Home Blog Page 4631

વાહ ભાઈ વાહ! ૪ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૪ ઓક્ટોબર, ૨૦૨૦

દિલ્હીમાં આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશઃ 4 કશ્મીરી યુવકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ચાર કટ્ટરવાદી કશ્મીરી યુવકોની ધરપકડ કરી છે, જેઓ આ રાષ્ટ્રીય પાટનગરમાં આતંકવાદી હુમલા કરવાની તૈયારીમાં હતા એવું કહેવાય છે.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ચારેય આરોપીઓને મધ્ય દિલ્હીના આઈટીઓ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. એમની પાસેથી ચાર અત્યાધુનિક પિસ્તોલ અને 120 કારતૂસો જપ્ત કરવામાં આવી છે.

આરોપીઓના નામ છેઃ અલ્તાફ એહમદ દર (25), જે પુલવામાનો વતની છે, મુશ્તાક એહમદ ગની (27), ઈશ્ફાક મજીદ કોકા (28) અને આકીબ સફી (22) – આ ત્રણેય જણ શોપિયાંના વતની છે.

ઈશ્ફાક કોકા ઠાર કરાયેલા ત્રાસવાદી બુરહાન કોકાનો મોટો ભાઈ છે. બુરહાનને આ વર્ષની 29 એપ્રિલે શોપિયાંના મેલ્હોરા વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હતો. એ અંસાર ગજાવત-ઉલ-હિંદ નામના ટેરર જૂથનો વડો હતો. અંસાર ગજાવત-ઉલ-હિંદ જૂથ અલ કાયદાના ઈશારે જમ્મુ અને કશ્મીરમાં ગેરકાયદેસર-દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતું હતું.

કોકાના મૃત્યુ બાદ એના મોટા ભાઈ ઈશ્ફાકનો અંસાર ગજાવત-ઉલ-હિંદના આતંકવાદીઓએ સંપર્ક કર્યો હતો અને આ જૂથ માટે કામ કરવા તૈયાર કર્યો હતો, એમ પોલીસનું કહેવું છે.

ગયા શુક્રવારે પોલીસને બાતમી મળી હતી કે કટ્ટરવાદી કશ્મીર યુવાનોનું એક જૂથ દિલ્હીમાં ઘૂસ્યું છે, એમણે શસ્ત્રો અને કારતૂસો ભેગા કર્યા છે અને તેઓ આઈટીઓ અને દરિયાગંજ વિસ્તારમાં આવવાના છે. એને પગલે પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ આઈટીઓ નજીક છટકું ગોઠવ્યું હતું અને ચારેય આરોપીને ઝડપી લીધા હતા, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (સ્પેશિયલ સેલ) પ્રમોદસિંહ કુશવાહે કહ્યું.

પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે અંસાર ગજાવત-ઉલ-હિંદ જૂથના હાલના વડાએ ઈશ્ફાકનો સંપર્ક કર્યો હતો અને જેહાદી પ્રવૃત્તિઓ કરવા એને તૈયાર કર્યો હતો. ઈશ્ફાકે ત્યારબાદ અલ્તાફ, એના પિતરાઈ ભાઈઓ આકીબ અને ગનીને ભરમાવ્યા હતા. આ ચારેય જણ 27 સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા અને પહાડગંજ વિસ્તારમાં એક જગ્યાએ ઉતર્યા હતા. એ રોકાણ દરમિયાન જ એમણે શસ્ત્રો અને કારતૂસો-દારૂગોળો એકઠા કર્યા હતા.

વિસરાતાં વાદ્યોનાં સૂરને જીવંત રાખવા મથે છે સોમા ઘોષ

કિતને દિનોં સે તુમ ઘર જા ના પાયે, રાતો સે કિતની તુમ સો ના પાયે

માલી કી તરહ તુમને કી હૈ રખવાલી, હંસ કે નિભાઈ હૈ જિમ્મેદારી….

