ્વારા પૈસા વપરાવાની શક્યતા વધારે. પાંચ દસ કરોડની આવકવાળાને થોડો ઓછો ટેક્સ ભરવો પડે તેનાથી ખર્ચમાં વધઘટ ના થાય, માત્ર રોકાણમાં અસર થાય. મધ્યમ વર્ગ માટે રોકાણ કરતાં ખર્ચની શક્યતા વધારે હોય છે. તે સિવાયનું પગલું ગ્રામીણ વિસ્તારમાં ખેડૂત, ખેતમજૂરના હાથમાં વધારે પૈસા પહોંચે તે માટેનું છે, પણ તે કેવી રીતે થશે તે સ્પષ્ટ નથી. મનરેગા જેવી યોજનામાં ફાળવણી વધારવી, ટેકાના ભાવ માટે વધારે ફાળવણી કરવી, ખેડૂતોની છ હજારની સીધી સહાય થાય છે તેમાં વધારો કરવો વગેરે પગલાં લેવાઈ શકે છે. પણ તેની ચર્ચા અલગથી થઈ રહી છે અને તેમાં જુદી જુદી માગણી છે.

સૌથી વધુ ચર્ચા આ ત્રણ બાબતોની છે – આવક વેરો, કેપિટલ ગેઈન ટેક્સ અને ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ. તેથી ભારતમાં પ્રથમવાર પૂર્ણ કક્ષાના નાણાં પ્રધાન બનેલા નિર્મલા સિતારમણ તેમનું પ્રથણ પૂર્ણ નાણાકીય વર્ષનું બજેટ કેવું લઈને આવે છે તે જોવાનું રહેશે. એક ગૃહિણી તરીકે કુટુંબની આવકમાં થોડો વધારો થાય તો શું થઈ શકે તે તેઓ જાણતા હોવો જોઈએ, તેમ માનીને લોકોના હાથમાં થોડા પૈસા બચે તેવું કરશે તેવી અપેક્ષા છે.

અદનાનને પદ્મશ્રીઃ માયાવતીને કહા, મુઝકો ભી તો સુન લો…

લખનઉઃ પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને પદ્મશ્રી સમ્માન આપવાની જાહેરાત પછી સર્જાયેલા રાજકીય ઘમાસાણમાં બસપા સુપ્રીમો માયાવતી પણ જોડાયા છે. માયાવતીએ કહ્યું છે કે, જો પાકિસ્તાની મૂળના ગાયકને નાગરિકતા અને સન્માન મળી શકે છે તો પછી પાકિસ્તાની મુસ્લીમોને પણ સીએએ અંતર્ગત દેશમાં શરણ મળવું જોઈએ. માયાવતીએ કેન્દ્રની મોદી સરકારને સીએએ પર પુનર્વિચાર કરવાની સલાહ પણ આપી.

માયાવતીએ ટ્વીટ કરતા લખ્યું કે, પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને જ્યારે ભાજપ સરકાર નાગરિકતા અને પદ્મશ્રીથી સન્માનિત કરી શકે છે તો પછી અત્યાચારનો શિકાર બને પાકિસ્તાની મુસલમાનોને ત્યાંના હિંદુ, શીખ, ઈસાઈ સહિતના લોકોની જેમજ અહીંયા સીએએ અંતર્ગત શરણ શા માટે ન આપી શકે? કેન્દ્ર સીએએ પર પુનર્વિચાર કરે તો સારુ રહેશે.

પાકિસ્તાનથી આવીને ભારતમાં વસી રહેલા ગાયક અદનાન સામીએ પોતાને પદ્મશ્રી મળ્યાને લઈને થયેલા વિવાદ પર પોતાના અંદાજમાં જવાબ આપ્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા જયવીર શેરગિલના પ્રહારોનો જવાબ, પોતાનું ફેમસ ગીત “કભી તો નજર મિલાઓ” ગાઈને આપ્યો. તેમણે ભાજપના નેતા સંબિત પાત્રાના નિવેદન પર પણ “મુજ કો ભી તો લિફ્ટ કરા દે” ગાઈને જવાબ આપ્યો.

