અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આજે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નવનિયુક્ત શ્રીમતી વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઈ અને નિખિલ શ્રીધરન કેરિઅલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
કોરોનાની રોગચાળાને કારણે આજનો શપથવિધિનો કાર્યક્રમ સીમિત વ્યક્તિઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો અને યુટયુબ પર એનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, એડકેટ જનરલ, વકીલો, હાઇકોર્ટના અધિકારીઓ તથા નવનિયુક્ત જજોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચંડીગઢઃ ચંડીગઢ શહેરમાં એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટફોન્સનું વિતરણ કર્યા બાદ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હરિયાણાના એક ગામમાં ઓનલાઈન વર્ગોમાં ભણવામાં તકલીફ અનુભવી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા ફરી આગળ આવ્યો છે.
સોનૂએ હરિયાણાના મોરની તાલુકાના એક ગામમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે એ માટે મોબાઈલ ટાવર લગાવી આપ્યો છે.
સોનૂએ એના મિત્ર કરણ ગિલ્હોત્રાની સાથે મળીને આ કામગીરી શરૂ કરી હતી. એમણે ઈન્ડસ ટાવર્સ અને એરટેલ કંપનીઓ તરફથી નિરંતર કનેક્ટિવિટી મળે એ માટે ગામમાં એક મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરાવી આપ્યો હતો.
મોરની તાલુકાના દાપના ગામનો એક વિડિયો સોશિયલ મિડિયા પર જોયા બાદ ત્યાંના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું સોનૂએ નક્કી કર્યું હતું. તે વિડિયોમાં, દાપના ગામનો એક બાળક એક ઝાડની શાખા પર બેઠેલો દેખાય છે, જેથી મોબાઈલના સિગ્નલ્સ પકડી શકાય. એ પોસ્ટમાં સોનૂ સૂદને ટેગ કરવામાં આવ્યો હતો.
સોનૂએ કહ્યું છે કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે એમને સમાન તક મળવી જ જોઈએ. બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે એ માટે એમના ગામમાં મોબાઈલ ટાવર બેસાડી આપવામાં મદદરૂપ થયો એને હું મારું સૌભાગ્ય સમજું છું. હવે એ લોકોને મોબાઈલ સિગ્નલ્સ પકડવા માટે ઝાડ પર ચડવું નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, કોરોના લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારથી સોનૂ પરપ્રાંતીય મજૂર-કામદારોને એમના વતન-ગામ પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થયો હતો. એણે એમને માટે બસોની વ્યવસ્થા કરી આપી હતી. એને આ માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંસ્થા તરફથી ખાસ માનવતાવાદી પગલાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આ એવોર્ડ એન્જેલિના જોલી, ડેવિડ બેકહેમ, લિયોનાર્ડો ડીકેપ્રિઓ, ઈમા વોટ્સન, કેટ બ્લાન્શેટ, નિકોલ કીડમેન, પ્રિયંકા ચોપરા જેવી ફિલ્મી હસ્તીઓ પણ મેળવી ચૂકી છે.
મુંબઈઃ દિવસે દિવસે હવે એ સ્પષ્ટ થતું જાય છે કે કોરોના વાયરસ દરદીની દૃષ્ટિ પણ જોખમમાં મૂકી શકે છે. આવો જ એક કેસ હમણાં મુંબઇમાં નોંધાયો હતો.
મુંબઈના પરાં મુલુંડની સૂર્યા આઈ કેર ઈન્સ્ટીટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના વિટ્રીઓરેટી સર્જન ડો. જય શેઠ પાસે કોરોનાને કારણે દૃષ્ટિની ઝાંખપનો એક કેસ જૂનના અંતમાં આવ્યો હતો.
ડો. જય શેઠ આ વિશે ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘કોરોનાને લીધે આંખમાં બ્લોકેજ થયું હોય એવા કિસ્સા પહેલા બહાર આવ્યા નહોતા. અમારી પાસે આવ્યાના દસેક દિવસ પહેલા એ દરદી કોરોનાથી સાજો થયેલો. બે-ત્રણ દિવસમાં એને ડાબી આંખમાં દૃષ્ટિ ઓછી થતી લાગી. અમે ચકાસણી કરી તો રેટિનામાં બ્લોકેજ હતો. રેટિના સ્કેન કરીને જોયું તો પડદામાં સોજો દેખાયો. આંખોની એન્જ્યોગ્રાફીમાં પણ બ્લોકેજ જણાયા.’
અલબત્ત, આંખની આવી તકલીફ માટે ડાયાબિટિસ, બ્લડપ્રેશર, ટીબી, ડેન્ગુ વગેરે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, પણ ડો. જયે દરદીના બ્લડ ટેસ્ટ અને ચેસ્ટ એક્સરે કરાવ્યા તો બધા નેગેટીવ આવ્યા. અર્થાત, દૃષ્ટિમાં ઝાંખપ આવવાનું કોઈ દેખીતું કારણ નહોતું. પરિણામે એમણે નિદાન કર્યું કે આ કામ તો કોરોના વાયરસનું જ. પછી તો ડો. એમણે દરદીની આંખમાં ઈંજેક્શન આપ્યા. એક મહિના પછી સ્કેનિંગ કર્યું તો જણાયું કે વિઝન 100 ટકા પાછું આવ્યું છે. યુકેમાં થયેલા એક સ્ટડી મુજબ ડો. જય શેઠે દરદીને સ્ટીરોઈડ બેઝ્ડ દવાઓ પણ આપેલી. આ દવાઓથી ઈન્ફ્લેમેશનની સમસ્યા હળવી થાય છે.