કોવિડ-19 અને લોકડાઉનના કપરા સમયમાં પણ જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવનાર અગણિત કોરોના વોરિયર્સને સમર્પિત થયેલું આ ગીત તો કદાચ તમે દૂરદર્શન સહિત અન્ય ટેલીવિઝન ચેનલ્સ કે યુટયૂબ પર સાંભળ્યુ જ હશે.

અને એ ગીત જેમણે ગાયું છે એ ગાયિકા પણ એક અર્થમાં કોરોના વોરિયર્સ જ છે, કેમ કે આ ગાયિકા પણ પોતાની કલાના માધ્યમ થકી લોકડાઉનના પહેલા જ દિવસથી ગીત-સંગીત જગતના કલાકાર-કસબીઓને મદદ કરવા માટે એક અલગ પ્રકારની લડાઇ લડી રહ્યા છે.

એ ગાયિકા એટલે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયકીને દેશ-વિદેશમાં પહોંચાડનાર બનારસ ઘરાનાનાં ગાયિકા સોમા ઘોષ. આમ તો એમને ગાયિકી માટે દેશ-વિદેશમાં અનેક સમ્માન મળ્યાં છે, પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબે એમને દીકરી માન્યા છે અને એમની સાથે જુગલબંદી કરી છે એ એમને મન સૌથી મોટું સમ્માન છે.

મૂળ બનારસના સોમા ઘોષને આમ તો સંગીત અને ગાયકી વારસામાં જ મળી. પિતાજી મનમોહન ચક્રવર્તી સ્વાતંત્ર્ય સેનાની તો માતાજી અર્ચના ચક્રવર્તી કવયિત્રી અને ગાયિકા. નાનાજી પ્રોફેસર હરિહર શાસ્ત્રી પાલી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન એટલે કલા-સૂર-સંગીતનો માહોલ ઘરમાં જ મળ્યો. બનારસમાં જ ઉછેર થયો એટલે એમ કહો કે ઘેર બેઠાં આ ગંગા વહેતી રહી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી જ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી સોમાજીએ મ્યુઝીકમાં જ માસ્ટર્સ અને ડૉક્ટરેટ કર્યું.

વર્ષ 2016 માં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રદાન બદલ પદ્મશ્રીથી વિભૂષિત એવા સોમાજી એક માત્ર એવા કલાકાર છે, જેમને ભારતની સંસદમાં ગાવાનો મોકો મળ્યો હોય અને એ પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબ સાથે!  બિસ્મિલ્લા ખાં સાહેબ એમની ગાયિકીથી એટલી હદે પ્રભાવિત હતા કે એમણે સોમાજીને દીકરી તરીકે દત્તક લઇ લીધા હતા. બિસ્મિલ્લા ખાં સાથે જુગલબંધી કરવી એ કોઈપણ કલાકાર માટે ગૌરવની વાત છે અને સોમાજીને આ ગૌરવ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન એમ બન્ને સ્થળે મળ્યું છે.
એમણે ભારતભરના વિવિધ શહેરમાં ગાવા ઉપરાંત અમેરિકા, સ્વીડન, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, લંડન અને ફીઝી સહિત દુનિયાના અનેક દેશોમાં પરફોર્મ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ફીઝીની યુનિવર્સિટીમાં એ વિઝીટીંગ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. ‘જાની મારો પિચકારી કનૈયા, મૈં અરજ કરી હારી’ કે પછી ‘આજ જાને કી જીદ ના કરો’ જેવા અનેક ગીતોને એમનો કંઠ મળ્યો છે.

એક કલાકાર તરીકે એ સંવેદનશીલ વ્યક્તિ છે. લોકડાઉનના કપરા સમયમાં એમણે ઘરે બેઠાં બેઠાં પણ ગીત-સંગીત સાથે સંકળાયેલા નાના કલાકાર-કસબીઓ અને સાજીંદાઓની ચિંતા કરીને પોતાની સામાજિક નિસબતનો પરિચય આપ્યો છે. બનારસના વણકર પરિવારોની સતત ચિંતા કરી છે. આ બધા પરિવારો માટે ઓનલાઈન મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરી શક્ય એટલું ફંડ એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. એમની આ પહેલમાં પંડિત ચુનીલાલ મિશ્રા, પદ્મવિભૂષણ વિશ્વમોહન ભટ્ટ, અનુપ જલોટા સહિત અનેક કલાકારોએ સહકાર આપ્યો. જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ એમની આ પહેલને ખૂબ વધાવી પોતાનું સમર્થન આપ્યું.

