Home Blog Page 4651

કોરોના સંક્રમિતોની સંખ્યા 51 લાખને પારઃ કોરોનાને લીધે 382 ડોક્ટરોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 97,894 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોનાના કેસોનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1132 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 16 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 51,18,253 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 83,198 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 40,25,079 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,09,976 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. દેશમાં પહેલી વાર કોરોનાના સક્રિય કેસો 10 લાખને પાર થયા છે.

કોરોનાને પગલે 382 ડોક્ટરોનાં મોત

ઇન્ડિયન મોડિકલ એસોસિયેશને કેન્દ્ર સરકારના એ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં સરકારે સંસદમાં કહ્યું છે કે એની પાસે કોરાનાને લીધે જીવ ગુમાવનારા અથવા સંક્રમિત થનારા ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. જોકે અત્યાર સુધી કોરોનાને પગલે 382 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે.

6.05 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 6,05 65,728 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 16 સપ્ટેમ્બરે 11,36,613 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા,. એમ ICMRએ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

PM મોદીનો આજે 70મો જન્મદિવસ: દિગ્ગજ નેતાઓએ આપી શુભેચ્છા

 નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓ 70 વર્ષના થયા. તેમના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં કેટલાય કાર્યક્રમોનુ આયોજન કર્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તાઓ ‘સેવા સપ્તાહ’ ઉજવણી કરવાના છે. વડા પ્રધાન મોદીના જન્મદિને સવારથી સોશિયલ મિડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લોકો તેમને લાંબા આયુષ્યની શુભકામનાઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓ PM મોદીને જન્મદિનની શુભકામનાઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડા પ્રધાનને જન્મદિનની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું છે કે…

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે જન્મદિનની શુભકામનાઓ આપતાં ટ્વીટ કરીને લખ્યું છે કે…

દિલ્હીમાં મોડી રાત્રે ભાજપના કાર્યકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઊજવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ જન્મદિનની શુભકામનાઓ આપી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો લાભ થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યા છે, ઙું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. તેમણે ટ્વીટ કર્યું હતું કે…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાનને શુભકામનાઓ આપી હતી, તેમણે લખ્યું હતું કે વડા પ્રધાન મોદીને જન્મદિનની શુભેચ્છાઓ.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી, તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે

 નરેન્દ્ર મોદીનો જન્મ મહેસાણાના વડનગરમાં

નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં 17 સપ્ટેમ્બર, 1950એ થયો હતો. નરેન્દ્ર મોદી –દામોદરદાસ મોદી અને હીરાબાનાં છ સંતાનોમાંથી ત્રીજું સંતાન છે. મોદી સપરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તેમના પિતા સ્થાનિક રેલવે સ્ટેશને ચાની દુકાન પર ચા વેચતા હતા. મોદી પણ આ ચાની દુકાન પર પિતાને મદદ કરતા હતા. મોદીનાં માતા એક ગૃહિણી મહિલા છે. મોદી જન્મદિવસે તેમનાં માતાના આશીર્વાદ લેવા અચૂક ગુજરાત જાય છે. તેમનાં 70 વર્ષનાં જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવ્યા છે. હાલમાં તેમની ગણના વિશ્વપ્રસિદ્ધ નેતાઓમાં થાય છે.

સુવિચાર – ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦

સુવિચાર – ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 17/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦

જ્યારે એ સિંહણે તેના તોફાની બચ્ચાના કાન…

ઓકટોબરમાં જ્યારે ગીરનું જંગલ ખુલે ત્યારે જંગલ એકદમ હરીયાળુ હોય છે અને જ્યાં જોવો ત્યા ઝરણા વહેતા મળે. ગીરમા આવેલ બધાજ ઘુના/ઘના વરસાદના પાણીના ભરેલા હોય. જ્વાળામુખીના લાવામાથી બનેલી ટેકરીઓ પર મોટા વૃક્ષો ન ઉગે પણ નાના લીલા ઘાસથી આ ટેકરીઓ લીલીછમ દેખાય.

