Home Blog Page 4609

૨૩ ઓક્ટોબર ૨૦૨૦

૨૩ ઓક્ટોબર ૨૦૨૦

Chitralekha Gujarati – November 02, 2020

PDF Version Password for PDF- cg02112020

Inspirational story: Bhaibandh Ni Nishal

રાશિ ભવિષ્ય 23/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

આપણા ભાગ્યનું નિર્માણ 

(બી.કે. શિવાની)

આપણો એક સંકલ્પ આપણા ભાગ્ય (નસીબ)નું નિર્માણ કરે છે. જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આપણી પાસે આવે છે, અથવા તો જીવનમાં સમસ્યાઓ આવે છે, ત્યારે આપણે કોઈ અન્યને તેના માટે જવાબદાર ગણીને એમ કહીએ છીએ કે મારું તો ભાગ્ય (નસીબ) જ આવું છે. આપણે એવું સમજીએ છીએ કે મારા જીવનમાં જે પણ સારું કે ખરાબ થાય છે એના માટે હું જવાબદાર નથી, પણ બીજા અન્ય લોકો છે. આનો અર્થ એ થયો કે મારું જીવન મારા નિયંત્રણમાં નથી. મારા જીવનનું નિયંત્રણ બહારની પરિસ્થિતિઓ કે અન્ય વ્યક્તિઓ દ્વારા થઇ રહ્યું છે. જો મારી નોકરી બહુ સરસ છે, મને પ્રમોશન મળ્યું છે, આવક પણ સારી છે. તો હું ખુશ છું કારણ કે બધી પરિસ્થિતિ મારી અનુકૂળ છે કે મારી તરફેણમાં છે. હવે જેવું પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું કે તરત મારી આંતરિક ખુશીનું લેવલ એકદમ નીચે આવી ગયું.  

આપણે કોઈને પૂછીએ કે તમારે શું જોઈએ છે? તો તે એવું નહીં કહે કે, મને ગાડી, બંગલો, ઝવેરાત દાગીના, રૂપિયા જોઈએ. તેઓ એમ જ કહેશે કે મને ખુશી જોઈએ. પરંતુ એ ખુશીને મેળવવા માટે આ બધી ચીજો જોઈએ. મારી ખુશી સાધનો ઉપર આધારિત થઈ ગઈ છે અને સ્વયંને આત્મા સમજવાનું હું ભૂલી જાઊં છું. મેં મારા મનની અંદર એ રીતે પ્રોગ્રામિંગ કરી દીધું કે, આપ મારી સાથે સારી રીતે જ વાત કરશો, ત્યારે હું ખુશ રહીશ. ત્યારબાદ તમે મારી સાથે સારી રીતે વાત કરો તે માટેના પ્રયત્ન કરવાનું શરૂ કરી દઉં, આવી રીતે હું બીજા માટે સારી ભાવનાઓ રાખું છું, પરંતુ તેની પાછળનો ભાવ એવો હોય છે કે તમે મારી સાથે સારી રીતે વાત કરો અને હું ખુશ રહું.

પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ તથા અન્ય વ્યક્તિઓમાં પરિવર્તનની ઝડપ વધતી ગઈ, તેમ-તેમ મારા મનમાં વિચારોની ઝડપ પણ વધતી ગઈ. અંતે મારા વિચારો મારા નિયંત્રણમાં ન રહ્યા. જેના કારણે મારી મનની ખુશી પણ ઓછી થતી ગઈ. સાથે-સાથે આપણે એ પણ સ્વીકારી લીધું કે, હું શું કરું? પરિસ્થિતિ જ એવી હતી કે મારી ખુશી ઓછી થવાની જ હતી. અને તેથી જ આપણે એમ નક્કી કરી લીધું કે, મારે મારું આખું જીવન આમ દુ:ખમાં ને દુઃખમાં જ જીવવાનું છે. આ દુઃખ, ચિંતા, ભય, તણાવ કોઈપણ રૂપે હોઈ શકે છે. આપણે તેનો સ્વીકાર કરીને, તેને સ્વાભાવિક સમજીને જીવન જીવીએ છીએ. આવી રીતે મારા મનની સ્થિતિનો આહાર આ બધી બાબતો ઉપર રહેલ છે. જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ નહીં બને, ત્યાં સુધી મન કેવી રીતે સ્વસ્થ રહી શકે? આપણને જોઈએ છે ખુશી, પરંતુ આપણે દુઃખને જ જીવનમાં અપનાવી લીધું છે. આખો દિવસ આપણે એમ કહીએ છીએ કે, મારે ખુશી જોઈએ છે, મારે ખુશી જોઈએ છે. જે ગુણની જરૂર હોય, તેના માટે સભાનતાપૂર્વક પ્રયત્ન તો કરવા જ પડે ને!  