અદનાન સામીએ આ મામલે વાત કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે પોતાના પિતાનો ફોટો પણ બતાવ્યો. સામીએ કહ્યું કે, કોંગ્રેસની લીડરશીપે તેમને બહુ પ્રેમ આપ્યો છે પરંતુ જયવીર શેરગિલને ખ્યાલ નથી કે તેઓ શું કહી રહ્યા છે.

2002 રમખાણોના સત્તર આરોપીને શરતી જામીન

નવી દિલ્હી: 2002 ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે સરદારપુરા ગામના 17 આરોપીઓને શરતી જામીન આપ્યા છે. કોર્ટે આરોપીઓને બે અલગ અલગ બેન્ચમાં રાખ્યા હતા. એક બેન્ચને ઈન્દોર અને એક બેન્ચને જબલપુર મોકલવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીઓને કહ્યું છે કે, જામીન પર રહેવા દરમ્યાન તેમણે સામાજિક અને ધાર્મિક કામ કરવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરમાં અધિકારીઓને કહ્યું છે કે, તેઓ જામીન દરમ્યાન આરોપીઓ સામાજિક અને આધ્યાત્મિક કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખે. કોર્ટે આરોપીઓને તેમની આજીવિકા માટે પણ કામ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને સહમતી રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. સાથે જ અધિકારીઓને આરોપીઓના આચરણ મામલે પણ રિપોર્ટ આપવા કહ્યું છે.

ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની નેતૃત્વવાળી બેન્ચે આરોપીઓને જામીન આપ્યા છે. આ બેન્ચમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ હતા.

મહત્વનું છે કે, ગોધરા કાંડ પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર રમખાણો થયા હતા. તેમાં 33 લોકોના મોત થયા હતાં. આ મામલે હાઈકોર્ટે 14 આરોપીઓને છોડી મૂક્યા હતા જ્યારે 17ને આજીવન જેલની સજા સંભળાવી હતી અને આ 17 આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાનો હવાલો આપીને જામીન માંગ્યા હતા.

અગાઉના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. તેમનો કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે. અને આરોપીઓ ઘણા સમયથી જેલામાં બંધ છે. આરોપીઓના ગુજરાત પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અનુરાગ ઠાકુરના ગોળી મારવા વાળા નિવેદન પર દિલ્હીના ચૂંટણી અધિકારીએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આ મામલે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ રિપોર્ટ માંગ્યો છે. રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરતા અનુરાગ ઠાકુરે ચૂંટણી રેલીમાં ગદ્દારોને ગોળી મારવા વાળું નિવેદન આપ્યું છે. રેલીમાં તેમણે કહ્યું કે, દેશના ગદ્દારોને ગોળી મારો.

રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીને ગિરિરાજ સિંહના નજીકના માનવામાં આવે છે. ત્યારે લોકો સાથે વિવાદિત નારા લગાવડાવ્યા બાદ અનુરાગ ઠાકુર નિશાને આવી ગયા છે. વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોઈ આવા વ્યક્તિને મંત્રી મંડળમાં નહી પરંતુ જેલમાં હોવું જોઈએ. ભાજપને કેબિનેટમાં આ પ્રકારના લોકો જ મળે છે.

ભાજપ પર હુમલો કરતા દિલ્હી કોંગ્રેસની પ્રચાર સમિતિના પ્રમુખ કીર્તિ આઝાદે કહ્યું કે, ભગવા દળના નેતા ગદ્દાર છે જે શાંતિ અને સ્થિરતા બગાડવા માટે કરી રહ્યા છે. આ વિવાદિત નારો કપિલ મિશ્રા જેલા ભાજપના નેતા લગાવતા રહ્યા છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્તરના પાર્ટીના નેતા આમાં જોડાયા છે.