જો કે સંગીતના ક્ષેત્રમાં સોમા ઘોષ કોરોના હોય કે નોર્મલ સમય હોય, કાયમ એક યોધ્ધાની જેમ જ કામ કરતા આવ્યા છે. યોધ્ધા એ અર્થમાં કે આજે સંગીતના આધુનિક સાધનોની ભરમારમાં આપણા જે પ્રાચીન વાદ્યો છે એ લગભગ લુપ્ત થવા આવ્યા છે. આવા વાદ્યો વગાડનાર સાજીંદાઓ પણ હવે ગણ્યાગાંઠ્યા જ છે ત્યારે લુપ્ત થતી આ કલા અને એમના સાજીંદાઓને બચાવવા માટે એમણે અલગ જ પ્રકારની એક ઝુંબેશ ઉપાડી છે. આ માટે એ હાલ દર શનિવારે ઇન્સ્ટાગ્રામ પર સાજ-એ-દિલ નામનો પ્રોગ્રામ કરે છે અને એ રીતે આ કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. સૂર-સ્વરની સંગત અને અદભૂત કંઠની એમને કુદરતી બક્ષિસ છે. ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં એ કહે છે, ‘આ આપણો સાચો વારસો છે અને એ કોઇપણ રીતે જાળવવો એ આપણી ફરજ છે.’

એમના પતિ સુભંકર ઘોષ ફિલ્મ નિર્દેશક છે અને એ રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નજીકથી સંકળાયેલા હોવા છતાં અને અનેકવાર ઓફર મળવા છતાં ય એ એકાદ અપવાદ સિવાય ફિલ્મી ગીતો ગાવાથી લગભગ દૂર રહયા છે. એ માને છે કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત એના શુદ્ધ સ્વરૂપમાં જ જળવાઈ રહેવું જોઈએ. અપવાદ રૂપે એમણે કુછ મીઠા હો જાયે માં એકાદ ગીત, એ પણ દિગ્દર્શકના અતિ-આગ્રહને માન આપીને, ગાયું છે. એમને પહેલો અને છેલ્લો પ્રેમ તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત જ છે.

બિસ્મિલ્લા ખાં સાહેબના દત્તક દીકરી હોવાનું એમને સ્વાભાવિક ગૌરવ છે. એ કહે છે, ખાં સાહેબ માટે સૂર એ જ મજહબ અને સૂર એ જ રિશ્તા હતો.

સોમાજી માટે પણ કંઇક એવું જ કહી શકાય. સૂર એ જ એમનો ધર્મ છે, સંગીત એ જ એમનું જીવન છે.

સોમા ઘોષની વિડીયો મુલાકાત જોવા માટે અહીં ક્લીક કરોઃ

(કેતન ત્રિવેદી)

 

૪ ઓક્ટોબર ૨૦૨૦

૪ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 04/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 04/10/20

(મયંક રાવલ)

વર્લ્ડ સ્પેસ વીકઃ  આત્મનિર્ભર ભારત માટે વેબિનારનું આયોજન

 અમદાવાદઃ વિશ્વ અંતરીક્ષ સપ્તાહ સાયન્સ અને ટેક્નોલોજીનો એક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે અને માનવીના જીવન કેવી રીતે સરળ બનાવી શકાય એમાં એનું યોગદાન છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1999માં જાહેર કર્યું હતું કે વર્લ્ડ સ્પેસ વીક પ્રત્યેક વર્ષે 4-10 ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવશે.

સ્પેસ એક્સપ્લોરેશનના ઇતિહાસમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઊજવવા માટે આ તારીખોની પસંદ કરવામાં આવી. ચોથી ઓક્ટોબર, 1957એ સોવિયત સંઘે એનો પહેલો આર્ટિફિશિયલ સેટેલાઇટ સ્પુતનિક લોન્ચ કર્યો હતો અને બીજું 10 ઓક્ટોબર, 1967એ સ્પેસ એક્સપ્લોરેશન માટે આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં અને અંતરીક્ષમાં સંસાધનોનો શાંતિપૂર્ણ ઉપયોગ.  