આધ્યાત્મ કેવળ આપણા વિચારોને નવી દિશા નથી આપતું, પરંતુ મેડીટેશનના માધ્યમ દ્વારા મનને શક્તિશાળી પણ બનાવે છે. આધ્યાત્મિકતાએ આપણને સમજ આપી કે, વિચારો એ આપણી પોતાની રચના છે. આપણે શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા સુખી જીવનની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં મહત્વની બાબત એ છે કે, કેવા વિચારો (સંકલ્પ) કરવા તે સંપૂર્ણ રીતે મારા ઉપર આધારિત છે. જો આપણા વિચારો (સંકલ્પો) બીજાના વ્યવહાર ઉપર આધારિત હશે તો શું પરિણામ આવશે? જો આપણે સાવધાન નહીં રહીએ તો, કોઈપણ ઘટના ઘટતા તરત જ મનમાં વિચારો (સંકલ્પો) ઉત્પન્ન થવા લાગે છે, જેની તરફ આપણે ધ્યાન જ આપતા નથી.  

આજ દિવસ સુધી જુદી જુદી પરિસ્થિતિઓ આપણને નિયંત્રણ (કન્ટ્રોલ) કરતી હતી. પરંતુ હવે આધ્યાત્મિકતાએ આપણી વિચાર ધારાને બદલી નાખી અને આપણને તે વિશ્વાસ અપાવ્યો કે, હું મારા મનનું નિયંત્રણ હું સ્વયં કરી શકું છું. આજે તો પરિસ્થિતિઓ મને અનુકુળ છે. અને એવું પણ બની શકે કે આવતી કાલે તે મારી અનુકૂળ ન પણ હોય. પરંતુ તેનાથી મારા જીવનમાં કોઈ વધારે ફરક નહીં પડે. કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. ફક્ત એક શુદ્ધ સંકલ્પ દ્વારા આપણું જીવન હંમેશા ખુશીઓથી ભરપૂર રહી શકે છે.  

આપણે કાયમ ખુશ કેવી રીતે રહી શકીએ? આપણે જેમ જોયું કે આપણી ખુશીનું લેવલ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે આવ-જા કરે છે. આપણે હવે એ બધી બાબતો ઉપર વિશેષ ધ્યાન આપીશું, કે જેના ઉપર આપણી ખુશીનો આધાર છે. આપણે જોયું કે જુદી જુદી પરિસ્થિતિ, લોકો, ચીજ-વસ્તુઓ આપને ખુશી આપતી નથી પરંતુ ખુશી એ મારા જ વિચારોની રચના છે. મારા વિચારો (સંકલ્પ) મારા જીવનમાં ઘણી બધી બાબતોને નક્કી કરે છે. જો ખુશી જ મારા વિચારોની રચના હોય, મારા વિચારોને આધારે જ મને ખુશી મળતી હોય તો એવું કેવી રીતે શક્ય બને કે, મારા જીવનમાં મને કાયમ માટે ખુશી રહે.  

 (બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)                               

  

 

પંચાંગ 23/10/2020

(મયંક રાવલ)

અફઘાનિસ્તાનમાં જીવલેણ હવાઈ હુમલામાં 12 બાળકોનાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના ઉત્તરી તખાર પ્રાંતમાં એક મસ્જિદ પર હવાઈ હુમલો થયો હતો, જેમાં કમસે કમ 12 બાળકોનાં મોત થયાં છે અને અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. આ હુમલો ગઈ કાલે બહરૈક જિલ્લામાં થયો હતો, એમ પ્રાંતીય કાઉન્સિલર મોહમ્મદ આઝમ અફઝાલીએ જણાવ્યું હતું. જ્યાં તાલિબાન લડાકુઓએ પહેલાં જ 40થી વધુ અફઘાન સુરક્ષા દળોને મારી નાખ્યા હતા એમ પ્રાંતીય ગવર્નરના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી.