ઓક્ટોબરમાં અમે બપોરની સફારીમાં ગયા ત્યારે એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણ વચ્ચે 3 સિંહણો તેમના બચ્ચાઓ સાથે રુટનં-5 પર જોવા મળ્યા. વરસાદી માહોલના કરાણે સફારીમાં વાહનો ઓછા હતા અને અમે આ પ્રાઇડના વિવિધ પરિવારીક સંબંધોના આયામોને ખુબ માણ્યા…

એક સમયે સિંહણ એ એના લગભગ 3-4 મહીનાના તોફાની સિંહબાળનો કાન પકડ્યો અને એને બેસાડી દીધુ એ સમયે આ ક્લિક કરી અને મનમા વિચારતો રહ્યો કે…માણસ હોય કે સિંહ માં એ તોફાની છોકરાના કાન અમળવા જ પડે.

(શ્રીનાથ શાહ)

પંચાંગ 17/09/2020

યૂએઈની આઇપીએલ-13 ચાહકોને ચોક્કસ જલસા કરાવશેઃ સેહવાગ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપનર બેટસમેન વીરેન્દ્ર સેહવાગ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને ખૂબ ઉત્સાહમાં છે, જે યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ના ખાલી સ્ટેડિયમમાં રમાવાની છે. કોવિડ-19 રોગચાળાને કારણે લાંબા વિરામ પછી ટુર્નામેન્ટ રમાવાને લઈને ક્રિકેટરસિયાઓમાં પણ ખાસ્સો રોમાંચ છે. મને વિશ્વાસ છે કે અમે સ્થાનિક દર્શકોની સામે ક્રિકેટ મેચોને રમવાથી મિસ કરવાના છીએ. જોકે આ વખતે પણ ટુર્નામેન્ટ રમાવાની છે એ આપણા બધા માટે ખુશીની વાત છે-ખાસ કરીને લાંબા બ્રેક પછી, એમ સેહવાગે કહ્યું હતું.

સેહવાગ અને ક્રિકેટ શોના હોસ્ટ સમીર કોચર ફ્લિપકાર્ટ એપ પર ઇન્ટરએક્વિટ ક્રિકેટ શો પાવર પ્લે રજૂ કરવા માટે એકસાથે આવશે. ફ્લિપકાર્ટ વિડિયો ચેમ્પિયન્સની સાથે પાવર પ્લે ઇનામ જીતવા માટે પ્રોત્સાહિત કરશે, જેનો બધા ક્રિકેટપ્રેમીઓને આનંદ મળશે. જ્યારે હવે ટુર્નામેન્ટનો ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે વધુ ચર્ચાને અવકાશ નથી. આ મારા માટે એક તક છે, હું IPL સાથે જોડાઈ રહ્યો છું, જે હકીકતમાં મારા રસનો વિષય છે, જેનો હું આનંદ લઉં છું. હું લોકોના ક્રિકેટના જ્ઞાન અને કુશળતાનું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યું છું.

મને આશા છે કે ક્રિકેટપ્રેમીઓ પણ IPL ટુર્નામેન્ટને માણવા માટે સજ્જ થઈ ગયા હશે. આગામી સમયમાં આ ટુર્નામેન્ટ પછી સિરીઝ પણ શરૂ થશે, એમ તેણે કહ્યું હતું. આ શોમાં સેહવાગ અને સમીર ભારતની ફેવરિટ ક્રિકેટ શૃંખલા પર ચર્ચા કરશે, જ્યારે દર્શકો મેચનાં વિવિધ પાસાંની ભવિષ્યવાણી કરીને કેટલાંય ઇનામ જીતવા માટે ક્રિકેટ જ્ઞાનનો ઉપયોગ કરવાની તક આપશે.

યુઝર્સને ક્વિઝ રમવાની તક આપશે

શુક્રવારે લોન્ચ થનારો આ શો યુઝર્સને પ્રતિ દિન ક્વિઝ રમવાની તક આપશે. સેહવાગ અને સમીર દ્વારા નિષ્ણાતોનાં મંતવ્યો અનુસાર છ પૂર્વાનુમિત પ્રશ્નો ઉપયોગકર્તાઓને રમત સંબંધિત જ્ઞાન અને પૂર્વનુમાન કરવાની સ્કિલને પડકાર આપશે.  મારો ક્રિકેટની સાથે જૂનો સંબંધ છે અને હું કોઈ અન્ય પ્રશંસકની જેમ રમતનો આનંદ લેતો હોઉં છું. હું ફ્લિપકાર્ટ વિડિયોની સાથે ઇન્ટરએક્ટિવ શોની હોસ્ટિંગ કરવા માટે બહુ ઉત્સાહિત નથી, પણ ક્રિકેટ મેચનો હું આનંદ લેવા માગું છું અને વીરુ પાજી સિવાય બીજું કોઈ નહીં, એમ કોચરે કહ્યું હતું.