શાહીનબાગના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ભાજપ સાંસદનું નિવેદન

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને એક કલાકમાં હટાવી શકાય છે. તેમણે કહ્યું કે, જો ભાજપની સરકાર અહીંયા બને તો સરકારી જમીન પર બનેલી મસ્જિદોને એક મહિનામાં દૂર કરી દઈશું. સાંસદે કહ્યું કે, આ માત્ર એક ચૂંટણી નથી પરંતુ દેશની એકતા પર નિર્ણય કરવાનો સમય છે. જો ભાજપ 11 ફેબ્રુઆરીના રોજ સત્તામાં આવશે તો આપને એક કલાકની અંદર ત્યાં એક પણ પ્રદર્શનકારી નહી દેખાય. એક મહિનાની અંદર સરકારી જમીન પર બનેલી એક પણ મસ્જિદને અમે નહી છોડીએ. પશ્ચિમ દિલ્હીથી સાંસદ વર્મા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વિકાસપુરીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. વર્માએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ કહે છે કે હું શાહીનબાગની સાથે છું. દિલ્હીની પ્રજા જાણે છે કે એક આગ થોડાંક વર્ષો પહેલાં કાશ્મીરમાં લાગી હતી. ત્યાં કાશ્મીર પંડિતોની બહેન-દીકરીઓની સાથે રેપ થયો હતો. ત્યારબાદ આ આગ યુપી, હૈદ્રાબાદક, કેરળમાં લાગતી રહી. તેમણે આગળ કહ્યું કે આજે એ આગ દિલ્હીના એક ખૂણામાં લાગી ગઇ છે. ત્યાં લાખો લોકો એકત્ર થયા છે અને આગ દિલ્હીના ઘરો સુધી પહોંચી શકે છે. દિલ્હીના લોકોને સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે. આ લોકો ઘરમાં ઘૂસશે. તેમની બહેન-દીકરીઓને ઉઠાવશે, રેપ કરશે, તેમને મારે. આથી આજે સમય છે. કાલે મોદી અને અમિત શાહ બચાવા આવશે નહીં.

ભાજપ સાંસદે કહ્યું કે શાહીન બાગમાં કયા લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને કોણ સમર્થન આપી રહ્યું છે બધાને ખબર છે. તેમણે કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો અમે એક કલાકમાં શાહીન બાગને ખાલી કરાવી દઇશું. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે હું કોઇપણ સૂરતમાં નિવેદન પાછું લઇશ નહીં અને નજફગઢમાં આજે ચૂંટણી પ્રચાર કરતાં પણ તેને ફરીથી કહી રહ્યો છું.

ભાજપ સાંસદે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન ગોળી મારો…નો પણ બચાવ કર્યો. તેમણે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં કહ્યું કે દેશના ગદ્દારોને ગોળી મારવાની વાત કહી છે. તેમણે કહ્યું કે દેશની પ્રજાની ભાવના છે કે ગદ્દારોને છોડવામાં આવે નહીં. આ હું નથી કહી રહ્યો આ દેશની પ્રજા કહી રહી છે. તમે દેશની પ્રજાને જઇ પૂછો કે તેમનું શું માનવું છે.

કોરોના સંકટઃ ચીનમાંથી ભારતીયોને લાવવા એર ઈન્ડિયાનું વિમાન સજ્જ

મુંબઈ – ચીનમાં કોરોના નામની એક નવી બીમારીને કારણે અત્યાર સુધીમાં 106 જણ માર્યા ગયા છે અને નવા 1300 કેસ નોંધાયા છે. આખા ચીનમાં ગભરાટ ફેલાયેલો છે ત્યારે ત્યાં ફસાઈ ગયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે.

કોરોના વાઈરસનું કેન્દ્રબિંદુ વુહાન શહેર ગણાય છે, જે હુબેઈ પ્રાંતમાં આવેલું છે.

મુંબઈમાં એર ઈન્ડિયાના બોઈંગ 747 વિમાનને તૈયાર રાખવામાં આવ્યું છે અને સૂચના મળે કે તરત એ ચીન જવા રવાના થશે અને વુહાન શહેરમાંથી ફસાયેલા ભારતીયોને પાછા લાવશે.