અફઝાલીએ કહ્યું હતું કે એક વિમાને મસ્જિદ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં તાલિબાન લડાકુ સામેલ હતા. જે સુરક્ષા દળો પર ખૂની હુમલામાં પણ સામેલ હતા. જોકે અફઝાલી અને એક સુરક્ષા સૂત્રે કહ્યું હતું કે આતંકવાદીઓ પહેલાં જ મસ્જિદ છોડી ચૂક્યા હતા.

ગાંધાર RFEએ જણાવ્યું હતું કે સરકાર અને તાલિબાનના પ્રતિનિધિઓની વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા છતાં આ હિંસા થઈ છે. વિદ્રોહીઓએ અત્યાર સુધી સંઘર્ષ વિરામનો સ્વીકાર નથી કર્યો. નિષ્ણાતોનું અનુમાન છે કે સંઘર્ષ વિરામ પર સહમતી બનાવતાં પહેલાં લાંબી અને રચનાત્મક વાતચીત થશે. જોકે એ દરમ્યાન દેશભરમાં સંઘર્ષ જારી છે. એક સપ્તાહથી દક્ષિણી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લડાઈમાં 100થી વધુ નાગરિક માર્યા ગયા છે અને હજારો લોકોને તેમનાં ગામોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

 

 

‘મેડ ઈન ઈન્ડિયા’ યુદ્ધજહાજ ‘INS કવરત્તી’ ભારતીય નૌકાદળમાં સામેલ…

ભારતીય ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા એન્ટી-સબમરીન વોરફેર સ્ટીલ્ધ કોર્વીટ યુદ્ધજહાજ ‘INS કવરત્તી’નું 22 ઓક્ટોબર, ગુરુવારે ભારતીય નૌકાદળમાં વિધિસર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધજહાજને કોલકાતાસ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ (GRSE) કંપનીએ બનાવ્યું છે. વિશાખાપટનમના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત આ માટેના કાર્યક્રમમાં લશ્કરી વડા જનરલ મનોજ નરવણે, રિયર એડમિરલ (નિવૃત્ત) અને GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી.કે. સક્સેના તથા ભારતીય નૌકાદળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સબમરીન-વિરોધી યુદ્ધજહાજ સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત ઘણી વધી જશે. આ યુદ્ધજહાજ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દુશ્મનોના રડારની પકડમાં નહીં આવે.

આ યુદ્ધજહાજ સામેલ થવા સાથે જ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી બતાવી છે.

આ જહાજ બનાવવા બદલ જનરલ નરવણેએ ભારતીય નૌકાદળને અને ટીમ કરવત્તીને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા આપી હતી. એમણે કહ્યું કે આ જહાજ મળવાથી આપણા દેશ માટે સમુદ્રી લક્ષ્યો હાંસલ કરવા માટેનું એક મહત્ત્વનું કદમ છે.

કરવત્તી નામ ભારતની માલિકીના ટાપુઓના સમૂહ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાટનગરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ જહાજ પર 12 નેવી ઓફિસરો અને 134 જવાન-ખલાસીઓ રહેશે. આ ટીમના કમાન્ડિંગ ઓફિસર છે કમાન્ડર સંદીપ સિંહ.

3,300 ટન વજનના આ જહાજની લંબાઈ 190 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. આ અત્યાધુનિક શસ્ત્રો, રોકેટ લોન્ચર્સ અને સેન્સરથી સજ્જ છે. એના સેન્સરને કારણે દુશ્મનોની સબમરીનોનો પતો લગાવી શકાશે અને એનો પીછો પણ કરી શકાશે. શસ્ત્રો અને સેન્સર બધું સ્વદેશી છે.