કોરોનાની અસર દૃષ્ટિ પર પણ થયાનાો આ આખો કિસ્સો ઈન્ડિયન જનરલ ઓફ ઓપ્થેલોમોજીમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ડો. જય શેઠ કહે છે એમ, આ પબ્લિકેશન હકીકતમાં પિયર રિવ્યૂ જનરલ છે અર્થાત કોઈપણ રિસર્ચ પેપર મોકલાવાય એ પછી ચાર-પાંચ નિષ્ણાત ડોક્ટર્સ એ ચકાસે છે. અમુક સવાલો પણ કરે. એના સંતોષકારક જવાબ મળે પછી જ એ પેપરનો સ્વીકાર થાય. એ બધા સવાલ-જવાબ પછી કોરોનાને કારણે આંખનું વિઝન પ્રભાવિત થઈ શકે એવા અમારા અનુભવને આ જનરલે વૈજ્ઞાનિક પુષ્ટી આપી છે.
એ પછી ડો. જય શેઠે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેને મળીને એમને પણ સૂચિત કર્યા છે કે કોરોનાથી આઇ સાઈટ પ્રભાવિત થવાનો પહેલો કેસ મુંબઈમાં મળ્યો છે.
જો કે અહીં પ્રશ્ન એ પણ થાય કે કોરોના વાયરસ સામે આંખનું રક્ષણ કેવી રીતે કરી શકાય?
જવાબમાં ડો. જય શેઠ કહે છે, કોરોના વાયરસનો શરીર પ્રવેશ નાક, મોં અને આંખથી પણ થાય છે એટલે બહાર ક્યાંક ગયા હોઈએ તો આવીને હાથ બરાબર સાફ કરવા. આંખને હાથ ન લગાડવો. સિનિયર સિટિઝને તો ખાસ ધ્યાન રાખવું. બહાર જતાં ફેસ શિલ્ડ કે ગોગલ્સનો ઉપયોગ કરીએ તો આંખ ચોળવાનું આપોઆપ ઓછું થાય. જો કે કોરાનાને કારણે આઈ સાઈટ નબળી પડવાની ખબર વિલંબથી પડે તો કદાચ દૃષ્ટિ બચાવી ન પણ શકાય.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 66 લાખને પાર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 74,442 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 903 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 66,23,816 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,02,685 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 55,86,704 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 76,737 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,44,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.
સાજા થઈ ચૂકેલા લોકો 90 દિવસ સુધી ફેલાવી શકે કોરોના
અમેરિકામાં કોરોના વાઇરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસની ગંભીર અવસ્થા બાદ સાજા થયેલા દર્દીઓમાં SARS CoV-2 90 દિવસ સુધી રહે છે.
વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકો 90 દિવસ સુધી કોઈ પણને સંક્રમિત કરી શકે છે. એવામાં કોરોનાથી સાજા થઈને ઘરે આવી ચૂકેલા દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
અમેરિકાના એટલાન્ટામાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એકત્ર કરવામાં આવેલી જાણકારી મુજબ, કોરોનાની ગંભીર અવસ્થાથી પસાર થનારા દર્દી 90 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, જે દર્દીઓમાં કોરોનાની અસર ઘણી હળવી હોય છે તેમની અંદર પણ 10 દિવસ સુધી કોરોના ઉપસ્થિત રહે છે. એવામાં દર્દીના સંપર્કમાં આવનારા લોકો જેમની ઇમ્યુનિટી નબળી છે તેમને સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા કે જેમણે કેટલાક દિવસો પહેલાં દીપિકા પાદુકોણને બોલિવુડ ડ્રગ્સ મામલે પૂછપરછ કરી હતી, તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેપીએસ મલ્હોત્રાએ વીકએન્ડમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ એ તપાસ ટીમનો હિસ્સો હતા, જેણે વોટ્સએપ ચેટ સામે આવ્યા પછી અભિનેત્રીની તપાસ કરી હતી, જેમાં દીપિકાએ એની મેનેજરને હેશ માટે પૂછ્યું હતું. NCB સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ એન્ગલની તપાસ કરી રહી છે. આ સિવાય એ બોલિવુડ અને ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી છે.
દીપિકાની સાથે સારા અલી ખાન, અને શ્રદ્ધા કપૂરની NCBએ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સંબંધિત ડ્રગ્સની તપાસમાં પૂછપૂરછ કરી હતી.
એક અહેવાલ મુજબ NCBની ટીમ બોલીવૂડ હસ્તીઓની સામે સજ્જડ પુરાવા એકઠા કરવા પર ધ્યાન આપી રહી છે. NCBના એક અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે કેટલાક બોલીવૂડ હસ્તીઓ તેમના રડાર પર છે અને એ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે. કેટલીક હસ્તીઓના ફોન પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ફેડરલ એન્ટિ-નાર્કોટિક્સ એજન્સી SSR મોત મામલે ડ્રગ એન્ગલથી તપાસ કરી રહી છે. આ પહેલાં ગયા સપ્તાહમાં AIIMSની ટીમે CBIને પોતાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં એણે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુનાં કારણોમાં હત્યા અને ઝેર આપ્યાની વાતને ફગાવી દીધી હતી. આ મામલે NCB અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કોઈ નક્કર પુરાવા સાંપડ્યા નથી.
સપ્તાહ દરમિયાન માનસિકથાકની લાગણીના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.