વુહાન શહેર

ભારતમાં સત્તાવાળાઓ બીજિંગમાંની ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. દૂતાવાસના અધિકારીઓ પણ ભારતીયોને મદદરૂપ થવા માટે ચીનના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.

બીજિંગમાંની ભારતીય દૂતાવાસ માટે 3 હોટલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

818612083617,

818612083629,

818610952903

વુહાન શહેરમાં આશરે 250 ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો ફસાઈ ગયા છે.

ચીનમાં કોરોના વાઈરસને કારણે શાળા-કોલેજો હજી બંધ છે.

એર ઈન્ડિયાના વિમાનને વુહાન મોકલવા માટે એર ઈન્ડિયાને અનેક પ્રકારની મંજૂરીઓ લેવી પડે એમ છે, જે માટે તે પ્રયત્નશીલ છે. વુહાન એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ઉતારવાની વિશેષ મંજૂરી માગવામાં આવી છે.

ભારત સરકારે કહ્યું છે કે ચીનમાં ફસાઈ ગયેલા ભારતીયોને પરત લાવવા માટે આપણે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છીએ. એર ઈન્ડિયાનું વિમાન, તેના ક્રૂ મેમ્બર્સ, મેડિકલ ટીમ સજ્જ છે તથા વિમાન માટે જરૂરી તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. પરંતુ વુહાન શહેરમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે અને ત્યાં ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પાવરની પરિક્રમા : વાયરથી વાયરલેસ સુધી

લેક્ટ્રિક ઉપકરણોનો છેલ્લા બે-ત્રણ દસકામાં ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે ગૂંચવાડા ભર્યા વાયરીંગથી ઘરની છતો અને સોકેટ્સ, પ્લગ્સ તથા સ્વીચોથી દીવાલો ભરાઈ ગઈ છે. ઘર-વપરાશ કે ઓફીસ માટેના કોઈપણ સાધન ખરીદવા નીકળીએ, ચાલે છે ઇલેક્ટ્રિકથી અથવા તો ઇલેક્ટ્રિક દ્વારા ચાર્જ થઇ શકે તેવી બેટરીથી. પળોજણમાં વધારો એ પણ થયો છે કે એકસરખા વોટથી દરેક સાધનો ચાલતા નથી એટલે અલગ-અલગ વોટના એડપટર્સ અને ચાર્જર્સને જીવની જેમ સાચવવા પડે છે અને ખોવાઈ જાય તો નાછૂટકે ખર્ચો કરીને ફરીવાર ખરીદવા પણ પડે છે.

“મારા ગેઝેટની બેટરી થોડીવારમાં ઉતરી તો નહિ જાય ને” આવી નવા જ પ્રકારની એક માનસિક તાણથી અંદાજે 73 ટકા લોકો પીડાય છે તે જાણ દુનિયાને ગયા જુલાઈમાં ત્યારે થઇ કે જયારે અમેરિકાની એક સંસ્થાએ એક આંતરરાષ્ટ્રીય સર્વે કર્યો. પીડાથી આગળની અસહ્ય હકીકત તો એ છે કે આપણા દેશમાં દૈનિક ૩૦ કરતા વધુ મૃત્યુઓ તો માત્ર ઇલેક્ટ્રિક સંબધિત અકસ્માતોથી જ નોંધાય છે. આ આંકડાઓ ઘટાડવા આપણી મદદે હવે “વાયરલેસ પાવર” આવી ચૂક્યો છે.