વિદેશી વિદ્યાર્થીઓ, વેપારીઓને ભારત આવવાની છૂટ; ટૂરિસ્ટ્સને નહીં

નવી દિલ્હીઃ કોવિડ-19 મહાબીમારી ફેલાઈ છે તે વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયંત્રણોમાં વધુ રાહત જાહેર કરી છે. સરકારે વધુ કેટેગરીના વિદેશી નાગરિકો અને ભારતીય નાગરિકોને ભારતના પ્રવાસે આવવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. બધા OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા – દરિયાપાર વસતા ભારતીય નાગરિક) અને PIO (પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજીન – ભારતીય મૂળની વ્યક્તિ) કાર્ડધારકો તથા અન્ય તમામ વિદેશી નાગરિકોને, ટૂરિસ્ટ વિઝાને બાદ કરતાં, તેઓ જે કોઈ પણ હેતુથી ભારત આવવાનો ઇરાદો ધરાવતા હોય, તેમને સત્તાવાર હવાઈ કે દરિયાઈ માર્ગે ભારતપ્રવેશની મંજૂરી આપવામાં આવશે, એમ નવા વિઝા નિયમોમાં કહેવામાં આવ્યું છે. આમાં ‘વંદે ભારત મિશન’ હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ, એર ટ્રાન્સપોર્ટ બબલ વ્યવસ્થાઓ અથવા સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા મંજૂરી કરાયેલી કોઈ પણ નોન-શિડ્યુલ્ડ કમર્શિયલ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.  

જોકે આવા બધા પ્રવાસીઓએ આરોગ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોનું કડક પાલન કરવાનું રહેશે.

આ તબક્કાવાર છૂટની રાહતને કેન્દ્રએ બધા હાલના વિઝા (ઇલેક્ટ્રોનિક વિઝા, પર્યટક વિઝા અને મેડિકલ વિઝા સિવાય)ને તત્કાળ અસરથી મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જો વિઝાની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો નવા વિઝા માટે જે તે કેટેગરીના સંબંધિત વિભાગ પાસેથી એ પ્રાપ્ત કરી શકાશે, એમ ગૃહ વિભાગે કહ્યું હતું.

જો કોઈ વિદેશી નાગરિક તેના મેડિકલ એટેડન્ટ્સની સાથે ભારતમાં મેડિકલ સારવાર માટે આવવા માગતા હોય તો એ મેડિકલ વિઝા માટે અરજી કરી શકે છે.  

અગાઉના આદેશમાં ગૃહ મંત્રાલયે ભારતના પ્રવાસે આવવા માટે OCI કાર્ડહોલ્ડરોની ચાર કેટેગરી નક્કી કરી હતી, જે નીચે મુજબ છેઃ

  1. OCI કાર્ડ ધરાવતા સગીર વયના બાળકો, અને જેમનાં માતાપિતા ભારતીય નાગરિક છે.
  2. OCI કાર્ડહોલ્ડર્સ કે જે તત્કાળ પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય અથવા મેડિકલ ઇમર્જન્સી માટે ભારત આવવાની ઇચ્છા ધરાવતા હોય
  3. દંપતીમાંથી કોઈ એક OCI કાર્ડહોલ્ડર હોય છે બીજું સભ્ય ભારતીય નાગરિક હોય.
  4. OCI કાર્ડહોલ્ડર સ્ટુડન્ટ્સ અને તેનાં માતા-પિતામાંથી કમસે કમ એક જણ ભારતીય નાગરિક હોય કે OCI કાર્ડહોલ્ડર હોય.

પરંતુ હવે નવા નિયમો લાગુ થવાથી બધા OCI અને PIO કાર્ડહોલ્ડરો ભારત આવી શકશે.

DHFLના વાધવાનની ધરપકડ કરવાની 63-મૂન્સ ટેક્નોલોજીસની માગણી

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઇઓ) ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાનની તત્કાળ ધરપકડ કરીને લોકોના હજારો કરોડ રૂપિયાની ઉચાપત બાબતે સઘન તપાસ કરવી જોઈએ, એવી માગણી 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ કરી છે.

