Home Blog Page 4607

Chitralekha Marathi – November 02, 2020

PDF Version
This post is only available to members.

મોદી સરકારની રૂ. બે કરોડ સુધીના લોનધારકોને દશેરા ગિફ્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. મોદી સરકારે લોન મોરિટોરિયમના સમયગાળા દરમ્યાન EMI પર વ્યાજમાફીની ગાઇડલાઇન્સ જારી કરી છે. કેન્દ્ર સરકારે એક માર્ચ, 2020થી 31 ઓગસ્ટ,2020 દરમ્યાન રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતરની કોમ્પેશનસેશન રકમ તરીકે લોનધારકોને ચુકવણીથી સંબંધિત ગાઇડલાઇન્સને મંજૂરી આપી દીધી છે.

આનો અર્થ એ થયો કે લોન મોરેટોરિયમમાં માસિક હપતો નથી ચૂકવ્યો તો હવે તમારે તમારા વ્યાજ પર પેનલ્ટી નહીં ચૂકવવી પડે.આ લાભ પાત્રતા માપદંડ અનુસાર લોન આપતી સંસ્થાઓના માધ્યમથી પ્રાપ્ત થશે. આ યોજના અંતર્ગત રૂ. બે કરોડ સુધી MSME માટેની લોન, હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડનાં બાકી લેણા, ઓટો લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન સામેલ છે.

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નાણાં મંત્રાલયની આ ગાઇડલાઇન્સ સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપેલા નિર્દેશ પછી આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે એ કોરોના રોગચાળા દરમ્યાન રિઝર્વ બેન્ક દ્વારા લાવવામાં આવેલી મોરેટોરિયમ યોજના હેઠળ રૂ. બે કરોડ સુધીની લોન પર વ્યાજમાફી યોજના લાગુ કરે.

કેન્દ્ર દ્વારા જે દિશા-નિર્દેશોને મંજૂરી આપવામાં આવી છે. એ અનુસાર નાણાસંસ્થા અને બેન્કના લોનધારકોના લોન એકાઉન્ટમાં મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે અંતરની રકમ જમા કરશે. આનો લાભ લોનધારકોને મળશે, જેમણે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી મોરિટોરિયમ યોજનાનો આંશિક અથવા પૂર્ણ લાભ લીધો છે.

 

સરકારના આ દિશા-નિર્દેશોને મંજૂરી મળ્યા પછી હવે બેન્ક અને નાણાંસંસ્થાઓ સંબંધિત લોનધારકોના લોન એકાઉન્ટમાં નાણાં જમા કરશે અને કેન્દ્ર સરકારથી એની જેતે રકમ પ્રાપ્ત કરશે. આ યોજનાને કારણે સરકાર ખજાના પર રૂ. 6500 કરોડનો બોજ પડવાની શક્યતા છે.

 

 

 

 

મોદીએ હોસ્પિટલ, રોપવે અને ખેડૂત યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું  ઇ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે અમદાવાદમાં રૂ. 470 કરોડના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી બાળકો માટેની યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિંગ કર્યું હતું. આ ઈ-લોકોર્પણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢથી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ય પ્રધાનો અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ અમદાવાદથી ઉપસ્થિત થયા હતા.
ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ

રાજ્યમાં આજે આઠમા નોરતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રોપવે ગિરનાર આવતા પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે સાથે ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ છ મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સંકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલશે.

યુ. એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવું બિલ્ડિંગ

 નવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગને લતી તકલીફ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હોસ્પિટલનું વડા પ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ સી. આર. પાટીલ યુ. એન. મહેતા હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલમાં બાળ હૃદયરોગ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈ-લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લું મૂક્યું છે. અતિ આધુનિક હોસ્પિટલને ટેક્નોલોજી સાથે સજ્જ કરવામાં આવી છે. યુ. એન. મહેતા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પણ ઈ-લોકાર્પણના માધ્યમથી કરવામાં આવ્યું હતું.. કિસાન સર્વોદય યોજના મુજબ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે એ હેતુ રહેલો છે. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત સંસ્થાઓએ કરેલી રજૂઆતને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપીને કેન્દ્ર દ્વારા અમલી બનેલી કિસાન સર્વોદય યોજનાનો લાભ હવે ગુજરાતને પણ મળશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ , મધ્યગુજરાતના દાહોદ અને ઉત્તર ગુજરાતના પાટણમાં દિવસે વીજળી આપવા હેતુ કિસાન સર્વોદય યોજનાનનું ઇ-લોકાર્પણ થયું છે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના પાંચથી રાત્રે નવ કલાક સુધી વીજળી આપવામાં આવશે.

