Home Blog Page 4616

૧૮ ઓક્ટોબર ૨૦૨૦

૧૮ ઓક્ટોબર ૨૦૨૦

પંચાંગ 18/10/2020

(મયંક રાવલ)

‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને’ પ્રવાસીઓ માટે પુન: ખુલ્લું મુકાયું

રાજપીપળાઃ  નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે આજથી પુન:ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરની આસપાસના રિવર રાફ્ટિંગ, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.

આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યુ હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે. અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ. આ મુલાકાતથી અમે ખૂબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઊંચાઈએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્દય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમ જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં સવારે ૮થી ૧૦ અને ૧૦થી ૧૨, બપોરે ૧૨થી ૨ અને ૨થી ૪ તેમ જ સાંજે ૪થી ૬ સહિત એમ  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં  ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ  આપવામાં આવશે.

કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ટિકિટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત ટિકિટ વેબસાઇટ www.soutickets.in  ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પૂછપરછ તેમ જ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.

 

 

 

 

મહાગઠબંધનનું ઘોષણાપત્ર ‘પ્રણ હમારા, સંકલ્પ બદલાવ કા’ જારી

પટનાઃ બિહાર ચૂંટણીમાં મહાગઠબંધને ઘોષણાપત્ર જારી કર્યું હતું. એનું નામ ‘પ્રણ હમારા, સંકલ્પ બદલાવ કા’ આપવામાં આવ્યું હતું. આ ઘોષણાપત્રમાં 25 સૂત્રીય કાર્યક્રમ બિહારવાસીઓની સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં મહાગઠબંધનના સાથી પક્ષોના નેતાઓએ આ ઘોષણાપત્ર જારી કર્યું હતું. આ સમારોહમાં મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવ સહિત કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સહિત અનેક નેતાઓ હાજર હતા.

આ બદલાવનો સંકલ્પ સૌપ્રથમ 10 લાખ સ્થાયી નોકરીઓને પહેલી કેબિનેટની બેઠકની સાથે શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના યુવાનોને બધી સરકારી પરીક્ષાઓ માટે અરજી ફીમુક્ત કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ સિવાય મનરેગા હેઠળ પ્રતિ પરિવારને બદલે પ્રતિ વ્યક્તિને 100થી વધારીને 200 દિવસ પ્રતિ વર્ષ કામ આપવાનું વચન આપવામાં આવ્યું છે. મનરેગાની જેમ રાજ્યની રોજગાર યોજના બનાવવા પર આશ્વાસન આપવામાં આવ્યું છે.  

આ સંકલ્પ પત્રમાં સમાન કામ માટે સમાન વેતનના વચનને ફરી એક વાર આપવામાં આવ્યું છે. એની સાથે રાજ્યમાં 2005થી લાગુ નવી પેન્શન યોજનાને બંધ કરીને એની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. મહિલાઓના મતો ખેંચવા માટે જીવિકા સમૂહ કેડરને સ્થાયી કરવાના વચન સિવાય બધાને રૂ. 4000 પ્રતિ મહિને માનદ્ તરીકે આપવાની ઘોષણા કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર વિશે કહેવામાં આવ્યું છે કે પ્રદેશના બધા પોલીસ સ્ટેશન અને બ્લોક કચેરીઓમાં વ્યાપેલો ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરી છે, એ કેવી રીતે દૂર કરશે – એ વિશે કંઈ પણ જણાવવામાં નથી આવ્યું. મહાગઠબંધનના ઘોષણાપત્રમાં સ્માર્ટ ગ્રામ યોજના હેછળ દરેક પંચાયતમાં માન્યતા પ્રાપ્ત ડોક્ટર અને પ્રશિક્ષિત નર્સ સાથે એક ક્લિનિક શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું છે કે આમાં 10 લાખ નોકરીઓ, ખેડૂતોનાં દેવાં માફ, કિસાનવિરોધી બિલ કૃષિ બિલનો અસ્વીકાર કરવો, શિક્ષકો માટે સમાન કામનું સમાન વેતન, જીવિકા બહેનોને માનદ વેતનમાં વધારાની સાથે નિયમિત નોકરી, મોંઘા વીજદરોને ઘટાડવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા જેવાં 25 વચનો આપવામાં આવ્યાં છે.

 

 

કોરોનાના કેસો 74 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 74 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,212 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 837 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 74,32,680 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,12,998 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 65,24,595 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,95,087એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

FELUDA ગેમ ચેન્જર સાબિત થશે?