વર્લ્ડ સ્પેસ વીક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) વચ્ચે ગુજરાત સાયન્સ સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સફળતા માટે ઓન ગોઇંગ સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ સ્પેસ ટેક્નોલોજી વિશે જાગરુકતા અને સમજ લાવવા માટે સંયુક્ત રૂપે વર્લ્ડ સ્પેસ વીક કાર્યક્રમ વર્ચ્યુઅલ તરીકે ઊજવી રહ્યા છે.

ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબરે વેબિનાર

SAC-ISRO, GUJCOST અને સાયન્સ સિટીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉપગ્રહની સાથે સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની શોધખોળ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંદર્ભે વિષય પર વેબિનાર સેશન, સેટેલાઇટથી જીવનમાં સુધારો થાય છે- ઇન્ડિયન સેટેલાઇટ ફોર આત્મનિર્ભર ભારત ચોથી ઓક્ટોબર (રવિવારે), 2020એ પબોરે ત્રણ કલાકથી પાંચ કલાક દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો છે. આ ગુગલના પ્લેટફોર્મ પર વેબિનાર આયોજિત કરવામાં આવ્યો છે.

  ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા

નીલેશ એમ. દેસાઈ, એસોસિયેટ ડિરેક્ટર અને વિશિષ્ટ સાયન્ટિસ્ટ, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC-ISRO) મહત્ત્વની નોટ આપશે અને ભારતના અંતરીક્ષ કાર્યક્રમ અને આત્મનિર્ભરતા પર ચર્ચા કરશે. આ ઉપરાંત જયંત પી. જોષી (નિવૃત્ત) SAC-ISRO ઇસરોનના કોમ્યુનિકેશન સેટેલાઇટ પર ચર્ચા કરશે અને સી. એમ. નાગરાણી સિનિયર સાયન્ટિસ્ટ (નિવૃત્ત) ઇન્ડિયાના રિમોટ સેન્સિંગ અને મીટિરિયોલોજિકલ સેટેલાઇટ્સ પર ચર્ચા કરશે. આ વેબિનાર પછી સવાલ-જવાબ સેશન હશે, જેમાં ISROના સાયન્ટિસ્ટો વિદ્યાર્થીઓ અને ટીચરો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપશે.

 

 

બિહાર વિધાનસભાની ચૂંટણીઃ મહાગઠબંધનમાં સીટોની વહેંચણી

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. એક બાજુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર સહમતી બની છે તો બીજી બાજુ LJPથી બિહારમાં NDAથી અલગ થઈને ચૂંટણી લડે એવી શક્યતા છે.  બિહારમાં અત્યાર સુધી 150થી વધુ સીટો પર લડવાનો દાવો કરી રહેલી RJDના તેવર સહયોગીઓથી નારાજગી પછી નરમ પડ્યા છે. એ 144 સીટો પર ચૂંટણી લડશે. એ પોતાના ક્વાટોમાંથી ઝામુમો (ZMM) અને VIPને સીટો આપશે. કોંગ્રેસ 62 બેઠકો પર ચૂંટણી લડશે.

આ છે મહાગઠબંધનની સીટોની ફોર્મ્યુલા

RJD -144 પર ચૂંટણી લડશે. મુકેશ સહનીની પાર્ટી VIP અને ZMMને પણ RJD પોતાના હિસ્સામાંથી બેઠકોની વહેંચણી કરશે. કોંગ્રેસ-70 બેઠકો પર, CPI-6,  CPM-4 બેઠકો પર ચૂંટણી લડશે.

કોણ, ક્યાંથી ચૂંટણી લડશે? એ અત્યાર સુધી નક્કી નથી

સૂત્રોનું કહેવું છે કે કઈ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને કઈ સીટ પર RJD લડશે એ વાત પર હતી પણ પેચ ફસાયેલો છે. આ માટે બંને પક્ષોમાં વાચ અંતિમ દોરમાં છે. એની સાથે મુકેશ સહની, હેમંત સોરેન અને ડાબેરી પક્ષોથી વાતચીત જારી છે.