 

 

 

 

 

મહિલાઓના મેળાને મોળો પ્રતિસાદ

અમદાવાદઃ કોરોનાને કારણે લોકડાઉન પછી અર્થતંત્ર પર માઠી અસર પડી છે. સતત બંધ રહેલા વેપાર-ધંધાને બેઠા કરવા સરકારના જુદા-જુદા વિભાગો પણ પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ થાય એના માટે તૈયાર કરવામાં આવેલા નિગમ દ્વારા કોરોના કાળમાં રિવરફ્રન્ટ પર હસ્તકલાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના રોગચાળા પછી પહેલી વાર યોજાયેલા  હસ્તકલાના મેળામાં વેચાણ ખૂબ જ નહીંવત્ જોવા મળી રહ્યું છે.

શહેરનો રિવરફ્રન્ટ જ્યારથી મેળા મહોત્સવ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારથી ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળે છે. ખુલ્લી જગ્યા, પાર્કિંગની સુવિધા અને મધ્યમાં આવેલા ફવેન્ટ સેન્ટરોમાં મોટા ભાગે તમામ ક્ષેત્રના પ્રદર્શન અને વેચાણ સફળ થાય છે, પરંતુ કોરોનાને કારણે મહિનાઓથી મેળા-મહોત્સવ વગર રિવરફ્રન્ટ અને શહેરના અન્ય વેપાર-ધંધાને વેગવાન બનાવતાં ઇવેન્ટ સેન્ટરો બંધ હાલતમાં પડ્યાં છે. જ્યાં વેપારના વિકાસ માટેની શરૂઆત થઈ છે ત્યાં પણ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પગભર થવા માગતી મહિલાઓ માટે યોજાયેલા હસ્તકલાના મેળામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પર પ્રદર્શન સાથે વેચાણના આ મેળામાં  મહિલાઓ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી રોજગારી માટે આવી છે. જેમાં માટીકામ, મોતીકામ, હાથશાળ, ભરતકામ અને ગૃહઉદ્યોગની વિવિધ શ્રેણીમાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનો સ્ટોલ ધરાવતાં શીતલ પંડ્યા  ચિત્રલેખા.કોમ ને કહે છે હું ઘણાં વર્ષથી સખી મંડળ ચલાવું  છું. મહિલાઓના ઉત્થાન માટે યોજાતા મેળાઓમાં સારો પ્રતિસાદ મળે છે, પરંતુ કોરાનાના  સમયમાં યોજાયેલા આ મેળામાં લોકો ઓછી મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાથી બચવા સૂચનાઓ, સેનિટાઇઝેશન અને સંક્રમણની તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ છતાં મુલાકાતીઓ વગર મહિલાઓ માટેનો આ હસ્તકલા મેળો નીરસ જણાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

કોરોનાના કેસો 78 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 78 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,370 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 650 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 78,14,682 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,17,956 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 70,16,046 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 67,549 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,80,680એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.52 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.

કોરોના બે વર્ષ સુધી ખતમ નહીં થાય

કોરોનાનો  દુનિયાભરમાં ફેલાયેલો છે. જેને લઇને અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે રસી ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, લોકો કોરોનાને ખતમ થવા માટે રસી માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં WHO એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. WHO જણાવે છે કે કોરોના બે વર્ષ સુધી ખતમ થશે નહીં.

WHOના જણાવ્યા મુજબ વતા વર્ષના મધ્ય સુધીમાં, કોરોના રસી તૈયાર થઈ શકે છે પરંતુ શરૂઆતમાં એ મર્યાદિત પુરવઠો થશે, વૃદ્ધો પછી, તે ફક્ત વધારે જોખમવાળા દર્દીઓ અને ફ્રન્ટલાઇન કામદારો માટે ઉપલબ્ધ રહેશે. આપણે સંપૂર્ણ વસ્તીને રસી આપવાની જરૂર છે.” આપણે ઓછામાં ઓછા ભે વર્ષની જરૂર છે. કોરોના પર નિયંત્રણ રાખનારા દેશો પછી, તે દેશોમાં જવું પડશે જ્યાં વાઇરસ છે જેથી તેને મોટા પાયે ફેલાવવાથી રોકી શકાય.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

પાકિસ્તાન ટેરર ફાઇનાન્સ માટે ફેબ્રુઆરી, 2021 સુધી ‘ગ્રે લિસ્ટ’માં

નવી દિલ્હીઃ પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ‘ગ્રે લિસ્ટ’માં ફેબ્રુઆરી, 2021 સુધી રહેશે, એમ FATFએ ગઈ કાલે એની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ફંડ માટેની આવશ્યક શરતોને પૂરી કરવામાં નિષ્ફળ રહેતાં એને ‘ગ્રે લિસ્ટ’માં રાખવામાં આવ્યું છે. આંતકવાદ અને મની લોન્ડરિંગને રોકવા અને દેખરેખ કરતી પેરિસથી સંચાલિત સંસ્થાની 21થી 23 ઓક્ટોબરની વચ્ચે ડિજિટલ માધ્યમથી વાર્ષિક બેઠક થઈ હતી, જેમાં 27 મુદ્દાઓના એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી.

પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થશે

પાકિસ્તાન હવે ‘ગ્રે લિસ્ટ’માં રહેશે તો એને IMF,વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને યુરોપિયન સંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી નાણાકીય મદદ હાંસલ કરવા વધુ મુશ્કેલ બનશે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાને FATFની ‘ગ્રે લિસ્ટ’માંથી નીકળવાના પ્રયાસોના ભાગરૂપે આશરે 15 કાયદાઓમાં સંશોધન માટે મંજૂરી લેવાની હતી. પાકિસ્તાને ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવા માટે 39 સભ્યો FATFમાં 12 સભ્યોનો ટેકો હાંસલ કરવો જરૂરી છે. આ ઉપરાંત ‘બ્લેક લિસ્ટ’માં જવાથી બચવા માટે ત્રણ સભ્યોના ટેકાની જરૂર છે. પાકિસ્તાનને ચીન, તુર્કી અને મલેશિયા સતત સમર્થન કરતા રહ્યા છે. વળી, આજે થયેલી બેઠકમાં FATFની બેઠકમાં જો પાકિસ્તાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું હતું તો એ સંભાવના હતી કે વિશ્વ સંસ્થાઓ એને ઉત્તર કોરિયા અને ઇરાનની સાથે ‘બ્લેક લિસ્ટ’માં નાખી દેત. જોકે હવે એને ફેબ્રુઆરી, 2021 સુધી ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવ્યું છે.

જૂન, 2018થી પાકિસ્તાન ‘ગ્રે લિસ્ટ’માં

FATFએ પાકિસ્તાનને જૂન, 2018માં ‘ગ્રે લિસ્ટ’માં મૂક્યું હતું. અને ઇસ્લાબામાબાદને મની લોન્ડરિંગ અને આતંકવાદનાં નાણાં અટકાવવા માટે 27 મુદ્દાઓ માટે એક્શન પ્લાન બનાવવા માટે વર્ષ 2019ના અંત સુધી લાગુ કરવા માટે કહ્યું હતું. વળી, કોવિડ-19ને લીધે એ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ, પાકિસ્તાને દેવાંમાં ડૂબેલા પાકિસ્તાને FATFએ ‘ગ્રે લિસ્ટ’માંથી નીકળવા માટે ઓગસ્ટમાં 88 પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાઓ અને એના નેતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

પાકિસ્તાને આ ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવું હશે તો ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપનારા આંતકવાદીઓ જેવા કે દાઉદ ઇબ્રાહિમ, જકી-ઉર-રહેમાન લખવી, જૈશના સરગણા મસૂદ અઝહર અને લશ્કર હાફિસ સૈયદ અને એના સહયોગીઓના કામકાજને ખતમ કરવા પડશે અને એના પુરાવા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાના રહેશે.

 

 

પંચાંગ 24/10/2020

(મયંક રાવલ)

રાશિ ભવિષ્ય 24/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

વાહ ભાઈ વાહ! ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦

૨૪ ઓક્ટોબર ૨૦૨૦

૨૪ ઓક્ટોબર ૨૦૨૦