કોરોના વાઇરસ સામેના જંગમાં ભારતની પેપર આધારિત ટેસ્ટ સ્ટ્રિપ FELUDA ગેમ ચેન્જર સાબિત થાય એવી શક્યતા છે. આ ટેસ્ટ સ્ટ્રિપ બજારમાં આવવા માટે તૈયાર છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ગયા મહિને ICMRએ ગુણવત્તાના બેન્ચમાર્ક પૂરા કર્યા બાદ FELUDAને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન ડો. હર્ષવર્ધને એ થોડાંક સમય પહેલાં જ કહ્યું હતું કે FELUDA ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.

યુવાનોની ટીમે તૈયાર કરી
FELUDAને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના યુવાન વૈજ્ઞાનિકોની ટીમે તૈયાર કરી છે. FELUDAથી ગણતરીની મિનિટોમાં ટેસ્ટનું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે હાલની RT-PCR કિટ આના માટે ચારથી પાંચ કલાકનો સમય લે છે. CSIRના ડિરેક્ટર જનરલ શેખર સી મંડેએ કહ્યું હતું કે FELUDA ટેસ્ટમાં સમયનો બચાવ કરશે. તેનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કોલ ઇન્ડિયાના કર્મચારીઓને રૂ. 68,500નું બોનસ

નવી દિલ્હીઃ કોલ ઇન્ડિયા લિ.એ કર્મચારીઓને દિવાળી પહેલાં જ ભેટ આપી છે. કંપનીએ ગઈ કાલે કર્મચારીઓને પર્ફોર્મન્સ લિન્ક્ડ રિવોર્ડ (PLR) આપવાની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2019-20 માટે બધા નોન-એક્ઝિક્યુટિવ કેડર કર્મચારીઓ માટે પ્રતિ કર્મચારી માટે રૂ. 68,500 પર્ફોર્મન્સથી જોડાયેલા ઇનામ (બોનસ)ની ઘોષણા કરી હતી, જેથી કંપનીને રૂ. 1700 કરોડથી વધુની નાણાકીય ખર્ચ થવાનો અંદાજ છે. આ PLR વર્ષ  2019-20માં કર્મચારીઓની હાજરી (એટેન્ડન્સ)ને આધારે મળશે. આ રકમ તેમને 22 ઓક્ટોબર સુધી મોકલી દેવામાં આવશે, એમ કંપનીના એક્ઝિક્યુટિવે કહ્યું હતું.

કુલ 2.62 લાખ કર્મચારીઓ

કોલ ઇન્ડિયા અને એની આઠ સબસિડિયરી કંપનીના આશરે કુલ 2.62 લાખ કર્મચારીઓ કે જે નાણાકીય વર્ષ 2020માં કંપનીના રજિસ્ટર પર હતા, તેમને આ ઇનામ મળવાની સંભાવના છે.

PLRમાં 5.87 ટકાનો વધારો

કંપનીએ કોરોના રોગચાળાને પગલે સ્લોડાઉન અને વેચાણમાં ઘટાડા છતાં પાછલા વર્ષમાં PLR તુલનાએ 5.87 ટકાનો વધારો કર્યો છે. પાછલા વર્ષે કંપનીએ PLR તરીકે પ્રતિ કર્મચારી રૂ. 64,700 આપ્યા હતા. જેમાં આ વખતે ચોખ્ખો રૂ. 3800નો વધારો કર્યો છે. જે નોન-એક્ઝિક્યુટિવ એમ્પ્લોયીઝે વર્ષ 2019-20માં કમસે કમ 30 કામકાજના દિવસ કામ કર્યું હશે, તેમને PLR પ્રો-રેટા બેઝિસે મળશે, એમ એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું હતું.

કંપનીએ જોઇન્ટ બાય-પાર્ટી કમિટી ઓફ કોલ ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડાઇઝેશનની 10મી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગ કોલ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓની વચ્ચે રાંચીમાં થઈ હતી. અમે ખુશ છીએ કે અમે કર્મચારીઓના લાભ માટે બંને પક્ષોની સંતુષ્ટિથી સંબંધિત પર્ફોર્મન્સ આધારિત નિષ્કર્ષ કાઢી શક્યા છીએ, એમ એક સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતાં આ ચુકવણી કંપનીના કર્મચારીઓના પર્ફોર્મન્સ સ્તરને નોંધપાત્ર વધારો કરશે, એમ તેમણે કહ્યું હતું.

ત્રિમાસિક ગાળામાં કોલસાના ઉત્પાદનમાં 10.6 ટકાનો વધારો

કોલ ઇન્ડિયા દેશની સૌથી મોટી કોર્પોરેટ કંપની છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 10.6 ટકાના વધારા સાથે 11.5 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું.

 

 

 

વાહ ભાઈ વાહ! ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦

૧૭ ઓક્ટોબર ૨૦૨૦

૧૭ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 17/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે .


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 17/10/2020

(મયંક રાવલ)