ટેક્નોલોજી ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ મદ્રાસ વડી અદાલતના ચુકાદાનો સંદર્ભ આપતાં જણાવ્યું છે કે અદાલતના આદેશ અનુસાર વાધવાન કોઈપણ એસેટ બાબતે વેચાણ કે બીજો કોઈ વ્યવહાર કરી શકે નહીં.

વાધવાને 43,879 કરોડ રૂપિયા મૂલ્યના હોવાનું કહેવાતા 10 પ્રોજેક્ટ પરના પોતાના અધિકાર રિઝર્વ બેંકના વહીવટદારને ટ્રાન્સફર કરવાનું કહીને એમની સમક્ષ સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. હકીકતમાં આ પ્રસ્તાવ ભેદ ભરેલો છે, એમ જણાવતાં 63 મૂન્સે કહ્યું છે કે ડીએચએફએલના પ્રમોટરોની એસેટ્સ તપાસનીસ એજન્સીએ ટાંચમાં પહેલેથી લઈ લીધેલી છે અને મદ્રાસ વડી અદાલતે એ મિલકતો બાબતે મનાઈહુકમ આપ્યો છે. આથી વાધવાને કરેલી ઓફર ગેરમાર્ગે દોરનારી છે. એમને પોતાની એક ઇંચ મિલકતનું પણ વેચાણ કે ટાઈટલ ટ્રાન્સફર કરવા સહિતનો કોઈ પણ વ્યવહાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

અહીં જણાવવું રહ્યું કે ડીએચએફએલના રિઝોલ્યુશન પ્રોફેશનલે તૈયાર કરેલા અહેવાલ મુજબ ધિરાણકર્તાઓના ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરીને ડીએચએફએલના પ્રમોટરો અને એમની માલિકીની તથા એમના હસ્તકની એન્ટિટીઝમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. જો કે, અખબારી અહેવાલો મુજબ આ કંપનીઓ 94,900 કરોડ રૂપિયાનું દેવું ધરાવે છે.

આ ગંભીર બાબતોને ધ્યાનમાં લેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વાધવાનની તત્કાળ ધરપકડ કરવી જોઈએ. આ બંને એજન્સીઓએ વાધવાનની ધરપકડ કર્યા બાદ તેમની પાસે નાણાં અને પુષ્કળ સંપત્તિ ક્યાંથી અને કેવી રીતે આવ્યાં એની ઊંડી તપાસ હાથ ધરવી જોઈએ, એમ કહેતાં 63 મૂન્સ ટેક્નોલોજીસે ઉમેર્યું છે કે ક્યારેય પોતાની અંગત એસેટ જાહેર નહીં કરનારા વાધવાને હવે ઘણા મોટા પ્રમાણમાં એસેટ જાહેર કરી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે એમણે ડીએચએફએલમાંથી પ્રચંડ મોટી રકમ ગેરવલ્લે કરી છે અને તેને પોતાની તથા પોતાના પરિવારની સંપત્તિ ગણાવી છે.

વાધવાનને અત્યારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ નોંધેલા કેસમાં જામીન મળ્યા છે, પણ હવે આર્થિક ગુના શાખા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસે વાધવાનના નાણાકીય વ્યવહારો બાબતે ઊંડી તપાસ કરીને આટલી બધી સંપત્તિ ક્યાંથી ભેગી કરાઈ એનો તાગ કાઢવો જોઈએ. આ કામ વાધવાનને કસ્ટડીમાં લઇને ઉલટતપાસ કર્યા વગર શક્ય નહીં બને, એમ 63 મૂન્સે કહ્યું છે.

તેણે એમ પણ કહ્યું છે કે લાખો રોકાણકારોનાં હિતનું જતન કરવા માટે કપિલ અને ધીરજ વાધવાન તથા તેમના પરિવારજનોની બધી જ સંપત્તિ પર ટાંચ મૂકવામાં આવવી જોઈએ. આ લોકોએ ડીએચએફએલની મિલકતો પોતાના અંગત નામે ટ્રાન્સફર કરી છે કે કેમ તેના વિશે માહિતી મેળવવાનો દરેક ઇન્વેસ્ટર, ક્રેડિટર અને લેન્ડરને અધિકાર છે.