વાયરોના ઉપયોગ વગર પાવરને ટ્રાન્સફર કરી શકાય કે નહિ તે કોયડાનો ઉકેલ આમ તો ૧૯૦૧ની સાલમાં દૂરંદેશી વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ આપી જ દીધેલો. પરંતુ વિજ્ઞાનજગતમાં આ બાબતે કોઈ નોંધપાત્ર શોધ-સંશોધનો એ પછી થયા નહિ. હવે જયારે વાયરોના માળખાઓનો  અણગમો દુનિયાભરમાં વધવા લાગ્યો છે ત્યારે વાયરલેસ પાવર કોન્સોર્ટિયમ (WPC) અને એર-ફ્યુઅલ એલાઈન્સ (AFA) જેવી બે વૈજ્ઞાનિક સંસ્થાઓ ઉપરાંત કેટલીક પ્રાઇવેટ કંપનીઓએ છેલ્લા થોડા વર્ષોમાં નાવિન્યપૂર્ણ સંશોધનોની હારમાળા સર્જીને વાયરલેસ પાવરને ફરી એકવાર ચર્ચાની એરણે ચડાવી દીધો છે.

વાયરલેસ પાવર માટે અડધા ડઝન જેટલી ટેકનોલોજીઓ માર્કેટમાં અત્યારે ચલણમાં છે. જુદી-જુદી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને દુનિયાભરની કેટલીયે સંસ્થાઓ/કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સમાં વાયરલેસ પાવરનો કેવો “ઓહ માય ગોડ” ઉપયોગ કર્યો છે તે જાણવા જેવું છે.

એર-ફ્યુઅલ એલાઈન્સ (AFA) નામની સંસ્થા અમેરિકા અને યુરોપના અંદાજે ૨૫૦૦ જેટલા એરપોર્ટ્સ, હોટેલ્સ અને કાફેનાં વાયરલેસ ચાર્જિંગ સ્પોટ્સનું અત્યારે સંચાલન કરી રહી છે. આ એરિયામાં તમે પ્રવેશ કરો એટલે તમારા મોબાઈલની બેટરી કોઈ પ્લગ, વાયર કે ચાર્જર વગર જ ચાર્જ કરી શકો છો. એવી જ બીજી સંસ્થા વાયરલેસ પાવર કોન્સોટરીયમ (WPC) છે, જેણે 2.5 વોટથી  2200 વોટ સુધી ચાલતા સાધનો માટે વાયરલેસ પાવર પૂરો પાડવાની ટેકનોલોજી હસ્તગત કરી લીધી છે. સેમસંગ કંપની પછી તાજેતરમાં એપલ કંપનીએ પણ WPCના Qi (ઉચ્ચારે “ચી”) સ્ટાન્ડર્ડનો મોબાઈલ ફોન અને બીજા ગેઝેટ્સને વાયરલેસ પાવરથી ચાર્જ કરવા માટે ઉપયોગ શરુ કર્યો છે. બીજી અનેક વૈશ્વિક કંપનીઓએ પણ Qiનો વપરાશ ચાલુ કરી દીધો છે.

Qi સ્ટાન્ડર્ડ  દ્વારા 15 વોટ સુધીના લો-પાવર કહી શકાય તેવા ઇલેક્ટ્રિક ટુથબ્રશ, ટીવીનું રીમોટ, સિક્રેટ જાસુસી કેમેરા, ફિટનેસ બેન્ડ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ, હેડફોન્સ, મોબાઈલ સ્માર્ટફોન, ગેઈમીંગ કંટ્રોલર્સ વિગેરેને વાયરલેસ પાવરથી સફળતાપૂર્વક ચાલતા કરીને WPCએ ધૂમ મચાવી દીધી છે. ફર્નીચરની વિદેશી બ્રાન્ડ IKEA લાકડાના ટેબલટોપ નીચે વાયરલેસ પાવરનું ટ્રાન્સમીટર ફિટ કરી આપે છે. તમારું ગેઝેટ આવા ફર્નીચર ઉપર મૂકતા જ વાયરલેસ પાવર દ્વારા તરત તેનું ચાર્જિંગ શરુ થઇ જાય છે. વિદેશ પ્રવાસ અવારનવાર કરતાં લોકોએ નોંધ્યું પણ હશે કે આ રીતના ટ્રાન્સમીટર ફીટ કરેલા ટેબલ-લેમ્પ, સ્પીકર્સ અને બીજા અનેક એપ્લાઇન્સીસ ઘણાં સમયથી માર્કેટમાં વેચાઈ રહ્યા છે.