ભાજપ LJPને માત્ર 15 સીટો આપવા ઇચ્છે છે

ભાજપઅધ્યક્ષ જે પી નડ્ડાથી ચિરાગ પાસવાન પાંચ વાર મળી ચૂક્યા છે. ભાજપ લોક જનશક્તિ પાર્ટી (LJP)ને માત્ર 15 બેઠકો આપવા ઇચ્છે છે, જ્યારે લોજપા 42 બેઠકો માગી રહી છે. JDU પહેલાં જ કહી ચૂકી છે કે એનું LJPથી ગઠબંધન નથી. JDU ભાજપથી વધુ સીટો પર પર લડવા ઇચ્છે છે. બંને પક્ષોમાં અત્યાર સુધી સહમતી નથી બની.

મોદીથી વેર નહીં, નીતીશ તારી ખેર નહીં

NDAમાં સીટોની શેરિંગ પર વિવાદ અટકવાનું નામ નથી લેતો. LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને NDAમાં સીટોની વહેંચણીનો પ્રસ્તાવ સ્વીકાર નથી. LJP 143 સીટો પર લડવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આવામાં સોશિયલ મિડિયામાં પર જારી કરવામાં આવેલા LJPના પોસ્ટર પર બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પોસ્ટરમાં બોલ્ડ અક્ષરોમાં કહેવામાં આવ્યું છે કે મોદીથી કોઈ વેર નહીં, નીતીશ તારી ખેર નહીં.

 

 

 

PM મોદીએ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું : લેહ-લદ્દાખની નવી લાઇફલાઇન

નવી દિલ્હીઃ લાહોલ ખીણના લોકો માટે આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. તેમણે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું લોકાર્પણ કર્યું છે. આ દરમ્યાન સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા. આ સુરંગ 9.02 કિલોમીટર લાંબી છે. હવે આ ટનલ સામાન્ય લોકોની અવરજવર માટે ખૂલશે.

આ પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. આ ટનલ સમુદ્ર સપાટીથી 10,000 ફૂટ ઉપર છે, જે લેહને મનાલીથી જોડે છે. આ ટનલ ભારત અને ચીનની સરહદથી બહુ દૂર નથી, તેથી એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PM મોદીએ કહ્યું, ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન 

વડા પ્રધાન મોદીએ હિમાચલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા. મોદી અવારનવાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે અહીં આવતા હતા. મોદીએ કહ્યું  હતું કે “આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું થયું નથી, પરંતુ આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોની દાયકાઓ જૂની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આજે મને ‘અટલ ટનલ’નું લોકાર્પણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે આ ટનલ મનાલી અને કેલોંગની વચ્ચેનું અંતર 3થી 4 કલાક ઘટાડશે. પર્વતનાં મારા ભાઈ-બહેનો સમજી શકે છે કે પહાડ પર 3-4 કલાકનું અંતર ઘટવાનો મતલબ શો હોય છે. તેમણે કહ્યું હતું કે ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન બનશે. લેહ-લદ્દાખના ખેડૂતો, બાગાયતી માલિકો અને યુવાનો હવે દેશની રાજધાની દિલ્હી અને અન્ય બજારોમાં સરળતાથી પહોંચી શકશે.

અટલ ટનલ કેમ મહત્ત્વની?

રોહતાંગમાં સ્થિત 9.02 કિલોમીટર લાંબી આ ટનલ મનાલીથી લાહોલ સ્પીતિને જોડે છે. આ ટનલને કારણે મનાલી અને લાહોલ સ્પીતિની ખીણ એકબીજા સાથે જોડાશે. આ પહેલાં બરફવર્ષાને કારણે લાહોલ સ્પીતિ ખીણ વર્ષના છ મહિના સુધી દેશના બાકી હિસ્સા સાથે કપાઈ જતી હતી.