આપણે બધા ટુર્નામેન્ટ શરૂ થવાની ખૂબ ઉત્સાહથી રાહ જોઈ રહ્યો છે અને લોકોને મેચનો આનંદ લેતા, ઇનામ જીતતા જોવાની મજા પડશે. હું હજી પણ લોકોને મનોરંજન કરવા માટે મળું છું, એમ તેમણે કહ્યું હતું.

ગઈ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ શનિવારે આ ટુર્નામેન્ટમાં અબુ ધાબીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

 

 

 

નવું સંસદભવન બાંધવાનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને મળ્યો

નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા નવા સંસદભવન બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ હાંસલ કરી લીધો છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે (CPWC) સંસદભવનની નવી ઈમારતના નિર્માણ માટે ફાઇનાન્સિયલ બિડ્સ મગાવ્યા હતા, જેમાં ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડની બોલી રજૂ કરી હતી, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે 865 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું.

સરકારે મુંબઈની ત્રણ કન્સ્ટ્રક્શન કંપનીઓ- લાર્સન એન્ડ ટુબ્રો લિ., ટાટા પ્રોજેક્ટસ લિ. અને શાપુરજી પાલનજી એન્ડ કંપની પ્રા. લિ.ને નવું સંસદ ભવન બનાવવા માટે વિકલ્પોની યાદીમાંથી શોર્ટ લિસ્ટ કરી હતી. જોકે સરકારે આ યાદીમાંથી અન્ય ચાર કંપનીઓનાં ટેન્ડર્સને નકારી કાઢ્યાં હતાં. હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું સંસદભવનના ટેન્ડરની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

નવી પાર્લામેન્ટનું બાંધકામ, જેમાં લોકસભા અને રાજ્યસભા માટે બેસવાની ક્ષમતાની સાથેનો હોલ સામેલ હશે, સંસદના સભ્યો માટે ઓફિસ, એની સાથે ભોજનની સુવિધા અને સંસદસભ્યો માટે લાઉન્જ, ગાર્ડન હશે. જોકે સંસદના શિયાળુ સત્ર પછી  કામ શરૂ થવાની શક્યતા છે અને 2022ના અંત સુધી એ પૂરું થવાની શક્યતા છે. CPWDએ કહ્યું હતું કે હાલની પાર્લામેન્ટ આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યાં સુધી ચાલુ રહેશે. હાલની સંસદની સામે જ નવી પાર્લમેન્ટનું નિર્માણ થશે.

યોશિહીદે સુગા ચૂંટાયા જાપાનના નવા વડાપ્રધાન…

જાપાનના શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)એ 16 સપ્ટેમ્બર, બુધવારે ટોકિયોમાં સંસદભવનમાં સંસદીય મતદાન પ્રક્રિયામાં યોશિહીદે સુગાને દેશના નવા અને 99મા વડા પ્રધાન તરીકે વિધિવત્ ચૂંટી કાઢ્યા હતા. સંસદના બંને ગૃહમાં એલડીપીની બહુમતી છે. સુગા નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપનાર શિન્ઝો એબેના અનુગામી બન્યા છે. બાદમાં, ઈમ્પીરીયલ પેલેસમાં, જાપાનના સમ્રાટ નારુહિતોએ સુગાને નવા વડા પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા.

શાસક પક્ષે દેશના નવા વડા પ્રધાન તરીકે પસંદગી કર્યા બાદ યોશિહીદે સુગા સીટ પરથી ઊભા થઈને અભિવાદન સ્વીકારે છે. વડા પ્રધાન કાર્યાલયમાંથી વિદાય લેતા શિન્ઝો એબે સંસદસભ્યોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે