Home Blog Page 4658

ચીને અરુણાચલ પ્રદેશથી લાપતા પાંચ યુવકોને ભારતને સોંપ્યા

ગૌહાટીઃ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશના એ પાંચ પુરુષોને ભારતને સોંપી દીધા હતા, જે પાછલા દિવસોમાં લાપતા થયા હતા, એમ સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી. આ પહેલાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ આ બાબતે ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચીની PLAએ ભારતીય સેનાને અરુણાચલ પ્રદેશના યુવાનોને ભારતને સોંપવાની પુષ્ટિ કરી છે.

પાછલા શનિવારે એક મુખ્ય સ્થાનિક ન્યૂઝપેપરે એક અહેવાલ છાપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાગિન સમુદાયના પાંચ લોકો- જે નાચો શહેરની પાસે એક ગામમાં રહેતા હતા, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

ન્યૂઝપેપરે લખ્યું હતું કે આ અપહરણ વખતે તેઓ જંગલમાં શિકાર માટે ગયા હતા. આ અહેવાલ એક સંબંધીના હવાલેથી છાપવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ લોકોનું ચીની સેના દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ દાવો એક સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જે પોસ્ટ પછીથી વાઇરલ થઈ ગઈ હતી.

 

કોરોનાના 97,570 નવા કેસ, 1201નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 97,570 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ મોટો આંકડો છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 1201 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 46,59,984 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 77,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 36,24,196 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,58,316 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

5.51 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટદેશમાં અત્યાર સુધી 5.51,89,226 લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 11 સપ્ટેમ્બરે 10.91,251 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

શિવસેનાના કાર્યકર્તાઓએ નેવી અધિકારીની મારપીટ કરી, છ લોકોની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે એક કાર્ટૂન ફોર્વર્ડ કરવું નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીને ભારે પડી ગયું હતું. ગઈ કાલે સાંજે ચાર કલાકે આશરે પાંચ-છ શિવસૈનિકોએ મળીને એક નિવૃત્ત અધિકારી મદન શર્માને મારપીટ કરી હતી. આ હુમલામાં શર્માને ગંભીર ઈજાઓ થઈ હતી, જેની સારવાર મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મુંબઈ પોલીસે આ મામલે છ જણની ધરપકડ કરી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક શિવસેનાનો શાખાપ્રમુખ કમલેશ કદમ પણ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે આશરે 11.30 કલાકે કાંદિવલીના લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં બની હતી. 65 વર્ષીય ભૂતપૂર્વ અધિકારી મદન શર્મા કાંદિવલીના ઠાકુર કોમ્પ્લેક્સની વસંત પ્રાઇડ કો-ઓપ સોસાયટીમાં રહે છે. તેમણે વોટ્સએપ ગ્રુપમાં ઠાકરે પર એક કાર્ટૂન ફોર્વર્ડ કર્યું હતું. એનાથી નારાજ થઈને કમલેશ કદમે પહેલાં તેમનાં નામ અને સરનામું પૂછ્યું હતું.  ત્યાર બાદ કેટલાક શિવસેનાના શાખાપ્રમુખ કમલેશ કદમ અને સંજય માંજરે સહિત આશરે એક ડઝન લોકો મારપીટ કરવામાં સામેલ હતા. આ મારપીટની ઘટના સોસાયટીના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને તોફાન સંબંધિત જોગવાઈઓ હેઠળ છ લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં મોડી સાંજે કમલેશ કદમ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ અધિકારી મદન શર્માએ કહ્યું હતું કે કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે મને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. આઠ-10 લોકોએ મારી પર હુમલો કર્યો અને મને માર માર્યો. મેં પૂરી જિંદગી દેશ માટે કામ કર્યું છે.

ભાજપના વિધાનસભ્યએ શેર કર્યો વિડિયો

મહારાષ્ટ્રના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે આરોપ મૂક્યો હતો કે કાંદિવલીમાં એક નિવૃત્ત નૌસેનાના અધિકારીની કેટલાક શિવસૈનિકોએ મારપીટ કરી છએ, કેમ કે તેમણએ સોશિયલ મિડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે એક કાર્ટૂન ફોર્વર્ડ કર્યું હતું..

કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે ધમકી

નિવૃત્ત અધિકારીની પુત્રી શીલા શર્માએ કહ્યું હતું કે કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે તેને પણ ધમકી મળી હતી. શિવસેનાના લોકોએ મારા પિતા પર હુમલો કર્યો હતો. આ પોલીસ મારા ઘરે આવી અને મારા પિતાને સાથે લઈ જવા પર ભાર મૂકતી હતી. અમે સમતાનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવ્યો છે. આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ સહિત ભાજપના કેટલાક નેતાઓ આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે.

 

 

 

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 12/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 12/09/2020

ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં પાટનગરોને રેલવે નેટવર્કથી જોડવામાં આવશેઃ ગોયલ

નવી દિલ્હીઃ ભારતીય રેલવે બધાં આઠ પૂર્વોત્તર રાજ્યોનાં પાટનગરોને રેલવે નેટવર્કની સાથે જોડવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉપરાંત પડોશી દેશ બંગલાદેશના રેલવે નેટવર્ક સાથેના જોડાણ માટેના પ્રોજેક્ટને પણ અમલમાં મૂકશે, જેથી ભારતના અન્ય ભાગોની સાથે સંદેશવ્યવહારની સુવિધા મળી શકે, એમ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું.

સારા લિન્કેજના માધ્યમથી ઓલ રાઉન્ડ વિકાસ પર કેન્દ્રના ફોકસ સાથે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)એ આસામના મુખ્ય શહેર ગૌહાટી, ત્રિપુરાની રાજધાની અગરતલા અને અરુણાચલ પ્રદેશના ઇટાનગરને પહેલેથી જોડવામાં આવ્યું છે.

ત્રિપુરાના રેલવે નેટવર્કને બંગલાદેશના રેલવે નેટવર્કની સાથે જોડવા માટે હવે 12 કિલોમીટર લાંબી અગરતલા-અખૌરા (બંગલાદેશ) રેલવેના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એક વાર આ પ્રોજેક્ટ પૂરો થયા પછી ત્રિપુરા અને કોલકાતા વચ્ચેનું અંતર 1100 કિલોમીટર ઘટશે, એમ તેમણે કહ્યું હતું.

દક્ષિણ ત્રિપુરામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ના શિલાન્યાસ સમારોહને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં વેપાર અને ઉદ્યોગપ્રધાન ગોયલે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની પહેલના ભાગરૂપે દરેક જિલ્લામા નવી આઇટમની પસંદગી કરવામાં આવશે અને ભારત તેમ જ વિદેશમાં માર્કેટિંગ કરતાં પહેલાં તમામ પ્રયાસો સાથે વિકસિત કરવામાં આવશે.

650 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ

SEZની સ્થાપના દક્ષિણ ત્રિપુરામાં સબરૂમ શહેરની પશ્ચિમમાં જલેફામાં કરવામાં આવી રહી છે, જે અગરતલાથી 130 કિલોમીટર દક્ષિણમાં છે, પરંતુ બંગલાદેશના ચટગાવ પોર્ટથી માત્ર 72 કિલોમીટર દૂર છે.

તેમણે કહ્યું હતું કે SEZમાં રબર, વાંસ, કૃષિ આધારિત ઉત્પાદનો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવામાં આવશે અને એમાં 650 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પ્રારંભમાં SEZના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 60 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. SEZની સ્થાપના પછી રેલવેના પ્રોજેક્ટોને પૂરા થયા પછી બંગલાદેશની સાથે વેપાર અનેક ગણો વધે એવી શક્યતા છે.

5000 લોકોને નોકરીઓ મળશે

મુખ્ય પ્રધાન બિપ્લવકુમાર દેબે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહેલી વાર SEZની સ્થાપના પછી આશરે 5000 લોકોને રોજગારી મળશે. ત્રિપુરાના ઇન્ડસ્ટ્રી અને કોમર્સ વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે SEZની સ્થાપનાથી રાજ્યની નિકાસ ક્ષમતામાં પ્રતિ વર્ષ કમસે કમ 2000 કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે.

કેન્દ્ર સરકારે પહેલેથી જ SEZની સ્થાપના કરવા માટે 16.35 હેક્ટર જમીન ફાળવી છે, જેને 16 ડિસેમ્બર, 2019એ કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલયે જગ્યા ફાળવી હતી. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ વિભાગના અધિકારી દેબે કહ્યું હતું કે ડિસેમ્બર સુધી ફેની નદી પર બાંધવામાં આવી રહેલો પુલ પૂરો થયા પછી ત્રિપુરા માર્ગેથી સીધા બંગલાદેશથી જોડાઈ જશે અને ચટગાવ પોર્ટનો ઉપયોગ કરીને માલસામાનની હેરફેર સુવિધા થશે. SEZની પાસે મૈત્રી પુલ 2017થી નિર્માણાધીન છે.

 

 

 

 

 

સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા સજ્જઃ જનરલ રાવત

નવી દિલ્હીઃ લદાખ સરહદે ભારત અને ચીનના લશ્કર વચ્ચે તંગદિલી ઘેરી બની છે ત્યારે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે સંરક્ષણ અંગેની સંસદની સ્થાયી સમિતિના સભ્યોને આજે કહ્યું છે કે દેશના સશસ્ત્ર દળો કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે.

આ બેઠકમાં કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. ચીન સાથેના સરહદ વિવાદને સંભાળવાના મુદ્દે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત પસ્તાળ પાડી રહ્યા છે.

જનરલ રાવતે સમિતિને કહ્યું કે ચીનના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ પર્યાપ્ત પગલાં લીધા છે. આપણા દળો અત્યંત સતર્ક છે અને ચીનાઓ જો સરહદ પર કોઈ દુઃસાહસ કરશે તો આપણા સૈનિકો એમને જડબાતોડ જવાબ આપશે.

9/11 હુમલાની 19મી વરસીઃ અમુક ન જાણેલી વાતો…

વોશિંગ્ટનઃ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ બે વિમાનોએ ન્યુ યોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પ્રસિદ્ધ ટ્વિન ટાવરને જમીનદોસ્ત કરાવ્યા હતાં. ઇસ્લામિક કટ્ટરપંથી ગ્રુપ અલ-કાયદા સાથે જોડાયેલા 19 આતંકવાદીઓએ ચાર વિમાનોનું અપહરણ કર્યું હતું અને અમેરિકા પર ભયંકર આત્મઘાતી હુમલો કર્યો હતો. ત્રીજું વિમાન વોશિંગ્ટન DCની બહાર આવેલા પેન્ટાગોન પર પડ્યું હતું અને ચોથું વિમાન પેન્સિલવેનિયાના એક મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 9/11ના આતંકવાદી હુમલા દરમ્યાન 3000થી વધુ લોકો માર્યા ગયા હતા. તે હુમલા બાદ અમેરિકાએ આતંકવાદ સામે લડવાની પહેલ કરી હતી. 

19 વર્ષ પહેલાંના એ મંગળવારે સવારે 8.45 કલાકે અમેરિકન એરલાઇન્સનું એક બોઇંગ, જે 767,20,000 ગેલન જેટ ઇંધણથી ભરેલું હતું, તે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તર ભાગમાં ટકરાયું હતું. 110 માળની ગગનચુંબી ઇમારતની 80મા માળે આગ લાગવાથી બચી ગઈ હતી અને હજારો લોકોનાં મોત થયાં હતાં. સેંકડો લોકો આ ઊંચી ઇમારતમાં ફસાયા હતા. 18 મિનિટ પછી બીજું બોઇંગ 767 યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 175 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના દક્ષિણ ટાવર સાથે અથડાયું હતું અને 60મા માળે એક મોટું ગાબડું ગયું હતું.

9/11ના હુમલા માટે સાઉદી અરેબિયાના ભાગેડુ ઓસામા બિન લાદેનના અલ-કાયદા આતંકવાદી સંગઠન દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

11 સપ્ટેમ્બર, 2001ને સુરક્ષાના આઉટલુકમાં બદલાવ કરવામાં આવ્યા હતા, જેમા અફઘાનિસ્તાન, ઇરાક, લિબિયા અને પાકિસ્તાનમાં નાગરિક સ્વતંત્રતા, સૈન્ય કાર્યવાહીની કિંમત પર એક આકરો કાયદો ઘડી કાઢવામાં આવ્યો હતો. જેના પરિણામસ્વરૂપ સદ્દામ હુસેન અને મુઅમ્મર ગદાફીનાં મોત થયાં હતાં. આ ઉપરાંત આતંકવાદી ગ્રુપ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને પણ પાકિસ્તાનમાં ઘૂસીને ઠાર કરવામાં આવ્યો હતો.

અહીં એ તથ્યોની યાદી છે, જેને તમે 9/11ના હુમલા વિશે કદાચ જાણતા ન હો…

1. આગ 99 દિવસો સુધી ચાલુ રહી હતી

ગ્રાઉન્ડ ઝીરો પર લાગેલી આગ 19 ડિસેમ્બર, 2001 સુધી સંપૂર્ણ રીતે બુઝાઈ નહોતી.

2. CIAએ 1998માં રાષ્ટ્રપતિ ક્લિન્ટનના અપહરણ માટે ચેતવણી આપી હતી.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ ક્લિન્ટનને જણાવ્યું હતું કે બિન લાદેન હાઇજેક અને યુએસ એરક્રાફ્ટ અને અન્ય હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યો છે. CIAએ પોતાના ડેલી બ્રીફમાં ચોથી ડિસેમ્બર, 1998એ રાષ્ટ્રપતિને અપડેટ કરતાં કહ્યું હતું કે તે અનેક આંતકવાદીઓને જેલમાંથી છોડાવવા માટે વિમાનોને હાઇજેક કરવાની યોજના બનાવી રહ્યો છે.

3. વર્લ્ડ ટ્રેડ સેન્ટરને પહેલા નિશાન બનાવવામાં આવ્યું હતું

26 ફેબ્રુઆરી, 1993એ WTCના બેઝમેન્ટ પાર્કિંગમાં ઊભેલી વાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટમાં છ લોકોનાં મોત થયાં હતાં અને 1000થી વધુ ઘાયલ થાયા હતા. બોમ્બ મૂકનાર સુન્ની કટરપંથી રેમઝી યુસેફે પછીથી કહ્યું હતું કે અઢી લાખ જેટલા લોકો માર્યા જવાની તેની ધારણા હતી.

4. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું સ્ટીલ ચીન અને ભારતને વેચવામાં આવ્યું હતું

ગ્રાઉન્ડ ઝીરોમાં બચેલા 185,101 ટન સ્ટીલનો ઉપયોગ અમેરિકામાં આવેલા સ્મારકો પાછળ કરવામાં આવ્યો હતો, પણ કેટલુંક ચીન અને ભારતને વેચવામાં આવ્યું હતું.

5. ન્યુ યોર્કમાં ત્રણ ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત થઈ હતી

બે વિમાનો ન્યુ યોર્ક સિટી શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવરો સાથે અથડાયા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ સાતના કવરેજમાં બહુ કરી ના શકાયું. 47 માળની એક અન્ય ઇમારત સાથે ત્રીજું વિમાન અથડાતાં એ ઈમારત પણ ધ્વસ્ત થઈ હતી.

6. 9/11 પૂર્વે લાદેનને મારવા અમેરિકાએ અનેક પ્રયાસો કર્યા હતા

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે CIA અને અન્ય એજન્સીઓએ 1998ના પ્રારંભે બિન લાદેનને પકડવાની યોજના તૈયાર કરી હતી. આમાં વિલંબ થયો, પરંતુ અફઘાન આદિવાસી નેતાઓ પર વિશ્વાસ કરવા વિશે સેનાના અધિકારી અવઢવમાં હતા. એ વખતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સેન્ડી બર્જર એ વાતને લઈને ચિંતામાં હતા કે જો લાદેન પકડાશે તો તેની સાથે શું કરવામાં આવશે અને શું તેની સામેના પુરાવાથી અમેરિકી કોર્ટમાં ગુનાની સજા થશે.

7. અપહૃત વિમાનોનાં પ્રવાસીઓએ માહિતી પૂરી પાડી હતી

અમેરિકન અને યુનાઈટેડના અપહરણ કરાયેલા 4 વિમાનના પ્રવાસીઓએ એમના વિમાનનું અપહરણ કરાયું છે એવી જાણકારી એમના સેલફોન દ્વારા એમના પરિવારજનો તથા મિત્રોને આપી હતી.