‘અટલ ટનલ’નું નિર્માણ અત્યાધુનિક ટેક્નિકની મદદથી પીર પંજાલની પહાડીઓમાં કરવામાં આવ્યું છે. આ સમુદ્ર તટથી 10,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. ‘અટલ ટનલ’ના બની જવાથી મનાલી અને લેહની વચ્ચે 46 કિલોમીટર ઓછું થઈ ગયું છે અને બંને સ્થાનોની વચ્ચે લાગતા સમયમાં ચારથી પાંચ કલાકનો ઘટાડો થશે. ‘અટલ ટનલ’નો આકાર ઘોડાની નાળ જેવો છે.

10.5 મીટર પહોળી આ સુરંગ પર 3.6x 2.25 મીટરનું ફાયરપ્રૂફ ઇમર્જન્સી નિકાસ દ્વાર છે. ‘અટલ ટનલ’થી દરરોજ 3000 કારો અને 1500 ટ્રક  80 કિલોમીટરની સ્પીડે નીકળશે.

વળી. અટલ ટનલમાં સુરક્ષા-બંદોબસ્તની પાકી વ્યવસ્થા 150 મીટરના અંતરે ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે.  250ના અંતરે  સીસીટીવીની વ્યવસ્થા છે.

 

 

લોન મોરેટોરિયમ મામલોઃ રૂ. બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પર વ્યાજ વસૂલવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું છે કે કોરોના રોગચાળાની સ્થિતિમાં વ્યાજની છૂટનો ભાર સરકાર ઉઠાવશે- આ જ માત્ર સમાધાન છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઉપયુક્ત અનુદાન માટે સંસદથી મંજૂરી લેવામાં આવશે.

વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર

કેન્દ્રની પેનલની ભલમણો પછી વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારે ઉધારકર્તાઓ (લોનધારકો)ની મદદ કરવાના નિર્દેશ પછી Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલાં કહ્યું હતું કે એ વ્યાજ માફ નથી કરી શકતી, કેમ કે એ બેન્કોને અસર કરશએ. હવે આ મામલે આગામી સુનાવણી પાંચ ઓક્ટોબરે થશે.

કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી દર્શાવી

આ પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે એ વિવિધ ક્ષેત્રો માટે નક્કર યોજના લઈને કોર્ટ આવે. કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી જાહેર કરી હતી. કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર નહીં કરવાનો પણ વચગાળાનો આદેશ જારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની –ત્રણ જજોની બેન્ચ કરી રહી છે.

વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ

રિઝર્વ બેન્કે કોરોનાને લીધે બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ગ્રાહકોને છ મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું, જેની બદલે આ કંપનીઓ મૂળ રકમની સાથે વ્યાજ પર વ્યાજ લગાવતી હતી. આ રીતે લોનધારકોની લોન ચૂકવવાની રકમ વધુ વધી ગઈ હતી, કેમ કે વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ હતો.

આ સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે માત્ર વેપારમાં રસ નથી લઈ શકતા, લોકોની હેરાનગતિ પણ જોવી પડશે.

વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા

આ વિષયમાં બેન્કર્સનું કહેવું છે કે આ શ્રેણીઓ પર વ્યાજ પર વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા અસર પડશે. જોકે આ સ્કીમ બધા પ્રકાર પર લાગુ થાય તો ખર્ચ 10,000-15,000 કરોડ રૂપિયાની અસર પડે એવી શક્યતા છે.  બેન્કર્સ સરકારથી નુકસાનની ભરપાઈની આશા રાખી રહ્યા છે.

જોકે સરકારનો તર્ક હતો કે બધા પ્રકારના લોનધારકોને માફી આપવાથી બેન્કિંગ સિસ્ટમ પર વધુ દબાણ પડશે. બેન્ક આ પ્રકારના દબાણ સહન કરવા સક્ષમ નથી. આ સાથે ડિપોઝિટર્સનો વિશ્વાસ પણ ડગી જશે અને એને કારણે સરકારે મોટા લોનધારકોને માફી નથી આપી.