વાઈટ્રીસીટી નામની પ્રાઇવેટ કંપનીએ વાયરલેસ પાવરથી ચાલતી કાર ચાર્જિંગ સિસ્ટમ લૉન્ચ કરી છે. તમારી ઇલેક્ટ્રિક કાર તમે જ્યાં પાર્ક કરો તે જમીન નીચે એક ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવે છે. કાર પાર્ક થાય એટલે કારનાં બોનેટ નીચે ફિટ કરેલા રીસીવરમાં વાયરલેસ પાવર પહોંચી જાય છે અને કારની બેટરી વાયરલેસ પાવરથી ચાર્જ થવા લાગે છે. રસ્તાઓ ઉપર ફૂટપાથ જેવી  “ચાર્જીંગ લેન” બનાવીને વાહનો લેન ઉપર ચાલતા હોય ત્યારે ચાલતી અવસ્થામાં જ તેમને સતત આ જ પ્રકારે વાયરલેસ પાવર પહોંચાડીને ચાર્જ કરી શકાય છે. યુ.કે., ઇટાલી, નેધરલેન્ડ અને દક્ષિણ કોરિયામાં તો મોટી-મોટી બસો અત્યારે પ્રાયોગિક ધોરણે આ રીતે ચાલી રહી છે. ડેલ કંપનીની લેટીટ્યુડ સિરીઝનાં કેટલાક લેપટોપ મોડલ અને જાપાનની વિશ્વપ્રસિદ્ધ કંપની ડાઇહેન કોર્પોરેશન દ્વારા બનાવાતા રોબોટ્સ પણ આ જ રીતે વાયરલેસ પાવરથી ચાલે છે.

નવી ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સને જોવા-જાણવા અને તે આવનારા સમયમાં કેવીક સફળ રહેશે તેનો ક્યાસ કાઢવા વિશ્વભરનાં કેટકેટલાય ટેકનોફેરની મુલાકાતે જવાનો શોખ ધરાવતાં કચ્છીમાડુ બ્રિજેશભાઈ ઠક્કરનું વાયરલેસ પાવર બાબત કહેવું છે કે “CTA (કન્ઝ્યુમર ટેકનોલોજી એસોસીએશન) દ્વારા દર વર્ષે વિદેશોમાં CES નામનો મેળો આયોજિત કરાય છે. પોતે કરેલા નોંધપાત્ર સંશોધનોનું સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે દુનિયાની  ટોપ-મોસ્ટ સંસ્થાઓ આ મેળામાં ભાગ લે છે. ગયા વર્ષનાં આ મેળામાં પોર્ટેબલ પાવર ટુલ્સ, વેક્યુમ ક્લીનર, મધ્યમ કક્ષાનાં ડ્રોન્સ, ઈલેકટ્રીક બાઈક્સ, બ્લેન્ડર્સ, મિકસર્સ, હોટપ્લેટ્સ વિગેરે જેવા કિચન એપ્લાઈન્સીસ સહિતના મીડીયમ પાવર ઉપકરણો વાયરલેસ પાવરથી કેવા આસાનીથી ચાલે છે તેના ડેમો આપવામાં આવેલા. મતલબ સાફ છે કે ઓપન માર્કેટમાં ટૂંક સમયમાં જ આ બધી પ્રોડક્ટસ હવે વેચાણ અર્થે ઉપલબ્ધ થવાની છે”.

એક સર્વેના તારણ મુજબ સાલ 2020 સુધીમાં દુનિયાભરમાં વાયરલેસ પાવરથી અંદાજે 20000 કરોડ (જી હા… વીસ હજાર કરોડ)  સેન્સર્સને પાવર પહોંચાડવાનું વિશાળ બજાર ઉભું થવાની શક્યતા છે. કારણ એ છે કે; વાર્ષિક ધોરણે 300 કરોડ બેટરીઓનાં ડીસ્પોઝલથી પર્યાવરણને થતા નુકસાન અને સાવ ઝીણા સેન્સર સાથે મોટી સાઈઝની બેટરીનું કજોડું યોગ્ય ન હોવાથી સેન્સર્સ સાથે બેટરી લગાવવાનું કંપનીઓ ટાળી રહી છે. વાયરલેસ પાવરની ટેકનોલોજીની સફળતા માટે આ પરીબળ ખુબ જ અગત્યનું સાબિત થઇ રહ્યું છે.

હવામાં ઉડતા વિમાનોમાં અને જમીન ઉપર ચાલતા અતિ મોંઘા ફોર-વહીલર વાહનોમાં કેટલાય સ્વયંસંચાલિત સ્પેરપાર્ટ્સ હોય છે. સેન્સર્સ દ્વારા મળતાં સંદેશાઓ અનુસાર આ સ્પેરપાર્ટ્સ ચાલુ-બંધ થતા હોય છે. આ જ રીતે  હોસ્પીટલાઈઝ્ડ દર્દીઓની તબિયત અંગેનાં ગ્રાફ્સ અને આંકડાઓ તેમના શરીર સાથે લગાવેલા સેન્સર્સ દ્વારા જ ડૉક્ટર્સને મળતા હોય છે. જો આ સેન્સર્સ બેટરી દ્વારા પાવર મેળવતા હોય અને જો બેટરી ઉતરી જાય તો યાત્રાની દિશા સ્વર્ગલોક તરફ ફંટાવાની શક્યતાઓ વધી જાય છે. આવી ગંભીર ઘટનાઓને અટકાવવા સોનિક-એનર્જી નામની કંપનીએ અલ્ટ્રા-સાઉન્ડ ટેકનોલોજીથી ચાલતા ટ્રાન્સમીટર બનાવ્યા છે જે આવા સેન્સર્સને સતત વાયરલેસ પાવર મોકલતા રહે છે.

દુનિયાની સૌથી મોટી રિટેઇલ ચેઇન વોલમાર્ટ દ્વારા ક્યા શહેરનાં પોતાના ક્યા સ્ટોરમાં કઈ પેલેટ અને રેક ઉપર કઈ અને કેટલી પ્રોડકટ પડી છે તેના લોકેશન ઉપર રીયલ-ટાઈમ સજ્જડ નજર રાખવા “ઓશિયા” નામની કંપની સાથે રેડિયો ફ્રિકવન્સી ટેકનોલોજીથી ચાલતું “કોટા ફોરએવર ટ્રેકર” ઇન્સ્ટોલ કરવાના કરાર કરવામાં આવ્યા છે.  મોટા મોલ કે રીટેઈલ શોપની અંદર ઊંચા રેકની ઉપરનાં શેલ્ફમાં પડેલા નાના-મોટા પ્રોડક્ટ્સ આસાનીથી ગ્રાહકોનાં ધ્યાનમાં આવે તે માટે આવી પ્રોડકટ ઉપર આકર્ષક ઝગમગતી લાઈટ, વિવિધ રંગના શેડ્સ અને સાંભળવા ગમે તેવા સાઉન્ડ ફેલાવતા સ્ટીકર્સ લગાવીએ તો કેમ? આ વિચારની સ્ફૂરણા થયા પછી પાવરકાસ્ટ નામની કંપનીએ “પાવર-હાર્વેસ્ટર” નામની રીસીવર ચીપ ધરાવતાં રીટેઈલ લેબલ બજારમાં મુક્યા છે. દુનિયામાં આકાર લઇ રહેલા અનેક સ્માર્ટ-સીટીઓમાં પબ્લિક અને પ્રાઇવેટ સ્થળોએ લગાવેલા સાઈઝમાં સાવ ઝીણા અસંખ્ય સેન્સર્સને  લેસર ટેકનોલોજીથી વાયરલેસ પાવર પહોંચાડવા માટે WI-CHARGE નામની એક કંપની માહિર છે.

ઈન્ટરનેટ માટેનાં ઘરેઘરે વપરાતા રાઉટર જેવું પરંતુ ઈન્ટરનેટનાં સ્થાને વાઈફાઈથી પાવર ટ્રાન્સમીટ કરતું ઓશિયા કંપનીનું “કોટા” નામનું ટ્રાન્સમીટર આજકાલ આખી દુનિયામાં ખુબ જ ચર્ચાસ્પદ બન્યું છે. રેડીઓ ફ્રીક્વન્સી ટેક્નોલોજીથી કામ કરતું આ ટ્રાન્સમીટર વાઇફાઇ ઇન્ટરનેટ માફક જ તેની રેન્જ મુજબના એરિયામાં પાવર વહેતો મૂકી શકે છે.  હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, કોફીશોપ, શોપિંગ મોલ્સ, એરપોર્ટ અને રેલ્વે-સ્ટેશન, લોકલ બસ, ટ્રેઈન વિગેરે જેવા વધુ અવરજવર વાળા લોકેશનમાં આપણને ઇન્ટરનેટ માટેના વાઇફાઇ ઝોન જોવા મળે છે તે માફક જ વાયરલેસ પાવરના “ચાર્જિંગ ઝોન” હવે આપણા દેશમાં જોવા મળે તે દિવસો હવે ખાસ દૂર નથી.

ક્ષિતિજને પેલે પારની કલ્પનાને ઉડાન આપનાર વૈજ્ઞાનિકોએ જ આ વસુંધરાને આપણા વસવાટ કરવા માટે યોગ્ય બનાવી રાખી છે તેમાં કોઈ બેમત નથી. સ્પેસમાં સોલાર પેનલ સાથેનો એવો વિશાળ સેટેલાઈટ ગોઠવી શકાય કે નહિ કે જે સોલાર પાવરને માઈક્રોવેવમાં પરિવર્તિત કરીને બીમ-ફોર્મિંગ દ્વારા વાયરલેસ પાવરનો સેરડો પૃથ્વી ઉપરના સ્થાવર અથવા વાહનમાં ફીટ કરેલા રીસીવરનાં એન્ટીના સુધી પહોંચતો કરી દઈ શકે? અત્યારે નરી  કલ્પના લાગતી આ શોધને સફળ બનાવવા અનેક હોનહાર વૈજ્ઞાનિકો ક્યારનાયે મચી પડ્યા છે. જો આ પ્રશ્નનો ઉત્તર તેમને મળી જશે તો કુદરતી આપત્તિઓ અને દુર્ગમ વિસ્તારોમાં જયારે પણ આવશ્યકતા હશે ત્યારે વાયરલેસ પાવર આસાનીથી પહોંચાડવો સરળ બની જશે તે પાક્કું છે.

એક સર્વે દરમિયાન મળેલા તારણ અનુસાર વાયરલેસ પાવર અંગે સાંભળી કે વાંચીને દુનિયાના અંદાજે 36 ટકા લોકો જ્યાં-જ્યાં પણ શક્ય હોય ત્યાં હોંશે-હોંશે આ ક્રાંતિકારી ટેક્નોલોજી અપનાવવા માટે આગળ આવી રહ્યા છે. “જ્યાં કોઈ વિકલ્પ જ નથી ત્યાં પરંપરાગત વાયરથી પાવર અને જ્યાં પણ શક્ય હોય ત્યાં વાયરલેસ પાવરથી જ હવે પાવર”ની શરુ થયેલી પાવરની આ પરિક્રમા 2020નાં દસકામાં આપણી માટે હજુ ઘણાં સરપ્રાઇઝીસ લઈને આવવાની છે તેમાં કોઈ બેમત નથી.

નોંધ: વાયરલેસ પાવરની ટેકનોલોજીને અપનાવવા માટે ઉત્સુક વપરાશકારો અને નવી-નવી ટેક્નોલોજીને અપનાવા માટે તૈયાર રહેતા ટેક્સેવી વ્યાપારીઓ માટે જરૂરી ટેકનીકલ બાબતો લેખનાં બીજા ભાગમાં “ચિત્રલેખા.કોમ”ના આ જ વિભાગમાં આવતા સપ્તાહે……..

(પુનીત આચાર્ય-સોમપુરા)

રાશિ ભવિષ્ય 28/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે,


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે,